Opinion Magazine
Number of visits: 9446685
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક નમ્ર અપીલ : ખેડૂતોની વેદનાને રાજકીય પક્ષોના પક્ષકાર બન્યા વિના સમજવાની કોશિશ કરો અને અંતરાત્માનો અવાજ સાંભળો

રમેશ ઓઝા|Opinion - Opinion|2 December 2018

ખેર, પોતાના માટેનો જી.ડી.પી.નો દર તો સુધારી લીધો, એ પછી પણ ડૉ. મનમોહન સિંહ ઉજળા દેખાતા હતા એટલે યુ.પી.એ. સરકારનો જી.ડી.પી.નો દર બગાડી નાખ્યો પણ પ્રત્યક્ષ નજરે પડતું પરિણામ ક્યાં?

એ જો નજરે પડતું હોત તો આજે દિલ્હીમાં ખેડૂતો રસ્તા પર ઊતર્યા ન હોત. એ જો નજરે પડતું હોત તો યુવાનો આંદોલિત ન હોત. એ જો નજરે પડતું હોત તો વડા પ્રધાનની ઠેકડી ઉડાડવામાં ન આવતી હોત. ૨૦૧૪માં આ જ યુવાનોએ તેમને ખભા પર બેસાડીને દિલ્હી પહોંચાડ્યા હતા. પરિણામ જો નજરે પડતું હોત તો અયોધ્યાને પાછું સળગાવવાની જરૂર ન પડી હોત. જો પરિણામ નજરે પડતું હોત તો જે તે ગામનાં નામ બદલવાની જરર પડતી ન હોત. જો પરિણામ નજરે પડતું હોત તો હનુમાનજીને દલિત જાહેર કરવા ન પડ્યા હોત. આ સાલું કમાલ છે! હનુમાનજી દલિત હતા અને રાણા પ્રતાપના ઘોડા ચેતકની મા ગુજરાતણ હતી એ તેમને કેવી રીતે ખબર પડી હશે? જરૂર ઊંડી સાધના અને દિવ્યદૃષ્ટિ હોવાં જોઈએ. હાડ-ચામનાં બનેલાં મર્ત્ય માનવી આવાં ઊંડા રહસ્યો ન પામી શકે.

પરિણામ અનુભવી શકાય એમ નજરે પડે છે, એને માટે પ્રમાણપત્રોની જરૂર હોતી નથી. પરિણામો જો નજરે પડતાં હોત તો એ પહેલાં વરસાદની માટીની સુગંધની માફક આપોઆપ અનુભવી શકાત. પરિણામ છૂપું રહે? બાળકને સ્કૂલમાં સારા માર્ક્સ મળ્યાં હોય તો ગલીના નાકેથી મલકતું મલકતું ઘરે આવે અને માને વગર સર્ટિફિકેટે પરિણામની ખબર પડી જાય. કામધંધામાં પરિણામ મળતું હોય તો પત્નીને પતિના અવાજના ટોન પરથી ખબર પડી જાય, પણ પતિ જ્યારે પત્નીને કહે કે પાંચ વરસ પહેલાં તે મારી માને ગાળો દીધી હતી ત્યારે સમજી લેવું કે ભાઈ કામધંધામાં ઠર્યા નથી.

ભારતમાં ખેડૂતો એક દાયકાથી સંકટનો સામનો કરી રહ્યા છે. હજારો ખેડૂતોએ આત્મહત્યા કરીને જીવન ટુંકાવ્યું છે. ગ્રામીણ યુવાનો બેકાર છે અને શહેરમાં જાય છે તો ત્યાં રોજગારી નથી. આગળની યુ.પી.એ. સરકારે કાંઈ જ કર્યું નહોતું. હા, એક સારું કામ કર્યું; ડૉ. મનમોહન સિંહની સરકારે સત્તામાં આવ્યા પછી એ જ વરસમાં ૨૦૦૪ના નવેમ્બર મહિનામાં ડૉ. એમ.એસ. સ્વામીનાથનની અધ્યક્ષતામાં એક અભ્યાસપંચની રચના કરી હતી. ડૉ. સ્વામીનાથન વિશ્વવિખ્યાત કૃષિવિદ્ છે. સ્વામીનાથન પંચે પાંચ હપ્તામાં ૨૦૦૬ના ઓક્ટોબર મહિના સુધીમાં સંપૂર્ણ અહેવાલ આપી દીધો હતો. ખેતીવાડીનાં સંકટના કારણો અને તેના ઉકેલની ભલામણો એમાં આપવામાં આવી હતી.

ઓક્ટોબર ૨૦૦૬. એ પછી આઠ વરસ ડૉ. મનમોહન સિંહની યુ.પી.એ. સરકાર કેન્દ્રમાં હતી. શું કર્યું? કાંઈ જ નહીં. પંચની ભલામણો વિષે ચર્ચા થઈ, ખૂબ ચર્ચા થઈ, સાંગોપાંગ ચર્ચા થઈ, સંસદમાં પણ ચર્ચા થઈ પણ પછી શું? શા માટે દેખીતા સંકટને ઉકેલવામાં આવતું નથી? બે જ શક્યતા છે; કાં તો એનો ઉકેલ અશક્ય હોય અથવા બીજે આર્થિક મોરચે નુકસાન પહોંચાડે એવો અઘરો હોય અને કાં જાણીબૂજીને ઉકેલ નહીં લાવવાની કોઈક મોટી રમત હોય.

જગત આખાના કૃષિ અર્થશાસ્ત્રીઓ કહે છે કે આ અર્થતંત્રની ભીડ નથી, પરંતુ ખેડૂતોને ખેતીના વ્યવસાયમાંથી હટાવવાની જાગતિક રમત છે. આખા જગતમાં આવું બની રહ્યું છે, એમાં ભારત અપવાદ નથી. ખેડૂતોના ભાગે ભાગ પડે, જમીનના ટુકડાઓ નાના હોય, પરંપરાગત રીતે ખેતી કરે, મોટી ટેકનોલોજી ઈચ્છે તો પણ નાના ખેતરમાં લાગુ કરવી પરવડે નહીં, વ્યક્તિગત ખેડૂત મોટી રકમ રોકી શકે નહીં, કેટલાક ખેડૂત દેશી બિયારણના વળગણો ધરાવતા હોય, કેટલાક વિલાયતી ખાતરનો વિરોધ કરે, કેટલાક હાઈબ્રીડ કે જેનેટિક સીડ્સનો વિરોધ કરે, કેટલાક ગામ સાથે અને જમીન સાથે રોમેન્ટિક રિલેશનશિપ ધરાવતા હોય એ આજના યુગમાં ચાલે નહીં. ઉપાય થોડો અઘરો અને જલદ જરૂર છે, પરંતુ ખેડૂતોને ખેતરમાંથી અને ગામડાંમાંથી કાઢ્યા વિના કોઈ છૂટકો નથી. બહુ બહુ તો એક કે બે પેઢી બરબાદ થઈ જશે અને તેમના નસીબમાં જે કિંમત ચુકવવાની લખાઈ હશે એ ચૂકવવી પડશે; પરંતુ એ પછી કોર્પોરેટ એગ્રિકલ્ચરનો યુગ શરૂ થશે જે માનવ જાતને થોડી સદીઓ સુધી સાચવી લેશે.

તો યોજના છે ખેડૂતોને ખેતરમાંથી અને ગામડાંમાંથી હટાવવાની. તેને માટે પાળેલા કૃષિ અર્થશાસ્ત્રીઓ પ્રતિ એકર ઉત્પાદનની થીસિસો તૈયાર કરે છે. વ્યક્તિગત ખેતીમાં એક એકરે આટલો ફાયદો થાય અને કોર્પોરેટ ફાર્મિંગમાં આટલો ફાયદો થાય વગેરે વગેરે. શાસકો કોર્પોરેટ કંપનીઓના આશ્રિત છે એટલે તેઓ ખેડૂતોને મરવા અને ડૂબવા દે છે. આ ગંભીર આરોપ છે, પરંતુ આવો ગંભીર આરોપ કૃષિ અર્થશાસ્ત્રીઓ પૂરી ગંભીરતા સાથે મૂકી રહ્યા છે. હવે પછીના કારમા સંકટમાં જે નિર્બળ હશે એ મરશે, પરંતુ જે બચી જશે તેને કમસે કમ બેએક સદી સ્થિર મળવી જોઈએ. શક્તિમાનને થોડી શાશ્વતી માટે નિર્બળને ઉખેડીને હટાવવો જરૂરી છે.

સંવેદનશીલ માણસ હચમચી જાય, ડરી જાય એવી આ થીસિસ છે, પરંતુ ચેતવણી આપનારાઓ પૂરી ગંભીરતા સાથે આવી ચેતવણી આપે છે અને તેઓ ગણનાપાત્ર અર્થશાસ્ત્રી છે. આવા એક અર્થશાસ્ત્રીએ મને કહ્યું હતું કે દર વરસે વેધશાળા વરસાદની ઋતુ કેવી નીવડશે એની આગાહી કરવામાં કેમ થાપ ખાય છે એનો વિચાર કર્યો છે? ચોમાસુ નેવું ટકા કે સો ટકા સફળ નીવડશે એવું કહીને તેઓ ખેડૂતોને છેતરે છે કે જેથી ખેડૂત આશાએ આશાએ બિયારણ, વિલાયતી ખાતર અને જંતુનાશક દવાઓ ખરી દે. આ રીતે કોર્પોરેટ કંપનીઓ કમાય છે. અત્યારનો યુગ નૈતિક પતનનો અને નીચતાનો યુગ છે એટલે આવું બનતું હોય એ શક્ય છે. ગયા અઠવાડિયે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ અને ‘ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સે’ મળીને ભારતમાં આરોગ્ય સાથે સામાન્ય લોકોના આરોગ્ય સાથે કેવી રમત રમવામાં આવે છે, તેની હાજા ગગડી જાય એવી વિગતો આપી હતી. એ જોતાં ખેડૂતોને નોંધારા કરવાની થીસિસ અમલમાં મુકવામાં આવતી હોય એ શક્ય લાગે છે.

ભારતનાં ખેડૂતો હવે અધીરા થયા છે. ૨૦૧૪માં વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ખેતપેદાશની પડતરનો દેશી હિસાબ કાઢીને ખેડૂતોને વચન આપ્યું હતું કે તેઓ ખેડૂતોને દોઢી કિંમત આપશે. એ પછી તેમણે દોઢો ભાવ આપવાની જોગવાઈ કરી હતી, પરંતુ પડતર કિંમત ઘટાડી નાખી હતી. ૨૦૧૪નો દેશી હિસાબ ભૂલી જવામાં આવ્યો હતો અને તેની જગ્યાએ ગણતરીમાં છેતરપીંડી કરી હતી. આ છેતરપીંડીના કારણે ખેડૂતો વધારે ભુરાંટા થયા છે. તેઓ માગણી કરી રહ્યા છે પડતર કિંમતની ગણતરી સ્વામીનાથન પંચે બતાવેલી ગણતરી મુજબ કરવામાં આવે અને એ પછી તેમને તેમના પેદાશની પડતર કિંમતનો દોઢો ભાવ આપવામાં આવે. આ ઉપરાંત એક વાર કરજ માફ કરવામાં આવે.

તમને લાગે છે કે ખેડૂતો ગેરવ્યાજબી માગણી કરી રહ્યા છે?

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 02 ડિસેમ્બર 2018

Loading

2 December 2018 admin
← બે-ચાર શબ્દ ને એ પર કરાયેલું emoji-નું ગાર્નિશિન્ગ મોહક હોય છે. એથી એ ઍક્સ્પ્રેશન વાસીતાજું હોય તોપણ ધ્યાનમાં નથી આવતું
અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીનાં પરિણામો →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved