Opinion Magazine
Number of visits: 9457373
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઇસ ઘર કો આગ લગ ગઈ ઘર કે ચિરાગ સે…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|19 January 2024

રવીન્દ્ર પારેખ

ઘરનો દીવો જ ઘરને ફૂંકી મારે એવું બનતું હોય છે. પાળેલો કૂતરો જ માલિકને કરડે એવું પણ બને છે. સાપને દૂધ પાઈને ઉછેરીએ તો પણ તે ઑકે છે તો ઝેર જ ! બિલકુલ એવું જ કૈં અત્યારે પાકિસ્તાન સાથે થઈ રહ્યું હોવાનું લાગે છે. આજે દુનિયા સુધી જે આતંકી આગ વિસ્તરી છે એનાં મૂળમાં પાકિસ્તાન છે તે વિશ્વ આખું જાણે છે, ભલે પછી પાકિસ્તાન ઢાંકપિછોડો કરતું હોય. પાકિસ્તાને આતંકી સાપ ઉછેર્યો છે તે ભારત, અમેરિકા જેવા દેશોને ડસતો રહે એટલે, પણ હવે એ સાપ પાકિસ્તાનને જ ડસવા લાગ્યો છે ને હાલની કંગાળ અને નાદુરસ્ત સ્થતિમાં પાકિસ્તાનનાં બાવડાંમાં એટલું જોર નથી કે ઘરનાં આતંકીઓને કાબૂ કરી શકે. પાકિસ્તાન ન હોત તો આતંકી છાવણીઓ આટલી વકરી ન હોત, પણ તેણે તો ભારતને રહી રહીને આતંકી હુમલાઓ કરાવીને કનડવું જ હતું. ભારતનું એવું છે કે તે સામેથી હુમલો કરવામાં માનતું નથી, પણ કનડગત અતિશય વધે તો પાઠ ભણાવવામાંથી તે ચૂકતું પણ નથી.

2019માં એવું બન્યું કે જમ્મુ-શ્રીનગર હાઇવે પર પુલવામા નજીક 14 ફેબ્રુઆરીને રોજ ભારતીય સેનાનાં 40 જવાનોને આતંકીઓએ શહીદ કર્યા. મોદી સરકાર માટે ને આખા દેશ માટે એ આઘાતજનક, અપમાનજનક અને શરમજનક હતું. એ પછીને બારમે દિવસે, 26 ફેબ્રુઆરી, 2019 ને રોજ પી.ઓ.કે.ના બાલાકોટમાં ઇન્ડિયન એરફોર્સે એર સ્ટ્રાઈક કરીને આતંકવાદીઓની છાવણીઓ ખતમ કરી નાખી. પી.ઓ.કે.ના બાલાકોટમાં હુમલો કરવાનું કારણ એ કે પુલવામામાં થયેલા હુમલાનું કાવતરું ત્યાં ઘડાયું હતું. આ વાત અત્યારે યાદ કરવાનું કારણ એ છે કે 16 જાન્યુઆરી, 2024ની મધરાતે વધુ એક એર સ્ટ્રાઈક ઇરાને બલૂચિસ્તાનની આતંકી છાવણી પર કરી. એમ કરવાનું કારણ એ કે આતંકી સંગઠન જૈશ-અલ-અદલ 2012થી આતંકી હુમલાઓ કરતું રહેતું હતું ને છેલ્લો હુમલો 15 ડિસેમ્બર, 2023ને રોજ ઇરાનના સિસ્તાનમાં એક પોલીસ સ્ટેશન પર કર્યો, એમાં 12 ઈરાની પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માર્યા ગયા. પાકિસ્તાનનાં આતંકી સંગઠનો આમ પણ ભારત, ઈરાન, અફઘાનિસ્તાનમાં સરહદી હુમલાઓ કરતાં જ રહે છે. જતે દિવસે અફઘાનિસ્તાન પણ પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક કરે તો નવાઈ નહીં. ઇરાને પાકિસ્તાનને તેનાં આતંકી સંગઠનને કાબૂ કરવા સમજાવ્યાં કર્યું, પણ પાકિસ્તાને કૈં ના કર્યું, એટલે ઇરાને આતંકી હુમલાઓથી વાજ આવી જઈને બલૂચિસ્તાનનાં જૈશ–અલ-અદલનાં બે આતંકી અડ્ડાઓ પર ડ્રોન અને મિસાઇલ્સથી એર સ્ટ્રાઈક કરી. ઇરાનનો દાવો છે કે આ હુમલામાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા છે, પણ પાકિસ્તાન બે બાળકો માર્યાં ગયાં છે ને ત્રણેક ઘાયલ થયા છે – એથી વધારે કૈં કહેતું નથી. શેતાન બાઇબલ ટાંકે તેમ તેણે આ હુમલાને ‘ગેરકાયદેસર કૃત્ય’ કહીને વખોડ્યો છે ને ટંગડી ઊંચી રાખતાં ઇરાનને ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી આપી છે, પણ કબૂલતું નથી કે હાથના કર્યા હૈયે વાગ્યા છે. ઇરાનમાંથી પોતાના રાજદૂતને તેણે પાછા બોલાવી લીધાં છે ને ઈરાની રાજદૂતને ખદેડી મુકાયા છે. આ એ જ આતંકી સંગઠન છે જેણે ઇરાનના ચાહબારથી ભારતીય નાગરિક કુલભૂષણ જાધવનું અપહરણ કર્યું હતું ને તેને પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ISIને હવાલે કરી દીધો હતો. એ પછી પાકિસ્તાને તેને જાસૂસ હોવાનો આરોપ મૂકીને જેલમાં ધકેલી દીધો હતો.

ગમ્મત તો એ છે કે હુમલા પહેલાં તો ઇરાનના વિદેશ મંત્રી દાવોસમાં પાકિસ્તાનના કેરટેકર પી.એમ.ને મળે છે. પણ ગંધ નથી આવતી કે ઈરાન, પાકિસ્તાન પર હુમલો કરવા જઇ રહ્યું છે. બીજી વાત એ કે પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું તો તેને માન્યતા આપનારો પહેલો દેશ ઈરાન હતો. હવે ઈરાન અને પાકિસ્તાન વચ્ચે સંબંધો વધુ વણસે એમ બને, કારણ પાકિસ્તાનમાં સુન્નીઓ વધારે છે, જ્યારે ઇરાનમાં શિયાઓ વધારે છે. એને કારણે પણ બંને દેશો વચ્ચેનું અંતર વધે એવા સંજોગો ઊભા થયા છે. બન્યું છે એવું કે પાકિસ્તાને ઇરાનમાં બીજી જ રાતે એટલે કે 17 જાન્યુઆરીએ સરવાનના અલગતાવાદી સંગઠનના સાત ઠેકાણે મિસાઇલથી હુમલો કરી વળતો જવાબ આપી દીધો છે. તે ઉપરાંત પાકિસ્તાનમાં રહેલાં આતંકી જૂથે ઇરાનના કર્નલને મારી નાખ્યા હોવાનો દાવો પણ થઈ રહ્યો છે. પાકિસ્તાન દ્વારા હુમલાની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પણ પાકિસ્તાની પત્રકાર સલમાન મસૂદના જણાવ્યા અનુસાર પાકિસ્તાને ઈરાની સરહદમાં પચાસેક કિલોમીટર અંદર ઘૂસીને હુમલાને અંજામ આપ્યો છે. સમાચાર એજન્સી એ.એફ.પી.એ પણ હુમલાની પુષ્ટિ કરી છે.

ઇરાનના વિદેશ મંત્રી અમીર અબ્દુલ્લાહિયાએ પાકિસ્તાનના વિદેશ મંત્રી જલીલ અબ્બાસ જિયાની સાથે ફોન પર વાત કરીને જણાવ્યું કે હુમલો ઈરાનનાં આતંકવાદી સંગઠન પર કરવામાં આવ્યો છે, તો જીલાનીએ કહ્યું કે પાકિસ્તાનને ઇરાનના હુમલાનો જવાબ આપવાનો પૂરો અધિકાર છે. આ મામલે ભારતની પ્રતિક્રિયા આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે આ પાકિસ્તાન અને ઈરાન વચ્ચેનો મામલો છે, તો પણ ભારત માને છે કે આતંકવાદને મામલે કોઈ સમજૂતી હોઈ શકે નહીં. જો કે, અમેરિકાએ ઇરાનની એર સ્ટ્રાઈકને ખોટી ગણાવી છે, તો હવે પાકિસ્તાને વળતો હુમલો કર્યો છે, તો તે અંગે શું કહે છે તે જોવાનું રહે. ડાહી સાસરે ન જાય … તેવા ચીને બંને દેશોને તંગદિલી ન વધારવાની અપીલ કરી છે, તો ઈરાની મીડિયાના અહેવાલ મુજબ ઇરાને સરહદ પર લશ્કરી જમાવટ કરવા માંડી છે ને પાકિસ્તાને તો આતંકીઓને આગળ કરીને વળતો હુમલો કરી જ દીધો છે. જોઈએ, આગળ શું થાય છે તે –

રશિયા-યુક્રેન વચ્ચે લગભગ બે વર્ષથી યુદ્ધ ચાલે છે. ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે પણ અથડામણો સો દિવસથી ચાલુ જ છે ને ઈરાન ઇઝરાયેલનાં હુમલાઓથી એટલે પણ નારાજ છે કે તે હમાસને પક્ષે છે ને તે ઇઝરાયેલને ખરાબ રીતે વેઠી રહ્યું છે. ઈરાન એ રીતે પણ નારાજ છે કે સુન્ની ચરમપંથીઓ દ્વારા ઈરાનને ટાર્ગેટ કરાઇ રહ્યું છે. ઇરાને પાકિસ્તાન પર હુમલો કર્યો તે પહેલાં ઈરાક અને સીરિયા પર પણ એ જ કારણે હુમલાઓ કર્યા છે. આ બધું જોતાં મુસ્લિમ રાષ્ટ્રો વચ્ચે એકતા હોવાનો ભ્રમ હતો તે ભાંગી ગયો છે. એમની વચ્ચે પણ શિયા-સુન્ની મુદ્દે એવો તનાવ છે કે એ પણ એકબીજા સાથે સંઘર્ષમાં ઊતરી શકે છે ને પાકિસ્તાનને સંબંધ છે ત્યાં સુધી તે આતંકવાદી ગતિવિધિથી એવું વગોવાયું છે કે મુસ્લિમ રાષ્ટ્રો જ તેને પતાવી દે તો આશ્ચર્ય ન થાય. અમેરિકાએ એબોટાબાદમાં ઘૂસીને ઓસામા બિન લાદેનને પતાવી દીધેલો તે પણ આ તબક્કે યાદ કરવા જેવું એટલે છે કે આતંકી ગતિવિધિઓ દ્વારા પાકિસ્તાને અમેરિકા, ભારત ઉપરાંત મુસ્લિમ રાષ્ટ્રોની ખફગી બરાબરની વહોરી છે. પાકિસ્તાન આર્થિક રીતે પણ પાયમાલ થઈ ગયું છે, પણ તે આપવડાઈમાંથી હાથ નથી કાઢતું. એમાં તેની જ નિર્દોષ પ્રજા આતંકી ફડકમાં જીવે છે ને લઘુમતી સાથેનો તેનો વર્તાવ પૂરેપૂરો શરમજનક છે. તેનો મિથ્યાભિમાની સ્વભાવ જ તેને અંત તરફ લઈ જાય એમ બને.

આમ જોઈએ તો આખું વિશ્વ કોઈને કોઈ પ્રકારના હિંસક વિચાર કે સંઘર્ષમાં રોકાયેલું જણાય છે. સામાન્ય માણસ પણ કોઈને કોઈ પ્રકારના ભય હેઠળ જીવી રહ્યો છે ને અનેક પ્રકારનાં આક્રમણો ને ચિંતાથી એ ઘેરાયેલો છે. હવે યુદ્ધમાં નાગરિકોનો પણ ભોગ લેવાય છે, એટલે સલામતી ક્યાં ય બહુ બચી નથી. આખું વિશ્વ ઉન્માદ અને અવસાદનો ભોગ થઈ પડ્યું છે ને શાંતિ આઉટડેટેડ થઈ ગઈ હોય તેમ ભવિષ્યમાં જડે એમ નથી ને ભૂતકાળમાંથી આજમાં લાવી શકાય એમ નથી. કેમ આપણને શાંતિ ખપતી નહીં હોય તે સમજાતું નથી. હવેનો વિકાસ ટેકનોલોજી બતાવશે, પણ તેને કટ ટુ સાઇઝ યુદ્ધ કરશે, એવું ખરું? શાંતિ પણ આપણે યુદ્ધથી સ્થાપવા મથી રહ્યા છીએ એ કેવી મોટી વિડંબના છે !

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 19 જાન્યુઆરી 2024

Loading

જરાક નજીક તો આવ

જુલી સોલંકી 'સચેત'|Opinion - Opinion|18 January 2024

પ્રેમનાં મોતીને પુષ્પની પ્યાલીથી ભરાવી આવ; 

એ છે પ્રેમનો સવાલ, જરાક નજીક તો આવ.

હૃદય ધબકે છે દૂર રહીને, વાતડી લઈ આવ; 

એ મનની વાતને પ્રીતડી સંગ નિભાવી આવ. 

તારા હોવાના અહેસાસનો સ્પર્શ કરાવી લાવ;

સંગાથે રહી જીવનભર, સાથી બનીને ચાલ. 

હાથમાં રહેલ મહેંદીમાં મારું નામ લખાવી આવ; 

મહીં પ્રીતડીના રંગ, એ સુંદરતાને વધારી લાવ. 

પ્રીતના પાનેતરની લીલી ચૂંદડી લહેરાવી આલ; 

માથે ઓઢી ઘૂંઘટ, લાજને જરા સરકાવી લાવ. 

રાખી હાથ મારા હાથે, વચનને માની હાલ;

પ્રેમના આંગણે સૂર્યના તેજથી ચમકી લાવ. 

પ્રેમનાં મોતીને પુષ્પની પ્યાલીથી ભરાવી આવ; 

એ છે પ્રેમનો સવાલ, જરાક નજીક તો આવ.

ભુજ કચ્છ
e.mail : julisolanki110@gmail.com

Loading

गांधी और बीजेपी-संघ के रामराज्य फर्क

राम पुनियानी|Opinion - Opinion|18 January 2024

राम पुनियानी

1980 के दशक में देश के इतिहास ने एक नया मोड़ लिया था. पहली बार, राममंदिर जैसा भावनात्मक मुद्दा आर्थिक और सामाजिक न्याय जैसे मूलभूत मुद्दों से ज्यादा अहम बन गया. बाबरी मस्जिद के ताले खोले जाने के बाद बीजेपी के लालकृष्ण आडवाणी ने रथयात्रा निकालने की योजना बनाई. तत्कालीन प्रधानमंत्री वीपी सिंह द्वारा मंडल आयोग की रिपोर्ट लागू किए जाने की घोषणा के बाद, इस यात्रा को और तेज किया गया. यह यात्रा स्वतंत्र भारत में सांप्रदायिक आधार पर समाज को ध्रुवीकृत करने वाली सबसे बड़ी परिघटना बन गई. रथयात्रा अपने पीछे खून की एक गहरी और मोटी लकीर छोड़ गई.

इसके बाद बाबरी मस्जिद का ध्वंस हुआ और बीजेपी की ताकत में जबरदस्त इजाफा हुआ. बीजेपी जो उस समय गांधीवादी समाजवाद का लबादा ओढ़े हुए थी, को चुनाव में जबरदस्त मुंह की खानी पड़ी थी. रथयात्रा उसके लिए जीवनदायिनी अमृत साबीत हुई. चुनावों में उसके प्रदर्शन में जबरदस्त सुधार हुआ और 1996 में उसने केंद्र में अल्पमत की सरकार बना ली. इसके बाद, 1998 में वह एनडीए के सबसे बड़े सदस्य दल के रूप में सत्ता में आई और 2014 में उसे स्वयं के बलबूते पर बहुमत हासिल हो गया.

चुनावों में सफलता पाने के इस फार्मूले को बार-बार इस्तेमाल करने में बीजेपी सिद्धहस्त हो गई है. चुनाव आते ही वह राममंदिर जैसे विघटनकारी और भावनात्मक मुद्दे उछालने लगती है. उसके साथ वंदे मातरम्, लव जिहाद, पवित्र गाय आदि जैसे पहचान से जुड़े मुद्दों का मिश्रण तैयार कर, वह सत्ता में आने का कोशिश करती है. चूंकि अगले साल देश में आम चुनाव होने हैं, इसलिए बीजेपी को एक बार फिर भगवान राम की याद सताने लगी है.

इस बार भगवान राम की सहायता से चुनाव में विजय प्राप्त करने के अभियान की शुरूआत, आरएसएस प्रमुख मोहन भागवत ने उडिपी में नवंबर 2017 में आयोजित विहिप की धर्मसंसद से की. विहिप ने भागवत के संकेत को समझा और मुस्लिम राष्ट्रीय मंच के संयुक्त तत्वाधान में उत्तर प्रदेश के अयोध्या से तमिलनाडु के रामेश्वरम तक रामराज्य रथयात्रा की शुरुआत की. महाराष्ट्र की जो संस्था इस यात्रा का समन्वय कर रही है, उसका नाम है श्री रामदास मिशन यूनिवर्सल सोसायटी. इस यात्रा के रथ का आकार, अयोध्या में प्रस्तावित राममंदिर की तर्ज पर है. यह साफ है कि इस यात्रा का मुख्य एजेंडा राजनैतिक है और उसके लक्ष्य वही हैं, जो हिंदू राष्ट्रवादियों के हैं. जिन मांगों को लेकर यह यात्रा निकाली जा रही है, उनमें रामराज्य की स्थापना, अयोध्या में भव्य राममंदिर का निर्माण, रामायण को स्कूली पाठ्यक्रमों में शामिल करना और रविवार के स्थान पर गुरूवार को साप्ताहिक अवकाश घोषित करना शामिल हैं.

मुस्लिम राष्ट्रीय मंच, आरएसएस के हाथों का खिलौना है, जिसका इस्तेमाल वह समय-समय पर यह दिखाने के लिए करता रहता है कि मुसलमान भी उसके साथ हैं. सच यह है कि अधिकांश मुसलमानों को अब यह अच्छी तरह से समझ में आ गया है कि देश में लव जिहाद, बीफ, तिरंगा आदि मुद्दों पर हिंसा भड़का कर मुसलमानों को दूसरे दर्जे का नागरिक बनाने का षड़यंत्र रचा जा रहा है. देश में 16 करोड़ मुसलमान हैं और उनमें से जफर सरेशवाला जैसे मुसलमान खोज निकालना मुश्किल नहीं है, जो सत्ता से लाभ पाने के लोभ में बीजेपी का बिगुल बजाने में तनिक भी संकोच न करें.

आईए, देखें कि यात्रा निकालने वालों की मांगों के पीछे का सच क्या है. जहां तक रामराज्य की स्थापना का सवाल है, रामराज्य को देखने के कई तरीके हो सकते हैं. गांधीजी का रामराज्य समावेशी था. वे राम और रहीम, इश्वर और अल्लाह को एक ही मानते थे. दूसरी ओर, आंबेडकर और पेरियार, भगवान राम द्वारा धोखे से बाली को मारने और दलित शम्बूक की हत्या मात्र इसलिए कर दिए जाने से अत्यंत विचलित थे, क्योंकि वह जातिगत मर्यादाओं को तोड़कर तपस्या कर रहा था. आडवाणी-बीजेपी-आरएसएस के राम अल्पसंख्यकों को डराने वाले राम हैं.

कई मुस्लिम-बहुल देशों में साप्ताहिक अवकाश शुक्रवार को होता है और इसी आधार पर यह मांग की जा रही है कि भारत में गुरूवार को साप्ताहिक अवकाश होना चाहिए. हम एक ओर दुनिया की आर्थिक महाशक्ति बनने की महत्वाकांक्षा रखते हैं तो दूसरी ओर हम पूरे विश्व से निराली राह पर चलने की बात भी कर रहे हैं. जब सारी दुनिया में रविवार को साप्ताहिक अवकाश रहता है तब भारत में किसी और दिन अवकाश रखने से क्या हमारा अंतर्राष्ट्रीय व्यापार और वैश्विक बाजार में हमारी उपस्थिती पर विपरीत प्रभाव नहीं पड़ेगा?

जहां तक रामायण को स्कूली पाठ्यक्रमों का हिस्सा बनाने का सवाल है, इसमें भी आरएसएस की सोच संकीर्ण है. क्या हम यह भूल सकते हैं कि संघ की विद्यार्थी शाखा एबीवीपी ने एके रामानुजन के प्रसिद्ध लेख ‘थ्री हंड्रेड रामायणास’ को पाठ्यक्रम में शामिल करने का विरोध किया था और उसे पाठ्यक्रम से हटवा कर ही दम लिया था. यह लेख बताता है कि भगवान राम की कथा के कई संस्करण हैं और उनमें एक-दूसरे से अलग और विरोधाभासी बातें कही गई हैं. उदाहरण के लिए, थाईलैंड में प्रचलित रामकथा ‘रामकिन’ में हनुमान बाल ब्रह्मचारी नहीं बल्कि गृहस्थ हैं. इसी तरह, आंध्रप्रदेश में प्रचलित ‘रामकथा’ महिलाओं के दृष्टिकोण से लिखी गई है. वाल्मीकि की रामायण और तुलसीदास की रामचरितमानस में भी कई अंतर हैं. संघ परिवार, रामायण के एक विशिष्ट संस्करण का हामी है. ऐसे में, पाठ्यक्रमों में कौन सी रामायण शामिल की जाएगी?

सच्चाई ये है कि स्वयं को हिंदुओं का हित रक्षक बताने वाला संघ परिवार, जो मांगें उठा रहा है, उनका हिंदुओं की जरूरतों से कोई लेना-देना नहीं है. वे हिंदुओं के लिए कतई प्रासंगिक नहीं हैं. आखिर रामराज्य रथयात्रा या राममंदिर से कौन से सामाजिक-आर्थिक लक्ष्य हासिल होंगें? क्या इससे हिंदू किसानों की समस्याएं सुलझेंगी? क्या इससे हिंदू बेरोजगारों को काम मिलेगा? क्या इससे हिंदू महिलाओं और बच्चों के स्वास्थ्य या पोषण का स्तर बेहतर होगा? क्या इससे दलितों पर होने वाले अत्याचार कम होंगे? क्या इससे महिलाओं के विरुद्ध हिंसा की घटनाओं में कमी आएगी?

यह यात्रा ऐसे समय निकाली जा रही है, जब सुप्रीम कोर्ट बाबरी मस्जिद की जमीन के मालिकाना हक से संबंधित मामलों की सुनवाई कर रहा है. क्या इस समय यह यात्रा निकालना एक प्रकार से अदालत को चुनौती देना नहीं है? हिंदू राष्ट्रवादी, समाज का ध्यान और उसके संसाधनों को गलत दिशा में मोड़ रहे हैं. वे सिर्फ समाज के वर्चस्वशाली तबके की भावनाओं को संतुष्ट करना चाहते हैं. योगी आदित्यनाथ ने उत्तर प्रदेश सरकार के वार्षिक बजट में अयोध्या में राम की प्रतिमा के निर्माण और दीपावली और होली मनाने के लिए राशि का आवंटन किया है. क्या जिस प्रदेश में नन्हे बच्चे आक्सीजन की कमी के कारण मर रहे हों, वहां ऐसा करना स्तब्ध कर देने वाला और क्रूर नहीं है? रामराज्य रथयात्रा के लक्ष्य शुद्ध राजनैतिक हैं. अगर गांधी के राम से यह पूछा जाता कि अयोध्या की विवादित भूमि पर क्या बनना चाहिए, तो शायद वे भी अपना मंदिर बनवाने की बजाए उस पर किसी अस्पताल या विश्वविद्यालय के निर्माण की बात करते.

Loading

...102030...690691692693...700710720...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved