Opinion Magazine
Number of visits: 9741298
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પોતીકા સાથીઓની યાદ એ જ મારી મૂડી છે !

વાલજીભાઈ પટેલ|Opinion - Opinion|6 August 2024

વાલજીભાઈ પટેલ

પત્રકાર જગતમાં અચ્યુત યાજ્ઞિક, નિરંજન પરીખ અને ઈશ્વર પેટલીકર સાથેનો મારો સંબંધ 1971થી બંધાયો. ત્યારે અચ્યુતભાઈ ‘ગુજરાત સમાચાર’માં અને નિરંજન પરીખ / ઈશ્વર પેટલીકર ‘સંદેશ’માં હતા. ઈશ્વર પેટલીકર ‘સંદેશ’માં ‘લોક્સાગર ને તીરે તીરે’ કોલમ લખતા અને મારા સામાજિક પ્રશ્નોનાં લખાણો લઈને તેઓ ‘સંદેશ’ની કોલમમાં વિશ્લેષણ કરતા.

1971માં દ્વારકાના જગદગુરુ શંકરાચાર્ય નિરંજનદેવ તીર્થનું છાપામાં નિવેદન છપાયું કે ‘ધર્મના વડા તરીકે હું અસ્પૃશ્યતામાં માનું છું !’ આવું નિવેદન કરવા છતાં તત્કાલીન ગાંધીવાદી ગવર્નર શ્રીમન્નારાયણનો શંકરાચાર્યના આશ્રમમાં કાર્યક્રમ ગોઠવાયો. હું ગુસ્સે ભરાયો. મેં ખૂબ જ કડક ભાષામાં ગવર્નરને પત્ર લખ્યો અને એ પત્રની નકલ મેં અચ્યુતભાઈ અને ઈશ્વર પેટલીકરને આપી. તે ખૂબ જ ખુશ થયા. બીજા જ અઠવાડિયે ઈશ્વર પેટલીકરે મારા પત્રને તેમની કોલમમાં છાપી વિષદ ચર્ચા કરતો લેખ લખ્યો. ‘સંદેશ’નું આ લખાણ ગવર્નર સમક્ષ રજૂ થયું. બીજા દિવસે સાંજે 4 વાગે મારે ઘેર લાલ બત્તીવાળી ગાડી આવી. હું મારી બી.એ.ની પરીક્ષાનું છેલ્લું પેપર આપી સાયકલ પર ઘેર આવી રહ્યો હતો. દૂરથી મારા ઘરે લાલબત્તી વાળી ગાડી અને લોકોનું ટોળું જોતાં હું હેબતાઈ ગયો. જ્યારે ડ્રાયવરે મને કહ્યું કે ‘ગવર્નરે તમને મળવા બોલાવ્યા છે’, ત્યારે હું વિમાસણમાં પડ્યો. હું એકલા જવાને બદલે પ્રવીણ રાષ્ટ્રપાલને પણ સાથે લઇ જવા તેમને ઘેર ગયો. પ્રવીણ રાષ્ટ્રપાલ, તેમના ભાઈ રાહુલ રાષ્ટ્રપાલ અને હું ગવર્નરને મળવા ગયા. ગવર્નરે અમને ખાતરી આપી કે, ‘મેં જગદ્દગુરુનો પત્ર લખી ખુલાસો માંગ્યો છે. જો તે અશ્પૃશ્યતામાં માનતા હશે તો હું તેમના કાર્યક્રમમાં નહિ જાઉં.’ ગવર્નરે પોતાનો કાર્યક્રમ રદ્દ કર્યો. આ કાર્યક્રમ રદ્દ થયા પછી મેં ફરીથી ગવર્નરને પત્ર લખી માગણી કરી કે, જગદ્દગુરુનો લેખિત પૂરાવો છે, કાયદાથી કોઈ પર નથી. ત્યારે જગદ્દગુરુ સામે અસ્પૃશ્યતા ધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવાનો હુકમ કરો. ઈશ્વર પેટલીકરે મારી આ માગણી લઈને પણ તેમની કોલમમાં  જબરજસ્ત લેખ લખ્યો. ખૂબ ઊહાપોહ થયો. આ દરેક વખતે અચ્યુતભાઈ મારી પડખે હતા. પ્રથમ એમની ઓફિસ કોમર્સ કોલેજ પાસેના કેદાર એપાર્ટમેન્ટમાં  હતી. હું ત્યાં નિયમિત જતો.

અચ્યુત યાજ્ઞિક

અચ્યુતભાઈ ખૂબ જ વાસ્તવિક રીતે વિચારતા  હતા. તેનો એક ગજબનો અનુભવ મને 1985માં થયો. ગુજરાત સરકારના તત્કાલિન મુખ્ય મંત્રી માધવસિંહ સોલંકીએ બક્ષીપંચની અનામતમાં 10 ટકાનો વધારો કર્યો. ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા. અનામત એટલે માત્ર દલિત અને આદિવાસી એવી એક ગેરસમજ આજે પણ લોકો ધરાવે છે. એટલે ગામડે ગામડે બક્ષીપંચની જાતિના લોકો પણ દલિતોની વસ્તીઓ પર હુમલો કરવા લાગ્યા. અમે પણ મૂંઝવણમાં પડી ગયા. ચર્ચામાં અચ્યુતભાઈએ સૂચન કર્યું. આપણે સરકાર પાસે માંગણી કરીએ કે, સરકાર બક્ષીપંચમાં આવતી જ્ઞાતિનું લીસ્ટ બે ચાર દિવસ દરેક અખબારોમાં જાહેરખબરો આપી જાહેર કરે. અમે મુખ્ય મંત્રીને મળ્યા. સરકારે દરેક અખબારમાં ત્રણ દિવસ બક્ષીપંચમાં આવતી જ્ઞાતિની યાદીની મોટી જાહેરાતો અપાવી. પરિણામ ગજબ આવ્યું. મોટી વસ્તી ધરાવતા બક્ષીપંચને જાણ થઇ કે, આ તો અમારી અનામત વિરુદ્ધનું આંદોલન છે અને હુમલાઓ બંધ થયા !

1981નો તેવો જ બીજો અનુભવ અચ્યુતભાઈ અને નિરંજન પરીખની રાહબરી નીચેની અમારી લડાઈનો છે. 1981માં ગુજરાતી અખબારોએ અનામત આંદોલન ઊભું કર્યું અને ચલાવ્યું એમ કહી શકાય. તેમાં ‘ગુજરાત સમાચાર’નો વિશેષ ફાળો હતો. ખોટી અને ઉશ્કેરીજનક ભાષામાં સમાચાર છાપતા. ગોમતીપુરની દલિત વસ્તી વચ્ચે આવેલા જૈન મદિર ઉપર દલિતોએ હુમલો કર્યો, એવા તદ્દન જુઠ્ઠા સમાચાર મોટા ટાઈપમાં પહેલા પાને  છાપ્યા. અને તોફાનો વધી ગયા. આ બધા જ પુરાવાઓ હું ભેગા કરતો. પણ આંદોલનના સમયે મોટી દોડધામને કારણે સમયમર્યાદામાં પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં ફરિયાદ ન કરી શક્યો. પરિણામે પુરાવાઓ પડી રહ્યા. એક દિવસ તત્કાલીન કાઁગ્રેસના સંસદ સભ્ય હીરાલાલ પરમાર મારે ઘેર આવ્યા. તે ખૂબ જ અકળાયેલા હતા. કાઁગ્રેસ પક્ષ તેમને ગુજરાત મુદ્દે સંસદમાં બોલવાની મંજૂરી આપતા ન હતા. હીરાલાલ પરમાર મૂળે લડાકૂ, ચુસ્ત આંબેડકરવાદી હતા. તેમણે મને સંસદમાં બોલવા ભાષણ તૈયાર કરવા કહ્યું. મેં આ તક ઝડપી લીધી. ‘ગુજરાત સમાચાર’ સહિત ગુજરાતી અખબારોનાં પુરાવાઓ સાંકળીને તેમનું પ્રવચન તૈયાર કરી આપ્યું. હીરાભાઈએ, સંસદમાં પોતાના પક્ષના વિરોધ વચ્ચે પોતાની ખુરશી ઉપર ઊભા થઈને ગુજરાતી અખબારોની ભૂમિકા બાબતે જોરદાર પ્રવચન આપ્યું. સંસદમાં પોતાની બેસવાની ખુરશીમાં ઊભા થઈને જબરજસ્તી બોલવાનો પ્રસંગ આજદિન સુધી સંસદમાં બન્યો નથી. આ પ્રવચનનો એક મોટો ફાયદો થયો. સંસદે ‘ગુજરાત સમાચાર’ સામે કાર્યવાહી કરવા પ્રવચનના પુરાવાઓ પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને મોકલી આપ્યા.

એક દિવસ હીરાલાલ પરમાર પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની સુનાવણીમાં હાજર થવાની નોટિસ લઈને મારે ઘેર આવ્યા. માત્ર દશ જ દિવસનો સમય હતો. નોટિસ લઈને હું તાત્કાલિક અચ્યુતભાઈ પાસે પહોંચી ગયો. તેમણે ફોન કરી નિરંજન પરીખને બોલાવી લીધા અને આ તકનો ઉપયોગ કરવાનો અમે નિર્ણય લીધો. અચ્યુતભાઇની સૂચના મુજબ હું સંસદ સભ્ય હીરાભાઈ પરમાર પાસેથી સુનાવણીમાં મારા વતી અચ્યુત યાજ્ઞિક, નિરંજન પરીખ અને વાલજીભાઈ પટેલ હાજર થશે તેવી એફિડેવિટ લઇ આવ્યો. સમય ખૂબ થોડો હતો. ‘ગુજરાત સમાચાર’ની ફાઈલ મેળવી વિગતો ભેગી કરવાનું કામ અઘરું હતું. ત્યારે નિરંજન પરીખ ‘સંદેશ’ના ચીફ રિપોર્ટર અને પ્રેસ કામદાર યુનિયનના પ્રમુખ પણ હતા. તેમણે મને કહ્યું કે, ‘સંદેશ’ અને ‘ગુજરાત સમાચાર’ બંને એક બીજાના વિરોધી છે. એટલે બંને એક બીજાના વિરોધનો રેકર્ડ રાખે છે. જે અમારી લાયબ્રેરીમાં છે. પણ જોવાનું કામ મારાથી થઇ શકે તેમ નથી.’ હું બીજે જ દિવસે સાંજે ‘સંદેશ’ના તંત્રી ચીમનભાઈ પટેલને મળવા ‘સંદેશ’ પ્રેસ પર ગયો. ત્યારે ‘સંદેશ’ના નિવાસી તંત્રી ઈશ્વર પેટલીકર બેઠા હતા. ઈશ્વર પેટલીકરે તંત્રી ચીમનભાઈને મારો પરિચય આપ્યો. અને મેં તેમને આ કેસની વિગતે વાત કરી મદદ માંગી. તંત્રીએ તરત જ નિરંજન પરીખને બોલાવ્યા અને નિરંજનભાઈને મારી સાથે રહી મદદ કરવા હુકમ કર્યો. એટલું જ નહિ, મારી સાથે દિલ્હી જવાનો પણ હુકમ કર્યો. હું અને નિરંજનભાઈ બંનેએ બે દિવસ મહેનત કરી જરૂરી પુરાવાઓ એકઠા કર્યા. હવે પુરાવાનું અંગ્રેજીમાં અનુવાદ કરવાનું કામ આવ્યું. અચ્યુતભાઈએ પ્રો. હર્ષદ દેસાઈને બોલાવ્યા. બે દિવસ સુધી મારા દરિયાપુરના ઘરે રાત્રે 10થી સવારે 4 વાગ્યા સુધી કામ કર્યું. અને રિપોર્ટ તૈયાર કર્યો. અચ્યુતભાઈ ચાના ખૂબ શોખીન. તેઓ આખી રાત ચા બનાવતા રહ્યા. આમ અચ્યુતભાઈ, નિરંજનભાઈ અને હું એમ ત્રણેય દિલ્હી સુનાવણીમાં હાજર રહ્યા. રજૂઆત કરી. પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ ‘ગુજરાત સમાચાર’ને દોષિત જાહેર કર્યું !

એ વખતે ગિરીશભાઈ પટેલ, હરુભાઈ મહેતા, એડવોકેટ મહેશભાઈ ભટ્ટ, અચ્યુતભાઈ યાજ્ઞિક, નિરંજન પરીખ, પ્રો. હર્ષદ દેસાઈ, એડવોકેટ મુકુલ સિન્હા, એડવોકેટ રમેશ પી. ધોળકિયા (જસ્ટિસ આર.પી. ધોળકિયા, હાઈકોર્ટ) ,મનીષી જાની, રૂપા મહેતા, સોનલ મહેતા, અસીમ રોય, અને બીજા સંખ્યાબંધ કટિબધ્ધ સાથીઓની એક ટીમ હતી. અને મારે માટે તો અચ્યુતભાઈની ઓફિસ એક વિસામો હતો. આજે એમના નિર્વાણ દિવસે (અચ્યુત યાજ્ઞિકનું દેહાવસાન 4 ઓગસ્ટ 2023ના રોજ થયું હતું) ગિરીશભાઈ, હરુભાઈ મહેતા, અચ્યુતભાઈ, નિરંજનભાઈ, પ્રો. હર્ષદ દેસાઈ, જેતલપુર કેસની સુનાવણીમાં મને તેમના સ્કૂટર પર નિયમિત નારોલ કોર્ટમાં લઇ જતા જસ્ટીસ આર.પી. ધોળકિયા, આ બધાની યાદ સતાવે છે. જાણે કશું જ બચ્યું નથી તેવો ખાલીપો છે. આજે 87 વર્ષની વૃદ્ધાવસ્થાની સ્થિતિએ આ પોતીકા સાથીઓની યાદ એ જ મારી મૂડી છે. જેને વાગોળવાની જ રહી છે. સ્નેહી અચ્યુતભાઈ ને આખરી અંજલિ.

[વાલજીભાઈ પટેલ, એડવોકેટ, એક્ટિવિસ્ટ, સેક્રેટરી, Council for Social Justice. સંપર્ક : 9426412600]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

બજેટ 2024: મોદી, અર્થતંત્ર અને મધ્યમવર્ગ વચ્ચે મદહોશી, બેહોશી પછી હવે હોશના દાખલા ગણાશે?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|5 August 2024

બજેટ 2024 પછી મધ્યમવર્ગને પોતીકી લાગતી મોદી સરકાર અજાણી લાગવા માંડી છે ? — શું મધ્યમવર્ગને મોદી સરકારની અર્થતંત્રની સમજ અંગે શંકા જવા માંડી છે?

ચિરંતના ભટ્ટ

નિર્મલા સિતારમણ અને ભા.જ.પા.ની કેન્દ્રમાં સત્તાના ત્રીજા દોરના બજેટની ચર્ચા શમતી નથી. યુનિયન બજેટ કરતાં તો બજેટની જાહેરાત પછી બનેલાં મિમ્સ વધારે રસપ્રદ હતા. બજેટ બળાપાની મોસમ લાંબી ચાલવાની છે, એ ચોક્કસ. અમૃતકાળને નામે કેન્દ્ર સરકાર કંઇપણ ઝીંકી રહી છે અને આપણે બધાં એ વેઠવા સિવાય બીજું કંઇ કરી શકીએ તેમ નથી. બજેટની જાહેરાત થઇ એ પછી લોકો પોતે શું કરશે તો કરવેરો ભરવાનો વખત આવશે તેની યાદી બનાવવામાંથી નવરા નથી પડ્યા. મોદી સરકાર પર સૌથી વધારે ભરોસો મધ્યમવર્ગને હતો અને એક ટોક્સિક બૉયફ્રેન્ડની માફક મોદી સરકાર આડું-તેડું ઉપર-નીચે કશેય જોયા વિના આ ભરોસો તોડી રહી છે.

લાંબા સમય સુધી ભારતીય પ્રજા બચતમાં માનનારી પ્રજા જ રહી છે. આપણે આપણાં બધાંયનાં માતા-પિતાઓને બચત કરતાં, બચતની વાત કરતાં અને બચત કરવાના રસ્તાઓ શોધતાં જોયા છે. દોઢેક દાયકા પહેલાં એવો ફેરફાર આવ્યો કે મધ્યમવર્ગ બચતને બદલે રોકાણ તરફ વળ્યો. રોકાણ કરવું એટલે કે તમારી પાસે જે કમાણી છે તેનું રોકાણ કરી વધુ કમાણી કરવી. અંગ્રેજીમાં એને માટે શબ્દ છે – વેલ્થ ક્રિએશન અને ગુજરાતીમાં એક વાક્ય પ્રયોગ છે કે તમારો પૈસો તમારા માટે પૈસા કમાઇ લાવે એ જરૂરી છે. બચતમાંથી રોકાણ પર જતાં ભારતીય મધ્યમવર્ગને ખાસ્સો લાંબો સમય લાગ્યો કારણ કે આવડત, પહોંચ, પગારધોરણો, મોંઘવારી, બેરોજગારી એ બધાનો ચક્રવ્યૂહ પેચીદો છે. વળી રોકાણ કરવામાં કંઇ ખોટું નથી એ સમજવામાં પણ આપણને સમય લાગ્યો. માંડ માંડ રોકાણોની દિશામાં મધ્યમવર્ગે પોતાની ઝડપ પકડી અને નાણાં મંત્રીએ એવા તમામ વિકલ્પો પર એક યા બીજી રીતે કરવેરો ઝીંકી દીધો, જ્યાં મધ્યમવર્ગે રોકાણ કરીને પોતાની મહેનતનાં પૈસાથી જ થોડા વધારે પૈસા કમાવાનો પ્રયત્ન કરવાનું શરૂ કર્યું હતું. હોંશે હોંશે નરેન્દ્ર મોદીને મત આપનારા અને 400 પારના ઠેકડા મારનારા મધ્યમવર્ગના મ્હોંએ હવે તાળું મરાઇ ગયું છે કારણ કે મોદીનોમિક્સની આંટીઘૂંટી જે તેમને પહેલા વિકાસ અને પ્રગતિનો પથ લાગતી હતી તે હવે ભૂલભુલૈયા લાગે છે. અમૃતકાળ તો આવતા આવશે પણ અત્યારે તો ભા.જ.પા. અને મોદી સરકારને વફાદાર મધ્યમવર્ગને વધારે કરવેરા ભરવાનો વખત આવ્યો છે.

સ્ટૉક્સ અને ઑપશન્સની કમાણી પર વેરો નખાયો તો મોંઘાવરી સામે મિલકત વેચવા કાઢે ત્યારે જે ઇન્ડેક્સેશનનો લાભ મળતો હતો એ પણ હાથથી ગયો. લક્ઝરી ગૂડ્ઝ ટેક્સ પણ કમાલની ચીજ છે, મોંઘીદાટ વસ્તુ ખરીદવા પૈસા બચાવનારને તગડો ટેક્સ ભરવાનો આવશે પણ જે અતિ ધનિક હશે એ તો વીકેન્ડમાં દુબઇ જઇને બેને બદલે ચાર મોંઘી વસ્તુ લઇને પાછો આવી જશે અને ભારતીય ટેક્સના બોજથી પણ બચી જશે. કેન્દ્ર સરકાર સરળીકરણનું બહાનું આપીને બચાવ કરે છે અને સતત એમ મનાવવાનો પ્રયાસ કરે છે કે આ બધું કંઇ વધારે આવક એકઠી કરવા નથી કરાયું. વ્યક્તિગત કરવેરો કુલ કર આવકના 30 ટકા છે જે કંપનીઓ પાસેથી મેળવાતી 26 ટકા કર આવકથી પણ ચાર ટકા વધારે છે. 1.4 બિલિયન મધ્યમવર્ગીય ભારતીયો જે આ કરવેરાનો બોજ ઉપાડે છે તે એવા 800 મિલિયન ભારતીયો વચ્ચે પીસાય છે જેમાં ગરીબીની રેખા નીચે અથવા તેની નજીક જીવનારા અને મફતનું રાશન માંગનારા લોકો છે તો લગ્નોમાં 5,000 કરોડ ખર્ચી નાખનારા તવંગરો છે. દસમાંથી આઠ ભારતીયોને મહિને નિયમિત પગાર મળે છે અને તેમાંથી દસ ટકાથી ઓછાં મહિને પચાસ હજારથી વધુ કમાતા હશે. અમૃતકાળની રાહ જોતો અથવા તો અમૃતકાળ માટે તૈયાર દેશ, ક્રેડિટ કાર્ડ સહિતની રિટેલ લોન્સ, અસલામત દેવાઓ અને મોંઘવારી વચ્ચે આમથી તેમ ઝોલાં ખાઇ રહ્યો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન વિરોધ પક્ષ પર શબ્દોના બાણ ચલાવનારા મોદીએ – તેઓ આ લઇ જશે, તે લઇ જશે, નળ કાઢી જશે અને બેમાંથી એક ભેંસ લઇ જશે – એવા વિધાનો કર્યા હતા. હવે બધું લઇ જવાનું કામ મોદી સરકાર જ કરી રહી છે.

મણિપુર હોય કે લદાખ હોય કે પછી મોરબી જ જોઇ લો, અને હા નવા સંસદ ભવનમાં ફેલાયેલું પાણી હોય – નરેન્દ્ર મોદીની સરકાર જે કરે એ બરાબર જ હોય એવું કહેનારાઓ બજેટને મામલે કોઇપણ પ્રકારનો અભિપ્રાય આપી શકે તેમ નથી. જ્યારે કોઇ રાજકીય વિચારધારાને લોકો ટેકો આપે – પોતાની વૈચારિક, સામાજિક અને આર્થિક ક્ષમતા સાથે – ત્યારે તેમને એવી અપેક્ષા હોય કે આ લોકો જે કહે છે એ કરશે – પણ ભક્તિમાં તેઓ એ જોવાનં ભૂલી જાય છે કે ખાસ કરીને ભા.જ.પા. દ્વારા આર્થિક બાબતોને લગતી કોઇ નક્કર વાત ક્યારે ય કરાઇ જ નથી. બધા ગપગોળા અને અષ્ટમ્‌પષ્ટમ્‌ વાતો ચાલતી આવી છે. હિંદુવાદ, વિકાસ, સ્વરાજ, પ્રગતિ, ગૌરક્ષા, અયોધ્યા, મુસલમાનોની વિરોધમાં દેકારો જેવા મુદ્દાઓ પર ભા.જ.પા. ઊગી છે, ઊભી થઇ છે અને જીતી છે. ખાનગીકરણને આગળ કરનારી આ સરકાર જાહેર સાહસોને નુકસાન નહીં કરે પણ તેમના વિસ્તાર પર પણ ધ્યાન નહીં આપે કારણ કે પક્ષના અર્થતંત્ર માટે ખાનગી સાહસો વધારે અગત્યનાં છે. આ વાત માત્ર મોદી સરકારના વખતની ભા.જ.પા.ની નથી, પણ જ્યારથી ભા.જ.પા.નું અસ્તિત્વ છે ત્યારથી માંડીને આજ સુધી અર્થતંત્ર અંગે કોઇ નક્કર મુદ્દાઓ રજૂ થયા હોય એવું બહુ બન્યું નથી. મધ્યમવર્ગ જે બે છેડા ભેગા કરવામાં, સમાજમાં આગળ આવવામાં જ પોતાની જિંદગી પસાર કરતો હોય છે તેને હવે ભા.જ.પા.થી અળગું લાગે છે. મોદી સરકારે ગરીબોને ખુશ કરવાના મોહમાં મધ્યમવર્ગનો રોષ વહોરી લીધો છે.

મધ્યમવર્ગને અવગણીને મોદી સરકારે જોખમ વહોર્યું છે. આ જ મધ્યમવર્ગે રાજીવ ગાંધીને સત્તા આપી તેને વખાણ્યા બાદ તેનો વિરોધ કર્યો હતો. વી.પી. સિંઘ સાથે પણ એમ જ થયું હતું અને મનમોહન સિંઘને વધાવનારા મધ્યમવર્ગને યુ.પી.એ. II સત્તા પર આવી ત્યાં સુધીમાં તેમના પરથી પણ મન ઉઠી ગયું હતું.

ચેન્નઇ એક્સપ્રેસ ફિલ્મમાં એક સંવાદ છે, “નેવર અંડરએસ્ટિમેટ પાવર ઑફ અ કોમન મેન” – રાજકારણીઓએ મધ્યમવર્ગના સંદર્ભે આ સંવાદ કોઇ કાળે ભૂલવો ન જોઇએ. રાષ્ટ્રનો મિજાજ નક્કી કરવાની સત્તા આ મધ્યમવર્ગમાં જ છે. મોટેભાગે રાજકારણીઓ સત્તા મળ્યા પછી મધ્યમવર્ગનું મહત્ત્વ ભૂલી જતા હોય છે. નરેન્દ્ર મોદીએ શરૂઆતનાં વર્ષોમાં તો મધ્યમવર્ગને સાથે રાખ્યો પણ હવે એ પણ બીજા રાજકારણીઓ જેવા જ સાબિત થઇ રહ્યા છે. એમાં એમનો કોઇ વાંક પણ નથી કારણ કે એ કંઇ સુખડ કે સોનામાંથી બનેલા રાજકારણી તો છે નહીં. આ નકારાત્મક ઝૂકાવને બદલવાનો એક જ રસ્તો છે – મધ્યમવર્ગને, પોતાના ટેકેદારોને બહેતર ભવિષ્યની અને દેશના ઘડતરમાં – પોતાની સત્તામાં – તેમના યોગદાનનું મૂલ્ય છે અને રહેશેની ગેરંટી આપવી. જો કે અત્યારે, ખાસ કરીને બજેટ પછી આ સરકાર એવું કશું ય કરવાના મૂડમાં હોય એવું લાગતું નથી.

મોંઘવારી મધ્યમવર્ગનો પગાર ખાઇ રહી છે, ટેક્સ ભરીશું તો સામે શું મળશે એની કોઇ ખાતરી નથી. અફલાતુન ટ્રેન્સના વચનો વારંવાર થતા ટ્રેન અકસ્માતોની વચ્ચે ભૂલાઇ ગયા છે, શિક્ષણ નીતિમાં પુસ્તકોના કેસરીકરણથી વધુ કંઇ દેખાઇ નથી રહ્યું, સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર્સ લીક થાય છે તો કોચિંગ સેન્ટરના ધંધાની ગેરરીતિઓમાં વિદ્યાર્થીઓ મોતને ભેટે છે. મધ્યમવર્ગને હળવાશથી લેનારી સરકારે ચેતી જવું પડશે નહીંતર મધ્યમવર્ગ સરકારને હળવાશથી ઉથલાવી શકે છે એ તેના પુરાવા મળતા વાર નહીં લાગે.

પ્રગટ : ‘Business મિત્ર plus’ પૃષ્ટ, “ગુજરાતમિત્ર”, 05 ઑગસ્ટ 2024; પૃ. 08

Loading

राहुल गांधी की जाति क्या है

कुमार प्रशांत|Opinion - Opinion|5 August 2024

कुमार प्रशांत

तो भरी संसद में, लोकसभा के अध्यक्ष की उपस्थिति में सत्ता पक्ष के एक सांसद ने दूसरे को भद्दी (सामान्य सामाजिक सभ्यता के नाते भी और संविधान के नाते भी भद्दी !) गाली दी. फिर क्या हुआ ? अध्यक्ष ने इसे सामान्य मामले की तरह लिया और कहा कि वे गाली को फिर से सुनेंगे और फिर जो जरूरी होगा, वह करेंगे. सत्ता पक्ष के दूसरे सांसदों ने क्या किया ? कई खिलखिला कर बेशर्मी से हंसे; कई प्रतिशोध की जहरीली मुद्रा में उछल पड़े कि चलो, किसी ने तो इस आदमी का उस तरह अपमान किया जिस तरह हम भी करना चाहते तो थे लेकिन हिम्मत नहीं हो रही थी ! कुछ थे शायद जो असमंजस में चुप रहे लेकिन उनके चेहरे पर भाव ऐसा था मानो बात तो गलत है लेकिन अपनी पार्टी की तरफ से कही गई है, तो क्या बोलें और कैसे बोलें ! 

आप समझ ही गए होंगे कि प्रसंग उस दिन का है जिस दिन भारतीय जनता पार्टी के सुप्रसिद्ध विवेकहीन सांसद अनुराग ठाकुर ने, कांग्रेस के सांसद व प्रतिपक्ष के नेता राहुल गांधी के लिए कहा कि “जिसकी जाति का पता नहीं, वह जाति गणना की मांग कर रहा है!” वे समझ रहे थे कि वे जो बोलने जा रहे हैं उसकी चोट भी लगेगी और उसकी गूंज भी उठेगी. इसलिए, गला साफ़ कर, अध्यक्ष का ध्यान खींचते उन्होंने पूरी तैयारी से, समां बांध कर यह गाली दी.

राहुल गांधी की दिक्कत यह है कि महाभारत में जैसे अर्जुन को मछली की आंख मात्र दिखाई दी थी, दूसरा कुछ नहीं, वैसे ही उन्हें जातीय गणना का सवाल दिखाई देता है, उससे आगे-पीछे कुछ नहीं. यह उपमा उनकी ही दी हुई है. भारतीय जनता पार्टी का हाल भी ऐसा ही है. उसे इस मांग को एकदम सिरे से खारिज करने के आगे या पीछे दूसरा कुछ दीखता नहीं है. (उसे बिहार के मुख्यमंत्री नीतीश कुमार जरूर दीखते हैं लेकिन वे जानते हैं कि नीतीश कुमार की आवाज जब तक गुम है, तब तक वे उन्हें देख कर भी, अनदेखा कर ही सकते हैं !)

हम कहते हैं : राहुल गांधी-अनुराग ठाकुर में दोनों सही या दोनों गलत हो सकते हैं; या कोई एक गलत व दूसरा सही हो सकता है. लेकिन दोनों को अपनी-अपनी सही या गलत राय रखने का और उसे जाहिर करने का भी पूरा अधिकार है. यह अधिकार हम सबको जन्मसिद्ध मिला है जैसा कि बालगंगाधर तिलक ने स्वराज्य के लिए कहा था. लेकिन बालगंगाधर तिलक को तब जो अधिकार नहीं मिला था लेकिन हमें मिला है, वह यह है कि हमें अपनी राय रखने व उसे जाहिर करने का जन्मजात अधिकार तो है ही, संवैधानिक अधिकार भी है. तो हमारे तरकस में तिलक महाराज से एक वाण अधिक है. राहुल गांधी जातीय गणना की मांग करें और अनुराग ठाकुर उसका विरोध करें, इसमें आपत्ति जैसी कोई बात नहीं है. इन दो के बीच लोकसभा अध्यक्ष की कोई भूमिका है ही नहीं. लेकिन अनुराग ठाकुर अपनी राय भी न कहें, जातीय गणना के सवाल पर अपनी पार्टी का रुख भी स्पष्ट न करें लेकिन राहुल गांधी को भद्दी गाली दें, तो फिर लोकसभा के अध्यक्ष की भी सीधी भूमिका बन जाती है, अनुराग ठाकुर सीधे कठघरे में खड़े हो जाते हैं. इसलिए जो सवाल अखिलेश यादव ने पर्याप्त गंभीरता व जरूरी तेवर के साथ लोकसभा में पूछा, वही सवाल देश का हर साबित दिमाग आदमी अनुराग ठाकुर से, लोकसभा अध्यक्ष से, भारतीय जनता पार्टी से तथा ‘ईश्वरीय प्रधानमंत्री’ नरेंद्र मोदी से पूछ रहा है कि भाई, आप किसी से उसकी जाति कैसे पूछ सकते हैं ? यह हमारे तरकश का वह तीर है जो संविधान ने हमको दिया है. आप किस को जातिसूचक गाली नहीं दे सकते; आप संस्थानों में जातीय भेद-भाव नहीं कर सकते; आप जातीय टिप्पणियां कर किसी का अपमान नहीं कर सकते. मुख्तसर में यह कि आप किसी से उसकी जाति नहीं पूछ सकते.

जब अनुराग ठाकुर की बीमार, गंदी मानसिकता पकड़ी गई और उनके शातिर दिमाग ने हिसाब लगा लिया कि जातीय श्रेष्ठता का उनका तीर जहां पहुंचना था, पहुंच गया, तब उन्होंने उसी कायरता का परिचय दिया जैसी कायरता जातीय श्रेष्ठता का छूंछा भाव ओढ़ने वालों की पहचान है. जिससे कायरता भी शर्मिंदा होने लगे ऐसी कायरता से वे कहने लगे कि मैंने नाम तो नहीं लिया; मैंने कोई गाली तो नहीं दी; मैंने जाति तो नहीं पूछी. किया उन्होंने यह सब लेकिन इसे कबूल करने का साहस उनमें नहीं था. होता भी कहां से, क्योंकि साहस नैतिक धरोहर है, कुर्सी-पार्टी-मंत्रीपद की इजारेदारी नहीं.

अनुराग ठाकुर ने पूरी तैयारी से, सोच-विचार कर राहुल गांधी को गाली दी क्योंकि राहुल गांधी की बात का, तर्क का उनके पास कोई जवाब नहीं था . जब आपकी बौद्धिक औकात होती नहीं है तब आप गालियों का सहारा लेते हैं. बेचारे अनुराग ठाकुर पर दया ही की जा सकती है ! वे अपने सर के नाप से बड़ा जूता पहन कर चलते हैं और बार-बार उस जूते की मार खा कर चारो खाने चित्त गिरते हैं. जब वे किसी आमसभा में,  सार्वजनिक रूप से चिल्ला-चिल्ला कर सामूहिक गालियां दे कर, गोली मारने का नारा लगवा रहे थे, तब भी उनका पतन देख कर उबकाई आती थी, सदन में भी उस रोज़ वे ऐसी ही पतनावस्था में थे. “ जिसकी जात का पता नहीं” कहने के पीछे वही गंदी मानसिकता थी जिस गंदी मानसिकता से कोई कहता है, “ तेरे बाप का ठिकाना नहीं…!” यह गंदी गाली किसी अौरत को छिनाल या रखैल या कुलटा कहने, किसी पुरुष को चरित्रहीन या स्त्रीबाज कहने, किसी बच्चे को एक बाप का नहीं या अवैध कहने जैसी गंदी बात है. यह सांस्कृतिक हीनता है जो श्रेष्टता बन कर चीखती है और अंतत: आपको ही नंगा  कर जाती है.

राहुल गांधी के पिता राजीव गांधी, राजीव गांधी के पिता फीरोज गांधी, राहुल गांधी की मां इंदिरा गांधी, राहुल गांधी के नाना जवाहरलाल नेहरू, उनके पिता मोतीलाल नेहरू और उनकी मां स्वरूप रानी देवी, जवाहरलाल नेहरू की पत्नी कमला नेहरू व जवाहरलाल नेहरू की बहनें आदि सब-की-सब हमारे स्वतंत्रता संग्राम की मान्य हस्तियां हैं. इन सबने अपनी तरह से वह इतिहास बनाया है जिसके एक छोटे कोने में भी उन सबकी उपस्थिति नहीं मिलती है जो आज सत्ता की कुर्सियों पर बैठे हैं. हम नेहरू खानदान के हर सदस्य से असहमत हो सकते हैं लेकिन उन्हें जाति या धर्म की गाली देने जैसी हीनतर मानसिकता का प्रदर्शन नहीं कर सकते. जातिवादियों को पता होना चाहिए कि संविधान ने उनसे यह हक़ छीन लिया है.

राहुल गांधी ने ठीक ही कहा कि उन्हें न अनुराग ठाकुर की माफी चाहिए, न उन्होंने इसकी मांग ही की है. उन्होंने यह भी कहा कि वे जो लड़ाई लड़ रहे हैं, जाति का सवाल उठा रहे हैं, उसके जवाब में गालियां मिलनी ही हैं. हम को भी मालूम है, राहुल गांधी को भी मालूम है कि भारतीय समाज में सदियों से जातीय-न्याय की मांग करने वालों को कम-से-कम जो मिला है, वह गाली ही है. लेकिन अब अब हमारे अौर उनके बीच एक संविधान भी है जो इसे वर्जित करता है. लोकसभा में संविधान द्वारा वर्जित काम अनुराग ठाकुर ने किया है, तो उनकी संवैधानिक सदस्यता कैसे बरकरार रह सकती है ? अध्यक्ष ने इसे तब अनसुना कर दिया. सुना कि बाद में इस टिप्पणी को काररवाई से बाहर निकाल दिया.

अध्यक्ष ने जिस गुगली से अनुराग ठाकुर को बोल्ड होने से बचाया, उसी गुगली से ‘ईश्वरीय प्रधानमंत्री’ क्लीनबोल्ड हो सकते हैं. अध्यक्ष ने जिस टिप्पणी को काररवाई से बाहर निकाल दिया, उसे ही अपनी जोरदार अनुशंसा के साथ प्रधानमंत्री ने सारे देश को भेज दिया. यह भी तो संविधान का उल्लंघन है ! संविधान बदलने की घोषित मंशा से चुनाव लड़ कर परास्त हुए ‘ईश्वरीय प्रधानमंत्री” को संसद में संविधान को धूल करने का विशेषाधिकार तो प्राप्त है नहीं. तो अब लोकसभा के बिरले अध्यक्ष बिरला क्या करेंगे ? वे विपक्ष को सदन से निलंबित करने तथा विपक्ष को आंखें दिखाने के अलावा कुछ करने की हैसियत रखते हैं क्या ? और फिर यह सवाल भी बन ही जाता है कि अनुराग ठाकुर ने जो किया व कहा उसकी योजना प्रधानमंत्री की स्वीकृति व सहमति से पहले ही बन गई थी तभी तो प्रधानमंत्री ने, जो तब लोकसभा में अनुपस्थित थे, अनुराग ठाकुर भाषण के तुरंत  बाद उस पूरे भाषण को ‘रि-ट्विट’ किया !

अनुराग ठाकुर की बात इतनी मासूम नहीं थी. जाति-व्यवस्था से बीमार इस समाज में जाति को आदमी होने की हमारी हैसियत से जोड़ दिया गया है. कहते ही हैं न कि जो जाती नहीं है वह जाति है. अनुराग ठाकुर उसी बीमार-समाज के प्रतिनिधि हैं. संघवादी सोच ही इस बीमारी से ग्रसित है. इसलिए राहुल गांधी की जाति क्या है, इसका जवाब वही है जो राहुल गांधी ने उस दिन लोकसभा में दिया : उन्होंने पलट कर अनुराग ठाकुर से उनकी जाति नहीं पूछी.

(04.08.2024)                                                                                                                                        
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

...102030...641642643644...650660670...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved