Opinion Magazine
Number of visits: 9458117
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મૂકદર્શનનું મનોવિજ્ઞાન : દિલ્હીમાં એ છોકરીને રહેંસી નાખી તો લોકોએ કેમ ન બચાવી?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|13 June 2023

રાજ ગોસ્વામી

મે મહિનાની 28મી તારીખે, ઉત્તર-પશ્ચિમ દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં એક નૃશંસ ઘટના બની. એક 16 વર્ષની છોકરીને તેના પ્રેમીએ ધોળે દિવસે ચાકૂના ઉપરાછાપરી 20 વાર કરીને, લાતોથી ફટકારીને અને વજનદાર પથ્થર મારીને મારી નાખી. આખી ઘટના નજીકના સી.સી.ટી.વી.માં કેદ થઇ અને તેના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાઈરલ થયાં. ઘટનાની ક્રૂરતા તો સ્તબ્ધ કરનારી હતી જ, પણ ફૂટેજમાં બીજી આશ્ચર્યજનક વાત એ હતી કે એ છોકરો જે ગલીમાં છોકરીને દીવાલ સરસી જડી દઈને તેની હત્યા કરી રહ્યો હતો ત્યારે, તેની આજુબાજુમાંથી લોકો એવી રીતે પસાર થઇ રહ્યા હતા જાણે કશું જ બન્યું નથી. દૂર રખડતો એક કૂતરો વળી-વળીને છોકરાની હિંસા અને છોકરીની બેબસીને જોતો હતો!

રાહદારીઓની આવી અસંવેદનશીલતા જોઇને દેશના લોકોને ગુસ્સો આવી ગયો. એ છોકરાને જો રોકવામાં આવ્યો હોત તો છોકરીની જિંદગી બચી ગઈ હોત. એક તો એ એકલો હતો, બીજું તેની પાસે ઘરમાં વપરાતું ચાકૂ હતું, તમંચો નહીં, અને ત્રીજું આસપાસમાં સારી એવી અવરજવર હતી. લોકોએ ભેગાં થઈને છોકરાને બહુ સરળતાથી ભોંયભેગો કરી દીધો હોત, પણ એવું ન થયું. લોકોની હાજરીમાં સરેઆમ એક આશાસ્પદ જિંદગી બુઝાઈ ગઈ.

લોકોએ આવી બેપરવાઈ કેમ બતાવી? આપણે સામાન્ય રીતે તેનો અર્થ એવો કાઢીએ છીએ લોકોમાં માનવતા મરી પરવારી છે અથવા તો લોકો પોલીસ કે બીજા-ત્રીજાના લફડામાં પડવા માંગતા નથી અથવા લોકો પાસે સમય નથી વગેરે, પણ આવા ઉદાસીન વ્યવહાર પાછળ તેના કરતાં પણ પાછળ ગહન સામાજિક મનોવિજ્ઞાન છે : કોઈ માણસ સમૂહમાં હોય ત્યારે સંકટગ્રસ્ત વ્યક્તિને મદદ કરવાનું ટાળે છે, પણ એ એકલો હોય, તો તે મદદ કરવા તત્પર હોય. બીજી રીતે કહેવું હોય તો, આજુબાજુમાં લોકોની સંખ્યા જેમ વધુ હોય, તે મદદ કરે તેની સંભાવના ઓછી હોય. આને મનોવિજ્ઞાનમાં ‘બાયસ્ટેન્ડર ઈફેક્ટ’ કહે છે. ગુજરાતીમાં તેને મૂકદર્શક બનવું કહેવાય.

1964માં, ન્યૂયોર્કમાં કિટ્ટી જેનોવેસ નામની એક 28 વર્ષની બારટેન્ડરનો, તેના એપાર્ટમેન્ટ પાસે વિન્સ્ટન મોસ્લે નામના એક માણસે બળાત્કાર કર્યો, અને પછી ચાકૂ મારીને તેને મારી નાખી. બે અઠવાડિયા પછી, ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ સમાચારપત્રએ એક સનસનીખેજ અહેવાલ પ્રગટ કર્યો કે આ અપરાધના 38 સાક્ષીઓ હતા, પણ કોઈએ ન તો પોલીસને જાણ કરી કે ન તો પીડિતાની મદદ કરી.

એ પછી, અમેરિકામાં આ પ્રકારની અપરાધની ઘટનાઓ પર મનોવિજ્ઞાનીઓએ વિચારવાનું શરૂ કર્યું અને પ્રયોગો પણ કર્યા. તેના પરથી તેમણે ક્રાઉડ સાઈકોલોજીના બે મહત્ત્વનાં તારણ કાઢ્યાં. પહેલા તારણમાં તેમણે કહ્યું કે અપરાધની ઘટનાને જોવા વાળા એક કરતાં વધુ લોકો હોય, તો તેમનામાં જવાબદારીની ભાવનામાંથી ખસી જવાની ભાવના પેદા થાય છે. તેની સાથે બીજા લોકો પણ છે એટલા માટે એક વ્યક્તિમાં અપરાધને રોકવા માટે કશું કરવાનો માનસિક દબાવ નથી બનતો. તેને (અચેતન સ્તરે) એવું લાગે છે કે તેની જવાદારી વહેંચાઇ ગઈ છે. અર્થાત, કંઈ કરવા માટે હું એકલો જવાબદાર નથી.

બીજું કારણ દેખાદેખી છે. આપણે સમૂહમાં હોઈએ ત્યારે કાયમ બીજાના વ્યવહારને અનુસરીએ છીએ. આપણે સામાજિક પ્રાણી છીએ. સમૂહમાં એકલા પડવા કરતાં આપણે સમૂહ સાથે રહેવાનું પસંદ કરીએ છીએ. એટલે જો સમૂહમાંથી જો કોઈ કશું ન કરે તો હું પણ નિષ્ક્રિય રહીશ, પણ જો કોઈક પહેલ કરશે તો મને પણ તેને અનુસરવાનું મન થશે. એક સભ્ય, સજ્જન માણસ પણ ટોળાંમાં ભળીને હિંસા કરવા સક્ષમ બને છે તેનું કારણ પણ આ જ છે. એ જ રીતે, પૂર કે ધરતીકંપ જેવી આપદામાં બીજાનું જોઈને જ એક વ્યક્તિ મદદ માટે દોડી જાય છે.

મનોવિજ્ઞાનીઓએ એવો પણ નિષ્કર્ષ કાઢ્યો કે ઘટના જો સંદેહાત્મક હોય તો પણ લોકો એમાં દરમિયાનગીરી ન કરે. કિટ્ટી જેનોવેસના કિસ્સામાં 38 સાક્ષીઓમાંથી ઘણાએ કહ્યું હતું કે તેમને એવું લાગ્યું હતું કે આ બે પ્રેમીઓ વચ્ચેની તકરાર છે અને તેમને એ અંદાજ જ ન આવ્યો કે છોકરીની હત્યા થઇ રહી છે. દિલ્હીના કિસ્સામાં પણ જ્યારે કોર્ટમાં સાક્ષીઓને બોલવામાં આવશે ત્યારે, તેમની પણ આવી જ દલીલ હશે.

પરિસ્થિતિ દીવા જેવી સ્પષ્ટ ન હોય ત્યારે લોકો એકબીજાનાં મોઢાં જુવે છે અને રાહ જુવે છે કે કોઈક કશુંક કરે, જેથી એમને પણ ખબર પડે કે શું કરવું જોઈએ. એમાં બે જ સંભાવના હોય છે; કોઈક આગળ આવે તો તેની પાછળ બીજા પણ આગળ આવે, અને બધા જો મૂકદર્શક બનીને ઊભા રહે તો કશું કરવા માંગતો માણસ પણ તમાશો જોયા કરે.

આ મનોવિજ્ઞાન કોઈ રોકેટ સાયન્સ નથી. માણસો આવું સદીઓથી કરતા આવ્યા છે. ડાકૂઓ અને ગુંડાઓની અનેક હિન્દી ફિલ્મોમાં તમે એવાં દૃશ્યો જોયાં હશે, જેમાં કોઈ અપરાધ થતો હોય ત્યારે લોકો નિષ્ક્રિય બનીને તમાશો જોતા હોય.

આનો અર્થ એ થયો કે નૈતિક હિંમત જન્મજાત નથી, એ એક સામાજિક સ્કિલ છે, અને લોકો એકબીજાનું જોઇને તે શીખે છે. દાખલા તરીકે, મહાત્મા ગાંધીને આફ્રિકામાં ગોરાઓ માટેના ડબ્બામાંથી બહાર ફેંકી દેવામાં આવ્યા, ત્યારે રંગભેદનો અનુભવ કરવાવાળા એ પહેલા ભારતીય નહોતા. મોટા ભાગના ભારતીયો માટે એ ભેદભાવ ‘નોર્મલ’ હતો. તેમણે એ માની લીધું હતું કે ગોરા શ્રેષ્ઠ છે અને કાળા કનિષ્ઠ.

ગાંધીજીએ, તેમના અનુભવ, ઉછેર અને વાંચનના કારણે, હિંમત કરીને તે ભેદભાવને ચલાવી લેવાનો ઇન્કાર કર્યો. તેમનું જોઈને બીજા લોકોને પણ હિંમત આવી અને પછી તો રીએક્શનની એવી ચેઈન શરૂ થઇ કે આખા ભારતમાં અંગ્રેજો સામે વિદ્રોહ ફાટી નીકળ્યો.

આને બટરફ્લાય ઈફેક્ટ પણ કહેવાય. 1990માં આવેલી હોલિવૂડ ફિલ્મ ‘હવાના’માં, એકટર રોબર્ટ રેડફોર્ડ, એક્ટ્રેસ લેના ઓલિનને કહે છે, “ચીનમાં એક ફૂલ પર પતંગિયું પાંખો ફફડાવે, તો કેરેબિયામાં ચક્રવાત સર્જાઇ શકે છે.” આ સંવાદ પાછળ વૈજ્ઞાનિક તર્ક હતો. 1970માં, એડવર્ડ લોરેન્ઝ નામના હવામાનશાસ્ત્રીએ કોમ્પ્યુટર પર હવામાનનું મોડેલ તૈયાર કરતી વખતે નંબર નાખવામાં એક નાનકડી ભૂલ કરી, તો તાપમાન અને હવાની ગતિનો ગ્રાફ ધાર્યા કરતાં જુદો જ બન્યો, જેમાં ચક્રવાતની આગાહી હતી. તેના પરથી તેણે કહ્યું હતું કે, “બ્રાઝિલમાં ઉડતું પતંગિયું ટેકસાસમાં વંટોળ ઊભો કરી શકે.”

તર્ક એવો હતો કે, કોઈ એક ચોક્કસ સમય અને જગ્યાએ પતંગિયાના ફફડાટથી હવામાં તરંગ પેદા થાય, પછી એમાંથી ડમરી બને અને ધીમે ધીમે એ ક્યાંક દૂર જઈને આંધીમાં તબદીલ થઈ જાય.

સૃષ્ટિમાં દરેક ચીજ પરસ્પર જોડાયેલી છે. એમાં એક નાના ફેરફારની અસર સમગ્ર સૃષ્ટિ પર પડે છે. પ્રત્યેક અણુ પાડોશી અણુને પ્રભાવિત કરે છે. ચીનના વુહાન શહેરની એક લેબોરેટરીમાં એક નાનકડો અકસ્માત થયો, અને સમગ્ર માનવજાત તેનાથી પ્રભાવિત થઈ.

આપણે પણ એ જ રીતે આસપાસના લોકોને, પ્રભાવિત કરીએ છીએ, અને આપણા જીવનમાં પણ, સકારાત્મક રીતે કે નકારાત્મક, કોઈ એક નાની ઘટના, આપણી કોઈ એક નાની ચોઇસ, એક સૂક્ષ્મ આદત, કોઈ એક એક્શન આપણા બાકીના જીવનમાં બટરફલાય ઇફેક્ટ પેદા કરે છે.

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર”; 11 જૂન 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

अखाड़े को पहलवान 

कुमार प्रशांत|Opinion - Opinion|13 June 2023

कुमार प्रशांत

आरोप अपने पद व रसूख का इस्तेमाल कर लड़कियों के साथ जबर्दस्ती करने का है ! आरोप राजनीति के किसी खिलाड़ी ने नहीं लगाया है, खेल की खिलाड़ियों ने लगाया है. उन्होंने किसी गुमनाम आदमी पर यह आरोप नहीं लगाया है, सीधे नाम ले कर, उस आदमी के मुंह पर अपनी बात कही है. वह आदमी भारतीय कुश्ती महासंघ का अध्यक्ष है. भारत सरकार या खेलों की राष्ट्रीय स्तर की ऐसी संस्थाएं काफी हैं जो चाहतीं तो इधर आरोप आया और उधर इन महाशय की छुट्टी कर दी जाती. फिर मामला अदालत में जाए और दोनों अपना-अपना पक्ष रखें तथा फैसले का इंतजार करें. यह सामान्य प्रक्रिया है जो अपनाई जाती जो मामले को कुरूप होने से पहले ही बचा लेती. लेकिन हुआ क्या और हो रहा है क्या ? लड़कियां धरना देती रहीं, गोदी मीडिया ने उन्हें एकदम अंधेरे में फेंक दिया, उन्हें हर तरह से गलत व खराब साबित करने का आयोजन हुआ, डरी हुई सरकार की डरी हुई प्रतिनिधि पी.टी.ऊषा बमुश्किल एक बार इन लड़कियों तक पहुंची और फिर ऐसी भागीं कि लौट कर झांका भी नहीं, फिर राजधानी की सड़कों पर लड़कियां घसीटी-पीटी गईं, उन पर तरह-तरह के लांक्षन लगाए गए. आरोपी शख्स ने लड़कियों को धमकी दी, भला-बुरा कहा. मीडिया के नाम पर जो चारण-भांट बचे हैं, सब उनको बदनाम करने में जुट गए. गोदी मीडिया को सबसे बड़ा डर यही तो रहता है कि कहीं उन्हें गोदी से उतार न दिया जाए ! मामला सीधे बलात्कार का है या नहीं कहना मुश्किल है क्योंकि कहानी खुलेगी तभी न जब खुलने दी जाएगी !  सरकार ने आंख-कान बंद कर लिए हैं तथा साम-दाम-दंड-भेद के हर रास्ते से वह ऐसी चाल चल रही है कि लड़कियों का दम टूट जाए और सरकार अपना मंसूबा पूरा कर ले. क्यों है ऐसा ?

इसलिए है कि सत्ता और  राजनीति दो ही हैं जो इस सरकार के हर कदम का आधार भी हैं और परिणाम भी. इसलिए खिलाड़ी जीतें कि आप चुनाव जीतें, हर में अपनी हिस्सेदारी सुनिश्चित की जाती है. प्रधानमंत्री उन्हें अपने यहां बुला कर, अपनी महत्ता जताने से नहीं चूकते हैं; प्रधानमंत्री की अपनी विजय-रैली होती है जिसमें वे कुछ भी अनाप-शनाप बोल आते हैं. उनकी गोद में उचकने के लिए गोदी मीडिया तो बैठा ही रहता है. विभिन्न प्रतियोगिता में जीते खिलाड़ी भी, नगरपालिका से संसद तक  चुनाव जीतने वाले सत्ता के खिलाड़ी भी उनकी विरुदावलि गाने लगते हैं मानो वे खेल कर नहीं, जयकारे लगा कर जीते हैं. एक कायर समाज में वीरता व विद्वता बड़ी सस्ती बिकती है. लेकिन आप देखिए कि वे ही वीर तब एकदम मौन धार लेते हैं जब दिल्ली या कर्नाटक में हार होती है या जब खिलाड़ी ( बेटियां !) अपनी परेशानियों की बात करते हैं. तब लगता है कि प्रधानमंत्री किसी दूसरे ग्रह के प्राणी हैं जिन तक यहां की हवा भी नहीं पहुंचती है. सरकार व संगठन जिन असामाजिक तत्वों के हाथ में है, वह पूरा जमावड़ा शोर करने लगता है ताकि जो कहा जा रहा है वह किसी को सुनाई न दे. दिखाई दें तो आप, सुनाई दें तो आप !

पहलवानों को पता न हो कि रिंग के दांव-पेंच में और राजनीति के दांव-पेंच में बुनियादी फर्क होता है, तो यह बात समझी जा सकती है. लेकिन खेल-खेल में खेलमंत्री बन गए अनुराग ठाकुर को यही पता न हो कि सड़कछाप नारे उछालने में और गंभीर विमर्श में क्या फर्क होता है, तो स्थिति दयनीय हो जाती है. पहलवानों को मार-पीट कर जंतर-मंतर से भगाने के बाद, उन्हें खाप के चक्कर में डालने के लिए नरेश टिकैत को लाया गया. नरेश टिकैत की जमीन कहां है ? न किसानों में, न संगठन में. उस जड़विहीन आदमी ने उनको गुपचुप गृहमंत्री के दरबार में खड़ा कर दिया. गंगा किनारे से उठ कर, नरेश टिकैत के पीछे-पीछे गृहमंत्री के यहां जाने के पीछे पहलवानों का जो भी तर्क रहा हो, यह मुलाकात इतनी पोशीदा क्यों रखी गई ? पहलवानों ने भी अबतक यह नहीं बताया कि गृहमंत्री से उन्होंने और गृहमंत्री ने उनसे क्या कहा-सुना. लेकिन हमने पाया कि गृहमंत्री ने उन सबको उन्हीं अनुराग ठाकुर के दरबार में भेज दिया जहां से बहुत बेआबरू वे निकाले गए थे. कुल मिला कर देश को यह बताने कि कोशिश हो रही है कि बात कुछ है नहीं, लड़कियां बेमतलब बात का बतंगड़ बना रही हैं. थोड़ी-बहुत जो बातें बाहर हवा में आ रही हैं वे बताती हैं कि ब्रजभूषण शरण सिंह का कार्यकाल वैसे ही समाप्त हो चला है और  माननीय प्रधानमंत्री के राज में उनके सिवा किसी का कार्यकाल अनंत थोड़े ही रहता है ! इसलिए ब्रजभूषणजी को इशारा कर दिया गया है कि कुर्सी खाली कर दें और चुनाव की गद्दी संभाल लें. न उनको इस्तीफा देना है, न माफी मांगनी है, न उन पर मुकदमा चलना है, न उनकी गिरफ्तारी होनी है. सब कुछ ऐसे निबट जाए जैसे कि कोई गलतफहमी थी जो प्रधानमंत्रीजी के एक इशारे से दूर हो गई. महिलाओं के दैहिक शोषण की बात का क्या, वह तो आनी-जानी होती है. कुश्ती संघ की बात देखिए तो उसके अंग-अंग में ब्रजभूषणजी के परिजन जोंक की तरह चिपके हुए हैं. कहा गया कि उन सबको इशारा कर दिया गया है कि संघ के चुनाव में उनमें से कोई खड़ा नहीं होगा. अब आप देखिए, ये सब पार्टी के कितने अनुशासित सिपाही हैं, प्रधानमंत्रीजी के कैसे समर्पित भक्त हैं कि एक इशारे पर अपना सारा साम्राज्य छोड़ दिया ! उन पर लड़कियां कैसे गर्हित आरोप लगा रही थीं ! लेकिन कोई बात नहीं, अपनी बेटियां हैं. भटक गई थीं तो क्या घर वापस भी न लें ! भारतीय संस्कृति भी कोई चीज है !! बस, मामला खत्म कीजिए !

ऐसा ही कुछ कह कर सर्वोच्च न्यायालय भी अलग खड़ा हो गया. उसने यह कभी देखा-पूछा ही नहीं कि उसके दवाब से जो एफ.आई.आर. दर्ज हुई थी उसका हुआ क्या ? अगर सरकार बहादुर ने जंतर-मंतर को लोगों के धरना-प्रदर्शन के लिए दे रखा है तो वहां पहुंच कर यह धड़-पकड़, मार-पीट कैसे की जा सकती है ? क्या अदालत ने भी मान लिया है कि लोकतंत्र नहीं, नियंत्रित लोकतंत्र ही इस देश में चलेगा ? शांतिपूर्ण धरना-प्रदर्शन लोकतंत्र में लोगों का अधिकार है बल्कि यही लोकतंत्र है.

अब पहलवान लड़कियां क्या करेंगी ? इस अखाड़े में पिटने के बाद उस अखाड़े में लौट सकती हैं क्या ? कौन लौटने देगा ? अनुमति तो उन्हीं अनुराग ठाकुरों से लेनी होगी. उन्हीं मैरी कॉम या पीटी उषा की सिफारिश लगेगी. तो दोनों अखाड़े बंद हुए. इनके लिए, अपने-अपने परकोटों से जो सूरमा खिलाड़ी झांक रहे हैं, उन सबके लिए मुझे खेद है. इन गूंगे खिलाड़ियों के परकोटे कभी टूटे तो ये भी कहीं के नहीं रहेंगे. जो समाज में नहीं खेलते हैं, वे सब ऐसे ही हमेशा पिटते हैं.

(13.06.2023)
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

રંગોના કસબી પ્રફુલ્લ દવે

જગદીશ દવે|Opinion - Opinion|12 June 2023

રંગોના કસબી, શીર્ષહ વગરનાં ચિત્રોના સર્જક અને ચિત્રો દ્વારા અંતિમ વાસ્તવિકતા, શૂન્યતા અને શાંતિનું વાતાવરણ સર્જનાર ચિત્રકાર પ્રફુલ્લ દવેએ 15 જૂન, 2022ના રોજ વેટ્ઝીકોન, સ્વિટ્ઝર્લેન્ડ ખાતે આ દુનિયામાંથી અંતિમ વિદાય લીધી.

પ્રફુલ્લભાઈ દવેનો જન્મ 14 ઑક્ટોબર, 1934ના રોજ ભાવનગરમાં થયો હતો. શાળેય શિક્ષણ એ.વી. સ્કૂલમાં અને પછી આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં લીધું. ભાવનગરની ઘરશાળામાંથી મૅટ્રિકનો અભ્યાસ કર્યો. ચિત્રકલામાં રસ હોવાથી મૅટ્રિકમાં ચિત્રનો વિષય રાખીને ઉત્તીર્ણ થયા. કલાશિક્ષક જગુભાઈ શાહની પ્રેરણા અને માર્ગદર્શનથી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફાઈન આર્ટ્સ કૉલેજમાં દાખલ થયા. ઈ.સ. 1957માં ચિત્રકલા અને ફોટોગ્રાફીમાં બી.એ. થયા. કૉલેજકાળ દરમિયાન ખ્યાતનામ ચિત્રકાળ બેન્દ્રેસાહેબના પ્રિય વિદ્યાર્થી બની રહ્યા.

બી.એ. થયા પછી પ્રૉ. બેન્દ્રેના સૂચનથી મુંબઈમાં હૅન્ડલૂમ સેન્ટરના કલાવિભાગમાં જોડાયા. થોડા સમયમાં તેમણે તે વિભાગને પોતાની આગવી સૂઝથી નવો ઓપ આપ્યો. ત્યાંના વણાટકામના કારીગરો પાસેથી પ્રિન્ટિંગના વિશિષ્ટ નમૂનાઓ તૈયાર કરાવી નવી શૈલી વિકસાવી. એમની આ શૈલીને કલાપારખુઓએ ઉમળકાથી વધાવી લીધી.

પોતે ચિત્રકારનો જીવ એટલે કલાસાધના સહજપણે ચાલુ રહી. ઈ.સ. 1957માં ફ્રેન્ચ કૉન્સ્યુલેટ તરફથી ચાલતી આર્ટ ગૅલરીમાં ભરાયેલા ચિત્રપ્રદર્શનમાં પોતાનાં ચિત્રો પણ મૂક્યાં. એ પ્રદર્શન જોવા માટે ટાટાના ડાયેક્ટર ફારુકમુલ્લા આવ્યા હતા. તે પ્રફુલ્લભાઈના એક ચિત્રથી એટલા પ્રભાવિત થયા કે એમણે તરત જ એ ચિત્ર 800 રૂપિયામાં ખરીદી લીધું. ચિત્ર દ્વારા થયેલી પ્રફુલ્લભાઈની એ પહેલી કમાણી હતી. એ પછી મુંબઈ રાજ્યના પ્રદર્શનમાં ચિત્રો રજૂ કર્યાં. પ્રફુલ્લભાઈ ભુલાભાઈ આર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં જોડાયા.

હૅન્ડલૂમ હાઉસના સરકારી તંત્રની રીતિ-નીતિથી પ્રફુલ્લભાઈનો કલાકાર જીવ ગૂંગળાતો હતો. તેઓ આગળ જતાં ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત કરી ગૅઝેટેડ ઑફિસર થઈ શક્યા હોત પણ એમણે એ હૉન્ડલૂમ હાઉસ છોડી યુનાઇટેડ કિંગ્ડમ જવાનો નિર્ણય કર્યો. આ અગાઉ એમણે વડોદરાના ચિત્રકાર મિત્રોનું એક જૂથ બનાવી કલાપ્રદર્શનો શરૂ કર્યાં હતાં. મુંબઈની શેમોલ્ડ ગૅલેરીમાં એમનાં પ્રદર્શનો યોજાતાં હતાં.

આવા જ એક પ્રદર્શનમાં સ્વિટ્ઝર્લેન્ડથી એક કલારસિક બહેન ચિત્રો નિહાળવા આવ્યાં. પ્રફુલ્લભાઈનાં ચિત્રોથી એ અત્યન્ત પ્રભાવિત થયાં. ચિત્રકાર પ્રફુલ્લભાઈ સાથે સંવાદ થયો. બંને જણ અવારનવાર વિવિધ સ્ફળોએ મળતાં. અંતે બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. જુહુમાં આવેલું કલાકારોનું તે સમયનું જાણીતું અને માનીતું સ્થાન ‘જાનકી કુટિર’માં સપ્ટેમ્બર 1970માં જાણીતા અભિનેતા પૃથ્વીરાજ કપૂરની ઉપસ્થિતિમાં બંને લગ્નગ્રંથિથી જોડાયાં.

લગ્ન પછી ભારતમાં રહેવું, ઇંગ્લૅન્ડમાં રહેવું કે પછી સ્વિટ્ઝર્લેન્ડમાં રહેવું અને સ્થિર થવું એ માટે ખૂબ વિચારણા કરી. આખરે સ્વિટ્ઝર્લેન્ડમાં સ્થાયી રહેવાનું નક્કી કરી ઝૂરિકના પરગણા ગણાતાં સ્ટેફા (Stafa) ગયાં. ત્યાં નવેક વર્ષ રહ્યાં પછી વેટ્ઝીકોન(Wetzikon)માં ઘર ખરીદ્યું અને ત્યાં કાયમી નિવાસ કર્યો.

ઝૂરિકમાં સ્વિટ્ઝર્લેન્ડમાં જાણીતા નવ કલાકારોનું તીર્થધામ ગણાતા રેટે ફેબ્રિક(Rote Fabrik)માં પ્રફુલ્લભાઈએ એક જગ્યા મેળવી. ઝૂરિક સરોવરના કિનારે આવેલા આ સ્થાનમાં આરંભમાં વણાટકામની ફૅક્ટરી હતી. એ ફૅક્ટરી બંધ પડતાં ત્યાંની સરકારે તે જગ્યા મેળવી રાહતાના દરે કલાકારોને ભાડે આપવાનું શરૂ કર્યું હતું. આ જગ્યા પ્રફુલ્લભાઈનો સ્ટુડિયો બની ગયો. અહીં પ્રફુલ્લભાઈની કલાનો સંપૂર્ણ વિકાસ થયો. એમણે ભારત, ઇંગ્લૅન્ડ, અમેરિકા અને યુરોપના અનેક। દેશોની પ્રતિષ્ઠિત ગૅલેરીઓમાં વિવિધ ચિત્ર પ્રદર્શનો યોજ્યાં.

ઈ.સ. 2022માં એક ગોઝારી ઘટના બની. પ્રફુલ્લભાઈ દુકાનમાંથી ખરીદી કરીને ઘેર આવતા હતા ત્યારે ઠેસ વાગતાં તેઓ નીચે પડી ગયા. તેમનું માથું પથ્થર સાથે અફડાતાં ખૂબ લોહી નીકળી ગયું. રસ્તા પરથી પસાર થતી કોઈ નર્સે એમ્બુલન્સ બોલાવી અને પ્રફુલ્લભાઈના થેલામાંની ડાયરીમાંથી દીકરાઓના ફોન નંબર મેળવી સૌને બનાવની જાણ કરી, હૉસ્પિટલમાં બે-ત્રણ દિવસની સારવાર દરમિયાન સ્વજનોની ઉપસ્થિતિમાં તેમનું નિધન થયું. 2022માં 15મી જૂન પૂર્ણિમાના દિવસે ચંદ્રના તેજમાં પ્રફુલ્લભાઈના આત્માનું તેજ જ્યોતિ સ્વરૂપે વિલીન થઈ ગયું.

દેશ અને દુનિયાએ એક અનોખો ચિત્રકાર ગુમાવ્યો. એમની સ્મૃતિમાં ‘ગુજરાત વિશ્વકોશ ટૃસ્ટ’ ‘ચિત્રકાર શ્રી પ્રફુલ્લ દવે કલાપ્રતિભા ઍવોર્ડ’ એમની પ્રથમ પુણ્યતિથિએ આપણા ગૌરવવંતા ચિત્રકાર અમિત અંબાલાલને આપી રહ્યું છે અને સોનામાં સુગંધ ભળે તેમ એ ઍવોર્ડ પ્રફુલ્લ દવેના સાથી-મિત્ર અને વિખ્યાત ચિત્રકાર અને સાહિત્યકાર ગુલામમોહમ્મદ શેખને હસ્તે 15મી જૂને, પ્રફુલ્લભાઈની પ્રથમ પુણ્યતિથિએ આપી રહ્યું છે, ત્યારે પ્રફુલ્લભાઈની દિવ્ય ચેતનાને વંદન કરું છું.

સૌજન્ય : ‘કલાપ્રતિભા’, “વિશ્વવિહાર”; જૂન 2023; પૃ. 14-15

Loading

...102030...975976977978...9901,0001,010...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved