તમે વેબસાઇટના કોઠામાં નહીં, એની દુનિયામાં પ્રવેશ્યા … દુનિયા રંગ રંગીલી ! અાપણે જીવનમાં એવા વળાંકે ઊભા છીએ જ્યાં હાર – જીત વિશે વિચારવાનું નથી રહેતું. “અોપિનિયન” તમારો (સ્વૈચ્છીક) કર્મયોગ છે. બાકી અાપણે બધાં અર્જુન !! કાશ અાપણી સાથે ય એક કૃષ્ણ હોત … … ! અા સદીના અાપણાં લક્ષણો જોઈ કૃષ્ણ કદાચ મરક મરક હસતા કહે … ‘ભાઈ, તું જ અર્જુન અને તું જ કૃષ્ણ !’
અાપણી ભય-શંકાનું નિવારણ અાપણું કામ (“અોપિનિયન”) કરશે. તમારી અાટલાં વર્ષોની તપશ્ચર્યા છે … સાહિત્ય રસિક અને ગુજરાતી ભાષા પ્રેમીઅોનાં અાદર, માન, સન્માન અને સહકાર એ તમારું કવચ … પછી અભિમન્યુનો કોઠો હોય કે વેબ દુનિયા … !!
તમે મારી જેવા અનેકના પ્રેરણા સ્રોત છો. મારાથી કાંઈક સારું લખાશે તો જરૂર મોકલીશ. તમારા અામંત્રણ બદલ અાભાર.
તમારા “અોપિનિયન” વિશે અમારો અોપીનિયન અવાર-નવાર અાપીને તમને ‘ચિયર અપ’ નથી કર્યા તે બદલ ક્ષમસ્વ ! પણ “અોપિનિયન” પર મારી સ્નેહ નજર રાખતી હોઉં છું.
તમે તમારા અાત્મવિશ્વાસના ગાડે જોતરાયા છો, પણ તમે ક્યાં એકલા છો ! તમારી સાથે સદ્દભાવનાના ગાડે ગાડા છે. તમે તો જાણે સમગ્રતાથી ભરેલા છો. ‘વિપુલ’ છો.
વિપુલ સ્નેહ, વિપુલ સહાનુભૂતિ, વિપુલ સહયોગ … મારી ને મહેશની વિપુલ શુભેચ્છાઅો.
બૉસ્ટન, 04 મે 2013
![]()


આ કામ કિશોર દેસાઈ છેલ્લાં પચ્ચીસ વર્ષથી કરતા રહ્યા છે. અહીંનાં સામયિકોના સંપાદકોને પણ સતત એક સરખી ઊંચી ગુણવત્તાવાળાં લખાણો મેળવવામાં મુશ્કેલી પડે છે, અને તેમણે બાંધછોડ કરવી પડે છે. તો અમેરિકામાં રહીને આવું સામયિક પ્રગટ કરવાનું તો વધારે મુશ્કેલ હોય. પણ એવી મુશ્કેલીઓ વટાવીને જ્યારે ગુર્જરી ડાયજેસ્ટે પચ્ચીસ વર્ષ પૂરાં કર્યાં ત્યારે તેના બધા અંકોમાંથી ચૂંટેલાં લખાણો પુસ્તકરૂપે પ્રગટ થયાં છે. ‘આનંદયાત્રા’ નામના આ પુસ્તકનાં ૫૯૩ પાનાંમાં આ સામયિકમાંથી સારવેલું નવનીત મળી રહે છે. સામયિકનું સંપાદન ભલે એક હાથે થતું હોય, પણ પુસ્તક અંગે એક સારી વાત એ થઈ છે કે કિશોરભાઈએ સંપાદનના કાર્યમાં બીજાઓનો સાથ પણ લીધો છે. વાર્તા વિભાગમાં રજની પી. શાહ અને હરનિશ જાનીનો, કવિતા વિભાગમાં નવીન શાહ અને પન્ના નાયકનો, નિબંધ વિભાગમાં અશોક વિદ્વાંસ, નિયતિ પંડ્યા, નીતા દવે, અને જયંત મહેતાનો સાથ-સહકાર લીધો છે. અલબત્ત, છેવટની પસંદગીમાં પોતાનો અવાજ રાખ્યો છે. પહેલા વિભાગમાં ૩૬ વાર્તાઓ છે. કવિતા વિભાગમાં સૌથી વધુ કૃતિઓ છે – બાવન ગીત-ગઝલ, સાત છંદોબદ્ધ કાવ્યો, ૩૨ અછાંદસ કાવ્યો, અને નવ હાઈકુ/મુક્તક. નિબંધ વિભાગમાં ૩૧ લખાણો છે, જેમાંના કેટલાક નિબંધો છે તો કેટલાક લેખો છે. આ ઉપરાંત ‘અભ્યાસીલેખો’ એવા મથાળા નીચે છપાયેલા આઠ લેખોમાં ઉમાશંકર જોશી, ધવલ મહેતા, નિરંજન ભગત, અને રઘુવીર ચૌધરી જેવા વિદેશવાસી નહીં તેવા લેખકોના લેખો પણ સમાવ્યા છે. છેલ્લા ‘પ્રતિભાવ વિભાગ’ માટેની પસંદગી કિશોર દેસાઈ ઉપરાંત મનુ નાયક અને શૈલેશ દેસાઈએ કરી છે. તેમાં પણ વિદેશવાસી નહીં એવા પંદરેક લેખકોનાં લખાણો જોવા મળે છે.
Turning 60 in March, the crusader for peace and amity typically spent his birthday at yet another seminar on ethnic conflict in the entire South Asian region in New Delhi. Reflecting on 38 years of struggle against bigotry and unreason, Engineer travelled down memory lane with Communalism Combat, from the time when the Awaaz–e–Biradaran (Voice of Brotherhood) was born after the first, post–partition communal riot at Jabalpur in 1961 to the threat of communalism in South Asia in 1999, at the turn of this century.