Opinion Magazine
Number of visits: 9448786
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સમસામયિક સમ્પાદનો વિશે 

સુમન શાહ|Opinion - Literature|2 July 2024

સુમન શાહ

આ લેખ સાહિત્યકારમિત્રોના હિતમાં લખી રહ્યો છું. હું જે હિત સમજ્યો છું તેને અનુસરીને જાહેરમાં લખું નહીં, તો પ્રજ્ઞાપરાધ થાય.

આપણે ત્યાં થતાં સમસામયિક સમ્પાદનો બાબતે આ હું જે લખી રહ્યો છું એને કવિઓ વાર્તાકારો તેમ જ નિબન્ધકારો અને વિવેચકો બરાબર સમજે અને વિવેકપૂર્વક આવશ્યક ચર્ચા કરે, એમ વિનન્તી છે.

અહીં હું સામયિકોના સમ્પાદકો વિશે નથી લખી રહ્યો એ સ્પષ્ટ છે.

દાખલા તરીકે, કોઈ સમ્પાદકને એક મુદ્દો સૂઝ્યો છે. એમ કે ‘ટૂંકીવાર્તામાં એકમેવ અસર’ -નું તત્ત્વ આજકાલ લખાતી ટૂંકીવાર્તાઓના સર્જકોની કૃતિઓમાં કલાત્મક રીતે અનુભવાય છે. એ મુદ્દાને એ પોતાનો સમ્પાદકીય આશય ગણે અને એવી કૃતિઓનું સમ્પાદન હાથ ધરે, તો સૌ પહેલાં એણે શું કરવું જોઈએ? ક્રમશ: આ પ્રમાણે —

૧ : સૌ પહેલાં એણે પ્રકાશક નક્કી કરવો જોઈએ. પ્રકાશક સાથે, લિખિત કરાર કરવો જોઈએ; તેમાં, પુસ્તક ક્યારે પ્રકાશિત થશે, પુસ્તકનું મૂલ્ય શું હશે, કેટલી નકલો છપાશે, કર્તાને કેટલો પુરસ્કાર અપાશે, એને કેટલી નકલ અપાશે, વગેરે વીગતો જોડવી જોઈશે. પુરસ્કાર સમ્પાદકને પણ મળવો જોઈએ, કરારમાં એનો પણ નિર્દેશ હોવો જોઈશે.

૨ : ‘એકમેવ અસર’-નો સંદર્ભ ધરાવતા પોતાના એ સમ્પાદકીય આશયની પૂરી સ્પષ્ટતા સાથે એ સમ્પાદકે એ કૃતિઓના કર્તાઓને નિમન્ત્રણ આપવું જોઈએ અને પસંદ કરેલી કૃતિ માટે દરેક કર્તાની લિખિત સમ્મતિ માગવી જોઈએ. સમ્પાદકે પ્રકાશક સાથે થયેલા કરારની તમામ વીગતોથી કર્તાને અવગત કરવો જોઇએ.

૩ : સમ્પાદકીય આશય કે પસંદગી પામેલી કૃતિ કોઈ કર્તાને યોગ્ય ન લાગતાં હોય, તો તે વિશે તેની સાથે સમ્પાદકે જરૂરી વિચારવિમર્શ કરવો જોઈએ. એ પછી, જો બન્ને પક્ષે સર્વસમ્મતિ સધાય તો આગળ વધવું જોઈએ.

૪ : એ સર્વસમ્મતિ અનુસાર, સમ્પાદકે પ્રકાશકને તમામ કૃતિ-કર્તાની યાદી મોકલવી જોઈએ. પ્રકાશકે પણ કર્તાને વિધિસરનું નિમન્ત્રણ મોકલવું જોઇએ, અને તે નિમન્ત્રણ સાથે પ્રકાશકે પુસ્તક ક્યારે પ્રકાશિત થશે, પુસ્તકની કેટલી નકલો છપાશે, કર્તાને કેટલો પુરસ્કાર અપાશે, કેટલી નકલ અપાશે, વગેરે વીગતો જોડવી જોઈશે.

૫ : આ બધું થાય તેમ છતાં, કેટલીક ક્ષતિઓ થવાનો સંભવ છે. એ ક્ષતિઓ આ પ્રમાણે હોઈ શકે : 

— નક્કી કરેલી સમયમર્યાદામાં પ્રકાશન ન થયું હોય.

— કર્તાને પુરસ્કાર કે નકલ ન મળ્યાં હોય.

— પુસ્તકમાં કોઈ કર્તાની કૃતિ ન છપાઇ હોય.

૬ : સંભવિત એવી કોઇપણ ક્ષતિ વખતે જવાબદાર કોણ? પ્રકાશક કે સમ્પાદક? આપણે ત્યાં સામાન્ય રીતે પ્રકાશકે કર્તા સાથે કરાર નથી કર્યો હોતો, તેથી જવાબદાર તો સમ્પાદક જ ગણાય. કર્તા સાથે સૌ પહેલો જોડાનાર સમ્પાદક છે. સમ્પાદકીય આશય એ બન્નેને જોડનારી કડી છે. એ હકીકત સૂચવે છે કે સમ્પાદક વ્યવહારુ તેમ જ નૈતિક ધોરણે કર્તા સાથે પૂરેપૂરો બંધાયેલો છે.

૭ : એ સંજોગોમાં, સમ્પાદકે જાહેર કરવું જોઈએ કે આવાં કારણોસર મૉડું થયું છે, કહેવું જોઈએ કે અમુક સમયે, પુસ્તક પ્રકાશિત થઈ જશે. પુરસ્કાર કે નકલ ન મળ્યાં હોય તો સમ્પાદકે પ્રકાશકને કહેવું જોઈશે. કોઈની કૃતિ ન છપાઈ હોય તો પ્રકાશકે તેમ જ સમ્પાદકે ક્ષમાપૂર્વક કહેવું જોઈશે કે પુનર્મુદ્રણ થશે તેમાં ઉમેરી લઈશું.

આ ૭ કલમો અનુસાર થનારું સમ્પાદન-પ્રકાશન આદર્શ ગણાય. 

પરન્તુ, આપણે ત્યાં આજકાલ, છેલ્લા દાયકા દરમ્યાન, સામાન્યપણે બને છે શું તે જાણવા જેવું છે.

અ : સમ્પાદકો કર્તાને આશયની સ્પષ્ટતા જવલ્લે જ કરે છે. વિધિવત પૂર્વસમ્મતિ નથી માગતા. ફોન કરી એટલું જ કહે છે – સમ્પાદનમાં તમારી વાર્તા લીધી છે, કાવ્ય લીધું છે, નિબન્ધ લીધો છે. કર્તાને સમ્પાદકની પસંદગી યોગ્ય ન લાગે, તો પોતાનો નિર્ણય બદલતા નથી, બહાનું બતાવે છે કે બધું પ્રેસમાં પ્હૉંચી ગયું છે. કોઈ કોઈ સમ્પાદકો તો એમ કહી દે છે કે કંઈપણ પ્રકાશકને પૂછો, મને નહીં. આ કારણે કહેવું પડે છે કે સમ્પાદકો પોતાને સમજે છે શું. તેઓ સાહિત્યસંસારમાંથી યથેચ્છ ચીજો ઉપાડી જાય અને કર્તાને સહાય કરવાને બદલે ઉપર હાથ રાખી મોટાઇ દાખવે? 

બ : પસંદગી પામેલ કેટલાક કર્તાઓ પણ હરખના માર્યા કશું જ પૂછતા નથી, ફુલાયા કરે છે.

ક : પુસ્તક નક્કી સમયે આવે નહીં, પુરસ્કાર કે નકલ મળે નહીં, ત્યારે કર્તા ઊંચોનીચો થાય છે ખરો, પણ પેલો ફુલારો એને ટાઢો પાડી દે છે. 

ડ : પોતાની કૃતિ સમ્પાદકે સ્વીકારેલી છતાં ન આવી હોય, તો, પેલા ફુલારામાં કાણું પડે છે, ને કર્તા ધૂંઆપૂંવા થવા માંડે છે. 

ઈ : મેં મારી દીર્ઘ કારકિર્દી દરમ્યાન જોયું છે કે આપણે ત્યાંની સમ્પાદનવિષયક દરેક ચર્ચામાં, એક જ મુદ્દો ટિપાય છે કે – આનું કેમ લીધું ને તેનું કેમ ન લીધું. સમ્પાદકીય આશય વિશે ભાગ્યે જ પૃચ્છા થાય છે, સમ્પાદકીય લેખ કે નૉંધમાં તો કોઈ નજરેય નથી નાખતું. કર્તા એટલી નજર નાખી લે છે કે લેખમાં પોતાનું નામ છે કે નહીં, નૉંધમાં વખાણ છે કે કેમ. 

આજકાલ આપણે ત્યાં પુસ્તકો ડિઝિટાઇઝ્ડ થવા માંડ્યાં છે તેથી સમ્પાદનો કે અન્ય પ્રકાશનો માટે નવેસર વિચારવું જરૂરી બને છે. 

એ વિશે, હવે પછી. 

(01/07/24: A’bad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

2 July 2024 Vipool Kalyani
← ઘર જેવું ખાવાનું હવે બહાર મળે છે…
છેલ્લા દસકાની ‘અઘોષિત કટોકટી!’ એ વળી કયો કિસ્સો? →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved