આવ કવિતા આવ !
ગરીબગુરબાં કાજે રોટી-મકાન-કપડાં લાવ !
ક્યાં સુધી થઈ કાગળ-હોડી
તરશે ઝરમર-જલમાં ?
ક્યારે ઉલેચશે પાણી જે
ઘૂસી ગયાં છે ઘરમાં ?
એક માટ પીવાનું જલ ક્યાં જડશે મને જણાવ ! –
કળી-ફૂલ ને કોયલ સાથે
ક્યાં સુધી તું રમશે ?
ક્યારે ભૂખ્યાં બાળક બેસી
ઓટે તારે જમશે ?
આડું મારું ગાડું એને સાચે ચીલે ચડાવ ! –
ક્યાં સુધી તું ઝગમગ ઝળહળ
વ્યોમે વિહાર કરશે ?
ઠર્યા કોડિયે ક્યારે ઊતરી
તમસ છવાયું હરશે ?
રંગમંચ છોડી રાંધણિયે રોનક ખરી બતાવ !
૨-૮-૨૦૧૪
(સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2014, પૂ. 02)
![]()


મનુભાઈ પંચોળી એટલે ‘દર્શક’ અને ‘દર્શક’ એટલે ? બતાવનાર – જોનાર અથવા તો દર્શન કરાવનાર એવો સાદો અર્થ થઈ શકે. ઇતિહાસના ઊંડા અભ્યાસ પરથી, વર્તમાનના અનુભવમાંથી અને ભવિષ્યના દીર્ઘદૃષ્ટિવાળા ચિંતનમાંથી જગતને અને માનવ-જીવનને કંઈક આપી જવાની ખેવના અને ભાવનાવાળો માણસ એટલે મનુભાઈ રાજારામ પંચોળી. ટૂંકમાં, દર્શક.
પાંચેક વર્ષ પછી ૧૯૬૭માં એક વહેલી સવારે મનુભાઈ ફરતાં ફરતાં મારે ઘેર આવીને કહે, ‘પંડ્યાભાઈ, ગામડાંમાં પેદા થતા વધારાના દૂધની સહકારી ધોરણે બજારવ્યવસ્થા કરી ઉત્પાદકોને વાજબી અને વધુ ભાવો મળી રહે, તે માટે કાંઈક કરવું જોઈએ. મેં વિદેશોમાં તેમ જ આપણે ત્યાં આણંદ-મહેસાણામાં ડેરીઉદ્યોગ દ્વારા ગામડાંનો આર્થિક વિકાસ થતો જોયો છે તેમ જ ડૉ. કુરિયન, અમૂલના ચૅરમેન ત્રિભુવનદાસ પટેલ, મહેસાણા ડેરી અને ગામડાંની દૂધ સહકારી મંડળીઓ જોઈ અનેક લોકોને મળ્યો છું. ગામડાંમાં પેદા થતા દૂધની વેચાણવ્યવસ્થા પડતર ભાવે થવી જોઈએ, જેથી પશુપાલનનો વિકાસ થાય અને દૂધનું ઉત્પાદન વધે. મેં કહ્યું, આ વાત મેં પાંચેક વર્ષ પહેલાં તમને કહેલી, તે વખતે તમને ગળે ઊતરી ન હતી. હવે તમને સમજાયું, તેનો આનંદ છે, બે-ત્રણ ગામોમાંથી દૂધ એકઠું કરી નજીકમાં આવેલા અમરગઢની હૉસ્પિટલને તથા ભાવનગર તખ્તસિંહના હજારેક દર્દીઓને ચોખ્ખું દૂધ વ્યાજબી ભાવે પૂરું પાડવાની યોજના થઈ અને દૂધ-ઉત્પાદકોને પણ વાજબી ભાવો મળ્યા.
સ. : એ કામ કરતાં કરતાં કોઈ વિશેષ સંવાદો થતા એવું ખરું?