તાજેતરમાં ભાવનગરનાં અગ્રણી પત્રકાર મહેન્દ્ર ગોહેલનું અકસ્માતમાં નિધન થયું. આ મહેન્દ્ર ગોહેલ ’ઉલ્કા’ કવિ, ગઝલકાર, પત્રકાર. ભાવનગરના સ્થાનિક પત્રકાર જગતમાં તેમનું નામ અગ્ર હરોળમાં ગણાય. ડિજિટલ પત્રકારણમાં લગભગ સર્વ પ્રથમ પ્રવેશ કરનાર મહેન્દ્ર ગોહેલ હશે. હવે તેઓ શો ટાઇમવાળા મહેન્દ્રભાઈથી ઓળખાય છે. પહેલાં તેઓ સાહિત્યમાં અતિશય સક્રિય હતા. સાહિત્ય સંગમ નામની સંસ્થાના મોભી હતા. દિલેરબાબુ સાથે તેમનું નામ જોડાયેલું હતું. હિંમત ખાટસૂરિયાના સાથમાં સામ્યવાદ તરફનો ઝોક રાખી ઘણાં વર્ષો કામ કર્યું.
ખાસ્સા પ્રયોગશીલ હતા. ‘સંબંધ’ નામે સાઇક્લોસ્ટાઇલ મૅગેઝિનથી બહુ જાણીતા બનેલા. ગઝલ લખવી, લખતાં બીજાને શીખવવી તે યુવા મહેન્દ્રનો શોખ હતો. તેઓ તથા શ્રીમતી ભારતીબહેન ઘણો સમય સાહિત્ય – પરિષદનાં અધિવેશનોમાં આવનારા ભાવનગરી હતાં. પછીથી સાહિત્ય ગૌણ બનતું ગયું. પત્રકારત્વમાં તેમનું નામ થયું. પહેલાં ‘સૌરાષ્ટ્ર સમાચાર’, પછી ‘ગુજરાત સમાચાર’ની સ્થાનિક આવૃત્તિના તંત્રી, પછી ‘શો ટાઇમ’ના માલિક. ખૂબ પ્રગતિ કરી. એક તકે ‘પગદંડી’ દૈનિકને ખરીદીને પગભર કરવા બીડું ઝડપ્યું. પણ તેમનો મુખ્ય રસ શો ટાઇમ. અનેક યુવા લોકોને વિકસવાની તક પૂરીપાડી. અનેક સ્થાનિક પ્રતિભાઓને યોગ્ય પ્લૅટફૉર્મ આપ્યું. અત્યંત પ્રવૃત્તિશીલ.
વર્ષો થયાં કમ્પ્યૂટર પર કામ કરતા ને એડિટિંગમાં માસ્ટરી દર્શાવતા મહેન્દ્રને કામ કરતા જોવાની એકાદ તક મને તેમની ઑફિસે જવાથી મળી છે. મને મળે ત્યારે અચૂક પરિષદની જ વાત છેડે. ભારતીબહેન પણ મને જોતાં પરિષદને યાદ કરે. તેઓ અચાનક ગયા. અકસ્માતમાં ગયા.
દંપતી તરીકે પણ નોંધપાત્ર. મહેન્દ્રભાઈ અને ધર્મપત્ની ભારતીબહેનનું એક બીજાં માટે કરેલું કમિટમેન્ટ હતું કે જે જીવન યાત્રામાં પહેલા વિદાય લે તેને બચેલા જીવનસાથી એ પોતાના હાથે અગ્નિદાહ દેવાનો. ધર્મપત્ની ભારતીબહેને એ કઠણ હૈયે પતિ મહેન્દ્રભાઈને અગ્નિદાહ પણ આપ્યો! તેમનાં દીકરો-દીકરી બન્ને હાલ વિદેશ છે. ત્યારે ભારતીબહેને કહ્યું કે આવા બહાદુર પતિ પાછળ રડવાનું ન હોય, તેને તો આ જીવનકળા માટે સલામી આપવાની છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑક્ટોબર 2020; પૃ. 16
 




 ઘરશાળા હાઈસ્કૂલમાં મારી શિક્ષક તરીકે નિમણૂક થઈ. તેમાં નિમિત્ત-કારણ દક્ષાબહેન હતાં. તેમને ઈ.સ. ૧૯૬૫માં ગુજરાત યુનિવર્સિટીની રિસર્ચ સ્ટડી-સ્કોલરશિપ (પીએચ.ડી.) પ્રાપ્ત થઈ, તેથી તેમણે ઘરશાળામાં શિક્ષક તરીકેની નોકરીનું રાજીનામું આપ્યું. નિયમાનુસાર પ્રથમ સત્ર સમાપ્ત થવામાં હતું. વર્ષની મધ્યમાં તેમના સ્થાને શિક્ષક મળતા ન હતા. આવા સંજોગોમાં એમ.એ.(અંગ્રેજી)ના વર્ગમાં આવતા શ્રી બિપિન પારેખ નામના ઘરશાળાના અંગ્રેજીના શિક્ષકે મને કહ્યું કે “તમે ગુજરાતીના શિક્ષક તરીકે ઘરશાળામાં આવી શકો?” મેં હા કહી. બીજે દિવસે ઘરશાળાના તે સમયના આચાર્યશ્રી મહેશભાઈ વસાવડા સાથે સ્કૂલમાં મારી રૂબરૂ મુલાકાત ગોઠવી આપી. તેમણે મને પસંદ કર્યો અને કહ્યું, “કાલે સવારે ૭.૦૦ વાગે આવો. તમારે ૧૧ ‘અ’માં તથા ૧૧ ‘બ’માં ગુજરાતી ભણાવવાનું છે. મેં કહ્યું, ‘મારી પાસે પુસ્તક નથી.’ તેમણે દક્ષાબહેનનું ઘરનું સરનામું આપ્યું, ‘આંબાવાડી, ઘોઘા-સર્કલ’. તેમની પાસેથી પુસ્તક મેળવી લ્યો અને શું ભણાવવું બાકી છે, તેની વિગત લઈ લો.” ને તે જ સાંજે દક્ષાબહેનને તેમના આંબાવાડીના નિવાસસ્થાને હું મળ્યો. પ્રથમ મુલાકાતે જ પરસ્પરને સંવાદ પસંદ પડ્યો.
ઘરશાળા હાઈસ્કૂલમાં મારી શિક્ષક તરીકે નિમણૂક થઈ. તેમાં નિમિત્ત-કારણ દક્ષાબહેન હતાં. તેમને ઈ.સ. ૧૯૬૫માં ગુજરાત યુનિવર્સિટીની રિસર્ચ સ્ટડી-સ્કોલરશિપ (પીએચ.ડી.) પ્રાપ્ત થઈ, તેથી તેમણે ઘરશાળામાં શિક્ષક તરીકેની નોકરીનું રાજીનામું આપ્યું. નિયમાનુસાર પ્રથમ સત્ર સમાપ્ત થવામાં હતું. વર્ષની મધ્યમાં તેમના સ્થાને શિક્ષક મળતા ન હતા. આવા સંજોગોમાં એમ.એ.(અંગ્રેજી)ના વર્ગમાં આવતા શ્રી બિપિન પારેખ નામના ઘરશાળાના અંગ્રેજીના શિક્ષકે મને કહ્યું કે “તમે ગુજરાતીના શિક્ષક તરીકે ઘરશાળામાં આવી શકો?” મેં હા કહી. બીજે દિવસે ઘરશાળાના તે સમયના આચાર્યશ્રી મહેશભાઈ વસાવડા સાથે સ્કૂલમાં મારી રૂબરૂ મુલાકાત ગોઠવી આપી. તેમણે મને પસંદ કર્યો અને કહ્યું, “કાલે સવારે ૭.૦૦ વાગે આવો. તમારે ૧૧ ‘અ’માં તથા ૧૧ ‘બ’માં ગુજરાતી ભણાવવાનું છે. મેં કહ્યું, ‘મારી પાસે પુસ્તક નથી.’ તેમણે દક્ષાબહેનનું ઘરનું સરનામું આપ્યું, ‘આંબાવાડી, ઘોઘા-સર્કલ’. તેમની પાસેથી પુસ્તક મેળવી લ્યો અને શું ભણાવવું બાકી છે, તેની વિગત લઈ લો.” ને તે જ સાંજે દક્ષાબહેનને તેમના આંબાવાડીના નિવાસસ્થાને હું મળ્યો. પ્રથમ મુલાકાતે જ પરસ્પરને સંવાદ પસંદ પડ્યો.