જન્મદિને
રવીન્દ્રનાથ ઠાકુર; અનુવાદ : જયંત
આજે જન્મદિને ખોવાયો છું ચિત્તભીતર,
મનુજભાંડરું તણાં પ્રીતિ-સ્પર્શ ને આશિષ
આયુષ્ય-આરે આવી વાંછું,
ઝોળી મહીં હતી સંપત સર્વ અર્પી સંગીજનોને,
મનુષ્યલોક તણાં સ્નેહ ને ક્ષમાની ગઠરી ભરી લઇ
જીવનયાત્રાની છેલ્લી નૌકા વિશે
વાણીશૂન્ય અંતિમ ઉત્સવ પ્રતિ પ્રયાણ મારું.
°
આમાર એ જન્મદિન-માઝે આમિ હારા
રવીન્દ્રનાથ ઠાકુર
આમાર એ જન્મદિન-માઝે આમિ હારા
આમિ ચાહિ બન્ધુજન યારા તાહાદેર હાતેર પરસે
મર્ત્યેર અંતિમ પ્રીતિરસે
નિયે યાબ જીવનેર ચરમ પ્રસાદ,
નિયે યાબ માનુષેર શેષ આશીર્વાદ.
શૂન્ય ઝુલિ આજિકે આમાર; દિયેછિ ઉજાડ કરિ યાહા કિછુ અછિલ દિબાર, પ્રતિદાને યદિ કિછુ પાઇ – કિછુ સ્નેહ, કિછુ ક્ષમા –
તબે તાહા સંગે નિયે યાઇ પારેર ખેયાય યાબો યબે ભાષાહીન શેષેર ઉત્સવે.
[એંશીમા અને અંતિમ જન્મદિન નિમિત્તે રચાયેલું, 1941. ‘એકોત્તરશતી’, પા. 359]
•
હે નિત્યનૂતન
રવીન્દ્રનાથ ઠાકુર : અંગ્રેજી પરથી અનુવાદ : જયંત મેઘાણી
હે નિત્યનૂતન,
મમ જન્મ તણી ક્ષણ મંગલ ફરી લાવો, ફરી ફરી લાવો!
ધુમ્મસ-ભેદંતા રવિતેજ બની તમે આવો!
આ રિક્ત સૃષ્ટિને વીંધી નવ નવ રૂપે પ્રગટો,
ને જીવનકુંજે મુદિત મંગલ ગાઓ!
નિજમાં સંચિત વિશ્વ તણાં વિસ્મય સઘળાં ખોલો,
પ્રાચી-દ્વારે શંખઘોષ ગજાવો! પચીસમે વૈશાખ-પ્રભાતે1,
હે નિત્યનવલ,
આ જીવનખોળે નવલા જનમ તમે અવતારો!
(બંગાળી સંવત મુજબ વૈશાખની 25મી તિથિએ કવિવરની વરસગાંઠ.)
[એંશીમા અને અંતિમ જન્મદિન નિમિત્તે વિદ્યાર્થીઓના આગ્રહથી રચેલું કાવ્ય, 1941]
°
હે નૂતન
હે નૂતન,
દેખા દિક આર-બાર જન્મેર પ્રથમ શુભક્ષણ.
તોમાર પ્રકાશ હોક કુહેલિકા કરિ ઉદ્ઘાટન
સૂર્યેર મતન.
રિક્તતાર વક્ષ ભેદિ આપનારે કરો ઉન્મોચન.
વ્યક્ત હોક તોમા-માઝે અસીમેર ચિરવિસ્મય
ઉદયદિગન્તે શંખ બાજે, મોર ચિત્ત-માઝે
ચિરનૂતનેર દિલ ડાક
પંચિશે વૈશાખ.
[‘ગીતપંચશતી’, પા. 355]
e.mail : jayantmeghani@gmail.com