Opinion Magazine
Number of visits: 9457085
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આપણા અનુ-આધુનિક સાહિત્ય વિશે ફરી એક વાર… (૬)

સુમન શાહ|Opinion - Literature|26 July 2024

સુમન શાહ

ખરા સાહિત્યકારો આધુનિક કે અનુ-આધુનિક કારિકાઓ – ફૉર્મ્યુલાઓ – પ્રમાણે સર્જન જવલ્લે જ કરતા હોય છે.

પરન્તુ વાચકો સાહિત્યિક સર્જનોને આધુનિક કે અનુ-આધુનિક દૃષ્ટિમતિથી વાંચી શકે છે જરૂર.

એટલું જ નહીં, સાહિત્યમાં સદા સર્વદા જીવન સમગ્ર હોય છે તેથી અને સાહિત્ય પૂર્ણપણે મનુષ્યના જીવનને વસ્તુજગતમાં મૂકીને નિહાળે છે તેથી, કોઈપણ વાચન-ભૂમિકાએથી સાહિત્યને વાંચી શકાય છે. એ ભૂમિકા કોઈપણ અભિગમ, વિચારસરણી કે દૃષ્ટિભંગિ અનુસારની હોઈ શકે છે.

જુઓ, આપણે અમુક સાહિત્યને ક્લાસિકલ કે રોમૅન્ટિસિસ્ટ કહીએ છીએ. પણ ત્યારે કેવા અભિગમથી, કઈ દૃષ્ટિએ, એમ કહેતા હોઈએ છીએ? આપણા એવા વાચનની ભૂમિકા શી હોય છે? જવાબ એ છે કે ત્યારે એ કૃતિ / કર્તાને આપણે ક્લાસિસિઝમ કે રોમૅન્ટિસિઝમના વિચારો-વિભાવોની દૃષ્ટિએ વાંચતા હોઈએ છીએ. આપણાં સાહિત્યિક નિરીક્ષણો, વિવરણો, અર્થઘટનો અને મૂલ્યાંકનો એ વાચન અનુસારનાં હોય છે.

જેમ કે, “શાકુન્તલ”-ને હું કલાસૌન્દર્યની દૃષ્ટિએ રસમીમાંસાની ભૂમિકાએ વાંચું; નર અને નારી વચ્ચે ઉદ્ભવતી પ્રીતિ અને વફાદારીની દૃષ્ટિએ પ્રેમમીમાંસાની ભૂમિકાએ વાંચું; પણ એને હું રાજા-પ્રજાના સમ્બન્ધની દૃષ્ટિએ રાજનીતિશાસ્ત્રની ભૂમિકાએ પણ વાંચી શકું.

જેમ કે, “ભગવદ ગીતા”-ને અધ્યાત્મદર્શન માટે કે કર્મ-ફળ સિદ્ધાન્તની સમજ મેળવવા વાંચું, પણ હું એને એક સર્વજ્ઞાતા પુરુષ અને પરાક્રમી વીર પુરુષ વચ્ચે રણાંગણમાં થયેલા દીર્ઘ પ્રશ્નોત્તર સંદર્ભે, સંવાદકલાની – આર્ટ ઑફ કૉન્વર્સેશનની – ભૂમિકાએ પણ વાંચી શકું.

આપણો કોઈ લેખક આપણને અનુ-આધુનિક લાગતો હોય, તો એમ લાગવાનું કારણ એ સ્વરૂપે થયેલું એની સૃષ્ટિનું આપણું વાચન છે. એ કારણે, કોઈની વાર્તાને કોઈકે આધુનિક ગણી હોય એ જ વાર્તાને કોઈક બીજો અધ્યેતા અનુ-આધુનિક ગણી શકે અથવા કોઈકને અનુ-આધુનિક લાગી હોય એ જ વાર્તાને કોઈક બીજો આધુનિક ઠેરવી શકે.

પરન્તુ મારા વાચનમાં મારી રુચિ, મારા ગમા-અણગમા, ભેદભાવ, વગેરે સબ્જેક્ટિવ ઍલિમૅન્ટ્સ ઘૂસી ગયાં હશે તો મારી એ વાચનભૂમિકા વિશ્વસનીય નહીં ઠરે. એથી મળેલાં પરિણામોને ચોખ્ખાં નહીં કહેવાાય. એને દૂષિત ગણવાં જોઇશે. એટલું જ નહીં, સામાવાળાઓ પોતાના ગમા-અણગમા જાહેર કરશે, એટલે ચડસાચડસી થશે, ટંટોફિસાદ થશે, પક્ષાપક્ષી થશે, અને તેથી એક જાતનું દુ:ખદ રાજકારણ પણ સરજાશે.

દાખલા તરીકે, હું સમાજશાસ્ત્રનું ભરપૂર જ્ઞાન ધરાવતો હોઉં એટલે મારું વાચન ઘણું ઉચિત હોય અને તેથી કૃતિ સાથેનો મારો મુકાબલો મારા માટે સાનુકૂળ હોય. મારાં એ સમાજશાસ્ત્રીય લેખાંજોખાં અનુસાર કૃતિ મહાન ઠરે. પરન્તુ જો એ કૃતિ મને મારા ગુજરાતી લેખકમિત્રની હોવાથી મહાન કે ઉત્તમ લાગી હોય, તો મારા એ મૂલ્યાંકનને ચોખ્ખું ન કહેવાય. અને, જો કોઈ કૃતિ ન-મિત્રની કે દુશ્મનની હોવાથી નિ:સામાન્ય લાગી હોય, તો પણ મારા એ મૂલ્યાંકન ચોખ્ખું નહીં કહેવાય.

હું રાજનીતિશાસ્ત્રનો પ્રકાણ્ડ પણ્ડિત હોઉં અને બીજા કોઈપણ શાસ્ત્રમાં મારી રુચિ હોય જ નહીં, અને હું “શાકુન્તલ” વાંચું, તો “શાકુન્તલ” મને નિ:સાર લાગે. પણ “સરસ્વતીચન્દ્ર”-માં ‘બુદ્ધિધનનો કારભાર’ કે ‘રત્નનગરીનું રાજ્યતન્ત્ર’ વાંચું તો એમાં મને ઘણો સાર વરતાય. એ જ રીતે, હું જો રોહિન્તન મિસ્ત્રીકૃત નવલકથા “એ ફાઇન બૅલેન્સ” વાંચું તો? કથામાં છે એ ચાર અજાણ્યા જન અને ૧૯૭૦-ના દાયકાની એ રાજદ્વારી ઊથલપાથલની નિરૂપણા મારી રાજનીતિપરક રુચિને ગમી જાય.

એ જ રીતે, હું જો ક્રાઇમ-ઇન્વેસ્ટર હોઉં કે ફૉરેન્સિક-નિષ્ણાત, તો જગવિખ્યાત મૂવી “ધ ગૉડફાધર” અને એ જ શીર્ષક ધરાવતી મારિયો પુઝોની નવલકથા પણ મને ગમી જાય. પાવરફુલ માફિયાઓ કેવું તો સમાન્તર રાજ ચલાવતા હોય છે, કેવું તો આગવું અર્થતન્ત્ર ગૂંથતા હોય છે, મને મજા પડે. અને ઘડીભર સમજો કે હું રીઢો ક્રિમિનલ હોઉં તો? તો તો એ સૃષ્ટિ જોઈને હું વારી જઉં, રાજીનો રેડ થઈ જઉં.

આ લેખના મારે ૪ સાર અંકે કરવા છે :

૧

આખા મામલામાં, નિર્ણાયક હોય છે, અભિગમ, વિચારસરણી, દૃષ્ટિભંગિ. 

હું આજે અનુ-આધુનિક લાગું કે ગઈ કાલે આધુનિક હતો, એમ ગણીએ છીએ ત્યારે, એ મામલમાં વાચનની આપણી ભૂમિકા જ નિર્ણાયક હોય છે.

૨

મારો અભિગમ, વિચારસરણી, દૃષ્ટિભંગિ, વાચન-ભૂમિકા નબળાં કે સબળાં હશે તો સંભવ છે કે મારું વાચન પણ નબળું કે સબળું હશે. એ સંજોગમાં હું આધુનિક સાહિત્યને કે અરે, અનુ-આધુનિક સાહિત્યને પણ ન્યાય નહીં આપી શકું બલકે હાનિ પ્હૉંચાડી બેસીશ.

૩

એક હકીકત અંકે કરવાજોગ છે : કોઈ કૃતિ મૂળે આધુનિક કે અનુ-આધુનિક હોય જ નહીં, તો એ આપણી વાચન-ભૂમિકાને નહીં ગાંઠે, આપણે ભૉંઠા પડી જઈશું. આપણી આધુનિકતાવાદી કે અનુ-આધુનિકતાવાદી વાચનભૂમિકા વ્યર્થ પુરવાર થશે, આપણે કશું લાભીએ નહીં.

૪

આપણને હંમેશા સવાલ થવો ઘટે કે અનુ-આધુનિક કૃતિ / કર્તા વિશેનાં આપણાં નિરીક્ષણો, વિવરણો, અર્થઘટનો અને મૂલ્યાંકનો અનુ-આધુનિક વિચારધારા અનુસારનાં ઑબ્જેક્ટિવ છે કે તેમાં ભેદભાવોથી લિપ્ત સબ્જેક્ટિવિઝમ પ્રવર્તે છે? 

સવાલ સાફ શબ્દોમાં થવો જોઇએ કે અનુ-આધુનિક સાહિત્યને આપણે આધુનિકતાને વિશેના દ્વેષભાવથી તો નથી વાંચતા ને? નારી અને દલિત તત્ત્વોવિષયક અનુ-આધુનિક સાહિત્યને આપણે ઉચ્ચાવચ લિન્ગભેદ અને ઉચ્ચાવચ વર્ણભેદની દૃષ્ટિએ તો નથી વાંચતા ને? 

કેમ કે ઉચ્ચાવચ લિન્ગભેદ સદીઓથી દૃઢ થયેલી પૈતૃક સત્તાની દેણગી છે અને વર્ણભેદ હીન અને કલંકિત વર્ણવ્યવસ્થાનું દુષ્ટતમ ફળ છે. એ બન્ને ભેદ આપણા લોહીમાં ભળી ગયા છે, ખરું કે નહીં?

= = =

(25 Jul 24 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

બજેટ : સામાન્ય માટે અસામાન્ય અને અસામાન્ય માટે સામાન્ય

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|26 July 2024

રવીન્દ્ર પારેખ

નાણાં મંત્રી નિર્મલા સીતારામને સાતમી વખત કેન્દ્રીય બજેટ રજૂ કરીને વિક્રમ કર્યો તે સાથે જ ભા.જ.પે. બજેટને વખાણ્યું અને વિપક્ષે વખોડયું. બજેટ કોઈ પણ હોય, વખાણ-વખોડની આ ફોર્મ્યુલા નક્કી જ હોય છે. સંસદમાં બજેટ સાંભળ્યા વગર પાટલી ઠોકાતી રહે છે ને વિરોધ પણ થતો રહે છે. બજેટ હોય કે કૈં પણ હોય, જે તે પક્ષની માનસિકતા આ રીતે પ્રગટ થતી રહે છે. એમાં અત્યારે વિપક્ષ, આંધ્ર અને બિહારને અનુક્રમે પંદર હજાર અને સાંઠેક હજાર કરોડની લહાણી થઈ તેનો હોબાળો કરી રહ્યો છે. ચંદ્રાબાબુ તો 70,000 કરોડની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની રિફાઇનરી અગાઉ જ પડાવી ગયા છે, એટલે એમને પણ લહાણી ઓછી થઈ નથી. એ સાચું કે બિહારના નીતીશકુમાર અને આંધ્રના ચંદ્રાબાબુ નાયડુને ટેકે ભા.જ.પ.ની સરકાર અત્યારે સત્તામાં છે, એટલે એને રાજી રાખવાનું સમજી શકાય એવું છે, પણ બંનેની અલગ રાજ્યની માંગણી કેન્દ્ર સરકારે નકારી છે એ ભૂલવા જેવું નથી. ધારો કે કાઁગ્રેસ આ રીતે સત્તામાં આવી હોત તો તેણે પણ સાથી પક્ષોને સાચવવા લહાણી કરી જ હોત તે સમજી લેવાનું રહે.

બીજી મહત્ત્વની વાત એ કે બજેટમાં જાહેરાત ન થઈ હોય એવું બને, પણ અન્ય રાજ્યોને કૈં જ મળ્યું નથી એવું નથી. પૂર્વોદય યોજનામાં જે પાંચ રાજ્યો સામેલ હતાં, એમાં બિહાર અને આંધ્ર સિવાય બંગાળ, ઓડિસા અને ઝારખંડ પણ છે, તે ઉપરાંત અસમને પૂર નિયંત્રણ અને મહારાષ્ટ્રને સિંચાઈ પરિયોજના માટે ફંડ ફાળવવામાં આવ્યું જ છે, એટલે આંધ્ર અને બિહારને જ બધું લૂંટાવી દેવાયું છે એ વાતમાં દમ નથી. અત્યારે ભલે દિલ્હીમાં કાઁગ્રેસી નેતા એમ કહે કે સત્તા બચાવવા બિહારને વિશેષ મદદ કરી, પણ પટનામાં એમના જ પક્ષના નેતા એવો આરોપ લગાવી રહ્યા છે કે બજેટમાં બિહારને કૈં મળ્યું નથી. ટૂંકમાં, કાઁગ્રેસે એ નક્કી કરી લેવું જોઈએ કે પોતાના જ પક્ષના બે નેતાઓમાંથી કોનો મત સ્વીકારવા જેવો છે.

એટલું છે કે આ વખતનું બજેટ મોદી સરકારની નવ પ્રાથમિક્તાઓ પર આધારિત છે, જેમાં કૃષિ, રોજગાર, માનવ સંસાધન વિકાસ, શહેરી વિકાસ … સામેલ છે. એમાં પણ બજેટમાં શિક્ષણ અને રોજગાર પર વિશેષ ધ્યાન અપાયું છે. રોજગારને પ્રોત્સાહન આપવા માટે પહેલી નોકરીએ ત્રણ હપ્તામાં 15,000(થી વધુ નહીં એ રીતે) અપાશે. કેન્દ્ર સરકારે ટોપ 500 કંપનીઓમાં 5 વર્ષમાં 1 કરોડ યુવાનોને ઇન્ટર્નશિપ આપવાની જાહેરાત કરી છે, જેમાં દર મહિને 5,000નું સ્ટાઇપેન્ડ અને 6,000નો વન ટાઈમ સપોર્ટ આપવામાં આવશે. એ તો થાય ત્યારે, પણ દર વર્ષે બે કરોડ યુવાનોને નોકરી આપવાનું અગાઉ બોલાઈ ચૂક્યું છે ને ત્યાંથી હવે પાંચ વર્ષમાં એક કરોડ રોજગાર પર વાત આવીને અટકી છે, એમાં જ સરકારની પ્રતિબદ્ધતા સમજાય એમ છે.

મધ્યમવર્ગી નોકરિયાતોને બજેટમાં કર રાહતની અપેક્ષા રહેતી હોય છે ને એમાં મોટે ભાગે નિરાશા જ સાંપડતી હોય છે. આ વખતે સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા 50,000થી વધારીને 75,000 કરવામાં આવી છે. ટેક્સ રેટના સ્લેબ બદલાયા છે ને એ દ્વારા 17,500ની કર રાહત અપાયાની વાત છે. ન્યૂ રિજિમ અને ઓલ્ડ રિજિમની યુક્તિ નાણા મંત્રીએ જ દાખલ કરેલી અને હવે ઓલ્ડ રિજિમ નાબૂદ કરવાની યુક્તિ હોય તેમ બધી જ કર રાહતો નવી રિજિમને જ લાગુ કરી છે. ઓલ્ડ રિજિમમાં કર રાહત મેળવવા લોકો પાસે બચત કરાવાતી હતી, તે સ્થિતિ નવી રિજિમમાં નથી. એટલે કરદાતાઓ હવે બચત નહીં કરે ને એનો અણીને વખતે જે લાભ એમને મળતો હતો એ નહીં મળે એમ બને.

વેલ, સરકારે 17,500 કરોડની કરવેરામાં રાહત આપતાં, એટલી ખોટ ખાવી પડશે, એવો અફસોસ કર્યો, ત્યારે દર મહિને 25,000 કરોડની વસૂલાત માત્ર જી.એસ.ટી. દ્વારા તે કરી રહી છે એ વાત તે કહેતી નથી. સરકાર પોતે જ કહે છે કે ગયા વર્ષનો 27લાખ 28 હજાર કરોડનો ટેક્સ આ વખતે વધીને 31 લાખ 29 હજાર કરોડ થયો, મતલબ કે 4 લાખ એક હજાર કરોડનો ટેક્સમાં વધારો થયો છે. આ 4.01 લાખ કરોડ કેન્દ્ર પાસે આવે છે લોકોના ગજવામાંથી. એ આવે છે ઇન્કમટેક્સ, જી.એસ.ટી., પેટ્રોલ ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી, અન્ય કરવેરામાંથી. આ રકમ લોકો પર ખર્ચાતી નથી, પણ 200 લાખ કરોડની લોનનું પોણા બાર લાખ કરોડ વ્યાજ ભરવામાં 4.01 લાખ કરોડ જાય એવું બને. ગયે વર્ષે જ 10 લાખ 44 હજાર કરોડ પર્સનલ ઇન્કમટેક્સ આવ્યો. આ વખતે એ 11 લાખ 88 હજાર કરોડ આવ્યો. મતલબ કે 1 લાખ 44 હજાર કરોડ એકસ્ટ્રા આવ્યા. આટલી રકમ લૂંટયા પછી પણ 17,500 કરોડની ઇન્કમટેક્સમાં અપાયેલી છૂટનું સરકાર રડે તો હસવું જ આવે કે બીજું કૈં? બજેટની અંદરની વાતો જોઈએ તો એટલું સમજાય છે કે સરકારે 17,500ની કર રાહત આપીને કોઈ ઉપકાર કર્યો નથી. પાંચ લાખની કરમુક્તિની મર્યાદાનું વચન તો આટલે વર્ષે ય સરકારથી પળાયું નથી, તે એટલે કે 3 લાખની મર્યાદા હોય તો ઘણાનો આવકવેરામાં સમાવેશ થઈ શકે. માત્ર 2 કરોડ લોકો જ ટેકસ ભરે છે, એટલે વધુ લોકો ટેક્સ ભરે એ જરૂરી પણ છે, પણ કેટલા લોકો ટેકસેબલ ઇન્કમ જેટલું કમાય છે એ જોઈએ તો બહુ મોટો આંકડો આવે એમ નથી. એ પણ ખરું કે જે ભરી શકે એમ છે એવા ખમતીધરો ટેક્સ ભરતા નથી ને મોટે ભાગે મધ્યમવર્ગના પગારદારો જ ઇન્કમટેક્સ ભરે છે.

સરકારે સંરક્ષણ માટે 400 કરોડનો વધારો કરી 6,21,940 કરોડ ફાળવ્યા છે. શસ્ત્રોની ખરીદી, પગાર-પેન્શન સંદર્ભે આ વધારો નજીવો છે. સુરક્ષાને મામલે આવી કરકસર જોખમી છે. કૃષિ આપણું ગ્રોથ એન્જિન છે એવું કહેનારી સરકારે ખાતરમાં ગયે વર્ષે 1 લાખ 89 હજાર કરોડ આપ્યા, આ વર્ષે ઘટાડીને 1 લાખ 64 હજાર કરોડ કરી દીધા. એમ કરીને 25,000 કરોડનું ‘ખાતર’ પાડ્યું. 5 કિલો અનાજ મળે છે એ ફૂડ સબસિડી ગયે વર્ષે 2 લાખ 12 હજાર કરોડ હતી તે ઘટીને 2 લાખ 5 હજાર કરોડ કરી દેવાઈ. 7 હજાર કરોડનો એમાં પણ કાપ આવ્યો. કૃષિનું બજેટ ગયે વર્ષે 1 લાખ 25 હજાર કરોડ હતું. આ વખતે તે થયું 1 લાખ 52 હજાર કરોડ. કૃષિમાં 27 હજાર કરોડનો વધારો દેખાય, પણ તે ખાતરમાંથી 25,000 કરોડ કાઢી લીધા પછીનો છે. સરકાર દ્વારા ઉલ્લેખિત નવ પ્રાથમિક્તામાં આરોગ્યનો સમાવેશ નથી. સરકારે કેન્સરની 3 દવાઓ કસ્ટમ ફ્રી કરતાં તે સસ્તી થશે, આયુષ્યમાન ભારતમાં મફત ઇલાજની વાતો તો ઘણી થાય છે, પણ 48.20 લાખ કરોડનાં બજેટમાં આરોગ્યની ઉપેક્ષા અસહ્ય છે.

100 સ્માર્ટ સિટીની વાતો દરેક બજેટમાં થાય છે, પણ દેશમાં કેટલી સ્માર્ટ સિટીઓ બની એ સ્પષ્ટ નથી. ગયે વર્ષે પૂરા ભારતનાં સ્માર્ટ સિટી મિશન માટે 8,000 કરોડ ફાળવાયા. એમાં પણ આ વર્ષે 2,400 કરોડ જ આપ્યા ને 5,600 કરોડ કાપી લીધા. લાગે છે સ્માર્ટ સિટી બની ગયા હશે અથવા તો એની જરૂર જ હવે રહી નહીં હોય. મનરેગામાં ત્રણ વર્ષ પહેલાં 90,000 કરોડ આપેલા. આ વખતે 86,000 કરોડ આપ્યા છે. આમ બધામાં કાપ જ મુકાતો ગયો છે. આદિવાસીઓ માટે બે વર્ષ પર 4,300 કરોડ આપેલા, આ વખતે પણ 4,300 કરોડ જ ફાળવાયા છે. આદિવાસીઓને મદદની મોટી મોટી વાતો થાય છે, પણ એને માટેનું બજેટ ફાળવવામાં ઉદારતા દાખવાતી નથી. લોકોના ગજવામાંથી 4 લાખ 1 હજાર કરોડ કાઢી લીધા પછી પણ, ફાળવાવું જોઈએ, એટલું ફાળવાતું નથી. એક બાબત સ્પષ્ટ છે કે જે આપે છે તેને જ ખંખેરવામાં આવે છે ને નથી આપતો તે વધુ કમાય એવી તકો આવી મળે છે. શેર બજારની આવક પર શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ અનુક્રમે 12.5 અને 20 ટકા કરી દેતાં સેન્સેક્સમાં શરૂઆતમાં જ 1,500 પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો. ટેક્સના આ વધારાથી શેર બજારમાં રોકાણ કરનારા રાજી નથી. સાધારણ માણસ અસાધારણ રીતે લૂંટાય છે ને અસાધારણ માણસ સાધારણ રીતે કમાતો જ જાય છે. આ દેશના મોટા ઉદ્યોગપતિઓ એનાં ઉદાહરણો છે. આ બજેટથી મોંઘવારી અને તેનો માર વેઠતા ગરીબો ને મધ્યમવર્ગીઓને ખરેખર કેટલી રાહત થશે તે નથી ખબર, પણ આજ સુધી એવું રહ્યું છે કે બજેટમાં રાહતની વાતો તો થાય છે, પણ પીડામાં રાહત થતી નથી ….

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 26 જુલાઈ 2024

Loading

लोकसभा आमचुनाव 2024: प्रजातंत्र और धार्मिक अल्पसंख्यक

राम पुनियानी|Opinion - Opinion|26 July 2024

राम पुनियानी

उत्तर प्रदेश और उत्तराखंड में खाने-पीने का सामान बेचने वाली सभी दुकानों में नेमप्लेट लगाने के आदेश – जिस पर सुप्रीम कोर्ट ने बाद में रोक लगा दी – की तुलना रंगभेदी दक्षिण अफ्रीका और नाज़ी जर्मनी से की गई. नाज़ी जर्मनी में यहूदियों को अपनी दुकानों और व्यवसायों को चिन्हित करने पर मजबूर किया गया और इसके बाद उनका अत्यंत क्रूरतापूर्ण दमन हुआ.

सन 2024 के आमचुनाव में भारतीय जनता पार्टी (भाजपा) की चुनावी ताकत में कमी आई. वह बहुमत हासिल नहीं कर सकी. इससे यह आशा जागी थी कि बहुवाद और विविधता जैसे प्रजातान्त्रिक मूल्य एक बार फिर मज़बूत होंगे.

चुनाव प्रचार के दौरान ही प्रधानमंत्री नरेन्द्र मोदी को यह अहसास हो गया था कि राममंदिर कोई जादू की छड़ी नहीं है जो उनकी पार्टी की झोली को वोटों से भर देगी. और इसलिए उन्होंने समाज को बांटने वाले प्रचार का सहारा लेना शुरू कर दिया. उन्होंने इंडिया गठबंधन पर आरोप लगाया कि अल्पसंख्यकों का समर्थन हासिल करने के लिए वह उनके आगे मुजरा कर रहा है. उन्होंने यह भी कहा कि इंडिया गठबंधन संविधान में संशोधन कर अनुसचित जातियों / जनजातियों और ओबीसी के लिए आरक्षण समाप्त कर देगा और उनके लिए निर्धारित कोटा, मुसलमानों को दे दिया जाएगा.

हिन्दुओं को आतंकित करने के लिए उन्होंने यह भी कहा कि हिन्दू महिलाओं का मंगलसूत्र उनसे छीन कर मुसलमानों को दे दिया जायेगा. उन्होंने इस तरह की कई बातें कहीं. मगर नफरत फैलाने की यह कोशिश भाजपा के काम नहीं आई और लोकसभा में उसकी सीटों की संख्या 303 से घट कर 240 रह गई.

इससे यह आशा जागी कि अब अल्पसंख्यकों को निशाना बनाने की कोशिशों में कमी आएगी और सामाजिक सद्भाव बढेगा. मगर एनडीए (जिसका सबसे बड़ा घटक भाजपा है) सरकार के शासनकाल के पिछले कुछ हफ़्तों के घटनाक्रम ने इन आशाओं पर पानी फेर दिया है. बल्कि, भाजपा नेताओं और सरकार की कथनी-करनी से ऐसा लग रहा है कि वे अपनी पुरानी हरकतों से बाज आने को तैयार नहीं हैं.

असम के मुख्यमंत्री श्री हेमंत बिस्वा सरमा, जो नफरत फैलाने वाली बातें कहने के लिए कुख्यात हैं, ने कहा कि असम जल्दी ही मुस्लिम बहुसंख्यक राज्य बन जायेगा. उनके अनुसार, राज्य की आबादी में मुसलमानों का प्रतिशत सन 1951 में 12 प्रतिशत था (बाद में उन्होंने इसे 14 प्रतिशत बताया), जो अब 40 प्रतिशत हो गया है. ये आंकड़े झूठे हैं और इनका उद्देश्य केवल हिन्दुओं को डराना है. सच यह है कि सन 1951 की जनगणना के अनुसार राज्य की आबादी में मुसलमानों का प्रतिशत 24.68 था और 2011 की जनगणना के अनुसार, 34.22. पुरानी आदतें जल्दी छूटती नहीं हैं.

पश्चिम बंगाल, जहाँ भाजपा को मुंह की खानी पड़ी और उसके लोकसभा सदस्यों की संख्या 18 से घट कर 12 रह गयी, में पार्टी नेता सुवेंदु अधिकारी भाजपा की सीटों में गिरावट के लिए मुसलमानों को दोषी ठहराते हैं. उन्होंने घोषणा की, “हमें सबका साथ – सबका विकास की बातें करने की ज़रुरत नहीं है. हमें तो यह कहना चाहिए कि जो हमारा समर्थन करेगा, हम उसका समर्थन करेंगे.” भाजपा परिवार के कई सदस्यों ने अधिकारी के बयान से असहमति दर्शाई मगर जो उन्होंने कहा वह निश्चित तौर पर पार्टी के वास्तविक राजनैतिक लक्ष्यों का खुलासा करता है.

इससे से भी एक कदम और आगे बढ़कर, उत्तर प्रदेश के मुज़फ्फरनगर में डीआईजी ने निर्देश दिया कि कांवड़ यात्रा के रास्ते में पड़ने वाली खाने-पीने का सामान बेचने वाले दुकानों और होटलों को उनके मालिकों और कर्मचारियों के नाम की पट्टी लगाना आवश्यक होगा.

सुप्रीम कोर्ट ने 21 जुलाई को उत्तर प्रदेश एवं उत्तराखंड की सरकारों द्वारा जारी किये इस निर्देश के अमल पर रोक लगा दी. न्यायमूर्ति हृषिकेश रॉय और एस.वी.एन. भट्टी की एक खंडपीठ ने इस सम्बन्ध में एक अंतरिम आदेश जारी किया.

प्रशासन के अनुसार यह कदम उन “हिन्दू श्रद्धालुओं की आस्था की पवित्रता की रक्षा करने के लिए उठाया गया है, जो सावन के महीने में कांवड़ यात्रा में भाग लेते हैं.” उत्तर प्रदेश के बाद उत्तराखंड की सरकार ने भी यही निर्देश जारी किया. इसके बाद भाजपा की अन्य सरकारें भी ऐसे ही निर्देश जारी करने की जुगत में थीं, जिससे धीरे-धीरे यह नियम व्यापक रूप से लागू हो जाता.

जब इस कदम की आलोचना हुई तो राज्य सरकार ने कहा कि नाम लिखना वैकल्पिक होगा. यह श्स्यद पहला ऐसा सरकारी आदेश होगा जिसका पालन करना ऐच्छिक है! देश के सर्वोच्च नेता और प्रधानमंत्री ने इस आदेश के मामले में चुप्पी साध रखी है. इससे ऐसा लगता है कि उनकी पार्टी की यही नीति है. इस निर्णय का भाजपा के गठबंधन साथियों जैसे जनता दल (यूनाइटेड) और लोक जनशक्ति पार्टी (रामविलास) ने भी विरोध किया. मगर उससे भू कुछ नहीं हुआ. साफ़ है कि मोदी के लिए गठबंधन दलों की राय का कोई महत्व नहीं है.

यह शायद भाजपा द्वारा लिया गया सबसे ज्यादा निर्णायक कदम है. इससे कांवड़ यात्रा के रास्ते में पड़ने वाली होटलों में मुसलमान कर्मचारियों को निकालने का सिलसिला शुरू हो गया है. सच तो है कि शुद्धता और प्रदूषण जैसी अवधारणाओं की आज के समय में कोई जगह नहीं है. हरिद्वार से गंगा का पानी भरकर उसे विभिन्न शिवमंदिरों में ले जाने की परंपरा काफी पुरानी है. मगर पिछले कुछ दशकों में, विशेषकर 1980 के दशक के बाद से, इसने बहुत जोड़ पकड़ लिया है. राममंदिर आन्दोलन से शुरू हुई धर्म की राजनीति का समाज में बोलबाला बढ़ने के साथ-साथ कांवड़ यात्रा में भागीदारी भी बढ़ी है. अब लाखों-लाख लोग इन यात्राओं में भाग लेते है.

बहरहाल, इस तरह के आदेश का क्या नतीजा होता? कई लोगों ने इस आदेश की तुलना दक्षिण अफ्रीका की रंगभेदी सरकार और जर्मनी की नाज़ी सरकार द्वारा लिए गए निर्णयों से की है. नाज़ी जर्मनी में फासीवादी नीतियों के निशाने पर यहूदी थे. उन्हें उनकी दुकानों के सामने स्टार ऑफ़ डेविड लटकाने और अपने शरीर पर पहनने के लिए कहा गया. इससे उनकी पहचान करना और उन्हें प्रताड़ित करना आसान हो गया. कांवड़ यात्रा के बारे में यह निर्णय शायद एक प्रयोग था और आगे चलकर भाजपा सरकारें ऐसे कदम उठा सकतीं हैं जिनसे मुसलमानों की पहचान करना आसान हो जाए.

ऐसा लग रहा है कि देश की राजनीति में सांप्रदायिकता का ज़हर घुल चुका है. भाजपा और उसके गठबंधन साथियों को चुनाव में हराना, देश में बहुवाद की पुनर्स्थापना की ओर पहला कदम है. मुसलमानों के राजनैतिक प्रतिनिधित्व में कमी लाने के साथ-साथ उन्हें निशाना भी बनाया जा रहा है. आरएसएस-भाजपा के नेताओं का कहना है कि वे मुस्लिम राजनीति को साम्प्रदायिकता से मुक्त करने का प्रयास कर रहे हैं.

कांवड़ यात्रा सम्बन्धी आदेश से साफ़ है कि यह दावा शुद्ध पाखण्ड है. वे यह नहीं बताते कि भाजपा का एक भी लोकसभा सदस्य मुसलमान क्यों नहीं है और यह भी कि मंत्रीपरिषद् में एक भी मुसलमान को क्यों शामिल नहीं किया गया है. उनका दावा है कि वे अब पसमांदा मुसलमानों से जुड़ने की कोशिश कर रहे हैं. क्या उन्हें पता है कि भाजपा की राजनीति के सबसे बड़े शिकार कौन हैं? अगर सुप्रीम कोर्ट आदेश पर रोक नहीं लगाता तो निर्णय का सबसे ज्यादा खामियाजा पसमांदा मुसलमानों को ही भोगना पड़ता.

इंडिया गठबंधन को इस तरह के क़दमों का जम कर विरोध करना चाहिए. यह ज़रूरी है कि समावेशी मूल्यों को बढ़ावा दिया जाए और उन प्रतिगामी नीतियों के खिलाफ संघर्ष किया जाए जो समाज को बांटने वाली हैं और हिन्दू राष्ट्र की स्थापना की ओर कदम हैं.

23 जुलाई 2024
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया. लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं) 

Loading

...102030...484485486487...490500510...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved