
Courtesy : "The Hindu", 22.05.2013
![]()

Courtesy : "The Hindu", 22.05.2013
![]()
મહાનુભાવોના જીવનમાંથી જ નહીં, તેમના મૃત્યુમાંથી પણ કંઈ ને કંઈ શીખવા મળતું હોય છે. શું? કેવી રીતે ? એની એક વાત અહીં કરવી છે.
૨૧ મી મે, ૧૯૯૧નો દિવસ હતો. મહેમદાવાદ રાત્રે પોણા દસ વાગે આવતા અમદાવાદ જનતા એક્સપ્રેસ(હવે લોકશક્તિ એક્સપ્રેસ)માં હું અને ઉર્વીશ/ Urvish Kothari ગોઠવાયા. છેલ્લા બે એક વરસથી, અમે મુંબઈ જઈને ગમતા ફિલ્મકલાકારોને મળવાનો ક્રમ શરૂ કર્યો હતો. એ જ ક્રમમાં અમે મુંબઈ જઈ રહ્યા હતા. ટિકિટો રીઝર્વ કરાવેલી હતી. સીધા જ કાકાને ઘેર જવાનું હતું, એટલે થોડો સામાન પણ વધુ લીધો હતો. કાકી માટે અમુક ચીજો પણ મમ્મીએ મોકલાવી હતી. ટ્રેન શરૂ થઈ એટલે અમે બર્થ પર લંબાવી દીધી. હવે આવે સીધું બોરીવલી !
અડધીપડધી ઊંઘમાં એટલો ખ્યાલ આવ્યો કે ટ્રેન લાંબા સમયથી કોઈ સ્ટેશને ઊભી રહી છે. બેઠા થયા અને ઘડિયાળમાં જોયું તો સવારના ચારેક વાગ્યા હતા. ટ્રેનમાંના કેટલા ય લોકો પ્લેટફોર્મ પર આવીને ટહેલતા હતા. અમે પણ નીચે ઉતર્યા અને મામલો શું છે તે જાણવાની કોશિશ કરી. કંઈ ખ્યાલ આવતો નહોતો. કદાચ ‘સફાળે’ નામનું સ્ટેશન હતું. લોકો ગુસપુસ કરી રહ્યા હતા. એમાં એટલું સમજાયું કે આગળ કશી તકલીફ છે અને ટ્રેન હવે અહીં જ પડી રહેવાની છે. કોઈકે એમ પણ કહ્યું કે ‘રાજીવ ગાંધીને ઉડાડી દીધા છે’ એટલે ટ્રેન અહીં જ પડી રહેશે. ટ્રેનના મુસાફરોમાં આવા ગપગોળાઓની નવાઈ હોતી નથી, એટલે ઘણાએ આ વાત હસી નાંખી. સ્ટેશન માસ્ટરની કેબિનમાં જઈને અમુક લોકો પૂછી આવ્યા. એટલે એક વાત નક્કી થઈ ગઈ કે ટ્રેન અહીં અનિશ્ચિત મુદ્દત સુધી પડી રહેશે. શું કરવું એની અવઢવમાં સૌ હતા એવામાં ‘વિરાર પેસેન્જર’ નામની ટ્રેન આવી, જે વિરાર જવાની હતી.
તેમાં બેસવું કે નહીં એ હજી વિચારતા હતા ત્યાં તો તેને સિગ્નલ મળ્યો અને ઉપડવાની નિશાનીરૂપે તેનું ભૂંગળું વાગ્યું. અમે ઝપાટાબંધ અમારો સામાન લઈને ‘વિરાર પેસેન્જર’માં ચડી બેઠા. જોતજોતાંમાં અમે વિરાર આવી પહોંચ્યા ત્યારે સવારના સાત- સાડા સાત થયા હશે.
અમારો ભારેખમ સામાન લઈને અમે વિરાર સ્ટેશનના પ્લેટફોર્મ પર ઉતરીને દાદરો ચડ્યા અને પ્લેટફોર્મ નં.૧ પર જેમ તેમ કરીને આવી પહોંચ્યા. અહીં એક પાટિયા પર રાજીવ ગાંધીની તસવીર લગાડેલી હતી, જેની પર હાર પહેરાવેલો હતો. નીચે મરાઠીમાં નોંધ લખેલી હતી, જે સૂચવતી હતી કે રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી છે અને તેને કારણે મુંબઈ આખું બંધ રહેશે.
અમે એક જગાએ સામાન મૂક્યો. સ્ટેશનની બહાર સૂમસામ હતું. એકે એક દુકાન બંધ હતી. ન હતા કોઈ રિક્સાવાળા કે ન હતા કોઈ ટેક્સીવાળા. જાણવા મળ્યું કે સબર્બન ટ્રેન સેવા પણ બંધ કરવામાં આવી છે, કેમ કે મુંબઈમાં તોફાનો ફાટી નીકળ્યા છે. હજી તો સવાર માંડ પડ્યું હતું. અમારે પહોંચવાનું હતું સાન્તાક્રુઝ. પણ ત્યાં જવા મળે એવી કોઈ શક્યતા લાગતી નહોતી. તો પછી ? અહીં ચોવીસ કલાક કાઢવા પડશે ? કેમ કે, હોટેલ, દુકાન, ગલ્લા, લારીઓ કશું ય ખુલ્લું નહોતું.
હવે શું કરવું એ વિચારતા હતા અને મૂંઝાતા હતા. એવામાં યાદ આવ્યું કે અમારા મામા વસઈમાં રહે છે. પણ વિરારથી વસઈ જવું શી રીતે ? એનું અંતર કેટલું ? તપાસ કરતાં ખબર પડી કે વિરારથી વસઈ વચ્ચે ટ્રેનમાં એક જ સ્ટેશન છે – નાલાસોપારા. અને વસઈની ખાડી વસઈ પછી આવે છે. વિરારથી વસઈ ટ્રેનમાં દસેક મિનિટ લાગે છે. મુંબઈની સબર્બન ટ્રેનની ઝડપના હિસાબે આ સમય વધારે કહેવાય. એનો અર્થ એ કે આ બન્ને સ્ટેશનો વચ્ચે સહેજે દસેક કિલો મિટરનું અંતર હોવું જોઈએ.
અમે નક્કી કરી લીધું. ચોવીસ કલાક અહીં ગાળવા શક્ય નહોતા. એને બદલે શરૂ કરી દઈએ પદયાત્રા. રેલવેના પાટેપાટે ચાલવા માંડીએ. અને વસઈ પહોંચી જઈએ. સ્ટેશનની બહાર જઈને એકાદ ઘરમાંથી અમે પાણીની બોટલ ભરી. એ પછી સામાન શી રીતે ઊંચકવો તેનું આયોજન કર્યું. બન્નેના એક એક હાથમાં એક વજનદાર દાગીનો, અને એક સૌથી વજનદાર દાગીનો બન્નેય જણ બે બાજુથી પકડે. એ ઉપરાંત બીજો સામાન ખભે ભરવી દીધો. પાટા પર ટ્રેન તો આવવાની હતી નહીં. એટલે અમારી પદયાત્રા શરૂ થઈ.
અમારા જેવા અસંખ્ય લોકો હતા. કોઈકને દાદરથી બીજી ટ્રેન પકડવાની હતી. કોઈકને ક્યાંક લગ્નપ્રસંગમાં પહોંચવાનું હતું. સૌ પાટા પર ચાલતા જતા હતા. જાતજાતની રીતે લોકોએ સામાન ઊંચક્યો હતો. કોઈએ માથે, કોઈએ ખભે, કોઈએ હાથમાં, તો કોઈએ કેડમાં સુદ્ધાં સામાન મૂક્યો હતો. સૂરજ માથે ચડવા લાગ્યો હતો. એની સાથે પાટા પરના ઉબડખાબડ પથ્થર પર ચાલવું ય કપરું બનતું જતું હતું. હાંફતા જતા, વચ્ચે રોકાતા, શ્વાસ ખાતા, પાણીનો ઘૂંટડો પીતા કરતા અમે આગળ વધતા જતા હતા.
જોતજોતામાં નાલાસોપારા સ્ટેશન આવ્યું. એટલે અડધી મંઝીલે આવી પહોંચ્યાનો આનંદ થયો. ક્યાં ય કોઈ સ્ટૉલ સુદ્ધાં ખુલ્લો નહોતો. હવે પાણી પણ ખલાસ થવા આવ્યું હતું. જેમ તેમ કરતા અમે આગળ વધતા ગયા. પગમાં ચપ્પલ પહેરેલા હતા. પથ્થર પર ચાલવાથી ક્યાંક ક્યાંક ચપ્પલનું ચામડું ઘસાવાથી એ ભાગની ચામડી છોલાઈ રહી હતી. ભારેખમ સામાન જેમતેમ ઊંચકીને ‘મામાનું ઘર કેટલે’ એમ વિચારતા અમે આગળ વધતા રહ્યા. દૂરથી વસઈ સ્ટેશન દેખાયું ત્યારે જીવમાં જીવ આવ્યો. મામાની ઑફિસ સ્ટેશનની બહાર જ હતી. તેમને ત્યાં પહોંચ્યા ત્યારે આવા હાલહવાલ અને આટલા સામાન સાથે અમને આવેલા જોઈને એ નવાઈ પામી ગયા.
અમને શાંતિથી બેસાડ્યા. ધરાઈને પાણી પાયું. અને પછી તેમને ઘેર લઈ જવા માટે વ્યવસ્થા કરી.
ત્યારથી તીસરી કસમ ખાધી કે ભલે ટિકિટ રિઝર્વ કરાવી રાખી હોય, પણ સાથે એટલો જ સામાન રાખીને મુસાફરી કરવી કે ચાલવાનો વારો આવે ત્યારે આસાનીથી તેને ઊંચકીને ચાલી શકાય.
રાજીવ ગાંધીના મૃત્યુિદને તેમનો પક્ષ કે દેશ ભલે ગમે તે દિન મનાવે, અમારો હાથ અનાયાસે અમારા પગના તળિયે જતો રહે છે અને એ છાલાની યાદ આવતાં પગ ધ્રુજી ઊઠે છે.
સૌજન્ય : http://birenkothari.blogspot.com
![]()
ही कविता फार पूर्वी माझ्या हाती आली होती. आता आता, जुनी कागदपत्रें पहात असतांना पुनः हाती आली. म्हणून तुमच्या सेवेशी. अनुवाद हि बहुदा मीच केला असावा.
ओपरेशन इक्वालिटी • नीरव पटेल
[अनुवादक : डेनियल माझगांवकर]
पाहिल्या उमजल्या शिवाय
वाचल्या निवडल्या शिवाय
समजल्या उमजल्या शिवाय
तूं येऊन आदळलास आमच्यावर
मूर्खासारखा !
भोळ्या माणसा,
साम्यवाद असा थोडाच अवतरतो ?
स्थळ तेथे जळ
आणि जळ तेथे स्थळ,
खड्डे तेथे टेक-या
आणि जेथे खाई तेथे पहाड.
असा एकदम बदल घडवल्याने
का क्रांती होते ?
तुमच्या सारख्या सेन्टीमेन्टल चे
ते काम नोहे –
कोमरेड बनण्याचे……..!
मार्क्स- माओची गोष्ट तर राहिली बाजूला
कमीत कमी नक्सालबाडीच्या शाळेत
आदिवासी पोरां बरोबर एक दिवस जरी
खेळला असतास
तरी सुद्धां तुझ्या कामात कांही दम असता…..
तूं तर बेफाम अराजकतावादी बनून
सुक्या बरोबर ओले हि जाळतोयस
गुंडां सोबत भल्यालाही गिळून टाकतोयस
भाऊक बनून सर्वकांहीं तोडल्या ने
कां नवनिर्माण होत असते ? !
समतोल तूं कदाचित साधूं हि शकशील—
पण तुझे काम नव्हे समरसतेचे,
समानता गाठण्याचे
तसें तर तूं तो दिवसहि आगळाच
निवडलासः
२६ जानेवारी
देशाचा प्रजासत्ताक दिवस !
स्वतंत्रता – समानता -बंधुते च्या
आदर्शांची ध्वजा
अर्ध्या काठीवर होती फडफडवीत ती अंजार ची
भोळी भाबडी मुलें……
आणि तूं अनार्किस्टा सारखा त्यांच्यावर
वाट्टेल तस्सा उलटून पडलास.
तूं पावनकारी प्रकोपा मुळें एवढा पागल
कीं खरें एपीसेंटर पण साधूं शकला नाहींस !
भल्या माणसा, कच्छ तर संता-महंताची भूमी
असेल एखादा जेसल सारखा दरोडेखोर –
भल्या भगवाना —
दिल्ली किंवा गांधीनगर तुला काय
दूर होते रे ?
पण तुझी गोष्ट खरीचः
वातावरण तर असे आहे कीं क्रोधाने भडकुन जावे.
मनात तर येते —
अवतार घेण्याचे वचन देऊन पुतळ्यात प्रवेश करणा-या
भगवानाची खैर राहूं देऊं नये.
कोणी थेंब पाण्यासाठीं कळवळतो…….
तर कोणी आपल्या टेरेस वर चढवतो
सबंध तलाव !
कोणी चंद्राच्या कोरी साठीं आसुसलेला असतो
तर कोणी सबंधच्या सबंध सूर्यालाच
लपवतो स्कायस्क्रेपर च्या मागे………!!!
कोणाची विहीर सुकून गेलीय
तर कोणी सबंध नर्मदाच आपल्या
दारी बांधली आहे…….
(or, read as…..)
(तर कोणी सबंध नर्मदाच आपल्या गांवी खेंचून आणली आहे )
अधीर तर आम्ही हि झालो आहोत
शतकानुशतके उष्टी – खरकटी – वेठ-मजूरी करून करून,
त्यांना नागरिकतेमधून नेटीझन बनवले आम्ही…..
तर बदल्यात आम्हाला मिळाला देशनिकाल !
पण आम्ही मानवतावादी आहोतः
आम्ही एक डोळा लाल….. तर एक डोळा अश्रुने
भरलेला ( डबडबलेला ) राखत असतो….
आम्ही एकूण संस्कृतीला च
मोहेंजोदारो ची टेकडी बनवूं पहात नाहीं बरें…….
वेड्या परशुरामा सारखी,
रक्तक्रांती वर आमची श्रद्धा नाहीं.
आम्ही कारूण्यवान बुद्धाचे अनुयायी.
घे, पहा जरा तुझ्या आफ्टर-शोक्स चा परिणाम
आणि कर पश्र्चात्ताप कलिंगाच्या राजासारखाः
ओरिसा जवळ तर कोणी फिरकले सुद्धां नव्हते,
त्यांच्या एन्. आर्. आय. मुळे तर
विदेशी विमानांची रीघ लागून राहिली आहे
अरे, पांढरी कुत्रीं सुद्धां त्यांच्या
मुडद्यांना प्रथम शोधून काढतात.
रेस्क्यू, रिलीफ – रीहॅबिलीटेशन
सर्व कांहीं वर्णाश्रम धर्माच्या शास्त्रीय
क्रमानेच होत आहे तेथेंः
आधी भद्र लोक नंतर इतर लोक आणि
शेवटीं हरिजन…….
सरकार त्यांचे,
स्वयंसेवक त्यांचेच,
त्यांना तर माहेरी आई वाढते भोजन…………..
(कदाचित हें काव्य अपूर्ण असावे, क्षमस्व )
°
ઓપરેશન ઇક્વોલિટી
(26 જાન્યુઅારી 2001ના ધરતીકંપની ઘટનાથી સ્ફૂિરત કવિતા)
જોયા-જાણ્યા વગર
વાંચ્યા-વિચાર્યા વગર
સમજ્યા- બૂઝ્યા વગર
તું ત્રાટક્યો ગમારની જેમ.
ભોળા ભાઈ !
એમ કાંઈ થોડો સામ્યવાદ આવી જાય છે ?
સ્થળ ત્યાં જળ
ને જળ ત્યાં સ્થળ,
ખાડો ત્યાં ટેકરો
ને ખીણ ત્યાં પહાડ.
એમ ધડમૂળ ફેરફાર કરી કાઢવા એટલે ક્રાંતિ થઈ ગઈ ?
તમારા જેવા સેન્ટીમેન્ટલ લોકોનું કામ નહિ
કોમરેડ બનવાનું,
માર્ક્સ-માઓની વાત તો બાજુ પર,
કમસે કમ નક્સલબારીની નિશાળના
આદિવાસી છોરા જોડે એક દહાડો રમ્યો હોત
તો ય તારા કામમાં કાંઈ ભલીવાર આવત.
તું તો બેફામ અરાજકતાવાદી બનીને
સૂકા ભેળું લીલું ય બાળી કાઢે છે.
ભૂંડા ભેળા ભલાંને ય ભરખી જાય છે.
ભાવુક થઈને બધું ભાંગી કાઢવાથી
થોડું નવનિર્માણ થઈ જાય છે ?
સમથળ કદાચ કરી શકે તું,
તારું કામ નહિ સમરસતાનું,
સમાનતાનું.
આમ તો તેં દિવસે ય સપરમો ચૂન્યો :
26મી જાન્યુઆરી
દેશનો પ્રજા સત્તાક દિવસ !
સ્વતંત્રતા – સમાનતા – બન્ધુતાના આદર્શોના ધજાગરા
ફરકાવતા હતા અંજારના ભોળાં ભૂલકાં
ને તું એનાર્કીસ્ટની જેમ ઉડઝુડ ત્રાટક્યો એમની ઉપર.
તું પાવન પ્રકોપથી પાગલ
કે સાચું એપીસેન્ટર પણ નાં ગોઠવી શક્યો !
ભૂંડા, કચ્છ તો સંતો-સખાવતીઓની ભૂમિ,
હશે કોઈ જેસલ જેવો બહારવટિયો ય વળી.
ભલા ભાઈ !
દિલ્લી કે ગાંધીનગર ક્યાં દૂર હતાં તારે ?
તારી વાત સાચી :
માહોલ તો એવો છે કે ગુસ્સાથી સળગી જવાય.
અવતાર ધરવાનું વચન આપી પૂતળામાં પેસી ગયેલા
ભગવાનનો કચ્ચરઘાણ કરી કાઢવાનું મન થઈ જાય.
કોઈ ટીપા પાણી માટે ટળવળે,
તો કોઈએ ટેરેસ પર ચઢાવી દીધા છે
આખેઆખ્ખા તળાવ.
કોઈ ચાંદરણાની સળી માટે વલખે,
તો કોઈએ આખ્ખે આખા સૂરજને છૂપાવી રાખ્યો છે
સ્કાઈસ્ક્રેપરની આડે.
કોઈની વીરડી ય વસૂકી ગઈ છે,
તો કોઈ આખ્ખે-આખ્ખી નર્મદાને નાંથી લાવ્યું છે પોતાને ગામ.
અધીરાં તો અમે ય થયાં છીએ,
સદીઓનાં વેઠ-વૈતરા કરી કરી.
એમને નાગરિકમાંથી નેટીઝન બનાવ્યા છે અમે
ને બદલામાં અમને મળ્યા છે દેશવટાના રઝળપાટ.
પણ અમે માનવતાવાદી છીએ :
અમે એક આંખ રાતી તો એક આંખ રોતી રાખીએ છીએ.
અમે તારી જેમ આખી સંસ્કૃિતને
મોંએ-જો-ડેરોનો ટેકરો બનાવવા માંગતા નથી.
અમે પાગલ પરશુરામની જેમ
લોહિયાળ ક્રાંતિમાં માનતા નથી.
અમે તો કરુણાળું બુદ્ધના અનુયાયી.
લે, જો તારા આફ્ટરશોકસની અસરો
ને કર પશ્ચાત્તાપ કલિંગના રાજાની જેમ :
આદિવાસી ઓરીસ્સે વાવાઝોડું આવ્યું ત્યારે તો કોઈ ફરકયું નહોતું,
એમના એન.આર.આ ઈ. કનેક્ષનોથી તો,
વિદેશી વિમાનોની વણઝાર ઉમટી પડી છે.
અરે, ધોળિયા કૂતારા ય એમના મડદાની ગંધને
પહેલી પારખી કાઢે છે.
રેસ્ક્યુ-રીલીફ-રીહેબીલીટેશન
બધું વર્ણાશ્રમના ક્રમાનુસાર થાય છે અહીં.
ભદ્રજનો પછી પરિજનો પછી ઈતરજનો પછી હરિજનો.
સરકાર એમની, સ્વયંસેવકો એમના
એમને તો મોસાળમાં માં પીરસનાર
ને ઓશિયાળા તો આંગળિયાત અમે સૌ !
સ્વીત્ઝર્લેન્ડના વૈભવી ટેન્ટ લઇ ગયા નેતા ને બાબુઓ,
પાકિસ્તાનના પાયજામાં લઈ ગયા ચડ્ડી-બનિયાનધારીઓ.
અમારે ભાગે તો નાં આવ્યાં કટકો ટીન કે ટારપોલીન ય.
એમના વસ્તુશાસ્ત્રીઓએ કહ્યું :
વર્ણ પ્રમાણે ફાળવો વાસ.
ને અમારે ભાગે આવ્યા તળાવના ખરાબા —
તે વહેલો મળજો મોક્ષ જળ સમાધિનો !
ભલા ભાઈ ભૂકંપ !
તારું 'ઓપરેશન ઈક્વોલિટી' ફેઈલ।
તું ગમે તેટલા રીક્ટર સ્કેલથી ત્રાટકે —
તું નહિ મિટાવી શકે
ભારતવર્ષની સામાજિક પ્રકૃતિ ને પર્યાવરણ.
ગમે તેટલી અનુકંપા છતાં,
તું નહિ સિદ્ધ કરી શકે
બંધારણના આમુખમાં લખેલુ બાબાનું સ્વપ્ન.
અલબત્ત, એમને જરૂર યાદ રહેશે —
તારાના તેજે પણ ભયના ઓથાર હેઠળ ગાળેલી એ રાતો.
માટે હવે ન ત્રાટકતો બીજી વાર
વાંચ્યા -વિચાર્યા વગર
સમજ્યા- બૂઝ્યા વગર
જોયા-જાણ્યા વગર
નર્યા ગમારની જેમ.
![]()

