Opinion Magazine
Number of visits: 9665887
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દેશને સુપ્રીમોની છે તે કરતાં સુપ્રીમની જરૂર વધારે છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|23 February 2024

રવીન્દ્ર પારેખ

દેશને પક્ષ પ્રમાણે વડા કે નેતા હોય છે ને તે સુપ્રીમો તરીકે સત્તા ભોગવતા હોય છે, આમાં કેટલાક બની બેઠેલા સુપ્રીમો પણ ખરા. આ ખરા કે ખોટા સુપ્રીમો સતત પક્ષના હિતમાં જ વિચારતા હોય છે ને તે પ્રમાણે નિર્ણયો લેતા હોય છે. તેનો હેતુ સત્તા પર હોય તો કોઈ પણ ભોગે સત્તા ટકાવી રાખવાનો હોય છે ને સત્તા પર ન હોય તો કોઈ પણ ભોગે સત્તામાં આવવાનો હોય છે. આમાં તટસ્થતા સમ ખાવા પૂરતી હોય તો હોય, પણ સુપ્રીમ (કોર્ટ) પાસેથી તો હંમેશ તટસ્થતા જ અપેક્ષિત છે ને દેશના સદ્દભાગ્યે એ જળવાઈ રહે છે તેનો આનંદ છે. તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટના નીરક્ષીર ન્યાયનો આખા દેશે અનુભવ કર્યો તે વાતની સાભાર નોંધ લેવી ઘટે.

આમ તો કોઈ શહેરની મેયર પદની ચૂંટણી સુપ્રીમ સુધી જતી નથી, પણ આ વખતની ચંડીગઢની મેયરની ચૂંટણી એટલી બધી સુપ્રીમમાં પહોંચી કે ખુદ CJI ચંદ્રચૂડે હસ્તક્ષેપ કરવો પડ્યો. આમ તો અત્યાર સુધી ચંડીગઢની મેયરની ચૂંટણીમાં ભા.જ.પ.ને સીધો બહુમત નહોતો, પણ કાઁગ્રેસ અને આપ વચ્ચે મનમેળ ન હોવાનો લાભ ભા.જ.પ.ને મળતો રહેતો હતો. એ શક્યતા એટલે ઘટી કે આ વખતે કાઁગ્રેસ અને આમ આદમી પાર્ટીએ હાથ મિલાવી લીધા ને 30 જાન્યુઆરી, 2024 ને રોજ ચૂંટણી થઈ, ત્યારે ભા.જ.પ.ના હારવાના ચાન્સ વધારે હતા, પણ પરિણામ આવ્યું તો એક સાંસદ અને 35 કાઉન્સિલરોના કુલ 36 મતોમાંથી ભા.જ.પ.ના મનોજ સોનકરને 16 મત મળતા તેમને મેયર પદના વિજેતા જાહેર કરાયા. આપ-કાઁગ્રેસનાં ગઠબંધનના ઉમેદવાર કુલદીપ કુમાર ટીટાને 12 જ મત મળતા તે હાર્યા હતા. આઠ મતો અમાન્ય ઠરતા સોનકર મેયર જાહેર થયા હતા.

જો કે, વિપક્ષને એમાં ગેરરીતિ જણાઈ એટલે તેણે હાઇકોર્ટમાં અરજી કરી ને ચૂંટણી પ્રતિબંધિત કરવાની માંગ કરી, પણ હાઇકોર્ટે વિપક્ષની માંગણીનો અસ્વીકાર કર્યો. હાઈકોર્ટના આદેશને પણ વિપક્ષ દ્વારા 3 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટમાં પડકારાયો. 5 ફેબ્રુઆરીએ ચંડીગઢ પ્રશાસન પર કડક ટિપ્પણી કરતાં સુપ્રીમે કહ્યું કે લોકશાહીની હત્યા થઈ છે. 20મી ફેબ્રુઆરીએ સુપ્રીમમાં સુનાવણી હાથ ધરાઇ અને આપ-કાઁગ્રેસના ઉમેદવાર કુલદીપ કુમારને સુપ્રીમ કોર્ટે મેયર પદના વિજેતા જાહેર કર્યા. સાધારણ રીતે ઉમેદવારોને ચૂંટણીના વિજેતા જાહેર કરવાનું કામ સુપ્રીમ કોર્ટનું નથી, પણ ચંડીગઢને મામલે સુપ્રીમે નિર્ણય જાહેર કરવાની નોબત આવી અને ચૂંટણી સંબંધી નિર્ણયોમાં પહેલીવાર, બંધારણે આપેલ વિશેષાધિકારની કલમ 142ની રૂએ ચુકાદો આપવાનું સુપ્રીમે સ્વીકાર્યું. બન્યું એવું કે આપના સર્વેસર્વા કેજરીવાલે 30મી જાન્યુઆરીની ચૂંટણીનું CCTV ફૂટેજ રજૂ કર્યું, જેમાં પ્રિસાઈડિંગ ઓફિસર મતપત્રકો સાથે છેડછાડ કરતા દેખાયા. એની કડક ચકાસણી થતાં, પેલા રદ્દ થયેલા આઠ મતો આપના જ હતા ને તે નિશાની કરીને પ્રિસાઇડિંગ ઓફિસર અનિલ મસીહે ઇરાદાપૂર્વક રદ્દ કર્યા હતા, એ ફલિત થયું. આ શરમજનક હતું ને CJIએ રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહનો ઊધડો લેતાં સોંસરું કહ્યું, ‘અમે જે પણ પૂછીશું તેનો સાચો જવાબ આપજો, ખોટું બોલશો તો તમારા પર કેસ થશે. આ એક ગંભીર મામલો છે અને અમે તમને વીડિયોમાં બેલેટ પેપરમાં ક્રોસ કરતાં જોયા છે. તમે આ કામ કેમેરાની સામે જોઈને કરી રહ્યા હતા. તમે શું કરી રહ્યા હતા?’ આ અંગે ઘણું જૂઠાણું ચલાવ્યા પછી, અનિલ મસીહે છેવટે કબૂલ કરવું પડ્યું કે તેમણે આપને મળેલા મતવાળા 8 બેલેટ પેપર સાથે ચેડાં કર્યાં હતાં. એ મતપત્રકો સુપ્રીમે ગણતરીમાં લેતાં કુલદીપ કુમાર વિજેતા થતા હતા ને તેમને મેયર તરીકે વિજેતા જાહેર કરાયા.

બીજી તરફ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચતાં સોનકરે મેયર તરીકે 18 ફેબ્રુઆરીએ રાજીનામું મૂક્યું ને ધારણા એવી હતી કે ભા.જ.પ.ના મેયર દ્વારા રાજીનામાની ખેલદિલી દાખવાતા સુપ્રીમ ફરી ચૂંટણી આપે. એ દરમિયાન જ આપના ત્રણ કાઉન્સિલરો ભા.જ.પ.માં જોડાયા. ભા.જ.પ.ને એવું હતું કે સુપ્રીમ ફરી ચૂંટણી જાહેર કરે તો સોનકરને મળેલા 16 ઉપરાંત, આપમાંથી આવેલા બીજા ત્રણ મત ઉમેરાતા 19 મત થાય ને નવી ચૂંટણીમાં સોનકર કે અન્ય કોઈ પક્ષનું જીતે તો ભા.જ.પ.ની જીત નિશ્ચિત થઈ જાય, પણ એવું કશું થયું નહીં અને રદ્દ થયેલા 8 મત આપને પક્ષે જતા, આપના કુલદીપ કુમાર મેયર જાહેર થયા.

આ પરિણામ 30મી જાન્યુઆરીએ જ જાહેર થઈ શક્યું હોત, પણ તેમ ન થયું ને રિટર્નિંગ ઓફિસરે ભા.જ.પ.ની તરફેણમાં પરિણામ ‘ક્રિએટ’ કર્યું, એ કોના કહેવાથી કર્યું એ તો ખબર નથી, પણ પોતે ભા.જ.પ. સાથે સીધી રીતે સંકળાયેલા હતા, એટલે ભા.જ.પ.ની ફેવર કરવાની લાલચ રોકી ન શક્યા હોય એમ બને. મતપત્રકો કોઈ પણ છેડછાડ વગરનાં હતાં ને આપને લાભ થશે એવું લાગતાં રિટર્નિંગ ઓફિસરે પોતે નિશાની કરીને મતપત્રકો સાથે છેડછાડ થઈ છે એવું ચિત્ર ઉપસાવ્યું. વીડિયોમાં અનિલ મસીહ મતપત્રકો સાથે છેડછાડ કરે છે એવું સુપ્રીમને સ્પષ્ટ જણાયું. એ પરથી સુપ્રીમે રદ્દ થયેલાં મતપત્રોને વેલીડ ગણીને આપના કુલદીપ કુમારને વિજેતા જાહેર કર્યા.

રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહની તટસ્થતા અપેક્ષિત હતી, પણ તેમણે ભા.જ.પ.ની વફાદારી ન છોડી ને પરિણામ એ આવ્યું કે ભા.જ.પે. તેમને લઘુમતી મોરચાના મહાસચિવ પદેથી દૂર કર્યા. એને ય તટસ્થતા(?!) અપેક્ષિત હોયને ! જો કે, અનિલ મસીહ વિરુદ્ધ કેસ ચલાવવાનો સુપ્રીમે આદેશ કર્યો છે, એટલે વધુ ન્યાય તો ત્યારે થાય એમ બને. આ સજ્જને માન્ય મતપત્રકોને નિશાની કરીને અમાન્ય ઠેરવ્યા, સુપ્રીમ સામે જૂઠાણું ચલાવ્યું, એમ કરીને એમણે મતપત્રકો સાથે જ નહીં, લોકશાહી સાથે પણ ચેડાં કર્યાં. એમની સામે ફોજદારી રાહે પણ કામ ચલાવવાની વાત સુપ્રીમે કરી છે એ યોગ્ય જ છે, કારણ કાયદાનું કોઈ મૂલ્ય જ ન હોય એમ, એટલા અપરાધો અનેક ક્ષેત્રોમાં થાય છે કે કાયદાનાં શાસન પરથી ભરોસો ઊઠી જાય. સુપ્રીમનો આ નિર્ણય એટલો બધો સમયસરનો છે કે તેનું પરિણામ પણ તરત જ જોવા મળ્યું છે. એટલે જ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે વિધાનસભામાં કહ્યું, ‘એવું લાગી રહ્યું છે કે ભગવાન કૃષ્ણ સુપ્રીમ કોર્ટમાં હાજર છે અને તેઓ ચીફ જસ્ટિસ દ્વારા ચુકાદો આપી રહ્યા છે.’ આ વિધાન બહુ સૂચક છે.

હવે એવું બને કે આપમાંથી ભા.જ.પ.માં ગયેલા ત્રણ મતોને આધારે ભા.જ.પ. ફરી ચૂંટણીની સ્થિતિ ઊભી કરે ને કુલદીપ કુમારને બદલે ફરી મનોજ સોનકર કે અન્ય આયાતી સભ્યને મેયર બનાવવા આગ્રહ કરે તો આપે હારવાનું થાય. આમ પણ લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે વિપક્ષોમાંથી પોતાની તરફ ખેંચવાના પ્રયત્નો થાય છે ને થશે પણ ખરા. ભા.જ.પ. એવી સ્થતિ ઊભી કરે તો નવાઈ ન લાગે કે સામે વિપક્ષ જેવુ કૈં રહે જ નહીં ! એ તો કરે, પણ વિપક્ષી સભ્યો પણ સ્વમાન, સંકોચ અને શિસ્ત વિનાના થવામાં નાનમ નથી અનુભવતાને ! પક્ષાંતર વિરોધી કાયદો નથી એવું ક્યાં છે? એ કાયદાને ઘોળીને પી જવાયો છે. કેટલાક વિપક્ષી સભ્યો વિપક્ષમાં હોય છે જ એટલે કે શાસકો તરફથી ભાવ બોલાય તો પોતાની વેચાણ કિંમત નક્કી થઈ શકે. એવી રીતે નવા આવેલા આપના સભ્યોને જોરે ભા.જ.પ. કુલદીપ કુમારને મેયર તરીકે ન ટકવા દે અને ફરી ચૂંટણી માંગે તો સુપ્રીમના ચુકાદાને ય ઉલટાવવા જેવું થાય ને ભા.જ.પ.નો કક્કો જ ખરો થાય એવી શક્યતાને પણ નકારી ન શકાય.

ભા.જ.પ. અનેક લોકકલ્યાણનાં કાર્યો કરે છે એની ના જ નથી, પણ પક્ષની મજબૂતી માટે તેના કોઈ આદર્શ, કોઈ સિદ્ધાંત નથી કે નથી કોઈ નીતિ ! કોઈ પણ રીતે સત્તા ટકાવવા કે મેળવવા સામેના પક્ષના સભ્યોને કોઈ પણ લાલચે તોડીને પોતાનામાં ભેળવવામાં તેને કોઈ સંકોચ થતો નથી. સાચું તો એ છે કે આવો કોઈ સંકોચ કોઈ પણ પક્ષને થતો નથી. દૂર ક્યાં જવું, જેની નીતિ જ અનીતિ છે, એવા નીતીશકુમાર જે રીતે ભા.જ.પ.માં આવે-જાય છે ને એ ભા.જ.પ. ચાલવા દે છે એ પરથી પણ, ભા.જ.પ.ને સાધન શુદ્ધિનો કેટલો આગ્રહ છે તે સમજી શકાય એમ છે. લાગે છે તો એવું કે જે, જે બાબતોનો કાઁગ્રેસ સામે વાંધો પાડીને ભા.જ.પ. 2014માં કેન્દ્રમાં સત્તા પર આવ્યો એ તમામ બાબતોની, સત્તા સંદર્ભે તેને કોઈ છોછ રહી નથી. આ દુ:ખદ છે.

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 23 ફેબ્રુઆરી 2024

Loading

મારું વસિયત નામું !

વસુધા ઈનામદાર|Poetry|23 February 2024

મારું વસિયત નામું,

હું તો પુનર્જન્મમાં માનું !

જીવનનાં આ હિસાબકિતાબમાં,

ના મારી પાસે કોઈ, વસિયત નામું !

શ્વાસે શ્વાસે ઝીલી પ્રકૃતિને,

દેહ સમર્પિ, ભરું એનું તરભાણું,

પર્યાવરણનાં સોગંદ આપું,

અંતિમ મારી ઈચ્છા રાખું !

ચેહ દેવા આ દેહને,

ના ચંદન કે કોઈ કાષ્ઠ માંગુ !

ના કોઈ વૃક્ષને, કોઈ બહાને કાપું !

હું તો પુનર્જન્મમાં માનું,

જો પંખી બની અવતરું તો ?

મારો માળો ક્યાં હું બાંધું ?

બોસ્ટન 6-2-2024
e.mail : mdinamdar@hotmail.com

Loading

मोदी की मंदिर यात्राएं वि-उपनिवेशीकरण नहीं है

राम पुनियानी|Opinion - Opinion|23 February 2024

राम पुनियानी

हाल (22 जनवरी 2024) में अयोध्या के राममंदिर में प्राण-प्रतिष्ठा के अवसर पर अत्यंत भव्य समारोह आयोजित किया गया. इसके साथ ही देश के अन्य हिस्सों, विशेषकर उत्तर भारत, में धार्मिकता के सामूहिक प्रदर्शन हुए. इस अवसर पर हमने देखा कि राजनैतिक सत्ता और धार्मिक सत्ता दोनों मानों प्रधानमंत्री नरेन्द्र मोदी में केन्द्रित हो गईं. अयोध्या के बाद मोदी ने अबू धाबी में एक बड़े मंदिर (श्री स्वामीनारायण) का उद्घाटन किया. इस अवसर पर भी जमकर जश्न मनाया गया और इसका खूब प्रचार-प्रसार हुआ. और अभी कुछ दिन पहले मोदी ने उत्तर प्रदेश में कल्कि धाम मंदिर का शिलान्यास किया.

मंदिरों से जुड़े इन उत्सवों की श्रृंखला से प्रभावित कई दक्षिणपंथी चिन्तक दावा कर रहे हैं कि मोदी पहले ऐसे राजनेता हैं जो किसी उत्तर-औपनिवेशिक समाज की संस्कृति का वि-उपनिवेशीकरण कर रहे हैं.

उपनिवेशवाद का दक्षिण एशिया पर क्या प्रभाव पड़ा? दक्षिण एशिया का समाज मूलतः सामंती था जहाँ जमींदार और राजा शासन करते थे और पुरोहित वर्ग उनके राज को उचित बताता था. ब्रिटेन दक्षिण एशिया के अधिकांश हिस्से, विशेषकर भारतीय उपमहाद्वीप, को अपना उपनिवेश बनाने में सफल रहा. अंग्रेजों का जोर यहाँ की संपत्ति को लूटने और भारत को इंग्लैंड में उत्पादित माल के लिए विशाल बाज़ार के रूप में इस्तेमाल करने पर था. इसके लिए उन्हें यहाँ एक औपनिवेशिक राज्य का ढांचा खड़ा पड़ा. उन्हें परिवहन और शिक्षा की सुविधाएँ विकसित करनी पडीं और आधुनिक प्रशासनिक व्यवस्था कायम करनी पड़ी. ब्रिटिश शासकों ने सती जैसी कुछ भयावह प्रथाओं के उन्मूलन का समर्थन किया मगर जहाँ तक बड़े सुधारों और सांस्कृतिक परिवर्तनों का प्रश्न है, उनके लिए जोतीराव फुले, सावित्रीबाई फुले, आंबेडकर और गाँधी जैसे लोगों ने को संघर्ष करना पड़ा.

किसी भी समाज की संस्कृति स्थाई नहीं होती. वह निरंतर परिवर्तनशील होती है. औपनिवेशिक शासनकाल में भी देश में कई तरह के सांस्कृतिक परिवर्तन हुए.

पश्चिम का अन्धानुकरण, इन सांस्कृतिक परिवर्तनों का एक छोटा भाग था. जो सबसे बड़ा परिवर्तन था वह था समानता पर आधारित समाज की ओर यात्रा की शुरुआत. इसके अलावा, भारत ने आधुनिक-औद्योगिक सामाजिक संस्कृति की ओर धीरे-धीरे कदम बढ़ाना शुरू किये. ये परिवर्तन मुस्लिम लीग, हिन्दू महासभा और आरएसएस जैसे दकियानूसी राजनैतिक संगठनों को पसंद नहीं थे. वे इन्हें पश्चिमी बताते थे. असल बात यह थी कि वे पददलित लोगों को समान दर्जा देने की ओर यात्रा के खिलाफ थे और ऐसे प्रयासों पर उन्होंने ‘पश्चिमी’ का लेबल चस्पा कर दिया.

इसी तरह, उन्होंने भारतीय संविधान, जो भारत की राजनैतिक संस्कृति का मूर्त रूप था, को ‘पश्चिमी मूल्यों’ पर आधारित बताया. हिन्दू दक्षिणपंथी विचारक हर उस विचारधारा के धुर विरोधी थे जो समानता की बात करती थी. वे ‘मनुस्मृति’ जैसी धार्मिक संहिताओं की शान में गीत गाते थे, जो जातिगत और लैंगिक ऊंचनीच की हामी थीं. यह दिलचस्प है कि जिन सामाजिक शक्तियां ने पश्चिम-विरोधी नैरेटिव का निर्माण किया, उनकी जडें सत्ता के सामंती ढांचे में थीं. इसके साथ ही वे औपनिवेशिक शासकों की सहयोगी थीं. दूसरी ओर, राष्ट्रीय आन्दोलन देश की संस्कृति को आकार दे रहा था और साथ ही औपनिवेशिक शासकों का विरोध भी कर रहा था.

इस सिलसिले में पश्चिम एशिया के ‘मुस्लिम ब्रदरहुड’ का उदाहरण प्रासंगिक है. वह भी प्रजातान्त्रिक मूल्यों और संस्कृति को पश्चिमी बताता है और इस्लाम के नाम पर सामाजिक असमानता और अधिनायकवादी नियम लादना चाहता है. भारत में भी हिन्दू दक्षिणपंथ समानता का विरोधी है और उसे पश्चिम से आयातित संकल्पना बताता है. भारतीय संविधान में निहित मूल्यों के विरोध को औपनिवेशिक संस्कृति के विरोध का जामा पहनाया जाता है और यह कहा जाता है कि इससे ‘भारतीय संस्कृति’ गौरवान्वित होती है.

दरअसल, जिसे औपनिवेशिक संस्कृति का विरोध कहा जाता है वह न्याय और बंधुत्व पर आधारित संस्कृति का विरोध है. जाति और लिंग से ऊपर उठकर सभी के लिए न्याय, उभरते हुए भारतीय प्रजातंत्र का लक्ष्य रहा है. इस प्रजातंत्र में बहुवाद और विविधता के लिए जगह है. अभी कुछ दशक पहले तक हम शान से कह सकते थे कि भारत की उत्तर-औपनिवेशिक यात्रा अन्य सभी पूर्व उपनिवेशों से बेहतर रही है. इसकी संस्कृति में निरंतरता और परिवर्तन दोनों के लिए स्थान था. गाँधी, नेहरु, सुभाष और मौलाना आजाद जैसे लोगों ने जिस जीवन पद्धति की हिमायत की वह भी प्रजातान्त्रिक मूल्यों को प्रतिबिंबित करती थी. वे देश की संस्कृति को प्रजातान्त्रिक मूल्यों के अनुरूप ढालना चाहते थे.

वर्तमान में मंदिर से जुड़े उत्सवों की जो श्रृंखला चल रही है उसके बारे में कहा जा रहा है कि यह
वि-उपनिवेशीकरण है! हमें यह भी बताया जा रहा है कि अबू धाबी में जिस मंदिर का उद्घाटन किया गया वह पश्चिम एशिया के ‘मुस्लिम देशों’ में पहला हिन्दू मंदिर है. तथ्य यह कि संयुक्त अरब अमीरात, मस्कट, बहरीन, ओमान आदि में पहली से कई मंदिर हैं. आर्थिक कारणों से भारतीय इन देशों में जाते रहे हैं और इसके साथ ही वहां मंदिर बनते रहे हैं. हमारे आसपास के मुस्लिम-बहुत देशों में भी ढेर सारे मंदिर हैं. बांग्लादेश का ढाकेश्वरी मंदिर काफी प्रसिद्ध है. पाकिस्तान में भी कई मंदिर हैं और लालकृष्ण अडवाणी ने पाकिस्तान जाकर नवीकृत कटासराज मंदिर का उद्घाटन किया था.

हिन्दू मंदिरों के निर्माण के लिए मोदी का महिमामंडन करना ठीक नहीं है. यह कहना एकदम गलत है कि भारत और अबू धाबी में मंदिरों का उद्घाटन कर मोदी के भारत के वि-उपनिवेशीकरण के प्रति अपनी प्रतिबद्धता दर्शाई है. भारत में औपनिवेशिक शासन के प्रभाव को समाप्त करने का काम आज़ादी के आन्दोलन ने किया था. राष्ट्रीय आन्दोलन के साथ प्रगतिशील सामाजिक कदम उठाए गए, प्रगतिशीत लेखन हुआ और प्रगतिशील थिएटर पनपा. स्वतंत्रता के पश्चात् यह प्रक्रिया जारी रही. नेहरु ने वैज्ञानिक समझ को बढ़ावा दिया तो आंबेडकर ने आधुनिक मूल्यों पर आधारित संविधान बनाया.

वैसे भी भारत कभी औपनिवेशिक संस्कृति में पूरी तरह नहीं डूबा नहीं था. आज भारत में धार्मिकता और दकियानूसीपन को बढ़ावा दिया जा रहा है. राजनीति ने धर्म का लबादा ओढ़ लिया है. हमारी संस्कृति को दकियानूसी और कट्टर मूल्यों से सबसे ज्यादा खतरा है. इसका एक मज़ेदार उदाहरण है विहिप द्वारा अदालत में सिंह अकबर और सिंहनी सीता को वन विभाग द्वारा एक साथ रखे जाने को अदालत में चुनौती देना!

जहाँ तक आभू धाबी का सवाल है, यूएई सहित पूरा पश्चिम एशिया इस्लामिक कट्टरतावाद से जनित दकियानूसी मूल्यों की जकड़ में है. इस इस्लामिक कट्टरतावाद को अमरीका ने प्रोत्साहन दिया क्योंकि वह उस क्षेत्र के कच्चे तेल के संसाधनों पर कब्ज़ा जमाना चाहता था. इसी उद्देश्य से अमरीका ने 1953 में ईरान की प्रजातान्त्रिक ढंग से निर्वाचित मोसादेग सरकार को अपदस्थ किया, जिसके बाद से वहां कट्टरपंथी सरकारें बनती गईं. बाद में अमरीका ने मुजाहिदीनों को प्रशिक्षण देने के लिए पाकिस्तान में मदरसे स्थापित करवाए. उसने अल कायदा को धन और हथियार उपलब्ध करवाए. अमरीका के हस्तक्षेप के कारण, पश्चिम एशिया की संस्कृति प्रतिगामी बन गयी. अबू धाबी में एक मंदिर के उद्घाटन से तेल की भूखी ताकतों द्वारा पश्चिम एशिया की संस्कृति को पहुंचाए गए नुकसान की भरपाई नहीं हो सकती.

मंदिर संस्कृति का एक हिस्सा होते हैं. केवल मंदिरों में आरती करने से संस्कृति नहीं बदलती.

21/02/2024
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया; लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)

Loading

...102030...787788789790...800810820...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved