Opinion Magazine
Number of visits: 9448791
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સમરસ ગ્રામ પંચાયત લોકશાહી વિરોધી : સમરસ લોકસભા અને સમરસ વિધાનસભા આવશે? 

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|1 June 2025

હેમંતકુમાર શાહ

ગુજરાતમાં આશરે ૯,૦૦૦ જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી આવી રહી છે. તે સમયે ગુજરાત સરકારે સમરસ ગ્રામ પંચાયત નામની એક યોજના જાહેર કરેલી છે. આ યોજના નરેન્દ્ર મોદીએ ૨૦૦૧માં જાહેર કરેલી હતી. તે હાલ પણ ચાલુ છે. એમ કહેવામાં આવે છે કે ગામોમાં વાદવિવાદ ન થાય અને ઝઘડા કે વિખવાદ ન થાય માટે આ યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના હેઠળ જે ગ્રામ પંચાયતમાં સરપંચ અને પંચાયતના સભ્યોની ચૂંટણી થાય જ નહિ અને બધા સર્વાનુમતે ચૂંટાય તો રાજ્ય સરકાર એવી ગ્રામ પંચાયતને સમરસ ગ્રામ પંચાયત કહે છે અને તેને વિકાસનાં કામો માટે નાણાં આપે છે. વરસોવરસ આ યોજના હેઠળ આપવામાં આવતી ગ્રાન્ટની રકમ વધારવામાં આવી છે. અને સતત બે વખત કે ત્રણ વખત સમરસ ગ્રામ પંચાયત સમરસ થાય તો ગ્રાન્ટની રકમ વધતી જાય છે. આ આખી યોજના જ લોકશાહી વિરોધી યોજના છે. કેટલાક મુદ્દા જોઈએ : 

(૧) ગુજરાતનાં ગામોમાં સામાજિક સમરસતા છે ક્યાં? દરેક ગામમાં દરેક જ્ઞાતિના વાસ જુદા જુદા હોય છે. અને દલિત વાસ તો મોટે ભાગે ગામની બહાર હોય. આખું ગામ જાણે કે જુદા જુદા દેશો જેવું હોય છે! એમાં રાજકીય નેતૃત્વમાં સમરસતા કેવી રીતે આવે?

(૨) સામાન્ય રીતે સમરસ ચૂંટણી કરવાને નામે જેઓ ચૂંટણી લડવા ઉમેદવારી કરવા માગે છે તેમને ધાકધમકી આપીને બેસાડી દેવામાં આવે છે. જે હિંસા દેખાતી નથી એવી હિંસા થાય છે જ. જેઓ ગરીબો કે સામાજિક રીતે નબળા વર્ગના છે એવા દલિતો વગેરેને જાહેરમાં બોલવા દેવામાં આવતા નથી અને ચૂંટણી ન થાય તો લોકશાહીમાં જે મતાધિકાર મળ્યો છે તેનો પણ તેઓ ઉપયોગ કરી શકતા નથી.

(૩) બધા ભેગા થઈને ઉમેદવાર નક્કી કરે અને ચૂંટણી ન થાય તો વાદવિવાદ ન થાય એવી ધારણા આ યોજના પાછળ છે. બોગસ વાત છે આ. એક ગ્રામ પંચાયતમાં વસ્તી ૧૦૦૦ની હોય તો પણ ૭૦૦ મતદારો તો હોય જ. વધુ વસ્તી ત્યાં વધુ મતદારો. એ બધા ભેગા ક્યારે, ક્યાં થાય અને કરે કોણ. અને એમાં સર્વાનુમતે ઉમેદવાર નક્કી થાય કેવી રીતે? કોઈ પણ ગ્રામ પંચાયતમાં આવું બન્યું જ નથી એમ અભ્યાસો કહે છે. એટલે ધાકધમકીથી જ ઉમેદવાર બનવા માગતા નાગરિકોને બેસાડી દેવામાં આવે છે એ એક હકીકત છે. એટલે આમ જુઓ તો, ઘણી વાર ગામમાં જે જ્ઞાતિનું પ્રભુત્વ હોય તે પોતાની રીતે સામ, દામ, દંડ અને ભેદ વાપરીને દાદાગીરી કરીને સમરસ ઉમેદવાર નક્કી કરી નાખે છે. એમાં નથી બહુમતી હોતી કે નથી સર્વાનુમતિ. લોકશાહીનું ખૂન કરીને સામાજિક અને રાજકીય ‘દાદા’ઓને હવાલે પંચાયત કરવાનો આ ખેલ છે.

(૪) ચૂંટણી દ્વારા સત્તા પર આવેલી સરકાર પોતે જ ચૂંટણી ન થાય તેને માટે નાણાકીય પ્રોત્સાહન આપે તે કેવું? એ સરકાર સરમુખત્યારશાહીને પોષે છે એમ જ ન કહેવાય? 

(૫) ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા તો થાય જ અને છતાં ચૂંટણી ન થાય એવી આ યોજના છે. એટલે ભ્રામક સર્વસંમતિ ઊભી થઈ હોય તેવી ગ્રામ પંચાયત માટે પણ ચૂંટણી પંચની બધી કાર્યવાહી તો થાય જ, જાહેરનામું બહાર પડે, ઉમેદવારી પત્રક ભરાય વગેરે વગેરે. એટલે ચૂંટણી થાય છે એવો આભાસ તો ઊભો કરવાનો જ. સાવ NONSENSE વાત છે આ.

(૬) સરકાર આ કહેવાતી સમરસ ગ્રામ પંચાયતને વિકાસ માટે નાણાં આપે છે. એટલે એવો ભ્રમ પણ ઊભો થાય છે કે ચૂંટણીઓ થાય છે એટલે વિકાસ નથી થતો અને ચૂંટણી ન થાય તો વિકાસ થાય છે. કેટલી ખતરનાક બાબત છે આ! 

(૭) હદ તો ત્યાં થાય છે કે નેતાઓના આદેશથી કલેક્ટર, મામલતદાર, ટી.ડી.ઓ., ડી.ડી.ઓ. અને એવા બધા અધિકારીઓની ફોજ ગામડાંમાં સરકારી ખર્ચે નીકળી પડે છે સમરસ ગ્રામ પંચાયત ઊભી કરવા! સરકારી યોજનાને સફળ થયેલી તો દેખાડવી જ પડે. આ સરકારી અધિકારીઓનું કામ છે? 

(૮) આ સમરસ ચૂંટણીનો ચાળો થોડા સમય પહેલાં ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં લાગેલો, જો યાદ હોય તો. અરે, ભલા માણસ, પ્રોફેસરોમાં સમરસતા આવે કેવી રીતે? પણ આવેલી! ભાગબટાઈ નક્કી કરીને. આવું જ ગ્રામ પંચાયતોમાં થાય છે!

(૯) મોદી છે આ તો, કાલે મોદી વિધાનસભા અને લોકસભાની ચૂંટણી માટે પણ સમરસ યોજના જાહેર કરીને એમ કહી પણ દે કે જ્યાં સમરસ થશે ત્યાં અનુક્રમે ૫૦૦ કરોડ ₹ અને ૫,૦૦૦ કરોડ ₹ નો વિકાસ માટે ખર્ચ થશે. મોદી હૈ તો મુમકિન હૈ! પણ આ નેહરુ, સરદાર, આંબેડકર, રાજેન્દ્ર પ્રસાદ, ક.મા. મુનશી વગેરે દ્વારા ઘડાયેલું બંધારણ જ વચ્ચે આવે છે! બાકી મોદીને તો દેશનો વિકાસ કરવો જ છે. લોકશાહી જાય જહન્નમાં! સમરસ યોજના એ તો સ્થાનિક લોકશાહીને ખતમ કરવાનું એક રૂડુંરૂપાળું નામ છે.

તા. ૩૧-૦૫-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

1 June 2025 Vipool Kalyani
← ટ્રમ્પની તુમાખીઃ “અમેરિકન ડ્રીમ”ને રફેદફે કરનારા આ પ્રમુખ પર વિશ્વાસ કરવાની ભૂલ ન કરાય
તેઓ લોહી તરસ્યાને ઓળખી શકતા નથી ! →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved