Opinion Magazine
Number of visits: 9665806
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

बहुसंख्यकवादी राष्ट्रवादः वैज्ञानिक समझ का नकार

राम पुनियानी|Opinion - Opinion|8 March 2024

राम पुनियानी

हिन्दू राष्ट्रवादी भारतीय जनता पार्टी के पिछले एक दशक से चले आ रहे शासन के दौरान हमारे देश में शिक्षा के क्षेत्र में ऐसे परिवर्तन किए गए हैं जो आस्था पर अधिक आधारित हैं और तर्क पर कम। ये परिवर्तन ऐसे हैं जो अतीत का महिमामंडन करते हैं और वैज्ञानिक सोच का नकार। तथ्य यह है कि भारत में प्राचीन काल से ही तार्किकता को महत्व दिया जाता रहा है। चार्वाक तार्किकता पर आधारित सोच के बड़े पैरोकारों में से एक थे। चरक और आर्यभट्ट ने चिकित्सा विज्ञान और खगोल शास्त्र के क्षेत्र में महत्वपूर्ण योगदान दिया।

मगर आज जो दावे किए जा रहे हैं उनका सच्चाई से कोई संबंध नजर नहीं आता। जैसे हमें बताया जा रहा है कि प्राचीन भारत में प्लास्टिक सर्जरी थी और इसी का उपयोग कर मनुष्य के धड़ पर हाथी का सिर लगाकर भगवान गणेश का सृजन किया गया था। इसी तरह हमें बताया जाता है कि कर्ण के कान से पैदा होने की कथा से यह स्पष्ट है कि प्राचीन भारत में जेनेटिक साईन्स भी थी। यह भी बताया जाता है कि हमारे प्राचीन ऋषि-मुनि हवा में उड़ सकते थे और यह भी कि प्राचीन काल में पुष्पक विमान थे। कहा तो यहाँ तक जाता है कि प्राचीन भारतीय दूसरे ग्रहों पर भी जाते थे। धर्मग्रन्थों में जो कुछ कहा गया है उसे सही और सच सिद्ध करने के प्रयास हो रहे हैं।

ऐसी चीजें स्कूलों में तो सिखाई ही जा रही हैं उन पर अनुसंधान के लिए बजट भी आवंटित किया जा रहा है। यह बजट विज्ञान एवं टेक्नोलॉजी के क्षेत्र में अनुसंधान के लिए निर्धारित धनराशि में से उपलब्ध करवाया जा रहा है। आईआईटी दिल्ली के समन्वय में पंचगव्य पर अनुसंधान हो रहा है। पंचगव्य, गाय के पाँच उत्पादों का मिश्रण होता है-दूध, दही, घी, गौमूत्र एवं गोबर। ऐसा कहा जाता है कि पंचगव्य से कई रोगों का इलाज हो सकता है। गौमूत्र को भी दवा बताया जा रहा है। भाजपा सरकार आने के पहले भी पार्टी के पितृसंगठन आरएसएस ने आस्था पर आधारित ज्ञान के प्रसार के लिए कई संगठन गठित किए थे।

दीनानाथ बत्रा नाम के एक सज्जन आरएसएस के दो अनुषांगिक संगठनों, शिक्षा बचाओ अभियान समिति एवं शिक्षा संस्कृति उत्थान न्यास के कई दशकों से अध्यक्ष हैं। उन्होंने 9 किताबें लिखी हैं। इन सभी का गुजराती में अनुवाद कर उन्हें गुजरात के 42,000 स्कूलों में पढ़ाया जा रहा है। इन पुस्तकों को पढ़कर हम यह जान सकते हैं कि बच्चों को इन दिनों क्या सिखाया जा रहा है। इनमें से एक पुस्तक जिसका शीर्षक है ‘तेजोमय भारत’ में एक कोई डॉक्टर बालकृष्ण गणपत मातापुरकर के अनुसंधान की कहानी सुनाई गई है। हमें बताया गया है कि मातापुरकर जी महाभारत में कही गई बातों पर अनुसंधान करते हैं। उनके अनुसार गांधारी के गर्भ से माँस का एक बड़ा लोथड़ा निकला। इस पर ऋषि द्वापायन व्यास को बुलाया गया। उन्होंने माँस के इस कड़े लोथड़े का अवलोकन किया फिर उन्होंने उसे ठंडे पानी में कुछ विशिष्ट दवाओं के साथ रख दिया। कुछ समय बाद उन्होंने इस लोथड़े के 100 टुकड़े किए और उन्हें दो साल की अवधि के लिए घी से भरे हुए 100 मटकों में रख दिया। दो साल बाद इन टुकड़ों से 100 कौरवों का जन्म हुआ। पुस्तक हमें बताती है कि इस विवरण को पढ़ने के बाद मातापुरकर को यह समझ में आया कि स्टेम सेल टेक्नोलॉजी महाभारत काल में मौजूद थी और यह हमारी प्राचीन विरासत का हिस्सा है।

उनके अनुसार, भारतीय ऋषि अपनी योग विद्या का इस्तेमाल कर दिव्य दृष्टि प्राप्त कर लेते थे और यही आज का टेलीविजन है। महाभारत में संजय, हस्तिनापुर के एक महल में बैठकर अपनी दिव्य दृष्टि से कुरूक्षेत्र में चल रहे महाभारत के युद्ध का आंखो-देखा हाल धृतराष्ट्र को सुनाता था, जो कि अंधे थे (पृष्ठ 64)। पुस्तक हमें यह भी बताती है कि आज जिसे हम मोटर कार कहते हैं वह वैदिक काल में मौजूद थी और उसे अनश्व रथ (अर्थात बिना अश्व वाला रथ) या यंत्र रथ कहा जाता था। ऋग्वेद में इसका वृतांत दिया गया है (पृष्ठ 60)।

आरएसएस ने एक परामर्शदात्री संस्था का गठन भी किया है जिसे भारतीय शिक्षा नीति आयोग कहा जाता है। इस आयोग की नीतियाँ ही मोदी सरकार के भारतीय शिक्षा व्यवस्था में सुधार के प्रयासों का आधार हैं। शिक्षा नीति आयोग, भारत की शिक्षा व्यवस्था का ‘भारतीयकरण’ करना चाहता है।

अब तो भारतीय इतिहास अनुसंधान परिषद (आईसीएचआर), राष्ट्रीय शैक्षिक अनुसंधान व प्रशिक्षण परिषद (एनसीईआरटी) आदि के मुखिया ऐसे लोग हैं जिनका इन संस्थाओं के कार्यक्षेत्र से कोई लेना देना नहीं है। उन्हें ये पद केवल इसलिए दिए गए हैं क्योंकि वे सत्ताधारी दल की विचारधारा में यकीन रखते हैं।

वाई. सुदर्शन नाम के एक ‘विद्वान’ को भारतीय इतिहास अनुसंधान परिषद का मुखिया बनाया गया था। वे यह साबित करने पर आमादा थे कि हमारे महाकाव्य रामायण और महाभारत ऐतिहासिक घटनाक्रम का वर्णन करते हैं। मतलब यह है कि जो महाभारत और रामायण में लिखा गया है वह सचमुच हुआ था। इस सरकार में तार्किक सोच और वैज्ञानिक पद्धति के लिए कोई जगह नहीं है। सरकार बाबा रामदेव को जमकर बढ़ावा दे रही है। बाबा रामदेव की कंपनी द्वारा बनाई गई एक दवा कोरोनिल को कोविड-19 का इलाज बताया गया था। सुप्रीम कोर्ट ने अभी हाल में रामदेव को चेतावनी दी है कि वे अपने विज्ञापनों में हवाई दावे न करें और दूसरी चिकित्सा पद्धतियों को कटघरे में खड़ा न करें।

पिछले कुछ सालों से भारतीय विज्ञान कांग्रेस प्रकाशन के लिए ऐसे शोध प्रबंध स्वीकार कर रही है जिनका कोई वैज्ञानिक आधार नहीं है और जो केवल पौराणिक कथाओं पर आधारित हैं। इस स्थिति से व्यथित होकर कुछ प्रमुख वैज्ञानिकों ने एक साथ मिलकर एक संयुक्त बयान जारी किया है, जिसमें सरकार से यह अनुरोध किया गया है कि वह वैज्ञानिक सोच और वैज्ञानिक पद्धतियों को कमज़ोर करने से बाज़ आये। वैज्ञानिकों का कहना है कि ‘‘सरकार का यह दृष्टिकोण उसके द्वारा अवैज्ञानिक एवं अपुष्ट दावों को बढ़ावा देने, भारत के प्राचीन ज्ञान को बढ़ाचढ़ाकर बताने और कोविड-19 महामारी के दौरान किए गए कुछ निर्णयों से स्पष्ट है।’’

वक्तव्य में इस बात पर जोर दिया गया है कि वैज्ञानिक, शिक्षाविद और नीति निर्माता एक साथ मिलकर विज्ञान के प्रति निष्ठा में क्षरण को रोकने व देश में वैज्ञानिक सोच और तार्किक व साक्ष्य-आधारित आख्यान को बढ़ावा देने के लिए कार्य करें।

हमारा संविधान राज्य से यह अपेक्षा करता है कि वह वैज्ञानिक समझ को बढ़ावा दे। मगर वर्तमान सरकार की नीतियाँ, तार्किकता पर आधारित नहीं हैं। यह बात न केवल विज्ञान और वैज्ञानिक अनुसंधान वरन् शिक्षा और सामाजिक क्षेत्र के बारे में भी सही है। नई शिक्षा नीति 2020 में ‘भारतीय ज्ञान प्रणालियों’ पर ज़ोर दिया गया है। इसका मतलब केवल यह है कि सरकार भौतिक व सामाजिक विज्ञानों में आस्था पर आधारित ज्ञान को बढ़ावा देगी।

वे लोग जो समाजिक समानता चाहते हैं और सामाजिक परिवर्तन के हामी हैं, हमेशा से तार्किक व वैज्ञानिक सोच के पैरोकार रहे हैं। गौतम बुद्ध, भगत सिंह, अम्बेडकर और नेहरू इसके उदाहरण हैं। भारत का इतिहास गवाह है कि जो लोग सामाजिक रिश्तों में यथास्थिति बनाये रखना चाहते थे, जो लोग असमानता को बनाए रखना चाहते थे, वे आस्था पर आधारित ज्ञान को बढ़ावा देते थे, पौराणिक कथाओं को धु्रवसत्य बताते थे और आस्था पर आधारित ज्ञान को समाज पर थोपते थे। साम्प्रदायिक और कट्टरवादी तत्व टेक्नोलॉजी को पसंद नहीं करते। वे वैज्ञानिक और तार्किक सोच के भी विरोधी होते हैं। हमारा संविधान औपनिवेशिकसत्ता के विरूद्ध संघर्ष से उभरा था और इसके निर्माता समाज में बदलाव के हामी थे। इसलिए संविधान में वैज्ञानिक समझ को बढ़ावा देने की जिम्मेदारी सरकार पर डाली गई है। हमारी वर्तमान सरकार, धार्मिक, जातिगत और लैंगिक समानता की विरोधी है। यही कारण है कि वह संविधान की मूल आत्मा के खिलाफ है।

अनेक प्रतिष्ठित वैज्ञानिकों ने जो बयान जारी किया है वह स्वागत योग्य है। भारत के लिए यह जरूरी है कि वह विवेक, तर्क और वैज्ञानिक समझ को अपनी नीतियों का आधार बनाये।

06/03/2024
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया; लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)  

Loading

સ્ત્રી શક્તિ છે, તો …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|8 March 2024

યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા,

નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: |

રવીન્દ્ર પારેખ

સૃષ્ટિના અણુએ અણુમાં વ્યાપેલી શક્તિની વંદનાનો આ શ્લોક સ્ત્રીનું પણ મહિમા ગાન કરે છે. આજે 8 માર્ચ. વિશ્વ મહિલા દિવસ. આજે થોડી મહિલાઓનું સન્માન થશે, ક્યાંક એવોર્ડ અપાશે, શાલ ઓઢાડાશે, થોડાં ગુણગાન ગવાશે, થોડી કવિતાઓ વંચાશે ને એની સમાંતરે કોઈ ખૂણે કોઈ મહિલા પર અત્યાચાર થશે, ક્યાંક કોઈ સ્ત્રી પોતાનાં જ નવજાત શિશુને કોઈ બેગમાં ભરીને ટ્રેનમાં છોડી દેશે તો ક્યાંક કોઈ મહિલા દહેજની ખોટી વાત ઉપજાવી સાસરાને સળિયા પાછળ ધકેલવાની પેરવી કરતી પણ હશે ને એ બધાંની વચ્ચે 9મી માર્ચ ઊગશે કે ફરી 8મી માર્ચે વળી ગવાશે – યા દેવી સર્વભૂતેષુ …

તાત્પર્ય એ છે કે આપણે કોઈ પણ ઉત્સવને નિર્જીવ કેમ કરવો તે શીખી ગયા છીએ. થોડો દેખાડો, થોડું ગુણસંકીર્તન અને થોડી તાળીઓ કે વાત પૂરી. બહુ થશે તો 1909માં અમેરિકામાં કપડાં બનાવનાર સ્ત્રી મજૂરોના અધિકારની રક્ષા માટે આ દિવસની શરૂઆત થઈ તેનો ઇતિહાસ વાગોળાશે કે પછી આ દિવસની ફેબ્રુઆરી, 1913ની રશિયન ઇતિહાસની કોઈ ભૂમિકા અપાશે કે યુરોપમાં નીકળેલી 8 માર્ચની મહિલા રેલીની વાત કરીને ઔપચારિક્તાઓ સાથે દિવસ પૂરો થશે. તો, કોઈ 19 નવેમ્બરે પુરુષ મહિલા દિવસ નક્કી કરેલો છે, છતાં તે આવી રીતે નથી ઉજવાતો એવું રડશે. અત્યારની સ્થિતિ તો એવી પણ છે કે પુરુષો પણ સ્ત્રીઓથી પીડિત છે. દુષ્કર્મ-દહેજના ખોટા કેસ કરીને લાખો રૂપિયા પડાવતી મહિલાઓનો તોટો નથી. આવી મહિલાઓથી પીડિત પુરુષોનો કેસ એક મહિલા લડે છે એવા સમાચાર પણ તાજા જ છે. હકીકત એ છે કે પીડિત બંને છે ને બંને એકબીજાને પીડે છે. એટલે આવનાર સમયમાં પુરુષ દિન ઉજવાય તો આશ્ચર્ય ન થવું જોઈએ. આશ્ચર્ય એ છે કે બહુ ઓછી જગ્યાએ તાત્ત્વિક વાતો થાય છે. મોટે ભાગે તો આ દિવસ સન્માનની માંગણી કે વહેંચણીનો દિવસ થઈને રહી ગયો છે. માતૃભાષા દિવસ કે મહિલા દિવસ કે એવા બીજા દિવસોમાં બધું સારું સારું બોલી-સાંભળીને, ઉપલક ખુશી દેખાડીને દિવસ સમેટી લેવાતો હોય છે. સ્ત્રીની વાસ્તવિક પરિસ્થિતિની ખાસ ચર્ચા થતી નથી ને ઉપક્રમ, મોટે ભાગે શેતરંજી નીચે કચરો સંતાડવાનો જ હોય છે. સવાલ એ થવો જોઈએ કે એક તરફ ઉન્નત મસ્તકે વિશ્વમાં માથું ઊંચું રાખીને ફરતી મહિલા છે તો કોઈ ખૂણે દુષ્કર્મનો ભોગ બનતી મહિલા પણ છે. એક અભણ મા બાળકને માટે જીવ આપી દેવા સુધી જાય છે, તો બીજી શિક્ષિત સ્ત્રી, પોતાનાં જ બાળકનું નિર્મમપણે ગળું પણ દબાવી દે છે ને તેને તેમાં કશું ખોટું પણ લાગતું નથી. બંને માતા છે, તો બંને વચ્ચે આટલો ફરક કેમ છે? એને માટે શિક્ષણ તો જવાબદાર નથીને?

સ્ત્રી શિક્ષિત ન હતી ત્યારે પણ દીકરી જન્મતી તો હતી ને સમાજ તેને દૂધપીતી કરતો હતો, હવે સમાજ શિક્ષિત થયો છે, તો દીકરીનો ગર્ભમાં જ નિકાલ કરી દેવાય છે. પ્રાણીઓમાં પણ માદાને જન્મવા તો દેવાય છે, મનુષ્યોમાં જ એવું છે કે સ્ત્રીને જન્મ પહેલાં જ મૃત્યુ અપાય છે. અગાઉ ક્યારે ય ન હતી એટલી સ્ત્રી આજે અસુરક્ષિત છે. શિક્ષણ, સંસ્કાર, સભ્યતામાં જો વધારો થયો હોય તો સ્ત્રીઓ તરફના ગુનાઓમાં ઘટાડો કેમ થતો નથી? શિક્ષણ વધે ને અપરાધો પણ વધે એ તો બરાબર નથીને ! એ સાચું કે સ્ત્રીઓ તરફના ગુનાઓમાં ઘણુંખરું પુરુષો જ સંડોવાયેલા છે ને તેને એ અંગે સજા મળે એ જરૂરી પણ છે, પણ સ્ત્રીઓ તરફી સુધારાઓમાં પણ પુરુષો કેન્દ્રમાં છે, એ પણ ભૂલવા જેવું નથી. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, રાજારામ મોહનરાય, જ્યોતિબા ફૂલે જેવા સુધારકોએ વિધવા પુનર્લગ્ન, બહુપત્નીત્વ પ્રથા નાબૂદી, સતી થવાનો ચાલ, કન્યા કેળવણીની શરૂઆત જેવા ઘણા સુધારા એ સુધારકોએ દાખલ કર્યા. એને પરિણામે સ્ત્રીઓમાં જાગૃતિ આવી. આ બધા સુધારાઓ પહેલાં મીરાંબાઈ ઈશ્વર ભક્તિ માટે રાજપાટ છોડનારી પહેલી મહિલા હતી તેને પણ યાદ કરવી પડે. જે સુધારાઓ કે શોધખોળો આપણને આજનાં જીવનમાં જોવા મળે છે, એ સુધારાઓ કે શોધખોળો કરવામાં સ્ત્રી-પુરુષોએ અનેક સંઘર્ષોનો સામનો કરવો પડ્યો છે.

એ ખરું કે ધરતીથી આકાશ સુધીનાં અનેક ક્ષેત્રોમાં સ્ત્રીએ હરણફાળ ભરી છે. તે શિક્ષણમાં, રક્ષણમાં, નોકરીમાં, વ્યાપારમાં, વિજ્ઞાનમાં, રાજકારણમાં, અર્થકારણમાં, અનર્થકારણમાં … એમ અનેક ક્ષેત્રોમાં ઉચ્ચ સ્થાનો પર સફળ રહી છે અને પોતાને સ્વતંત્ર રીતે સિદ્ધ કરતી આવી છે. કોઈ ક્ષેત્ર એવું નથી જે તેણે સર ન કર્યું હોય, પણ આમ કરવામાં તેણે કુટુંબ જીવન લગભગ ગુમાવ્યું છે. એક સમય હતો જ્યારે કુટુંબ જ તેનું સર્વસ્વ હતું, જ્યારે ઉચ્ચ સિદ્ધિ ને સ્થાન પ્રાપ્ત ઘણી સ્ત્રીઓ આજે કુટુંબથી દૂર થતી ગઈ છે. મોટે ભાગે તે પુરુષથી, લગ્નથી, બાળકથી દૂર રહી છે. આવું ઘણુંખરું શિક્ષિત સ્ત્રીઓમાં બન્યું છે. જો કે, શિક્ષણને દોષ દેવાનો અર્થ નથી. શિક્ષણ પામ્યા પછી એનો જે અર્થમાં ઉપયોગ થવો જોઈતો હતો, તે અર્થમાં થયો નહીં, એટલું જ ઉમેરવાનું રહે. જે સ્ત્રીઓએ પુરુષ વગર જીવવાનું નક્કી કર્યું ને લગ્ન, બાળકથી દૂર રહેવાનું સ્વીકાર્યું, તે સિવાય પણ જે શિક્ષિત સ્ત્રીઓ લગ્નથી પુરુષ સાથે જોડાઈ, એને પણ પતિ, કુટુંબથી સમસ્યાઓ થઈ. આમ તો શિક્ષણ-નોકરી-વ્યવસાયથી સ્ત્રી-પુરુષો વચ્ચે લગ્ન સંબંધ મજબૂત થવો જોઈતો હતો, પણ તેવું ના થયું. સ્ત્રી-પુરુષ વચ્ચે આત્મીયતા વધવી જોઈતી હતી, તેને બદલે અસમાનતાઓ વધી, સરખામણી વધી, સ્પર્ધા વધી ને પરિણામ સાથે થવાને બદલે અલગ થવામાં આવ્યું. શિક્ષિતોમાં છૂટાછેડાનું પ્રમાણ વધ્યું.

એક બાબત બહુ સ્પષ્ટ છે કે કુદરતે તો સ્ત્રી-પુરુષ એવી બે જાતિઓ એકબીજાને પૂરક બને એ હેતુથી બનાવી. એકલી સ્ત્રી બનાવવાથી કે એકલો પુરુષ બનાવવાથી સૃષ્ટિનું સંચાલન સરળ થયું હોત તો કોઈ એક જ જાતિ કુદરતે પૃથ્વી પર રમતી મૂકી હોત, પણ આજની તારીખે પણ સ્ત્રી અને પુરુષ જન્મે છે, એ સૂચવે છે કે સ્ત્રી, પુરુષના વિરોધ માટે કે પુરુષ, સ્ત્રીના વિરોધ માટે નથી, છતાં કુદરતની વિરુદ્ધ જઈને કેટલાક પુરુષો, સ્ત્રીઓની વિરુદ્ધ અને કેટલીક સ્ત્રીઓ, પુરુષોની વિરુદ્ધ સક્રિય છે. આ યોગ્ય નથી. આપણી પાસે શિવ-શક્તિનું અભિન્ન એવું અર્ધનારીશ્વર રૂપ, સ્ત્રી-પુરુષની અનિવાર્યતા સમજાવવા પૂરતું છે. આ સ્વરૂપ અહમ હોય ત્યાં શક્ય નથી. સ્વતંત્રતા અહમ જન્માવે છે ને સમર્પણ પ્રેમ પ્રગટાવે છે. પ્રેમમાં સમર્પણ જ હોય એનું ‘અર્ધનારીશ્વર’ અદ્દભુત ઉદાહરણ છે, પણ કોણ જાણે કેમ તે ધ્યાને ચડતું નથી.

શિક્ષિત ન હતી, ત્યાં સુધી તો સ્ત્રી પિયરમાં પિતાને આશરે ને સાસરામાં પતિને આશરે જીવન વિતાવતી હતી. એ પછી શિક્ષણ વધ્યું, નોકરી-વ્યવસાય દ્વારા સ્ત્રી આર્થિક રીતે પગભર થઈ ને ક્યાંક તો પુરુષથી પણ આગળ નીકળી. એનો લાભ કુટુંબને મળવો જોઈતો હતો, બંનેનું સહિયારું થવું જોઈતું હતું તેને બદલે અંગત ગણતરીઓ દ્વારા લાભ-ગેરલાભના દાખલા ગણાવા લાગ્યા. એનું પરિણામ સંઘર્ષમાં આવ્યું. જરૂર તો બંનેને એક બીજાની હતી જ, પણ અહમનો ટકરાવ એકબીજાને એક થવા દેતો ન હતો. એ કેવું વિચિત્ર છે કે એકબીજાની વિરુદ્ધ પડીને છૂટાછેડા લેતાં સ્ત્રી-પુરુષો, છૂટાછેડા પછી ફરી બીજું લગ્ન કરવા તૈયાર થાય છે. જો કોઈને, કોઇની જરૂર જ ન હોય તો ફરી લગ્ન કરવા સુધી જવાની જરૂર જ ન રહેને !

આ તો અંગત જીવનમાં સ્ત્રી-પુરુષની બદલાઈ રહેલી ભૂમિકાની વાત થઈ, પણ જાહેર જીવનમાં હજી સ્ત્રીને અન્યાય થયાની વાતો આવતી રહે છે. બીજી વાત જવા દઈએ, પણ સેનામાં પણ સમાનતા નથી. તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે સરકારને પૂછ્યું છે કે સેનામાં પુરુષ અને મહિલા અધિકારીઓની ભરતી સંદર્ભે પ્રક્રિયા સરખી છે? આ સવાલ સુપ્રીમે એટલે પૂછવો પડ્યો, કારણ સેનાની મહિલા અધિકારીઓ તરફથી વરિષ્ઠ મહિલા વકીલ દ્વારા એવો આરોપ લગાવવામાં આવ્યો કે સેનામાં પ્રમોશન માટે ભરતીની પ્રક્રિયામાં ભેદભાવ કરવામાં આવે છે. સેનામાં આ સ્થિતિ હોય તો બીજે શી સ્થિતિ હશે તેની કલ્પના કરવાનું અઘરું નથી. જાતીય સતામણીથી ત્રાસીને એક મહિલા જજે ગયા ડિસેમ્બરમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા પાસેથી ઈચ્છા મૃત્યુની માંગણી કરી હતી. જજ કક્ષાની સ્ત્રીની આ વ્યથા હોય તો વધારે શું કહેવું?

1949માં સિમોન દ બોવરે નામની વિદેશી લેખિકાએ સ્ત્રીને બીજે નંબરે જ મૂકવામાં આવે છે એ સંદર્ભનું પુસ્તક ‘સેકન્ડ સેક્સ’ લખ્યું. તે પછી સ્ત્રીઓ માટે અનેક ક્ષિતિજો વિસ્તરી, છતાં આજે પણ કુટુંબ, સમાજ કે સંસ્થાનોમાં સ્ત્રીઓનું શોષણ અનેક રીતે થાય છે. નોકરી વગેરે ક્ષેત્રોમાં તો શોષણની યુક્તિઓ એવી બદલાઈ છે કે હોય શોષણ પણ દેખાય સમર્પણ ! પુરુષોને સ્ત્રીઓ દ્વારા અન્યાય થતો હશે કે તેનું પણ શોષણ થતું હશે, પણ અનામત, શિક્ષણ વગેરેની આટલી તકો છતાં સ્ત્રીઓને થતો અન્યાય ઓછો થતો નથી. કાયદા સુધર્યા છે, છતાં સ્ત્રીઓ પર થતા અત્યાચારમાં વધારો જ જોવા મળે છે.

આવું કેમ થાય છે? સજાનો ખોફ પણ ન રહે તો સમજવાનું કે ગરબડ ઘરથી જ શરૂ થાય છે. ઘરમાં જ બાળક પિતાનું માતા પ્રત્યેનું કે ભાઇનું બહેન પ્રત્યેનું વર્તન જોતો હોય, પિતાનો હાથ મા પર ઉપડતો હોય, તો નાનેથી જ બાળકના મનમાં એ વાત ઘર કરે છે કે સ્ત્રી સાથે તો આમ જ વર્તાય. આ સ્થિતિ ઘરમાં સુધરે તો આગળ જતાં સ્ત્રી બહાર પણ માન પામતી થાય. કેટલીક માનસિક્તાઓ બદલવાનું અઘરું છે, પણ જ્યાં પણ શક્ય છે, કોશિશ થવી જોઈએ. આવી એક કોશિશનો ઝીણો સંકલ્પ પણ કોઈ કરે તો આજનો દિવસ સફળ…

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 08 માર્ચ 2024

Loading

એક દોર કાઁગ્રેસયુક્ત ભા.જ.પ.નો બીજો દોર રાહુલ ગાંધીની યાત્રાનો

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|8 March 2024

પ્રાદેશિક પક્ષો અને કોંગ્રેસ વચ્ચેની મથામણ 

આ યાત્રાને કથિત ચૂંટણીવ્યૂહના સાંકડા સંદર્ભમાં કે ઓછીવત્તી બેઠકોના ટૂંકનજરી  રવૈયાથી નહીં જોતાં એક લોકાશ્રયી પક્ષ અને વૈકલ્પિક વિમર્શ વિકસાવવાની  દીર્ઘદૃષ્ટિએ જોવી જોઈએ. 

પ્રકાશ ન. શાહ

રાહુલ ગાંધીના ગુજરાત પ્રવેશને જે રીતે ગુજરાત કાઁગ્રેસના અગ્રણી કાર્યકરો ભા.જ.પ.માં પ્રવેશવાનો અવસર બનાવી રહ્યા છે તે જરૂર શોચનીય છે. આમેય 14મી જાન્યુઆરીએ રાહુલ ગાંધીએ મણિપુરથી પ્રસ્થાન કર્યું તે જ દિવસે સુદૂર મુંબઈથી મિલિન્દ દેવરા  સરખા એક કાળના યુવા સાથીએ ભા.જ.પ.નો પંથ પકડ્યો હતો. વચગાળામાં આપણે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય મંત્રી અશોક ચવાણને પણ ભા.જ.પ.વાસી બનતા નિહાળ્યા અને ગુજરાતમાં જોઈ રહ્યા છીએ તેમ આ જમાતમાં અર્જુન મોઢવાડિયા પણ પહેલા કે એકલા નથી. વિધિવત ચૂંટણીજાહેરાત આડે આઠ-દસ દિવસ માંડ હોય ત્યારે આ ઘટનાક્રમમાં સ્વાભાવિક જ કેટલાયને કાઁગ્રેસનું નામું લખાઈ રહ્યાના ભણકારા વાગે છે. પ્રશાન્ત કિશોર જેવા હજુ હમણાં લગી વ્યવસાયી વ્યૂહકાર રહેલાને તો એમ પણ લાગે કે દિલ્હીથી ઢોલ ધ્રબૂકવામાં છે ત્યારે ભઈઓ હેડક્વાર્ટર રેઢું મેલી સીમમાં ઢોરાં ચારવા મંડી પડે એ કેવું.

આ મુખડો બાંધતે બાંધતે જાગતો સવાલ એ છે કે સૌ યાત્રાના પહેલા દોરને છેક જ ભૂલી ગયા છે કે શું. પહેલા દોરને શરૂ શરૂમાં સોશિયલ મીડિયાએ જ ઝીલ્યો હતો પણ યાત્રા આગળ વધતી ગઈ તેમ તેમ મુખ્યધારાને સારુ પણ એનો સ્વીકાર અનિવાર્ય બની ગયો હતો. એ દોર પછી, દેશમાં સર્વોચ્ચ સ્તરેથી માંડી છેક નીચલી પાયરી લગી પેલી ‘પપ્પુ’ ઓળખનું  ઉચ્ચારણ અસંભવ થઈ ગયું હતું.

એ વખતે કર્ણાટક વિધાનસભાની ફતેહ પણ હોંશે હોંશે ટંકાતી હતી. જો કે, સામે, રાજસ્થાન – મધ્યપ્રદેશ છત્તીસગઢ ખોયાંનીયે વાત હતી. પણ એકંદર માહોલ  રાજકારણમાં રાહુલ ગાંધી અને કાઁગ્રેસની જીવંત હાજરીના સ્વીકારનો હતો. નફરતના બજારમાં મહોબતની દુકાન જેવાં સૂત્રો કોઈક વૈકલ્પિક નિરૂપણાની ગુંજાશ દાખવતાં ભારાઝલ્લાં અનુભવાવા લાગ્યાં હતાં. તે સાથે ‘ઇન્ડિયા’નો ઉદ્દભવ ભા.જ.પ. સામે વૈકલ્પિક સમવાયની સંભાવના લઈને આવ્યો હતો.

આજે ‘ઇન્ડિયા’ની મુશ્કેલી એ છે કે 1977ની જેમ નાનામોટા પક્ષો એક થઈ શકતા નથી, ન તો તે પછીના દસકામાં વી.પી.એ નેશનલ ફ્રન્ટ અને ફેડરલ  ફ્રન્ટ સરખી જે વ્યૂહરચના કરી હતી એવી સમજગોઠવણ છે. કાઁગ્રેસ નાખી દેતાં પણ હજુયે ખાસી 19-20 ટકા મતોની અખિલ હિંદ આસામી છે. એ રીતે લોકસભામાં વિધિવત વિપક્ષનો દરજ્જો ન મેળવી શકતી હોય ત્યારે પણ એની રાષ્ટ્રવ્યાપી હાજરી છે. પ્રાદેશિક પક્ષો દિલ્હીમાં વિકલ્પ ઇચ્છતા હોય તો પણ પોતપોતાના પ્રદેશમાં એમની અને કાઁગ્રેસની વચ્ચે સ્પર્ધાની માનસિકતાનો ઉગાર શોધવો રહે છે.

ભા.જ.પ. આપણે અત્યારે બંગાળમાં જોઈ રહ્યા છીએ તેમ મમતા પર પ્રહારમારો ચલાવી રહ્યો છે પણ રાજ્યોમાં સામાન્ય રીતે એ પ્રાદેશિક પક્ષોને ઓછાવત્તા સાચવી લઈને ચાલે તો પણ હિંદીભાષી ભારતમાં એની પાસે જે સમર્થન છે એને કારણે આંચ આવે એમ નથી. એટલે સરવાળે પ્રાદેશિક પક્ષોને સાચવી કે ઓળખી લઈ એ મુખ્યત્વે કાઁગ્રેસને નિશાન  બનાવે છે. વસ્તુતઃ કાઁગ્રેસને અને વ્યક્તિગત રીતે રાહુલ ગાંધીને નિશાન બનાવવાની ભા.જ.પ.ની રાજનીતિમાં ભાંગી તોયે ભરૂચ જેવી કાઁગ્રેસનો અને રાહુલ ગાંધીની ઉદયમાન હોઈ શકતી પ્રતિભાનો પરોક્ષ સ્વીકાર છે, કેમ કે જેવી છે તેવી અખિલ હિંદ હાજરી આજે એની જ છે, અને રાહુલ ગાંધીની યાત્રાના પહેલા દોરે સંજીવનીની શક્યતા પણ જગવી  છે.

રાહુલ ગાંધી અને કાઁગ્રેસશ્રેષ્ઠીઓએ હાલના ચૂંટણીપડકારનો જવાબ આપવાની કોશિશ જરૂર કરવી જોઈએ પણ એમણે ટૂંકા પરિણામની કે પરબારા સત્તાએ પહોંચવાની લલોપથાથી હટીને યાત્રાના પહેલા દોર સાથે વૈકલ્પિક વૃત્તાંતનું જે વાયુમંડળ બન્યું છે એની રંગપૂરણી પર ધ્યાન કેન્દ્રીત કરવાપણું છે. જેમને સત્તા વિના અસહાયતા લાગતી હોય તે સુખેથી જઇ શકે છે. મનમોહનસિંહના દસકાએ જાણવાના અધિકારથી ને મનરેગાથી સામાન્ય કાર્યકર સારુ એક કર્તવ્ય નિરમી પક્ષને નકરા ઇલેક્શન એન્જિનને બદલે લોકજીવી બનવાની તક આપી હતી. સોનિયા ગાંધીએ સલાહકાર સમિતિ મારફતે પાયાની પ્રવૃત્તિઓ સારુ એક ઉઘાડ શક્ય બનાવ્યો હતો. રાહુલ ગાંધીના બીજા દોરની યાત્રાએ આ તંતુ પકડીને લોકાશ્રયી કાઁગ્રેસનો રસ્તો પકડવાપણું છે.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 07 માર્ચ 2024

Loading

...102030...772773774775...780790800...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved