“નવનીત સમર્પણ”, ફેબ્રુઆરી 2015માં પ્રકાશિત ગઝલ – થોડા સંમાર્જન અને એક વધારાના શેર સાથે :-
શિખર પર ગોઠવી શય્યા ઉદિતની રાહ જોઉં છું,
ઘટાટોપે છો ઘેરાઉં, તડિતની રાહ જોઉં છું.
પ્રતિક્ષણ પુષ્પ જેવી પલ્લવિત આશા-નિરાશાઓ,
સતત સમભાવ રાખી સંભવિતની રાહ જોઉં છું.
વિહિતની રૂઢતા વચ્ચે, નિહિતની ગૂઢતા વચ્ચે,
વચન વાણી ને વર્તનમાં વિદિતની રાહ જોઉં છું.
તપી નીતરી ધવલ રંગે ફરકતાં શત શરદ અંતે,
સ્વયં સ્મશ્રુ તણા યજ્ઞોપવીતની રાહ જોઉં છું.
જીવન સંગીત ભરપૂર પ્રેમથી માણી લીધું મિત્રો,
હૃદયકુંજે હવે હું હંસગીતની રાહ જોઉં છું.
નથી સરયૂ, નથી નૈયા, નથી કેવટ, નથી રઘુવર,
ચરણ ધોઈ હું ખુદના પારમિતની રાહ જોઉં છું.
19/10/2014
તડિત : વીજળી
સ્મશ્રુ : દાઢીના વાળ
વિહિત : શાસ્ત્રોક્ત
નિહિત : ત્યાજ્ય, તજવા યોગ્ય
વિદિત : જાણમાં આવેલું, જ્ઞાન
હંસગીત : આખરી ગીત, swan song/final performance
કેવટ : ખારવો, માછીમાર
પારમિત : પાર ઊતરી ગયેલ, પાર પામેલું, સર્વોત્તમ
e.mail : spancham@yahoo.com
![]()



ગાંધીજીએ હંમેશાં જાત મહેતન સ્વાવલંબનને મહત્ત્વ આપ્યુ છે. પોતે જીવનભર રેંટિયો કાંતીને શ્રમને એટલું જ મહત્ત્વ આપેલું છે. શ્રમ વગર મફતનું ન ખાવાની તેમની પ્રેરણા છે. તેથી જ શ્રમયોગી જેવા કે ખેડૂતો, મજૂરો તથા પછાત વર્ગના લોકોના ઉત્કર્ષ તે તેમનો મૂળભૂત ધ્યેય રહ્યો છે, છેવાડાના માનવીની સેવાને જ માનવ ધર્મ ગણી અપાવ્યો છે, હાલ અંત્યોદય યોજનાથી પ્રચલીત છે. આજ રીતે સર્વ ધર્મ સમભાવની ભાવના દ્વારા તમામ ધર્મ પ્રત્યે સદ્દભાવના દર્શાવે છે. હિન્દુ મુસ્લિમ એકતાનું તેમનું જીવનનું મહત્ત્વનું કાર્ય રહ્યું છે. પોતાની જાતને હંમેશાં સનાતની હિન્દુ ગણાવ્યા છે. ”રામ” રટણ તેના જીવનનો મંત્ર બની રહ્યો છે.
અરે, મહાત્મા ગાંધીજી તો ઠીક પરંતુ આપણા ભારત દેશની સંસ્કૃતિ આદિ અનાદિ કાળથી સ્ત્રી સન્માન કે સ્ત્રી શકિતને દેવી સ્વરૂપે પૂજવામાં માને છે, તેવા આપણા જ દેશમાં ગાંધીજીની માતાનું ખુલ્લે આમ ચરિત્રહનન થાય છે …… આ ભારતની મુક્ત લોકશાહી અને વાણી સ્વાતંત્ર્યનો મળેલા અધિકારનો અનિષ્ટ ઉપયોગ છે.
તેમણે જીવનમાં ક્યારે ય પોતાના વિચારો કદી પણ કોઈ પર ઠોકી બેસાડ્યા નથી. પોતાના જીવનની એક પણ ક્ષણ તેમણે નકામી કે સેવા વગરની વેડફી નથી. તો પછી આ માનવ અકારો કેમ છે ?