Opinion Magazine
Number of visits: 9448807
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતનું બુલડોઝર જસ્ટીસ 

નેહા શાહ|Opinion - Opinion|9 May 2025

નેહા શાહ

ગરીબ શ્રમજીવીને અવૈધ સાબિત કરવાનું કેટલું સહેલું છે. પોલીસ એમની સામે કોઈ પુરાવા વગર કાર્યવાહી કરે તો પણ બાકીનો સમાજ તો એને યોગ્ય જ માનવાનો, કારણ કે એમને શંકાથી જોવા માટે એમનું ગરીબ હોવું, પરપ્રાંતીય હોવું, પરધર્મી હોવું પૂરતું છે. એવું જ અત્યારના ઐતિહાસિક ગણાતા ચંડોળા તળાવ કિનારે વસેલી વસ્તીને તોડી પાડવાના અભિયાનમાં દેખાય છે. 

૨૨મી એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકી હુમલા પછી ગેરકાનૂની રીતે રહેતા બાંગ્લાદેશીઓને તગેડી મુકવા માટે ૨૬મી એપ્રિલથી રાજ્યના ઘણા શહેરોમાં અભિયાન શરૂ થયું. અમદાવાદ, સુરત, વડોદરા, જૂનાગઢ, અને આણંદ જેવાં શહેરોમાં પોલીસે જેમની અટકાયત કરી હોય એવા લોકોની જાહેરમાં પરેડ થતી હોય એવા વીડિયો વાયરલ થયા. કહેવામાં આવ્યું કે આ કહેવાતા બાંગ્લાદેશીઓની આતંકવાદી સાથેની સાઠગાંઠ છે જેનાથી દેશની સુરક્ષાને ખતરો થઇ છે. અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં આરંભાયેલું અભિયાન ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું અભિયાન ગણાય છે. ૧,૫૦૦થી વધુ લોકોની અટકાયત થઇ, તેમને ભર રસ્તે ચલાવી પોલીસ થાણે લઇ જવામાં આવ્યા, જેથી આખું ગામ એમને શંકાભરી નજરે જુએ, જેમાંથી નેવું ટકાથી પણ વધારે લોકો ભારતીય નાગરિક હોવાનું પુરવાર થતાં ત્રણ દિવસે છોડી મુકવામાં આવ્યા. તેમની પાસે જરૂરી બધાં દસ્તાવેજ હતા. બિહાર, યુ.પી, ઝારખંડ કે ઓરિસ્સામાં ઘર-કુટુંબનાં ઠામ ઠેકાણાં હતાં. કેટલાક તો ગુજરાતી જ નીકળ્યા. અહીં ત્રણ દાયકાથી પણ લાંબુ રહેતા હોવાના પુરાવા નીકળ્યા. ત્યાર બાદ ૨૯ એપ્રિલથી શરૂ થયું ગેરકાયદે દબાણને હટાવવાનું અભિયાન. આ લખાય છે ત્યાં સુધી ૨,૦૦૦થી વધુ ઘરો તોડી પડાયા છે અને ટૂંકમાં જ બીજા તબક્કાનું અભિયાન શરૂ થવાની વાત છે. દેશની સુરક્ષા માટે શરૂ થયેલું અભિયાન જમીન પરના દબાણ દૂર કરવામાં બદલાઈ ગયું! 

આટલા દિવસોમાં અમદાવાદ શહેરે ૪૪.૮ ડિગ્રી ગરમી પણ જોઈ અને કમોસમી તોફાની વરસાદ પણ જોયો. બેઘર બનેલા ઘણા પરિવાર માથા પર માત્ર ચાદરની છત બનાવી એ જ જગ્યાએ રહ્યા છે, કારણ કે એમની પાસે જવા માટે બીજી કોઈ જગ્યા જ નથી. જેમની પાસે થોડી ઘણી સગવડ હશે તેઓ કશેક ગોઠવાયા હશે પણ રાતોરાત બેઘર બનેલા પરિવારો પાસે રાતોરાત ઉંચકાયેલા ઘરના ભાડાના દર અને ડિપોઝીટની રકમના પૈસા ક્યાંથી આવવાના? જો એવી સગવડ હોત તો લાલા બિહારી જેવા ગુંડાની જાળમાં ફસાયેલા શું કામ રહ્યા હોત? ચંડોળા તળાવ એ જગ્યા છે જ્યાં ચોમાસા પછી જીવન નિર્વાહ માટે નાની નાની ખેતી થતી. રહેવાની સગવડનાં અભાવે ગરીબ લોકો ત્યાં જ રહેવા લાગ્યા. તળાવનો કાંઠો એટલે વરસાદી પાણી ભરાય, કીચડ થાય છતાં લોકો રહે કારણ કે ગજવાને પોસાય એવી બીજી કોઈ જગ્યા મળે નહીં. સમય જતા અહીં વસ્તી વધી. અહીં મજૂરી કરનારા, નાનો-મોટો ધંધો કરનારા, નાની-મોટી ચીજ વસ્તુની લારી ચલાવનારા, કે અન્ય બિનઔપચારિક કામ કરનારા લોકોનો વર્ગ ઘણો મોટો છે. આ એ જ લોકો છે જેઓ કાચા મકાનમાં રહી શહેરના મકાન – રસ્તા બનાવે છે. પોતે ગંદકીમાં રહી શહેરનાં રસ્તાની સફાઈ કરી ચોખ્ખા રાખે છે. ઘણી વસ્તુઓ અને સેવાના ભાવ એમની સંખ્યાને લીધે સસ્તા છે. શહેરના વિકાસમાં આવા શ્રમજીવીઓના સસ્તા દરે મળી રહેતા શ્રમનો ખૂબ મોટો ફાળો છે. 

જ્યાં ગરીબી અને  લાચારી છે ત્યાં ‘લાલા બિહારી’ ઊભા થતાં વાર થોડી લાગવાની છે? જુગાર, દારુ, ડ્રગ્સ, દેહવેપાર જેવી અનૈતિક અને ગેરકાનૂની પ્રવૃત્તિ પણ અહીં ચાલતી હતી જેની વાતો શહેરમાં બે-ત્રણ દાયકાથી અવારનવાર સંભળાતી હતી. જો શહેરીજનોને ખબર હોય તો પ્રશાસનને ખબર હોય જ પણ, આટલાં વર્ષોમાં એને અટકાવાના જરૂરી મોટાં પગલાં ભરાયાનું યાદ નથી. અહીંના બંગાળ વાસમાં બાંગ્લાદેશી રહે છે એ વાત પણ સૌ કોઈ જાણે છે. રાજકીય ચર્ચાબાજીમાં આ હકીકતનો ઉલ્લેખ અવારનવાર થયા કરતો હોય છે. પણ, એ સિવાય પરદેશી નાગરિકોને એમના દેશ પાછા મોકલવા માટેની જરૂરી કાર્યવાહી કરવાની કોઈ નક્કર પ્રક્રિયા જાણમાં નથી. આજે, પહલગામમાં થયેલા આતંકી હુમલા પછી અચાનક સરકાર અને પ્રશાસન જાગ્યા છે, ત્યારે પોલીસ પાસે કોણ અને કેટલા બાંગ્લાદેશી છે એટલી પ્રાથમિક માહિતી પણ ન હોવાના કારણે ૧,૫૦૦થી પણ વધુ ભારતીય નાગરિકોની અપમાનજનક રીતે અટકાયત કરવી પડી. ગુજરાત રાજ્યમાં ૨૦૧૦થી  ઝૂંપડાવાસીના પુનર્વસનની નીતિ છે. સુપ્રીમ કોર્ટ પણ બુલડોઝર ચલાવતા પહેલાં પંદર દિવસની નોટિસ આપવાનું સૂચવે છે. ૨૦૨૨માં સ્થાનિક કોર્પોરેટરે ચંડોળાની આજુબાજુ રહેતા લોકોના આ યોજના હેઠળ પુનર્વસનની દરખાસ્ત કોર્પોરેશન સમક્ષ કરી હતી. પણ, મન હોય તો માળવે જવાય ને? આ તો ગામડાંની ગરીબીથી બચવા સ્થળાંતર કરીને આવેલા પછાત વર્ગના લોકો, તેમાં ય મોટાભાગના મુસલમાન એટલે એમના નામે તો રાજકીય રોટલા શેકાય. ચૂંટણી ટાણે દરેક પક્ષ એમના મતદાતા કાર્ડ કઢાવી કે વીજળીના જોડાણ અપાવી એમને રાજી કરે, સામાન્ય સમયમાં સંપૂર્ણ નજરઅંદાજ કરે અને પહલગામ એટેક જેવી કટોકટીના સમયે આતંકી કહીને રંજાડે. 

ગેરકાયદે દબાણોને દૂર કરવાની કોઈ ના નથી. પણ, ત્યાં વસતા લોકો આ દેશના જ નાગરિકો છે એટલે આ કાર્યવાહી કાયદાની જોગવાઈ આધારે થાય તો સૌનો સમાન નાગરિકત્વનો અધિકાર જળવાય.

સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

9 May 2025 Vipool Kalyani
← ‘ભારતમાતા કી જય’ બોલનારા ભારતમાતાને સૌથી વધુ નુકસાન કરે છે !
પૌત્ર →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved