‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની માસિકી બેઠકમાં, શનિવાર, 07 સપ્ટેમ્બર 2013ના, કવિ રાજેન્દ્ર નાણાવટી પ્રસ્તુત ચારે ય કવિતાઅો :
(१)
तव स्मृतेरनन्ता: कणा: • राजेन्द्र नाणावटी
अक्ष्णो: सम्मुखमद्य
प्रसृता नि:सीमा मरुभूमि:।
मरुभूमौ उड्डयन्ते
तव स्मृते: अनन्ता: कणा:।
प्रचण्डवेगे वायौ
उत्तिष्ठति वालुकाडमरी
पूरयन्ती नेत्रे
दहन्ती
प्रदग्धसूचिका इव
विध्यन्ती रोमरोम
मध्येस्थितस्य मम,
चक्रगत्या
ऊर्ध्वमारुह्य
परित उत्तिष्ठन्ती
रचयन्ती
प्रज्वालयन्तीं सिकतास्तम्भिकाम्।
धग्धगन्तीमेतां स्तम्भिकां स्फोटयित्वा
नि:सरतु साम्प्रतं झटिति
कोडपि नरपशु:।
कामं तत: स:
निजैस्तीक्ष्णैर्नखरै –
र्नान्यस्य कस्यचिद्यदि
स्वस्यैवोदरं विदार्य
अन्त्राणि निष्कर्षतु।।
(राजेन्द्रो नाणावटीकृत -‘मरीचिका’, पृ. 45-46)
ખુદ કવિએ દીધો ગુજરાતી અનુવાદ
અાંખોની સામે હવે
ફેલાય છે અફાટ રણ.
રણમાં ઊડે છે
તારી સ્મૃિતઅોના અનંત કણો.
પ્રચંડ વેગે વાતા વાયુમાં
ઊઠે છે રેતની ડમરી
ભરી દેતી અાંખોને
બાળતી
ધગધગતા સોયા જેવી
વીંધી રહેતી રોમેરોમને
વચ્ચે ઊભેલા મારાં,
ચકરાતી
ઊંચી ઊઠતી
મને ઘેરી વળતી
રચી દેતી
દઝાડતી રેતની થાંભલીને.
ધગધગતી અા થાંભલી ફાડીને
બહાર નીકળો હવે ઝટ
કોઈક નરપશુ.
ભલે પછી તે
− બીજા કોઈનું નહીં તો −
પોતાનું જ પેટ ફાડીને
અાંતરડી ખેંચી કાઢે.
(२)
पुरूरवसो न्वेषणम् । • राजेन्द्र नाणावटी
क्षुब्ध: प्रक्षुब्धोऽद्य
इन्द्रलोक: ।
निस्तेजास्सझ्जाता वर्णा:
इन्द्रधनुष:
मानससरसि प्रतिबिम्बितस्य ।
अवतरति पृथिवीमद्य
ऊर्वशी
अन्वेष्टुं पुरूरवसम् ।
मनोहराणाम्
ऊर्वश्या लास्यमुद्राणां रेखाणाम्
संग्रहस्थानं केवलं भविष्यति
नाकपृष्ठमधुना ।
ऊर्वशी तु लप्स्यत अायुषम्
अायुष: परितृप्तिसमम् ।
तस्य मुखे
रेखा: व्यक्तीभवन्ती: द्रक्ष्यति सा
पुरूरवसो मुखस्य ।
किन्तु
ऊर्वश्यन्वेषणोन्मत्तेन
मेघराजिसंचारिणा
सहस्राक्षेण नन्दनवनविहारिणा
व्याहृतानामृचां पदेषु
रेखा अ िऽ्कतास्स्यु:
अप्सरसोऽभावस्य ॥
(राजेन्द्रो नाणावटीकृत ‘मरीचिका’, पृ. 34-35)
કવિ દીધો ગુજરાતી તરજુમો :
પુરૂરવાની શોધમાં • રાજેન્દ્ર નાણાવટી
ખળભળી ઊઠ્યો છે અાજે
ઈન્દ્રલોક.
નિસ્તેજ થઈ ગયા છે વર્ણો (ઝાંખા થઈ ગયા છે રંગો)
ઈન્દ્રધનુષના
માનસસરમાં પ્રતિબિમ્બાતા.
ઊતરી રહી છે પૃથ્વી પર
ઊર્વશી
પુરૂરવાને શોધવા.
ઊર્વશીની
મનોહર લાસ્યમુદ્રાઅોની રેખાઅોનું
સંગ્રહસ્થાન જ કેવળ બની રહેવાનું
સ્વર્ગ તો હવે.
ઊર્વશીને તો મળશે અાયુષ
અાયુષ્યની પરિતૃપ્તિ સમો.
તેના મુખ પર
રેખાઅો પ્રગટતી જોઈ શકશે તે
પુરૂરવાના મુખની.
પરંતુ
ઊર્વશીની ખોજમાં ઉન્મત્ત બનેલા
મેઘરાજિમાં સંચરતા
નન્દનવનમાં વિહરતા
સહસ્રાક્ષે
ઉચ્ચારેલી ઋચાઅોનાં પદો પર તો
રેખાઅો અંકાઈ હશે
અપ્સરાના અભાવની.
(३)
बुद्बुद: • राजेन्द्रो नाणावटी
उपरि नि:सृत्य
तटतरून् प्रतिबिम्बितानावहन्
इन्द्रधनुषो वर्णान् विरचयन्
तरतु यावत्
वहतु किश्चित्
तत्पूर्वमेव
स्फुटित
बुद्बुद: ।
प्रवाहस्तु
तस्य शवस्य
विराऽरूपम् ॥
(राजेन्द्रो नाणावटीकृत ‘मरीचिका’ पृ. 58)
કવિએ દીધો ગુજરાતી તરજુમો :
પરપોટો • રાજેન્દ્ર નાણાવટી
ઉપર સરકીને
કાંઠે ઊભેલાં વૃક્ષોનાં પ્રતિબિંબોને ધારણ કરતો
ઇન્દ્રધનુષના રંગો રચતો
સહેજ તરે
જરીક વહે
તે પહેલાં જ
ફૂટી ગયો
પરપોટો
પ્રવાહ તો હવે
એના શવનું
વિરાટ રૂપ.
(४)
पश्य प्रिये ! • राजेन्द्रो नाणावटी
पश्य प्रिये !
मण्डलगाने
मध्ये निहितस्य गर्भदीपस्य
दीपस्तु निर्वापित:।
मण्डलाकारेण गच्छन्त्य: स्त्रिय:
अधुना केवलं
रेखा रचयताम्
रेखा रचयताम्
कस्यचिद् अ-सत्-केन्द्रस्य
त्रिज्यामवलगताम्
बिन्दूनां निरर्थका गति:
− शून्यं द्रढयन्ती॥
(राजेन्द्रो नाणावटीकृत मरीचिका’, पृ. 31)
કવિએ દીધો ગુજરાતી તરજુમો :
જો પ્રિયે ! (ગરબો) • રાજેન્દ્ર નાણાવટી
જો પ્રિયે !
ગરબામાં
વચ્ચે મૂકેલા ગરબામાંનો
દીવો તો હોલવાઈ ગયો !
ગરબો ઘૂમતી સ્ત્રીઅો તો
હવે કેવળ
રેખાઅો રચતા
રેખાઅો રચતા
કોઈક અ-સત્ કેન્દ્રની
ત્રિજ્યાએ વળગતાં
બિન્દુઅોની
નિરર્થક ગતિ
શૂન્યને દૃઢાવતી.
![]()


ભૂતપૂર્વ વડા પ્રધાન અટલબિહારી વાજપેયીના મદદનીશ રહેલા સુધીન્દ્ર કુલકર્ણીએ તાજેતરમાં એક પુસ્તક લખ્યું છે : Music of the, Spinning Wheel – જેનું વિમોચન ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામને હસ્તે થયેલું. ગાંધીજી વિશે સર્વસામાન્ય છાપ એવી છે કે ગાંધીજી વિજ્ઞાન-ટેક્નોલૉજીના-મશીનના વિરોધી હતા. ખરેખર તો ગાંધીજી યંત્રની ઘેલછાના વિરોધી હતા, યંત્રો અન્યોની રોજગારી છીનવી લે તથા કામદારોનું શોષણ કરે તેના વિરોધી હતા. લેખક આ વાત પુરાવા સહિત રજૂ કરવા સાથે એમ માને છે કે ગાંધીજી આજે હયાત હોત તો ઇન્ટરનેટને – ડિજિટલ ટેક્નોલૉજીને આવકારી હોત, તેનો ઉપયોગ કરત અને લેખકનો આશાવાદ છે કે ગાંધીજી જે કામ ચરખા દ્વારા કરવા ઇચ્છતા હતા એ હવે ડિજિટલ ટેક્નોલૉજી – ઇન્ટરનેટથી થઈ શકશે. તેની સહાયથી વપરાશકારોની જરૂરિયાત મુજબ ઉત્પાદન થશે. ઉત્પાદન વિકેન્દ્રિત ધોરણે થશે. ઉત્પાદિત માલ સ્થાનિક બજારમાં જ વેચાશે, પ્રદૂષણની સમસ્યા હલ થશે, ઊર્જાનો બગાડ અટકશે.
પશ્ચિમના વિચારકોમાં પણ ગાંધી વિજ્ઞાન-ટેક્નોલૉજીના વિરોધી છે તેવા ખ્યાલ હતો. આઈનસ્ટાઈને 1935માં કહેલું, ''હું ગાંધીનો ખૂબ આદર કરું છું, પરંતુ ગાંધી આધુનિક સભ્યતામાંથી મશીને દૂર કરવાનું યા ઓછા કરવાનું કહે છે, તે તેમની ભૂલ છે. મશીનો રહેવાનાં જ છે. તેનો સ્વીકાર કરવો જ પડશે.'' રોબર્ટ પાયનેએ ગાંધીની જીવની લખી છે. તેમાં લખ્યું છે કે ગાંધી વિજ્ઞાનવિરોધી હતા. ચાર્લી ચેપ્લીન ગાંધીજીની મશીન પ્રત્યેની નફરત જોઈને મુંઝાઈ ગયેલા. આલ્ડસ હકસલીના મત મુજબ ટૉલ્સટોયવાદીઓ અને ગાંધીવાદીઓ કહે છે કે આપણે પ્રકૃતિ તરફ પાછા વળવું જોઈએ. (Return to Nature) તેનો અર્થ એ થયો કે વિજ્ઞાનને એક બાજુ મૂકીને આપણે ફરી પ્રાથમિક દશામાં જીવવું. આવો અભિગમ ભારતમાં પણ ઘણા લોકો ધરાવતા હતા. ગામડાં અંગે પણ માર્ક્સનો અભિપ્રાય સારો નહોતો. આ બધાં કારણોને લઈને લેખક સહિત ઘણા યુવાનોને ગાંધી પ્રત્યે પૂર્વગ્રહ હતો.