Opinion Magazine
Number of visits: 9741579
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતના સેક્યુલર મતદાતાઓએ પરમાત્માને પરાજીત કર્યા છે.

રમેશ ઓઝા|Opinion - Opinion|8 June 2024

રમેશ ઓઝા

પરમાત્માનો પરાજય. ભારતના સેક્યુલર મતદાતાઓએ પરમાત્માને પરાજીત કર્યા છે. પાંચમાં અને છઠ્ઠા ચરણની ચૂંટણી વચ્ચે પાળીતા પત્રકારોને મુલાકાત આપતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે “હવે મને એમ લાગવા માંડ્યું છે કે હું યૌનસંતાન નથી, પરંતુ પરમાત્માએ મને ખાસ કામ માટે મોકલ્યો છે.” આવો વહેમ આ જગતમાં ઘણા આત્મમુગ્ધ તાનાશાહો ધરાવતા આવ્યા છે. આ કોઈ સાવ નવો નક્કોર દાવો નથી. તેનો પણ ઇતિહાસ છે, પણ એ વાત જવા દઈએ.

શું પરમાત્માએ પસંદ કરેલા દૈવીપુરુષને એમ કહ્યું હતું કે હું (એટલે કે પરમાત્મા) ભારતનાં મુસલમાનોના ચહેરા પર ડર જોવા માગું છું? મણિપુરની સ્ત્રીઓની લાજ ઉતરતી જોવા માગું છું? વિરોધ પક્ષને નેસ્તનાબૂદ થયેલો જોવા માગું છું? તેના નેતાઓને જેલમાં સબડતા જોવા માગું છું? ભારતનાં લોકતંત્રને રૂંધાતું જોવા માગું છું? યુવાનોને રોજગાર વિના રખડતા જોવા માગું છું? મોંઘવારીને કારણે ત્રાહિમામ્‌ પોકારી ગયેલી પ્રજાને જોવા માગું છું? જે તે માગણીઓ લઈને આંદોલન કરનારાઓને સબક શીખવાડવા માગું છું? ભારતની ભૂમિ પર કબજો કરનારા ચીનનો ચ નહીં ઉચારનાર કૃતનિશ્ચયી અને નીડર નેતાને જોવા માગું છું? ચોવીસે કલાક પોતાનો જયજયકાર કરાવનારા અને વિરોધીઓને બદનામ કરનારા એક અનોખા દિવ્યપુરુષને ભારતની ભૂમિ પર વિચરતો જોવા માગું છું? દેશમાં મોકળાશનો અંત અને ડરનું સામ્રાજ્ય જોવા માગું છું? કોઈ આવા ઉદ્દેશથી પરમાત્માએ નરેન્દ્ર મોદીના શરીરને પસંદ કર્યું હશે?

બને કે પરમાત્માને પણ જૂની યાદો સતાવવા લાગી હોય જ્યારે જગત આખામાં જે તે ધર્મના ઠેકેદારો આ બધું કરતા હતા. યુરોપમાં પુન:જાગરણ થયું અને એમાંથી જે મૂલ્યો વિકસ્યાં તેણે ધર્મના નામે “માપમાં રહો અને ડરીને જીવો”ના યુગને સમાપ્ત કરી દીધો. ભારતમાં પણ એનો ચેપ લાગ્યો અને ભારતની પ્રજાએ પણ “માપમાં રહો અને ડરીને જીવો”ની વ્યવસ્થા ફગાવી દીધી. ભારતની પ્રજાએ વ્યક્તિગત મોકળાશ, સ્વતંત્રતા, વ્યવસ્થામાં ભાગીદારી, ધર્મની જગ્યાએ સેક્યુલર બંધારણ દ્વારા શાસિત વ્યવસ્થા સ્વીકારી. આ બધું જોઇને કદાચ ભગવાનને થયું હશે કે કેવો એ સુવર્ણકાળ હતો જ્યારે ઈશ્વરને નામે અને એ ઈશ્વર સુધી લઈ જતા ધર્મને નામે કેટલાક લોકો પ્રજાને કચડતા હતા અને ડરાવીને રાખતા હતા. એ દરેક પોતાને ઈશ્વરે પસંદ કરેલા ખાસ દૈવી પુરુષ તરીકે ઓળખાવતા હતા. આપણે ત્યાં બ્રાહ્મણો પોતાને બ્રહ્માના મુખમાંથી પેદા થયેલા હોવાનો દાવો કરે છે અને પ્રજાને તેની મર્યાદા બતાવીને ડરાવી રાખતા હતા. કેવા એ વૈભવી દિવસો હતા! શું ઈશ્વર જૂની યાદોમાં સરકી પડ્યા હશે? માણ્યું તેનું સ્મરણ કરવું એ ય છે એક લાહવો એમ કવિ કલાપીએ કહ્યું છે.

“માપમાં રહો અને ડરીને જીવો” એ નરેન્દ્ર મોદીના એક દાયકાના શાસનનો ધ્રુવમંત્ર હતો. પરંતુ તેઓ એ વાત ભૂલી ગયા કે ભારતની પ્રજાએ પણ યુરોપના પુન:જાગરણનાં મૂલ્યોને અપનાવ્યાં છે. અપનાવ્યાં નથી, ઠીકઠીક પ્રમાણમાં આત્મસાત કર્યા છે. આ મૂલ્યો બંધારણ દ્વારા ભારતને મળ્યાં છે એ વાત સાચી, પણ વધારે સાચી વાત એ છે કે છેલ્લાં બસો વરસ દરમ્યાન ભારતની પ્રજાને મળેલાં અને પ્રજાએ સ્વીકારેલાં એ મૂલ્યોને બંધારણમાં સમાવવામાં આવ્યાં છે. સ્વીકૃત મૂલ્યોને બંધારણમાં આમેજ કરવામાં આવ્યાં છે. આઝાદી પછીના સાત દાયકા દરમ્યાન પ્રજાએ એ મૂલ્યો જીવ્યાં છે. વ્યક્તિગત મોકળાશ, સત્તામાં ભાગીદારી, જવાબદાર શાસન, લોકશાહી, પસંદગીનો અધિકાર, માગણીઓ કરવાનો અધિકાર, માગણી ન સંતોષાય તો લડવાનો કે આંદોલન કરવાનો અધિકાર, વગેરે વગેરે. ભારતની પ્રજાની ત્રીજી પેઢી “માપમાં રહો અને ડરીને જીવો”થી ઊલટું “મોકળાશથી જીવો અને આગળ વધો”ના જીવનમંત્ર સાથે જીવી રહી છે. ભારતીય રાષ્ટ્રનું જેમણે પાયારોપણ કર્યું એ પૂર્વસૂરિઓ પાસેથી મળેલો, પ્રજાએ સ્વીકારેલો અને જીવેલો વારસો છે.

પણ એની વચ્ચે ૨૦૧૪માં એક માણસનું અવતરણ થયું અને તેણે પ્રજાને કહ્યું કે માપમાં રહો અને ડરીને જીવો. ખૂબી એ વાતની છે કે જ્યારે અવતરણ થયું ત્યારે એ દૈવીપુરુષે કહ્યું હતું કે હું તો મહાન ભારતીય રાષ્ટ્રની વ્યવસ્થામાં પેઠેલા સડાને સુધારવા માટે આવ્યો છું. આ મહાન દેશની વ્યવસ્થા ભ્રષ્ટાચાર, સગાંવાદ, નોકરશાહી, અનિર્ણય-અવસ્થા, કૃતનિશ્ચયતાનો અભાવ, મૌલિકતાનો અભાવ વગેરેનો શિકાર બની ગઈ છે. એમાં મોટા સુધારાની જરૂર છે અને મોટા સુધારા માટે મોટું લોકસમર્થન ધરાવનારા નેતાની જરૂર છે. હું આવો એક માણસ છું અને આ બધું મેં ગુજરાતમાં કરી બતાવ્યું છે. (હા સાચી વાત છે, હા સાચી વાત છે એમ કહેનારા લોકોની એક ફોજ આ પહેલાં જ તૈયાર રાખવામાં આવી હતી.) લોકોએ એ દાવા પર વિશ્વાસ મૂક્યો અને ભારતીય જનતા પક્ષને સ્પષ્ટ બહુમતી આપી. ૨૦૧૯માં હજુ વધુ મોટો સાથ આપ્યો. કાટ ખાઈ ગયેલી વ્યવસ્થાને સુધારવા માટે સમય તો આપવો જોઈએ.

આની વચ્ચે સમજદાર હિંદુઓનો એક વર્ગ સતત લોકોને ચેતવતો હતો કે તેમનો ઈરાદો વ્યવસ્થામાં સુધારા કરવાનો નથી, પણ સમૂળગી વ્યવસ્થા બદલી નાખવાનો છે અને તેની જગ્યાએ એવી વ્યવસ્થા પ્રસ્થાપિત કરવાનો છે જેમાં મધ્યયુગીન વિશ્વમાં જોવા મળતું હતું એમ ધર્મના નામે પ્રજાની છાતી પર ચડી શકાય. ધર્મના નામે પ્રજાને પોરસાવો ડરાવો અને પછી કહો કે હું છું ને ડરવાની જરૂર નથી. ભયમુક્ત કરીને ભય દૂર કરવાના ગાંધીજીના માર્ગથી ઊલટું ભયભીત કરીને ભયમુક્ત કરવાનો માર્ગ અપનાવવામાં આવ્યો છે. મારી આંગળી પકડો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે કારણ કે આપણે મહાન પ્રજા છીએ અને તમારો નેતા ઈશ્વરી તાકાત ધરાવે છે. તેમને બસ આટલું જ જોઈએ છે અને તેને સાકાર કરવા બેશુમાર શક્તિ જોઈએ છે. એ બેશુમાર સાધનો ભાઈબંધ ઉદ્યોગપતિઓ પાસેથી મળે છે જેનાં દ્વારા પ્રજાને કેફમાં રાખવામાં આવે છે, કેટલાક લોકોને ડરાવવામાં આવે છે, વિરોધ પક્ષોને નેસ્તનાબૂદ કરવામાં આવી રહ્યા છે, વ્યવસ્થાતંત્રના મહત્ત્વના માણસો(જજો, અધિકારીઓ વગેરે)ને ખરીદવામાં આવી રહ્યા છે, ગોદી મીડિયા પ્રજાને કેફમાં રાખવાનું અને વિરોધીઓને બદનામ કરવાનું કામ કરે છે, પ્રજાના વાસ્તવિક પ્રશ્નોને ઘોંઘાટ પેદા કરીને દબાવી દેવાનો પ્રયાસ કરે છે, આર્મી ઓફ ટ્રોલ્સ જંગલી કૂતરાઓની જેમ વિરોધીઓની પાછળ પડી જાય છે. ટૂંકમાં હિંદુઓનો ટેકો મળવો જોઈએ; બને ત્યાં સુધી શ્રદ્ધાપૂર્વક અને નહીં તો ડરીને.

આમ બે પક્ષે કામ થતું હતું. કેટલાક લોકો નરેન્દ્ર મોદીને મહાન ચીતરતા હતા અને કહેતા હતા કે દેશનું સૌભાગ્ય છે કે આપણને આવા મહાન પ્રતાપી નેતા મળ્યા છે. અને બીજા લોકો ડરાવવાનું કામ કરતા હતા. એક જમાત શ્રદ્ધાનું વાવેતર કરતી હતી અને બીજી જમાત ડરનું વાવેતર કરતી હતી. બધું જ આયોજનપૂર્વક થઈ રહ્યું હતું અને નરેન્દ્ર મોદીને એમ લાગવા માંડ્યું હતું કે હવે કોઈ માઈનો લાલ હાથ પણ લગાડી શકે એમ નથી. અને એ પછી જે તુમાખી શરૂ થઈ તેનો નજીકનો અને લાંબો ઇતિહાસ છે. પણ અભિમાન તેમ જ તુમાખીમાં એક જોખમ છે. તુમાખી ઉપરથી નીચે ઉતરે છે. વિકાસના લાભ નથી ઉતરતા, પણ તુમાખી ઉતરે છે. સ્થિતિ એવી બની કે ફેસબુકનો હિન્દુત્વવાદી વાચક પણ દાદાગીરી કરવા લાગ્યો. પ્રત્યેક હિન્દુત્વવાદી રાજાપાઠમાં રહેવા લાગ્યો. આપણે દૈવીપુરુષ હોવાનો થોડોથોડો અનુભવ દરેક કરવા લાગ્યા. તુમાખી, દાદાગીરી, અતિરેકો વધવા લાગ્યા અને લોકોએ એ પણ જોયું કે આમાં તો કોઈનો વાળ પણ વાંકો થતો નથી. “માપમાં રહો અને ડરીને જીવો” એ નરેન્દ્ર મોદીના શાસનનો ધ્રુવમંત્ર હતો.

આગળ કહ્યું એમ સમજદાર હિંદુઓ ધીરજ ગુમાવ્યા વિના સતત આ વાત લોકોને સમજાવતા હતા. તેઓ જે કહેતા હતા એ હવે પ્રત્યક્ષ જોવા અનુભવવા મળ્યું. ઓછામાં પૂરું બેકારી અને મોંઘવારીની તો કોઈ વાત જ નહીં કરવાની. ૨૦૧૪માં જે કહેવામાં આવ્યું હતું એ તો જાણે કે એક યુગ વીતી ગયો હોય એમ ભૂલાવી દેવામાં આવી. વિરોધ પક્ષો અધમુઆ હતા, મીડિયાનો સાથ નહોતો, ચૂંટણીપંચ ખિસ્સામાં હતું અને દરેક રીતે મદદ કરતું હતું, વહીવટીતંત્ર ભા.જ.પ.ની જીત માટે કામ કરતું હતું, પૈસા બેશુમાર હતા, વિરોધ પક્ષો પાસે ભા.જ.પ.ના એક રૂપિયા સામે દસ પૈસા પણ નહોતા અને ભયનું વાતાવરણ હતું. આવી અસમાન સ્થિતિમાં જે પરિણામ આવ્યું એ તમારી સામે છે. જો ચૂંટણી એક સમાન સ્થિતિમાં લડાઈ હોત તો બી.જે.પી.ને હજુ સો સીટ ઓછી આવી હોત. જગતના સંસદીય ઇતિહાસમાં પહેલીવાર એવું જોવા મળ્યું કે સાવજ અને સસલાની લડાઈમાં સાવજનો પરાજય થયો, કારણ કે લોકોને વાસ્તવિકતા સમજાઈ ગઈ અને તેમણે ચૂંટણી પોતાના હાથમાં લઈ લીધી.

સમજદાર અને આંખ ઉઘડેલા ભારતીયો (મુખ્યત્વે હિંદુઓ) વિરુદ્ધ નરેન્દ્ર મોદી વચ્ચેની આ લડાઈ હતી જેમાં નરેન્દ્ર મોદીનો પરાજય થયો છે. જયવિજયને તેમણે પોતે જ વ્યક્તિગત કરી નાખ્યો હતો, એટલે એન.ડી.એ. નામનો મોરચો સરકાર રચી શકે એમ છે કે પછી ભા.જ.પ. સૌથી મોટો પક્ષ છે એ ગૌણ છે, મુખ્ય છે નરેન્દ્ર મોદીનો પરાજય. જો ૨૦૧૯માં મળેલી ૩૦૩ બેઠકોનો શ્રેય તેમને જતો હોય તો ૬૩ બેઠકો ગુમાવવાનો અપયશ પણ તેમને જ મળવો જોઈએ. આખો પ્રચાર મોદીના નામે અને મોદી માટે કરવામાં આવ્યો હતો. “મોદી કી ગેરંટી.” વ્યક્તિગત રીતે વારાણસીમાં તેમને માત્ર દોઢ લાખ મતોની સરસાઈ મળી છે જે રાહુલ ગાંધી તો છોડો અમેઠીમાં સ્મૃતિ ઈરાનીને હરાવનાર કિશોરીલાલ શર્મા કરતાં અડધી છે. એક સમયે તો તેઓ કાઁગ્રેસના ઉમેદવારથી પાછળ પણ હતા. તેઓ ૨૦૧૯માં ૪,૭૯,૫૦૫ મતોથી જીત્યા હતા. આ વખતે વારાણસીમાં કુલ ૧૧ લાખ ત્રીસ હજાર મત પડ્યા હતા અને અમેઠીમાં નવ લાખ ૭૬ હજાર.

નરેન્દ્ર મોદી(સાથે અમિત શાહ)ના અભિમાનનો પરાજય થયો છે, તુમાખીનો પરાજય થયો છે, તેમણે અપનાવેલી રાજકીય શૈલીનો પરાજય થયો છે. જો લાજશરમ જેવી કોઈ ચીજ હોય તો તેમણે પોતે જ વડા પ્રધાનપદ માટે દાવેદારી ન કરવી જોઈએ.

Loading

क्या दुनिया ने गाँधी को एटनबरो की फिल्म से जाना?

राम पुनियानी|Opinion - Opinion|8 June 2024

राम पुनियानी

एबीपी को 29 मई 2024 को दिए अपने एक साक्षात्कार में प्रधानमंत्री नरेन्द्र मोदी ने कहा, ‘‘क्या पिछले 75 सालों में हमारी यह जिम्मेदारी नहीं थी कि हम सारी दुनिया को महात्मा गांधी से परिचित करवाते? माफ कीजिये, मगर गांधीजी को कोई नहीं जानता था जब तक कि 1982 में उन पर बनी फिल्म रिलीज नहीं हुई थी.” वे जब यह कह रहे थे तब उनका साक्षात्कार ले रहे एबीपी के प्रतिनिधियों के चेहरे भावशून्य थे. उन्होंने प्रधानमंत्री के इस सफेद झूठ पर कोई प्रतिक्रिया व्यक्त नहीं की. इस अत्यंत लंबे चुनाव अभियान के अंतिम दौर में यह वक्तव्य दिए जाने के पीछे के उद्धेश्य का अनुमान लगाना कठिन नहीं है.

बेरोजगारी, महंगाई, किसानों की दुर्दशा, पेपर लीक, अग्निवीर योजना जैसे मुद्दों को लेकर उनके दस साल के शासनकाल की आलोचना बढ़ती जा रही थी. इन महत्वपूर्ण मुद्दों से लोगों का ध्यान कैसे हटाया जाए, यह उनकी चिंता का मुख्य विषय था. महात्मा गांधी को लेकर इस तरह की बात कहने का उद्धेश्य लोगों का ध्यान इन महत्वपूर्ण मुद्दों से हटाने के साथ-साथ यह भी था कि नेहरू और पहले की कांग्रेस सरकारों को दुनिया को गांधीजी के बारे में न बताने के लिए कटघरे में खड़ा किया जा सके.

लेकिन इससे नेहरू और अन्य कांग्रेस सरकारों तो कटघरे में नहीं खड़ी होतीं, उलटे गांधीजी के जीवन और उनके कार्यों, दुनिया में उनकी प्रतिष्ठा और दुनिया के उनके दुनिया के कई महान लोगों के प्रेरणास्त्रोत होने के बारे में मोदी कुछ नहीं जानते. इससे विश्व राजनीति पर 1930 के दशक से ही गांधीजी के असर के बारे में मोदी की अज्ञानता पता लगती है. गांधीजी को दुनिया रिचर्ड एटनबेरो द्वारा लुई फिशर की गांधीजी की जीवनी पर आधारित फिल्म बनाए जाने के बहुत पहले जानती और मानती थी.

दक्षिण अफ्रीका में उनके संघर्ष की वजह से गांधीजी रंगभेद-विरोधी प्रमुख नेता के रूप में उभर चुके थे. गांधीजी के भारत वापिस लौटने और किसानों के चंपारण आंदोलन का नेतृत्व करने के बाद उनके मित्र चार्ली एन्ड्रयूज ने चंपारण सत्याग्रह की अनूठी प्रकृति की बात सारी दुनिया में प्रचारित की. सत्य और अहिंसा पर आधारित उनके सत्याग्रह से कमजोरों और शोषितों की समस्याओं की ओर विश्व का ध्यान आकृष्ट हुआ.

बाद में उनके द्वारा छेड़े गए अन्य आंदोलनों – सविनय अवज्ञा एवं दांडी मार्च – को वैश्विक मीडिया में काफी कवरेज मिला. दुनिया में उनकी पहचान कायम होने से समाज की समस्याओें से साधारण जन को जुड़ने और न्याय के लिए संघर्ष करने की प्रेरणा मिली. उनके कार्यों की खबरें और और कथन बिजली की तेजी से सारी दुनिया में फैल गए. जहां एक ओर भारत में अंग्रेजों का दमन बढ़ता गया वहीं शांति, न्याय एवं अहिंसा जैसे मूल्यों का सम्मान करने वाले लोगों का ध्यान मानवतावाद के सिद्धांतों के सन्दर्भ में वैश्विक स्तर पर गांधीजी के योगदान की ओर गया.

शायद मोदी उस काल में गांधीजी के योगदान और दुनिया में उनके अत्यंत लोकप्रिय होने के बारे में न जानते हों, लेकिन उन्हें यह जरूर जानना चाहिए कि अंग्रेजी समाचार पत्र ‘द बर्लिंगटन हॉक आई’ ने रविवार, 20 सितंबर 1931 के अंक में पूरे एक पृष्ठ में उन पर सामग्री प्रकाशित की थी, जिसमें उन्हें ‘विश्व का सर्वाधिक चर्चित व्यक्ति’ बताया गया था. प्रतिष्ठित अमरीकी पत्रिका ‘टाईम’ ने उनकी तस्वीर अपने मुखपृष्ठ पर प्रकाशित की और उन्हें सन् 1931 का ‘मेन ऑफ द ईयर’ घोषित किया. दो अन्य अवसरों पर उनकी तस्वीर इस प्रसिद्ध पत्रिका के मुखपृष्ठ पर प्रकाशित की गई. इसी तरह टाईम की सहयोगी पत्रिका लाईफ ने भी गांधीजी पर केन्द्रित परिशिष्ट प्रकाशित किया.

दुनिया भर में अपने विचारों और कार्यों के माध्यम से न्याय और शांति के लिए प्रयासरत लोग गांधीजी की ओर आकृष्ट हुए. महान वैज्ञानिक अल्बर्ट आईंस्टाइन ने 1939 में लिखा “मेरा मानना है कि गांधीजी के विचार हमारे दौर के सभी राजनीतिज्ञों में से सबसे अधिक प्रबुद्ध थे. हमें उनकी भावना के अनुसार काम करने का प्रयास करना चाहिए: अपने उद्देश्य के लिए लड़ाई में हिंसा का प्रयोग नहीं करना चाहिए, बल्कि जिस चीज को आप बुरा मानते हैं उसमें भाग नहीं लेना चाहिए.” आइंस्टीन ने गांधीजी के बारे में लिखा, “आने वाली पीढियां शायद ही यह विश्वास करेंगी कि रक्त और मज्जा का बना कोई ऐसा आदमी इस धरती पर रहा होगा.”

चार्ली चैपलिन भी गांधीजी के आन्दोलन से प्रेरित थे. वे गांधीजी से मिले और गाँधीजी के मूल्यों का प्रतिबिम्ब चार्ली चैपलिन की फिल्मों ‘मॉडर्न टाइम्स’ और ‘द ग्रेट डिक्टेटर’ में दिखाई देता है. ‘द ग्रेट डिक्टेटर’ में वे गांधीजी और हिटलर के बीच विरोधाभास को दिखाते हैं. इसी तरह फ्रांसीसी नाटककार रोमां रोलां ने ‘यंग इंडिया’ के फ्रेंच संस्करण में लिखा, “अगर ईसा मसीह शांति के राजकुमार थे, तो गाँधी भी इस उपाधि के लिए कोई कम योग्य नहीं हैं.”

बीसवीं सदी के दो प्रमुख सामाजिक कार्यकर्ताओं मार्टिन लूथर किंग और नेल्सन मंडेला गांधीजी के संघर्ष से प्रेरित और प्रभावित थे और उन्होंने अपने संघर्ष के मार्ग का निर्धारण उसी आधार पर किया. सन 1959 में ‘द हिंदुस्तान टाइम्स’ में प्रकाशित अपने लेख में मार्टिन लूथर किंग ने लिखा, “मुझे बहुत शुरू में ही समझ आ गया था कि गाँधी की अहिंसा की शिक्षा और ईसाई धर्म की प्रेम के शिक्षा का संश्लेषण ही नीग्रो लोगों के स्वतंत्रता और मानव गरिमा के लिए संघर्ष के सर्वश्रेष्ठ हथियार है.”

नेल्सन मंडेला के महान और लम्बे संघर्ष का आधार वे मूल्य थे जो उन्होंने गाँधीजी के जीवन और उनकी शिक्षाओं से ग्रहण किये थे. उन्होंने महात्मा गाँधी की इस बात के लिए सराहना की कि उनमें “नैतिकता और सदाचार का संगम तो था ही. इसके साथ-साथ वे दृढ संकल्प वाले व्यक्ति भी थे और उन्होंने कभी भारत के दमनकर्ता ब्रिटिश साम्राज्य से समझौता नहीं किया.”

मोदी को यह पता होना चाहिए कि दुनिया के कई विश्वविद्यालयों में ‘गांधियन स्टडीज’ पाठ्यक्रम का हिस्सा है. कई स्कूलों में गांधीजी की शिक्षाएं पढ़ाई जातीं हैं. दुनिया के करीब 80 शहरों में गाँधीजी के नाम पर सड़कें हैं और उनकी मूर्तियाँ हैं

जहाँ तक फिल्मों का सवाल है, हमारे अपने फिल्म्स डिवीज़न ने गांधीजी पर डाक्यूमेंट्री बनाई थी, जिसका निर्माण विट्ठलभाई झवेरी ने किया था. यह फिल्म एटनबरो की फिल्म से बहुत पहले बनी थी. बल्कि एटनबरो ने यह फिल्म दो बार देखी थी और उन्होंने फिल्म के मुख्य पात्र बेन किंग्सले से कहा था कि गांधीजी के हावभाव और व्यवहार का तरीका समझने के लिए यह फिल्म देखें.

जहाँ तक मोदी के इस आरोप का सवाल है कि पुरानी सरकारों ने गांधीजी को विदेशों में लोकप्रिय बनाने के लिए कुछ नहीं किया, हमें यह नहीं भूलना चाहिए कि एटनबरो की फिल्म में भी भारत सरकार ने नेशनल फिल्म डेवलपमेंट कारपोरेशन के ज़रिये एक बड़ी राशि निवेशित की थी. मोदी की जानकारी के लिए, एटनबरो  की फिल्म को अन्यों के अतिरिक्त नेहरु को भी समर्पित किया गया है. नेहरु ने एटनबरो को यह सलाह दी थी कि वे अपनी फिल्म में गांधीजी को देवता न बनाएं बल्कि अपनी कमजोरियों के साथ एक मनुष्य के रूप में प्रस्तुत करें. गांधीजी को लोग उन पर बनी फिल्मों के कारण नहीं जानते बल्कि उन पर फिल्में इसलिए बनीं क्योंकि उन्हें दुनिया जानती थी. उन पर सैकड़ों पुस्तकें लिखी गयी हैं.

चुनाव ख़त्म हो गया है और गांधीजी पर यह बयान, जिसका उद्देश्य लोगों का ध्यान भटकाना है, का उपयोग हम राष्ट्रपिता और उनकी अमूल्य शिक्षाओं को एक बार फिर याद करने के लिए कर सकते हैं. सद्भाव और शांति की उनकी शिक्षाएं आज पहले से भी अधिक प्रासंगिक हैं.

6 जून 2024
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया. लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं) 

Loading

ભારતમાં અણુશક્તિનો દીવો પ્રગટાવનાર વિજ્ઞાની ડૉ. હોમી ભાભા

સોનલ પરીખ|Opinion - Opinion|8 June 2024

માણસ જેને પ્રાણપણે ચાહતો હોય, જેમાં પોતાની સમસ્ત નિષ્ઠા આરોપી શકતો હોય તે ક્ષેત્રમાં જ તે પોતાનું શ્રેષ્ઠ આપી શકે. હું એન્જિન્યિરંગનો નહીં, ફિઝિક્સનો માણસ છું. મારી અંદર ફિઝિક્સની જ્વલંત જ્યોત જલે છે. મારું જીવન હું તેને જ આપવા માગું છું.

− ડૉ. હોમી ભાભાના તેમના પિતા પરના પત્રનો અંશ

ભારતની અણુશક્તિના જનક ડૉ. હોમી જહાંગીર ભાભા ૧૯૦૯ની ૩૦મી ઑક્ટોબરે મુંબઇમાં જન્મ્યા હતા. ૧૯૬૬માં વિમાની અકસ્માતમાં થયેલા તેમના મૃત્યુને આજે અર્ધી સદી જેટલો સમય થયો છે. જુદાજુદા, ક્યારેક વાહિયાત લાગે તેવા ‘ડે’ મનાવનારા આપણે આપણા આ મહાન વિજ્ઞાનીને ઓળખીએ છીએ ?

ડૉ. હોમી જે. ભાભા

મુંબઇની એલ્ફિન્સ્ટન કૉલેજ અને રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સમાં ભણી આગળ અભ્યાસ માટે ઇંગ્લૅન્ડ ગયેલા શ્રીમંત પારસી યુવાન હોમીને પિતાનું ફરમાન હતું, મિકેનિકલ એન્જિનિયર થવાનું. પણ હોમી સ્પષ્ટ હતો. તેણે પિતાને પત્ર લખ્યો, ‘માણસ જેને પ્રાણપણે ચાહતો હોય, જેમાં પોતાની સમસ્ત નિષ્ઠા આરોપી શકતો હોય તે ક્ષેત્રમાં જ તે પોતાનું શ્રેષ્ઠ આપી શકે. હું એન્જિન્યિરંગનો નહીં, ફિઝિક્સનો માણસ છું. મારી અંદર ફિઝિક્સની જ્વલંત જ્યોત જલે છે. મારું જીવન હું તેને જ આપવા માગું છું.’ પિતા માન્યા, પણ તેમણે શરત મૂકી, ‘પહેલા તું ફર્સ્ટ ક્લાસ સાથે મિકેનિકલ એન્જિનિયર થઇ બતાવ, પછી તારે જે કરવું હોય તે કરજે.’ હોમીએ સ્વીકાર્યું, એન્જિનિયર થયો અને પછી લાગી ગયો પોતાના પ્રિય વિષય ફિઝિક્સના અભ્યાસ અને સંશોધનમાં. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ડૉક્ટરેટ કર્યું, નીલ બોહર જેવા ભૌતિકશાસ્ત્રના મહાન વિજ્ઞાનીઓ સાથે ખૂબ કામ કર્યું, ક્વૉન્ટમ થિયરી, કૉસ્મિક રેડિયેશન જેવાં ક્ષેત્રોમાં મહત્ત્વનાં સંશોધનો કર્યાં અને પ્રતિષ્ઠિત રોયલ સોસાયટીના ફેલો બન્યા. ૩૧ વર્ષની ઉંમરે ૧૯૪૦માં ડૉ. હોમી ભાભા ભારત આવ્યા ત્યારે વિજ્ઞાની તરીકે વિશ્વસ્થાપિત થઇ ચૂક્યા હતા. આ ધનિક, દેખાવડા અને બુદ્ધિમાન પારસી યુવાનને પોતાનો જમાઇ બનાવવા પ્રતિષ્ઠિત પરિવારો આતુર હતા, પણ આ બાબતમાં પણ હોમી સ્પષ્ટ હતો, ‘હું વિજ્ઞાનને વરી ચૂક્યો છું.’ ગુલામ ભારતમાં જન્મેલો કેવો મુક્ત આત્મા !

આ ડૉ. હોમી જહાંગીર ભાભા ૧૯૦૯ની ૩૦મી ઑક્ટોબરે મુંબઇમાં જન્મ્યા હતા. આજે દીપાવલિના શુભ દિવસે તેમનો જન્મદિન આવ્યો છે ત્યારે પ્રશ્ન થાય છે કે જુદા જુદા, ક્યારેક વાહિયાત પણ લાગે તેવા ‘ડે’ મનાવનારા આપણે સાયન્સ ડે કે એટમિક એનર્જી ડે મનાવવાનો વિચાર કદી કરીએ છીએ ? આપણા મહાન વિજ્ઞાનીઓને ઓળખીએ છીએ ? તેમના મહાપ્રદાનને સમજીએ છીએ ? આપણે તો તેમના ઐતિહાસિક બંગલાને પણ સ્મારકમાં ફેરવી શક્યા નથી, તેને તૂટી જવા દીધો છે. અજ્ઞાન, મીંઢાપણું અને મૌન ખૂબ ભારે પડી જાય તેવી ચીજો છે, પણ આપણે તો આંખ આડા કાન કરવામાં પણ નિષ્ણાત છીએ. ખેર, વાત ચાલતી હતી ૧૯૪૦માં ડૉ. હોમી ભાભા ભારત આવ્યા તેની. બેંગલોરની ધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સમાં સંશોધન શરૂ કર્યું. યુવાન વિજ્ઞાનીઓ દેશના ખૂણેખૂણે વિખેરાયેલા હતા, તેમને એક મંચ આપતી ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચ મુંબઇમાં શરૂ કરી અને તેના ડિરેક્ટર નીમાયા ને કુશળ વટીવટ કર્યો. ડૉ. ભાભાની નેતૃત્વશક્તિ, નિષ્ઠા, મહેનત, ધન અને જવાહરલાલ નહેરુ સાથેના સંબંધોને કારણે સ્વતંત્રતા મળ્યાનાં થોડાં જ વર્ષોમાં દેશે સંશોધનની દિશામાં વિરાટ અને નક્કર પગલાં ઉઠાવ્યાં.

૧૯૪૮માં તેઓ ભારતના એટમિક એનર્જી કમિશનના પ્રથમ ચેરપર્સન બન્યા. ૧૯૫૬માં તેમના પ્રયત્નોથી ટ્રોમ્બેમાં પ્રથમ એટમિક રિએક્ટન્ટ શરૂ થયું. ૧૯૫૫માં જીનિવામાં અણુશક્તિના શાંતિમય પ્રયોગો માટે પહેલી યુ.એન. કૉન્ફરન્સ ભરાઇ ત્યારે ડૉ. ભાભાએ અણુશક્તિના નિયંત્રણ અને પ્રતિબંધ પર ખૂબ ભાર મૂક્યો હતો. ભારત અણુબૉમ્બ બનાવવાનું સામર્થ્ય કેળવે, પણ બનાવે નહીં – તેનું ધ્યાન અણુઊર્જાના ઉપયોગથી દેશની ગરીબી દૂર કરવા તરફ રહે તે તેમનો આદર્શ હતો. ભાભા એટમિક રિસર્ચ સેન્ટર આજે પણ આ કરી રહ્યું છે. ભારતની પાર્લામેન્ટમાં વારંવારના આમંત્રણ છતાં તેઓ ગયા નહીં, નહેરુ અને શાસ્ત્રીના સાયન્ટિફિક એડવાઇઝર તરીકે સેવા આપતા રહ્યા. તેઓ ભારતની અણુશક્તિના જનક ગણાય છે. અમેરિકાએ યુરેનિયમ આપવામાં ઠાગાઠૈયા કર્યા ત્યારે ડૉ. ભાભાએ અણુઉત્પાદનમાં યુરેનિયમને બદલે થોરિયમ વાપરી શકાય છે તેવું ત્રિસ્તરીય અણુકાર્યક્રમ દ્વારા સાબિત કર્યું. દુનિયા સ્તબ્ધ થઇ ગઇ.

જેઓ ડૉ. હોમી ભાભાનાં સ્વપ્નો અને કાર્યો વિશે જાણે છે તેઓ એ પણ જાણે છે કે તેમનાં સ્વપ્નોને સાકાર કરવામાં ડૉ. હોમી સેઠનાની ભૂમિકા કેટલી અગત્યની હતી. આ બંને દિગ્ગજોની મુલાકાત અનાયાસે સ્વિમિંગ પૂલમાં થઇ હતી. સેઠના, ભાભાથી પંદરેક વર્ષ નાના. તેમનું તેજ અને તરવરાટ જોઇ ભાભાએ તેમને પોતાની ઑફિસમાં બોલાવ્યા અને નાના ઇન્ટરવ્યૂ પછી કામ પર રાખી લીધા. ડૉ. ભાભાના મૃત્યુ પછી તેમનું કામ અટકવા ન દેવામાં ડૉ. સેઠનાનો મોટો હાથ હતો.

અનેક રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સન્માનો, અનેક રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન સંસ્થાઓનો પ્રારંભ અને સભ્યપદ, અનેક રાષ્ટ્રીય – આંતરરાષ્ટ્રીય કક્ષાના સંશોધનો – કારકિર્દી ટોચ પર હતી ત્યારે એક વિમાની અકસ્માતમાં ડૉ. ભાભાનું મૃત્યુ થયું. ૧૯૬૬ની સાલ હતી. ડૉ. ભાભા વિયેના કૉન્ફરન્સમાં ભાગ લેવા જઇ રહ્યા હતા. જીનિવાથી તેમનું વિમાન ઉપડ્યું ને આલ્પ્સના પહાડો વચ્ચે તૂટી પડ્યું. આ જ સાલમાં તાશ્કંદમાં વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રીનું રહસ્યમય મૃત્યુ થયું હતું. એક થિયરી મુજબ ૧૯૬૫ની લડાઇમાં પાકિસ્તાન હાર્યું, ભારત અણુક્ષેત્રે સારી પ્રગતિ કરી રહ્યું હતું ને રશિયા સાથે સારા રાજદ્વારી સંબંધો પણ ધરાવતું હતું. આમ જ ચાલ્યું તો જોતજોતામાં ભારત મહાસત્તા બની જશે – અમેરિકા ખળભળી ઊઠ્યું હતું. ભારતને નબળું બનાવવા માટે આ બંને મૃત્યુમાં સી.આઇ.એ. સંડોવાઇ હોવાનો પુરાવો પણ આ થિયરી આપે છે.

અને બંગલો. મુંબઇના મલબાર હિલ વિસ્તારમાં ડૉ, ભાભાએ પોતાના માતાપિતા મહેરબાઇ અને જહાંગીરના નામ પરથી ૧૭,૦૦૦ ચોરસ ફૂટના પ્લોટ પર એક વિશાળ બંગલો બંધાવેલો : મહેરાંગીર. ડૉ. ભાભાના મૃત્યુ પછી બંગલો તેમના ભાઇ ડૉ. જમશેદ ભાભા સંભાળતા હતા. તેમણે વીલમાં બંગલો એન.સી.પી.એ.ને લખી આપેલો. ૨૦૧૪માં બંગલાનું લિલામ થયું. ૩૭૨ કરોડમાં ગોદરેજ પરિવારે તે ખરીદ્યો તે પછી બે જ વર્ષમાં હાઇરાઇઝ બિલ્ડિંગ બનાવવા માટે તેને તોડી પાડવામાં આવ્યો. સેવ મહેરાંગીર કેમ્પેન દ્વારા તેને તૂટી પડતો અટકાવવાના, વિજ્ઞાન સંસ્થાઓ દ્વારા તેને ડૉ. ભાભાનું સ્મારક બનાવવાના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા. એક અહેવાલ મુજબ સુપ્રિમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારનો સંપર્ક કરી જાણવા માગ્યું હતું કે મહેરાંગીરને હેરિટેજ લિસ્ટમાં મૂક્યો છે કે કેમ. સરકારે મૌન સેવ્યું, સ્ટે ઑર્ડર પણ ન આપ્યો અને આ જ વર્ષે – થોડા મહિનાઓ પહેલા જ તેને તોડી પાડવામાં આવ્યો. આ જ વર્ષે ઇંગ્લૅન્ડમાં આવેલો બાબા આંબેડકરનો બંગલો બત્રીસ કરોડમાં ખરીદીને બચાવી લેવામાં આવ્યો, કારણ ત્યાં મતપેટીનું રાજકારણ હતું.

આ દેશમાં જ નહીં, દુનિયામાં પણ દરેક બાબતમાં રાજકારણ છે શું ? રાજકારણના ગાઢ અંધકારમાં પ્રતિભાનાં કોડિયાંને ટમટમતાં રાખવાની જવાબદારી કોની છે ? આવતી કાલથી શરૂ થતા નવા વર્ષે મનુષ્ય તરીકે, નાગરિક તરીકે સાચા અર્થમાં જાગૃત થવાનો સંકલ્પ આપણે પણ લઇએ તો ?

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 30 ઑક્ટોબર  2023

Loading

...102030...710711712713...720730740...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved