Opinion Magazine
Number of visits: 9448702
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હિન્દુ દર્શન અને હિન્દુ પરંપરા જે સમજ્યા હોય એ ઝેરી માનસ ન ધરાવે

રમેશ ઓઝા|Opinion - Opinion|10 November 2024

રમેશ ઓઝા

હિંદુરાષ્ટ્ર રાજ્ય નામનાં ઇન્ક્યુબેટરમાં છે અને એ ઇન્કયુબેટર બી.જે.પી. સીસ્ટમનું બનેલું છે. અધૂરા મહીને જન્મેલા બાળકને કે બીજાં અશક્ત બાળકોને ઇન્કયુબેટરમાં એટલા માટે રાખવામાં આવે છે કે તે ગર્ભબાહ્ય વાતાવરણમાં જીવવાની ક્ષમતા કેળવે, એ વાતારણ અપનાવતું થાય અને વાતાવરણ પણ એ બાળકને તેની શારીરિક વિશેષતાઓ સાથે સ્વીકારે. જે વિશેષ સુરક્ષા આપવામાં આવે છે એ તો બાળક સ્વતંત્ર રીતે જીવતું થાય એ માટેની હોય છે. કેટલાંક બાળકો સ્વતંત્રપણે જીવવાની ક્ષમતા કેળવી લે છે અને જે નથી કેળવી શકતાં એ મૃત્યુ પામે છે.

૨૦૧૪થી હિંદુરાષ્ટ્ર રાજ્ય નામનાં ઇન્કયુબેટરમાં છે અને તેમાંથી બહાર કાઢવામાં નથી આવતું, કારણ કે તેમને ભય છે કે જો રાજ્ય નામનાં ઇન્કયુબેટરને હટાવવામાં આવશે તો એ જીવી નહીં શકે. માટે રાજ્ય છીનવાઈ ન જાય એ માટે તેમણે બી.જે.પી. સીસ્ટમ વિકસાવી છે. બી.જે.પી. સિસ્ટમનાં લક્ષણો આ પહેલાના લેખમાં બતાવવામાં આવ્યાં હતાં. પ્રજાને વિકલ્પશૂન્ય કરી નાખવી. હિંદુરાષ્ટ્રનો વિરોધ કરનારા રાજકીય વિકલ્પ જ ન બચે તો રાજ્ય કોણ કબજે કરશે? જ્યાં સુધી સત્તા દ્વારા રાજ્ય પર કબજો છે ત્યાં સુધી હિંદુરાષ્ટ્ર રાજ્ય નામનાં ઇન્કયુબેટરમાં સુરક્ષિત છે.

પણ ક્યાં સુધી? લાખ રૂપિયાનો સવાલ આ છે. બહુમતી પ્રજાની સ્વીકૃતિ વિના અને બહુમતી પ્રજાની ભાગીદારી વિના માત્ર સત્તા દ્વારા રાજ્યનો કબજો કરીને કોઈ કલ્પનાને ક્યાં સુધી જીવાડી શકાય? રાજ્યાશ્રય લોકાશ્રયની જગ્યા લઈ શકે? આવો ઇતિહાસમાં કોઈ દાખલો ઉપલબ્ધ છે? આનો અર્થ એવો નથી કે ભારતીય રાષ્ટ્રની કલ્પના ખામીરહિત છે. આનો અર્થ એવો પણ નથી કે ભારતીય રાષ્ટ્રે અપનાવેલી બંધારણીય વ્યવસ્થા ખામીરહિત છે. આનો અર્થ એવો પણ નથી કે ભારતની તમામ પ્રજા ભારતીય રાષ્ટ્રની કલ્પનાની સમર્થક છે અને કોઈ વિરોધ નથી કરતું. કોણ વિરોધ કરે છે અને કઈ વાતે વિરોધ કરે છે એ આ દેશમાં બધા જાણે છે. એમાં સમયે સમયે સુધારા થઈ શકે છે અને અત્યારે ભારતીય રાષ્ટ્રની કલ્પના સામે જે પડકાર પેદા થયો છે એ સુધારા માટેનો છે. સુધારાની ગુહાર દાયકાઓથી લગાવવામાં આવતી હતી, પરંતુ ભારતીય રાષ્ટ્રનો વિરોધ કરનારાઓ અને તેને મિટાવીને તેની જગ્યાએ હિંદુરાષ્ટ્ર સ્થાપવા માગનારાઓ સત્તાથી જોજન દૂર હતા અને તેઓ ક્યારે ય પોતીકી બહુમતી સાથે સત્તા સુધી નહીં પહોંચી શકે એવી ધારણાથી દોરવાઈને કોઈએ તે ગુહારને ગંભીરતાથી લીધી નહોતી. એટલે સમયસર સુધારા ન થયા પણ હવે કરવા પડે એમ છે. જો વિચાર કે કલ્પના પ્રાસંગિક હોય તો તેની સામે પેદા થતા પડકારો અને સંકટ તેમાં સુધારાના અવસર બનીને આવે છે, તે જીવાદોરી ટૂંકાવતા નથી, પણ લંબાવી આપે છે.

પણ એ કરે કોણ?

રાહુલ ગાંધી

તમે જો ભારતનાં રાજકીય પરિદૃશ્ય પર નજર કરશો તો એક માત્ર રાહુલ ગાંધી છે જેને આ વાત સમજાઈ ગઈ છે. હિંદુરાષ્ટ્ર લોકાશ્રિત નથી, રાજ્યાશ્રિત છે અને જે લોકાશ્રિત ન હોય તેનું લાંબુ ભવિષ્ય ન હોય. એટલે તેઓ શબ્દ ચોર્યા વિના કે હિંદુઓથી ડર્યા વિના સ્પષ્ટ ભાષામાં વિનાયક દામોદર સાવરકર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર સીધા હુમલા કરી રહ્યા છે. તેમણે જે હિંદુ પેદા કર્યા છે એ સાચા હિંદુ નથી. હિંદુ દર્શન અને હિંદુ પરંપરા જે સમજ્યા હોય એ ઝેરી માનસ ન ધરાવે. કેટલાક હિંદુઓનાં માનસ પર કબજો કરવામાં તેમને સફળતા મળી છે, પણ બહુમતી હિંદુઓ હિન્દુત્વના પુરસ્કર્તા નથી. એક જમાનામાં જવાહરલાલ નેહરુ આ ભાષામાં બોલતા હતા. એ પછીનાં વર્ષોમાં કાઁગ્રેસના નેતાઓએ હિંદુ મધ્યમવર્ગથી ડરીને બોલવાનું બંધ કરી દીધું હતું. રાહુલ ગાંધીનાં મુખે ફરી એક વાર નેહરુની ભાષા સાંભળવા મળી રહી છે.

બીજી બાજુ ભારતીય રાષ્ટ્ર કહેવાતા સેક્યુલર રાજકીય પક્ષોએ નિરાશ કર્યા હોવા છતાં લોકાશ્રિત છે. હજુ પણ બહુમતી હિંદુઓ ભારતીય રાષ્ટ્રમાં શ્રદ્ધા ધરાવે છે અને હિંદુરાષ્ટ્રથી ડરેલા છે. એક વાત નક્કી છે કે લોકશાહી વિરોધી બી.જે.પી. સીસ્ટમ ગમે એટલી તાકાત લગાવે અને રાજ્ય પર કબજો કરે, પરંતુ એક દિવસ તેનો અંત આવવાનો છે. રાજ્યાશ્રય ક્યારે ય લોકાશ્રયની જગ્યા ન લઈ શકે. રાહુલ ગાંધીએ એવા હિંદુઓને નોખા તારવાનું શરૂ કર્યું છે જે લોકશાહીમાં, સેકયુલરિઝમમાં, સમાનતામાં, બંધારણીય મૂલ્યોમાં, ઉદારમતવાદી નરવી ભારતીય પરંપરામાં, બ્રાહ્મણ-શ્રમણ દર્શને પોષેલી હિંદુ પરંપરામાં, સંતોએ પ્રબોધેલી માનવતામાં શ્રદ્ધા ધરાવે છે. આવા હિંદુઓની સંખ્યા ઘણી મોટી છે એ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી પછી સ્પષ્ટ થઈ ગયું છે.

અને એક વાત હવે એ પણ સ્પષ્ટ થઈ ગઈ છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાસે હિંદુરાષ્ટ્રની એવી કોઈ કલ્પના જ નથી જેને લોકો સ્વીકારે. બહુમતી હિંદુઓ સ્વીકારે. જેમાં લઘુમતી કોમ અભયનો અનુભવ કરે. તેમની કલ્પનાનું હિંદુ રાષ્ટ્ર એ જ છે જે અત્યારે જોવા મળી રહ્યું છે, પછી ભલે તેઓ ગમે એવી મોટી વાતો કરે. હિંદુરાષ્ટ્રને ટકાવી રાખવા માટે રાજ્ય પર કબજો કરવો પડે અને રાજ્ય હાથમાંથી સરકી ન જાય એ માટે બી.જે.પી. સીસ્ટમ દાખલ કરવી પડે એનાથી મોટો પરાજય બીજો કયો હોઈ શકે.

રાહુલ ગાંધી આ જાણે છે એટલે તેમણે લોકમાન્ય ભારતીય રાષ્ટ્રને રાજ્યરક્ષિત હિંદુરાષ્ટ્ર સામે મૂકવાનું શરૂ કર્યું છે.

 પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 10 નવેમ્બર 2024

Loading

10 November 2024 Vipool Kalyani
← ચલ મન મુંબઈ નગરી—262
हारते अमरीका की हार  →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved