Opinion Magazine
Number of visits: 9524062
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અખંડ આયુષ્યમાન ભવ જ્ઞાતિ પ્રથા

અાશા બૂચ|Opinion - Opinion|25 April 2013

ત્રણેક દિવસ પહેલાં બી.બી.સી.ન્યુઝ યુ.કે. પર ભારતીય કોમને ખૂબ શરમજનક સમાચાર જોવા મળ્યા હશે. શીર્ષક હતું, ‘People affected by caste prejudice in the U.K. speak out.’

એ સમાચારનો સાર કંઈક આ પ્રમાણે છે : યોર્કશાયરમાં કામ કરતા કોઈ એક કંપનીના મેનેજરના હાથ નીચે કામ કરતા એક કર્મચારી તેમને ‘તમે હરિજન છો, માટે મારા મેનેજર નથી.’ એવાં વિધાનોથી બહુ અપમાનિત કરે છે. બીજા બિન એશિયનોની હાજરીમાં આ સજ્જન વિષે ઉતરતું બોલે અને એમને અનેક રીતે હેરાન કરવામાં કસર ન રાખે. આવું વર્તન આ મેનેજરે લગભગ દસેક વર્ષ સહન કર્યું. તેમના ઉપરીને જાણ હોવા છતાં ય કોઈ પગલાં ન લીધાં. 

ભારતની બહાર બ્રિટનમાં, અને બીજા દેશોમાં, હજુ ૨૧મી સદીમાં પણ આવા પૂર્વગ્રહિત ખ્યાલો ધરાવતા લોકો દ્વારા ભેદભાવભર્યું વર્તન કરવામાં આવે છે, તેનું એ મુલાકાત આપનારને અત્યંત દુ:ખ છે. તેમણે કહ્યું કે બ્રિટનમાં અંદાજે આશરે ૪,૦૦,૦૦૦થી અર્ધો મીલિયન દલિતો રહે છે. તેમને નોકરીના સ્થળે, રહેણાક વિસ્તારમાં, બીજી સેવાઓ મેળવવામાં, અને સોશ્યલ કેરની બાબતમાં, ઘણી હેરાનગતિ સહન કરવી પડે છે. દલિત લોકો પોતાના વાલ્મીક મંદિરમાં પ્રાર્થના કરે, તહેવારો ઉજવે ત્યારે કહેવાતા ‘સવર્ણ’ લોકો દ્વારા  ‘તમે અછૂત છો, તમારો વાલ્મીકિ તો ડાકુ હતો’, એવા વચનોથી ખૂબ જ અપમાનિત કરવામાં આવે છે.

સનાતન ધર્મના પ્રાદુર્ભાવ અને પ્રસાર સમયે માનવ જાત સ્થાયી જીવન જીવવાની શરૂઆત કરતી હતી, તેથી નવો સવો સમાજ રચાયો હોવાને કારણે, કાર્ય વિભાજનની જરૂર લાગી. અને શ્રમ વિભાજનના સિદ્ધાંતોને આધારે વર્ણ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી. તે સમયે ધર્મની અસર પ્રમુખ હોવાથી, આ સમાજ વ્યવસ્થાને ધર્મનો ટેકો મળ્યો. સમય જતાં સ્થાપિત હિત ધરાવનારા સમૂહોએ તેમાં સ્તરીકરણનો ઉમેરો કરી ઊંચ-નીચની ભાવના દાખલ કરી, અને તેને પણ ‘ધર્મ’ને નામે પોષી. માનવ જાત પ્રત્યે આ પ્રકારનું વલણ અને વર્તન એ હિંદુ ધર્મ પર મોટું કલંક છે અને તેથી સમયાંતરે, અનેક સમાજ સુધારકોએ, અસ્પૃશ્યતા નાબૂદ કરવા પગલાં લીધેલ છે. નરસિંહ મહેતાથી માંડીને ગાંધીજી જેવા અનેકનાં નામ ઇતિહાસમાં નોંધાયા છે.

સ્વતંત્ર ભારતના બંધારણમાં, દરેક નાગરિકને સમાન હક અને રોજી-રોટી મેળવવાનો સમાન અધિકાર આપવાનું વચન અપાયું છે, પરંતુ તેનો અમલ બહુ થોડા કિસ્સાઓમાં થાય છે. શિક્ષણ અને રોજગારના ક્ષેત્રોમાં અનામત બેઠકો રખાઈ, તેથી પછાત જ્ઞાતિ અને જાતિના જે સભ્યોને શિક્ષણ લેવાની તમન્ના હતી. તેમને કાયદેસર કોઈ રોક ટોક વિના એ તકો મળી અને મોટી સંખ્યામાં લોકો અસ્પૃશ્યતાની નાગચૂડમાંથી મુક્ત થવા લાગ્યા. પણ શિક્ષિત દલિતો સવર્ણ લોકોના વિસ્તારમાં મકાન ખરીદવા જાય, કે નોકરી મેળવવા જાય, ત્યારે હજુ પણ પસંદગીમાં છેલ્લે પાટલે બેસવું પડે છે. આનું કારણ એ છે કે કાયદાકીય સુધારાની સાથે સાથે સામાજિક અને ધાર્મિક વલણોમાં પરિવર્તન આવે તેને માટે કશું કરવામાં આવ્યું નથી.

કોઈ માતા-પિતા પોતાના ચાર સંતાનોમાંથી એકને યા તો એ દીકરી છે તેથી અથવા થોડી ઓછી બુદ્ધિ પ્રતિભા ધરાવતી હોવાને કારણે શિક્ષણ આપવાનો ઇનકાર કરે, તો તેનો વિકાસ નથી થવાનો. પછી તેને કુટુંબ અને સમાજ કહેશે, ‘તમે ભણેલા નથી, માટે સારી નોકરી કે મકાન નહિ આપીએ.’ આને પરિણામે તેઓ નબળાં સ્વાસ્થ્ય અને કુરિવાજોના ચક્કરમાં ફસાય. આમ એ લોકોને તો બંને બાજુથી માર પડે. જે કુશળ કારીગરો કાપડ, પગરખાં બનાવે, વાસણ અને તમામ મકાનો, રસ્તાઓની સફાઈ રાખે તેમની જ અવજ્ઞા કરવી એ ક્યાંનો ન્યાય? શું એમની ઉત્પાદન કરેલી વસ્તુઓ વિના કે સેવાઓ વિના, આપણો સમાજ ટકી શકે? તમારા કામને કારણે તમને કોઈ ‘નીચા’ ગણે તો તમે શું કરશો?

‘નીચલી જ્ઞાતિ’ના અસંખ્ય લોકો આ અન્યાયી પદ્ધતિથી છુટકારો મેળવવા ધર્માંતર કરી ગયા એ જાણીતું છે. વળી એ ઉચ્ચ નીચની ભાવનાને તિલાંજલિ આપીને, નવા ધર્મો પણ ઉદ્દભવ્યા, પણ એ ભેદભાવ ભરેલી પ્રથાનો પ્રભાવ તો જુઓ, આપણે એ ધર્મોને પણ અસ્પૃશ્યતાનો સ્પર્શ કરાવ્યો ! કેટલાક ‘દલિતો’ને તક મળી તો વિદેશગમન કર્યું, એમ વિચારીને કે ભારતની ભૂમિ સાથે જોડાયેલ આ વ્યવહાર બીજા દેશોમાં નહીં સહન કરવો પડે. ભારે ગ્લાનિ સાથે તેમને વિદેશોમાં પણ એ જ છૂઆછૂતનું ભૂત વળગેલું અનુભવવા મળે તેથી ઊલમાંથી ચૂલમાં પડ્યાની લાગણી તેમને થાય.

બ્રિટનમાં પતિ-પત્ની પોતાના ઘરનાં ડસ્ટબિન ખાલી કરે અને જાજરૂ-બાથરૂમ ધૂએ છે, તો શું એક બીજાને અછૂત ગણે છે ? પત્ની કોઈ કંપનીની ડાયરેક્ટર હોય અને પતિ કપડાં સીવવાની ફેકટરીમાં કામ કરે (જેને આપણે દરજી એટલે કે નીચી જ્ઞાતિનો ગણીએ), તો શું પત્ની પતિના હાથનું પાણી ન પીએ, એને ઘરમાં રહેવા ન દે?

હમણાં મેં એક વાર્તા વાંચી. એક બહેનને ઘેર તેની મિત્ર પોતનો પાળીતો કૂતરો સાચવવા મૂકી ગઈ, જેનો વિરોધ પાડોશીઓએ કર્યો. પણ તેને સાંકળથી બાંધી રાખવાનું અને તેનો કરેલો બગાડ એક સફાઈ કામદાર સાફ કરી જશે ,એવું વચન આપ્યું તેથી વિરોધ શમી ગયો. ચારેક દિવસ પછી સફાઈ કરનાર બહેન તેના ત્રણ બાળકો સાથે એ કૂતરાની બાજુમાં સૂતેલી જોવા મળી. તપાસ કરતાં માલુમ પડ્યું કે તેની ઝૂંપડીના છતમાં કાણાં પડી ગયાં છે, વરસાદ આવે છે, છોકરાં પલળી ગયાં છે અને ધ્રુજે છે. એટલે અહીં આશરે આવી. વરસાદ થંભી જતાં જ જતી રહેશે તેમ કહ્યું, પણ પાડોશી બહેનોએ પેલી બહલી બાઈને કહ્યું, ‘તેનો કૂતરો પાળ્યો તો અમે કાંઈ ન બોલ્યા, પણ હવે આ દલિતને આશરો આપ્યો? કૂતરું તો ખીલ્લે બાંધ્યું રહે, આ દલિતના છોકરા અમારી વસ્તુને અડી જાય તે કેમ સહેવાય?’ છેવટ એ સફાઈકામદારને તેનાં ત્રણ બાળકો સાથે એ આશરો છોડવો પડ્યો. આ છે આપણી ધર્મ સાચવવાની રીત ! 

મેં બે દાયકા સુધી જેમની માતૃભાષા અંગ્રેજી ન હોય તેવાં બાળકોને અંગ્રેજી, વિજ્ઞાન અને ગણિત શીખવવાનું કામ કર્યું, સાથે સાથે શાળામાં ધાર્મિક શિક્ષણ સુપેરે અપાય છે, તે જોવાની જવાબદારી પણ નિભાવી. રામાયણનો લેખક પહેલાં પોતાના પરિવારના ભરણ-પોષણ માટે લૂંટ-ફાટ કરતો અને પછી નારદે ‘તારા માતા-પિતા, પત્ની અને બાળકો તારા પાપમાં ભાગીદાર બનશે ને?’ એવો પ્રશ્ન પૂછ્યો. જેના જવાબમાં વાલિયાના કુટુંબના લોકોએ પાપમાં ભાગીદાર બનવાની ના પાડી, તેનાથી હૃદય પરિવર્તન પામી, પશ્ચાતાપ કરીને, તપ કરનાર એ લૂંટારો ઋષિની કક્ષાએ પહોંચ્યો અને વિશ્વને અદ્દભુત મહાકાવ્યને ભેટ ધરી એ વાર્તા હું કરતી. ૯૫% મુસ્લિમ બાળકો ધરાવતી શાળાના કોઈ વિદ્યાર્થી એ વાર્તા પરથી ધડો લઈને પોતાની ભૂલ કબૂલ કરી, પસ્તાવો કરીને વર્તન સુધારે ત્યારે કહેતાં, ‘અમે વાલ્મીકિ પસેથી શીખ્યાં’!  ખરું કહું, મને એવા લૂંટારા થવામાં વાંધો નથી, પરંતુ મને ભેદભાવભર્યો વર્તાવ કરતા ‘સવર્ણ’ લોકોની જમાતમાં બેસવું શરમજનક લાગે. હું એ લોકોને પૂછી શકું કે તમારા આવા ભેદભાવભર્યા અન્યાયી વર્તનમાં તમારાં સંતાનો, મિત્રો અને અન્ય કુટુંબીજનો ભાગ પડાવશે ? અને જો તેઓનો જવાબ ‘ના’માં હોય તો તમે જે ખોટું કામ કરો છો, તેનો પશ્ચાતાપ કરીને વાલિયામાંથી વાલ્મીકિ બનવા જેટલી ઊંચાઈ બતાવી શકશો ? મૂળ ભારતના સવર્ણ લોકો વિદેશ જાય ત્યારે ‘એશિયન’ હોવાને નાતે તેમના તરફ ભેદભાવભર્યું વર્તન થાય છે, તેમને મકાન કે નોકરી મેળવવામાં મુશ્કેલી પડે છે, ત્યારે કેવી લાગણી થાય છે? તમે પણ દલિતોના સમદુખિયા બનો છો, નહીં ?

બ્રિટનની પાર્લામેન્ટ અસ્પૃશ્યતા વિરુદ્ધ કાયદો કરવાને બદલે શિક્ષણ દ્વારા આ પ્રશ્નનો નિવેડો લાવવા માગે છે. આ બાબતમાં સહમત થવા જેવું છે. ભારતમાં કાયદાઓ થયા, ‘સત્યમેવ જયતે’ જેવા કાર્યક્રમો થાય છતાં ય જ્યાં સુધી લોકમાનસ ન બદલે ત્યાં સુધી એ બધાની કોઈ અસર ન થાય. ભેદભાવભર્યું વર્તન અવૈજ્ઞાનિક, અજ્ઞાની અને અભિમાની લોકો આચરી શકે. લોકોને માનવ શરીર રચનાની મૂળભૂત હકીકતો સમજાવવી, સમાજમાં દરેક કાર્યની અગત્યતા અને અનિવાર્યતાનો ખ્યાલ આપવો અને ધર્મના સાચા અર્થઘટનનું જ્ઞાન આપવું, એ જ કદાચ આવા કનિષ્ઠ અને અવિચારી વલણ-વર્તનને નાબૂદ કરવાનો સાચો ઉપાય છે.

બુદ્ધ, નરસિંહ મહેતા, મો.ક. ગાંધી, આંબેડકર જેવા અનેક મહાપુરુષો આવે અને જાય, આપણે તો છૂઆછૂતમાંથી ઊંચા નહીં આવીએ. ઘર આંગણે ધર્મને નામે અન્યાય આચરતા લાજ નથી આવતી, તો હવે પરદેશમાં ય ઝાંઘ ઉઘાડી પાડીને હલકટ વૃત્તિનું પ્રદર્શન કરતાં અચકાતા નથી ! મારા નાનાજીએ ૧૯૩૦ના દાયકામાં કચ્છમાં હરિજન સેવાના કાર્યમાં ઝમ્પલાવેલું. હું ૨૧મી સદીમાં બ્રિટનમાં હરિજન સેવક સંઘની સ્થાપના કરવા તૈયાર છું. જેને પણ અસ્પૃશ્યતાનો ખ્યાલ વ્યાજબી લાગતો હોય અને રંગ, ધર્મ, જ્ઞાતિ, જાતિ કે વર્ગના પાયા પર ભેદભાવભર્યું વર્તન ચાલુ રાખવું હોય તે ભલે રાખે, પણ આ પૃથ્વી પર નહિ, તેને માટે બીજો કોઈ ગ્રહ તાત્કાલિક શોધી લેવા અમારી આજ્ઞા  છે.

e.mail : 71abuch@gmail.com

Loading

કચકડાનો ભગવાન

ઉપેન્દ્ર દવે|Opinion - Opinion|24 April 2013

 ગુજરાતીમાં કહીએ તો ‘કોઈએ બંધ બેસતી પાઘડી પહેરી લેવી નહીં.’ આ બિલકુલ કાલ્પનિક વાત છે. તેને કોઈ જીવંત વ્યક્તિ, કોઈ (શહેર, મકાન, ઇ.ની) જગ્યા અને તેની આસપાસની સ્થિતિ, આસપાસના સંજોગો, વ્યવસાય, ઇ.ની પરિસ્થિતિ કે હાલત, સ્થિતિ, નોકરી, ચાકરી, નોકર પોતાનો ધંધો અથવા કામકાજ, કામ, મળવાનું પ્રયોજન, પોતાની ફરજ, કાર્યક્ષેત્ર, મહત્ત્વનું કામ, ધ્યાન આપવાની કે કરવાની વસ્તુ(ઓ), રંગમંચ પરની કામગીરી કે અભિનય, ખરીદ-વેચાણ, વેપાર, વેપારી પેઢી. એક પ્રદેશ કે સ્થાનમાં રહેનારા અથવા એક ધર્મ કે જાતિ કે વ્યવસાય કે સમાન હિત સંબંધોવાળા લોકો કે સમાજ, જાહેર જનતા, કુટુંબની જેમ રહેતા લોકોનું જૂથ, સહિયારી માલિકી, સમૂહ. વ્યક્તિગત, વ્યક્તિ, એક, એકલું, અટૂલું, અનોખું, અમુક, એક વ્યક્તિ કે વસ્તુનું કે એક વસ્તુ માટેનું, વિશિષ્ટ વ્યક્તિનું લાક્ષણિક, વ્યક્તિનું,  વ્યક્તિગત, કોઈ જૂથ કે વર્ગની એક વ્યક્તિ, માનવ વ્યક્તિ, માણસ, જણ સાથે સંબંધ નથી.

•

તમે અવારનવાર હિન્દી સિનેમા કે ટીવી જોતાં જ હશો. ખાસ કરીને પશ્ચિમમાં વસેલાં ભારતીયો. અને તેમાં પણ નિવૃત્ત થયેલાં વડીલો અને ગૃહિણીઓ, જેઓ ઘરકામ કરીને આખા દિવસનો થાક ઉતારવા ટીવી સામે ગોઠવાઈ જાય છે. આપણે નાના પરદાની વાત કરીએ કારણ કે તે સહેલાઈથી ઉપલબ્ધ છે અને ગમે ત્યારે જોઈ પણ શકાય. તેમાં સિરિયલોની ખોટ નથી. તમે એવી અનેક સિરિયલો જોઈ જ હશે જે વાસ્તવિકતાથી બહુ છેટી હોય છે, પણ તે કૌટુંબિક/સામાજિક વાર્તા છે એટલે ચાલે છે.

આ સિરિયલોના એંજિનમાં કયું ઈંધણ વપરાય છે કે તે વર્ષો સુધી ચાલે છે?

એક કાલ્પનિક દ્રશ્ય : (મિટિંગ)

પ્રોડ્યુસર : આપણે સ્પર્ધકોને ટક્કર આપવા માટે એક સાવ નવી સિરિયલ તૈયાર કરવી પડશે, કારણ કે 964 હપ્તા પછી ચાલુ સિરિયલ હવે ઘરડી થઈ ગઈ હોય તેમ મને પણ લાગે છે. કોઈ વિચારો છે?

એક વક્તા : સાહેબ, આપણે પહેલાંના ખૂબ જ જાણીતા હાસ્ય લેખક શ્રી દિવેલિયાની વાર્તાઓ પર સિરિયલ બનાવીએ તો?

પ્રોડયુસર : દિવેલિયા? મેં તેની વાર્તાઓ વાંચી નથી. સમજાવો.

તે જ વક્તા : પહેલાં મુંબઈ રહેતા હતા, પણ હાલમાં તો તેઓ બહુ જ ઘરડા થઈ ગયા છે અને પોતાને ગામ રહે છે. તેમની હાસ્ય કથાઓ ઘણી જ પ્રસિદ્ધ થઈ હતી, અને આજ સુધી,એમના હાસ્ય ટૂચકાઓ વારંવાર સંભળાય છે. બોસ, તમે પણ તેમના ટૂચકાઓ અમને ઘણી વાર સંભળાવ્યા છે. 

પ્રોડયુસર : તો કાલે જ મને વહેલી સવારે મળો. આપણે દિવેલિયાને ગામ જઈએ. અને હા, પેલા ભેજાને પણ ફોન કરી દો કે તે પણ આપણી સાથે આવે. (ભેજા = પટકથા લખનાર લેખક જેનું આખું નામ બી.જે. બાજપરા.)

કાફલો દિવેલિયાના ગામ પહોંચ્યો અને ઘર સામે મોટર ઊભી એટલે શ્રીમતી દિવેલિયા બહાર  આવ્યાં, સ્વાગત કર્યું અને મહેમાનો ને અંદર લઈ ગયાં. શ્રીમતી દિવેલિયાને એટલી જ ખબર હતી કે કોઈ પ્રકાશક પોતાના પતિની છપાયેલ ચોપડીઓ લેવા આવ્યા હતા. તેઓ ખુશ હતા કારણ કે પૈસાની તાતી જરૂર હતી. કેટલા પૈસા મળશે તેનું અનુમાન ન હતું પણે તેઓએ મનોમન આવનાર પૈસા ખર્ચી નાખ્યા હતા – નળિયા ચૂતાં હતા, દીવાલો રંગવાની હતી અને ફળિયામાં ગાર કરાવવાની હતી. દીકરી પરણી ને સાસરે ગઈ, ત્યારે તેને ખબર હતી કે પોતે પોતાના વર સાથે મુંબઈ રહેવા નહિ આવી શકે, કારણ કે પિતાનું ઘર સાવ નાનું હતું. તેઓ ત્રણે સાંકડમોકડ સાથે રહેતાં હતા. કોઈ એક બીજું આવે ચડે તો ઉઠવા બેસવાની પણ તકલીફ પડતી. ગામના ઘરમાં થોડી મોકળાશ હતી. દીકરીએ પત્ર પાઠવ્યો હતો કે તે પોતાના પુત્ર અને પતિ સાથે દિવાળી માણવા ગામના ઘરે આવશે.       

પ્રોડયુસરે ભેજાને સોદો કરવાનું કહ્યું હતું. ભેજાએ તેના શેઠને કાનમાં કશુંક કહ્યું એટલે શેઠે બેગ ખોલીને પૈસાનું મોટું બંડલ ભેજાના હાથમાં આપ્યું. તે લઇને ભેજા દિવેલિયાની સાવ નજીક બેઠા અને ગુસપુસ કરવા લાગ્યા. સોદો થઈ ગયો.

સૌ કારમાં ગોઠવાઈ ગયા અને મુંબઈ આવ્યા. ભેજાએ કારમાં શેઠને સમજાવ્યું હતું કે તેણે મૂળ લેખક પાસેથી તેની ચોપડીઓના ‘સર્વ હક’ ખરીદી લીધા હતા.

પ્રોડયુસર : બસ, તમે આજથી જ કામ શરૂ કરી દો, અને મને કાલે સાંજે રૂપરેખા આપો. તે સાંભળ્યા પછી હું આખા સ્ટાફની મિટિંગ બોલાવીશ.

ભેજાએ આખી રાત બેસીને રૂપરેખા ઘડી નાખી. સાંજે પ્રોડુયુસરને મળ્યા.

ભેજા : શેઠ કેટલા હપ્તા કરવા છે?

પ્રોડયુસર : ઓછામાં ઓછા બે વર્ષ ચાલે તેટલાં.

ભેજા : થઈ જશે. મારી પાસે ઘણો મસાલો છે.

પ્રોડયુસર : અને આપણે તેમાં કોઈ નવા ચહેરાઓ લેવા નથી. જૂની સિરિયલના જ ચાલશે અને જો તમારે કોઈ નવા ચહેરાઓ દાખલ કરવા હોય તો મારી પાસે ઘણી બધી અરજીઓ છે. સિરિયલ લોકપ્રિય થાય એટલે સસ્તામાં પટાવી લઈશું. આ બાબત તમે જરા સંશોધન કરીને લખજો. 

તો ચાલો સાંભળો એમના મુખેથી જ :- 

શેઠ મને ‘ભેજા’ કહે છે, કારણ કે જ્યારે જ્યારે એમની સિરિયલ ડગુમગુ થવા લાગે ત્યારે ત્યારે તે મને તેમાં ‘જાન’ પૂરવાનું કહે છે. આમ તો મારું આખું નામ બી.જે. બાજપરા છે.

અગાઉ મેં ઘણી વાર્તાઓ લખી છે, અમુક તો સામયિકોમાં છપાણી પણ ખરી. પૈસાની કાયમ તંગી. તેવામાં એક દિવસ ચાના સ્ટોલ પર ચા પીતા પીતા એક સજ્જન મળી ગયા. ચા પીધા પછી તેઓએ ગજવામાં હાથ નાખ્યો તો પાકીટ ન હતું. મેં પૈસા ચૂકવી દીધા અને અમે ચાલતા ચાલતા ઘેર જવાનો રસ્તો પકડ્યો. વાત કરતાં કરતાં તેઓએ મને તેઓના કામે મળવાનું આમંત્રણ આપ્યું જે મેં સહર્ષ સ્વીકાર્યું. ત્યાં મારી ઓળખાણ એક ટીવી સિરિયલ બનાવનાર સાથે થઈ જેણે મને સીધું આહ્વાન આપ્યું કે જો હું તેમની માંદલી સિરિયલ જરાક વધારે ચલાવું અને દર્શકોને ફરીથી તે સિરિયલ જોતાં કરું તો તેઓ મને કાયમી કામ આપશે.

મારી પહેલી પટકથા વાંચીને તેઓ બોલ્યા, ‘આ તો ચીલાચાલુ વાર્તા છે. નહીં ચાલે.’  કાંઈક નવું કરી બતાડો. હું ઘેર આવ્યો અને વહી ગયેલી આખી વાર્તા ફરીથી વાંચી અને મને વિચાર આવ્યો કે મારા સિવાય આ વાર્તા ક્યાં પૂરી કરવી, તેનો ખ્યાલ કોઈને જ ન હતો. એટલે હું ભગવાન બન્યો. વાર્તાની નાયિકા જે બહુ જ લોકપ્રિય હતી તેનો પતિ આગળ અભ્યાસ માટે અમેરિકા ગયો. કોણ જાણે કેમ પણ તેનો અભ્યાસ પૂરો જ થતો ન હતો. એકને બદલે પાંચ વરસ વીતી ગયાં. તેની સાસુ રોજ તેને છપ્પરપગી, અપશુનિયાળ વગેરે વિશેષણોથી નવાજતી અને કનડતી. મેં ત્યાંથી વાર્તા શરૂ કરી.

સાસુને લકવા થયો, ખાટલાવશ થઈ અને સ્વર્ગે સીધાવી. વહુ સસરાનું ધ્યાન રાખવા લાગી, સસરાનું હાર્ટ ટ્રાંસપ્લાંટ કરાવ્યું અને સસરા જુવાન જેવા થઈ ગયા. અહીં ફિલ્મી સામયિકોમાં અને બ્લોગ પર વાત ચર્ચાનાં ચોતરે ચડી. સૌને એમ લાગતું હતી કે સસરા વહુનું ચક્કર ચાલશે. સિરિયલ પૂરી કરવાના એપિસોડ હવે લગભગ ૧૦૦૦ થવા આવ્યા હતા, એટલે હું ભણતા દીકરાને અચાનક ઘેર લાવ્યો. (મસાલો – અમેરિકન ગોરી, જેની સાથે તે ભણતા ભણતા પરણી ગયો હતો, એને દગો આપ્યો અને લૂંટી લીધો હતો.) અમેરિકાથી તે માંડમાંડ ઘેર પહોંચ્યો અને પોતાની વહુ સાથે ઈમોશન્લ મિલન થયું. વહુએ તેને અપનાવી લીધો. વાત પૂરી. 

‘મસાલો એટલે?’

જેમ ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં જુદા જુદા મસાલાઓનો ઉપયોગ કરવામાં આવે છે, તેમ,જ સિરિયલને રુચિકર બનાવવા માટે હું જુદા જુદા મસાલાઓનો ઉપયોગ કરું છું. આ માટે હું જૂના છાપાઓમાંથી રસ પડે તેવા સમાચારોની કાપલીઓ સાચવી રાખું છું અને જરૂર પડ્યે તેનો ઉપયોગ કરું છું.

એક દિવસ શેઠ ધૂંઆપૂંઆ થતાં ઓફિસમાં આવ્યા અને મોબાઈલનો જોરથી ઘા કર્યો અને બબડવા લાગ્યાં, ‘મારો ફોન કાપી નાખ્યો. એની એ હિમ્મત.’

‘ભેજા, તમે અબીહાલ કાનનને (સિરિયલની મુખ્ય નાયિકા) કાઢી નાખો. તેની મા એક વખત મારી પાસે પગ પકડીને બહુ કરગરી, એટલે મેં કન્નીને નાયિકા બનાવી. હવે જરા જાણીતી થઈ એટલે આપણા પ્રતિસ્પર્ધીએ તેને વધારે પૈસાની લાલચ આપીને તેની સિરિયલમાં મુખ્ય રોલ આપ્યો છે, એટલે તેની માનો પારો ઊંચો ગયો છે. ઝટ કરો અને મને જલદી કથા આપો.’

નવી મુખ્ય નાયિકા નવા ચહેરા સાથે સિરિયલમાં ફીટ થઈ જાય, તે માટે મેં મસાલાનો ડબ્બો ખોલ્યો. મેં કાનનને વિમાનમાં તેની માનો જન્મદિવસ ઉજવવા મોકલી, અને વિમાનનો અકસ્માત કર્યો. કાનનને પ્લાસ્ટિક સર્જરી કરાવી અને નવો ચહેરો આપ્યો અને વાર્તા આગળ ચાલી. શેઠ ખુશ થયા.

સાહેબ, આ ઉપરથી તમને લાગશે કે સિરિયલની વાર્તા લખવી સહેલી છે. મન ફાવે ત્યારે ભગવાન બનીને વાર્તાને કોઈ પણ વળાંક આપી શકાય. પણ, ના તેવું નથી. અમારે તો અનેક પાસાઓનું ધ્યાન રાખવું પડે. વારંવાર લોકેશન ન બદલવું પડે તેનું ધ્યાન રાખવાનું જ, અને ન છૂટકે બદલવું પડે તો જે સાવ સસ્તું હોય તેવું જ શોધવું પડે. તેમાં પણ જો કોઈ જાહેર જગ્યાએ શૂટિંગ કરવાનું હોય, તો સ્થાનિક સત્તાવાળાઓની પરવાનગી મેળવતાં મેળવતાં નાકે દમ આવી જાય, અને વધારામાં, તેઓની કોઈ ઝૂંબેશને (ધૂમ્રપાન નિવારણ, જ્યાં ત્યાં થૂંકવું નહીં, વગેરેને) પણ પબ્લિસિટી આપવી પડે. મહામહેનતે અને મોટા ખર્ચે સ્ટુડિયોમાં જે સેટ તૈયાર કર્યો હોય, તેમાં જ બધુ પતાવવાનું હોય. કોઈ કોઈ વાર કોઈ ધંધાને કે તેઓના પ્રોડક્ટને દેખાડવાના હોય, તો તેને અનુરૂપ વાત કરવી પડે (સિરિયલમાં ચીંથરેહાલ; ફાટેલતૂટેલ કપડાં પહેરેલ હોય તેવાં કેટલાં પાત્રો જોયાં? પાત્રોને નવા છેલ્લી ડિઝાઈનના કપડાં જ જોઈએ, નવા મોબાઈલ ફોન જ જોઈએ, રૂપકડાં બાળકો સ્વચ્છ કપડામાં જ હોય, પછી ભલેને ધૂળમાં રમતાં હોય.). ઘણી વાર તો દર્શકોની માગણી જેવી કે તમારી સિરિયલમાં અમુક જાતિના કે ધર્મના જ લોકો કેમ ? તમે અમારા ગામનું નામ ખરાબ કર્યું છે, તમે દેખાડ્યા તેવા દુષ્ટ માણસો ત્યાં રહેતા જ નથી, તેમ હું આજીવન ગામવાસી તરીકે કહી શકું છ,ું વગરે પણ સંતોષવી પડે છે. વળી, દરેક એપિસોડ સસ્પેન્સમાં જ પૂરો થવો જોઈએ, જેથી દર્શકો આગલા એપિસોડનો ઈંતજાર કરે. આ માટે ચીલાચાલુ મસાલાઓ છે :- જેવું બારણું ખૂલ્યું તો સામે ….? લાઈટ બંધ થઈ તો …? જે વ્યક્તિની લાંબા સમયથી શોધ હતી તે જ સામેના રસ્તા પર દેખાય અને …..? ભૂત,પ્રેત, ……

મોટે ભાગે સિરિયલ કેટલી લાંબી છે તેના પર વાર્તા ઘડાય છે. કોણ ક્યારે રજા પર જશે, કોણ બીમાર છે, કોનું વજન, દાઢી/મૂછ વધારવાની કે ઘટાડવાની છે, કોઈ નટનટી પોતાના ખર્ચે પરદેશ ફરવા જાય તો તેને વીડિિયો કેમેરા આપીને તેની પરદેશની યાત્રા કચકડે મઢવાની હોય છે, અને જરૂર પડ્યે વાર્તામાં સમાવવાની હોય છે. પરદેશમાં શૂટિંગ કરવું કોઈ પણ પ્રોડ્યુસરને ન પોસાય, કારણ કે તેનું વળતર ઘેર બનાવેલી સિરિયલ કરતાં ઓછું મળે તો પાયમાલ થઈ જવાય. 

મોટા ભાગની સિરિયલોમાં જ્યારે અતિરેક થવા માંડે, ત્યારે તે નિષ્ફળ જાય છે. જેમ કે અતિશય કાવાદાવા, પ્રેમ, ગીતો, હાસ્ય, ખૂન ખરાબા, વેવલાપણું, એક વાતમાં અનેક ગૌણ વાતો વણી લઈને સિરિયલને લંબાવે જ રાખવી વગેરે. આમાં કોણ જવાબદાર છે તે કહેવું મુશ્કેલ છે. ઘણી વખત પાત્ર ભજવનારાઓ એક જ જાતનો અભિનય કરતાં કરતાં થાકી જાય છે અને બીજે કામ શોધતાં હોય છે.   

પ્રેમ, ઈશ્ક, મહોબ્બત, પ્યાર, લવ, ભ્રષ્ટાચાર, રાજકારણ, લાંચરૂશ્વત, દેશદાઝ, વફાદારી વગેરે મસાલાઓ એક સમયે ફિલમોનો ઈજારો હતો. તે જોઈ જોઈને પ્રેક્ષકો કંટાળી ગયાં અને નાના પરદા તરફ વળ્યા. કોઈ વાર એવું પણ બને કે એક પાત્રને એક બિબામાં ઢાળી દીધા બાદ, પ્રેક્ષકો તેની પાસેથી બીજા વર્તનની આશા રાખતા જ નથી. જો કોઈ બબાલ ઊભો થાય તો એક જ જવાબ, ‘પ્રેક્ષકોને જે ગમે તે જ પીરસવું પડે.’ અમુક વખતે વિજ્ઞાન સાથે પણ લેખકને છૂટ લેવી પડે છે. વિજ્ઞાન વર્સિસ શ્રદ્ધા – કોઈ મરણ પથારીએ હોય અને હોસ્પિટલના જ મંદિરમાં ભગવાનની મૂર્તિને ખખડાવીને દર્દીનો જીવ પાછો મેળવવો, નવી રસી કે દવા સમયસર મળવી, બાબાના આશીર્વાદ ફળવા, અણીના સમયે અંગનું ટ્રાન્સપ્લાન્ટ કરવું, વગેરે. સિરિયલનો/ના ફાઈનન્સિયરની પોતાની વગ હોય છે અને તે કહે તો તેના પુત્રને, પુત્રીને કે કોઈ સગાંને થોડાક એપિસોડમાં ફીટ કટવા પડે. આ ઉપરાંત પ્રેસ સાથે મીઠા સંબંધો જાળવવા માટે અનેક વ્યક્તિઓને હાથમાં રાખવી પડે છે. પાર્ટીઓ કરવી પડે અને જેને કક્કાનો ‘ક’ પણ ન આવડતો હોય, (પણ જેને લક્ષ્મી વરી હોય) તેનું સાહિત્ય પણ વાર્તામાં વણવું પડે.  

એક દિવસ વહેલી સવારે શેઠનો ફોન આવ્યો, ‘જલદી પહોંચી જાવ, મારા ખર્ચે ટૅક્સી લઈ લેજો.’ કહીને મને સરનામું આપ્યું. દરિયા કિનારે એક ભવન હતું. હું અંદર ગયો તો શેઠે તરત શરૂઆત કરી, ‘આ બંગલો જયંતભાઈએ (બીજા પ્રોડ્યુસર) એક એન.આર.આઈ. પાસેથી તેની સિરિયલ બનાવવા છ મહિને ભાડે લીધો છે. સિરિયલનું શૂટિંગ વહેલું પૂરું થઈ ગયું છે, અને હજી ૩૩ દિવસ બાકી છે, એટલે બાકીના દિવસ માટે આપણને આ બગલો મળ્યો છે. તમે ફટાફટ આઠ દસ એપિસોડની વાર્તા લખી નાખો. આપણે ક્યાંક ફીટ કરી દઈશું. સાલું બધુ તૈયાર છે, ફક્ત શૂટિંગ જ કરવાનું છે.’

આટલું કહીને શેઠે સોફા પર પડતું મૂક્યું અને બબડવા લાગ્યા, ‘સાલી, આ તે કંઈ જિંદગી છે? હું ધંધો કરવા બેઠો છું, કંઈ સદાવ્રત નથી ખોલ્યું. બીજા ધંધા સારા, એક જ બ્રાંડનો માલ વેચવાનો. મારે તો રોજ રોજ નવું જ કરવાનું હોય. પડદા પર એકના એક ચહેરાઓ, પછી ભલે ના રૂપાળા હોય, તો ય તે જોઈને પબ્લિક થાકી જાય છે. પબ્લિક રોજ રોજ નવી નવી વાર્તાઓ, નવા નવા ચહેરાઓ, નવા નવા લોકેશનો માગે છે. શેઠને ઘોરણ ચડવા લાગ્યું, એટલે હું વાર્તામાં ક્યાં વળાંક લાવવો, તેનો હું વિચાર કરતો કરતો ઘેર આવ્યો ને કામે લાગી ગયો.

e.mail : d.upen@btinternet.com

Loading

Signs of Imperfection ?

Gerhard A. Fürst|English Bazaar Patrika - Features|22 April 2013

Signs of Imperfection ?

Politicians,
particularly at election time,
like nothing better
than to call this country
“the greatest, the most powerful,
the most beautiful, and the very best,…”
when compared to all others,
existing anywhere in the world…
and yet it takes no more than
two fanatically misguided youths
to traumatize us, to shake our confidence
to the very core,
to unnerve us,
and to put us to the test.
We call ourselves a free and open society,
we consider our culture
to be free and open,
welcoming all who ask to be admitted
with open doors and open arms,
with hands extended
with a friendly greeting and a smile…
as immigrants to come and settle
in our midst and to partake
in what we think makes us great…
extending opportunities to any and all
to find themselves in freedom,
to have a house and home,
to find employment,
to raise a family
free from fear…
and yet, what causes
two young people
to turn from these ways
and then against us?
What causes them willfully
to bring harm,
suffering, carnage, bloodshed, and death,
and to cause chaos
for people whom they had never met,
who had done nothing to them,
people who had assembled
in peace, in order to celebrate,
to enjoy and to cheer
the efforts of others
who were running, in so many ways,
in celebration of freedom?
It had caused a free society
to shut down a part of itself in freedom,
in order to protect itself.
They had virtually forced
civil society in a great city of freedom
to come to standstill
while being searched and purged
of apparent deadly evil doers.
It had caused a free society
to be reminded of its vulnerability.
It had compelled free people
to rally to the cause
of protecting, defending
and sheltering freedom,
and not to take it for granted.
The perpetrators were identified,
cornered, trapped,
one killed, one caught.
Now we are free to reflect,
at least momentarily
once again relieved
and unburdened from fear.
We mourn the dead.
We think with profound concern
of all the victims.
We hope that what had been
shredded and torn,
can again be mended.
We hope that all the hurt
of body, spirit and soul
can again heal
and be made whole.
We are free once again
to think and detect
what makes us who we are,
what makes us special and unique…
and therein lies a duty, an obligation…
not to be overbearing,
not to be arrogant,
but to be courteous,
kind and caring.
We need to prove
to ourselves and the world
that love conquers all,
that love defeats
hatred and fear…
that nothing can weaken or destroy
the real  and  true values
we all cherish and hold dear.

© Gerhard A. Fürst
4/21/2013

Written as a tribute to all who had come to the defense, rescue, and the reestablishment of freedom in Boston !

courtesy : 'Africana Orientalia'

Loading

...102030...4,0784,0794,0804,081...4,0904,1004,110...

Search by

Opinion

  • યુદ્ધ રોકવા સેક્સની હડતાળ!
  • સમાધાનોમાં સુખનું સરનામું છે
  • તુમ જો હુએ મેરે હમસફર, રસ્તે બદલ ગયે
  • असत्यम् एव जयते: સત્ય જ જીતે છે એવા ભ્રમમાં રહેવું નહીં
  • આર્ષદૃષ્ટા નેહરુનું ઇતિહાસદર્શન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 
  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 

Poetry

  •  ૨૧ સદીને સ્મૃતિપત્ર
  • ભૂખ
  • ગઝલ
  • નદી
  • ગઝલ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved