Opinion Magazine
Number of visits: 9697063
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

A Perpetual Sojourn

Vijay Joshi|English Bazaar Patrika - Features|30 September 2013

An essay

Mother of Exiles, the statue of Liberty, proclaims "Give me your tired, your poor, your huddled masses yearning to breathe free”.

Most of the early European exiles arrived in America mostly for a better life. Some were forced to flee for political reasons. Some escaped religious persecution. Historically the meaning and the experience of an exile has changed and continues to  evolve.

All exiles are not made equal. There are multiple flavors of an exile. An immigrant belongs to a class lower than that of an émigré, higher than refuge- less than expatriate. An immigrant is someone who voluntarily leaves his native country to settle permanently in another country.  Émigré is an emigrant, the one forced to leave for political differences. A refugee is a person who has fled from  political persecution or for personal safety . Expatriate is someone who has left native country willingly with conscious effort to resist total inclusion in the new world.

In medieval Europe, exile was considered the worst kind of punishment. Dante when he was banished only about 100 miles from Florence, he treated his exile as social death which was reflected in his later writings in “Inferno”. There was implicit permanent attachment to the birthplace and no prospects of a return to homeland. Today being in exile is not as severe and as permanent anymore. Also social media apps like Skype, Facebook, Tweeter etc. has eased a lot of pain of displacement and has brought memories of old home closer to the new home. 

An immigrant longs for the world left behind in his native land but manages to belong to neither world. When he sees a new place, he sees some connection to the old place, forever searching for his old home in his new home. His loyalty, affection, culture are all a mix bag of old and new and always in a state of limbo. He lives a double life-  he tries, without quite succeeding, to belong to the new world in his life outside his home, while his life inside his new home, he strives to replicate his old home, without much success either.

He is uprooted, upended and tries hard, without quite succeeding completely, to put his roots down again. He tries to connect to the new world while not quite disconnecting from the old world. While striving to be stationary, he is always mobile, drifting while trying to be motionless, in transit while struggling to settle down, never knowing how to blend in, always going somewhere without getting anywhere.  He tries desperately to become a “new self”, without really letting go of “old self”.

He tends to do continuous retrospection, always imagining himself in the old world as preserved and frozen in his memory. He is frozen in time, culture, values of the old world, a world which has since changed and does not exist anymore; it lives only in his memory. He continues to cling to the old world or at least to the idea of the old world.

He tries to belong to two places and fails to belong to either place, trying to preserve traces of old identity, while struggling to acquire a new identity, losing both the identities in the process. He, who has become now a stranger in his own lands, is also a stranger in the new lands. He is a man of many faces while without belonging to any of those faces.

His accent, no matter how impeccably hard he tries to hide it, always betrays him as a person of foreign lands. An accent is a residue of old language which gives him away as someone who is not a native speaker of the language. An accent is the resistance of his subconscious to the new language.

Just because you have become an American citizen does not transform you or make you forget your allegiance to the old country, although your oath might force you or coerce you. Indian American strives to maintain native ethnicity, cultural connection by celebrating and participating in all the festivals, Bollywood movies, ethnic restaurants, cricket, and by keeping religious connections by building various houses of worships, and continues creative pursuits by forming ethnic literary groups, ethnic magazines, ethnic newspapers in the adopted country.

Most of the Indian immigrants of my generation, who emigrated in or around 1970s, did so as qualified professionals who emigrated for a better future for themselves. This was followed by relatives of these early immigrants many of whom in their middle ages came for the betterment of their children’s future and then very recently H1 visa holders who settled here for a temporary stay and ended up as legal immigrants and there is the group of college students many of whom stay on after finishing their studies and become new genre of immigrants. Then there is the group of undocumented illegal aliens who live a marginalized life, although as wretched as their lives might be here, they feel they are better off here than they would otherwise be in native lands.  The attitudes, affinity to India, blending into the American culture are varied; each group has its own set of goals. 

Recently during my last visit  to the town I grew up in India,  I found cyber cafés, McDonalds, fancy boutiques touting Western  fashions, high rise buildings and night clubs, and  very little resemblance to the city tucked away and stuck in my memory. The lines between a native culture and foreign culture had blurred making the two almost indistinguishable. 

I realized then that although my home will always be alive and well preserved and frozen in the depths of my memory, does not exist anymore back in India.

Now I was at ease with myself. I felt at home in my new home in my new adopted country.

Translation in Gujarati at this link : https://opinionmagazine.co.uk/details/603/હૈયાને-વળી–દેશ-શું-અને-પરદેશ-શું-?

Loading

જર્મની પર જાદુ કરનાર એન્જેલા મર્કેલ

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|30 September 2013

તાજેતરમાં જર્મનીમાં સળંગ ત્રીજી વખત પોતાના પક્ષને ફાંકડી જીત અપાવીને એન્જેલા મર્કેલે ચાન્સેલર બનવાની હેટ્રીક સર્જી છે. એન્જેલા મર્કેલે ભારતનો સાથે હંમેશાં નિભાવ્યો છે

જર્મનીમાં ઇ.સ. ૨૦૦૫થી શાસન સંભાળનારાં ૫૯ વર્ષનાં એન્જેલા મર્કેલે વધુ એક વાર દુનિયાને દેખાડી દીધું કે લોકો તેને 'આયર્ન લેડી' કે 'આયર્ન ચાન્સેલર' અથવા કહો કે લોખંડી નેતા શા માટે કહે છે! જર્મનીમાં તાજેતરમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં એન્જેલા મર્કેલે પોતાના પક્ષ ક્રિશ્ચિયન ડેમોક્રેટિક યુનિયને સળંગ ત્રીજી વખત બહુમતી અપાવીને સત્તાનો જંગ જીતી લીધો છે. એન્જેલા મર્કેલ સતત ત્રીજી વાર જર્મનીના ચાન્સેલર પર બિરાજમાન થશે. એન્જેલા મર્કેલના નેતૃત્વમાં તેમના પક્ષે છેલ્લાં ૨૦ વર્ષમાં સૌથી વધારે મતો મેળવ્યા છે. આ વખતની ચૂંટણીના વિજયનો સંપૂર્ણ શ્રેય એન્જેલાને જ જાય છે, કારણ કે ચૂંટણી દરમિયાન તેમની લોકપ્રિયતા પર જ સૌથી મોટો મદાર હતો અને જનતાએ પોતાની લાડકી લીડર 'એન્જી' વધુ એક વાર સત્તા સોંપીને હાશકારો અનુભવ્યો છે.

એન્જેલા મર્કેલના પક્ષને ૪૨.૨ ટકા મતો મળ્યા છે અને ૧૯૯૦ પછીનું સૌથી સારું પરફોર્મન્સ છે, પણ તેમના સાથી પક્ષ ફ્રી ડેમોક્રેટ્સને માત્ર ૪.૮ ટકા જ મત મળતાં પૂર્ણ બહુમતીથી તેમને માત્ર પાંચ બેઠકોનું છેટું રહી ગયું છે. હવે આ પાંચ બેઠકનો ખાડો પૂરવા તેમણે અન્ય પક્ષનો સાથ મેળવવો પડશે, જે આસાનીથી મળી પણ જશે. જર્મનીમાં ૧૯૫૭ પછી એકેય પક્ષને પૂર્ણ બહુમતી મળી નથી અને ત્યારથી આજ સુધી આપણી જેમ જ ત્યાં પણ ગઠબંધન સરકારનો જ દોર ચાલુ છે. અલબત્ત, આ વખતે આશા હતી કે એન્જેલા પૂર્ણ બહુમતી હાંસલ કરવામાં સફળ રહેશે, પણ માત્ર પાંચ બેઠકનું છેટું રહી ગયું!

જર્મનીના 'ધ ડિક્ટેટર' હિટલરથી આખી દુનિયા તોબા પોકારી ચૂકી હતી, પણ એન્જેલા મર્કેલ નામના 'ધ ડિસાઇડર'થી આખી દુનિયા પ્રભાવિત છે. ફોર્બ્સ મેગેઝિને પ્રસિદ્ધ કરેલી વિશ્વની સૌથી પ્રભાવશાળી વ્યક્તિની યાદીમાં એન્જેલા મર્કેલનું નામ બીજા ક્રમે છે. દુનિયાની કોઈ પણ મહિલાએ હાંસલ કરેલો આ સર્વોચ્ચ રેન્ક છે. ભાગ્યે જ પોતાના મનોભાવો ચહેરા પર પ્રગટ કરનાર આ મહિલા નેતાએ 'ટ્રીટી ઓફ લિસ્બન' અને 'બર્લિન ડિક્લેરેશન'માં મોટું યોગદાન આપેલું છે. એન્જેલા જી-૮નું ચેરમેન પદ પણ ભોગવી ચૂક્યાં છે અને આ પદે પહોંચાનારાં તેઓ માર્ગારેટ થેચર પછીની બીજી મહિલા નેતા છે. સમગ્ર યુરોપમાં આજે એન્જેલા જેટલું મોટું રાજકીય વ્યક્તિત્વ કોઈ ધરાવતું નથી ત્યારે તમામ યુરોપીયન પ્રોજેક્ટ કે નિર્ણયોમાં તેમની અવગણના થઈ શકે એમ નથી.

સૌથી લાંબા સયમ સુધી શાસન કરવાના માર્ગારેટ થેચરના રેકોર્ડને તોડવા તરફ ગતિ કરી રહેલાં એન્જેલા મર્કેલની જર્મનીમાં અકબંધ લોકપ્રિયતા પાછળનું મૂખ્ય કારણ એ છે કે ૨૦૧૦માં સર્જાયેલી યુરોઝોન ક્રાઇસીસમાં તેમણે પોતાના દેશના અર્થતંત્રની સ્થિરતા જાળવી રાખી હતી અને દેશની પ્રગતિને ઉની આંચ આવવા નહોતી દીધી. યુરોઝોન ક્રાઇસીસ બાદ તેઓ યુરોપના એક માત્ર લીડર છે, જેમણે પોતાની ગાદી સાચવી રાખી છે. બાકી, યુરોપના ૧૭ દેશોમાંથી ૧૨ દેશની તત્કાલિન સરકારોએ સત્તાથી હાથ ધોવા પડયા છે. એકમાત્ર મહાસત્તા અમેરિકા પણ બેરોજગારી સામે લાચાર છે ત્યારે છેલ્લા બે દાયકામાં જર્મનીમાં બેરોજગારીનો દર સૌથી નીચે ગયેલો છે, જેનો શ્રેય પણ એન્જેલા અને તેની સરકારને જાય છે.

એન્જેલા અને ભારત

એન્જેલા મર્કેલે ભારત સાથે હંમેશાં સકારાત્મક અભિગમ ધરાવ્યો છે. ૨૦૦૫માં સત્તા પર આવ્યા પછી તેમણે ૨૦૦૬માં ઇન્ડો-જર્મન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ સ્થાપી હતી. ડો. મનમોહનસિંહ સાથે તેમણે સંયુક્ત ઘોષણાપત્ર પણ જાહેર કરેલું અને બન્ને દેશ વચ્ચેના સંબંધો મજબૂત બનાવ્યા હતા. વર્ષ ૨૦૦૭માં એન્જેલા મર્કેલ ભારતની મુલાકાતે આવ્યા હતાં. તેમની મુલાકાતને કારણે સંબંધો ગાઢ બન્યા હતા. તેઓ ફરી ૨૦૧૧માં ભારત આવેલાં અને આપણે ત્યાં ઇન્ડો-જર્મન સંયુક્ત કેબિનેટનું આયોજન કરવામાં આવેલું. ભારત એશિયાનો એવો પહેલો દેશ બનેલો, જેણે જર્મની સાથે સંયુક્ત કેબિનેટ યોજી હતી.

આંતરરાષ્ટ્રીય સ્તરે એન્જેલા મર્કેલના યોગદાનને ધ્યાનમાં રાખીને તેમને વર્ષ ૨૦૦૯માં ભારત સરકાર તરફથી જવાહરલાલ નેહરુ એવોર્ડ ફોર ઇન્ટરનેશનલ અંડરસ્ટેન્ડિંગ એનાયત કરાયો હતો.

એન્જેલાએ ભારત સાથે સંબંધો નિભાવ્યા છે તો સામે છેડે ચીનને તેની ઓકાત પણ બતાવેલી છે. ૨૦૦૭માં તેમણે દલાઈ લામા સાથે મુલાકાત યોજી ત્યારે ચીને બહુ વિરોધ કર્યો હતો, પણ તેમણે ગણકાર્યો નહોતો અને દલાઈ લામાને પ્રેમપૂર્વક મળ્યા હતાં. અલબત્ત, આ મુલાકાત અનઔપચારિક હતી છતાં પણ તેમણે ચીનની સાડીબારી રાખ્યા વિના દલાઈ લામાને મળ્યા હતાં.

લોખંડી નેતાને સો સો સલામ !

divyeshvyas.amd@gmail.com

(સૌજન્યઃ ‘સમય-સંકેત’, સંસ્કાર પૂર્તિ, “સંદેશ”, 29 સપ્ટેમ્બર 2013)

Loading

બદલાતી સંસ્કૃિતઓ

મૂળજી ગડા|Opinion - Opinion|28 September 2013

આપણે જ્યારે ભારતીય સંસ્કૃિતની વાત કરીએ છીએ ત્યારે આપણા મનમાં એક આદર્શ સમાજ વ્યવસ્થાનો ખ્યાલ હોય છે. આપણે જે સાંભળતા અને વાંચતા આવ્યા છીએ, એને સ્વાભાવિકપણે સ્વીકારી લીધું છે. વાસ્તવમાં એ અર્ધસત્ય છે.

આપણી પ્રાચીન સંસ્કૃિત ખરેખર કેવી હતી એ કહેવું લગભગ અશક્ય છે. ગણ્યાંગાંઠ્યાં મહાકાવ્યો કે ગ્રન્થો પરથી એનો સાચો ખ્યાલ ન આવે. એમાં થોડી અતિશયોક્તિ અને ઘણી બધી કવિ–કલ્પના (વિશફુલ થિંકીંગ) પણ હોઈ શકે છે. સદીઓ પછી પણ એ અકબંધ જળવાઈ રહી છે, એમ માનવું ભૂલભરેલું છે.

આપણને વર્તમાનમાં જે નજર સામે દેખાય છે તે આપણી સદીઓની  સંસ્કૃિતનો નીચોડ છે. આપણી સંસ્કૃિતનું જમા પાસું છે : આપણી કુટુમ્બભાવના, વડીલો પ્રત્યેની માનમર્યાદા, પડોશીઓ સાથેનો સમ્બન્ધ, સહિષ્ણુતા વગેરે. સાથેસાથે, આપણી દેખાદેખી, દમ્ભ, ભ્રષ્ટાચાર,  બહાનાંબાજી, અન્ધશ્રદ્ધા, જાતિભેદ, વર્ણભેદ, અસ્પૃશ્યતા, પરિવર્તનનો વિરોધ, જાહેર જગ્યાઓની ગંદકી વગેરે બધું જ આપણી સંસ્કૃિતનું ઉધાર પાસું છે. આમાંથી ઘણું પહેલેથી ચાલ્યું આવે છે.

ભારતીય સંસ્કૃિત ઘણી જૂની છે. પાંચ પ્રાચીન સંસ્કૃિતઓમાંની તે એક છે. આ બધી સંસ્કૃિતઓનો ત્યારે પણ એકબીજા સાથે સમ્પર્ક હતો અને પરસ્પર વિચારોની આપલે થતી હતી. જો એમાં ઊંડા ઊતરીએ તો પ્રાચીન સંસ્કૃિતઓ વચ્ચે ઘણી સમાનતા દેખાઈ આવે છે. સાથે સાથે બધી સંસ્કૃિતઓમાં પોતાની સ્થળ આધારિત વિશિષ્ટતા પણ હતી.

સંસ્કૃિતઓ આદિકાળથી અસ્તિત્વમાં છે, અને સમયાન્તરે બદલાતી રહી છે. એને બદલે છે ધર્મ, માનવીય સ્થળાન્તર, રાજકારણ, ઇિતહાસ, ઔદ્યોગિકીકરણ,  વૈશ્વીકીકરણ વગેરે.

ધર્મ અને સંસ્કૃિત બે ભિન્ન બાબતો છે. ધર્મ એ મનુષ્ય જીવનનું એક અગત્યનું અંગ છે, જ્યારે સંસ્કૃિત તો આપણી દરેક પ્રવૃત્તિ, વિચારો, માન્યતાઓ વગેરે બધાનો સરવાળો છે. એને જીવનવ્યવસ્થા કે સમાજ–વ્યવસ્થા પણ કહી શકાય. એ આપણા વહેવાર, તહેવાર, રીતરિવાજ, રહેણીકરણી, સાહિત્ય, સંગીત, કળા, ફિલ્મ વગેરે દ્વારા છતી થાય છે.

સંસ્કૃિત અને ધર્મ અલગ હોવા છતાં એકબીજાના પૂરક છે. આજના સ્વરૂપમાં જે જુદા જુદા ધર્મો અસ્તિત્વમાં છે, તે પ્રાચીન સમયમાં મોજૂદ નહોતા. સ્થાનિક સંસ્કૃિતની તત્કાલીન જરૂરિયાત તેમ જ તેમાં રહેલી કેટલીક અતિરેકતાના પર્યાયરૂપે જુદા જુદા ધર્મોનો ઉદય થયો અને તે પ્રમાણે ધર્મોના સિદ્ધાન્ત રચાયા. (ખ્રિસ્તી, મુસ્લિમ વગેરે ધર્મોનો ઉદય આ માન્યતાની પુષ્ટિ કરે છે. હિન્દુ અને જૈન ધર્મના અનુયાયીઓ એમનો ધર્મ આદિકાળથી હોવાનો દાવો કરે છે. એની ચર્ચામાં અત્યારે નહીં ઊતરીએ) ધર્મના ફેલાવા સાથે એમાં રહેલ વિચારભેદને કારણે સંસ્કૃિતઓ વચ્ચેનું અન્તર વધવા લાગ્યું. એકબીજાની પૂરક બનવાને બદલે સ્પર્ધક બની ગઈ.

સમાજશાસ્ત્ર એ બધી જ શાળાઓમાં ભણાવવામાં આવતો વિષય છે. વ્યવસાયમાં એનું મહત્ત્વ ન હોવાથી મોટા ભાગના વિદ્યાર્થીઓ દ્વારા એ અવગણાયેલો વિષય રહ્યો છે. છતાંયે એ ફરજિયાત ભણાવાય છે; કારણ કે એ આપણા જીવન સાથે વણાયેલો છે.

સમાજશાસ્ત્રનો એક ભાગ છે ઇતિહાસ. ઇતિહાસ એ રાજાઓનાં નામો અને લડાઈની તારીખો ઉપરાન્ત ઘણું વધારે છે. ઐતિહાસિક ઘટનાઓ પાછળનાં કારણો અને તેમની અસર ઇતિહાસનું હાર્દ હોય છે. દરેક મહત્ત્વની ઘટના અને વહેણ (ટ્રેન્ડ) એની અસર અચૂક મૂકતી જાય છે.

સંસ્કૃિત, ધર્મ અને ઇતિહાસ ગાઢપણે સંકળાઈને એકબીજાને ઘડે છે. ધાર્મિક ભેદભાવોએ યુદ્ધો સર્જ્યાં છે. યુદ્ધોએ રાજકીય નકશા બદલી સંસ્કૃિતને મઠારી છે. એમાંથી નવા ધર્મોનો ઉદય થયો છે અથવા તો પ્રસ્થાપિત અને પ્રચલિત ધર્મમાં ફાંટા પડ્યા છે. આ ચક્ર ચાલતું રહે છે.

સંસ્કૃિતઓને સ્પષ્ટપણે બદલતી છેલ્લી સદીની થોડીક ઘટનાઓ અને વહેણ છે : યુરોપીય સંસ્થાનવાદનો અન્ત, લોકશાહીનો તેમ જ શિક્ષણનો ફેલાવો, સામ્યવાદનો ઉદય અને પીછેહઠ, બે વિશ્વયુદ્ધો, ઔદ્યોગિકીકરણ અને વૈશ્વીકીકરણ વગેરે ..

ભારતના સન્દર્ભમાં જોઇએ તો ઇિતહાસમાં પ્રથમવાર ભારત એક દેશ તરીકે ઉદ્દભવ્યો છે. એ પહેલા ભારત ઉપખંડ સેંકડો નાનાં રજવાડાંઓમાં વહેંચાયેલો હતો. પડોશી રાજ્યો સાથેનાં ઘર્ષણ સામાન્ય ઘટના હતી. એની અસર આજે પણ આપણી સંસ્કૃિત પર અને રાજકારણમાં દેખાય છે. આપણી વફાદારી પોતાના સમાજ, જ્ઞાતિ, ધર્મ કે પ્રાંત પ્રત્યે વધુ છે અને રાષ્ટ્ર પ્રત્યે ઓછી છે. મોગલ શાસન તેમ જ અંગ્રેજી શાસનની અસર પણ આપણી સંસ્કૃિતમાં વણાઈ ગઈ છે. તે છતાંયે પરિવર્તનના સ્વીકારને બદલે વિરોધની વૃત્ત્તિ અકબંધ છે.

આશરે પાંચસો વર્ષ પૂર્વે યુરોપમાં વૈજ્ઞાનિક વિચારસરણી સાથે આવેલી ઔદ્યોગિક ક્રાંતિએ ત્યાંની સંસ્કૃિત મહદ્દ અંશે બદલી નાંખી. આપણી સામાજિક તેમ જ અન્ય સમસ્યાઓ માટે પશ્ચિમી સંસ્કૃિતને દોષ દેવાનું આપણને ફાવી ગયું છે. આપણે એમનાથી જુદા છીએ એમ કહેવા કરતાં એમની પાછળ છીએ એમ કહેવું વધુ ઉચિત છે. આપણે જેને પશ્ચિમી સંસ્કૃિત કહીએ છીએ તે હવે પશ્ચિમના દેશો પૂરતી જ મર્યાદિત નથી રહી. જ્યાં પણ વૈજ્ઞાનિક વિચારસરણી અને ઔદ્યોગિકીકરણ પહોંચ્યા છે ત્યાંની મૂળ સંસ્કૃિત પર એની અસર અચૂક થઈ છે. અહીં સારા – નરસાની સરખામણી નથી. દુનિયાની બધી જ સંસ્કૃિતઓનો પ્રવાહ કઈ બાજુએ વહી રહ્યો છે એની ચર્ચા છે.

સાંસ્કૃિતક રીતે  ભારતનાં મોટાં શહેરોમાંનો અમુક વર્ગ એકવીસમી સદીમાં જીવે છે, ગામડાંના લોકો ઓગણીસમી સદીમાં જીવે છે અને આદિવાસીઓ કદાચ સત્તરમી સદીમાં જીવે છે. દુનિયાના બધા જ વિકાસશીલ દેશોમાં વત્તે ઓછે અંશે આવી જ વ્યવસ્થા દેખાય છે. માહિતી પ્રસારણમાં જે જબરદસ્ત ક્રાન્તિ આવી છે એના લીધે કાળેક્રમે આ ભેદ ઓછો થશે. પરમ્પરાગત માન્યતાઓની પકડ ઢીલી પડશે અને દુનિયાની બધી જ સંસ્કૃિતઓ ફરી પાછી એકબીજાની વધુ નજીક આવે એવી શક્યતા દેખાય છે.

ભારતીય, પશ્ચિમી કે બીજી કોઈ સંસ્કૃિતને બદલે, લોકો કઈ સદીમાં જીવે છે, એ શબ્દપ્રયોગ વધુ યોગ્ય લાગે છે. દરેક દેશમાં બધી જ વિચારધારાઓ અનુસરતા લોકો હવે મળે છે. પશ્ચિમનો અમુક વર્ગ આપણી પાસેથી યોગ અને ધ્યાન શીખે છે તો આપણે પૂર્વ એશિયાના દેશો પાસેથી કરાટે શીખીએ છીએ. દુનિયા આખી પશ્ચિમ પાસેથી વૈજ્ઞાનિક વિચારસરણી શીખે છે. દુનિયાનાં બધાં જ મોટાં શહેરોમાં બધા દેશોની ખાવાની વસ્તુઓ મળે છે. ફક્ત વ્યાપાર ક્ષેત્રે નહીં; પણ સાંસ્કૃિતક સ્તરે વૈશ્વીકીકરણ થઈ રહ્યું છે. એનો આંધળો વિરોધ કરવાને બદલે એમાંથી સારાં તત્ત્વોને અપનાવવું આપણા હિતમાં છે.

વર્તમાન સમાજ વ્યવસ્થા ચાલુ રહે એમાં ચોક્કસ વર્ગનું હિત સમાયેલું હોય છે. તેઓ પરિવર્તનનો વિરોધ કરે એ સ્વાભાવિક છે. એના માટે તેઓ ‘મહાન સંસ્કૃતિ, શ્રેષ્ઠ પરમ્પરા’ વગેરે દલીલોનો ઉપયોગ કરે છે. આજ સુધી તેઓ સફળ થતા આવ્યા છે; પણ હવે એમનો સમય પૂરો થયો છે. સમાજ અને દેશ ધીરે ધીરે જાગી રહ્યો છે. આંધળા વિરોધનો જ વિરોધ કરવાનો સમય હવે આવ્યો છે. આવનારો સમય પોતે એનો ઉત્તર આપશે.

સમાજશાસ્ત્રનો બીજો ભાગ છે ભૂગોળ. ભૌગોલિક રીતે છૂટા પડેલા પ્રદેશો પર સંસ્કૃિતના ફેરફારની અસર મોડી પડતી હતી. હવે એ ભેદ પણ ભુંસાઈ રહ્યો છે.

ભૂગોળે બીજો એક મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. એમાં સમાયેલી બાબતો નક્કર હકીકત હોવાથી એણે ઘણી પરમ્પરાગત ગેરસમજો દૂર કરી છે. કમનસીબે કેટલીક  રૂઢિગત ગેરસમજો હજી પણ આપણી વચ્ચે પ્રચલિત છે તેમ જ તેનો ફેલાવો કરવામાં આવે છે.

જે બાબતો નિ:શંક રીતે સાબિત કરી દુનિયાએ સ્વીકારેલ છે અને બધી જ શાળા કૉલેજમાં ભણાવવામાં આવે છે; છતાં જેની વિરુદ્ધ પ્રચાર કરવામાં આવે છે એ તો ધાર્મિક જડતાની પરાકાષ્ઠા છે. આવા અપપ્રચારના કેટલાક અંશ છે: ‘પૃથ્વી ગોળ નહીં; પણ સપાટ છે, પાણી પર તરે છે, ગુરુત્વાકર્ષણનું અસ્તિત્વ નથી, ચંદ્ર પર માનવી ગયો જ નથી અને જઈ શકે પણ નહીં, ભૂતકાળમાં લોકોનું આયુષ્ય લાખો વરસનું હતું’ વગેરે વગેરે ..

બધા જ ધર્મોના મૂળભૂત સિદ્ધાન્તોમાં સત્યનું આગવું સ્થાન છે. સત્યપાલન એટલે સાચું બોલવા અને આચરવા ઉપરાન્ત સત્યનો સ્વીકાર પણ છે. જે બાબતો નિ:શંકપણે પૂરવાર થયેલી છે એની સાથે પરમ્પરાને નામે અવિરત લડવા કરતાં સ્વીકારી લેવામાં વધારે ધાર્મિકતા છે. ભૂતકાળમાં કોઈએ કંઈ કહ્યું હોય એટલા માટે એને વળગી રહેવામાં અન્ધશ્રદ્ધા સિવાય બીજું કંઈ નથી.

આવી બાબતો વિશે આપણે જે પણ માનીએ એનાથી આપણા રોજીન્દા જીવનમાં કંઈ ફરક પડતો નથી. છતાંયે એ આપણી વિચારસરણીનો પડઘો જરૂર પાડે છે. ખોટી હઠ રાખવાથી બદલાતી દુનિયા સાથેનું તાદાત્મ્ય અઘરું બને છે, સત્યપાલનથી દૂર રાખે છે. એકવીસમી સદીમાં જીવવું હોય, પ્રગતિ કરવી હોય તો પન્દરમી સદીની માન્યતાઓને છોડવી પડશે.

……………..

કચ્છી જૈન સમાજ, અમદાવાદનું મુખપત્ર ‘મંગલ મન્દિર’ માસિકના 2008ના એપ્રિલ માસના અંકમાં પ્રકાશિત થયેલો લેખકનો આ લેખ, લેખકશ્રીની પરવાનગીથી સાભાર …

સૌજન્ય : ‘અભીવ્યક્તી’ : http://govindmaru.wordpress.com/2013/09/13/murji-gada-30/

Loading

...102030...4,0814,0824,0834,084...4,0904,1004,110...

Search by

Opinion

  • ખોરાક બાબતે આપણે બેદરકાર, તો કંપનીઓ છેતરવા બેકરાર …
  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved