Opinion Magazine
Number of visits: 9560278
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

द्रौपदी

मेहुल मंगुबहन|Poetry|10 June 2014

द्रौपदी १ : मेरे पांच पति


माता कुंता जानती थी सत्य 
पता था की गर मिल बाँट के खाने को न कहा गया 
तो मुझे पाने के लिए पांचो एकदूजे से भीड़ जाएंगे यकीकन 
आखिरकार में उस दौर की सबसे सुंदर स्त्री जो थी !
वो जानती थी 
न जाने कितने समय से राजा-महाराजा-योद्धा 
कल्पनाओ में मुझसे संभोग करने लगे थे !
मेरी एक झलक को तकने लगे थे !
उन्हें पता था मेरे स्वयंवर में उमड़े वीर्य सैलाब का 
पांडव-कौरव तो क्या प्रत्येक पुरुष बेताब था मुझे भोगने को
संसार के सबसे बड़े खजाने का मालिक बनने को ! 
वरना पानी में देख सर पर घूमती मछली की आँख फोड़ना, 
कभी सोची भी है ऐसी कठोर परीक्षा किसी ने ?
अर्जुन तो क्या गुरु द्रोण भी यह न कर पाते !
कुंता जानती थी सत्य 
गर मिल बाँट के खाने को न कहा गया तो 
मेरे लिए पांचो के बीच फिर से एक स्वयंवर होगा 
और फिर वे पांच से चार-तीन-दो-एक हो जायेंगे ! 
वैसे होना तो यही सही था पर कुंता से एक अलग सत्य 
बतौर पुरुष महाधूर्त युधिस्ठिर से नम्र नकुल तक सभी जानते थे !
पता था की भीम की मदद के बिना वो धनुष नहीं उठा पायेगा !
होनहार जुआरी युधिस्ठिर के बिना 
जल की और मछली की गति की चाल परख कैसे होगी ?
आनेवाले समय को देखने वाले सहदेव के सहयोग के बिना 
क्या कुछ मुमकिन हो सकेगा ? 
एक नम्र नकुल था जिसके होने न होने से कुछ फर्क नहीं होता पर 
चार से भले पांच ! या फिर छ ?
कुंता की आज्ञा से पहले ही उनके पुरुष सत्य ने तय कर लिए थे हिस्से !
किसी एक के हाथ तो नहीं आएगी
आओ पांचो मिलकर खा ले,
हो सके तो बाँटकर वरना तोड़मरोड़ कर !
किसके साथ कितनी राते, किसके साथ कितने दिन 
सारे समय का हो चूका था गठजोड़ पहले ही !
कौन पहले कौन बाद में तय थे सारे क्रम के मोड़ !
यह विवशता थी लेकिन आखिर संसार की सबसे सुन्दर स्त्री के लिए 
इतना समाधान तो जायज था उन्हें ! 
फिर अपने षड्यंत्रकारी सत्य को बहोत आसानी से छुपा लिया उन्होंने 
" देखो माँ में क्या लाया हु ? " अर्जुन ने कहा 
" जो लाए अपने भाइओ से मिलकर खाना " कह दिया माता कुंता ने !
हा हा हा हा हा हा हा !!
अपने षड्यंत्र के सत्य को नजाकत से मोड़कर 
थोप दिया माता कुंता के होठ पर !
उनकी आग को मिल गई हवा 
अब दोष सारा हो गया हवा का  
और आग बन गई पूर्ण निर्दोष !
आखिर खाना ही तो थी मै उनके लिए शुरू से ! 
अर्जुन बनकर रह गए मातृ आज्ञा की प्रतिज्ञा 
कृष्ण ने भी कह दिया इसे पूर्वजन्म के कर्म की शिक्षा !
माता कुंता जानती थी सत्य,
पांचो पांडव जानते थे सत्य,
कृष्ण भी जानते थे सत्य !
और में ?
मेरा सत्य ?

− मेहुल मंगुबहन

०२ / ०६ / २०१४ अहमदाबाद 

*********

द्रौपदी २ : चीरहरण से पूर्व

जब दुर्योधन ने कहा जाओ दुःशाशन ले आओ द्रौपदी 
राजसभा में मच गई खलबली 
दास बने अर्जुन को अचानक याद आई अपनी मधुरजनी
मन हुआ जाकर पहले बड़े भाई का गला दबा दे 
पर फिर ध्यान आया पांचो के बराबरी के हिस्से की डील पर !
नजरे नीची गड़ाए कालीन की नक्शी देख रहे थे युधिष्ठिर 
एक तो तनमन में उमड़ रही है लम्बी शंतरंज की थकान   
और फिर ऊपर से यह … क्या तमाशा !
हम तो वैसे भी भोग भोगकर थक चुके थे 
अब वो तुम्हारी है, जो करना था कर लेना था आराम से ! 
जब दुर्योधन ने कहा जाओ दुःशाशन ले आओ द्रौपदी 
उसे रोकना तो दूर कोई भी उठ खड़ा भी हुआ न अपनी जगह से !
एक लम्बे अंतराल के बाद अचानक धृतराष्ट्र को याद आई अपनी आँखे 
उफ्फ यह दृष्टिहीनता इससे पूर्व इतनी कठोर कभी न थी,
मेरे पुत्र संसार की सर्वाधिक सुन्दर स्त्री को जीते है
और में बेबस उसे एक नजर देख भी न पाउँगा ? छट !
विकर्ण के अलावा सारे कौरव का एक हाथ जांघ सहलाने लगा  
और दूजा हाथ था वहां जहाँ उनकी असली खुजली थी !
भीष्म अपनी गंवाई जवानी की सोच में डूब गए, 
द्रोण, कृपाचार्य रह गए हक्केबक्के !
जब वो उसे ले आए तब हमें क्या करना चाहिए ?
क्या हम भी बाकी दरबारीओ की तरह उसका सौंदर्यपान करे ?
हा हा क्यों नहीं ? आखिर राजऋषि है हम ! 
अधिकार तो सब है हमें पर धर्म ?
दोनो ने एकदूजे को झाँका, पल भर में किया फैसला 
और नजरे गड दी दुःशाशन के बढ़ते कदम पर !
जब दुर्योधन ने कहा जाओ दुःशाशन ले आओ द्रौपदी … 
सारे सेवक को छूट गया दुविधा का पसीना 
होने लगी खुसर पुसर 
आखिर राजबहु है, कहीं देखते पकडे गए तो ?
और देखे बिना भी रह पाएंगे तो कैसे !
जब दुर्योधन ने कहा जाओ दुःशाशन ले आओ द्रौपदी 
हस्तिनापुर की राजसभा में बढ़ने लगी संख्या
आँखे मुंदी नहीं बल्कि दो से चार होने लगी
प्रवेश नहीं था वो भी आ गए दरारों से झांकने
दुःशाशन के निकलते ही फ़ैल गई खबर !
मार्ग पर जमा होने लगी भीड़,
रोज दाव पर लगती 
रोज किसी की दासी बनती 
हस्तिनापुर की सारी स्त्रियां सुन्न हो गई पल भर !
बीच बीच में आई ठहाकों की आवाझे
जो हररोज हमारे यहाँ होता है वह आज राजसभा में होगा !
हा हा हा.… आखिर शुरू तो उन्होंने ही किया था न !
आज शायद राजा को पता चलेगा 
की रोज रोज हस्तिनापुर में 
हर गली हर चोकठ पर 
द्रौपदीओ के साथ होता है क्या क्या !
जब दुर्योधन ने कहा जाओ दुःशाशन ले आओ द्रौपदी … 
अचानक से पूरी राजसभा हो गई वस्त्रहीन !

− मेहुल मंगुबहन 

०३ / ०६ / २०१४ अहमदाबाद 

***********

द्रौपदी ३ : चीरहरण

रुक जाओ कृष्ण 
चीर की तुम्हारी यह खैरात नहीं चाहिए मुझे 
आज तुम मुझे वस्त्र दोगे 
और कल फिर से मुझे वस्त्रहीन कर दोगे 
सौंप दोगे तुम मुझे उन पांचो के हवाले
फिर से उपवस्त्र बनाकर !
रुक जाओ कृष्ण !
इस भरी सभा में हो जाने दो मुझे नग्न 
आखिर मेरा नग्न शरीर ही तो सत्य है न सबके लिए !
तभी तो तुमने मेरे पांच पति को 
कह दिया था मेरे पिछले जन्म के कर्म का फल ! है न ?
अब यह मेरे कौन से नीच कर्मो का फल है बताओ कृष्ण ?
चिर रहने दो, अब आये हो तो 
यहाँ सभा की प्रत्येक आँख जो मुझसे मैथुन कर रही है 
तनिक उनके पूर्व जन्म के उच्च कर्मो के बारे में भी कुछ कहते जाओ कृष्ण !  
अब नहीं चाहिए मुझे तुम्हारे वस्त्र 
हो जाना चाहती हु में आज सम्पूर्ण नग्न 
ताकि सारा संसार जान ले हस्तिनापुर का सत्य
पता तो चले सबको की यहाँ प्रत्येक घर में एक द्रौपदी है 
जिसके न जाने कितने पति है 
जिसे रोज लगाया जाता है दाव पर 
जिसका वजूद है सिर्फ किसी मूंछ की ताव पर !
आज जब पांडव पर बन आई तुम आ गए हो मुझे बचाने
पर कल क्या होगा कृष्ण ?
में निर्वस्त्र हो जाउंगी उस पल के बाद क्या होगा कृष्ण ?
फिर से शतरंज बिछेगी, फिर लगेंगे दाव मुझ पर 
फिर से सौदा होगा भोगने के अधिकार का
आखिर यही तो है इस महान हस्तिनापुर में 
जिसकी लाज बचाने फिर से तुम आये हो !
अब बहोत हो चूका यह ढोंग कृष्ण 
अब बहोत हो चुकी राज परम्परा भी 
इस आर्य धर्म की जयजयकार बहोत हो चुकी !
मुझे नहीं चाहिए तुम्हारे वस्त्र कृष्ण 
लौट जाओ अपने गोकल-मथुरा 
और हो सके तो लौटा दो उन गोपियों के वस्त्र पहले!
में तो आज इस भरी सभा में नग्न हो जाना चाहती हूँ 
हो जाना चाहती हु पूर्ण रूप से वस्त्रहीन 
फिर जो चाहे अंजाम हो मेरा ! 


– मेहुल मंगुबहन 

०४ जून २०१४ अहमदाबाद 

सौजन्य : http://communitication.blogspot.in/search/label/Hindi

Loading

સશક્તિકરણ અને વિકાસવાર્તા છતાં …

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|7 June 2014

– સશક્તિકરણ અને વિકાસવાર્તા છતાં…

– અત્યાચારોની આરપાર; સવાલ કાયદાના શાસનની તાકીદનો તેમ સામંતી માનસિકતામાં પરિવર્તનના તકાજાનો પણ છે

શુક્રવારે [06 જૂન 2014] બપોરે આ લખી રહ્યો છું ત્યારે નાને પડદે સૂચનાપટ્ટી દોડતી જોઉં છું કે લંડનમાં ભારતીય હાઈકમિશન સમક્ષ આપણે ત્યાંની બળાત્કારી ઘટનાઓ સબબ દેખાવો યોજાયા હતા. આ પૂર્વે યુનાઈટેડ નેશન્સના સેક્રેટરી જનરલ બાન કી-મુન તો બદાયુંની ઘટનાને પગલે ચિંતા અને નિસબતની લાગણી આંતરરાષ્ટ્રીય અટારીએથી પ્રગટ કરી જ ચૂકયા છે, અને મુલાયમસિંહ યાદવ તરફથી આપણે સૌ એ પ્રતિભાવ પણ સાંભળી ચૂકયા છીએ કે આ બધું શું અમારે યુરોપઅમેરિકા પાસેથી જાણવા સાંભળવાનું છે?

પિતાની સાથે જાણે કે જુગલબંદીનો ખયાલ હોય એમ મુખ્યમંત્રી અખિલેશ યાદવે અજબ જેવી માસૂમિયતથી કહ્યું છે કે ગૂગલે ચડીને મલક આખો સર્ચી વળો ને – બળાત્કારો ઉત્તર પ્રદેશની વિશેષતા નથી. રામગોપાલ-શિવપાલ કાકા મંડળીએ વાતનો બંધ વાળ્યો છે : વાત મુદ્દે અમારી સામે આ બહાને ઘડાઈ રહેલા રાજકીય કાવતરાની છે. બેલાશક, કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને સ્થળ મુલાકાત બાદ વડાપ્રધાન મોદી જોગ હેવાલમાં કહ્યું જ છે કે જો રાજ્ય સરકાર કારવાઈમાં ઊણી ઊતરે તો કેન્દ્રીય દરમિયાનગીરી જરૂરી બનશે.

દરમિયાન, કેન્દ્ર સરકારના ગૃહપ્રધાન રાજનાથસિંહે રાજ્યપાલ જોષી સાથે કાયદો અને વ્યવસ્થાની ચર્ચા તો કરી જ લીધી છે. સ્ત્રી સંબંધી હિંસાચાર એ માત્ર કાયદો અને વ્યવસ્થાનો સવાલ અલબત્ત નથી. પરંતુ વ્યવસ્થાતંત્રે કાયદાનું પાલન તો કરાવવાનું રહે જ છે. ઉત્તરપ્રદેશમાં આજની તારીખે સાદી એફ.આઈ.આર. નોંધાવવી એ પણ એક દુષ્કર કામ છે. નિરીક્ષકોએ નોંધ્યું છે તેમ તમારી નાતજાત, આર્થિ‌ક દરજ્જો અને દરબારી વગ, આ બધાં પરિબળો એમાં નિર્ણાયક ભાગ ભજવે છે.

ફરિયાદ નોંધનારું તંત્ર અને એની ઉપરનું રાજકીય સત્તામાળખું તેમ જ ચોમેરચોફેરનું સમાજ માળખું, આ બધાં વચ્ચે લાંબા સમયથી એક અપવિત્ર મેળાપીપણું પ્રવર્તે છે. આ વાસ્તવિકતા – અખિલેશ કહે છે તેમ – દેશની આખાની છે. જો કે, તેથી ઉત્તરપ્રદેશની કે કોઈ પણ રાજ્ય સરકારને બચાવછૂટ નથી મળતી. ૨૦૦૨માં ગુજરાતે રોમમર્રાની જિંદગી કરતાં એક વિશેષ સંદર્ભમાં આવો ઘટનાક્રમ મોટે પાયે જોયો હતો. રમખાણોમાં આવું બનતું હોય છે એને લઈને ગુજરાતનો એક ખાસ અભ્યાસ ઓકસફર્ડ થકી થયેલો છે.

તે સુલભ થયો ન થયો ત્યાં તો શિક્ષા બચાવો સમિતિના દીનાનાથ બત્રાની રજૂઆતથી હાલ ઠંડા બકસામાં મુકાયા જેવો બની રહ્યો છે. હમણાં જે માનસિકતાની પેંધેલી વાત કરી તે આપણા સમાજના હાડમાં ગેરબરાબરીની છે. સ્ત્રીઓ, દલિતપછાત વર્ગો બધા જ દબાયેલા ચંપાયેલા રહેતાં આવ્યાં છે અને એકોએક શાસન, સઘળા રાજકીય-શાસકીય અગ્રવર્ગ ઓછેવત્તે ક્રમે આ બાબતે યથાસ્થિતિને મુજરો ભરતા માલૂમ પડયા છે. મુલાયમસિંહનું 'છોકરા તો મુઆ છોકરા જ રહેવાના’ ખાસું ગાજ્યું, પણ બાકીનાઓમાં પણ તમને આવા સહજોદ્દગારો મળવાના.

ખાપ મનોદશા સાથે કામ પાડવામાં 'કાયદાના ભંગ બદલ ચોક્કસ કામ લેવું જોઈએ’ એવું ડાહ્યું વિધાન કરવાથી કેજરીવાલ અને યોગેન્દ્ર યાદવ ભાગ્યે જ આગળ ગયા હશે. 'છોકરીઓને સોળમે વરસે પરણાવી દો એટલે એમની સેક્સભૂખનો સવાલ ન રહે’ આવો ભવ્ય ઉકેલ સૂચવનારા ઓમ પ્રકાશ ચોટાલા પણ આ જ જમાત માંહેલા છે. કહી શકાય કે એક રસ્તો, અંતે તો, આ વર્ગોના સશક્તિકરણનો છે. રાજકીય પક્ષો મહિ‌લા અનામત અને વિશેષ જોગવાઈની રીતે અગર તો પોતપોતાના સામાજિક પાયારૂપે પણ કંઈને કંઈ કરતા હોય છે.

મુલાયમ, લાલુ, નીતિશની આ પૃષ્ઠભૂ રહેલી છે, તો નમોએ ઉત્તરપ્રદેશ અને બિહારમાં પોતાની ઓ.બી.સી. ઓળખ આગળ ધરી જ હતી. હમણાં ગોપીનાથ મુંડે ગયા જે ઓક્ટોબરની વિધાનસભા ચૂંટણી પછી મહારાષ્ટ્રના કદાચ પ્રથમ ઓ.બી.સી. મુખ્યમંત્રી હોત. એમને અંજલિ આપતાં નમોએ 'પછાત’ જ્ઞાતિમાંથી ઊંચે આવેલા એ ખાસ સંભાર્યું છે. ઓ.બી.સી. મહિ‌મા હિંદુ ભાજપને વિશ્વનાથ પ્રતાપસિંહના મંડલાસ્ત્ર પછી અને સવિશેષ તો ૧૯૯૨ના ડિસેમ્બરની અયોધ્યા ફતેહ પછી વળતે વરસે માયાવતી-મુલાયમ એ દલિતલઠૈત એકતાને કારણે લખનઉ ખોયાથી સમજાયો હશે.

હાલનો સમય અલબત્ત સશક્તિકરણ અને વિકાસવાર્તાનો છે. સવાલ જો કે એ છે કે આ બધી જ જોગવાઈઓ છતાં દાતાપાતા સમુદાય, લાભ આપનાર અને લાભાર્થી, સામાજિક ઊંચનીચ દલિતપછાતઉજળિયાતઓરત મટીને નાગરિક બને છે કે કેમ. હિંદુ હોવું પૂરતું નયે હોય એ છેલ્લી ચૂંટણીનો એક પાઠ છે. પણ નાગરિક થયા વિના સંધું અપૂરતું છે એ પાઠ કદાચ હજુ દૂર છે. જસ્ટિસ વર્માના જીવનકાર્યરૂપ કાયદાપોથી આપણી પાસે છે. રાજકીય સંકલ્પશક્તિથી એનો ચોક્કસ લાભ મળી શકે. પણ માનસિકતા અને સમાજસુધારો, એ તો એક લાંબી લડાઈ છે.

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 07 June 2014

Loading

નિર્ભયા ટૂ બદાયૂં : જંતરમંતર છૂમંતર

મેહુલ મંગુબહેન|Samantar Gujarat - Samantar|4 June 2014

નિર્ભયા કેસ વખતે સળગેલી તમામ મીણબત્તીઓનું મીણ ઓગળી ગયું છે અને વાટ ઓલવાઈ ગઈ છે. હરિયાણામાં ગેંગરેપનો ભોગ બનેલી ચાર બાળકીઓ અને તેમનાં સગાંઓ દિલ્હીમાં ન્યાય માટે ૧૬ એપ્રિલથી ધરણાં પર બેઠાં છે ત્યારે ફરી એક વાર ઉત્તરપ્રદેશના બદાયૂંમાં બે બાળકીઓ પર ક્રૂર બળાત્કાર અને હત્યાની ઘટના બની છે. નવી સરકારના પડકારોમાં આભ ગળી જવાની હદે મુદ્દાઓ હવામાં ઉછળી રહ્યાં છે પણ એ મુદ્દાઓમાં રાજ્યની સૌથી મોટી અને મુખ્ય જવાબદારી છે તે 'ન્યાય'ની વાત કોઈ કરતું નથી

દેશમાં નવી સરકારની સ્થાપના થઈ ગઈ છે. અનેક વિદ્વાનો નવી સરકાર સામેના નોખા-અનોખા પડકારો ગણાવી રહ્યાં છે. શાંતિવાર્તાઓની સરાહના, કલમ ૩૭૦નો વિવાદ, મંત્રીઓના ભણતરની સાચી-ખોટી માહિતી અને આર્થિક સુધારાઓની વાતો ચર્ચાય છે. મુદ્દાઓ જાણે કે આભને ગળી જવાના હોય એ રીતે હવામાં ઉછળી રહ્યાં છે. આ અફરાતફરી, ધાંધલધમાલ અને સમસ્યાઓના સરળીકરણના સમયમાં સવાલ એ થાય છે કે શું ખરેખર એ આપણા મુદ્દા છે? શું સરકારની એટલે કે રાજ્યની એ જ જવાબદારી છે? ના. રાજ્ય નામની ઘટનાનો ઉદય જ ન્યાય માટે છે. રાજ્યની મુખ્ય જવાબદારી હિંસા અટકાવવાની અને જૂઠનો પ્રતિકાર કરવાની છે. તો પછી હાલ આપણને જે સંભળાય છે એ વાતોનું શું? એ વાતો હંબગ છે. લગભગ હા. મોટાભાગની તો ખરી જ, કેમ કે રાજ્યની સ્થાપનાનો મહત્ત્વનો હેતુ જે ન્યાય છે તેની કોઈ વાત એમાં થતી નથી. આપણા દેશનો પાયાનો પ્રશ્ન જો કોઈ હોય તો તે ભ્રષ્ટાચાર કે પાકિસ્તાન સાથેના સંબંધો નથી. આપણો પાયાનો સવાલ છે ન્યાયપ્રણાલિની સ્થાપના. ન્યાય સતત લાંબા સમય સુધી વિલંબિત થાય છે એટલે અન્યાયને જગ્યા મળી જાય છે, મળતી જ રહે છે. અને આવા અન્યાયનો સૌથી મોટો ભોગ બને છે સ્ત્રીઓ, એમાં ય ખાસ કરીને દલિત-આદિવાસી સ્ત્રીઓ!

મનુસ્મૃિતનો પ્રતાપ ગણીએ કે અન્ય કોઈ પણ ધાર્મિક-સામાજિક કારણો. ભારતીય સમાજમાં સ્ત્રીઓને કાયમ ભોગનું સાધન ગણવામાં આવે છે. સ્ત્રીઓ સામેના અનેક ગુનાઓમાં સૌથી જઘન્ય ગુનો છે બળાત્કારનો. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરો મુજબ ૨૦૧૨માં ભારતમાં બળાત્કારની ૨૫,૦૦૦ ઘટનાઓ નોંધાઈ હતી. રિપીટ નોંધાઈ હતી. બની હતી એમ નહીં, કેમ કે ખરેખર કેટલી બની હતી તેનો અંદાજ લગાવી શકાય તેમ નથી. મહિલાઓ સામેના ગુનાઓની ફરિયાદ ઝટ કરવામાં આવતી નથી, કેમ કે આપણે એવા વિચિત્ર પ્રકારના સ્ત્રીગૌરવમાં માનીએ છે જેમાં ભોગ બનનારને જ ગુનેગાર ગણવામાં આવે છે. કોઈ પુરુષનું શિશ્ન અચાનક ઉત્તેજિત થઈ ગયું છે અને તેને સેક્સ સિવાય કંઈ સૂઝતું જ નથી એટલે તે તેની આસપાસની કોઈ સ્ત્રી પર બળાત્કાર કરે છે એવું નથી હોતું. બળાત્કારને જાતીય સુખ સાથે નહીં પણ ક્યાંક પુરુષ તરીકેના મોભા સાથે, ક્યાંક પોતાની ઊંચી જાત સાથે તો ક્યાંક પોતાના ધર્મ સાથે પણ લેવાદેવા છે. તોફાનો દરમિયાન બળાત્કાર થાય છે, બે દેશો વચ્ચે યુદ્ધ દરમિયાન બળાત્કાર થાય છે. દલિતો અને આદિવાસી સ્ત્રીઓ સાથેના બળાત્કારનું મુખ્ય કારણ પણ એ હોય છે. સમાજમાં સ્ત્રીને સંપત્તિ માનવામાં આવે છે અને પુરુષને રક્ષક કે પાલક. આ બે પુરુષો વચ્ચેની લડાઈનો ભોગ સ્ત્રીને બનાવવામાં આવે છે. કોઈ બિનદલિત જ્યારે કોઈ દલિત સ્ત્રી પર બળાત્કાર કરે છે ત્યારે ખરેખર તો જે તે ગામના તમામ દલિતો પર બળાત્કાર થઈ જાય છે, કેમ કે તેનાથી ધાક બેસી રહે છે. સ્ત્રીની આબરૂ પુરુષને પરાજિત કે નિ:સહાય સ્થિતિમાં મૂકવા માટે ઉપયોગમાં લેવાય છે. બળાત્કારને અને લૈંગિક ભેદભાવને સીધો સંબંધ છે. સમાજમાં લૈંગિક ભેદભાવો અટકશે નહીં ત્યાં સુધી બળાત્કાર પણ અટકવાના નથી. ૨૦૦૬માં દેશમાં ૧૮,૬૮૨ બળાત્કારની ઘટનાઓ નોંધાઈ હતી. ૨૦૧૧માં ૨૩,૫૮૨ અને ૨૦૧૨માં ૨૫,૦૦૦. આ આંકડાઓ શું બતાવે છે? આંકડાનો સીધો અને સાદો અર્થ એ છે કે દેશમાં મહિલાઓ સામેની સૌથી ક્રૂર ગણાતી ગુનાખોરી વધી રહી છે. આંકડાઓ કહે છે કે દેશમાં જાતિ-કોમ-ધરમગત ભેદભાવો વધી રહ્યાં છે. આંકડાઓ કહે છે કે દેશમાં લૈંગિક ભેદભાવો વધી રહ્યાં છે. આપણે સુધરી રહ્યાં છીએ, સમાજમાં સમાનતાની સ્થાપના થઈ રહી છે, એ આપણો વહેમ છે એવું આંકડાઓ કહેવા માગે છે. દલિતો-આદિવાસીઓ પરના અત્યાચારો ઓછા થવાને બદલે સતત વધી રહ્યાં છે એવું આંકડાઓ કહેવા માગે છે.

સવાલ એ છે કે, આવું કેમ થાય છે? અને જવાબ એ છે ન્યાયનો અભાવ. આપણા દેશમાં ન્યાય ખાડે ગયો છે. અન્યાય દરેક પળે થાય છે પણ ન્યાય વળતી પળે મળતો નથી, તોળાતો નથી. પોલીસ ફરિયાદ નોંધવામાં ઠાગાઠૈયા થાય છે. તાજેતરમાં બનેલી ઉત્તરપ્રદેશના બદાયૂંની દલિત બાળકીઓના ગેંગરેપની અને હત્યાની ઘટનામાં પોલીસની ગંભીર બેદરકારી સામે આવી છે. ન્યાય માટે અનિવાર્ય એવો ફરિયાદનો તબક્કો જ પૂરો ન થાય તો પછી મામલો અદાલતે પહોંચે જ નહીં. ધારો કે પોલીસ ફરિયાદ લે તો પણ મામલો અદાલતમાં અટવાય જ કરે. ન્યાયની ખેવના રાખનારને લાંબીલચક અદાલતી પ્રક્રિયાને લીધે વર્ષોનાં વર્ષો સુધી અન્યાય વેંઢાર્યા કરવો પડે છે. દેશની અદાલતો અનેક પ્રકારના કેસોથી ભરચક છે. મહિલાઓ સામેના ગંભીર અપરાધ એવા બળાત્કારના કેસોમાં પણ કન્વિક્શન રેશિયો યાને કે સજાનું પ્રમાણ ભયંકર રીતે ચિંતાજનક છે. ૨૦૧૧ સુધીમાં ગુજરાત રાજ્યમાં જ બળાત્કારની ૪૩૯ ઘટનાઓ નોંધાઈ હતી. આપણા રાજ્યનો કન્વિક્શન રેશિયો ફક્ત ૧૪.૭ ટકા છે. એટલે કે કુલ કેસ પૈકી માત્ર ૧૪.૭ ટકા કેસમાં જ બળાત્કારનો ભોગ બનનાર મહિલાને ન્યાય મળ્યો અને આરોપીઓને સજા થઈ. દેશમાં આ વાત સમજીએ તો સજાનું સરેરાશ પ્રમાણ ફક્ત ૨૬.૪ ટકા છે. વિકસિત ગણાતા આપણા રાજ્યનું સરેરાશ સજાનું પ્રમાણ દેશની સરેરાશ કરતાં ઘણું ઓછું છે એટલે ન્યાયની બાબતે ગુજરાતી ગૌરવ લઈ શકાય તેમ નથી. ૨૦૧૧ સુધીમાં દેશમાં ૧૫,૪૮૩ બળાત્કારના કેસો અદાલતી કામ પર આવેલા. આમાં અગાઉના પેન્ડિંગ કેસ પણ સામેલ છે. આ ૧૫,૪૮૩ કેસ પૈકી ૪,૦૭૨માં કેસમાં જ સજા થઈ. આ એક મોટું ચક્કર છે. ખૂનના કેસમાં સમગ્ર દેશમાં કન્વિક્શન રેશિયો ૪૦ ટકા છે તો બળાત્કારના કેસમાં ઓછો કેમ ? ચાર્જશીટ મોડી ફાઈલ થાય એટલે આરોપીને જામીન શક્યતા વધી જાય છે. જામીન મળતા જ સાક્ષીઓને લોભ-લાલચ-ધાક-ધમકી-દબાણની વાત જોર પકડે છે. કેસ ટ્રાયલ પર આવે છે ત્યારે પોલીસ અને સરકારી વકીલો નબળા પુરવાર થાય છે. સાક્ષીઓ ફૂટી જાય છે. પોલીસની તપાસમાં અનેક કાનૂની છીંડાં આરોપીનો મોંઘો વકીલ શોધી કાઢે છે અને સામે સરકારી પગાર ખાતો વકીલ મોટાભાગે એવી મહેનત કરતો નથી. સૌથી મહત્ત્વનું કારણ એ પોલીસ-વકીલ-અદાલતોની આ બાબતમાં ગંભીરતા અને સંવેદનશીલતા નથી તેમ અનેક કર્મશીલો ગણાવે છે. ભોગ બનનારે તેની યાતનાને ફરી અદાલત સમક્ષ પ્રસ્થાપિત કરવાની હોય છે ત્યારે સરકારી વકીલ સંવેદનશીલ તેમ જ હોશિયાર હોય તો જ પરિણામ મળે છે. ટૂંકમાં, ન્યાય ટલ્લે ચડી જાય છે એટલે અન્યાય નિર્ભય બનતો જાય છે અને બળાત્કારનું પ્રમાણ વધતું જાય છે.

લાંબા સમય પછી દેશને પૂર્ણ બહુમત ધરાવતી સરકાર મળી છે ત્યારે તેની સામેનો મુખ્ય પડકાર કોઈ અવનવી યોજનાઓ કે નવા કાયદાઓ, નદીઓનું જોડાણ કે ૩૭૦ કલમમાં સુધારો નથી, ન્યાયની પુર્નસ્થાપના છે. નિર્ભયાકાંડ વખતે નિર્ધાિરત થયેલી બાબતોનો અમલ થશે, નવી અદાલતોની સ્થાપના થશે, પોલીસની ભરતી-તાલીમ થશે, જજ-વકીલની ભરતી તાલીમ થશે તો જ ન્યાયની ગતિ વધશે. ન્યાયની ગતિ વધશે તો જ દેશ આગળ વધશે, કેમ કે આખરે તો આપણને દેશની જરૂર ન્યાય માટે જ હોય છે. 

e.mail : mmehul.sandesh@gmail.com

સૌજન્ય : ‘વિગતવાર’ નામે લેખકની કટાર,  “સંદેશ”, 04 જૂન 2014

Loading

...102030...3,9453,9463,9473,948...3,9603,9703,980...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી —319
  • સેલ્સમેનનો શરાબ
  • નફાખોર ઈજારાશાહી અને સરકારની જવાબદારી  
  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved