Opinion Magazine
Number of visits: 9523274
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

भाई हो तो ऐसा हो

અાશા બૂચ|Profile|9 April 2013

ઇસ્વી સન ૧૯૬૯ની આ વાત છે. મારા પિતાશ્રી દિવંગત નરેન્દ્ર્ભાઈ અંજારિયા (હવે પછી, ‘ભાઈ’ના સંબોધનથી ઉલ્લેખ કરીશ) પોતાના કામ સબબ તેવાકમાં ભાવનગર ગયા હતા. ત્યાં તેમની ઓળખાણ મિસ્ટર જોહ્ન વુડ સાથે કરાવવામાં આવી. તેઓ ‘The Political Integration of British and Princely Gujarat’ − વિષય પર મહાનિબંધ લખવા માટે ફિલ્ડ વર્ક (ક્ષેત્ર અધ્યયન) કરતા હતા. અને પછી બન્ને વચ્ચે સેતુ બંધાયો. અામ ૧૯૬૯થી તેઓ અમારા પરિવારના અંતરંગ મિત્ર બની ગયા છે. જોહ્નભાઈને ૧૯૭૨માં પી.એચડી.ની ઉપાધિ મળી.

કેનેડાના એ યુવાન ભારત ભૂમિ પર કેવી રીતે પહોંચ્યા, એ ય ઘટના રસપ્રદ છે. ૧૯૬૨માં સારાવાક – મલેશિયા કામ કરવા માટે જવા ઉપડેલા જોહ્નભાઈને, તેને બદલે જૂનાગઢ નજીક શારદાગ્રામ જવાનું કહેવામાં આવ્યું. ગુજરાત રાજ્ય હજુ ૧૯૬૦માં અસ્તિત્વમાં આવેલું એટલે નકશામાં ક્યાં ય જોવા ન મળે ! એટલે મુંબઈ ઉતર્યા. ત્યાં સુધી ક્યાં જવાનું છે, અને ત્યાં શું હશે તેની કોઈ જાણકારી વિના જોહ્નભાઈ પહોંચ્યા શારદાગ્રામ. ટોરોન્ટોથી લંડન એરોપ્લેઇનમાં, અને લંડનથી મુંબઈ પેસેન્જર શીપમાં (ઉતારુ જહાજમાં) પોર્ટ સાઈદ, ઈજિપ્ત અને એડન થઈને, પંદર દિવસની રોમાંચક મુસાફરી કરીને ભારત આવ્યા ! એ દરમ્યાનમાં જોહ્નભાઈએ ગાંધીજીની આત્મકથા, નહેરુનું ‘ડિસ્કવરી ઓફ ઇન્ડિયા’ અને ઈ.એમ.ફોરેસ્ટરનું ‘પેસેજ ટુ ઇન્ડિયા’ વાંચી લીધેલાં. (આપણામાંથી આ ત્રણ પુસ્તકો કેટલા લોકોએ વાંચ્યાં હશે, એ પૂછવાની હિંમત નથી થતી !) ભાથામાં હિન્દી લિપિની કક્કાવારી અને થોડા શબ્દપ્રયોગો લઈને અમદાવાદ ઊતરેલા જોહ્નભાઈ એમના મિત્ર સ્ટીવ વુલ્ક્મ, કે જેને ગુજરાતીનું થોડું જ્ઞાન હતું, તેમની સલાહથી, ગુજરાતી શીખવા માટે તત્પર થઈને, કેશોદથી શારદાગ્રામ પહોંચ્યા. જોહ્નભાઈના શબ્દોમાં કહું તો, ‘I thought I'd reached the end of the world.’

ટોરોન્ટોથી બહાર જઈને દુનિયા જોવા નીકળેલા એ યુવાનને ગરીબ દેશોની શકલ બદલાવી નાખવાના ઓરતા જાગેલા, જે ભારત આવતાં શમી ગયા. ભારતીય લોકોનો ઉષ્માભર્યો વર્તાવ અને મહેમાનગતિ માણ્યા પછી, એમને ભારતના ઇતિહાસ અને સંસ્કૃિત જાણવા પ્રત્યે રુચિ થઈ. શારદાગ્રામમાં ગૃહપતિ તરીકે કામ કરવા મળ્યું, પણ ગુજરાતીના પૂરતા જ્ઞાન વિના અંગ્રેજી શીખવવાનું કામ ન મળે. એક શિક્ષક પાસેથી ‘મને કામ કરવું ગમે છે’, એ શબ્દપ્રયોગ શીખી લીધો. અને નજીકના ખેતરમાં કામ કરતા ખેડૂત શિવાભાઈ રબારી પાસે તેનો ઉપયોગ કર્યો. શિવાભાઈએ જોહ્નભાઈને પાવડો પકડાવી દીધો, પણ સાથે સાથે શિક્ષક બનવા માટે જરૂરી ગુજરાતીનું શિક્ષણ પણ આપી દીધું ! ત્યારથી શિવાભાઈ પણ જોહ્નભાઈના દોસ્ત બની ગયા.

માંગરોળમાં રહેતા, ત્યારે તેમના મગજને પણ ખોરાક મળી રહેવા લાગ્યો. જૂનાગઢના નવાબના રાજ્યને ભારતમાં સામેલ કરવા લશ્કરે દરમ્યાનગીરી કરવી પડી; એ વિષે અને નવાબની શોષણખોર નીતિ વિષે ખેડૂતો પાસેથી ઘણી માહિતી મેળવી. તેવે સમયે તેમને ખ્યાલ આવ્યો કે ભારતમાં વિકાસને લગતા બધા નિર્ણયો પાછળ રાજકારણ કામ કરે છે, તેથી રાજકારણનો અભ્યાસ કરવો જરૂરી છે. એ બે વર્ષો દરમ્યાન, જોહ્નભાઈ દિલ્હીમાં જવાહરલાલ નહેરુ અને સર્વપલ્લી રાધાકૃષ્ણન્, તેમ જ ગુજરાતમાં જયપ્રકાશ નારાયણ, બળવંતભાઈ મહેતા અને વજુભાઈ શાહ જેવા રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના નેતાઓને મળેલા. આ તબક્કે રાજકારણને સમજવા રાષ્ટ્રીય ચળવળ વિષે જાણવું અને માત્ર આર્થિક જ નહીં, પણ સામાજિક અને રાજકીય વિકાસ વિષે પણ જાણવું અત્યંત જરૂરી છે, એમ તેમને ભાસ્યું. આથી જ તો ન્યુયોર્ક જઈ, તેઓએ ભારતના ઇતિહાસ, રાજકારણ, નૃવંશશાસ્ત્ર, હિન્દી અને ઉર્દૂનો અભ્યાસ આદર્યો. ભારત છોડ્યું, ત્યારે મોગલ સ્થાપત્ય અને જ્ઞાતિ પ્રથાથી માંડીને, ભારતની વિદેશ નીતિ સુધીની ઘણી જાણકારી મેળવેલી. પરંતુ એ બધું અપરિપક્વ દશામાં હતું. એમ.એ અને તે પછી પી.એચડી.ના અભ્યાસથી એને અધિકૃત ઓપ મળ્યો. અને ખરું જોતાં, એ માટેની ભૂખ ઉઘડી, જે જીવનપર્યંત પ્રજ્વળિત રહી છે.

અહીં મારે નમ્રતાપૂર્વક મારા પિતાશ્રીના જોહ્નભાઈના અભ્યાસમાં આપેલ યોગદાનનો ઉલ્લેખ કરવો રહ્યો. તેમના જ શબ્દોમાં કહું તો સ્વાતંત્ર્યની ચળવળમાં ભાગ લીધેલા અને તે પછીથી સૌરાષ્ટ્ર અને ગુજરાતના રાજકારણમાં આગેવાની લીધેલા નેતાઓ તથા કાર્યકરો ભાઈને ખૂબ આદર આપતા, અને તેમના પર અડગ વિશ્વાસ મૂકતા. ભાઈના તટસ્થ અને વસ્તુલક્ષી દ્રષ્ટિકોણ અને ઘટનાઓના સ્પષ્ટ અર્થઘટનને કારણે, જોહ્નભાઈ રાજકોટના ૧૯૩૮ના સત્યાગ્રહનો વિગતે અભ્યાસ કરી શક્યા. રસ ધરાવનારાઓ Robin Jeffery લિખિત Princes, People and Paramount Powerમાં જોહ્નભાઈનો રાજકોટ સત્યાગ્રહ પરનો લેખ વાંચી શકશે.

ભાઈ સાથે પરિચય થયો, ત્યારે જોહ્નભાઈ પોતાનો અભ્યાસ પદ્ધતિસર શરૂ કરી ચુક્યા હતા. તેથી રાજકોટ આવીને કેટલાક આગેવાન સ્વાતંત્ર્ય સેનાનીઓની મુલાકાત લેવા માગતા હતા. ‘રાજકોટમાં ક્યાં ય રહેવાની સુવિધા ન થાય, તો મારે ઘેર અવશ્ય રહી શકશો.’ એવું આમંત્રણ ભાઈએ આપ્યું હતું. જેનો સ્વીકાર કરીને, ૧૯૬૯માં જોહ્નભાઈ અમારે ઘેર આવ્યા.

હું નાની હતી ત્યારે ઘણા વિદેશી મુલાકાતીઓને જોવાની/સાંભળવાની તક મળેલી, પરંતુ પોતાના જ ઘરમાં એકથી વધુ દિવસ માટે રહેવા આવનાર જોહ્નભાઈ પહેલા જ હતા. તે વખતે મારા માતુશ્રી સરોજબહેનને (હવે પછી ‘બેન’ના સંબોધનથી ઉલ્લેખ કરીશ) ટાઈફોઇડ થયો હોવાને કારણે ગૃહ સંચાલનની જવાબદારી મારે શિરે હતી. પણ બેનના માર્ગદર્શનથી ઘણી સરળતા રહેતી હતી. મહેમાન અને તેમાં ય વિદેશીની જરૂરિયાતો અને ખાવા-પીવાની અનુકુળતાઓ જાણવી એ અમારી ફરજ હતી. પરંતુ ‘મને ખીચડીથી માંડીને ખીર સુધી બધું ભાવે છે’ (તે પણ શુદ્ધ ગુજરાતીમાં) જણાવીને જોહ્નભાઈએ પોતાની રુચિ-અરુચિ વિષે અમને તદ્દન નિશ્ચિંત  કરી દીધાં. એટલું જ નહીં બ્રેડ-બટર જેવો નાસ્તો એક બાજુ રાખીને, ઘરના બનાવેલ ખાખરા-રોટલી પર ઘરમાં ઉતારેલ માખણ ‘હું માખણ લગાવું છું’ જેવા રૂઢ પ્રયોગ સાથે આનંદે અારોગવા લાગ્યા.

રાજકોટના ગણમાન્ય નાગરિકોની મુલાકાત લઈને સાંજે ઘેર આવતાં જોહ્નભાઈ બેન માટે ફૂલોનો ગુચ્છ અથવા એ સહેલાઈથી ન મળે તો છેવટ વેણી લાવે. (કેમ કે દર્દી માટે ફૂલો લઈ જવાની વિદેશમાં પ્રથા ખરીને?) અને તબિયતના ય ખબર પૂછે. મારી નાની બહેન સાથે એના અભ્યાસ વિષે, નાની મોટી પ્રવૃત્તિઓ વિષે અને એને ગમ્મત પડે એવી ઘણી વાતો કરે. મારા કોલેજના અભ્યાસની રસપૂર્વક ચર્ચા કરે, મને રસોઈમાં મદદ કરે અને ક્યારેક મારી મજાક પણ કરી લે. જમતી વખતે ભાઈ સાથે સૌરાષ્ટ્રના રાજકારણની, રચનાત્મક કાર્યોની તથા વિવિધ સંસ્થાઓના સંચાલનની છણાવટ કરતા અને કેટલીક જાણીતી હસ્તીઓની કાર્ય પદ્ધતિઓનું વિશ્લેષણ ચાલતું. વળી જમ્યા પછી ફળો ખાવાની અને કોફી પીવાની આદત ખરી, તો અધિકારપૂર્વક એ પણ માગી લેતા.

આમ અમારે ઘેર માત્ર બે-ત્રણ અઠવાડિયા રહીને, પોતાના સંશોધનને વેગ આપવા આવેલ જોહ્નભાઈ, કાયમ માટે કુટુંબના અવિભાજ્ય અંગ બની ગયા. તેમનાં પત્ની મેરીબહેન અમારા ભાભી તરીકે સરખો જ અધિકાર પામ્યાં. પોતાના અભ્યાસકાળ દરમ્યાન જોહ્નભાઈ અવારનવાર રાજકોટ આવ્યા, અને ત્યારે અમારું ઘર તેમનું થાણું બની રહેતું. મેરીબહેન તેમની સાથે આવે, અમારી પાસે સાડી પહેરતાં શીખે, બીજા શિષ્ટાચાર અપનાવે, ગુજરાતી રસોઈ કરતાં શીખે અને અમારી મીઠી મશ્કરી માણે. આ સંબંધ એટલો તો ઘનિષ્ઠ થયો કે તેમનાં માતા-પિતા અમદાવાદ આવ્યાં, ત્યારે એમને પણ જોહ્નભાઈ અમારે ઘેર લઈ આવેલા.

પી.એચડી.ની ઉપાધિ મેળવ્યા પછી, જોહ્નભાઈ કેનેડા ગયા. અને વાનકુવરની બ્રિટિશ કોલમ્બિયા યુનિવર્સિટીમાં ‘ઇન્ડિયન પોલિટીક્સ’ના કોર્સીસ ભણાવવાની જવાબદારી ગ્રહણ કરી. ભારતના રાજકારણ અને શિક્ષણ સાથે તેમનું આદાન-પ્રદાન ચિરંજીવી બન્યું. ‘Shastri Indo-Canadian Institute’ – દિલ્હીના રેસિડેન્ટ ડાયરેક્ટર તરીકે તેઓએ ’૭૩-’૭૫, ’૮૯-’૯૦ અને ’૦૪-૦૬માં સેવાઓ આપી. તેમની નિમણૂક  થતી ત્યારે ભાઈ અવારનવાર તેમને ઘેર દિલ્હી જતા. મારાં માસી અને અમે સપરિવાર દિલ્હીમાં જોહ્નભાઈ-મેરીબહેનની ચાર દિવસ માટે મહેમાનગતિ માણી આવ્યાં.

અમને પોતાની નાની બહેનો ગણીને જોહ્નભાઈ રાખડી બાંધતા, ભેટ આપતા અને અમારા અભ્યાસ તથા કાર્યની બાબતમાં સક્રિય રસ લેતા. મારા પહેલા પુત્રનો જન્મ થયો, પછી અમે લિવરપૂલ રહેતાં. હું હજુ ભારત તેને લઈને નહોતી જઈ શકી. જોહ્નભાઈને તે અરસામાં ભારત જવાનું થયું, તો જપાન તરફથી જવાને બદલે અમને મળીને ગયા. એટલું જ નહીં, તેને માટે અને મારે માટે ભેટ લાવ્યા, ખાસ બ્લેક એન્ડ વ્હાઈટ રોલ નાખીને ફોટા પાડ્યા, જેથી મારા પરિવારના લોકો તરત જોઈ શકે. એવી જ રીતે થોડા વર્ષો પછી મારી બહેનના તેની નવજાત પુત્રી સાથેના ફોટા પણ જોહ્નભાઈએ જ પહેલાં મોકલ્યા !

જોહ્નભાઈનો અમારા કુટુંબ સાથે અતૂટ સંબંધ બંધાયો એથી જ તો જ્યારે મારી નાની બહેનનું અકાળે અવસાન થયું, મારા પિતાશ્રીને પાર્કિન્સનની વ્યાધિ લાગુ પડી અને તેમનું અવસાન થયું, ત્યારે જોહ્નભાઈ ખૂબ જ વ્યથિત થયા અને મારી કે મારી મા સાથે વાત કરવાની હિંમત ન કરી શક્યા. સદ્દનસીબે એ તંતુ ફરી જોડાઈ ગયો છે. ૨૦૦૫માં પોલિટીકલ સાયન્સ શીખવવામાંથી નિવૃત્તિ લીધી, પરંતુ બ્રિટિશ કોલમ્બિયા યુનિવર્સિટીમાં ‘Institute of Asian Research’માં માનદ્દ પ્રોફેસર તરીકે પદ ગ્રહણ કર્યું. લગભગ ૭૦ની ઉમરે પહોંચવા આવ્યા છે, ડાયાબિટીસ અને બીજી વ્યાધિઓથી શરીર પીડાય છે, છતાં ભારત પ્રત્યેનો એમનો અનુરાગ એટલો જ ઘનિષ્ઠ છે. અને ડોક્ટરોની મનાઈ હોવા છતાં, Community Natural Resource Management in Gujarat and Madhya Pradesh વિષય પર એક પ્રકલ્પ કરવા માટે ગ્રાન્ટ મેળવીને અમદાવાદમાં કામ કર્યું. કહે, ‘આ મારી છેલ્લી ઇચ્છા હતી, ભારત માટે કામ કરવાની.’

નોંધવાની વાત તો એ છે કે પોતાના જીવનમાં આવેલા ચડાવ-ઉતાર વિષે પણ, અંગત કુટુંબીજન હોઈએ એટલી નિખાલસતાથી વાત કરે છે.

આવા વિદેશી યુવાન કે જે અભ્યાસાર્થે ગુજરાતમાં આવી ચડ્યા, એમની સાથે આવો ઘરોબો થાય, અને સાડાચાર દાયકા સુધી માત્ર અમારી સાથે જ નહીં, અમારા બાળકો સુધી ટકી રહે, ત્યારે ઋણાનુબંધ જેવી કોઈ ચીજ છે એમ માનવાનું મન થાય.

e.mail : ten_men@hotmail.com

Loading

પૂર્વ અને પશ્ચિમ

રેખા પી. સિંધલ|Diaspora - Features|8 April 2013

‘મૉમ, માઈક ઈઝ આસ્કીંગ મી ફોર ડેટ, કેન આઈ ગો ?’ મારી સોળ વર્ષની પુત્રી પ્રિયાએ જ્યારે પ્રેમ અને વિશ્વાસથી મને આમ પૂછ્યું, ત્યારે ‘ના’ પાડવી અઘરી બની ગઈ; પણ ‘હા’ પાડવી એનાથી ય અઘરી હતી. હું ફકત એટલું જ બોલી શકી કે મને તારા માટે ડર લાગે છે. તરત કહે, ‘કેમ ?’ હું શું જવાબ આપું, આ એક શબ્દના પ્રશ્નનો ?

ત્રણ દીકરીઓમાં પ્રિયા સૌથી નાની અને એટલી ચાલાક કે તેણે સમયસૂચકતા વાપરીને મને ઝડપી હતી; જેથી હું કામ કે થાક અગર તો બીજું કોઈ બહાનું કાઢીને વાત ઠેલી ન શકું. એ માટે જરૂરી ધીરજ પણ એણે જાળવી હતી. મને રડું રડું જોઈ, એટલે કહે, ‘તું ચિન્તા ન કર. તારાથી છુપાઈને મારે કંઈ નથી કરવું, અને એટલે તો પૂછું છું.’ ચિન્તા ઘટી; પણ મુશ્કેલી વધી ! મેં કહ્યું કે મને વિચારવા માટે સમય જોઈએ. તે કહે, ‘ભલે, કેટલો ?’ એના ટૂંકાટચ ત્રણ પ્રશ્નોએ મને ખળભળાવી નાખી. મેં એક મહિનાનો ઓછામાં ઓછો સમય માંગ્યો. જાણે એને પણ મને પટાવવાનો એટલો સમય મળી ગયો હોય, તેમ એ ખુશ થઈ ઊઠી. કહેવા લાગી કે તારે જ્યારે પણ એ અંગે વાત કરવી હોય, ત્યારે મને કહેજે. હું તૈયાર જ છું. અમારો મા-પુત્રીનો અન્યોન્ય માટેનો વિશ્વાસ અત્યારે ચરમ સીમાએ હતો. સાથે સાથે કસોટી પર પણ હતો.

બીજા દિવસે પ્રેમથી પાસે બેસાડીને મેં મારી આ અત્યંત વહાલી પુત્રીને કહ્યું, ‘બેટા, માઈકને હું બહુ જાણતી નથી; તેથી હા કહી શકતી નથી.’ એ કહે, ‘તને મારો વિશ્વાસ નથી? તારે મારા થકી માઈકનો ભરોસો કરવાનો છે.’ અમારું વાક્યુદ્ધ શરૂ થયું. ‘બેટા, આ ઉમ્મરનો ભરોસો તારે પણ ન કરવો જોઈએ.’ મારી આ વાતનો તરત સ્વીકાર કરીને કહે, ‘હા, એ તો ખરું જ ને ! એટલે તો અમે લગ્નનું નહીં; ડેટીંગનુ વિચારીએ છીએ.’

અત્યાર સુધી અમારી વાત ચુપચાપ સાંભળતી, મારી મોટી પુત્રી નીતિએ વાતમાં ઝંપલાવ્યું. પ્રિયાને કહે, ‘પણ મમ્મી, ડેટીંગ વિશે જ કંઈ જાણતી નથી ! પહેલાં ડેટીંગ એટલે શું તે એને સમજાવ.’  એના પપ્પા ઘરમાં હોત તો મહાભારત જ સર્જાયું હોત. તે કદાચ બન્ને બહેનોને પહેલેથી જ ખબર હશે. મેં મારું (અ)જ્ઞાન દર્શાવ્યું, ‘મને ખબર છે ! ડેટીંગ એટલે છોકરો અને છોકરી લગ્ન થઈ ગયાં હોય, તેમ સાથે હરે-ફરે, અને પછી ન ફાવે તો લગ્નની ના પાડીને ઊભા રહે.’ પ્રિયા કહેવા લાગી કે ના, મમ્મી, એવું નથી …. વચ્ચે જ નીતિ કહે, ‘‘મમ્મીને એમ છે કે ડેટીંગમાં સેક્સ અનિવાર્ય છે. હવે તું એની સાથે ફોડ પાડીને વાત કર.’ ‘તું જ કહે ને !’ એમ જ્યારે મેં નીતિને કહ્યું ત્યારે ‘મારું એ ગજું નહીં,’ એમ કહી, એણે ચાલતી પકડી. આટલું કહેતાં પણ એને તકલીફ પડી હશે; કારણ કે તે જાણતી હતી કે મમ્મી જે વાતાવરણમાં ઉછરી છે, તેમાં સેક્સની વાત કરાય જ નહીં. અને માબાપ સાથે તો ભૂલેચૂકે પણ નહીં. પણ પ્રિયા પાસે ધીરજનો આજે ભંડાર હતો અને મારી તો એ વગર હાર જ હતી. એટલે પ્રિયાએ જ ફરી તંતુ સાંધ્યો. ‘એવું નથી મમ્મી, અમારી મિત્રતા આખી જિન્દગી ટકી શકે તે માટે વિશ્વાસ કેળવવા, અમે એકબીજાને નજીકથી ઓળખી શકીએ, મિત્ર તરીકે અત્યારે પણ ‘છૂટ’થી હરીએ–ફરીએ અને એકબીજાને સંભાળીને સમજી શકીએ તે માટે ….’ આમતેમ ડેટીંગ વિશે એણે મને ઘણું સમજાવ્યું; પણ મારું સમગ્ર ધ્યાન ‘છૂટ’ શબ્દ પર કેન્દ્રિત હતું. એટલે મારે કેટલી છૂટ આપવી તે વિચારવા માટે મને મળેલ સમય મારે ગુમાવવો નહોતો. ‘જોઈશું !’ કહીને મેં તત્કાળ પૂરતી ચર્ચાની સમાપ્તિ કરી.

બાપ–દીકરી વચ્ચે મોરચો ન મંડાઈ જાય તે માટે આ વાત યોગ્ય સમયે યોગ્ય રીતે મારા પતિ વિમલને કહેવાનું મેં વિચાર્યું હતું. સાંજે જ્યારે એણે પૂછ્યું કે  ‘શું વિચારે છે? કેમ મુંઝાયેલી લાગે છે?’ ત્યારે મને ખ્યાલ આવ્યો કે હું સ્વસ્થ નથી, અને આ વાત કરીશ તો મારાથી પણ વધારે તેઓ અકળાઈ ઊઠશે. ઉપરાંત મારી ક્યાં ભૂલ છે અને હવે કેમ સુધારવી તેના તાત્કાલીક ઉપાયો કરવા માટેનાં સૂચનો આપવા લાગશે. પછી અમારો આ કલહ મૂળ પ્રશ્ન પરથી અમારું ધ્યાન ચલિત કરી દેશે. એવા ડરથી એ સમયે હું ચુપ જ રહી. ગયા રવિવારની જેમ આ રવિવારે પણ એમણે કામ પર જવું પડશે કે કેમ ? એ પૂછતાં વાતની ગંભીરતા એમને સમજાઈ ગઈ અને અત્યારે આગળ કંઈ ન પૂછવામાં જ શાંતિ છે તે પણ સમજાઈ ગયું.

ત્રણ દિવસ પછી રવિવારની રજાના દિવસે દીકરીઓ (કદાચ અમને એકાંત આપવા જ) મામાને ઘરે ગઈ હતી. હું સવારમાં વહેલી ઊઠીને મારાં બધાં કામ આટોપી, ચાની સાથે પ્રેમનો કટોરો લઈને વિમલ સાથે વાત કરવા બેઠી; કે જેથી જે સમસ્યા ઊભી થઈ એમાં મારો જો કાંઈ વાંક હોય તો માફ કરી, આગળ શું કરવું તેમાં તેઓ દોરવી શકે. સંતાન, એમાં ય દીકરી, ખોટું કરતી જણાય ત્યારે તેની માતાનો વાંક કાઢવા પાછળ શું પિતાનો પુત્રી પ્રત્યેનો સ્નેહ હશે ?

આ દેશમાં આવ્યા એટલે એક વસ્તુ તો ખરી જ કે કોઈ પણ કૌટુંબિક સમસ્યા ઊભી થાય એટલે દોષનો ટોપલો અમેરિકન કલચર પર ઢોળીને હળવા થવામાં સરળતા રહે છે. આ હળવાશ સાથે જ અમે પણ વાત શરૂ કરી. દીકરી કેટલી ડાહી અને પ્રેમાળ છે, આપણો કેટલો બધો વિચાર કરે છે, હવે મોટી થઈ છે અને સ્વતંત્રપણે વિચારવા લાગી છે, એટલે એની પર નજર રાખવા માટે આપણી પાસે તેની પર વિશ્વાસ રાખવા સિવાયનો કોઈ વિકલ્પ હોય તો કહેવા મેં વિમલને આજીજી કરી. મારી મજબૂરીઓમાં પોતાની મજબૂરીનું પ્રતિબિંબ જોઈ, એ શાંત જ રહ્યા અને મને એક કિલ્લો સર કર્યાની હાશ થઈ!

પછી મેં તેને માઈક અને ડેટીંગ વિશે વાત કરી. માઈક સાથેનું પ્રિયાનું હળવું–મળવું એમને રુચતું નહોતું એ ખ્યાલ માઈકને પણ આવી ગયો હતો, તે મેં પ્રિયા પાસેથી જાણ્યું હતું; પણ આજે વાંધો માઈકનો નહીં; ડેટીંગનો હતો. મુખ્ય વિષય ‘ડેટીંગ’ થઈ ચુક્યો હતો; માઈક નહીં. આ નબળી પળોમાં અમારો પરસ્પરનો પ્રેમ છલકાતો હતો. પાંત્રીસ વર્ષો અમે સાથે રહી શક્યાં તે આ પ્રેમની નબળાઈને કારણે જ. આ જ નબળાઈ હવે દીકરીમાં જોવા મળે છે ત્યારે એને કેમ પોષવી ? એ મૂંઝવતો પ્રશ્ન હતો. વિમલ એકદમ જ ચુપ થઈ ગયા. સાથે સાથે ઉદાસ પણ ! પ્રિયાને આપણે સાથે મળી સમજાવવી પડશે એમ કહી, મેં એમની મદદ માંગી, ત્યારે વીંધી નાખતી સ્થિર નજરે એમણે મારી સામે જોયું અને હું ફરી ખળભળી ઊઠી.

ઉનાળાના વેકેશનની નિરાંતને કારણે પ્રિયા સાથે વાત કરવાનો પૂરતો સમય હતો. પણ વાત શું અને કેમ કરવી ? તે વિચાર કરવા છતાં સૂઝતું નહોતું. મામાને ત્યાંથી એ પાછી આવીને મને ભેટી. મને એવું લાગ્યું જાણે એ વહાલ લેવા નહીં; આપવા આવી હોય. માઈકની એમાં જીવનભરની ભાગીદારી માટે મારે તૈયારી કરવાની હતી. એક અજાણ્યા અમેરિકન છોકરા પર મારી વહાલી પુત્રીની સંભાળનો મારે વિશ્વાસ કરવાનો હતો. જ્ઞાતિ અને ધર્મના વાડાઓ કુદાવીને, ‘વસુધૈવકુટુંબકમ’ના વિચારોને પુસ્તકમાંથી જીવનમાં ઉતારવાની ક્ષણ ઘણી કપરી લાગી.  

થોડા દિવસ પછી, એક સાંજે, હું ને પ્રિયા બહાર વરંડામાં હીંચકે બેઠાં. મારી મૂંઝવણો એ સમજશે એમ માનીને મેં કહ્યું કે માઈક સારો છોકરો જણાય છે અને ભણવામાં ઘણો હોશિયાર છે તે ખરું; પણ તે, તેનું કુટુંબ અને તેનો સમાજ, બધું આપણાથી અજાણ્યું આપણે એને સ્વીકારીએ; પણ એ આપણને કાયમ માટે સ્વીકારશે તેની ખાતરી શું ? તેનો જવાબ હતો કે : ‘ડેટીંગ દરમ્યાન અમારો પ્રેમ અને વિશ્વાસ દૃઢ થશે તો જ અમે પરણીશું; નહીંતર નહીં. અને તેના કુટુંબમાં કોઈને મારો વાંધો નથી અને હોય તો પણ; એ માઈકે સંભાળવાનું છે. રહી સમાજની વાત તો મમ્મી, મારો અને માઈકનો સમાજ એક જ છે – અમેરિકન. તમારો સમાજ જે ઈન્ડિયામાં છે તેને તો અમે ઓળખતાં પણ નથી, અને જે અહીં છે તે ભારતીય સમાજનાં અમારાં જેવડાં બાળકો અમને સમજી શકે, માબાપ નહીં.’

તે દિવસે મને ભાન થયું કે મારો અને મારાં સંતાનોનો સમાજ અલગ પડી ગયો છે. મારી મૂંઝવણો એને સમજાવવા કરતાં હવે તેની મૂંઝવણો મારે સમજવાની જરૂર છે તેનું પણ ભાન થયું. નીતિને સમજવામાં મેં બહુ મોટી ભૂલ કરી છે તેનો પણ અહેસાસ થયો. માબાપ તરીકે અમે એને સમજાવવામાં જ વ્યસ્ત હતાં; સમજવામાં નહીં. અન્તે અમે એને નહીં જ સમજી શકીએ તે નિરાશાએ એને અમારાથી દૂર કરી દીધી હતી. તે ઘરમાં જ હોવા છતાં; અમારી ચર્ચામાં ભાગ લેવા તો જ આવતી, જો એનાથી એની નાની બહેનને કંઈ ટેકો મળી શકે.

ગુનાહિત ભાવ સાથે મેં છેલ્લી દલીલ કરી કે, ‘મેં તારી મોટી બહેનોને આટલી બધી છૂટ નથી આપી અને હવે તને આપું તો મેં એમને અન્યાય કર્યો ગણાય.’

‘હમણાં જ પાછી આવું છું,’ એમ કહી પ્રિયા ઘરમાં જઈ નીતિને બોલાવી લાવી. 

નીતિ કહે, ‘મને તો તેં અન્યાય કર્યો જ છે. હવે પ્રિયાને ન કરે તો સૌથી વધુ આનંદ મને થશે.’  

ત્રીજી પુત્રી સુજાતા, અમે એના માટે પસંદ કરેલાં યુવાન સાથે પરણીને સાસરે સુખી છે. અને આ પ્રશ્ને અમારી કૌટુંબિક એકતામાં ભંગ ન પડે તેવા પ્રયત્નો તે દૂરથી ફોનમાં કર્યા કરતી.

અમારી હાર થઈ ચૂકી હતી પણ કબૂલવા અમે તૈયાર નહોતાં; તેમ છૂટ આપવા પણ તૈયાર નહોતાં. પ્રિયાના પ્રેમે એને ઘણી ધીરજ બક્ષી હતી. શાંત, મૃદુ અને પ્રેમાળ હાસ્ય સાથે વળી એક સાંજે મને કહે, ‘ચાલ, હું તને રસોઈમાં મદદ કરું.’ માબાપ દુ:ખી થતાં હોય તો તેને કેમ ખુશ કરવા તે કળા સંતાનોને હસ્તગત હોય છે. રસોઈ કરતાં કરતાં તે પૂછવા લાગી કે, ‘માઈક અને તેનો ભાઈ ચાર્લ્સ શુક્રવારની સાંજ આપણી સાથે ગાળવા આવી શકે?’ આમ તો એ બન્ને પ્રિયાના મિત્રવર્તુળમાં હોવાને કારણે અમારે ત્યાં આવતા રહેતા અને સાથે અન્ય મિત્રો પણ હોય જ. પ્રિયાને ખબર જ હતી કે તેના મિત્રો માટે અમારા ઘરના દરવાજા ખુલ્લા છે; તો પણ એણે પૂછ્યું તેનો મને આનંદ થયો. આ રીતે અમે માઈકના સીધા પરિચયમાં આવી શકીએ તે એનો હેતુ હતો.

પછીના શુક્રવારે સાંજે બન્ને ભાઈઓ અમારી સાથે જમ્યાં. ખૂબ સારી છાપ પાડીને ગયા. કિશોર વયના એ બન્ને ભાઈઓને રાતના આઠ વાગ્યા પછી ઘરબહાર જવાની છૂટ નહોતી. કાર અકસ્માતમાં તેમની માતાના મૃત્યુ પછી, એમના પિતાએ બીજાં લગ્નનો વિચાર કર્યા વગર, આ બન્ને બાળકોના ઉછેર પર સમગ્ર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. માઈક મને ખુલ્લા દિલનો પ્રામાણિક યુવાન લાગ્યો; છતાં મારી દીકરીની શક્ય નબળાઈઓ સાથે તે જીવનભર સાથ નિભાવે કે કેમ ? અને તેની શક્ય નબળાઈઓ પ્રિયાને જીવનભર સહ્ય હશે કે કેમ ? એ પશ્ન હું પ્રિયાના ધ્યાન પર મુક્યા વગર ન રહી શકી. ફરીને વાત ડેટીંગ પર આવીને ઊભી રહી. ‘એટલે જ તો અમે ડેટીંગનું વિચારીએ છીએ. હજુ લગ્નનું ક્યાં નક્કી છે ? એવું લાગશે તો અમે લગ્ન નહીં કરીએ, અને મમ્મી, તું શા માટે અત્યારથી લગ્ન સુધીનું લાંબું વિચારે છે ? હજુ ચારપાંચ વર્ષ તો અમારે ભણવાનું પણ બાકી છે. ડેટીંગ દરમ્યાન અમારી મિત્રતા વધુ ગાઢ નહીં થાય તો જીવનસાથી થવાનો સવાલ જ ઊભો થતો નથી !’  ‘મતલબ કે ડેટીંગ એટલે લગ્ન માટે જરૂરી મિત્રતા ગાઢ કરવાનો પ્રયાસ એમ જ ને ? તો પછી મને વચન આપ કે તું અમને પૂછ્યા વગર લગ્નનું નક્કી નહીં કરે.’ મેં આમ કહ્યું કે પ્રિયા તરત કબૂલ થઈ. તેથી મને હાશ થઈ. હજુ મારી પાસે ઘણો સમય છે. હું એને પાછી વાળી લઈશ. એમ મન મનાવીને મેં તેને ડેટીંગની છૂટ આપી.

થોડા દિવસ વિત્યા હશે ત્યાં અવઢવ સાથે પ્રિયાએ એક નવો પ્રશ્ન પૂછ્યો, ‘મોમ, તું કહેતી હોય છે કે જગતના બધા ધર્મો સમાન છે, બરાબરને ?’ મેં જવાબ આપ્યો, ‘હા, કેમ તારે ધર્મ તો નથી બદલવો ને ?’ મારું લોહી વેગથી દોડવા લાગ્યું. ‘નહીં, નહીં, મમ્મી ….’ ક્યારેક મૉમ અને ક્યારેક મમ્મી કહેતી એ મને શાંત કરવા લાગી. ‘માઈક બહુ સારો છોકરો છે. મને કહે છે કે તને હું ક્યારે ય ધર્મ બદલવાની ફરજ નહીં પાડું; પણ ……’ આગળ કંઈક કહેતાં તે અટકી ગઈ.  ‘તો પછી શી વાત છે ? બોલને !’ મેં તરત સ્વસ્થતા ધારણ કરી પૂછ્યું. માઈક કહે છે, ‘આપણે ભવિષ્યમાં લગ્ન કરીએ તો આપણાં બાળકો અમારો ધર્મ પાળશે. તારાં માબાપને તેનો વાંધો નથી ને, તે પૂછી જોજે. પછી ત્યારે ધર્મનો ઝઘડો આપણાં વર્ષોના સંબંધ પર પાણી ફેરવે; તે કરતાં અત્યારથી અટકવું સારું !’ મેં કહ્યું કે, ‘ઝઘડો પોતે જ કોઈ પણ ધર્મની વિરુદ્ધની બાબત છે. માટે ધર્મ માટે ઝઘડવાની વાત તો  બેબુનિયાદ છે; પણ તેને કહેજે ધર્મ માટે સહિષ્ણુ એવાં મારાં માબાપ, માંસાહારી ખોરાક માટે અસહિષ્ણુ છે. અને તું ફકત શાકાહારી રસોઈ જ કરી શકીશ એ પણ એને કહી દેજે.’ ઉછળેલાં દડાની જેમ મારી દીકરી બીચારી એના રૂમમાં જતી રહી. અમે તો આમે ય આ સમ્બન્ધ આગળ વિકસે એવું ઇચ્છતા નહોતાં.

હવે માઈક એકલો અવારનવાર અમારે ત્યાં આવવા લાગ્યો. પ્રિયા તેને ત્યાં જતી તે મને બહુ રુચતું નહીં; એટલે હું માઈકને વધુ પ્રેમથી સત્કારતી. માઈકના ડૅડીને પ્રિયા માટે સારો ભાવ છે એ જાણ્યા પછી, મને થયું કે અમારે વિઘ્ન ન બનવું જોઈએ. લગ્ન પહેલાં તેઓ ‘હદ’ નહીં ઓળંગે, તેની ખાતરી પણ માઈક પરના ધાર્મિક પ્રતિબંધોથી અને તેના વધુ પરિચયથી થઈ. એમના પર વધતા જતાં વિશ્વાસને કારણે મારો ડર ઘટતો જતો હતો. માઈક અમારી દુનિયામાં પ્રવેશ પામી ચુક્યો હતો. હવે તે પ્રિયાને છોડી દે તો પ્રિયાની શી હાલત થાય, તેની ચિંતા મને અકારણ થવા લાગી હતી ! બન્ને મોટી બહેનો મારી આ ચિંતા પર પ્રહાર કરતાં કહે, ‘અત્યારે તો તારે કારણે પ્રિયા એને છોડી દે એવી શક્યતા વધારે છે. અને એમ થાય તો માઈકની મનોદશા શી થાય તેનો તને ખ્યાલ છે ?’

સુકાન મારા હાથમાં છે તે ભ્રમ ભાંગતાં પીડા ઘણી ય થઈ; પણ સાથે એક પ્રકાશ પણ મનમાં પડ્યો કે પોતાના બાળકની શક્તિનો અંદાજ માબાપ એમના પરની સત્તાની અંધતાને કારણે લગાવી શક્તા નથી.

આઠ વર્ષ જોતજોતામાં વીતી ગયાં. પ્રિયા અને માઈક બંને ડૉક્ટરેટની ઉચ્ચ પદવીઓ પ્રાપ્ત કરી સ્વનિર્ભર થઈ, લગ્ન માટેની તૈયારી કરવા લાગ્યાં. આ વર્ષો દરમ્યાન માઈક અને પ્રિયાના ડૅડી વચ્ચે પણ વિશ્વાસ બંધાયો હતો. વિરોધનાં બધાં વમળો શમી ચુક્યાં હતાં. ક્યારેક પ્રિયા અને માઈક નાનાં બાળકોની જેમ ઝઘડી પડતાં અને અમને એની જાણ થાય તે પહેલાં તો અમારી સામે બન્ને હસતાં ઊભાં હોય ! માઈક ગુજરાતી બોલવાની કોશિશ કરતો ત્યારે ઘર ખડખડાટ હાસ્યથી ભરાઈ જતું. આવે ત્યારે ‘ખેમ ચો?’(કેમ છો?)થી શરૂ કરી, જાય ત્યારે ‘આવજો’ સુધી ગુજરાતી શીખવાની તેની કોશિશ ચાલુ રહેતી.

બન્ને પક્ષનાં માબાપની ખુશી માટે લગ્ન હિન્દુ વિધિથી અને ખ્રિસ્તી ધર્મની વિધિથી, એમ વારાફરતી બે દિવસ ઉજવવાનું નક્કી થયું. બન્ને પ્રસંગે, બન્ને પક્ષના કુટુમ્બીજનો અને સ્નેહીમિત્રોની હાજરીમાં મેંદી રંગ્યા હાથે પ્રિયાએ, ગુજરાતી વરરાજાના પોશાક સાથે સાફો પહેરેલા માઈકના ગળામાં વરમાળા આરોપી. બ્રાહ્મણના મંત્રોચ્ચાર સાથે ફેરા ફર્યાં. બીજા દિવસે લગ્નના સફેદ પોશાકમાં પવિત્રતાની મૂર્તિ સમી પ્રિયા અને ‘Made in India’ ટાઈ સાથે બ્લ્યુ સુટમાં સજ્જ માઈક  ‘I do’ કહી પાદરીની હાજરીમાં વચનબદ્ધ થયાં. વડીલોના આશીર્વાદ માટે પ્રણામ કરવા માઈક પ્રિયાને અનુસર્યો અને માઈકના કુટુમ્બીઓ સાથેના ડાન્સમાં પ્રિયા જોડાઈ. પૂરો ખ્યાલ રાખી ‘something new, something old, something blue, something borrowed’નો શણગાર સજી પ્રિયાએ માઈક સાથે સહજીવનને પંથે પ્રયાણ શરૂ કર્યું ત્યારે મારાં અશ્રુમાંથી કવિ દાદનું આ વિદાયગીત ટપકતું હતું :

કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો
   

મમતા રુવે જેમ વેળુમાં વીરડો ફૂટી ગ્યો

સમ્પર્ક : 5022-Redvine way, Hixson, TN 37343, USA        

ઇ.મેલ: rekhasindhal@comcast.net  લેખિકાનો બ્લોગ  : http://axaypatra.wordpress.com/

સૌજન્ય : “સન્ડે ઈ–મહેફીલ” – વર્ષ : આઠમું – અંક : 266 – March 24, 2013

Loading

Gandhian concept of Village Development and India’s Development Policy (Special reference to Panchayat Raj)

Shubhangi Rathi*|Gandhiana|8 April 2013

Good governance demands respect for human rights, rule of law, strengthening of democracy, promoting transparency and capacity in public administration. The responsiveness of the state and its institutions to the needs and aspirations of the people, and inclusive citizenship are imperative to good governance. Democracy depends upon the equality of all human beings, their right to participate in social and political transformation and the right to development, to live in dignity. Panchayat Raj is a system and process of good governance. Villages have always been the basic units of administration in India since ancient times. The Gram Sabha can become the cornerstone of the whole Panchayat Raj institutional set-up, thereby the Indian democratic system. So in this paper focus is on Gandhian concept of Panchayat Raj. This is useful to development of India. So in 21st century this concept becomes powerful in the Nation.

Importance of Democratic Decentralization:

Gandhi's concept of democratic decentralization bears the stamp of his passionate belief in non-violence, truth and individual freedom. He calls it Panchayati Raj or village Swaraj. He wants to see each village a little republic, self-sufficient in its vital wants, organically and non-hierarchically linked with the larger spatial bodies and enjoying the maximum freedom of deciding the affairs of the locality. Gandhi wanted political power to be distributed among the villages in India. Gandhi preferred the term ‘Swaraj’ to describe what he called true democracy. This democracy is based upon freedom. Individual freedom in Gandhi’s view, could be maintained only in autonomous, self-reliant communities that offer opportunities to the people for fullest participation.1

Village Panchayats

The vehicle that was most ideal to initiate both political and economic democracy at the grassroots level was the Panchayat Raj system. Mahatma Gandhi's tours all across the country reinforced his convictions that India would benefit if the villages were governed by Village Panchayats based on the principal of "simple living and high thinking". These were village republics which were self-contained and self-reliant and having all that people want. These were the institutions where minimum standard of living could be accorded to all human beings. An individual had maximum freedom and opportunity to develop his personality to the greatest extent. In these republics there would be a diminution of the state and the roots of democracy deepened. According to him centralization cannot be sustained as a system without adequate force.2

The affairs are to be managed by Panchayats consisting of five persons elected annually. Gandhi aimed at the individual the centre of the local administration. People are expected to take personal interest and turn up in large numbers at the meeting to deliberate problems of common interest such as village industries, agricultural production, obligation and planning.3

Village -unit of a decentralized system:

Gandhi made it very dear that concentration of either economic or political power would violate all the essential principles of participatory democracy. To check centralization, Gandhi suggested the institution of village republics both as institutions of parallel polities and as units of economic autonomy. Village is the lowest unit of a decentralized system. Politically a village has to be small enough to permit everyone to participate directly in the decision-making process. It is the basic institution of participatory democracy. The technical skills of the villages will be fully developed, there will be no dearth of men with high degree of skill and artistic talent. There will be village poets, village artists, village architects, linguists and research workers.4

Gandhian decentralization means the creation of parallel politics in which people's power is institutionalized to counter the centralizing and alienating forces of the modem state. According to Mahatma Gandhi, utilization of the local resources is quite fundamental to the development of the Panchayat Raj system. The Panchayats with the Gram Sabhas should be so organized as to identify the resources locally available for development in the agricultural and industrial sectors. Gandhi wrote, "Democracy becomes an impossible thing until power is shared by all, but let not democracy degenerate into mobocracy".5

Each village a little republic, self-sufficient, enjoying maximum freedom for deciding the affairs of the locality.6 Gandhi also proposed a scheme of government under the Gandhian Constitution beginning from the primary unit the Village Panchayat to the level of the All-India Panchayat, with the powers being assigned to all levels of the government.7 These villages should not only be self-sufficient but also capable of defending themselves, even if need be, against the whole world.8

In his Presidential Address at the Belgaum Congress, Gandhi said that the Panchayat was not only a right medium for securing cheap justice but also an instrument for avoiding reliance on government for the settlement of mutual justice.9

Panchayat Raj system:

The Gandhian ideas of Gram Swaraj and Panchayat Raj system can become vehicles for ushering in the much needed social and political change by including all the stakeholders in the process of decision-making and public policy formulation. As Gandhi said, "Panchayat Raj represents true democracy realized. We would regard the humblest and the lowest Indian as being equally the ruler of India with the tallest in the land".10

India's Development policy about Panchayat Raj:

Mahatma Gandhi advocated Panchayat Raj, a decentralized form of Government where each village is responsible for its own affairs, as the foundation of India's political system. The term for such a vision was Gram Swaraj ("village self-governance"). Recommendations of Balwant Rai Mehta Committee. The Balwant Rai Mehta Committee was a committee appointed by the Government of India in January 1957 to examine the working of the Community Development Programme (1952) and the National Extension Service (1953) and to suggest measures for their better working. The recommendations of the committee were approved by NDC in January 1958 and this set the stage for the launching of Panchayat Raj Institutions throughout the country. The committee recommended the establishment of the scheme of 'democratic decentralization' which finally came to be known as Panchayat Raj. (i) Establishment of a 3-tier Panchayat Raj system. This system was adopted by state governments during the 1950s and 60s, as laws were passed to establish panchayats in various states. It also found backing in the Indian Constitution, with the 73rd amendment in 1992 to accommodate the idea. The Amendment Act of 1992 contains provision for devolution of powers and responsibilities to the panchayats both for the preparation of economic development plans and social justice, as well as for implementation in relation to 29 subjects listed in the eleventh schedule of the constitution.

Social Audit:

The Ministry of Panchayati Raj has issued specific guidelines to make Gram Sabha as a vibrant forum for promoting planned economic and social development of the villages in a transparent way. The guidelines are a part of the proceedings to observe the year 2009-10 as year of Gram Sabha and relates to the social audit for the effective implementation of Mahatma Gandhi NREGA. According to the guidelines, the Gram Sabha as a Key to the self-governance and transparent and accountable functioning are a forum that ensures direct, participative democracy. It offers equal opportunity to all citizens including the poor, the women and the marginalized to discuss and criticize, approve or reject proposals of the Gram Panchayat and also assess its performance. Hence, the States may, by law, endow the Panchayats with such powers and authority as may be required to enable them to function as institutions of self-government under them, Article 243G read with the Eleventh Schedule stipulates that. Such laws may also endow powers and responsibilities upon Panchayats for the preparation and implementation of plans for economic development and social justice including in relation to the 29 matters listed in the Eleventh Schedule. This did lead to the enactment of Gram Panchayat Acts by various States; these were no more than half-hearted attempts for the creation of rural local government institutions. But the failure of the Community Development Programme, which had been launched for bringing a silent revolution in rural society by awakening the dormant forces of progress, led to the appointment of Balwantrai Mehta Study Team.

Conclusion:

But the studies of several distinguished scholars on the working of the Panchayat Raj in different States and the Status Report of the Ministry of Panchayat Raj (1996) lead us to the inference that the Gandhian ideal of Gram Swaraj remains an unfinished agenda even after six decades of the implementation of the Panchayat Raj on the recommendation of the Balwantrai Mehta Study Team on October 2, 1959. 73rd Amendment was implemented by various States in 1994. Therefore, concerted, systematic and sustained endeavors are needed on the part of those for whom Gram Swaraj remains a cherished dream for the empowerment of people and for making national development of India a participatory democracy.

References:

 

   1. Ramshray Roy, 1984. Self and Society : A study in Gandhian Thought, New Delhi, Sage Publications, India Pvt. Ltd., p. 123
   2. Harijan, 30 December 1939, Vol VII, p. 391.
   3. M. L. Sharma, 1987. Gandhi and Democratic Decentralisation, New Delhi, Deep and Deep Publications, Â p. 48
   4. M. K. Gandhi, 1959. Panchayati Raj, Ahamedabad, Navjivan Publishing House, p. 16
   5. M. L. Sharma, Op. Cit., p.88
   6. Collected Works, Vol XLVI, p. 12
   7. Shriman Narayan Agarwal, Gandhian Constitution for Free India, (Allahabad, Kitabistan, 1946) for further details.
   8. Harijan,28 July, 1946, Vol X, p. 236
   9. Collected Works, May 1967, Vol XXV, p. 478.
  10. M. K. Gandhi, Village Swaraj, (Navjivan Trust, Ahmedabad, 1962), p.71.

* Dr. Shubhangi Rathi is a Associate Professor & H.O.D. Poliical Science, Smt. P.K. Kotecha Mahila Mahavidhalaya, Bhusawal, Maharashtra, India.

  courtesy : Mumbai Sarvodaya Mandal – Gandhi Book Centre – Gandhi Research Foundation, 299 Tardeo Road, Nana Chowk, MUMBAI – 400 007, India

Loading

...102030...4,0854,0864,0874,088...4,1004,1104,120...

Search by

Opinion

  • યુદ્ધ રોકવા સેક્સની હડતાળ!
  • સમાધાનોમાં સુખનું સરનામું છે
  • તુમ જો હુએ મેરે હમસફર, રસ્તે બદલ ગયે
  • असत्यम् एव जयते: સત્ય જ જીતે છે એવા ભ્રમમાં રહેવું નહીં
  • આર્ષદૃષ્ટા નેહરુનું ઇતિહાસદર્શન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 
  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 

Poetry

  •  ૨૧ સદીને સ્મૃતિપત્ર
  • ભૂખ
  • ગઝલ
  • નદી
  • ગઝલ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved