Opinion Magazine
Number of visits: 9567103
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નર્કાગારમાંથી અલકાપુરી

સુરેશ જાની|Opinion - Opinion|4 November 2024

‘अबे …. ! रास्ते पर ऐसे थूंक मत । पुलिस देख लेगी तो तगडा फाईन देना पडेगा । बोल, मैं पुलिसको हेल्प लाईन पर खबर दे दुं?’

બારી ખોલીને એક ટેક્સી ડ્રાઈવરે બાજુના ઓટો રીક્ષાવાળાને આમ કહ્યું.

શા માટે?

મધ્ય પ્રદેશમાં ઉદ્યોગ અને વેપાર વણજના સૌથી મોટા કેન્દ્ર એવા ઇન્દોરના રસ્તા પરનો આ સંવાદ એક અપવાદ રૂપ સંવાદ નથી. એ હવે રોજ બ રોજની ઘટના બની ગયો છે. ગંદકી કરનારની કાનપટ્ટી પોલિસ નહીં પણ, આમ ઠેર ઠેર લોકો જાતે પકડવા લાગ્યા છે. ૨૦૧૧માં ૩૭ લાખની વસ્તી ધરાવતા ઇન્દોરમાં છેલ્લા અઢાર મહિનામાં એક નાનકડી ક્રાન્તિએ જન્મ લીધો છે. માત્ર અઢાર જ મહિના પહેલાં ઇન્દોર ગંદા શહેરોના લિસ્ટમાં આગળ પડતું સ્થાન ધરાવતું હતું. આટલા ટૂંકા ગાળામાં દેશના બીજા બધા શહેરોને બાજુએ મુકીને સૌથી વધારે સ્વચ્છ શહેર તરીકે ઇન્દોરનો પુનર્જન્મ થયો છે. આજની તારીખમાં જો તમે ઇન્દોરની મુલાકાત લો, તો જાહેર રસ્તા પર તો શું ? નાની નાની ગલીઓમાં પણ ક્યાં ય કચરો, બણબણતી માખીઓ, રખડતા કૂતરા કે ગાયો જોવા નહીં મળે – જાણે કોઈ જાદુગરે ‘ઈલમ કી લકડી’ એની ઉપર ફેરવી દીધી છે.

મનીષ સિંઘ

કોણ છે એ જાદુગર? ૪૯ વર્ષની ઉમરના, ૨૦૦૯ની IAS બેચના, ઇન્દોરના કમિશ્નર મનીષ સિંઘે માત્ર અઢાર મહિનામાં એની કાયાપલટ કરી દીધી છે. તેઓ એક સબળ, અને કલ્પના સભર સામાજિક નેતા અને  કાબેલ અમલદાર સાબિત થયા છે. ૨૦૧૫માં તેમની નિમણૂંક આ પદ પર થઈ ત્યારથી જ તેમણે શહેરના ગંદા વિસ્તારોનું લિસ્ટ બનાવવા માંડ્યું હતું. થોડાક જ દિવસમાં એમની ડાયરીમાં ૧,૮૦૦ જગ્યાઓનાં નામ જમા થઈ ગયાં હતાં ! આ નર્કાગાર જોઈ સફાઈનો કોન્ટ્રાક્ટ ધરાવતી કમ્પની અને મ્યુનિસિપલ કોર્પોરેશના જવાબદાર અધિકારીઓ તરફ એમની રાતી ચોળ આંખ ફરવા લાગી. જાણે કે, ‘તાંડવ નૃત્ય કરતા શિવજી સાક્ષાત ઇન્દોરની ધરતી પર પ્રગટ થઈ ગયા ન હોય?’ – તેમ  બળબળતા ઉનાળામાં પણ કડકમાં કડક શબ્દોની વર્ષા એમની વાણીમાંથી પ્રગટવા લાગી. મનીષ સિંઘ ઇન્દોરના કચરા સામે યુદ્ધે ચઢી ગયા.

ઇન્દોરનાં મેયર માલિની લક્ષ્મણ સિંઘ ગૌડે એમને આપેલું પીઠબળ અને ઉત્તેજનનો ઉલ્લેખ ન કરીએ તો આપણે તેમને અન્યાય જ કર્યો કહેવાય. એ રાજકારણી બાઈ પણ નાગરિકોની  સ્વચ્છતાની સૂઝના અભાવ સામે રાણી લક્ષ્મીબાઈની જેમ રણે ચઢી છે ! ઇન્દોરનો સમાવેશ ભારતના સ્માર્ટ સિટીમાં થાય એ માટે તેમણે  ઇન્દોરના રહેવાસીઓને  એલાન આપ્યું છે.

મનીષ સિંઘે એમના આ યજ્ઞની શરૂઆત ઘેર ઘેરથી કચરો એકઠો કરવાની પદ્ધતિ અમલમાં મૂકીને કરી હતી. શહેરના રસ્તાઓ દિવસમાં ત્રણ વખત વાળવાની અને રોજ રાતે પાણીથી ધોવાની શરૂઆત પણ તેમણે કરાવી હતી. બીજી એક આશ્ચર્યજનક બાબત એ છે કે, તેમણે શહેરમાં ગોઠવેલી ૧,૪૦૦ જેટલી કચરા પેટીઓ ઊઠાવી લેવડાવી હતી ! કારણ એ કે, સંસ્કારી શહેરી જનો પણ ચાલુ વાહને એમાં કચરો ભરેલી પ્લાસ્ટિકની થેલીઓ ઉશેટતા હતા. ઘણી થેલીઓ ટૂટીને બહાર પડતી. એ કચરાપેટીઓ પોતે જ એક કચરા ધામ બની ગઈ હતી. કચરામાંથી સોનું ગોતતી લઘર વઘર સેના અને ભુખ્યાં કૂતરાં અને ગાયો માટે આ કચરાપેટીઓ બાવા આદમના ખજાના જેવી બની ગઈ હતી ! ઘેર ઘેરથી કચરો ઉઘરાવવાની પદ્ધતિના પ્રતાપે  આ ઉપદ્રવકારક બબાલ ટાળી શકાઈ છે. અલબત્ત, અગત્યની જાહેર જગ્યાઓએ કચરો નાંખવા માટે  ૧૭૫ જેટલી નાની કચરાપેટીઓ અવશ્ય રાખવામાં આવી છે.

જાહેર શૌચાલયો પણ હવે ચોખ્ખાં ચણાંક રાખવામાં આવે છે. સમૃદ્ધ વિસ્તારોમાં પણ ગંદકીનું સામ્રાજ્ય વ્યાપેલું રહેતું હતું; એની જગ્યાએ હવે ઝૂંપડપટ્ટી વિસ્તારો પણ ઉજળા થવા લાગ્યા છે. મુંબાઈની ‘ખાઉધરા ગલી’ કે અમદાવાદના માણેકચોક જેવા ઇન્દોરના ગંદકીથી ઊભરાતા, ‘સરફરા’ વિસ્તારની મુલાકાત ચોખલિયા લોકો લેતા ન હતા. સડતા ખાદ્ય પદાર્થો પર તેમ જ તૈયાર થયેલી વાનગીઓ ઉપર સતત માખીઓ બણબણતી રહેતી. હવે વિદેશી મુસાફરો પણ એ પ્રખ્યાત જગ્યાની મુલાકાત લેતાં થઈ ગયાં છે !

અધધધ ! રોજનો ૧,૧૦૦ ટન કચરો.  શહેરથી દૂર એને ઠાલવવાના સ્થળની પણ મુલાકાત લેવા જેવી છે. કચરો ઠલવાય પછી તેની નિષ્ણાત માવજત કરવામાં આવે છે. ભરાઈ ગયેલી જગ્યા બહુ જ થોડા વખતમાં નંદનવન જેવી બનાવી દેવામાં આવે  છે. એ  જગ્યાઓએ લીલાંછમ ઘાસ અને જાતજાતનાં ફૂલોથી લહેરાતાં ઉધાનો આપણી આંખ ઠારે છે. પાછી ફરતી કચરાની ટ્રકોને પણ પાણીથી ધોઈ ચોખ્ખી ચણાક કરવામાં આવે છે. ખાલી થઈને શહેરમાં દાખલ થતી એ ટ્રકો પણ સદ્યસ્નાતા સુંદરીઓ જેવી લાગે છે ! પ્લાસ્ટિકની થેલીઓને બહુ ચોકસાઈથી જુદી પાડવામાં આવે છે, અને તેમને દબાવીને રિસાયકલ કરતાં કારખાનાંઓ ભેગી કરવામાં આવે છે.

ઇન્દોરની સાવ ટૂંકી મુલાકાત લઈએ તો પણ આવી પીળી ટ્રકો આપણને અચૂક ભટકાતી જ રહે – (માત્ર ૮૦૦ની સંખ્યામાં જ છે !) ૮૫ વોર્ડોનો સફાઈકામનો હવાલો સંભાળતા દરેક અધિકારીને જીપ આપવામાં આવી છે, જેથી સફાઈકામ પર તેઓ ચાંપતી નજર રાખી શકે અને  ફરિયાદ આવે ત્યાં તરત દોડી શકે. આ અઢાર મહિનામાં જાહેર રસ્તા પર કચરો નાંખતાં પકડાયેલા લોકોને દંડ કરવાથી ભેગી થયેલી રકમ જ ૮૦ લાખ ₹ હતી ! જો કે, મ્યુનિસિપાલિટીને હવે બહુ ઓછી દંડની રકમ મળે છે! આ જ રીતે સફાઈકામની ફરજ ન સંભાળતા ૬૦૦ કર્મચારીઓની હકાલપટ્ટી કરવાની હિમ્મત પણ મનીષે દાખવી હતી ! સફાઈકામ કરતા એમના લશ્કરમાં અત્યારે ૬,૫૦૦ તરવરતા સૈનિકો છે – જેમના હાથમાં રાઈફલ નહીં પણ ઝાડુ હોય છે ! રાજકીય પક્ષોની રેલીઓ વગેરે જાહેર કાર્યક્રમો યોજતા સૌએ સફાઈ માટેની ખાસ ફી મ્યુનિસિપાલિટીને ભરવી પડે છે. ઝૂંપડપટ્ટીઓ અને રખડતાં ઢોરના માલિકો સામે પણ કોઈ શેહ શરમ વિના અને રાજકીય અને અસામાજિક તત્ત્વોનાં દબાણોની ‘ઐસી તૈસી’ કરીને કડકાઈ અપનાવવામાં આવી છે. આ બધું મેયરનાં આશિર્વાદ અને પીઠબળ વિના શક્ય ન જ બન્યું હોત. આ સાથે વહિવટી કુનેહથી સામૂહિક જાગૃતિ લાવવાના અનેક સેમિનારો યોજી બધા સંબંધકર્તા પરિબળોનો સાથ અને સહકાર પણ મનીષે મેળવ્યાં છે. છાપાં, સ્થાનિક ટી.વી., સ્થાનિક રેડિયો પર સુમધુર ગીત કંડિકા (jingle), સ્થાનિક અખબારોમાં આકર્ષક જાહેર ખબર, જાહેર જનતા માટે શિક્ષણ અને જાણકારી, શાળાઓમાં બાળકોને પાયામાંથી સ્વચ્છતાની ભાવનાનું બીજારોપણ, વગેરે મીડિયા અને કલ્પનાશીલ અભિગમ અપનાવવાનું અને વાપરવાનું પણ આ બાહોશ અધિકારી ચૂક્યા નથી. તેમનું અંગત પ્રદાન પણ આપણે નોંધવું જોઈએ. આ અભિયાનની શરૂઆત કરી ત્યારે મનીષનો દિવસ સવારના સાડા પાંચ વાગે શરૂ થતો અને રાતના દસ વાગે આથમતો ! નાગરિકોએ ભરેલ ટેક્સમાંથી આ અઢાર મહિનામાં ૬૦ કરોડ ₹ જેટલી માતબર રકમ ઇન્દોર શહેરે ખર્ચી છે. ખડી થયેલી રૂપકડી  અમરાપુરીની ગરિમા નાગરિકોના ખિસ્સામાંથી આવેલા આ હિસ્સાના કારણે તો ખરી જ ને?

સૌથી મહત્ત્વની વાત એ છે કે, હવે લોકોમાં પણ આશ્ચર્યજનક રીતે જાગૃતિ આવવા લાગી છે. ગંદકી કરતાં નાગરિકોને હવે એમનાં સ્વજનો, પાડોશીઓ અને સગાંઓ જ ટોકવા માંડ્યા છે – ઓલ્યા ટેક્સી ડ્રાઈવરની કની !

૨૦૧૫માં સફાઈના આંકમાં દેશમાં ૮૬મું સ્થાન ધરાવતા ઇન્દોર શહેરે આજે આખા દેશમાં પહેલું સ્થાન હાંસલ કર્યું છે.  આ બહુ પાંખિયા, લશ્કરી ઢબના વ્યૂહ અને તેની સફ્ળતા માટે આપણે  મનીષ સિંઘ અને ઇન્દોરનાં મેયરને લશ્કરી સલામ ભરીએ તો? ઇન્દોરના નાગરિકોના નવા જન્મેલા આત્મબળના ‘ક્લોન’નું પ્રત્યારોપણ આપણે આપણા પોતીકા આંગણામાં પણ કરતાં થઈએ તો?

– આ વીડિયો જુઓ અને મનીષ સિંઘની પ્રેરક વાણી સાંભળો –

સંદર્ભ –
https://www.thebetterindia.com/114040/indore-madhya-pradesh-clean-garbage-free-india/
http://www.business-standard.com/article/current-affairs/indore-s-mini-revolution-is-transforming-the-face-of-the-city-117081801557_1.html
http://www.smartcityindore.org/
e.mail : surpad2017@gmail.com

Loading

4 November 2024 Vipool Kalyani
← માણસ આજે (૧૩) 
કોડિયાં →

Search by

Opinion

  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – 10 (દેરિદાનું ભાવજગત) 
  • સરકારનો અંધશ્રદ્ધા વિરોધી કાયદો ક્યારે જાગશે?
  • માનવ-હાથી સંઘર્ષની સમસ્યા કેમ આટલી વિકરાળ બની છે?
  • નામ બદલને સે ક્યા હોગા જબ તક નિયત નહિ બદલતી! 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved