Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9376898
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મહેન્દ્ર ગોહેલ ‘ઉલ્કા’

અજય પાઠક|Opinion - Opinion|16 October 2020

તાજેતરમાં ભાવનગરનાં અગ્રણી પત્રકાર મહેન્દ્ર ગોહેલનું અકસ્માતમાં નિધન થયું. આ મહેન્દ્ર  ગોહેલ ’ઉલ્કા’ કવિ, ગઝલકાર, પત્રકાર. ભાવનગરના સ્થાનિક પત્રકાર જગતમાં તેમનું નામ અગ્ર હરોળમાં ગણાય. ડિજિટલ પત્રકારણમાં લગભગ સર્વ પ્રથમ પ્રવેશ કરનાર મહેન્દ્ર ગોહેલ હશે. હવે તેઓ શો ટાઇમવાળા મહેન્દ્રભાઈથી ઓળખાય છે. પહેલાં તેઓ સાહિત્યમાં અતિશય સક્રિય હતા. સાહિત્ય સંગમ નામની સંસ્થાના મોભી હતા. દિલેરબાબુ સાથે તેમનું નામ જોડાયેલું હતું. હિંમત ખાટસૂરિયાના સાથમાં સામ્યવાદ તરફનો ઝોક રાખી ઘણાં વર્ષો કામ કર્યું.

ખાસ્સા પ્રયોગશીલ હતા. ‘સંબંધ’ નામે સાઇક્લોસ્ટાઇલ મૅગેઝિનથી બહુ જાણીતા બનેલા. ગઝલ લખવી, લખતાં બીજાને શીખવવી તે યુવા મહેન્દ્રનો શોખ હતો. તેઓ તથા શ્રીમતી ભારતીબહેન ઘણો સમય સાહિત્ય – પરિષદનાં અધિવેશનોમાં આવનારા ભાવનગરી હતાં. પછીથી સાહિત્ય ગૌણ બનતું ગયું. પત્રકારત્વમાં તેમનું નામ થયું. પહેલાં ‘સૌરાષ્ટ્ર સમાચાર’, પછી ‘ગુજરાત સમાચાર’ની સ્થાનિક આવૃત્તિના તંત્રી, પછી ‘શો ટાઇમ’ના માલિક. ખૂબ પ્રગતિ કરી. એક તકે ‘પગદંડી’ દૈનિકને ખરીદીને પગભર કરવા બીડું ઝડપ્યું. પણ તેમનો મુખ્ય રસ શો ટાઇમ. અનેક યુવા લોકોને વિકસવાની તક પૂરીપાડી. અનેક સ્થાનિક પ્રતિભાઓને યોગ્ય પ્લૅટફૉર્મ આપ્યું. અત્યંત પ્રવૃત્તિશીલ.

વર્ષો થયાં કમ્પ્યૂટર પર કામ કરતા ને એડિટિંગમાં માસ્ટરી દર્શાવતા મહેન્દ્રને કામ કરતા જોવાની એકાદ તક મને તેમની ઑફિસે જવાથી મળી છે. મને મળે ત્યારે અચૂક પરિષદની જ વાત છેડે. ભારતીબહેન પણ મને જોતાં પરિષદને યાદ કરે. તેઓ અચાનક ગયા. અકસ્માતમાં ગયા.

દંપતી તરીકે પણ નોંધપાત્ર. મહેન્દ્રભાઈ અને ધર્મપત્ની ભારતીબહેનનું એક બીજાં માટે કરેલું કમિટમેન્ટ હતું કે જે જીવન યાત્રામાં પહેલા વિદાય લે તેને બચેલા જીવનસાથી એ પોતાના હાથે અગ્નિદાહ દેવાનો. ધર્મપત્ની ભારતીબહેને એ કઠણ હૈયે પતિ મહેન્દ્રભાઈને અગ્નિદાહ પણ આપ્યો! તેમનાં દીકરો-દીકરી બન્ને હાલ વિદેશ છે. ત્યારે ભારતીબહેને કહ્યું કે આવા બહાદુર પતિ પાછળ રડવાનું ન હોય, તેને તો આ જીવનકળા માટે સલામી આપવાની છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑક્ટોબર 2020; પૃ. 16

Loading

16 October 2020 અજય પાઠક
← India: Communalists, Indian Constitution and Muslim Minorities
શિકારી ગાંધી →

Search by

Opinion

  • ‘સાવન ભાદો’ની કાળી અને જાડી રેખાનું નમકીન આજે 70 વર્ષે પણ અકબંધ 
  • હંસને કી ચાહને કિતના મુઝે રુલાયા હૈ
  • પણે કેવળ પ્રાસંગિક થઈને રહી ગયા છીએ ….
  • બિઈંગ નોર્મલ ઈઝ બોરિંગ : મેરેલિન મનરો
  • અર્થ-અનર્થ – આંકડાની માયાજાળમાં ઢાંકપિછોડા

Diaspora

  • આપણને આપણા અસ્તિત્વ વિશે ઊંડા પ્રશ્નો પૂછતી ફિલ્મ ‘ધ બ્લેક એસેન્સ’
  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા

Gandhiana

  • સરદારનો ગાંધી આદર્શ 
  • કર્મ સમોવડ
  • સ્વતંત્રતાનાં પગરણ સમયે
  • આપણે વેંતિયાઓ મહાત્માને માપવા નીકળ્યા છીએ!
  • ગાંધીજી જીવતા હોત તો

Poetry

  • વરસાદમાં દરવાજો પલળ્યો
  • વચ્ચે એક તળાવ હતું
  • ઓલવાયેલો સિતારો
  • કારમો દુકાળ
  • વિમાન લઇને બેઠા …

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved