Opinion Magazine
Number of visits: 9665795
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

 भारत की आत्मा: संविधान या भगवान राम

राम पुनियानी|Opinion - Opinion|2 February 2024

राम पुनियानी

भगवान राम के मंदिर के उद्घाटन की धूम अब भी हम सबके कानों में गूँज रही है. प्रधानमंत्री नरेन्द्र मोदी ने उद्घाटन संपन्न किया और वे ही पूरे समारोह के केंद्र थे. ऐसा लग रहा था मानों वे राष्ट्र और धर्म दोनों की सत्ता का प्रतिनिधित्व कर रहे हों.

सामंती युग में राष्ट्र-सत्ता और धर्म-सत्ता एक-दूसरे के साथ मिलकर काम करती थी – किंग और पोप, नवाब और शाही इमाम और राजा और राजगुरु. महाराष्ट्र में इस संयुक्त उपक्रम का नाम तुकबंदी में है – शेटजी-भटजी (जमींदार और पुरोहित). हमारे देश में धर्म के नाम पर राजनीति तो पहले से ही हो रही थी. धर्म और सत्ता का यह घालमेल सचमुच बहुत चिंताजनक है.

जब भारत स्वाधीन हुआ और भारतीय संविधान लागू हुआ तब हमारे समाज में धर्म की गहरी पैठ थी. इसी के चलते सोमनाथ मंदिर को लेकर विवाद की स्थिति बनी थी. डॉ. राजेंद्र प्रसाद राष्ट्रपति की हैसियत से मंदिर का उद्घाटन करना चाह रहे थे. नेहरु ने उन्हें लिखा, “मुझे लगता है कि सोमनाथ मंदिर के भव्य उद्घाटन के साथ अपने आपको जोड़ने का आपका इरादा ठीक नहीं है. यह केवल एक मंदिर में जाने का प्रश्न नहीं है. निश्चित तौर पर मंदिर में तो आप या कोई भी अन्य व्यक्ति जा सकता है. यहाँ सवाल एक महत्वपूर्ण कार्यक्रम में भागीदारी का है और दुर्भाग्यवश इसके बहुत-से निहितार्थ हैं.”

इसके सात दशक बाद, प्रधानमंत्री नरेन्द्र मोदी ने खूब शानोशौकत से एक मंदिर का उद्घाटन किया और राष्ट्रपति द्रौपदी मुर्मू ने अपने विशाल राष्ट्रपति भवन से इस भव्य समारोह को देखा. केन्द्रीय कैबिनेट ने न सिर्फ उद्घाटन का स्वागत किया वरन एक प्रस्ताव भी पारित किया. “….देश के शरीर ने 1947 में स्वाधीनता हासिल कर ली थी….उसमें प्राण-प्रतिष्ठा 22 जनवरी 2024 को हुई…” प्रस्ताव के अनुसार राममंदिर आन्दोलन ने देश में अभूतपूर्व एकता कायम की थी और 22 जनवरी को देश की आत्मा को आज़ादी हासिल हुई. (द इंडियन एक्सप्रेस, मुंबई, 25 जनवरी, 2024).

इस घटनाक्रम से धर्मनिरपेक्षता के मूल्यों में गंभीर गिरावट का संकेत मिलता है. अब तक तो राज्य कुछ हद तक धर्म से दूरी बनाये रखता था. मगर अब तो धर्मनिरपेक्षता का कोई नामलेवा ही नहीं बचा है. स्वाधीनता के समय नेहरु ने कहा भी था कि जहाँ हमारा संविधान धर्मनिरपेक्ष मूल्यों पर आधारित है वहीं हमारा समाज धार्मिकता के चंगुल में फंसा हुआ है.

नेहरु ने राष्ट्रपति को यह सलाह दी थी कि वे अपनी आधिकारिक हैसियत से सोमनाथ मंदिर का उद्घाटन न करें. और आज पूरी कैबिनेट मंदिर का उद्घाटन करने के लिए मोदी की जयजयकार कर रही है और बल्कि यह भी कहा जा रहा है कि मंदिर का उद्घाटन, भारत की आत्मा की आज़ादी के सदृश है! देश की गुलामी और आज़ादी भी बहस का मुद्दा बन गई है. एक फिल्म तारिका कंगना रानौत ने तालियों की गडगडाहट के बीच कहा कि भारत को स्वतंत्रता 2014 में मिली क्योंकि उस साल मोदी प्रधानमंत्री बने.

प्रधानमंत्री और उनके विचारधारात्मक सहयोगी हमें बता रहे हैं कि भारत पिछले एक हज़ार सालों से गुलाम था. मतलब यह कि जिस समय भारत पर मुसलमान राजाओं का शासन था, उस समय देश गुलाम था. किसी देश या क्षेत्र की गुलामी की परिभाषा क्या है? मोट तौर पर हम दो कसौटियां अपना सकते हैं. पहला, जब किसी क्षेत्र का शासन उसके बाहर से चलाया जा रहा हो. जिन मुस्लिम राजाओं ने भारत में शासन किया वे यहीं बस गए और उन्होंने स्थानीय ज़मींदारों-राजाओं की मदद से राज चलाया.

दूसरी बड़ी कसौटी है कि क्या किसी इलाके की धन-संपत्ति वहां से बाहर ले जाई गयी. मुस्लिम शासनकाल में ऐसा कुछ नहीं हुआ. यह तो ब्रिटिश राज में हुआ. शशि थरूर ने अपनी पुस्तक “डार्क इरा ऑफ़ एम्पायर” में बताया है कि किस तरह ब्रिटिश राज में भारत की संपत्ति इंग्लैंड ले जाई गई. इन दोनों आधारों पर तो ब्रिटिश शासन गुलामी का काल था. हाँ, कुछ मुस्लिम लुटेरे भी भारत आये थे मगर वे यहाँ शासन चलाने के लिए रुके नहीं.

सन 1947 में आज़ादी के साथ हमें संप्रभुता भी हासिल हुई और सत्ता हमारे प्रतिनिधियों के हाथों में आई. भारत की आत्मा का क्या? भारत की आत्मा क्या है? भारत की आत्मा उन मूल्यों में है जो हमारे स्वाधीनता संग्राम का आधार थे. भारत की आत्मा उन आंदोलनों में है जो आज़ादी के आन्दोलन के साथ-साथ और उसके समानांतर चले. ये श्रमिकों और किसानों के आन्दोलन थे, ये सामाजिक समानता के लिए आन्दोलन थे. भारत की आत्मा, भारतीय सभ्यता से उभरी, जिसे नेहरु ने “एक ऐसी प्राचीन स्लेट बताया है जिस पर एक के ऊपर एक कई परतों में विचार और सपने लिखे गए मगर कोई परत, पिछली परत में जो लिखा गया था उसे न तो पूरी तरह ढँक पाई और ना ही मिटा पाई.”

आज़ादी के आन्दोलन को किसानों के आंदोलनों (जैसे बारडोली और चंपारण) से मदद मिली और श्रमिकों के आंदोलनों से भी, जिनमें नारायण मेघाजी लोखंडे एवं कॉमरेड सिंगारवेलु के नेतृत्व में चले आन्दोलन शामिल हैं. इसके अलावा, जातिगत और लैंगिक समानता के आंदोलनों की मदद भी मिली. सामाजिक समानता के पक्षधरों में जोतिराव फुले, सावित्रीबाई फुले, भीमराव आंबेडकर और रामासामी पेरियार नाईकर शामिल थे. इन आंदोलनों ने समाज को सामंती मूल्यों से दूर किया और उसमें प्रजातान्त्रिक आशाएं जागृत कीं.

हमारे देश के अधिकांश लोगों के लिए भारत का संविधान ही भारत की आत्मा का मूर्त रूप है. जिन लोगों ने स्वाधीनता आन्दोलन में हिस्सा नहीं लिया वे पुरातन काल की जातिगत और लैंगिक ऊँचनीच को कायम रखने के हामी थे. ये लोग उन सामाजिक वर्गों से थे जो जातिगत और लैंगिक समानता के खिलाफ थे और किसानों और मजदूरों को उनके हक़ देना नहीं चाहते थे. और इन्हीं ताकतों ने धर्म के नाम पर राजनीति की. इनमें शामिल थीं मुस्लिम लीग, हिन्दू महासभा और आरएसएस.

एक ओर मुस्लिम लीग यह दावा कर रही थी कि अंग्रेजों के भारत में आने से पहले मुसलमान ही भारत के शासक थे वहीं हिन्दू महासभा-आरएसएस का मानना था कि भारत एक हिन्दू राष्ट्र है और इस्लाम और ईसाई धर्म विदेशी हैं. सुरेन्द्रनाथ बनर्जी ने अपनी पुस्तक “इंडिया: नेशन इन द मेकिंग” में नए उभरते भारत का बहुत अच्छा वर्णन किया है. यह भारत स्वतंत्रता, समानता और बंधुत्व के मूल्यों के आसपास आकार ले रहा था.

यह कहा जा रहा है कि भगवान राम देश को एक करने वाले व्यक्तित्व हैं. भगवान राम के कई रूप हैं. वे एक ओर एक पौराणिक व्यक्तित्व हैं. उनके इस रूप को महर्षि वाल्मीकि ने उद्घाटित किया और गोस्वामी तुलसीदास ने लोकप्रिय बनाया. कबीर के लिए राम, वैश्विक मानवतावाद के मूर्त रूप थे और गांधीजी उन्हें लोगों को एक करने वाली ताकत मानते थे. संघ-भाजपा की राम की व्याख्या अलग है. वे राम को एक सीमित दायरे में कैद करना चाहते हैं. राममंदिर के नाम पर चलाए गए आन्दोलन में पिछले कुछ दशकों में कितने लोगों ने अपनी जान गंवाई है, किस तरह समाज का ध्रुवीकरण हुआ है, अल्पसंख्यक अपने मोहल्लों में सिमटे हैं और दलितों, आदिवासियों और महिलाओं की हालत में गिरावट आई है यह विभिन्न सूचकांकों से साफ़ है और हमें हमारे आसपास दिख भी रहा है.

आज भारत की उस आत्मा पर हमला हो रहा है जो स्वाधीनता आन्दोलन से उभरी है. मंदिर के नाम पर तमाशा खड़ा कर, सत्ताधारी जिस भारत की आत्मा की बात कर रहे हैं वह कहीं नहीं है.

30/01/2024
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया; लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)

Loading

મધ્યમવર્ગને મૂરખ બનાવતું મોદી સરકારનું 2024નું બજેટ

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|2 February 2024

રવીન્દ્ર પારેખ

મધ્યમવર્ગ, ઇન્કમટેક્સમાં કૈં રાહત મળશે એવી આશાએ, નાણાં મંત્રી નિર્મલા સીતારામનનું, 2024નું વચગાળાનું છઠ્ઠું બજેટ જોવા, ટી.વી. પર આંખકાન ખોડીને બેઠો તો ખરો, પણ દર વખતની જેમ આ વખતે પણ મૂરખ બન્યો. નિરાશ થયો. એ ખરું કે આ સંપૂર્ણ બજેટ નથી. આવતા એપ્રિલ-મેમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ને સંપૂર્ણ બજેટ નવી સરકાર આવે ને તે જુલાઈમાં રજૂ કરે ત્યારે પાકી ખબર પડે. જો કે, કોઈ ચમત્કાર જ પરિણામ બદલી શકે, બાકી મોદી સરકાર જ ફરી આવી રહેલી જણાય છે. વિપક્ષો સાથે મળીને ભા.જ.પ.ને ટક્કર આપી શકે એમ જ નથી. એમને પોતાના પક્ષને કેટલી સીટ મળે એથી વધારે બીજો કોઈ રસ જ નથી. સાચું તો એ છે કે વિપક્ષો સરકાર બનાવવાની ફિરાકમાં જ નથી. એ લવારાઓ કરે છે, પણ લવારાઓથી સત્તા મળતી નથી. નીતીશકુમારમાં નીતિ સિવાય બધું જ છે. એમની નીતિ વિપક્ષી ગઠબંધન સાથે સુમેળ સાધવાની રહી જ નથી. એમને ને એ જ્યાં જાય છે એમને કેવળ સત્તા મેળવવામાં જ રસ છે, એટલે લાકડે માંકડું વળગતું રહે છે. કાઁગ્રેસ અધ્યક્ષ ખડગે કહે છે કે મોદી સરકાર આવી તો, તાનાશાહી દેશમાં લાગુ થશે ને આ છેલ્લું ઇલેક્શન હશે. એમની વાત માની લઈએ તો પણ, એનો સામનો કરવા કાઁગ્રેસ ખરેખર શું કરે છે તે સ્પષ્ટ નથી. એવી જ રીતે અખિલેશ યાદવે પણ બજેટ સંદર્ભે કહ્યું કે આ ભા.જ.પ.ની વિદાયનું બજેટ છે. હસવું આવે છે આવી વાતોથી. ભા.જ.પ.ની વિદાય માટે એમનો પક્ષ કે વિપક્ષોનો આખો સમૂહ કૈં કરે છે કે બોલવાથી જ ભા.જ.પ. વિદાય થશે એવું એમને લાગે છે?

બજેટની શરૂઆતમાં જ નાણાં મંત્રીએ કહ્યું કે મોંઘવારી ઘટી છે, તો એ વાતે હસવું આવ્યું કે બજેટને દિવસે જ કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ વધ્યો છે. અનેક ચીજ વસ્તુઓના ભાવ વધ્યા છે, પણ મોંઘવારી સંસદની બહાર જ હોય તે સમજી શકાય એવું છે. મોંઘવારી અનેક ગણી વધી, પણ ઇન્કમટેક્સનો 2.50 લાખનો સ્લેબ અંગદના પગની જેમ અડીખમ ખોડાયેલો જ છે. બહુ થાય તો તેની આસપાસ થોડીઘણી રાહતો ફેંકાય છે કે વિકલ્પો અપાય છે, પણ સરવાળે લાભમાં તો સરકાર જ રહે છે. સરકારનો સીધો હેતુ ઓછી આવક ધરાવનારો પણ ટેક્સ ભરતો થાય એવો છે ને એમાં સરકાર નિષ્ફળ નથી ગઈ. નાણાં મંત્રીએ જ તેમનાં બજેટ પ્રવચનમાં જાહેર કર્યું કે ટેક્સ કલેક્શનમાં ત્રણ ગણો વધારો થયો છે. મતલબ કે કર ભરનારાઓમાં પણ વધારો થયો છે. ટૂંકમાં, ઘણા કરદાતાઓ સુધી સરકાર પહોંચી છે. અત્યારે તો સાત લાખ સુધીની આવક પર ટેક્સ લાગતો નથી તે ખરું, પણ સ્લેબ નથી બદલાયો તે પણ ખરું. આમ તો ઘણી આગાહીઓ બજેટ પહેલાં ચર્ચામાં હતી, જેમ કે 80Cની લિમિટ 1.50 લાખથી વધીને 2.50 લાખ થશે, પણ કોઈ અટકળ સાચી પડી નથી.

એક વાત સ્પષ્ટ છે કે મધ્યમવર્ગ હજી સંયુક્ત કુટુંબ ધરાવે છે ને મોટે ભાગે ઘરની કમાનાર વ્યક્તિ એક જ હોય છે. એની 7-8 લાખની આવક નોકરીમાંથી થતી હોય ને આવકનો સ્લેબ 2.5 કે 3 લાખનો જ વર્ષોથી હોય ને થોડું રોકાણ કરીને તે ટેક્સ બચાવવા માંગતો પણ હોય, પણ પાંચેક જણનાં કુટુંબમાં નાનામોટા એટલા ખર્ચ પડતાં હોય છે કે પૈસા બચાવીને રોકાણ કરવું હોય તો પણ ન કરી શકે. મોટેભાગે તો એની હાલત કફોડી જ હોય છે. એને ટેક્સ ઘરની વસ્તીના પ્રમાણમાં નથી લાગતો. એ સ્થિતિમાં તેણે કુટુંબ નિર્વાહ ચલાવવાની સાથે જ ટેક્સ પણ ભરવાનો થાય છે. આ તબક્કે સરકાર સીધી જ ટેક્સ સ્લેબની રકમ 7 લાખ પર લાવે એ અપેક્ષિત છે. એવાં ઘણાં કુટુંબો છે જેની આવક મોટી દેખાય છે, પણ ઘરની વ્યક્તિઓની તુલનામાં ને તેમનો ખર્ચ જોતાં એ આવક ઓછી જ છે. એને આ કે તે રોકાણમાં બચત કરાવી રાહત આપવાનું મશ્કરી સમાન છે, કારણ તે ઈચ્છે તો પણ બચત કરીને ટેક્સ બચાવી શકે એમ જ નથી. એ સંજોગોમાં એનો ટેક્સ સ્લેબ જ વધેલો હોય તે જરૂરી છે. આ વચગાળાનું બજેટ હોવાથી મોટી જાહેરાતો કરવાથી સરકાર બચી છે, તો પણ જે સરકાર પૂર્ણ બજેટ લાવશે તેની પણ સ્લેબ વધારવાની ઈચ્છા બહુ નહીં જ હોય, કારણ, સરકારનું માનસ પાયામાંથી જ નફાખોર વેપારીનું છે. એ પણ ખરું કે આ બજેટમાં રાહતો ગણતરીપૂર્વકની જ અપાઈ છે.

જે મતદાતાઓથી સરકારને મતનો રોકડો લાભ છે એવાં ગરીબો, મહિલાઓ, ખેડૂતો અને યુવાનોને ધ્યાનમાં રાખીને કેટલીક દરખાસ્તો થઈ છે. 2017માં GST લાગુ થયો તે પછી સરકારે લાખો કરોડની કમાણી કરી છે, એટલે કસ્ટમ કે એક્સાઈઝ ડ્યૂટીને બાદ કરતાં બજેટમાં ખાસ કૈં સસ્તું કે મોંઘું થયું નથી, છતાં મોબાઈલ સસ્તા થવાની ને સોનું-ચાંદી મોંઘું થવાની વાત છે. એવું થોડું છે કે બધું બજેટમાં જ વધે? એ બજેટ પછી પણ વધે તો આપણે કોનો હાથ પકડવાના હતા !

આમ તો 80 કરોડ લોકોને સરકાર મફત અનાજ આપે છે, ને વર્ષોથી આપે છે, તે સાથે જ ગરીબ કલ્યાણ યોજના હેઠ 34 લાખ કરોડ નાખીને 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવાનો દાવો પણ સરકારે કર્યો છે. ગરીબીને લગતા આ આંકડા છતાં, સરકાર દુનિયાની શ્રેષ્ઠ ઇકોનોમીમાં દાખલ થવા મથી રહી હોય તો, તેના આ સાહસને બિરદાવવાનું જ રહે. બજેટમાં ઉલ્લેખ થયો કે લગભગ 1 કરોડ મહિલાઓ ‘લખપતિ દીદી’ બની ને આગામી વર્ષમાં બીજી બે કરોડ મહિલાઓ ‘લખપતિ દીદી’ બનવાની છે. એક કરોડ પરિવારોને 300 યુનિટ સુધી મફત વીજળી આપવાની વાત પણ છે. એ સારી વાત છે કે 3,000 નવી IIT ખોલવામાં આવી છે અને 54 લાખ યુવાનોને તાલીમ આપવામાં આવી છે. આવી વાતો દરેક બજેટમાં ચાલે છે ને બીજી તરફ શિક્ષિત બેકારીનો છેડો આવતો નથી, તો સવાલ થાય કે આટઆટલા પ્રયત્નો છતાં બેકારી ઘટતી કેમ નથી? કૈં થતું જ નથી, એવું નથી, મત્સ્ય સંપદા યોજના હેઠળ 55 લાખ લોકોને રોજગારી આપવામાં આવી છે. 11.8 કરોડ લોકોને પી.એમ. કિસાન યોજનાનો લાભ મળ્યો છે ને બીજે પક્ષે ખેડૂતો આંદોલન કરવાના મૂડમાં જ હોય છે. એવું જ આવાસ યોજનાઓનું પણ છે. આ વખતે પણ 2 કરોડ નવા આવાસ બાંધવાનું લક્ષ્ય છે, ને અગાઉ ત્રણ કરોડ તો બની ચૂક્યા છે. આવાસ યોજનાઓ અને ગરીબી હટાવ દરેક સરકારનું લક્ષ્ય રહ્યું છે ને દરેક સરકારોમાં એ ચાલુ જ રહેશે એ કેવું મોટું આશ્વાસન છે !

સ્ટાર્ટઅપ્સ પર સરકારની રહેમ નજર રહી છે, એટલે આ વખતે પણ કરમુક્તિ વધુ એક વર્ષ માટે લંબાવવામાં આવી છે. અત્યારે યુદ્ધને ધોરણે યુદ્ધો ચાલી રહ્યાં છે. પાકિસ્તાન અને ચીનની બેશરમી જગજાહેર છે, એ જોતાં સંરક્ષણ બજેટ 11.8 ટકા વધારવામાં આવે તે સર્વથા ઉચિત છે, એટલે બજેટમાં 6.2 લાખ કરોડ ફાળવવામાં આવ્યા છે. રેલવેને લાગે વળગે છે ત્યાં સુધી તે 3 નવા રેલ કોરિડોર બનાવવા તરફ છે. બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રકચર પર 11 ટકા ખર્ચ કરવાની દરખાસ્ત થઈ છે. 40,000 જનરલ કોચ વંદે ભારત જેવા પણ કરવાની વાત છે.

એક રીતે આ બજેટ કોઈ ઉત્તેજના ધરાવતું નથી, તેનું સાદું કારણ એ છે કે તે વચગાળાનું બજેટ છે. ખાસ તો GST અને ઇન્કમટેક્સમાં કોઈ ફેરફાર વિનાનું આ બજેટ છે, એટલે બજારો પણ શરૂઆતના ઉછાળ પછી ટાઢાં જણાયાં છે. બજેટમાં, લાલબહાદુર શાસ્ત્રી દ્વારા અપાયેલાં સૂત્ર ‘જય જવાન, જય કિસાન’માં વાજપેયીએ વધારો કરી ‘જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન’ કર્યું. તો વડા પ્રધાન પણ બાકાત કેમ રહે? તેમણે ‘જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય અનુસંધાન’ કર્યું. શેનું ‘અનુસંધાન’ એની સ્પષ્ટતાઓ હવે પછી થાય તો થાય, પણ અન્ય વિકાસની જેમ સૂત્રોમાં પણ વિકાસ થયો, એનો હરખ પ્રગટ કરવાનો રહે જ છે. જો કે, આ વિકાસ સૂત્રો એકદમ કયાં કારણે લહેરાયાં તે અકળ છે.

એમ લાગે છે કે સરકારને એવું હશે કે જીતવાના જ છીએ તો વધુ ચોકસાઈથી બજેટ ત્યારે કરીશું, અત્યારે તો બજેટ આપવાનું જ છે, તો એક વિધિ તરીકે રજૂ કરી દેવું. આવી કોઈ ગણતરીથી બજેટ પ્રસ્તુત થયું હોવાનું લાગે છે, બાકી, સૌથી લાંબું, બે કલાકથી વધુનું બજેટ પ્રવચન નાણાં મંત્રી નિર્મલા સીતારામનનું હોય ને સૌથી ટૂંકું 58 મિનિટનું પ્રવચન પણ એમને નામે જ ચડે તો કોઈક મુદ્દે ઉદાસીનતા સેવાઇ હોવાનો વહેમ પડે.

જોઈએ, જૂન-જુલાઈમાં નવી સરકાર કુલડીમાં કેવોક ગોળ ભાંગે છે તે –                                                                                                             

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 02 ફેબ્રુઆરી 2024

Loading

રાષ્ટ્રની આવક વધે તો લોકોનું સુખ વધે એ જરૂરી નથી

રોબર્ટ સ્કિદેલસ્કી [ભાવાનુવાદ : હેમંતકુમાર શાહ]|Opinion - Opinion|1 February 2024

નીતિ અને અર્થશાસ્ત્ર: ભાગ-7 

કેટલાક અર્થશાસ્ત્રીઓ એમ કહે છે કે કોઈ પણ નીતિ(policy)નું ધ્યેય રાષ્ટ્રીય આવકને બદલે ‘સુખ’ (happiness) હોવું જોઈએ. આ બાબતે દરેક વ્યક્તિ સંમત થાય જ કે લોકોને તેમની માનસિક સુખાકારી(well-being)માં સુધારો કરવાના અર્થમાં વધુ સુખી કરવા એ પ્રશંસનીય લક્ષ્ય છે. આ અભિગમ એવા સર્વે તરફ લઈ જાય છે કે જે એમ બતાવે છે કે સુખ એ આવકનું પ્રમાણ નથી. આ ઘટનાને ‘ઇસ્ટરલિનના કોયડા’ તરીકે ઓળખવામાં આવે છે. અર્થશાસ્ત્રી રિચર્ડ ઇસ્ટરલિન (1926-) દ્વારા એમ જણાવવામાં આવ્યું કે અમુક હદ પછી રાષ્ટ્રીય આવક વધે તેની સાથે સાથે સુખ વધે એવું હોતું નથી. અમુક હદ સુધી જ બંને સાથે વધે છે અને પછી સુખ સ્થિર થઈ જાય છે અને આવક વધવાનું ચાલુ રહે છે.

આ એમ બતાવે છે કે કોઈ પણ નીતિમાં આવકના વધારાને બદલે સુખમાં વધારો થાય તેવું ધ્યેય હોવું જોઈએ. એનો અર્થ એ છે કે લોકો સુખી કે અસુખી થાય તે માટેનું કારણ માત્ર પૈસા નથી હોતા. સુખ અને અસુખનાં વ્યક્તિલક્ષી પગલાંને વસ્તુલક્ષી પરિસ્થિતિ સાથે જોડવાં પડે. અનેક સર્વે એમ બતાવે છે કે લોકો આવી બાબતોથી વધુ સુખી થાય છે : પરિવાર અને મિત્રો સાથે વધુ સમય વિતાવવો, આવક ઊભી કરતા કામમાં સંતોષ મળવો, આવકની સલામતી હોવી વગેરે. કોઈ પણ નીતિમાં આ ધ્યેયોને સુખ સાથે જોડવાં જોઈએ.

સુખનો ખ્યાલ પોતે જ બહુ નબળો છે. મોટા ભાગના સંશોધકો એમ કહે છે કે તેનો અર્થ એ છે કે તે માનસિક સુખાકારી અથવા મનના આનંદ સિવાય બીજું કશું નથી. ધર્મગુરુઓ સુખ વિષે ઉપદેશો આપે છે, શાળાઓમાં સુખ વિષેના અભ્યાસક્રમો ચાલે છે; વગેરે બધું વધતું ચાલ્યું છે. 2008ની મંદી પછી સત્તા પર આવેલા બ્રિટિશ વડા પ્રધાન ડેવિડ કેમેરોન દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે તેઓ દર ત્રણ મહિને દેશના નાગરિકોની સુખાકારી માપશે અને સુખાકારીમાં જે ફેરફાર થયો હશે તેને આધારે તેમની નીતિઓ સફળ થઈ કે નહિ તે જોશે અને એને માટે તેઓ પોતાની જાતને જવાબદાર ગણશે. પછી આ પ્રયાસ વિષે કશું સાંભળવા મળ્યું નહોતું. જ્યારે અર્થતંત્ર ખાડામાં પડી રહ્યું હોય ત્યારે સુખાકારી માપવાનું તદ્દન વિચિત્ર લાગે છે.

પહેલી વાર જોતાં જ એમ લાગે છે કે કોઈ પણ નીતિનું ધ્યેય સુખ પ્રાપ્ત કરવાનું હોય તો એ કાચી રાષ્ટ્રીય આવકમાં સુધારો છે. તે આવકની વૃદ્ધિના ચક્રમાંથી બહાર નીકળવામાં અથવા તેને ધીમી કરવામાં સહાય કરે છે અને જે સારું (good) છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે.

પરંતુ સુખને મજબૂતપણે કેવી રીતે માપવું એ મુદાને બાજુ પર મૂકીએ તો પણ આમાં એક ખતરનાક ફસામણી છે. જો સુખને કાયમી રીતે સંમત થઈ શકાય તેવી મનની બાબત ગણીએ તો તે આનંદ વધારતી દવાઓ મફત વહેંચવાથી, અસ્તિત્વ ટકાવવા માટે જરૂરી વસ્તુઓનું ઉત્પાદન રોબોટ ઉપર છોડી દેવાથી, મોજશોખની જિંદગી જીવવાથી કે પછી નશામાં રહેવાથી સુખ મહત્તમ થઈ શકે છે. આ તો અક્ષરશ: લોકો  માટે અફીણ કહેવાય.

અલબત્ત, સુખની ચિંતા કરનારા અર્થશાસ્ત્રીઓ પણ આની હિમાયત કરતા નથી. જો કે, રિચર્ડ લેયાર્ડ (1934-) તેમના સુખ પેદા કરવાના એજન્ડામાં ઔષધીય અને મનોરંજક દવાઓનો સમાવેશ કરે છે ખરા. તેઓ એમ ઈચ્છે છે કે નીતિ એવી હોવી જોઈએ કે જે એવી સ્થિતિનું નિર્માણ કરે કે જે સ્થિતિ લોકો માટે ઓછી દુઃખદાયી હોય. તેઓ એમ પણ માને છે કે આવી સ્થિતિની શોધ થઈ શકે છે.

ઓછા દુઃખની બાબતને વચગાળાના નૈતિક ધ્યેય તરીકે ખરેખર ગંભીરતાથી લેવી જોઈએ, એટલે કે લોકો વધુ સારી જિંદગી જીવી શકે તે શક્ય બનાવવું જોઈએ. પરંતુ સુખને જ અંતિમ ધ્યેય ગણીને તે સિદ્ધ કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ. સુખ તો સારી જિંદગી જીવવાનું પરિણામ છે. પ્રાચીન ગ્રીક દર્શનમાં એમ જ જણાવવામાં આવ્યું છે. સુખ એ કોઈ અલગ ધ્યેય નથી અને તે ઘણી વાર આપોઆપ બની જતી ઘટના છે.

અમર્ત્ય સેન સુખ માટે બીજાં કેટલાંક માપ બતાવે છે. આલ્ફ્રેડ માર્શલની જેમ અમર્ત્ય સેન એમ વિચારે છે કે નીતિનું ધ્યેય સુખાકારીમાં વધારો હોવું જોઈએ. પરંતુ સુખાકારીને માત્ર ભૌતિક વપરાશ જ ન સમજવી જોઈએ. તેને બદલે તે અનેક અને એકબીજાને વળગતી ક્ષમતાઓ કે સમર્થતાઓ(capabilities)થી થાય છે. તે ક્ષમતાઓ એકબીજાથી અલગ ન પણ થઈ શકે. તે ભૌતિક  કલ્યાણ તો છે જ, પણ તેમાં બિન-આર્થિક પાસાં પણ છે, જેમ કે, વ્યક્તિની પોતાને માટે પોતાની યોજના બનાવવાની સ્વતંત્રતા. પરિણામે, આર્થિક વિકાસને વિસ્તરતી ક્ષમતાઓ કે સમર્થતાઓ તરીકે સમજવો જોઈએ, અને ગરીબીને એ સમર્થતાઓના અભાવ તરીકે સમજવી જોઈએ.

સમર્થતાને નીતિનું ધ્યેય બનાવવામાં આવે તો અંતિમ ધ્યેયની વ્યાખ્યા કરવાની ફસામણીમાંથી બચી શકાય છે. પરંતુ ‘શાની સમર્થતા?’ એવા પ્રશ્નનો ઉત્તર આપવામાં તે નિષ્ફળ જાય છે. વ્યક્તિઓ તંદુરસ્ત કે શિક્ષિત થવા માટે સમર્થ બને તેની કે તેના જેવી બીજી ચિંતા આપણે શા માટે કરવી જોઈએ? હકીકતમાં જે બાબત મહત્ત્વની છે તે તો એ છે કે તેઓ ખરેખર તંદુરસ્ત અને શિક્ષિત હોય. તંદુરસ્ત અને શિક્ષિત હોવું એટલે શું તે અંગે સરકાર વલણ નક્કી કરે તો તેને તાનાશાહી કહેવાય. એટલે કે સમર્થતા વ્યક્તિગત પસંદગીનું જતન કરે છે.

(ક્રમશ:)  
સ્રોત: 
લેખનું પુસ્તક: What is Wrong with Economics?
પ્રકરણ: Ethics and Economics
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...809810811812...820830840...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved