‘એક સ્વપ્ન’
‘મેં અને તે એક સપનું જોયું,
ને સપનામાં એક મહેલ,
જેમાં અનેક ઓરડાઓ છે
બેડ રૂમ, ગેસ્ટ રૂમ, કિચન, લાઈબ્રેરી, હોલ,
ને વિશાળ બગીચો પણ ખરો !
તુ રાત દિવસ સંઘર્ષ કરે છે
આપણાં એ સપનાંને સાકાર કરવાં,
ને હું નિરાતે ઊંઘું છું ….
હા, ઊંઘું છું કેમ કે હું વિચારું છું કે,
અાપણો આ નાનકડો રૂમ જેમાં હું અને તું એક સાથે રહીએ છીએ,
હું જ્યારે રસોઈ બનાવું છું, છાપા વાચું છું, કે વોટ્સએપ જોઉં છું ત્યારે,
તું મારી નજર સામે રહે છે,
હું ઘરકામમાં વ્યસ્ત હોઉં છું તો પણ
તું મને નવલકથાઓ વાચીને સંભળાવે છે,
જે મને હંમેશાં તું મારી નજીક હોવાની પ્રતીતિ કરાવે છે.
મેં અને તેં આ નાનકડા રૂમની ચાર દિવાલોની વચ્ચે,
ચારે ય ખૂણાઓને કિચન, બેડ રૂમ, રિડીંગ રૂમ,
ને બેઠક રૂમમાં ગોઠવી ને,
એક મોટો મહેલ ઊભો કર્યો છે.
બસ, એક વિચાર માત્રથી હું,
નિરસ બની જાઉં છું
કે આપણે જોયેલાં એ સપનાનાં મહેલમાં,
આટલી બધી ખુશીઓ મળશે ખરી !!
e.mail : anjaliparmar@ymail.com
![]()


ફેબ્રુઆરી 1979માં બ્રિટન આવી. એ વાતને ત્રણ દાયકાને માથે છ વર્ષ પૂરાં થયાં. જીવન રાહ પર ચાલતાં-દોડતાં, પડતાં-આખડતાં હવે જ્યારે ગતિ થોડી ધીમી પડી છે, ત્યારે ‘નિવૃત્તિ પછી ક્યાં જશું અને શું કરશું?’ એ વિચારોએ ઘેરો ઘાલ્યો છે. વિદેશને ક્યારથી ‘પોતાનું બીજું ઘર’ માનતી થઈ, એનું ઓસાણ નથી પણ અનેક વખત ‘ન યયૌ ન તસ્થૌ’ (નથી રહી, નથી ગઈ) જેવી દ્વિધા અનુભવ્યાનું યાદ છે. મહાકવિ કાલીદાસે એમની કૃતિ ‘કુમારસંભવ’માં શિવ-પાર્વતી વચ્ચેના સંવાદ દરમ્યાન પાર્વતીજી શિવજી પ્રત્યે રોષપૂર્ણ નજર નાખતાં જવા લાગ્યાં ત્યારે શિવજીને ભ્રમ થયો કે પાર્વતીજી ગતિ પણ કરી રહ્યાં છે અને સ્થિર પણ છે; એ ન ઊભાં છે કે ન જાય છે.