આદિત્યનાથની ‘યોગસાધના’ બેરોકટોક જારી … અને દેશ રામભરોસે !
અમેરિકીવિશ્વસત્તાના રાષ્ટ્રીય ગૌરવ સમાં ટ્વિન ટાવર્સ ધ્વસ્ત થયાને તેર વરસ વીતી ગયા ! ચાલુ મહિને અમેરિકાની સત્તાવાર મુલાકાતે જઈ રહેલા વડાપ્રધાને જાણે મુલાકાત આગમ્ય સમો બાંધતા હોય તેમ 9/11ની આતંકવાદી ઘટનાને સંભારવા સાથે આ જ દિવસનો બીજો એક ઇતિહાસસંકેત ઠીક સંભારી આપ્યો છે. એમણે શિકાગોની સર્વધર્મ સંસદમાં વિવેકાનંદે જે પહેલું ભાષણ આપ્યું હતું તેનીયે તારીખ 9/11 હતી એમ કહ્યું છે. વાત પણ સાચી કે આ બે નાઇન ઈલેવન, એક ઓસામા બિન લાદેનનું તો બીજું વિવેકાનંદનું, સામસામે મૂકીને જોવાં જેવાં છે. એક નાઇન ઈલેવન ધર્મને રાજકીય વિચારધારામાં ફેરવી નાખીને આતંકી વિનાશલીલા ખેલવાનો સંકેત લઈને આવે છે તો બીજું નાઇન ઈલેવન સર્વધર્મ સમાદરની ભૂિમકાએ સહઅસ્તિત્વ અને સહવિકાસનો સંદેશ લઈને આવે છે.
9/11 અગર તો નાઇન ઈલેવનનની આ પીઠિકા અને પિછવાઈ પર આજે વિશ્વનેતા, નોબેલ શાંતિજેતા ઓબામા કયાં ઊભા છે ? બુશની ઇરાક સંડોવણીની ટીકાથી લોકમાનસમાં કયારેક ઊંચકાયેલા ઓબામા આજે ઇસ્લામી સ્ટેટ અને ખિલાફતની એવી જ ચળવળ સબબ એક નવી હિંસ્ર સંડોવણીમાં માલૂમ પડે છે. અહીં સવાલ ઇસ્લાિમક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયાની ભેર તાણવાનો નથી. માત્ર, એ એક વિસંગતિ દર્શાવવાનો છે જે ઓબામાની જે ચાહના અને સ્વીકૃતિ કયારેક બની હતી એ કદાચ જુદો વળ લઈ રહી છે. બને કે એમને સારુ એ દુિર્નવાર હોય. પણ સામો એક સાદો છતાં પાયાનો મુદ્દો પણ ઊભો જ રહે છે કે ઘરઆંગણે પાકિસ્તાન સાથે એક તબક્કે અમેિરકી જોડાણના જે વિશ્વવ્યૂહનો આપણો અનુભવ છે તે જ ધોરણે આટલે વરસે પણ અમેરિકા ઇસ્લામિક સ્ટેટ્સ સામેના કથિત જંગમાં બીજા ધરાર અિધકારવાદી મુિસ્લમ દેશોનું ગઠબંધન કરવા ઇચ્છે છે !
રાજનૈતિકવ્યૂહના આટાપાટામાં નહીં જતાં અહીં એટલું જ કહેવું બસ થશે કે આ દિશાવિપરીતપરિણામી પુરવાર થવાના સંજોગો ખાસા બધા છે. એટલું જ નહીં, જે વ્યાપક ભૂિમકાવશ ઓબામાની વિશ્વસ્વીકૃતિ બની હતી તેના મેળમાં નથી. વિશ્વ જરૂરત અને રાષ્ટ્રીય સ્વાર્થ વચ્ચેની આ કશ્મકશ વિશે કયારેક વધુ વાત કરીશું. બીજી ખાસ જે નાઇન ઈલેવનની યાદ વડાપ્રધાને ભારત છેડેથી આપી છે એના ઉજાસમાં તપાસતાં આપણે કયાં ઊભા છીએ ?વિવેકાનંદી નાઇન ઈલેવન પરમંહસદેવની સર્વધર્મસાદના પર ઊભું હતું, અને તેની ગતિ ગાંધીની સર્વધર્મપ્રાર્થનાથી માંડીને ખાસ તો દરિદ્રનારાયણ ભણી એટલે કે સંપ્રદાયવાદ અને રાષ્ટ્રવાદથી ઉફરી અદૈત ભૂિમકાપૂર્વક મૂર્ત માનવ્ય તરફની હતી. જોવાનું એ છે કે છેલ્લાં પચ્ચીસ ત્રીસ વરસ પછી પહેલી જ વાર સ્પષ્ટ બહુમતીને ધોરણે નવો ઇિતહાસ રચવા જઈ રહેલ નેતા અને પક્ષ જે રાજકારણ ખેલીને આટલે લગી પહોંચ્યા છે એ બહુધા તો વિવેકાનંદની ભૂિમકા સાથે છત્રીસના સંબંધની દાસ્તાં છે.
અિમત શાહ પરની ચાર્જશીટ ટેકનિકલ કારણોસર પાછી પડી, પણ પાયાનાં કારણો જેમનાં તેમ છે અને પક્ષપ્રમુખની તરજ પર, વડાપ્રધાનની મૌન સંગત સાથે ઉત્તર પ્રદેશને આદિત્યનાથ ઘમરોળી રહ્યા છે. (આદિત્યનાથની આગળ ઓળખની રીતે ‘યોગી’ એ સંજ્ઞા પ્રયોજવી જોઈએ પણ તે વિશેષ નામ છે, નહીં કે વિશેષણ એ પણ સતત સ્પષ્ટ કરવું રહે છે.) આજે દુદૈવ વાસ્તવ એ છે કે વિકાસની આકાશી ખેતી અને કોમી ધ્રુવીકરણની જમીની ફસલ વચ્ચે એક અપવિત્ર જોડાણ સરજાયું છે. જો નાઇન ઈલેવનની જ તરજ તરાહ અને તાસીર પર વિવેકાનંદી વિમર્શ આગળ વધારવો હોય તો વસ્તુત : દરિદ્રનારાયણ કેન્દ્રી અને નાગરિક પહેલવર્તી જે એક અન્યાય પ્રતિકાર રીત (સત્યાગ્રહ) ગાંધી હસ્તક આગે બઢી એનુંયે સ્મરણ કરવું લાજમી છે. જ્હોનિસબર્ગમાં એ 1906ના 9/11નો જ િદવસ હતો જયારે ગાંધીએ સત્યાગ્રહના વિચારનો બિજનિક્ષેપ કીધો. લાદેનના નાઇન ઈલેવનના એકસો પાંચ વરસ પહેલાં ગાંધીએ આ પહેલ કરી હતી. બાય ધ વે, ગુજરાત ગૌરવ સ્કૂલે જો ન વાંચીવાગોળી હોય તો પ્રો. ભીખુ પારેખે લાદેન-ગાંધી સંવાદરૂપે કરેલી રજૂઆત જરૂર જરૂર જોઈ જવા જેવી છે.
ગમે તેમ પણ અન્યાય પ્રતિકારની ગાંધીરીતિ એકંદર લોકશાહીવિચારમાં ધારાસભા કારોબારી ન્યાયતંત્ર એ સંસ્થાકીય ગંઠાયા વચ્ચે પ્રજાસૂય પહેલનું એક નવું જ પરિણામ લઈને આવે છે. એમ તો ગાંધીનું એક બીજું નાઇન ઈલેવન, જે અમદાવાદની ધરતી પર જ રચાયું હતું, તે પણ ઊહાપોહ અને સ્વીકૃતિની રાહ જુએ છે. 1915માં આશ્રમમાં હરિજન પરિવારના નિવાસપ્રવેશ પરત્વે સ્વજનોની આનાકાની લક્ષમાં આવતાં ગાંધીએ ખાવાનું છોડયું તે દિવસ પણ 9/11નો હતો એ વિશે હમણાં જ ડો. અિશ્વનકુમારે લખ્યું પણ છે. આ ચોથું નાઇન ઈલેવન હિંદુ સમાજના હાડમાં રહેલા કેન્સર સામે લડવાનો સંદેશ લઈને આવે છે અને તે સાથે એ એક એવા મુદ્દો પણ ઉપસ્થિત કરે છે કે મુિસ્લમદ્વેષને ધોરણે ગોળબંધ થઈ શકતો હિંદુ સમાજ અંદરથી કેટલો કોરાયેલો છે.
ગોળબંદ થવાનો રાજપથ અને જનપથ સમૂહદ્વેષનો નહીં પણ સાથી નાગરિકતાનાવિકાસનો છે. આ વાનું ન પકડાયું તો આદિત્યનાથની યોગસાધના જારી … અને દેશ રામભરોસે !
પ્રકાશ ન શાહ. લેખક વરિષ્ઠ પત્રકાર, છે અને વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી છે.
સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, Sep 13, 2014