Opinion Magazine
Number of visits: 9504433
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

2013ની મેન બુકર નવલ, ધ લૂમિનરીઝ [The Luminaries] અને જ્યોતિષ શાસ્ત્ર

ડાહ્યાભાઈ નાનુભાઈ મિસ્ત્રી|Opinion - Literature|6 November 2013

જ્યોતિષ શાસ્ત્ર, ખગોળવિદ્યા અને અંક શાસ્ત્રનું જ્ઞાન – વિજ્ઞાન ભારતીય પ્રણેતાઅોને − અાર્ય ભટ્ટ અને વરાહમિહિરે પાંચમી સદીમાં ખૂબ વિકસાવ્યું અને તે ભારતીય જન-જીવનનું અંગ બની ગયું. ભારતીય લોકો – અને એશિયા ખંડના મોટા ભાગના લોકો – જ્યોતિષ શાસ્ત્ર અને રાશિ નક્ષત્ર વગેરે વિધાનોમાં અંગત રસ ધરાવે છે અને પોતાના જીવનના વિધિ વિધાનમાં ઉપયોગ કરતા હોય છે.  પશ્ચિમિ સંસ્કૃિત અને પ્રજા બુદ્ધિપ્રધાન [reason / logic] રહી છે. અાવી મંત્ર-તંત્ર-જંત્ર વિદ્યામાં અાસ્થા ધરાવતી નથી અને અાવા જ્ઞાન-વિજ્ઞાનને humbug / occult જેવા શબ્દોથી નવાજી નકારી કાઢે છે. એ લોકો માટે અાપણા ભૂચક્રની બાર રાશિઅો – કુંભ, કર્ક, મકર, તુલા, વગેરે વગેરેથી ભખાતાં ભવિષ્ય હાસ્યજનક લાગે છે.

અૉક્ટોબર મહિનાના બીજા અઠવાડિયામાં પશ્ચિમી સાહિત્યજગતમાં એવી એક ઘટના ઘટી જેનાથી જ્યોતિષ-રાશિ-નક્ષત્ર વિદ્યા પર ધ્યાન ખેંચાયું છે. અને હવે અા વિદ્યા ચર્ચાનો વિષય બની રહી છે. એ જ્ઞાન – વિજ્ઞાનને એક મોટી મહોર મળી, એ પણ એક મજબૂત સાંસ્કૃિતક સંસ્થા પાસેથી − મૅન બુકર પ્રાઇઝ. એક કટાર લેખિકાએ મંતવ્ય અાપ્યું છે :

An interest in the mysterious ways of the zodiac has been given the stamp of approval from no less a hefty pillar of cultural establishment than the Man Booker Prize.

બ્રિટનના સાહિત્ય જગતમાં મૅન બુકર સાહિત્યિક પારિતોષિકની નામના − અને ઈનામની 50 હજાર પૌંડની રકમ − અહમ રહ્યા કરી છે. બ્રિટન અને સાથી દેશો – કૉમનવેલ્થ દેશોમાં – અંગ્રેજીમાં લખાતી નવલકથાઅો માટે મૅન બુકર પારિતોષિક એનાયત કરવામાં અાવે છે. અા બધા કૉમનવેલ્થ દેશોમાંથી પ્રકાશકો લેખકોની કૃતિઅોને બુકર સમિતિને મોકલી અાપે છે. સમિતિના ચૂંટાયેલા ચારપાંચ નિર્ણાયકો [judges] એમાંથી અહમ નવલકથાઅોની એક લાંબી યાદી બનાવે છે અને એ કૃતિઅોને વાંચી, મનન કરી, એક બીજી ટૂંકી યાદી બનાવી એ પાંચછ નવલનું ફરી વાચન-મનન થાય છે. અૉક્ટોબર મહિનામાં એમાંથી એકને પસંદ કરી, લેખકને વિજેતા જાહેર કરી, સન્માન અકરામ અાપી મૅન બુકરની વિધિ સમાપ્ત થાય છે. ચાલુ વરસની છ માતબર નવલકથાઅોમાં ન્યુઝીલૅન્ડની 28 વર્ષીય લેખિકા ઇલેનોર ડેટોનની નવલ, ‘ધ લૂમિનરીઝ’ને બુકર ઈનામ એનાયત થયું.

ઈલેનોર ડેટોનની નવલની અનેક વિશેષતાઅો રહી છે. પહેલું તો એ કે મૅન બુકર પારિતોષિકના 45 વર્ષના ઇતિહાસમાં ‘ધ લૂમિનરીઝ‘ લાંબામાં લાંબી – 832 પાનાંની નવલ રહી છે. બીજી વિશેષતા એટલે અત્યાર સુધીના વિજેતાઅોમાં ઈલેનોર ડેટોનની ઉંમર – નાનામાં નાની – ઉંમર 28 વર્ષની. અને એક અહમ – મોટામાં મોટી વિશેષતા એટલે નવલના બાર પાત્રો અને એમનું વર્તન, નવલનું બાર પ્રકરણોનું માળખું જ્યોતિષ શાસ્ત્રના સ્તંભ પર ઊભું કરવામાં અાવ્યું છે. એક કટાર લેખિકા એ માળખાનું વર્ણ કરતાં લખે છે : Fiendishly intricate structure inspired by the movement of the planets through the 12 signs of the zodiac.’

ઈલેનોર ડેટોન પોતે જ કહે છે કે મને જ્યોતિષ – નક્ષત્ર – જ્ઞાનવિજ્ઞાન પર એક મોટો લગાવ છે, રસ છે અને રાશિઅોનું જ્ઞાન છે એટલે ‘I read my horoscope and take astrology very seriously’ અને પછી અા ઉમેરો કરે છે ‘although I am less a believer more of an admirer or a happy wonderer.’

ઈલનોર ડેટોનનાં માતાપિતા અમેરિકી છે, પણ પ્રૉફેસરી સારુ અમેરિકા છોડી કીવીના દેશમાં, ક્રાઇસ્ટચર્ચ નામે શહેરમાં, અાવી એમણે વસવાટ કર્યો. અને પછી તો બન્ને નવા મુલકનાં નાગરિક પણ બની ગયાં. લેખિકાની ઉંમર ત્યારે પાંચ વર્ષની હતી. અા દેશમાં ભાઈબહેન સંગાથે વસવાટ એમણે કર્યો અને કીવી દેશની પ્રકૃતિ તેમ જ માઅોરી પ્રજાની સભ્યતા માટે અનહદ માન મમતા લાગ્યાં. અા દેશ માઅોરી સભ્યતા માટે પ્રેમ-તાલમેલ ધરાવે છે. ઘરમાં ટી.વી. જેવું અાધુનિક સભ્યતાનું સાધન પણ નથી વસાવ્યું !

ઈલેનોર ડેટોનનો બીજો પ્રેમ-રસ અંક શાસ્ત્ર છે. તેમાં પુષ્કળ રચ્યાંપચ્યાં ય રહે છે. 28ના અાંકડાએ એમના પર જાદુઈ અસર કરી છે. ઈલેનોર ડેટોન 28ના અાંકડાના મંત્ર-તંત્ર-જંત્ર પર લખે છે : 28માં વર્ષે મને, કીવી લેખકને ઈનામ મળે છે. 28 વર્ષ પછી બુકર ઈનામની હું બીજી કીવી લેખક વિજેતા છું. મારી પોતાની રાશિ શનિ છે અને શનિ ગ્રહ પૃથ્વીની પ્રદક્ષિણા 28 દિવસમાં પૂરી કરે છે ! એમને 28ના અાંકડા પર કંઈક નવું જ ભાસે છે. કહે છે : The way that I see astrology as a repository of thought and psychology. And a system we’ve created as a culture, as a way to make things mean things.’

વારુ, અા દિવસોમાં એક તારણ અાવ્યું છે કે પશ્ચિમી સંસ્કૃિતમાં – સમાજમાં ધર્મની ગહનતા, માન્યતા ઢીલી થતી જાય છે અને જ્યોતિષ વિદ્યા − occult રાશિ જ્ઞાન તરફ સમાજ ખેંચાયો છે. 2013નું મૅન બુકર પારિતોષિક ‘ધ લૂમિનરીઝ’ને એનાયત થયું એ એની એંધાણી તો નહીં હોય ?!! ‘A search for meaning and a desire to feel part of a story !!’

[‘Kamal Kunj’, 3 Buckingham Mews, SUTTON COLDFIELD West Midlands B73 5PR U.K.]   

Loading

6 November 2013 admin
← કાશીરામકાકાની વાત
તિલકા →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved