‘બોલ, ભાઈ ! તું શેને માટે આવ્યો છે?’ રાજાએ પૂછ્યું.
‘મહારાજ ! હું પ્રધાન થવા આવ્યો છું.’
‘મને મહારાજ ન કહેવો. હું રસોઇયો નથી.’
‘ભલે મહા- રાજજી. મારામાં પ્રધાન થવાની લાયકાત …’
‘મને ખબર છે, તું પીએચ.ડી. છે ને તારો થિસિસ તેં જ લખ્યો છે …’
‘મને પ્રધાન બનાવવા …’
‘તું યોગ્ય છે, પણ પ્રધાનમાં ન ચાલે. ‘
‘હું ન ચાલું? ‘
‘હા. પ્રધાન તો અભણ જ હોવો જોઈએ. એ ગરબડ ન કરે તો બધું બરાબર ચાલે ને બધું બરાબર ચાલે તો રાજમાં ચલાવવા જેવું શું રહે?’
‘ભલે, તમે રાજ કરો.’
‘તું શું કરીશ?’
‘હું થિસિસ લખી આપીને તારાજ કરીશ.’
‘સરસ. અયોગ્ય જગ્યાએ યોગ્ય અને યોગ્ય જગ્યાએ અયોગ્ય હોય એ રાજકારણની તાસીર છે.’
‘હું આજે નષ્ટાચાર શીખ્યો …’
000
e.mail : ravindra21111946@gmail.com
![]()


એક વિદ્યાર્થીને સવાલ પુછાયેલો કે માણસને કેટલી આંખ હોય છે? ને એ કેટલી હોય છે તે ગણવા જતાં તે પકડાઈ ગયેલો. આમ તો આ ટુચકો છે પણ આજના વિદ્યાર્થીઓને જોઈએ તો મોટાભાગના એટલા જ્ઞાની છે કે માણસને એક નાક હોય તેની પણ એ ગણીને ખાતરી કરે. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની વાત કરીએ તો એ બધાં બે વર્ષ પહેલાં હતાં એટલાં જ ફ્રેશ છે. બે વર્ષ પહેલાં ઘણાં એકડો જાણતા ન હતા ને આજે પણ નથી જ જાણતા. બે વર્ષ ભણ્યા જ નહીં ને માસ પ્રમોશનમાં ત્રીજામાં આવી ગયા. ત્રીજામાં હોય કે પહેલામાં, શિક્ષણ ભેદભાવ કરતું નથી. ત્રીજાવાળો પણ એટલું જ જાણે છે, જેટલું પહેલાંવાળો જાણે છે. મજાની વાત એ છે કે આ જે જાણે છે, શિક્ષણ વિભાગ પણ એટલું જ જાણે છે. સદ્દભાગ્યે મંત્રીઓ બહુ ધાર્મિક આવ્યા છે. એ બધા એટલા ધાર્મિક છે કે રોજ જ ‘કમળપૂજા’ કરે છે. છાપાંઓમાં રોજ ભગવાનોનાં આખા પાનાનાં ફોટા છપાય છે તેનાં સવારમાં ભાવિક ભક્તો દર્શન કરે છે ને જેમ ટ્રેન ઉપડે ને સ્ટેશન આવે જ, તેમ ભગવાનનું નામ ઊઠતાબેસતા, ખાતાપીતા, જાગતાઊંઘતા ઓટોમેટિકલી લેવાયાં જ કરે છે. આ અખંડ સેવાપૂજામાં મંત્રીઓ પણ એટલું જ જાણે છે જેટલું પહેલાંનું બાળક જાણે છે. આને કહેવાય સમાનતા ! બાળક અને મંત્રી, સરખાં જ્ઞાની.