Opinion Magazine
Number of visits: 9558032
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સત્ત્વશીલ પુસ્તકો, સંવેદનશીલ મિત્રો

ગણેશ વાસુદેવ માવળંકર|Opinion - Opinion|4 August 2014

"પુસ્તકો વિનાની જિંદગી અને દુનિયા હું કલ્પી શકતો નથી. જેમ પ્રાણવાયુ વિના જીવન થંભી જાય, તેમ પુસ્તકોના રસ અને આસ્વાદ વગર સંસ્કાર-જીવન અટકી જાય. પુસ્તકોનો સાથ હોવો તથા એ વાંચવાનો શોખ હોવો એનો આધાર વાતાવરણ અને ઉછેર પર ઘણો રહે છે. પરંતુ, કેવળ ઘર-આંગણે અને બહારની ચોતરફની આબોહવામાં પુસ્તકોની સુવાસ મઘમઘે અને પુસ્તકો વંચાતાં રહે એ પૂરતું નથી. વાતાવરણ અને વિદ્યાકીય પર્યાવરણ ઉપરાંત સુગ્રથિત ઘડતર અને સુયોજિત શિક્ષણ પણ એટલું જ આવશ્યક છે. સારાં પુસ્તકો વાંચવાનો રસ એ સભાનતાથી અને સતત પ્રયત્નપૂર્વક કેળવવાનો વિષય છે. ઘરમાંનાં મોટેરાંઓ સાંસ્કૃિતક સાહિત્ય વાંચતાં હોય, અને નિશાળમાંના શિક્ષકો સારા વાચનની ટેવ પાડતા હોય, તો જ પુસ્તકપ્રેમની માત્રા બરાબર વધતી રહે. પુસ્તકો જેવા મિત્રો અને માર્ગદર્શકો માણસની જિંદગીમાં અન્ય ભાગ્યે મળી શકે. પુસ્તકોની મિત્રતા ચાહીને કેળવવાની હોય છે. એમનું માર્ગદર્શન સજાગપણે અને સમજીને પ્રાપ્ત કરવાનું રહે છે. સાચાં અને સત્ત્વશીલ પુસ્તકો, સારા અને સંવેદનશીલ મિત્રોની જેમ, આપણી મદદે હરહંમેશ ઊભાં જ હોય છે. એમના પર રાખેલો ભરોસો ક્યારેય નિષ્ફળ કે નકામો નીવડતો નથી. તેથી જ, મિત્રોની માફક પુસ્તકોની પસંદગીમાં પણ કાળજી અને વિવેક રાખવાં રહ્યાં."

− દાદાસાહેબ માવળંકર

સૌજન્ય : ‘અવતરણની અત્તરદાની’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, “ગુજરાતમિત્ર”, 04 અૉગસ્ટ 2014

Loading

સવ્યસાચી : સ્મરણદીપના પ્રકાશમાં

દીપક મહેતા|Opinion - Literature|4 August 2014

સવ્યસાચી: સ્મરણદીપના પ્રકાશમાં / સંપાદન મણિલાલ હ. પટેલ, સહ સંપાદન નલિની દેસાઈ. ગુજરાત વિશ્વકોશ ટ્સ્ટ, અમદાવાદ. ૧ આવૃત્તિ, ૨૦૧૪. ૧૬ + ૨૪૦ પાનાં, સચિત્ર. રૂ. ૨૫૦

છન્નું વર્ષના આયુષ્યમાં ધીરુભાઈ ઠાકર માત્ર લાંબુ ન જીવ્યા, પણ હર્યું જીવ્યા, ભર્યું જીવ્યા, હર્યુભર્યુ જીવ્યા. આ વર્ષના જાન્યુઆરીની ચોવીસમીએ તેમનું અવસાન થયું અને તે પછીના એમના પહેલા જન્મ દિવસે (જૂન ૨૭) મોટા કદનાં ૨૪૦ પાનાંનું આ પુસ્તક. પૂરા એક સો લેખો. ના. વર્ષો પહેલાં લખાયેલા, અહીંતહીંથી ભેગા કરેલા નહિ. ઘણા આ પુસ્તક માટે લખાયેલા, કે પછી ધીરુભાઈના અવસાન વખતે લખાયેલા. આવાં સંપાદનો માટે લેખો મેળવવાનું કેટલું અઘરું હોય છે તે તો ઘાયલ કી ગત ઘાયલ જાને.

પણ ધીરુભાઈનાં જીવન અને કાર્યની સુવાસ અને સંપાદકો તથા ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનો પુરુષાર્થ, એટલે આ શક્ય બન્યું. અને પુસ્તકનાં મુદ્રણ અને નિર્માણમાં પણ ક્યાં ય કચાશ શોધવી મુશ્કેલ. ધીરુભાઈ માટેના સાચા પ્રેમાદર વિના આમ કરવું શક્ય ન બને, અને કદાચ બને, તો ય આવું સુભગ પરિણામ ન આવે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને જે ખૂબ જાણીતી, ઓછી જાણીતી, અને કોઈક અજાણી વ્યક્તિઓએ અહીં જે લખ્યું છે તેમાં ધીરુભાઈરૂપી શતદલ કમલની એક એક પાંખડી આપણી સામે ખૂલતી આવે છે. પિતા ધીરુભાઈ, અધ્યાપક, આચાર્ય, નિયામક, મિત્ર, મુરબ્બી, માર્ગદર્શક, વિદ્વાન, સંશોધક, આયોજક, નાટકનો જીવ ધીરુભાઈ. પાસાં અનેક, કામ કર્યાં અનેક અને જાતજાતનાં, પણ તેમના જીવન અને કાર્યને એકસૂત્રે બાંધતી વાત તે તો શેક્સપિયરે કહેલી તે – ‘ધિસ અબાવ ઓલ, ટુ ધાઇન ઓન સેલ્ફ બી ટ્રુ.’ આપણી ભાષાના એક શબ્દમાં કહેવું હોય તો ‘ખુદવફાઈ.’ આ પુસ્તક માટે લખનારાઓમાં નારાયણ દેસાઈ છે, ધીરુબહેન પટેલ છે, પ્રવીણ લહેરી, લાભશંકર ઠાકર, ગુણવંત શાહ, રઘુવીર ચૌધરી, કુમારપાળ દેસાઈ, ભદ્રાયુ વછરાજાની, અમર ભટ્ટ, સુમન શાહ, પ્રદીપ ખાંડવાળા, રમણ સોની, શરીફા વીજળીવાળા, રાજેન્દ્ર પટેલ, હર્ષદ ત્રિવેદી, શ્યામલ-સૌમિલ-આરતી મુનશી, રાજેન્દ્ર ખીમાણી, જેવા જુદાં જુદાં ક્ષેત્રોના, જુદાં જુદાં વૃત્તિ-વલણ ધરાવતાં લેખકો જોવા મળે છે.

પુસ્તકના આમુખ જેવા ‘પ્રેરણા દાયક સ્મરણ-દર્શન’ મથાળા નીચેના લખાણમાં કહ્યું છે : “તેઓએ કશું પણ, નાનું કે મોટું કાર્ય, કરવા ખાતર કર્યું નહોતું, ને જે કાર્ય હાથમાં લીધું તેમાં પોતાનો પ્રાણ રેડયો. જે કાર્ય એમણે હાથમાં લીધું હોય તેને સંસિદ્ધ તો કરી બતાવ્યું હોય, પણ સાથે સાથે તેને ગરિમાપૂર્ણ પણ બનાવી દીધું હોય.” ધીરુભાઈ – જેમનું ઉપનામ ‘સવ્યસાચી’ હતું – વિષે કહેવાયેલા આ શબ્દો આ પુસ્તક અંગે પ્રકાશક સંસ્થા ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, પુસ્તકના સંપાદક મણિલાલ હ. પટેલ, અને સહ સંપાદક નલિની દેસાઈ માટે પણ કહી શકાય તેમ છે.

સૌજન્ય : ‘બુકમાર્ક’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, “ગુજરાતમિત્ર”, 04 અૉગસ્ટ 2014

Loading

કોંકણી કરે તે આપણે કેમ ન કરી શકીએ?

દીપક મહેતા|Opinion - Literature|4 August 2014

ગુજરાતી છાપાંઓને તો આવા સમાચારોમાં રસ ક્યાંથી પડે?

પણ થોડા દિવસ પહેલાં અંગ્રેજી છાપામાં ય ખૂણેખાંચરે એક સમાચાર છપાયા હતા. મેંગલોર ખાતે વર્લ્ડ કોંકણી સેન્ટરની એક બેઠક મળી હતી. તેમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે કોંકણી ભાષામાં પ્રગટ થયેલાં બધાં પુસ્તકો એકઠાં કરવાં અને તેમને સ્કેન કરીને ડીજિટલ ફોર્મમાં મૂકવાં, જેથી હવે પછીની પેઢીઓ માટે આ ગ્રંથભંડાર સચવાઈ રહે. કર્ણાટક, ગોઆ, અને કેરળમાંથી આવેલા કોંકણી ભાષાના લેખકો, વિદ્વાનો અને સંશોધકોએ આ બેઠકમાં ભાગ લીધો હતો.

અલબત્ત, આવાં કામ તબક્કાવાર જ કરવાં પડે. એટલે સૌથી પહેલાં મૌખિક સાહિત્યને લિખિત રૂપે રજૂ કરતાં પુસ્તકો (એટલે કે સાદી ભાષામાં કહેવું હોય તો લોકસાહિત્યનાં પુસ્તકો, પ્રાચીન ગ્રંથોને આધારે લખાયેલા ગ્રંથો, છેલ્લાં એક સો વર્ષમાં પ્રગટ થયેલાં અને ‘ક્લાસિક’નો દરજ્જો પામેલાં પુસ્તકોને આ યોજના હેઠળ આવરી લેવાશે. આ દિશામાં કેન્દ્ર સરકાર પણ કામ કરવાની છે, પણ તેની રાહ જોયા વગર આ સંસ્થાએ પોતે કામ શરૂ કરવાનું નક્કી કર્યું છે. બીજો મહત્ત્વનો નિર્ણય એ લીધો છે કે આ બધાં પુસ્તકોને માત્ર ડીજિટલ સ્વરૂપે જ ન સાચવતાં તેની સાથોસાથ ‘વોઈસ-ઓવર’ ટેકનિકનો પણ ઉપયોગ થશે. એટલે કે એ પુસ્તકો માત્ર વાંચી જ નહિ શકાય, સાથોસાથ સાંભળી પણ શકાશે. (આ ટેકનિકમાં માનવ-અવાજમાં રેકોર્ડીંગ કરવાની જરૂર નથી હોતી. કમ્પ્યુટરના સ્ક્રીન પર જે લખાણ હોય તે સોફ્ટવેરની મદદથી સાંભળી શકાય. આમ કરવું એટલા માટે જરૂરી છે કે અત્યારે કોંકણી ભાષા એક નહિ પણ ચાર જુદી જુદી લિપિમાં લખ્યા-છપાય છે : દેવનાગરી, કન્નડ, મલયાલમ, અને રોમન. પણ તેને પરિણામે ભાષા એક જ હોવા છતાં બધા કોંકણીભાષીઓ બધાં કોંકણી પુસ્તકો વાંચી શકતા નથી. વોઈસ-ઓવરને પ્રતાપે આ મુશ્કેલી દૂર થશે. ઉપરાંત અંધ જનો, બાળકો, નિરક્ષર લોકો વગેરેને પણ આ સગવડથી લાભ થશે.

છેલ્લા કેટલાક દાયકાથી જ કોંકણી ભાષા ઠરીઠામ થઈ છે. આજે તો તે ગોઆની રાજ્યભાષા છે, પણ અગાઉ પોર્તુગીઝ શાસન દરમ્યાન કોંકણી ભાષાને દબાવી દેવાના વ્યવસ્થિત પ્રયત્નો સરકારી રાહે થયા હતા. બાકીના દેશ કરતાં ગોઆને આઝાદી મોડી મળી. તે પછી કેટલાંક વર્ષો મરાઠી ભાષા સાથે ઝગડો ચાલ્યો. તે વખતે મરાઠીભાષીઓ કોંકણીને અલગ ભાષા તરીકે જ સ્વીકારવા તૈયાર નહોતા. તેમનું કહેવું હતું કે કોંકણી તો મરાઠીની એક બોલી છે. આની પાછળનું એક કારણ એ હતું કે જો આ વાત સ્વીકારાય તો ગોઆ મહારાષ્ટ્રનો ભાગ બને. પણ પહેલાં દિલ્હીની સાહિત્ય અકાદેમીએ અને પછી દેશના બંધારણે કોંકણીને અલગ ભાષાનો દરજ્જો આપ્યો. બીજો ઝગડો ચાલ્યો લિપિ અંગેનો. ચારે લિપિવાળાઓ પોતપોતાની તરફ આ ભાષાને ખેંચવા માગતા હતા. પોર્ટુગીઝ શાસનનો અંત આવ્યો તે પછી રોમન લિપિમાં કોંકણી લખવાનું તો ઘણું ઓછું થઇ ગયું. પણ બાકીની લિપિઓ ચાલુ રહી. દેવનાગરી જ તેની સત્તાવાર લિપિ હોવી જોઈએ એવી માંગ ઊઠતી રહે છે, પણ લોકો આજે પણ જુદી જુદી લિપિ વાપરે છે. મરાઠી કે ગુજરાતીની સરખામણીમાં કોંકણીમાં પુસ્તકો, છાપાં, સામયિકો, વગેરે ઘણી ઓછી સંખ્યામાં પ્રગટ થાય છે. અને આમ થાય એ સ્વાભાવિક છે, કારણ કોંકણી બોલનારાઓની સંખ્યા આજે પણ પચ્ચીસ લાખ કરતાં વધારે નથી. આવી બધી મુશ્કેલીઓનો સામનો કરીને આજે હવે કોંકણી ભાષા પગભર થઈ છે. અને તે આવતી કાલનો વિચાર કરીને ટેકનોલોજીનો ઉપયોગ કરવા તત્પર થઈ છે.

પણ ખરી મજાની વાત તો હવે આવે છે. મેંગલોરમાં જે બેઠક મળી તેના પ્રમુખસ્થાને કોણ હતું? જાણીતા ઉદ્યોગપતિ અને આઈટી નિષ્ણાત ટી.વી. મોહનદાસ પાઈ. અને જે યોજના ઘડાઈ છે તેમાં તેમનો મોટો આર્થિક ટેકો પણ રહેવાનો છે. હા, આપણા કેટલાક દાઢીવાળા ખેરખાંઓ ચીસ પાડશે : ભાષા-સાહિત્યના કામમાં તે વળી ઉદ્યોગપતિનું શું કામ? ભાષા અને સાહિત્ય માટે શું સારું, શું નરસું, શું કરવું, શું ન કરવું એ નક્કી કરવાવાળા અમે બેઠા નથી, તે ઉદ્યોગપતિઓના ખોળામાં બેસવાનું? પણ જરા વિચાર કરો.

ફોર્બ્સની યાદી પ્રમાણે ભારતના ટોચના દસ ધનવાનોમાંથી પાંચ ગુજરાતી છે. આ પાંચે સ્કૂલ-કોલેજ, હોસ્પિટલો, મંદિરો બંધાવે છે, તેના પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે. પણ ગુજરાતી ભાષા-સાહિત્ય માટે કોઈએ એક પણ નક્કર કામ કર્યું? કોઈએ નવી લાયબ્રેરી ઊભી કરી? અરે, નવીની વાત જવા દો, કોઈ લાયબ્રેરીને દત્તક લીધી? ગુજરાતી પુસ્તકો, સામયિકો વેચવા માટેની સગવડ પોતાનાં વેચાણ-કેન્દ્રો પર આપી? હા, જલસા જેવા સાહિત્યના કે સંગીતના કાર્યક્રમો માટે પૈસા આપે, સુવિનરોમાં કે સામયિકોમાં જાહેર ખબરના ટુકડા ફેંકે, પણ ભાષા કે સાહિત્યનું નક્કર કામ કરવામાં કોઈએ ક્યારે ય રસ લીધો? કેમ? બધો વાંક એમનો નથી. ‘ભાષા-સાહિત્યવાળાઓ’નો પણ છે.

ગુજરાતીને કોઈ મોહનદાસ પાઈ મળશે? ક્યારે? કોંકણી કરે તે આપણે કેમ ન કરી શકીએ?      

સૌજન્ય : ‘ડાયરી’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, “ગુજરાતમિત્ર”, 04 અૉગસ્ટ 2014

Loading

...102030...3,9113,9123,9133,914...3,9203,9303,940...

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved