Opinion Magazine
Number of visits: 9697416
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ईसे कहते है छाती पे मुंग दलना !

Jayantgiri|Opinion - Cartoon|16 September 2013


https://www.facebook.com/photo.php?fbid=1430219683870494&set=a.1410992919126504.1073741828.100006474292371&type=1&theater

Loading

સબૂર … વીરા મોરા, દિલ્હી ખાસ્સું દૂર છે

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|16 September 2013

સૌ રહું રહું, થાઉં થાઉં, આવું આવું નેતાઓને કોણ કહે કે 'ભારત’ના બરનાં કદ ને કાઠી કયાં છે



રાષ્ટ્રીય રાજનીતિના કેન્દ્રમાં નમોની વિધિવત્ જેવી પ્રતિષ્ઠાના કલાકોમાં, શુક્રવાર(૧૩ સપ્ટેમ્બર)ની સાંજે આ લખી રહ્યો છું ,ત્યારે નવી દિલ્હીના ભા.જ.પ. કાર્યાલયમાં ઉત્સવી તામઝામ છે … એમને લાગે છે કે દિલ્હી કદાચ દૂર નથી માત્ર, પક્ષ કોઈ પ્રતિભાનું પ્રક્ષેપણ (પ્રોજેકશન) કરે તેટલા માત્રથી તેનું સ્થાપન થઈ શકતું નથી. હા, આભા ઊભી થવામાં આવા નિર્ણયોની મદદ જરૂર મળતી હોય છે. આ કિસ્સામાં સવાલ જો કે આભાનો નહીં એટલો અગર તો એના જેટલો જ ડારો બેસાડવાનો પણ છે. એક પછી એક ખૂલતા આવતા કેસો મોડે પણ ગુજરાત શાસનના સગડ દબાવતા આવે છે, અને માંડ ટકાવી રાખેલી ચૂંટણી ફતેહો વચ્ચે એ સંદર્ભમાં મળતા સંકેતો અને સંદેશાઓ ર્શીષ સત્તાસ્થાન પરત્વે આશંકાની સોય તાકે છે એમાં શંકા નથી.



તાજેતરના બે દસ્તાવેજ – લોકાયુકતપદનો અસ્વીકાર કરતાં ન્યાયમૂર્તિ‌ આર.એ. મહેતાએ કરેલી માંડણી તેમ જ આઈ.પી.એસ. વણઝારાનો પત્ર-ગુજરાતના વર્તમાન શાસન પરત્વે લેજિટિમસી(સ્વીકૃતિ અને ઔચિત્ય)ના મુદ્દે પાયાના પ્રશ્નો ઊભા કરે છે. આ બધું બેલાશક વહેલું પણ થઈ શક્યું હોત, જો રાજ્યમાં કાયદાના શાસનને કામ કરવા દેવાયું હોત આ સંજોગોમાં, આવતીકાલે પોતે નવી દિલ્હીમાં પણ હોઈ શકે છે એવો ડારો ઊભો કરવા પાછળનુંયે લોજિક ખસૂસ સમજી શકાય એમ છે. સારિકા પિંજરસ્થા ઉર્ફે કેઈજ્ડ પેરટ યાને સી.બી.આઈ. સહિ‌તની સંસ્થાઓ જરી પણ તપાસ મોકળાશની આસાએશ અનુભવતી હોય તો એમને સારુ આ એસોએસ છે કે આવતીકાલે ત્યાં અમે પણ હોઈ શકીએ છીએ. સાનમાં સમજો તો શાણા બકું.



એક સવાલ આ અઠવાડિયાઓમાં સતત ઊઠતો રહ્યો છે તે પણ અહીં દર્જ કરવો જોઇએ. જનસંઘ – ભાજપના છ દાયકાથી વધુ વરસો અને માતૃપિતૃભ્રાતૃ સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આઠ દાયકાથી વધુ વરસો – આટલા લાંબાગાળાની આ જ લબ્ધિ કે ઉપલબ્ધિ એક વ્યક્તિની મહત્ત્વાકાંક્ષા (જે ઉચ્ચાકાંક્ષા હોવી જરૂરી નથી) આખા સંગઠનને આમ બાન પકડી શકે ત્યારે ખાસું મોડું થઈ રહ્યું હોય તો પણ જાતમાં ઝાંખવાની જરૂરત એકલા અડવાણીની જ સમજાતી હોય તો સંગઠન સમગ્રે પોતાનું વજૂદ ખોજવું રહે છે.



તમે જુઓ કે કેવા દિવસો છે આ ઉત્તરપ્રદેશનો જે હિ‌સ્સો હિંદુમુસ્લિમ હિંસા કોમી તનાવ સારુ હમણે લગી જાણીતો નથી ત્યાં પહેલી જ વાર એનો અનુભવ થઈ રહ્યો છે. ચરણસિંહથી ટિકૈત લગીના માહોલ પર જે જાટકિસાન પરિણામ આપણે જોતા આવ્યા છીએ અને કારણઅકારણ જેની થોડીકે હકસાઈ આજ દિવસ સુધી અજિતસિંહ જરૂરત મુજબ પક્ષ-અને-જોડાણ-ફેરે ભોગવતા આવ્યા છે એમાં પહેલી વાર 'હિંદુ’ વલણે દેખા દીધી છે અને જબરદસ્ત જાટજમાવડામાં હવે મોદી આવશે અને બધું 'સરખું’ કરી નાખશે એવી 'વીરવાણી’ સાંભળવા મળે છે. જે વિસ્તાર બહુજન સમાજ પાર્ટી‍ અને રાષ્ટ્રીય લોકદળની વગવાળો લેખાતો રહ્યો છે એમાં આ દિવસોમાં સહસા સમાજવાદી પક્ષ અને ભાજપને નવાં ચરિયાણ જણાય છે.



ઉત્તરપ્રદેશમાં અમિત શાહના પ્રવેશ અને સમાજવાદી પક્ષ તથા વિશ્વ હિંદુ પરિષદે કરેલ મેચફિક્સિંગ પછીનો આ નવો તબક્કો છે કે શું એવા પ્રશ્નને અવશ્ય અવકાશ છે. મેચ ફિક્સિંગની દુર્દૈવ સંભાવના સાથે અખિલેશ શાસન સબબ એક બીજા અવલોકનને પણ અહીં અવકાશ છે. એ તનાવની ક્ષણોમાં શાસન તરીકે તત્કાળ કારવાઈ બાબતે મોડું અને મોળું કેમ પેશ આવ્યું? કાં તો મતબેન્કી ફિરાકનું કારણ હોય કે પછી શાસકીય દક્ષતાનો અભાવ : અન્યથા નમોના ટેકેદાર રહેલા મનોહર પરિકર જેમ ૨૦૦૨ના સંદર્ભમાં નમોના બિનઅનુભવને જશ આપે છે એવું કાંક અહીં પણ જોઈ તો શકાય. એથી વિપરીત, મતબેન્કી ફિરાકવશ મેળાપીપણું નહીં તોયે નિ:શાસન સહી એવી પણ થિયરી મોદી ગુજરાતની જેમ આ કિસ્સામાં અખિલેશ સંદર્ભે બેશક વાંચી શકાય.



તો શું આ યુવા નેતૃત્વ છે? નમોથી માંડી સંજયબજરંગ હાઈબ્રીડ જેવા વરુણ ગાંધી સહિતની ભજપી નક્ષત્રમાળા જોઇએ કે પછી અખિલેશ શાસન – વિકાસવાર્તા અને લેપટોપ વિતરણ, સઘળું ધૂળ પરનું લીંપણ જ કે શું? કોંગ્રેસ અને યુપીએના વિકલ્પે પોતાને પેશ કરતા ભાજપ-એનડીએ અગર તો શ્રીયુત ત્રીજા તરીકે ઉભરું ઉભરું મંડળી, જો આ જ એના વેતા હોય તો એમનાં વિશ્વદર્શન વિશે શું કહેવું – અને એમને હસ્તક આ દેશ વિશે? જ્યાં સુધી વિકાસવેશનો સવાલ છે, ગુજરાતના વિકાસની વાસ્તવિકતા જ્યારે પ્રચારડમરી આછરશે ત્યારે સૌને સમજાશે. અધિકૃત હેવાલોની કમી નથી, પણ રૂડારૂપાળા તારણહારની ત્રાહિમામ્ ખોજના હેવાયા લોકને કદાચ એની સુધબુધ નથી. આ જ દિવસોમાં ગુજરાત હાઈર્કોટે રાજ્ય સરકારને બિસ્માર રસ્તાઓ વિશે તમે શું કરવા ધારો છો એનો હેવાલ માગતી નોટિસ ફટકારી છે તે તરત સાંભરતો દાખલો છે. અને એવા બીજા નિર્દેશો પણ આપી શકાય.



સવાલ એ છે કે રહું રહું, થાઉં થાઉં અને આવું આવું સૌ કને આજે કોઈ કહેતાં કોઈ વૈકલ્પિક વિકાસ દર્શન નથી. કંઈક થાગડથીંગડ, કંઈક કોસ્મેટિક એવો જે ખેલ પડયો તે ખરો. પણ અર્થકારણ અને અનર્થકારણ વચ્ચેના ભેદ હમણાં તો ભુંસાયેલા માલૂમ પડે છે, અને આ સૌ અભેદમાર્ગના યાત્રીઓ મત્ત મહાલે છે. ગમે તેમ પણ, નવી દિલ્હી ખાતેનાં ભાજપી શોર ઊજવણાંમાં કેમ જાણે છત્તીસગઢના નકલી લાલ કિલ્લેથી અસલી લાલ કિલ્લે પહોંચ્યા સરખો હર્ષોન્માદ સંભળાય છે તે સમજ્યું સમજાતું નથી. ભાજપી શોરઊજવણાં (શિવસેના અને અકાલી દળની સંગત છતાં) બહુ બહુ તો કોઈ પક્ષીય ઉકેલ હોય.



વાયા ગાંધીનગર નાગપુર અને નવી દિલ્હીનાં સંસ્થાનોને થતાં ર્કોપોરેટ ચૂકવણાં થકી એ શોર ઊજવણાંમાં જરી વધુ શોર પણ ભળ્યો હોય. પણ તેથી રાષ્ટ્રીયસ્તરે કોઈ વૈકલ્પિક નેતૃત્વ મળ્યાનો ખયાલ બેમતલબ છે. પક્ષ પૂરતી, વખાના માર્યા ભાવઠ ભાંગી હોય તો ભલે. આટલા મોટા, મહાન ને પ્રાચીન, ભવ્ય એટલા જ ભાતીગળ, સંભાવનાઓથી ભરેલા એટલા જ પ્રતિગામી વણછાવાળા દેશને એવું નેતૃત્વ જોઇએ જેને દાયિત્વનો અહેસાસ હોય અને ઉત્તરદાયિત્વનો બોધ હોય, જે વર્તમાન ગુજરાતનો અનુભવ નથી.

(સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 14-09-2013)

Courtesy : Cartoon Gallery By E.P Unny, "The Indian Express", 14.09.2013

Loading

હૈયાને વળી, દેશ શું અને પરદેશ શું ?

મૂળ અંગ્રેજી લેખક ઃ વિજય જોશી; અનુવાદ - દીપક ધોળકિયા|Diaspora - Features|16 September 2013

આશરો માગતાં માણસની સ્નેહભરી માતા, ‘સ્વાધીનતાની દેવી [Statue of Liberty], ઘોષણા કરે છે : ‘સોંપી દો, મારા ખોળામાં તમારાં તપ્ત, ત્રસ્ત, ભૂખ્યાંતરસ્યાં, ખુલ્લી હવામાં શ્વાસ લેવા તરફડિયાં મારતાં જનોને … !’

યુરોપમાંથી અમેરિકામાં આવી વસેલા ઘણાખરા લોકો બહેતર જીવનની ઝંખના સાથે આવ્યા હતા. કોઈ રાજકીય દમનથી બચવા, તો કોઈ ધર્મને નામે થતા અત્યાચારોને કારણે આવ્યા હતા. ઐતિહાસિક દૃષ્ટિએ જોતાં, અમેરિકામાં આવી વસેલા લોકોના અનુભવ અને અર્થ બદલાતા રહ્યા છે અને બદલાતા રહે છે.

બધા આપ્રવાસીઓ એકસમાન નથી. એમની અનેક શ્રેણીઓ છે.  ‘ઇમિગ્રન્ટ[Immigrant]’(સ્થળાંતરી)નો દરજ્જો ‘એમિગ્રે[émigré]’ (રાજકીય સ્થળાંતરી) કરતાં નીચો છે, પરંતુ આશરા વિનાના વિદેશી કરતાં ઊંચો છે. ઇમિગ્રન્ટ સામાન્ય રીતે પોતાની મરજીથી પોતાનો દેશ છોડીને વસવા આવ્યો હોય છે, જ્યારે એમિગ્રેને રાજકીય કારણોના દબાણ હેઠળ પોતાનો દેશ છોડવાની ફરજ પડી હોય છે. શરણાર્થી પણ રાજકીય અથવા બીજા કોઈ જોખમની બીકમાં પોતાનો દેશ છોડીને ભાગ્યો હોય છે. એક્સ્પૅટ્રિયટ, એટલે કે દેશવટે આવેલાનો અલગ વર્ગ છે. એ વિદેશમાં વસે તો જરૂર છે, પણ યજમાન સમાજમાં ભળવાથી બચવા માટે સજાગ હોય છે.

મધ્યકાલીન યુરોપમાં દેશનિકાલની સજા સૌથી ખરાબ મનાતી. એમાં હીણપત અને ઝુરાપાની વેદના હતી. મહાકવિ દાન્તેને દેશવટાની સજા થઈ ત્યારે એમને તો ફ્લોરેન્સથી માત્ર સોએક માઇલ દૂર વસવાનું હતું પણ એમને મન એ સામાજિક મૃત્યુ હતું. દેશવટે રહીને એમણે ‘ઇન્ફર્નો’ની રચના કરી, તેમાં પણ એમની આ વ્યથાનો પડઘો ઝિલાયો છે. માતૃભૂમિ માટે એક આંતરિક અને અકળ ખેંચાણ રહેતું અને હવે વતનનાં ઝાડ ફરી જોવા નહીં મળે એનો વસવસો મનમાં વકરતો રહેતો.

આજે તો સ્કાઇપ, ફેસબુક, ટ્વિટર અને વેબકૅમનો જમાનો છે એટલે બીજા દેશમાં જઈને વસવાથી હિજરાવાની લાગણી પેદા થાય એમ નથી. હવે વતન માટેનો ઝુરાપો મોટા ભાગે હળવો થઈ ગયો છે, જૂના ઘરની યાદ તો હવે તોરણ બનીને નવા ઘરની બારસાખે ઝૂલતી હોય છે.

આપ્રવાસીનું મન તો ઊડીને વતનમાં પહોંચી જતું હોય છે, પણ એ બેમાંથી એક પણ દુનિયામાં રહી શકતો નથી. એ નવા દેશમાં કોઈ નવું સ્થાન જૂએ છે તો એને વતનના કોઈ સ્થાન સાથે જોડે છે. એ સતત નવા ઘરમાં પોતાનું જૂનું ઘર જોવા માગતો હોય છે. એની નિષ્ઠા, પ્રેમ, સંસ્કૃિત – બધામાં  નવા અને જૂનાની ભેળસેળ થતી હોય છે. એ હંમેશાં ત્રિશંકુ બનીને જીવતો હોય છે. આપ્રવાસી બેવડું જીવન જીવે છે. ઘરની બહાર એ નવી દુનિયાનો માણસ બની રહેવાનો પ્રયાસ કરે છે, તો  ઘરને એ જૂના ઘરની પ્રતિકૃતિ બનાવવા માગે છે, પણ મોટા ભાગે એને બન્નેમાં કામયાબી નથી મળતી.

એ મૂળથી ઊખડી ગયો છે અને નવી ભૂમિમાં ફરીથી મૂળિયાં નાખવા પ્રયત્ન કરે છે. નવી ભૂમિ સાથે એ જોડાવા તો માગે છે, પણ જૂની ભૂમિ સાથે પણ જોડાયેલો રહેવા માગે છે. એ સ્થિર થવા મથે છે અને સતત ડગમગ્યા કરે છે. એક જગ્યાએ અડગ ઊભો રહેવા માગે છે પણ સતત સરકતો રહે છે. એ ઠરીઠામ થવા માગે છે પણ ભળી કેમ જવું તે સમજી શકતો નથી. આપ્રવાસી નિરંતર ક્યાંક જતો હોય છે અને ક્યાં ય પણ પહોંચતો નથી. એ ‘નવા આકાશ’માં ઊડવા માટે મરણિયા પ્રયાસ કરે છે પરંતુ  મન ‘જૂના પિંજરા’નો મોહ છોડી શકતું નથી.

એ હંમેશાં અંતર્મુખી બનીને પાછળ જે છૂટી ગયું છે તેના તરફ મીટ માંડે છે. એની સ્મૃિતમાં સચવાયેલી અને થીજી ગયેલી જૂની દુનિયાના સમય, સંસ્કૃિત અને મૂલ્યોમાં જીવતો હોવાની એ કલ્પના કરે છે. એને કદાચ ખબર પણ નથી હોતી કે એની જૂની દુનિયા પણ ધીમે ધીમે બદલાતી રહી છે. એ તો પોતે છોડેલી દુનિયામાં જ જીવે છે અને એને જ, અથવા એના ખ્યાલને વળગી રહે છે.

બે ઘોડે બેસવાની ખાએશ એના મનને કોરી ખાય છે. જૂની ઓળખના અંશોને એ જકડી રાખવા મથે છે, અને નવી ઓળખને આંબવા માટે કૂદકા મારે છે, પણ આ જહેમતમાં એને જે જોઈએ તે નથી મળતું. આ દરમિયાન એ પોતાના મુલકમાં પણ અજાણ્યો બની ગયો હોય છે. એ ઘણા ચહેરાને પોતાના ગણાવે છે, પણ એકેય ચહેરો એને પોતાનો નથી ગણતો!

એ બહુ મહેનત કરીને પોતાની બોલવાની લઢણ છુપાવવા મથે છે પણ એ તો અનાયાસે પ્રગટ થઈને ચાડી ખાય છે કે એ તો બહારનો છે. બોલવાની લઢણ તો એને જૂની ભાષામાંથી મળી છે અને એ એને દેશના મુખ્ય જીવનપ્રવાહના લોકોથી અલગ પાડી દે છે. ઉચ્ચારની લઢણ નવી ભાષા પ્રત્યેના અર્ધચેતન મનના વિદ્રોહનું દર્પણ છે.

માત્ર અમેરિકન નાગરિક બની જવાથી કશું વળતું નથી. એટલા માત્રથી કોઈ પોતાની જૂની નિષ્ઠાઓને ભૂલી શકતું નથી, ભલે ને, તમારું સોગંદનામું તમને ફરજ પાડતું હોય. ભારતીય અમેરિકન પોતાની વંશીયતા કે સાંસ્કૃિતક વારસો જાળવી રાખવા માટે બધા જ તહેવારો ઊજવે છે, બોલીવૂડની ફિલ્મો જૂએ છે, ભારતીય રેસ્ટોરન્ટો ખોલે છે, ક્રિકેટના સમાચારોમાં રસ લે છે, જુદા જુદા સંપ્રદાયોનાં દેવસ્થાનો બાંધે છે, નવા દેશમાં ભારતીય સાહિત્યિક જૂથો બનાવીને ચર્ચાઓ કરે છે, ભારતનાં છાપાં અને સામયિકો વાંચે છે.

૧૯૭૦ના દાયકામાં અમેરિકા આવેલા મોટા ભાગના મારી પેઢીના ભારતવાસીઓ પોતાની વ્યાવસાયિક કુશળતાને કારણે ઉજ્જ્વળ ભવિષ્ય માટે આવ્યા. તે પછી એમનાં કુટુંબીઓ એક પછી એક  એમની સાથે જોડાયાં. કેટલાક તો આધેડ વયે આવ્યાં. એમનો ઉદ્દેશ એમનાં સંતાનોને સારું જીવન આપવાનો હતો. તાજેતરમાં  H1 વીસાવાળા લોકો થોડા વખત માટે આવ્યા અને કાયમી ધોરણે રહી ગયા. વળી કૉલેજોમાં ભણતા વિદ્યાર્થીઓ પણ છે, એ પણ હવે સ્થળાંતરીઓની યાદીમાં ઉમેરાયા છે. તે ઉપરાંત, કેટલાયે ગેરકાનૂની રીતે આવેલા પરદેશીઓ છે જે સમાજના ઉપેક્ષિત ખૂણે જીવે છે. અહીં એમના જીવનમાં કદાચ અભાવ અને દરિદ્રતા સિવાય કઈં નહીં હોય, તેમ છતાં એમને લાગે છે કે વતન કરતાં તો ………. અમેરિકામાં સારું છે.

આ ભારતીય પ્રવાસીઓના વલણમાં, ભારત માટેના લગાવમાં કે અમેરિકન સમાજમાં ભળવાની એમની ક્ષમતામાં ઘણો તફાવત જોવા મળે છે અને દરેક જૂથનાં ધ્યેયો પણ નક્કી જ હોય છે.

થોડા વખત પહેલાં હું ભારતમાં મારા શહેરમાં આવ્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે અહીં તો હવે સાઇબર કૅફે, મૅકડૉનલ્ડ, પાશ્ચાત્ય ફૅશનોનો પ્રચારપ્રસાર કરતાં બૂટિક, ઊંચી ઇમારતો અને નાઇટ ક્લબો પણ છે! મારી સ્મૃિતમાં સંઘરાયેલા, સચવાયેલા શહેરનો રડ્યોખડ્યો અંશ પણ માંડ જોવા મળ્યો. દેશની સભ્યતા અને વિદેશી સભ્યતા વચ્ચેની ભેદરેખા લગભગ ભુંસાઈ જવાને આરે હોય એમ બન્ને વચ્ચે ખાસ કઈં અંતર જ જોવા ન મળ્યું.

મને સમજાયું કે મારું વતન મારી સ્મૃિતમાં બહુ ઊંડે બરફની જેમ જામીને સચવાયેલું, મારી અંદર ધબકતું રહેશે પરંતુ હવે ભારતમાં તો એનું અસ્તિત્વ નથી જ.

હવે મારું મન શાંત થઈ ગયું છે. મારા નવા દેશમાં મારું ઘર હવે મને પોતાનું લાગવા માંડ્યું છે.

e.mail : aajiaba@yahoo.com

મૂળ અંગ્રેજી લેખ – Perpetual Sojourn — મૂળ અંગ્રેજી લેખક ઃ વિજય જોશી — અનુવાદ – દીપક ધોળકિયા

મૂળ લેખ અા કડીએ સાદર : https://opinionmagazine.co.uk/details/615/A-Perpetual-Sojourn-

Loading

...102030...4,0854,0864,0874,088...4,1004,1104,120...

Search by

Opinion

  • ખોરાક બાબતે આપણે બેદરકાર, તો કંપનીઓ છેતરવા બેકરાર …
  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved