Opinion Magazine
Number of visits: 9552436
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Where do Ram and Allah Live?

Ram Puniyani|English Bazaar Patrika - OPED|14 June 2015

Indian Prime Minister Narendra Modi has made it a point to keep visiting temples when visiting other countries. His visit to Dhakeshwari Mandir and Ramkrishna Math in Bangla Desh were part of his itinerary (June 2015). On the heels of this he is planning to visit the oldest mosque in India. This happens to be Cheraman Jama Masjid in Thrissur in Kerala. Contrary to the present perception and propaganda that Islam came to India with Muslim kings with sword in one hand and Koran in the other, the initial Islam in India came via the Arab traders in Kerala to begin with. It is due to this that the first mosque in India came up in Kerala. Wikipedia gives the brief history of this mosque. There were trade relations between India and Arabia. Arabian trader used to come to Malabar Coast even before the advent of Islam. With the rise of Islam in Saudi Arabia, the traders brought this faith with them. “Cheraman Perumal, the Chera king, went to Arabia where he met the Prophet and embraced Islam and changed his name to Tajuddin. From there he had sent letters with Malik Ibn Dinar to his relatives in Kerala, asking them to be courteous to the latter. In the 7th Century, a group of Arabs led by Malik Bin Deenar and Malik bin Habib arrived in north Kerala and constructed a Masjid at Kodungalloor, naming it after their contemporary Cheraman Perumal.

This interesting peep in to the history; when the issues related to mosque, church and temple is very much in the air; should help us to delink religion from politics. Modi’s associates within BJP and with RSS family (Sakshi Maharaj and the like) have begun asserting that Ram Temple will be built soon at the site where Babri Mosque was demolished. As Modi led NDA Government came to power we witnessed a series of attacks on Churches in Delhi, which many tried to pass off as series of thefts, despite the fact that not much was stolen; only damages were there, religious symbols were desecrated. The trend continues. In Atali in Haryana the violence was unleashed and the half built mosque was destroyed. In Rajagir (Bihar) the issue of holy place is being raked up. Subramniam Swami of BJP is facing a court case for saying that Temple is a holy place but mosque is not a holy place.

The communal politics has been built around the issues related to identity. Even during freedom movement when the communal streams (Muslim League-Hindu Mahasabha-RSS) came up the issues related to pig in the mosque and beef in temple were made the pretext of violence. In Independent India the story begins with Ram Temple issue in the decade of 1980s when BJP made it a political issue. Its seeds were sown in 1949 when some miscreants installed Ram Lalla Idol in the mosque. The rest is history. The culmination of this has been that the Allahabad High Court gave the verdict on the ownership of land on the grounds of faith of majority community, and divided it into three parts. The judgment was a precedent of sorts as faith became the base of judgment. The matters are pending in Supreme Court but to keep the pot boiling VHP-BJP has started making noises for construction of temple.

There is a long trajectory of incidents related to mosque-temple-dargah. Disputes have been constructed around them systematically. In Karnataka the Baba Budan Giri dargah was claimed to be the Datta Peetham. In Hyderabad near Charminar, Bhgyalaxmi temple is gradually being extended to be dangerously close to the Charminar. In Madhya Pradesh Kamaal Maula Masjid in Dhar has been claimed to be Bhojshala. In most of these places the campaigns were launched and polarization around these was brought in leading to electoral benefit to BJP at most of the places.

Historically it is amusing to see that while kings had diverse policies towards the holy places, the communal historiography which became prevalent looked at Muslim kings as destroyers of temples. This irrespective of the fact the Kings were there to rule primarily for power and wealth, religion being incidental to their policies. Emperor Asoka was the only king who worked for spreading his religion, Buddhism. Kings also could not rule just on the strength of sword and had to respect the faith and feelings of their subjects. That’s how we see that Babar in his will to Humanyun writes “Son, this Nation Hindusthan has different Religions. Thank Allah for giving us this Kingdom. We should remove all the differences from our heart and do justice to each community according to its customs. Avoid cow-slaughter to win over the hearts of the people of this land and to incorporate the people in the matters of administration. Don’t damage the places of worship and temples, which fall in the boundaries of our rule. Evolve a method of ruling whereby all the people of the kingdom are happy with the King and the King is happy with the people.”

Tipu Sultan got the temple of Shrirangpatanam repaired after it was damaged due to the attack by Maratha armies. Primary cause of destruction of Somanth temple was the massive wealth kept there. Even Babri Mosque has been the pretext of biggest communal polarization in recent times. Hindu King Shivaji got a mosque built at the entrance of his fort in Raigadh. ## The clever British policy of introducing communal historiography and dividing the history into Hindu, Period, Muslim period and British period paid them rich dividends and the communal streams picked this version from their angles and this came in handy to incite the feelings of people.

Currently as India on one hand has claims for industrial growth and the figures of GDP are juggled to silence the critics, the fact is that India as a country is very low on the index of human development and per capita calorie consumption by large section is declining. At such a time the issues around temple and a mosque are a definite derailing of the priorities of the society. Lately many from RSS stable have been making damning statements about holy places. Yogi Adityanath of BJP said that non Hindus should not be permitted in Haridwar’s ghats. Somanth trust is barring the entry of non Hindus into the temple. Such attempts will be a great detriment to our social practices which have united the society. People from different religions keep visiting places of all the faiths. These are practices where people overcome the religious divides in practice. These will weaken the fraternity which is integral part of our values.

While watching the TV debates on Ayodhya temple-mosque issue, one can see VHP spokespersons beating their breast that Lord Ram has to live in the tent, while he deserves to live in the Bhavya (great) temple. Here is the question, contrary to the belief of communal forces; for most of the medieval saints; the place of worship was within one’s own heart and soul. The identity issues have been brought to the fore by communal forces for their own vested interests. What we need is not the issues related to identity but struggle for a society which wants to see that all its citizens have bare minimum facilities, food clothing, shelter, employment health and dignity.

Lord Ram and Allah are almighty and the mortals like us, including the breast beaters from communal formations, should prefer to see that the housing is provided to all the mortals, ordinary people so that they don’t have to live on the pavements-slums and suffer the ignominy. Can one hope that rather than presenting the past in a one sided; divisive manner we look at the story from all the angles, and put forth the rational one. We need to cultivate our faith for well being of all our society as a whole on the lines of Vasudhaiva Kutumbkam. 

Loading

મેગી મોડલની મોકાણ

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|14 June 2015

અનેક લોકોની મનપસંદ એવી મેગીમાં ઝેરી તત્ત્વોનું પ્રમાણ ઘણું ઊંચું હોય છે, એવા અહેવાલો બાદ લોકોનો તેના પ્રત્યે મોહભંગ થઈ રહ્યો છે. મેગીના વિવાદે રાતોરાત રાષ્ટ્રીય મુદ્દાનું સ્વરૂપ ધારણ કરી લીધું છે અને હવે તો દેશમાં ભાગ્યે જ કોઈ એવું રાજ્ય બચ્યું છે, જેણે મેગી નૂડલ્સ પર પ્રતિબંધ નથી મૂક્યો. પાણીજન્ય રોગો અટકાવવા દરેકને સ્વચ્છ જળ અને મચ્છરજન્ય રોગો અટકાવવા દરેકને મચ્છરદાની તેમ જ આરોગ્યની સુવિધા આપવાના પ્રયાસ અને પ્રતિબદ્ધતામાં ઊણી ઊતરતી સરકારોએ મેગી પર પ્રતિબંધ લાદીને બે મિનિટમાં પ્રસિદ્ધિ મેળવી લીધી છે. અલબત્ત, આ વિવાદને કારણે આપણા ખાદ્યપદાર્થોનાં ધારાધોરણો સુધરશે તથા તેનો કડક અમલ થશે કે નહીં, એ કહેવું મુશ્કેલ છે, છતાં લોકોમાં જે જાગૃતિ પેદા થઈ છે, એ વિવાદનું સૌથી શ્રેષ્ઠ ફળ છે.

મેગી વિવાદ તો અત્યારે ઊભો થયો પણ તમારી જાતને સવાલ પૂછજો, શું મેગી નૂડલ્સ કે બજારમાં મળતી આવી અન્ય ખાદ્યસામગ્રીઓ આરોગ્યપ્રદ જ હોય છે, એવી આપણને કદી ખાતરી હતી? ના, મેગી જેવી વસ્તુઓ આરોગ્યપ્રદ છે, એવું કદાચ આપણામાંના કોઈ માનતા નહોતા અને છતાં મેગીએ માર્કેટમાં મેદાન માર્યું હતું. મેગી વિવાદ નિમિત્તે મેગીના સફળ માર્કેટિંગ મોડલ અંગે વિચાર કરતાં જણાય છે કે આજકાલ આપણા સમાજમાં મેગી મોડલ જ બધે મેદાન મારી રહ્યું છે. સમાજના દરેક ક્ષેત્રમાં મેગી મોડલની સફળતા જોતાં આ અંગે ઉપરછલ્લી ચિંતા અને ચિંતન માત્ર નહીં, પણ સામાજિક મનોમંથન કરવું જરૂરી બન્યું છે. મેગી મોડલની સફળતાનાં રહસ્યોમાં જ આપણી સામાજિક ઊણપોની પોલ પણ ખૂલતી જોવા મળે છે, એના અંગે થોડો વિચાર કરીએ.

'માત્ર બે મિનિટ'નો મોહ :

જમાનો હવે ઇન્સ્ટન્ટનો આવ્યો છે, એવું કહેવાય છે પણ વાસ્તવિકતા એ છે કે લોકો પહેલાં કરતાં વધારે અધીરા બન્યા છે અને આળસુ પણ. મેગી બે મિનિટમાં બની જાય પણ કેટલા દિવસે પચે કે પછી જીભને ગમે છે, પેટની શું હાલત કરે છે, એવો વિચાર બહુ ઓછા લોકો કરે છે અને એનો ફાયદો મેગી મોડલને મળતો હોય છે. આપણને રસોઈ બનાવવાની જ નહીં પણ જાણે વિચારવાની પણ આળસ ચડે છે. કોઈ વસ્તુ, વિચાર કે વ્યક્તિ વિશે અધિકૃત માહિતી મેળવવાની કે તથ્ય ચકાસવાને બદલે આપણને કોઈ કહે એ માની લેવાનું કે કોઈ કરે એમ કરી નાખવાનો આસાન માર્ગ વધારે માફક આવતો હોય છે. આ માર્ગ આસાન હોય છે, સાથે સાથે આત્મઘાતી પણ, એ રખે ભુલાય.

'ટેસ્ટ ભી હેલ્થ ભી'નો વાયદો :

અહીં આપણે વિચારવાનો મુદ્દો એ બને છે કે વરને તો એની માતા વખાણે જ, પણ આપણે એ વખાણને સાચા માની લેવાનું ભોટપણ શા માટે દાખવીએ. જો કે, પ્રચંડ પ્રચારમારાથી આપણી સાદી સમજ અને બુદ્ધિ બહેર મારી જતી હોય. એમાં ય સેલિબ્રિટી જ્યારે કોઈ પ્રોડક્ટની ભલામણ કરે ત્યારે આપણે તેમના 'ફેન' તરીકે એ ફેરવે તેમ ફરવા માંડતા હોઈએ છીએ. માર્કેટિંગનું ક્ષેત્ર હોય કે રાજકીય, આપણે ચટપટાં અને ખટમીઠાં સૂત્રો-નારા-જિંગલની જાળમાં ફસાઈ જતા હોઈએ છીએ, પણ એક જાગૃત વ્યક્તિ અને નાગરિક તરીકે પ્રચારમારાથી દોરવાયા વિના વિવેકબુદ્ધિથી વિચાર કરવાની તસદી લીધા વિના છૂટકો નથી.

'ઓથેન્ટિક ઇન્ડિયન ફ્લેવર'નો વઘાર :

મેગીની અમુક પ્રોડક્ટ પર 'ઓથેન્ટિક ઇન્ડિયન ફ્લેવર' લખેલું વાંચવા મળે છે. મેગી જેવી વિદેશી કંપનીઓ જ નહીં તમામ ક્ષેત્રના ધુરંધરો જાણે છે કે આપણને દેશ-સંસ્કૃિત-ધર્મ-સંપ્રદાય-પ્રદેશ-ભાષા વગેરે બાબતોના ગૌરવ અને અસ્મિતાનો એટલો નશો છે કે આપણે એ નશામાં કોઈને મારવા કે મરવા જ નહીં ખરીદવા પણ ઊમટી પડીએ! કંપનીઓ કે સ્થાપિત હિત ધરાવનારા આપણા ગૌરવ-અસ્મિતાને ખોટી રીતે પંપાળતા રહે છે અને પોતાનું કામ કઢાવતા રહે છે.

પ્રચારના પૂરમાં તણાતા સત્યને આપણી સભાનતા અને સક્રિયતાથી જ બચાવી શકાશે. વળી, સત્ય ટકશે તો જ આપણે ટકવાના છીએ, ખરુંને?

e.mail : divyeshvyas.amd@gmail.com

સૌજન્ય : ‘સમય-સંકેત’ નામક લેખકની કોલમ, “સંદેશ”, ૧૪ જૂન 2015

Loading

શબ્દોની દુનિયા અને દુનિયાના શબ્દો

તેજસ વૈદ્ય|Opinion - Opinion|10 June 2015

બીરિયાની અને સેલ્ફી શબ્દો હવે ફ્રેન્ચ ડિક્શનરીમાં સ્થાન પામ્યા છે. એવી જ રીતે પાપડ શબ્દને ઓક્સફર્ડની ઇંગ્લિશ ડિક્શનરીમાં સ્થાન મળ્યું છે. આપણો ગુજરાતી શબ્દ ખીચડી ઓલરેડી ઓક્સફર્ડ ડિક્શનરીમાં છે. દરેક ભાષામાં જ્યારે નવા શબ્દો ઉમેરાય છે ત્યારે એ ભાષા વધુ ખીલે છે. એવી જ રીતે લુપ્ત થયેલા શબ્દો પણ જો ફરી વાત-વપરાશમાં આવે તો ભાષા લાઇવ બને છે. શબ્દોની નવી-જૂની દુનિયામાં ચાલો ત્યારે…

નદીને કાંઠે સેલ્ફી. વર્ષો પછી મળેલા જૂના પાડોશી રાકેશઅંકલ સાથે સેલ્ફી. ઊભી બજારે સેલ્ફી. લાંબી શેરીમાં સેલ્ફી. લોકલ ટ્રેનમાં દોસ્તો સાથે સેલ્ફી. સીટી બસમાં ગર્લફ્રેન્ડ સાથે સેલ્ફી. કોલેજના વાર્ષિક ફંક્શનમાં ગ્રૂપ સેલ્ફી. ટૂંકમાં, સેલ્ફી … સેલ્ફી … સેલ્ફી. હજી ગઈ કાલે આવેલો સેલ્ફી શબ્દ આજે એટલો પ્રચલિત થઈ ગયો છે કે જાણે બાપદાદાના વખતથી એ આપણી વચ્ચે હતો. સેલ્ફી સાવ નવો શબ્દો છે અને જો સર્વે કરવામાં આવે તો હાલમાં સૌથી વધુ બોલાતો શબ્દ પણ કદાચ એ જ હશે. વડાપ્રધાનથી લઈને વડાપાંવ વેચનારાને જોડતું કોમન ફેક્ટર આ શબ્દ છે.

 દરેક શબ્દ એક નવું વિશ્વ લઈને આવે છે. લોકોની વચ્ચે હળીભળી જતો શબ્દ ક્યાંથી આવે છે એ મોટા ભાગના લોકોને ખબર નથી હોતી. એ જ બોલીની મજા છે. એ જ ભાષાની મજા છે. વાત થઈ રહી છે નવા શબ્દોની. ડૂબું ડૂબું થવાને આરે હોય ને ફરી ઉપયોગમાં આવીને હિટ થઈ ગયા હોય એવા શબ્દોની તેમ જ બોલચાલમાં વપરાતા-ઉમેરાતા શબ્દોની.

ઇસ આદમીને મેરી ઝિંદગી 'ઝંડ' કર રખી હૈ

"અરે યાર, વાટ લાગી ગઈ છે", "ઝિંદગી હો ગઈ ઝંડ ફિર ભી નહીં ગયા ઘમંડ". જો તમે યુવાન હશો તો આ વાક્યો ક્યાંક ને ક્યાંક સાંભળ્યાં હશે. આ વાક્યોમાં ધ્યાન ખેંચે એવા બે શબ્દો છે, 'વાટ' અને 'ઝંડ'. ફિલ્મોમાં આ શબ્દોનો છુટ્ટે હાથે પ્રયોગ થાય છે. 'ઝંડ' શબ્દ બિહાર તરફનો છે. ભોજપુરી બોલીમાં તો 'ઝિંદગી ઝણ્ડવા ફિર ભી ઘમંડવા' નામની ફિલ્મ બની રહી છે, જેમાં નસીરુદ્દીન શાહ કામ કરે છે. ઉપરાંત, તાજેતરમાં રજૂ થયેલી ફિલ્મ 'તનુ વેડ્સ મનુ રિટર્ન્સ'માં કંગના રનૌત તેના પતિ માધવન માટે કહે છે કે, "ઇસ આદમીને મેરી ઝિંદગી ઝંડ કર રખી હૈ." ઝિંદગી ઝંડ હો ગઈ મતલબ ઝિંદગી ખેદાનમેદાન થઈ ગઈ છે. વાટ લાગી જવી એટલે મુસીબતના પહાડ તૂટી પડવા.

આવો જ એક અન્ય શબ્દ છે, 'દબંગ'. દબંગ શબ્દ ઉત્તર ભારતનો છે. એ લોકબોલીમાંથી લગભગ અદૃશ્ય થઈ ગયો હતો. સલમાન ખાનની એ ટાઇટલવાળી ફિલ્મ આવી એ સાથે જ એ શબ્દને નવજીવન મળ્યું. આજે દબંગ શબ્દ માત્ર ઉત્તર ભારતમાં જ નહીં પણ દેશભરમાં બોલાય છે. દબંગનો અર્થ થાય છે, લડાકુ, બહાદુર, બેફિકરો, કોઈનાથી ન ડરે એવો.

આવી જ રીતે ફિલ્મો દ્વારા જ પોપ્યુલર બનેલો નવો દેશી શબ્દ છે 'ટશન'. ટશનનો મતલબ એટીટયૂડ. ફિલ્મ 'અગ્નિપથ'માં અમિતાભ શું ટશનવાળો લાગે છે!

સેકન્ડ નહીં 'દ્વિતીય'

કોઈ પણ લોકપ્રિય નેતા, મેનેજર, એક્ટર, હાસ્ય કલાકાર હોવાની પહેલી શરત એ છે કે એ સારો કોમ્યુિનકેટર હોવો જોઈએ. એવું ત્યારે જ શક્ય બને જો એની પાસે વિશાળ શબ્દભંડોળ હોય. જેની પાસે સારું શબ્દભંડોળ હોય એ પોતાની વાણીથી પચાસમાં નોખો તરી આવે છે. અમિતાભ બચ્ચનની વિશેષતા એ છે કે તેમની શબ્દોની સૂઝ-સમજ અન્ય કલાકારો કરતાં અનેક ગણી સારી છે. તેઓ નવા નવા શબ્દપ્રયોગ કરતાં રહે છે. કૌન બનેગા કરોડપતિની સેકન્ડ સીઝન માટે 'દ્વિતીય' શબ્દ તેમણે આપ્યો હતો. 'કૌન બનેગા કરોડપતિ – દ્વિતીય' શબ્દ પછી તો એટલો પોપ્યુલર થવા માંડયો હતો કે કોઈ મેરેજ બ્યૂરોવાળા બીજી વખત સમૂહલગ્નનું આયોજન કરે તો 'દુલ્હા-દુલ્હન સમારોહ : દ્વિતીય' એવાં ટાઇટલ આપવા માંડયા હતા.

અમિતાભ બચ્ચન શબ્દોનું મહત્ત્વ સારી રીતે સમજે છે, કારણ કે તેઓ સાહિત્યને સારી પેઠે જાણે છે. સાહિત્ય પ્રત્યેનો આદર તેમને પિતા કવિ હરિવંશરાય દ્વારા વારસામાં મળ્યો છે.

"મેં મારી આખી જિંદગી શબ્દોને એ રીતે જોયા છે જાણે કે હું તેમને પહેલી વાર જોતો હોઉં."

"વિવેકવિહીન ઉપયોગને લીધે આપણા બધાયે શબ્દો તેની ધાર ગુમાવી બેઠા છે."

– મહાન કૃતિ 'ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી'ના લેખક અર્નેસ્ટ હેમિંગ્વે

યેડા, શાણા કૌઆ, દેઢ શાણા …

કેટલાક શબ્દો જે તે ગામ કે શહેરની પોતાની સ્પેિશયાલિટી દર્શાવતા હોય છે. જેમ કે, મુંબઈમાં વાતચીતમાં તમને શાણપટ્ટી કે શાણા કૌઆ શબ્દ વારંવાર સંભળાશે. "યે રાજાબાબુ અપને આપકો બહુત શાણા કૌઆ સમજતા હૈ, ઉસકી શાણપટ્ટી અબ ઝ્યાદા દિન નહીં ચલેગી." શાણપટ્ટી એટલે હોશિયારી અને શાણા કૌઆ એટલે ચતુર કાગડો. ડોઢ ડાહ્યા માટે 'દેઢ શાણા' ત્યાં બોલાય છે. એવી જ રીતે કોઈ બબૂચક માટે મુંબઈમાં ઝંડુ શબ્દ પોપ્યુલર છે. 'અરે! રમેશ તો એકદમ ઝંડુ હૈ.' એ સિવાય 'ખજૂર' અને 'ઢક્કન' શબ્દો પણ જાણીતા છે. મગજથી થોડો ફરેલો હોય એના માટે યેડા શબ્દ વપરાય છે. 'ચલ અબ તેરી યેડાગીરી બંધ કર'. કોઈ બડાશ હાંકતો હોય તો એને બંધ કરવા માટે મુમ્બૈયા ભાષામાં એને કહે છે કે 'ચલ અબ ઝ્યાદા રાગ મત દે.' રાગ એટલે બડાશ. ઉપરાંત, ખાલીપીલી, અપૂન-તપૂન, આયેલા-ગયેલા, ચલ કલ્ટી માર લે, પતલી ગલી સે નીકલ લે વગેરે શબ્દો પણ ટિપિકલી બમ્બૈયા છે, જે ફિલ્મોમાં અવારનવાર સાંભળવા મળે છે.

આપણી ભાષાઓમાં નવા શબ્દો ઝટ પ્રચલનમાં નથી આવતા. વિદેશમાં નવા નવા શબ્દો શોધવાનું અને એને ઉપયોગમાં લેવાનું પ્રમાણ વધારે છે. એની ડિક્શનરીઓ તૈયાર થાય છે. કેટલાક નમૂના જોઈએ.

'ડ્રિંકસ્પિરેશન' આ શબ્દ ડ્રિંક અને ઇન્સ્પિરેશનના સરવાળાથી બન્યો છે. ડ્રિંક એટલે ચા, કોફી ન હોય એ તો તમે સમજતાં જ હશો. ઇન્સ્પિરેશન એટલે પ્રેરણા. આપણે ત્યાં જેમ ચા પીધા વિના કામે ચઢતો ન હોય એવો વર્ગ મોટો છે એમ વિદેશમાં કેટલાંક એવા ય લોકો હોય છે કે જેઓ બે-ચાર પેગ ઠપકારે પછી જ તેમને કામનો કાંટો ચઢતો હોય છે. પછી જ તેમને કંઈક કરવાની પ્રેરણા મળતી હોય છે. એના માટે આ શબ્દ વપરાય છે. જેમ કે, એઝ અ રાઈટર આઈ કુડ નોટ રાઈટ એની વર્ડ ઓન પેપર અનટિલ આઈ હેડ ડ્રિંકસ્પિરેશન.

'બોયફ્રેન્ડ મની'. નવા નવા પ્રેમમાં પડેલા છોકરાઓને પોતાની પ્રેમિકા જેટલો જ ગમે એવો આ શબ્દ છે. જ્યારે બોયફ્રેન્ડ પાસે કામધંધો ન હોય એટલે કે પૈસા ન હોય ત્યારે તેની ગર્લફ્રેન્ડ તેના માટે જે પૈસા બચાવીને રાખે તેને બોયફ્રેન્ડ મની કહે છે. ટૂંકમાં, લવરના પૈસે લીલાલ્હેર !

'સાયબરલોફિંગ'. આ શબ્દ વિદેશી છે, પણ ભારતીયોને તંતોતંત લાગુ પડે છે. ઓફિસમાં કર્મચારી ઇન્ટરનેટનો ઉપયોગ ઓફિસવર્કને બદલે પોતાના અંગત વપરાશ માટે કરે એટલે કે ઓનલાઈન શોપિંગ, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ વગેરે કરે તો એને સાયબરલોફિંગ કહે છે.

'સાઇડવોક સાલ્સા'. આ શબ્દો બડા રોચક છે. સાઇડવોક એટલે ફૂટપાથ અને સાલ્સા એટલે ડાન્સનો એક પ્રકાર. ફૂટપાથ પર ચાલતાં જતાં લોકોની ખૂબ ભીડ હોય અને બે જણા એકબીજાથી આગળ નીકળી જવા માટે હુંસાતુંસી કરે એને સાઇડવોક સાલ્સા કહે છે. આપણે ત્યાં રસ્તા પર બે વાહનો એકબીજાથી આગળ નીકળી જવા માટે સાઇડવોક સાલ્સા કરતાં હોય છે. બે એક્ટરની એકબીજા સાથેની હરીફાઈ સાઇડવોક સાલ્સા જેવી હોય છે. દીપિકા પાદુકોણ અને કંગના રનૌત વચ્ચે કોણ આગળ નીકળી જાય એ માટેની સાઇડવોક સાલ્સા ચાલી રહી છે.

'પ્લેટોનિક જેલસી'. પ્લેટોનિક લવ શબ્દ તો આપણે સાંભળ્યો છે. જેનો અર્થ થાય છે વાસના રહિત નિર્મળ પ્રેમ. જેલસી એટલે કે ઈર્ષ્યા. ઈર્ષ્યા ક્યારે ય નિર્મળ કેવી રીતે હોઈ શકે ! પ્લેટોનિક જેલસી એટલે માનસીને રોહન ગમતો હોય અને રોહન પ્રિયંકા સાથે વારંવાર જોવા મળે તેથી માનસીને જે ઈર્ષ્યા થાય એને પ્લેટોનિક જેલસી કહે છે. પ્લેટોનિક અને જેલસી બે અત્યંત વિરોધી શબ્દો છે, પણ બે વિરોધી શબ્દો મળીને એક નવો શબ્દ બને છે જેનો અર્થ એ બંને શબ્દો કરતાં અલગ છે. ભાષાની આ જ તો મજા છે. આપણી ભાષામાં આ પ્રકારનો જ એક શબ્દ છે, 'મીઠી ઈર્ષ્યા'. જેનો મતલબ પ્લેટોનિક જેલસીથી અલગ છે અને તમને ખબર જ હશે.

આવી જ રીતે આપણે ત્યાં જેમ 'આરંભે સૂરા' એવો શબ્દપ્રયોગ છે એવો જ શબ્દ ચીનમાં પણ બોલચાલમાં વપરાય છે, 'થ્રી મિનિટ પેશન'. કોઈને તબલાં શીખવાની ઇચ્છા થાય ને પૈસા ખર્ચીને તાબડતોબ તબલાંની જોડ લઈ આવે. પછી બે-ચાર દિવસ પ્રેક્ટિસ કરે ને એ પછી તબલાં બિચારા ધૂળ ખાતાં હોય. આ પ્રકારનું પેશન એટલે કે સૂરાતન ધરાવતી વ્યક્તિ માટે થ્રી મિનિટ પેશન કે આરંભે સૂરા એવું કહેવાય છે.

'વાઇટલાઈન ફીવર'. ના, આ ટાઢિયા તાવનું અંગ્રેજી નથી. વાઇટલાઈન ફીવર એટલે કોકેઇનનું વ્યસન. કોકેઇન વાઇટ રંગની હોય છે. માઈકલ હેઝ વાઇટલાઈન ફીવર. માઈકલને કોકેઇન વગર નથી ચાલતું. આપણે ત્યાં દેશી શરાબ માટે કન્ટ્રી લિકર એવો શબ્દ બોલાય છે.

સ્વામી આનંદની જૂની મૂડી એટલે શબ્દોની મોંઘેરી મૂડી

ગુજરાતી ભાષા પાસે લખલૂટ શબ્દભંડોળ છે. કેટલાંક જૂના શબ્દોનું ચાતુર્ય અને ચોટડૂકપણું એવું છે કે એને ફરી ચલણમાં લાવવાની જરૂર છે. આપણી ભાષામાં નવા શબ્દો ન આવે તો કંઈ વાંધો નહીં, પણ કેટલાંક જૂના જીવંત શબ્દો વાત-વપરાશમાં આવવા જોઈએ.

ગાંધીજીને જેમણે આત્મકથા લખવા માટે પ્રેર્યા હતા અને નવજીવન પ્રેસ જેમના થકી ઊજળિયાત હતો એવા સ્વામી આનંદે આપણને કેટલાંક અદ્દભુત શબ્દોનો પરિચય કરાવ્યો છે. તમે સ્વામી આનંદનું પુસ્તક 'ધરતીની આરતી' વાંચશો એટલે તેમની લેખનશૈલી પર ઓવારી જશો. 'જૂની મૂડી' નામના પુસ્તકમાં તો તેમણે ગુજરાતીની કહેવતો, રૂઢિપ્રયોગો અને નોખાનોખા શબ્દોનો સંગ્રહ રજૂ કર્યો હતો. એમાંના કેટલાંક શબ્દો માણવા જેવા છે. 'અઘળપઘળ' એટલે અવ્યવસ્થિત. કેશવલાલનું કામ હંમેશાં અઘળપઘળ જ હોય છે. અવ્યવસ્થિત માટે બીજો શબ્દ 'છગરછુંદ' છે. સરલાનું ઘર જુઓ તો છગરછુંદ બધું પડયું હોય. ડાયરી કે વાસરિકા કે રોજનીશી માટેનો અન્ય શબ્દ છે, 'રોજનામચો'.

ગીચ અને ઘનઘોર માટે 'અડાઝૂડ' જેવો શબ્દ પણ છે. અડાઝૂડ વનની વચ્ચે વનવાસનાં વર્ષો વિતાવીને રામ, સીતા અને લક્ષ્મણ અયોધ્યા પાછાં ફર્યાં હતાં. કપલ એટલે કે વર-વહુ માટે 'અલોઅલી' નામનો શબ્દ પણ છે. કશુંક અધૂરું રહી ગયું હોય તો એના માટે 'અવપૂર્યા' એવો શબ્દ છે. કેટલાંક સપનાં અવપૂર્યાં રહેવા માટે જ સર્જાયાં હોય છે. અવનવું માટે 'અવલનવલ' એવો શબ્દ છે. ચિંતન માટે 'અંતર રમણા' જેવો મજાનો શબ્દ છે. દાર્શનિક લોકો હંમેશાં અંતર રમણામાં જ મગ્ન હોય છે. કોઈ પણ વ્યક્તિ માટે સૌથી વધુ કઠિન તેનો અહમ્ ઓગાળવો હોય છે. અહમ્ છૂટવો એના માટેનો શબ્દ છે, 'આપાત્યાગ'. વાલિયા લૂંટારાનો આપાત્યાગ થયો અને વાલ્મીકિ કહેવાયો. નદીના કાંઠાને 'આરોઓવારો' પણ કહે છે. પરણવાલાયક થઈ હોય એવી કન્યા માટે 'ઉપવર કન્યા' એવો શબ્દ પણ પ્રયોજાતો હતો. જે જમીન પર કશું ઊગી શકે એમ ન હોય એવી જમીનને 'કજાડી' કહેવાય છે. માંદગી ધીમે પગે આવે તો એના માટે 'કસરપસર' એવો શબ્દ છે. રમેશભાઈને બે દિવસથી નબળાઈ છે. તાવ કસરપસર હોય એવું લાગે છે. તકવાદી ત્યાગ કરનાર કે ત્યાગવૈરાગનો દંભ કરનારા માટે 'ગધેડિયો સંન્યાસ' એવો શબ્દ છે. અત્યંત ઉતાવળ કરનારા માટે 'ઘસડઘાઈ' એવો શબ્દ છે. માલતી સાથે બહાર નથી જવું, એ ભારે ઘસડઘાઈવાળી છે. સો વાતની એક વાત એ કે સ્વામી આનંદનો શબ્દસંગ્રહ જૂની મૂડી ખરેખર મોંઘેરી મૂડી છે. વટ પાડવો હોય તો એમાંથી કેટલાંક અજાણતલ શબ્દો વીણીને વાત વાતમાં બે માણસ વચ્ચે કહેવા જેવા છે.

'કુલડીમાં રાંધ્યું ને કોડિયામાં ખાધું'. ચપટીક રાંધવું ને ચપટીક ખાવું એના માટે આ કહેવત છે. એ સમજાવતાં સ્વામી આનંદ કહે છે કે, "આજકાલના માણસોનાં ચકલાંચકલી જેવાં પોપલાં ખાનપાન, જેમાં એક પણ અતિથિ – આગંતુક ન સમાય."

આપણી ભાષામાં મજાની વાત જ એ છે કે બાર ગાઉએ બોલી બદલાય છે, તેથી શબ્દોની છપ્પનવખારી આપણા પ્રદેશમાં છે. ક્યાંક ખાંડને સાકર કહેવામાં આવે છે તો ક્યાંક મોરસ. કેટલાંક ગામડાંમાં તો કાવડિયાને એટલે કે રૂપિયાને બાજરો કહેવામાં આવે છે. મહિનો પૂરો થઈ ગ્યો ને બાજરો હાથમાં નથી આવ્યો.

ટૂંકમાં, તમે ય આવા જૂના શબ્દોને શોધો, નવા શબ્દોને પોંખો અને એનો વાતચીતમાં ઉપયોગ કરશો તો રોલો પડી જશે. બાય ધ વે, રોલો એટલે વટ!

ભાષા અને બાયોડાઇવર્સિટી વચ્ચે શું સંબંધ છે?

બાયોડાઇવર્સિટી (જીવવૈવિધ્ય) જેટલા પ્રમાણમાં ઓછી થાય છે એટલા જ પ્રમાણમાં ભાષા ઓછી થાય છે. દરેક ભાષામાં બાયોડાઇવર્સિટીનું જ્ઞાન હોય છે. હિમાલયની જેટલી બોલીઓ કે ભાષાઓ છે એ બધીમાં બરફ માટે આશરે ૧૬૦ શબ્દો છે. એસ્કિમો પાસે ૩૦ શબ્દો છે. બરફ ઉપરથી પડે અને કાદવવાળા પાણીમાં પડતો હોય તો એના માટે અલગ શબ્દ છે. બરફ પડતાં સમયે આકાશનો રંગ જો બ્લૂ હોય તો કિન્નોર ભાષામાં એનો અલગ શબ્દ છે. ઇકોલોજીનું વધુમાં વધુ જ્ઞાન જો કોઈ પાસે હોય તો બોલીઓ પાસે છે, ન કે શાસ્ત્રજ્ઞો પાસે. અને એ જ્ઞાન જ્યારે ભૂંસાતું જાય છે ત્યારે ઇકોલોજીનો પણ વિનાશ થાય છે. જે પ્રમાણે વૃક્ષો અને બાયોડાઇવર્સિટી ઓછી થાય એ જ પ્રમાણે ભાષા ઓછી થાય છે. અથવા ભાષા ઓછી થાય એ જ પ્રમાણે બાયોલોજિકલ ડાઇવર્સિટી – વૈવિધ્ય જતું રહેશે એ પછી દુનિયામાં માત્ર એક ભાષા, એક પહેરવેશ, એક પ્રકારે જમવાની રીત હશે. તમે રણમાં રહો કે હિમાલયમાં રહો.

— ગણેશ દેવી

(ભૂંસાતી જતી ભાષાઓનાં જતન અંગેના તેમના કામ માટે જેમને યુનેસ્કોનો પ્રતિષ્ઠિત લિંગ્વાપેક્ષ એવોર્ડ મળ્યો છે. તેમને પદ્મશ્રીથી સન્માનિત કરાયાં છે.)

e.mail :  tejas.vd@gmail.com

સૌજન્ય : ‘છપ્પનવખારી’ નામે લેખકની કોલમ, “સંદેશ”, 10 જૂન 2015

http://www.sandesh.com/article.aspx?newsid=3084762

Loading

...102030...3,7473,7483,7493,750...3,7603,7703,780...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved