Opinion Magazine
Number of visits: 9742971
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

गाँधी की भारत की परिकल्पना और आज का परिदृश्य

राम पुनियानी|Opinion - Opinion|6 October 2023

राम पुनियानी

हर वर्ष की तरह हम इस साल (2023) में भी राष्ट्रपिता महात्मा गाँधी की जयंती मना रहे हैं. इस अवसर पर  यह बेहतर होगा कि हम उनकी शिक्षाओं को याद करें, विशेषकर हमारे देश के वर्तमान परिदृश्य के परिप्रेक्ष्य में. सारी दुनिया महात्मा गाँधी का कितना सम्मान करती है यह इससे स्पष्ट है कि दिल्ली में जी-20 शिखर सम्मलेन में भाग लेने आये दुनिया भर के शीर्ष नेताओं ने राजघाट पहुंचकर उन्हें श्रद्धांजलि दी. यह भी साफ़ है कि उस विचारधारा, जिसके कारण गांधीजी को सीने में तीन गोलियां खानी पडीं, के पैरोकार भी उन्हें नज़रअंदाज़ करने की हिम्मत नहीं जुटा पा रहे हैं. हम सब यह भी जानते हैं कि महात्मा गाँधी की विचारधारा पूरी दुनिया में फैल रही है. परन्तु महात्मा गाँधी के अपने देश भारत में सत्य, अहिंसा और सांप्रदायिक सद्भाव के उनके सिद्धातों के लिए कितनी जगह बची है? क्या गांधीजी के अपने देश भारत में नीतियां बनाते समय बापू के इस सबक को याद रखा जा रहा है कि राज्य को अंतिम पंक्ति के अंतिम व्यक्ति के कल्याण को ध्यान में रखना चाहिए?

जिस विचारधारा का इस समय देश में बोलबाला है वह इस्लाम और ईसाई धर्म को विदेशी मानती है. यह समझ अल्पसंख्यकों के विरुद्ध हिंसा की नींव है और इसके कारण भी उनके खिलाफ हिंसा होती है. भारत में लगभग सभी धर्मों को मानने वाले लोग रहते हैं. इसे गांधीजी किस रूप में देखते थे? उन्होंने लिखा था, “निश्चित रूप से भारत के लोगों के महान धर्म हमारे देश के लिए पर्याप्त हैं….” और फिर वे भारत के धर्मों को सूचीबद्ध करते हैं: “ईसाई और यहूदी धर्मों के अलावा, हिन्दू धर्म और उसकी शाखाएं, इस्लाम और पारसी, भारत के जीवंत धर्म हैं,” (कलेक्टेड वर्क्स ऑफ़ गाँधी, खंड 46, पृष्ठ 27-28).

आज जिस विचारधारा का बोलबाला है वह हिन्दू समाज की बुराईयों के लिए मुस्लिम आक्रांताओं को ज़िम्मेदार मानती है. उसके अनुसार, मुस्लिम शासकों ने हिन्दुओं का दमन किया. गांधीजी इतिहास को एकदम अलग नज़रिए से देखते थे: “मुस्लिम राजाओं के राज में हिन्दू फले-फुले और हिन्दू राजाओं के काल में मुस्लिम. दोनों पक्षों को यह अहसास था कि आपस में लड़ना आत्मघाती होगा. इसलिए दोनों पक्षों ने शांतिपूर्वक एक साथ रहने का निर्णय लिया. अंग्रेजों के आने के बाद झगड़े फिर शुरू हो गए….क्या मुसलमानों का ईश्वर, हिन्दुओं के ईश्वर से अलग है? सभी धर्म अलग-अलग रास्ते हैं जो एक बिंदु पर मिलते हैं. इससे क्या फर्क पड़ता है कि हमने कौन-सी सड़क चुनी, जब तक कि हम एक ही मंजिल पर पहुंचें. इसमें लड़ने की क्या वजह है?”

हिन्दुओं द्वारा इस्लाम और ईसाई धर्म अपनाने को भी बड़ा मुद्दा बनाया जा रहा है. ईसाईयों के विरुद्ध अलग-अलग स्थानों पर भीषण हिंसा हो रही है. गाँधीजी ने लिखा था, “… मुस्लिम शासन के दौरान दोनों कौमों (हिन्दू और मुसलमान) के परस्पर रिश्ते शांतिपूर्ण रहे. यह याद रखा जाना चाहिए कि भारत में मुस्लिम शासन की शुरुआत के पहले भी कई हिन्दुओं ने इस्लाम अपना लिया था. मेरी यह मान्यता है कि अगर देश में मुस्लिम शासन न भी होता, तब भी यहाँ मुसलमान होते और अगर अंग्रेजों का शासन न भी होता, तब भी यहाँ ईसाई होते.” (‘यंग इंडिया’, फरवरी 26, 1925 के अंक में पृष्ठ 75 पर एक बंगाली जमींदार के पत्र पर  टिप्पणी)

गांधीजी के महान अनुयायी नेहरु ने अपनी पुस्तक ‘डिस्कवरी ऑफ़ इंडिया’ में भारत के बारे में लिखा था: “वह मानो एक प्राचीन स्लेट है जिस पर एक के ऊपर एक अनेक परतों में विचार और सपने लिखे गए परन्तु कोई परत, उसके पहले की परतों में जो कुछ लिखा गया था, उसे न तो पूरी तरह ढँक पाई और न ही मिटा पाई.”

गांधीजी के खिलाफ योजनाबद्ध तरीके से नफरत भड़काई जा रही है. मुंहजुबानी प्रचार और अन्य चैनलों के ज़रिए यह दुष्प्रचार किया जा रहा है कि गांधीजी ने भगतसिंह की मौत की सज़ा को रुकवाने का प्रयास नहीं किया. सच यह है कि गांधीजी ने लार्ड इरविन को दो पत्र लिखकर यह मांग की थी कि या तो भगतसिंह की फांसी की सज़ा को मुल्तवी कर दिया जाए या उसे आजन्म कारावास में परिवर्तित कर दिया जाए. लार्ड इरविन, गांधीजी के अनुरोध पर विचार कर रहे थे परन्तु पंजाब प्रान्त में पदस्थ ब्रिटिश अधिकारियों ने यह चेतावनी दी कि अगर ऐसा कुछ किया गया तो वे सामूहिक रूप से त्यागपत्र दे देंगे. यह भी याद रखा जाना चाहिए कि गांधीजी ने 1931 में कराची में आयोजित कांग्रेस अधिवेशन में पारित वह प्रस्ताव तैयार किया था जिसमें भगतसिंह को फांसी दिए जाने की निंदा की गई थी.

यह झूठ भी फैलाया जा रहा है कि गांधीजी ने सुभाषचंद्र बोस के साथ अच्छा व्यवहार नहीं किया. सच यह है कि अहिंसा के सिद्धांत और दूसरे विश्वयुद्ध का लाभ उठाते हुए अंग्रेजों को भारत से खदेड़ने के मुद्दों पर दोनों नेताओं में मतभेद थे परन्तु वे दोनों एक दूसरे का बहुत सम्मान करते थे. बोस, गांधीजी को राष्ट्रपिता कहकर संबोधित करते थे और उन्होंने आजाद हिन्द फौज की पहली बटालियन का नाम गांधीजी के नाम पर रखा था. गांधीजी, बोस को ‘देशभक्तों का राजा’ बताते थे और वे जेल में कैद आजाद हिन्द फौज के अधिकारियों से मिलने गए थे. और जेल में डाल दिए गए फौज के अधिकारियों और सैनिकों के मुकदमों में कांग्रेस नेताओं ने ही उनकी पैरवी की थी.

इसी तरह, गांधीजी और आंबेडकर के परस्पर मतभेदों को भी भी बढ़ा-चढ़ा कर प्रचारित किया जाता है. आंबेडकर, पृथक निर्वाचन के समर्थक थे वहीं गांधीजी की दृष्टि में आरक्षित निर्वाचन क्षेत्रों की व्यवस्था बेहतर थी. गांधीजी चाहते थे कि औपनिवेशिक शासन के विरुद्ध संघर्ष में देश एक बना रहे. बाबासाहेब भी यह मानते थे कि महात्मा गाँधी, स्वाधीनता आन्दोलन के शीर्षतम नेता हैं और अपने दूसरे विवाह, जो अंतरजातीय था, के बाद आंबेडकर ने कहा था कि अगर गांधीजी आज जीवित होते तो वे बहुत प्रसन्न होते. गांधीजी ने ही यह सुनिश्चित किया कि आंबेडकर स्वतंत्र भारत के पहली कैबिनेट में शामिल हों और उन्होंने ही यह सुझाव दिया था कि आंबेडकर को संविधान सभा की मसविदा समिति का अध्यक्ष बनाया जाए.

हाँ, सरदार पटेल और नेहरु में से कौन भारत का पहला प्रधानमंत्री बने, इस मुद्दे पर गांधीजी ने नेहरु का समर्थन किया था. यह महत्वपूर्ण है कि पटेल और नेहरु दोनों गांधीजी के निकट सहयोगी थे. गांधीजी ने नेहरु को इसलिए चुना क्योंकि उन्हें वैश्विक राजनीति की समझ थी. कुछ अन्य कारण भी हो सकते हैं जैसे गांधीजी के बाद, नेहरु आमजनों में सबसे लोकप्रिय थे. वे उम्र में पटेल से कम से और इसलिए देश की प्रगति के लिए अपेक्षाकृत अधिक लम्बे समय तक काम करते रहने में सक्षम थे. परन्तु ये केवल कयास हैं. जहाँ तक नेहरु और पटेल का सवाल है, चंद मुद्दों पर मतभेद के बावजूद, वे एक-दूसरे के बहुत करीब थे. पटेल ने यह कहा था कि नेहरु उनके छोटे भाई होने के साथ-साथ उनके नेता भी हैं.

आज ज़रुरत इस बात की है कि हम नफरत की राह, जिस पर हम चल रहे हैं, के खतरनाक नतीजों पर विचार करें. गांधीजी के ‘ईश्वर अल्लाह तेरो नाम’ के सन्देश ने सभी समुदायों को एक रखा और सबने मिल कर औपनिवेशिक शासन के खिलाफ संघर्ष किया. गांधीजी का समाजसुधार का सन्देश, जाति प्रथा के खिलाफ उनका संघर्ष और धार्मिक पहचानों से ऊपर उठकर देश को एक रखने का उनका प्रयास, इन सभी की हमें आज ज़रुरत है. उनके बताये रास्ते पर चलना ही उन्हें हमारी सच्ची श्रद्धांजलि होगी.

03/10/2023
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया; लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)
https://www.navjivanindia.com/opinion/gandhi-is-respected-all-over-the-world-but-how-much-room-for-his-principles-in-his-own-country-article-by-ram-puniyani

Loading

સી.આઈ.ડી. : ‘બોમ્બે ક્રાઈમ’, દેવ આનંદ અને મધુર સંગીતનો ત્રિવેણી સંગમ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|6 October 2023

રાજ ગોસ્વામી

26મી સપ્ટેમ્બરે, સદાબહાર અભિનેતા દેવ આનંદની 100મી જન્મ સાલગિરાહ મનાવામાં આવી રહી હતી, તે જ દિવસે ભારત સરકારે તેમની સહ-કલાકાર વહીદા રહેમાનને આ વર્ષના દાદા સાહેબ ફાળકે ખિતાબથી નવાજવાની જાહેરાત કરી હતી. વહીદાએ દેવ આનંદ સાથે સૌથી વધુ, સાત, ફિલ્મો કરી હતી : સી.આઈ.ડી. (1956), સોલહવા સાલ (1958), કાલા બજાર (1960), બાત રાત કી (1962), ગાઈડ (1965), રૂપ કી રાની ચોરો કા રાજા (1961) અને પ્રેમ પૂજારી (1970). 

અલબત્ત, બંનેની કારકિર્દીમાં, અને હિન્દી સિનેમાના ઇતિહાસમાં પણ, ‘ગાઈડ’ ફિલ્મ સરતાજ સમી છે અને અગાઉ આપણે અહીં તેની વાત પણ કરી ગયા છીએ, પરંતુ બંનેની પહેલી ફિલ્મ ‘સી.આઈ.ડી.’ની વાત બહુ થતી નથી. કદાચ એનું કારણ એ હશે કે તે આજે જૂનવાણી લાગતી હશે (ફિલ્મ બ્લેક એન્ડ વ્હાઈટ હતી), પરંતુ સાઈઠના દાયકામાં તે બહુ ‘મોડર્ન’ સાબિત થઇ હતી.

પશ્ચિમની સિનેમામાં ‘નોઈર’ ફિલ્મોનો એક પ્રકાર છે. જેનો નાયક સ્વાર્થી અને ભાવશૂન્ય (સીનિકલ) હોય, દૃશ્યોમાં ડાર્ક લાઈટનો ઉપયોગ હોય, વાર્તામાં ઘણાબધા ફ્લેશબેક હોય, અટપટો પ્લોટ હોય અને ફિલ્મમાં અસ્તિત્વ સંબંધી ફિલસૂફી હોય, તેને ‘નોઈર’ કહે છે. ‘સી.આઈ.ડી.’ એ પ્રકારની નોઈર ફિલ્મ હતી.

વાસ્તવમાં, દેવ આનંદનાં પ્રારંભિક વર્ષોમાં આવા સીનિકલ નાયક તરીકે પેશ કરવાનું શ્રેય ગુરુ દત્તને જાય છે. નિર્દેશક તરીકે, ગુરુ દત્તે પહેલીવાર ‘બાઝી’(1951)માં દેવ આનંદને જુગારી અને હત્યાના આરોપી બનાવીને દર્શકોની એક ‘નવા પ્રકાર’ના નાયકનો પરિચય કરાવ્યો હતો. ‘સી.આઈ.ડી.’માં એવી જ વિષય વસ્તુનું પુનરાવર્તન કરવામાં આવ્યું હતું.

ઇન ફેક્ટ, ‘બાઝી’ અને ‘સી.આઈ.ડી.’ ફિલ્મ વચ્ચે એક અન્ય દિલચસ્પ  સંબંધ છે. બંને એક સાથે હિન્દી ફિલ્મ જગતમાં આવ્યા હતા અને પગ જમાવાની કોશિશ કરતા હતા. 1946માં, ‘હમ એક હૈ’ નામની ફિલ્મના સેટ પર તે પહેલીવાર મળ્યા હતા. નાયક તરીકે દેવની એ પહેલી ફિલ્મ હતી અને ગુરુ દત્ત એમાં સહાયક નિર્દેશક હતા. એમાં એકવાર ધોબીના કારણે તેમનાં શર્ટ અદલાબદલી થઇ ગયેલાં – દેવે ગુરુનું શર્ટ પહેર્યું હતું અને ગુરુએ દેવનું. ‘અમે ત્યારથી એકબીજાના આજીવન દોસ્ત બની ગયા હતા,’ એમ દેવે કહ્યું હતું. 

એ વખતે તેમણે એકબીજાને વચન આપ્યું હતું કે દેવ જો હીરો બનશે તો ગુરુને નિર્દેશક તરીકે તક આપશે અને ગુરુ નિર્દેશક બનશે તો દેવને હીરો તરીકે લેશે. દેવ હીરો બની ગયા એટલે ‘બાઝી’ નું સુકાન ગુરુને સોંપ્યું. 5 વર્ષ પછી, ગુરુએ તેમની સ્વતંત્ર ફિલ્મ કંપનીના બેનર હેઠળ ‘સી.આઈ.ડી.’ બનાવી તો દેવને મુખ્ય ભૂમિકામ લીધા.

ફિલ્મ ઘણી બધી રીતે સીમાચિન્હ રૂપ હતી. હિન્દી સિનેમામાં ક્રાઈમ ફિલ્મોનો દૌર 80-90ના દાયકામાં અન્ડરવર્લ્ડના માફિયાઓના જમાનાથી શરૂ થયો ન હતો. એથી ય પહેલાં,  દેવ આનંદ અને ગુરુ દત્તે દર્શકોને પહેલીવાર ‘બોમ્બેનો ક્રાઈમ’ કેવો હોય તે બતાવ્યું હતું. ફિલ્મનો વિષય જ એવો હતો કે તેનું એક ગીત મુંબઈને જ ધ્યાનમાં રાખીને લખવામાં આવ્યું હતું અને જે આજે પણ મુંબઈના સ્તુતિગાન જેવું છે : યે દિલ હૈ મુશ્કિલ જીના યહાં … જરા હટકે, જરા બચકે … યે હૈ બોમ્બે મેરી જાન.

ગીતની લોકપ્રિયતા એ હકીકત પરથી સબિત થાય છે તેની પંક્તિ પરથી પાછળથી બે ફિલ્મોનાં ટાઈટલ આવ્યાં હતાં : સૈફ અલી ખાનની ‘યે હૈ બોમ્બે મેરી જાન’ (1999) અને રણબીર કપૂરની ‘યે દિલ હૈ મુશ્કિલ’ (2016).

‘સી.આઈ.ડી.’માં નાયક, ટાઈટલ પરથી જ સ્પષ્ટ છે તેમ, પોલીસ ઇન્સ્પેકટર (શેખર) છે અને તે એક અખબારના સંપાદકની હત્યાની તપાસ કરી રહ્યો છે (પત્રકારની હત્યા પણ એ સમયના દર્શકો માટે નવીનતા હતી). કેસ એકદમ સીધો હતો, પણ ઇન્સ્પેકટરને એમાં બીજી કોઈ ગંધ આવે છે. તે કેસમાં ઊંડો ઉતરે છે. એમાં તેના હાથે સંપાદકના હત્યારાનું ખૂન થઇ જાય છે, અથવા એવો તેના પર આરોપ મુકાય છે. હવે, પોતાને અત્યંત હોંશિયાર માનતો શેખર પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે દર-દર ભટકે છે.

ફિલ્મમાં વહીદા રહેમાને ક્રિમીનલ ધરમદાસ(બિર શખુજા)ની ટોળકીમાં જાસૂસની ભૂમિકા ભજવી હતી. વહીદાની આ પહેલી હિન્દી ફિલ્મ હતી. વહીદા તેલુગુ ફિલ્મોમાં કામ કરતાં હતાં, અને ગુરુ દત્તની નજર તેમની પર પડી હતી. ગુરુ દત્તે જ તેમને ‘સી.આઈ.ડી.’ ફિલ્મ માટે મુંબઈ આવવાનું કહ્યું હતું. વહીદાની એ નેગેટિવ ભૂમિકા હતી. તેમની બીજી જ ફિલ્મ ‘પ્યાસા’માં ગુરુ દત્તે તેમને વેશ્યા તરીકે પેશ કર્યાં હતાં. તે વખતના રૂઢિચુસ્ત સમયમાં પણ ગુરુ દત્ત કેવી સાહસિક ફિલ્મો બનાવતા હતા તેની આ સાબિતી હતી.

‘સી.આઈ.ડી.’ ફિલ્મમાંથી બીજી એક પ્રતિભા હિન્દી સિનેમાને મળી તે નિર્દેશક રાજ ખોસલા. રાજજી ઓલ ઇન્ડિયા રેડિયોના સંગીત વિભાગમાં કામ કરતા હતા (સી.આઈ.ડી. સહિત ભવિષ્યની તેમની ફિલ્મો ‘વોહ કૌન થી?’ ‘મેરા સાયા,’ ‘મેરા ગાંવ મેરા દેશ,’ ‘મૈ તુલસી તેરે આંગન કી’માં કેમ શાનદાર ગીતો હતાં તેનું કારણ આ નોકરી હતી).

દેવ આનંદે એમનામાં બીજી પ્રતિભા જોઈ હતી અને તેમને ગુરુ દત્તના સહાયક તરીકે રખાવ્યા હતા. ‘સી.આઈ. ડી.’થી તેમણે સાબિત કર્યું કે ફિલ્મ નિર્દેશનની કેટલી અનન્ય સૂઝ હતી. ‘સી.આઈ.ડી.’ તેના દિલચસ્પ પ્લોટ, અનોખા કેમેરા વર્ક (વી.કે. મૂર્તિ), સોંગ પિક્ચરાઈઝેશન અને સંગીત માટે આજે પણ યાદગાર છે.

થ્રિલર ફિલ્મને અનુરૂપ તેનું બેકગ્રાઉન્ડ સંગીત અનોખું તો હતું જ પણ ગીતો ય કર્ણપ્રિય હતાં. કુલ છ ગીતો હતાં અને તમામે તમામ સુપરહિટ હતાં. સંગીતકાર ઓ.પી. નૈયર અને ગીતકાર મજરૂહ સુલતાનપુરીએ જાણે સંગીતનો જાદુ જ કર્યો હતો. ગુરુ દત્તની બીજી એક અનન્ય શોધ જોની વોકર પર ફિલ્માવાયેલા એક ગીતની તો આપણે ઉપર વાત કરી, એ સિવાય બીજા પાંચ પણ એટલાં જ સુંદર હતાં : બૂઝ મેરા ક્યા નામ રે (શમશાદ બેગમ), લેકે પહેલા પહેલા પ્યાર (શમશાદ, આશા ભોંસલે, રફી), જાતા કહાં હૈ દીવાને (ગીતા દત્ત), આંખો હી આંખો મેં ઈશારા હો ગયા (ગીતા દત્ત-રફી), કહીં પે નિગાહેં કહીં પે નિશાના (શમશાદ બેગમ).

‘સી.આઈ.ડી.’ 1956ની સૌથી મોટી ફિલ્મ સાબિત થઇ હતી. કહેવાય છે કે તેણે સવા કરોડનો વકરો કર્યો હતો. ગુરુ દત્ત એટલા ખુશ થઇ ગયા હતા કે તેમણે નિર્દેશક રાજ ખોસલાને એક વિદેશી સ્પોર્ટ્સ કાર ભેટમાં આપી હતી.

જો કે, વહીદા રહેમાન અને રાજજીને વાંકું પડ્યું હતું. વહીદા સૌ પહેલાં તો તેમનું નામ બદલવાની ના પાડી હતી. બીજું, રાતે મોડે સુધી કામ કરવા ઇનકાર કર્યો હતો અને ત્રીજું, ઉઘાડાં કપડાં નહીં પહેરવાની શરત મૂકી હતી.

એક ઇન્ટરવ્યૂમાં વહીદાએ તેને યાદ કરીને કહ્યું હતું, “સી.આઈ.ડી. પછી રાજ ખોસલા મારાથી નારાજ હતા. તેમને એવી ફરિયાદ હતી કે મેં અમુક દૃશ્યો કરવાની, અમુક કપડાં પહેરવાની ના પાડી દીધી હતી. ‘એને તો અભિનય કરતાં ય આવડતો નથી’ એવું પણ તેમણે કહ્યું હતું. એ પછી અમે ‘પ્યાસા’ ફિલ્મનું શુટિંગ કરવા માટે કલકત્તા ગયા હતા, ત્યારે એક સહાયક નિર્દેશકે મને કહ્યું હતું કે ગુરુ દત્તજી તમારા કામથી બહુ ખુશ છે. એટલે મેં કહ્યું, એમ? રાજ ખોસલાજીને તો બહુ ખુશી નથી. વાસ્તવમાં, બંને નિર્દેશક એકબીજાથી એકદમ ભિન્ન હતા.”

(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 04 ઑક્ટોબર 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ચાલો, હરારી પાસે -28 : ‘એ.આઈ.’-ના ઇતિહાસની લગીર ઝાંખી 

સુમન શાહ|Opinion - Opinion|6 October 2023

સુમન શાહ

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના ઇતિહાસની લગીર ઝાંખી થઈ શકે એવી થોડીક વીગતો આપું :

‘એ.આઈ.’-નાં બીજ તો યન્ત્રમાં માનવીય શક્તિ દાખલ કરી શકનારી માણસની સર્જનાત્મક બુદ્ધિમાં પડેલાં છે. પ્રાચીનકાળમાં એનાં ઍંધાણ જોવા મળે છે. જેમ કે, માનવ-સરજિત કૃત્રિમ વસ્તુઓમાં બુદ્ધિ કે ચેતનાનું આરોપણ આપણને પુરાણગાથાઓમાં કે વાર્તાઓમાં જોવા મળે છે.

ગ્રીક સંસ્કૃતિમાં એક જાણીતું દૃષ્ટાન્ત છે, Talos-નું. કાંસાનો બનાવાયેલો એ રક્ષક ક્રીટ ટાપુની પૂરેપૂરી સંભાળ રાખતો. એનું સર્જન અગ્નિ અને ધાતુઓના હેફાયેટસ નામના ગ્રીક દેવે કરેલું. એ પ્રચણ્ડકાય યન્ત્રમાનવ ક્રીટ ટાપુ આસપાસ દિવસમાં ત્રણ આંટા લગાવતો ને દુશ્મનોનાં વહાણ પર ખડકો અને ભાલા ફૅંકતો, ને એ પ્રકારે ટાપુની રક્ષા કરતો. કહેવાય છે કે પોતાના મુખમાંથી એ અગ્નિના ઉચ્છ્વાસ કરી શકતો, ધાતુને પીગળાવી મૂકતો.

ભારતીય પુરાણગાથાઓમાં તો એનાં એકથી વધુ દૃષ્ટાન્તો મળે છે. સવિશેષે જાણીતું છે, પુષ્પક વિમાન. આપણે જાણીએ છીએ કે એનું સર્જન ભગવાન રામ માટે થયેલું અને વિશ્વકર્મા એના સર્જક હતા. ગાથા તો એટલે લગી કહે છે કે એ સુવર્ણનું હતું ને એની પાસે એવી બુદ્ધિ હતી કે એ વિશ્વના કોઈપણ ખૂણે ઊડવાને સમર્થ હતું.

એવું જ બીજું દૃષ્ટાન્ત છે, ગરુડનું. એનું સર્જન ભગવાન વિષ્ણુ માટે થયેલું અને એના સર્જક પણ વિશ્વકર્મા હતા. ગાથા કહે છે કે ગરુડ સુવર્ણ અને અમૃતનું બનાવાયેલું. એનું ધડ પક્ષીનું હતું પણ શિર મનુષ્યનું હતું. ગરુડ વિષ્ણુનું વાહન તો હતું જ પણ અત્યન્ત બુદ્ધિશાળી હતું. 

લગભગ કોઈ હિન્દુ દેવ એવો નથી જેનું વાહન કોઈ પ્રાણી ન હોય. વળી, યક્ષ ગન્ધર્વ અપ્સરા અને પંચતન્ત્રની પ્રાણીકથાઓ સૂચવે છે કે પ્રાચીન ભારતીય ગાથાઓના એ સર્જકો માનવેતર યાન્ત્રિક સર્જનો કલ્પી શકતા તેમ જ તે યન્ત્રોમાં મનુષ્યત્વને કે પશુત્વને જોડી શકતા હતા.

‘એ.આઈ.’નાં બીજ યન્ત્રમાં માનવીય શક્તિ દાખલ કરી શકનારી એની સર્જનાત્મક બુદ્ધિમાં પડેલાં છે. એ આ રીતે પણ સાચું છે. લગભગ દરેક સભ્યતામાં શિલ્પબુદ્ધિ ધરાવનારા કારીગરોએ વાસ્તવિક લાગે એવાં મનુષ્યદેહી ઑટોમેશન બનાવ્યાં છે. પ્રાચીન ઇજિપ્ત અને ગ્રીસનાં પવિત્ર મનાતાં પૂતળાંને એ ગૌરવ અપાયું છે.

અંગ્રેજ વિદ્વાન ઍલેક્ઝાન્ડર નેકહામે કહ્યું છે કે પ્રાચીન રોમન કવિ વર્જિલે તો ઑટોમેશન પૂતળાંનો મહેલ ઊભો કર્યો છે ! એ હકીકત મધ્યકાળની અનેક સાહિત્યકૃતિઓમાં પણ જોવા મળે છે. ૧૯-મી સદીના કથાસાહિત્યમાં પણ કૃત્રિમ માનવો અને વિચારવન્ત મશીનની વાતો થઈ છે.

એ હકીકતનાં અર્વાચીન દૃષ્ટાન્તો છે, સાયન્સ ફિકશન્સ. કહેવાય છે કે ૨૦મી સદીના પૂર્વાર્ધમાં સાયન્સ ફિક્શને કૃત્રિમ બુદ્ધિ ધરાવતા રોબોટ્સની વિભાવનાનો દુનિયાને પરિચય કરાવ્યો. પ્રારમ્ભ થયો, wizard of Oz -ના ‘હાર્ટલેસ’ ટિન મૅનથી; અને Maria in Metropolis-માં એની નકલ કરતા મનુષ્યદેહધારી – હ્યુમનોઇડ – રૉબોટથી. આમ એ પરિચય થયો કથાથી, સાહિત્યકલાથી, સર્જનાત્મક બુદ્ધિથી.

‘એ.આઈ.’-નું જેને ફૉર્મલ રીઝનિન્ગ કહી શકીએ તેને, એ રૂપપરક તાર્કિકતાને, સમજવી જોઈશે. મુખ્ય પૂર્વધારણા એ છે કે માનવીય વિચારપ્રક્રિયાનું યાન્ત્રિક રૂપાન્તરણ શક્ય છે, એનું યન્ત્ર બનાવી શકાય. આ તર્કનો દીર્ઘ ઇતિહાસ છે, અહીં એમાં જવાનું કારણ નથી. બાકી, કહેવાય છે કે ચીની, ભારતીય અને ગ્રીક ફિલસૂફોએ ઇ.સ.પૂ.-ના પહેલા સહસ્રાબ્ધમાં ફૉરમલ ડિડક્શનની, નિગમનાત્મક તર્કની, સંરચનાત્મક પદ્ધતિઓ વિકસાવી હતી.

એવું એક દૃષ્ટાન્ત મનાય છે, બૌદ્ધ દર્શનની ‘માધ્યમિકા’ વિચારપદ્ધતિ. એમાં, કેન્દ્રસ્થ વિભાવ એ છે કે બધા જ ફિનોમિના રિક્ત અથવા અસ્તિત્વહીન છે, અને વાસ્તવિકતાને નિષેધ વડે જ પામી શકાય છે. એ વિચારપદ્ધતિમાં તર્કશક્તિ અને તાર્કિકતાનું મહત્ત્વ છે. એમાં reductio ad absurdum અને the law of non-contradiction જેવી તર્કપરાયણ અનેક ટૅક્નિક્સ જોવા મળે છે. પહેલી ટૅક્નિક – વસ્તુને સાચી પુરવાર કરનારા હકારાત્મક વિધાનનું નકારાત્મક વિધાન વિરોધી અને અસંગત લાગે, તે. જાણીતો દાખલો કાયમ અપાય છે : બધાં યુનિકૉર્ન્સ શ્વેત છે : કેટલાંક યુનિકૉર્ન્સ શ્વેત નથી : બીજી ટૅક્નિક – તર્કશાસ્ત્ર એમ કહે છે કે એક જ સમયે કોઈપણ વિધાન ખરું અને ખોટું એમ બન્ને ન હોઈ શકે, તે.

૧૭-મી સદીમાં, લિબનિઝ, થૉમસ હોબ્બસ, અને રેને દે કાર્તે એવી શક્યતા ભાળી કે બધા જ તર્કસંગત વિચારોને બીજગણિત અને ભૂમિતિ જેટલા પદ્ધતિપુર:સરના કરી શકાય એમ છે.

૨૦-મી સદીમાં, ‘મૅથેમૅટિકલ લૉજિક’-નાં અધ્યયનો એવાં સફળ પુરવાર થયાં કે ‘એ.આઈ.’-ના આવિષ્કારની ભૂમિકા નિશ્ચિત થઈ ગઈ.

ગણકયન્ત્રો તો માનવ-ઇતિહાસમાં પરાપૂર્વથી બનતાં આવ્યાં છે. સૌ પહેલાં બન્યાં તે કમ્પ્યુટરો અતિ મોટાં કદનાં હતાં અને તેનો વિનિયોગ બીજા વિશ્વયુદ્ધમાં થયો હતો. એક હતું ENIAC જે ઍલન ટ્યુરિન્ગના સિધ્ધાન્તો અનુસારનું હતું, જેને જોહ્ન ન્યૂમાને વિકસાવેલું, જે ઘણું જ પ્રભાવક નીવડેલું.

ENIAC એટલે, Electronic Numerical Integrator and Computer. US army-ની બાલિસ્ટિક્સ ટ્રેઝેક્ટરીઝની ગણતરીઓ કરી આપતું લગભગ ૩૦ ટન વજનનું હતું અને ૧૮૦૦ ચૉરસ ફીટ જગ્યા રોકતું હતું ! સંદર્ભ છે, ENIAC: https://en.wikipedia.org/wiki/ENIAC on Wikipedia.

(ક્રમશ:)
(05/10/23)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...988989990991...1,0001,0101,020...

Search by

Opinion

  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved