Opinion Magazine
Number of visits: 9768640
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મન કા ગોતાખોર ડૂબ ગયા ઉભરકર

વિશાલ શાહ|Opinion - Opinion|9 January 2017

આજે કોઈ પ્રાંતીય ભાષાની નવલકથાની પણ એકાદ લાખ નકલો નથી છપાતી અને તેનો ૧૯ ભાષામાં અનુવાદ થાય એ તો બહુ દૂરની વાત છે. 'આજ ભી ખરે હૈ તાલાબ' નામનું પુસ્તક તળાવો જેવા 'બોરિંગ' વિષય પર લખાયેલું હોવા છતાં આ સિદ્ધિ મેળવી શક્યું છે.

વર્ષ ૧૯૯૩માં પહેલીવાર હિંદીમાં પ્રકાશિત આ પુસ્તકની અત્યાર સુધી એક લાખથી પણ વધુ નકલો ખપી ગઈ છે. એન્વાયર્મેન્ટ નોન-ફિક્શન કેટેગરીમાં તો આ બહુ મોટી સિદ્ધિ છે. પાણીના મુદ્દે કામ કરતી દેશભરની સ્વૈચ્છિક સંસ્થાઓ માટે 'આજ ભી ખરે હૈ તાલાબ' 'હેન્ડબુક' સમાન છે. આ પુસ્તકનું મહત્ત્વ સમજીને નેશનલ બુક ટ્રસ્ટે તેનું ૧૩ ભાષામાં પ્રકાશન કર્યું છે અને બ્રેઈલ લિપિમાં પણ તે ઉપલબ્ધ છે. ફ્રાંસની પેરિસ યુનિવર્સિટીમાં પર્યાવરણ, પાણીની તંગી અને પાણીના સંગ્રહની પરંપરાગત રીતો જેવા અનેક વિષયોમાં તેનો અભ્યાસ કરાવાય છે. 'આજ ભી ખરે હૈ તાલાબ' અંગ્રેજીમાં આવ્યું એ પહેલાં તેનો ફ્રેંચમાં અનુવાદ થઈ ગયો હતો. આ પુસ્તકમાંથી પ્રેરણા લઈને મોરોક્કોના શાહે ત્યાંના રણપ્રદેશોમાં તળાવ બનાવીને પાણીનો સંગ્રહ કરવાની યોજના શરૂ કરી હતી. 'આજે પણ સાચાં છે તાલાબ' નામે ગુજરાતીમાં પણ આ પુસ્તક ઉપલબ્ધ છે, જેનો અનુવાદ દિનેશ સંઘવીએ અને પ્રકાશન ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન – નવી દિલ્હીએ કર્યું છે.

ઇતિહાસ ખોટો લખાય ત્યારે કેવા પરિણામો આવે?

'લાખો મેં એક' એવા આ પુસ્તકના લેખક અનુપમ મિશ્રનું ૧૯મી ડિસેમ્બર, ૨૦૧૬ના રોજ ૬૮ વર્ષની વયે નવી દિલ્હીમાં અવસાન થયું. તેઓ એક વર્ષથી પ્રોસ્ટેટ કેન્સરને હંફાવી રહ્યા હતા. 'આજ ભી ખરે હૈ તાલાબ' માટે તેમણે આઠ વર્ષ દેશભરમાં રઝળપાટ કરીને તળાવો વિશે માહિતી ભેગી કરી હતી તેમ જ રાજા-મહારાજાઓ અને અંગ્રેજોના જમાનાના ગેઝેટિયરો પણ ફેંદી નાંખ્યા હતા. મિશ્રનું માનવું હતું કે, અંગ્રેજો જે વિસ્તારોને સૂકાભઠ સમજતા હતા ત્યાં તો આપણે તળાવોની મદદથી પાણીની જરૂરિયાત સંતોષી જ લેતા હતા, પરંતુ કાળક્રમે વરસાદી પાણીનો સંગ્રહ કરવાની પ્રાચીન પદ્ધતિઓ આપણે ભૂલી ગયા!

આ મુદ્દો સમજાવતા મિશ્રએ 'આજ ભી ખરે હૈ તાલાબ'માં અંગ્રેજ રાજ વખતના એક ગેઝેટિયરનો ઉલ્લેખ કર્યો છે :  ''… તેમાં જેસલમેરનું વર્ણન ખૂબ જ બિહામણું છે. ગેઝેટિયરમાં લખ્યું છે કે, અહીં એક પણ બારમાસી નદી નથી. ભૂજળ ૧૨૫ ફૂટથી ૨૫૦ ફૂટ અને ક્યાંક ક્યાંક તો ૪૦૦ ફૂટ જેટલી ઊંડાઈએ છે, વરસાદ બહુ જ અલ્પ છે, માત્ર ૧૬.૪ સેન્ટીમીટર. છેલ્લાં સિત્તેર વર્ષના અધ્યયન અનુસાર વર્ષના ૩૬૫ દિવસોમાંથી ૩૫૫ દિવસો સૂકા હોય છે …''

છે. પરંતુ આ બધો હિસાબ-કિતાબ કેટલાક નવા લોકોનો છે. મરુભૂમિના સમાજે માત્ર દસ દિવસની વર્ષામાં કરોડ કરોડ બિંદુ જોયાં અને પછી એકત્ર કરવાનું કામ ઘેર ઘેર, ગામ ગામ અને પોતાના શહેરોમાં પણ કર્યું. આ તપશ્ચર્યાનું ફળ સામે દેખાય છે. જેસલમેર જિલ્લામાં આજે ૫૧૫ ગામો છે. એમાંથી ૫૩ ગામો કોઈને કોઈ કારણે ઉજ્જડ થયા છે, આબાદ છે ૪૬૨. આમાંથી કેવળ એક ગામ છોડીને એક્કએક ગામમાં પીવાના પાણીની સમૂચિત વ્યવસ્થા છે. વેરાન થઈ ગયેલા ગામોમાં પણ આ વ્યવસ્થા જોવા મળે છે. સરકારના આંકડા મુજબ જેસલમેર જિલ્લાનાં ૯૯.૭૮ ગામોમાં તળાવ, કૂવા અને અન્ય સ્રોત છે …''

આ મિશ્રનું તારણ છે. તેઓ અંગ્રેજોને સમજી-વિચારીને 'નવા લોકો' કહે છે. અંગ્રેજો અહીંની મુશ્કેલીઓ શું છે અને ભારતીયોએ તેનો શું ઉપાય શોધ્યો છે તેનાથી પૂરેપૂરા વાકેફ ન હતા. એટલે જ મિશ્ર કહે છે કે, રણપ્રદેશના સમાજે તો દસ દિવસના વરસાદમાં પણ પાણીની કરોડો બુંદ જોઈ અને તેને તળાવોમાં ભેગા કરીને પાણીનો પ્રશ્ન જ હલ કરી નાંખ્યો! ક્યા ખૂબ! મિશ્રે સાબિત કર્યું હતું કે, દેશના અનેક વિસ્તારોમાંથી પાણીની તંગી દૂર કરવાનો સૌથી સરળ અને સસ્તો ઉપાય તળાવો, સરોવરો, કૂઈ, કૂવા, વાવ, ટાંકા, કૂંડી અને ચાલ (પહાડી વિસ્તારોમાં જોવા મળતા ઢોળાવ ધરાવતા નાના કૂંડ) જ છે. નહેરોમાં તો નદીઓના વહેણ બદલીને પાણી લાવવામાં આવે છે, જ્યારે આ પરંપરાગત પદ્ધતિઓમાં વરસાદી પાણીનો સંગ્રહ કરાય છે. એટલે પર્યાવરણની દૃષ્ટિએ પણ  આ વધુ સારી પદ્ધતિઓ છે.

જૂના જ્ઞાનનું દસ્તાવેજીકરણ ના થાય અને જે તે પ્રદેશનો ઇતિહાસ 'બહારના લોકો' પોતાની દૃષ્ટિએ લખે ત્યારે આવા પરિણામો આવે!

તળાવની ભાષા એટલે ગજધર અને અંબુ તસ્કર

પાણી સાચવવાનું પરંપરાગત જ્ઞાન ખતમ થઈ રહ્યું હોવાથી સંસ્કૃિત અને ભાષાને પણ નુકસાન થઈ રહ્યું છે! આ વાત સમજાવતા મિશ્ર લખે છે કે, ''… તળાવ સ્વયં એક મોટું શૂન્ય છે. પરંતુ તળાવ કંઈ પશુની ખરીથી બનેલો એવો કોઈ ખાડો નથી કે જેમાં વરસાદનું પાણી પોતાની મેળે ભરાઈ જાય! આ શૂન્યને બહુ સમજી-વિચારીને, ખૂબ આયોજનપૂર્વક બનાવવામાં આવે છે. નાનકડાથી માંડીને તે એક મોટા સુંદર તળાવના કેટલા ય અંગ-પ્રત્યંગ હોય છે. દરેકનું એક વિશેષ કામ હોય છે. અને દરેકનું એક વિશેષ નામ પણ. તળાવની સાથે સાથે એને બનાવનારા સમાજની ભાષા અને બોલીનો એ સમૃદ્ધ પુરાવો હતો. પણ જેમ જેમ સમાજ તળાવની બાબતમાં ગરીબ બન્યો છે, તેમ તેમ ભાષામાંથી પણ આ નામો, શબ્દો ધીરે ધીરે લુપ્ત થતા ગયા છે…''

તળાવ બનાવનારને શું કહેવાય? મિશ્ર પાસે જવાબ છે :  ‘'… ગજધર એક ખૂબ જ સુંદર શબ્દ છે, તળાવ બનાવનારાઓને આદર સહિત યાદ રાખવા માટે. રાજસ્થાનના કોઈ કોઈ ભાગમાં આ શબ્દ આજે પણ સાંભળવા મળે છે. ગજધર એટલે કે જે ગજને ધારણ કરે છે અને ગજ એ કે જે માપવાના કામમાં આવે છે. પરંતુ આમ છતાં સમાજે તેમને માત્ર ત્રણ હાથની લોઢાની છડ લઈને ફરતો માત્ર મિસ્ત્રી કે કડિયો ન માન્યો. ગજધર તો સમાજનું ઊંડાણ માપી લે – એમને એવું સ્થાન અપાયું હતું …''

રાજસ્થાનમાં તો સૂરજ 'સોળે કળા'એ તપતો હોય છે. અહીં તળાવ બનાવીએ તો સૂરજ જ બધું પાણી ખેંચી લે, પરંતુ તળાવ એવી રીતે બનાવવામાં આવે છે, જેથી સૂરજના તાપમાં પાણીનું ઓછામાં ઓછું બાષ્પીભવન થાય. મિશ્ર આ મુદ્દો પણ સમજાવે છે :  ''… તપતો સૂરજ તળાવનું એ બધું પાણી ખેંચી લેશે. કદાચ તળાવના સંદર્ભમાં જ સૂરજનું એક વિચિત્ર નામ અંબુ તસ્કર (પાણી ચોર) રાખવામાં આવ્યું છે. ચોર હોય સૂરજ જેવો અને આગર એટલે કે ખજાનો હોય ચોકીદાર વિનાનો તો પછી ચોરી થવામાં વાર શું લાગે? આ ચોરીને અટકાવવા માટે પૂરતી કોશિષ કરવામાં આવે છે…''

તળાવનું પાણી અંબુ તસ્કરથી બચાવવા સદીઓ પહેલાં લોકો શું કરતા હતા? અરે, તળાવ બનાવવું, ભરાઈ જવું, ખાલી થવું, તેનું પાણી ઊલેચવું અને ખેતરો સુધી લઈ જવું – એ બધી જ ઘટનાઓ વખતે ભવ્ય ઉત્સવો ઊજવાતા અને એ બધું જ એક મહાન સંસ્કૃિતનો નાનકડો હિસ્સો હતા. આ બધું જાણવા માટે તો આ પુસ્તક જ ઘૂંટડે ઘૂંટડે પીવું પડે. કમનસીબે આજે ઘણું બધું લુપ્ત થઈ ગયું છે, થઈ રહ્યું છે.

આઝાદ ભારતે પોતાની મુશ્કેલીઓના ઉપાય શોધતી વખતે સ્થાનિક સંસ્કૃિત અને જ્ઞાનનું મહત્ત્વ જ ના સમજ્યું. એટલું જ નહીં, દરેક મુશ્કેલીનું 'ઈનોવેટિવ સોલ્યુશન' શોધવાના બદલે 'જુગાડ' કર્યો અને પોતાની જ સમૃદ્ધ સંસ્કૃિતનો મહદ્અંશે વિનાશ કર્યો, એ પણ આ પુસ્તકમાં 'બિટ્વિન ધ લાઈન્સ' વાંચવા મળે છે.

જ્ઞાન આપવા પુસ્તકના કોપીરાઈટ ના લીધા

આમ, અનુપમ મિશ્રે અત્યંત રસાળ અને સીધીસાદી ભાષામાં, ફક્ત ૧૦૦ પાનાં અને નવ પ્રકરણમાં તળાવોનો નાનકડો એન્સાઇક્લોપીડિયા લખી નાંખ્યો છે. એટલે જ આ પુસ્તક પ્રકાશિત થયું ત્યારથી હજારો ખેડૂતો તે વાંચીને પાણીનો સંગ્રહ કરવાની પરંપરાગત રીતો અને તેની પાછળનું રહસ્ય શું હતું એ સમજી રહ્યા છે. એવું પણ કહેવાય છે કે, ભારતના અનેક અંતરિયાળ વિસ્તારો સુધી આ પુસ્તકની ફોટોકોપી પણ પહોંચી ગઈ છે! મિશ્રનો હેતુ આ જ હતો. એક લેખક માટે આનાથી મોટી સિદ્ધિ શું હોઈ શકે!

પાણીનો સંગ્રહ કરવાની પ્રાચીન પદ્ધતિઓ પર કરેલા સંશોધનમાંથી મિશ્રના હસ્તે વર્ષ ૧૯૯૫માં બીજું પણ એક સીમાચિહ્નરૂપ પુસ્તક જન્મ્યું, 'રાજસ્થાન કી રજત બુંદે'. મૂળ હિન્દીમાં લખાયેલું આ પુસ્તક પણ બીજી ભાષાઓમાં ઉપલબ્ધ છે. પરંતુ આ ભૂલાયેલું જ્ઞાન ઘરે ઘરે પહોંચે એ માટે મિશ્રએ એ બંને પુસ્તકના કોપીરાઈટ નહોતા કરાવ્યા. આ પુસ્તકોનાં વખાણ સાંભળીને તેઓ સહજતાથી બોલતા કે, આપણે તો બાબુ આદમી કે ક્લાર્કનું જેવું કામ કરીએ છીએ, સમાજે જે કંઈ સારું કર્યું છે એ લખવાનું કામ કરી રહ્યા છીએ…

મિશ્ર અંગ્રેજી પણ ખૂબ સારું જાણતા હતા, પરંતુ પર્યાવરણ અને કૃષિ ક્ષેત્રમાં પાયાનું કામ કરવા માટે તેમણે 'હિન્દી મિજાજ' અપનાવી લીધો હતો. નવેમ્બર ૨૦૦૯માં તેમણે પ્રતિષ્ઠિત ટેડ (ટેક્નોલોજી, એન્ટરટેઇન્મેન્ટ એન્ડ ડિઝાઈન) ટૉકમાં 'ધ એન્સિયન્ટ ઇનજેન્યુઇટી ઓફ વૉટર હાર્વેસ્ટિંગ' વિષય પર અંગ્રેજીમાં ભાષણ આપ્યું ત્યારે પર્યાવરણ મુદ્દે કામ કરતા વિદ્યાર્થીઓ તો ઠીક, અઠંગ પર્યાવરણવિદે પણ તેમની જ્ઞાનવાણી સાંભળીને દંગ રહી ગયા હતા. ત્યાર પછી વિશ્વમાં આઠેક લાખ લોકોએ એ ભાષણ ઓનલાઈન સાંભળ્યું હતું. મિશ્ર રાજકારણ અને નવી દિલ્હીના 'ઈકો ફ્રેન્ડ્લી ક્લાસ'થી અંતર જાળવી શક્યા હતા, એટલે 'મીડિયા હાઇપ'નો ક્યારે ય ભોગ નહોતા બન્યા.

મિશ્રને ભાષાવારસો પિતાજી તરફથી મળ્યો હતો. તેમના પિતા ભવાનીપ્રસાદ મિશ્ર (માર્ચ ૧૯૧૩-ફેબ્રુઆરી ૧૯૮૫) હિન્દીના વિખ્યાત કવિ અને લેખક હતા. ભવાનીપ્રસાદ ગાંધીવિચારોથી પ્રભાવિત હતા. તેમણે ગાંધીજી પર ૫૦૦ કવિતા લખી હતી. આ કવિતાઓનું પુસ્તક 'ગાંધી પંચશતિ' નામે પ્રકાશિત થયું છે. અનુપમ મિશ્રને ગાંધીવિચારનો વારસો પણ પિતા તરફથી જ મળ્યો હતો. કદાચ આ વારસાના કારણે જ અનુપમ મિશ્ર જીવનની અંતિમ ક્ષણ સુધી મનગમતા કામમાંથી આનંદ લેતા ગયા અને માર્ગમાં આવતા હજારો લોકોને પોતાના બનાવતા ગયા.

***

અને છેલ્લે એક વાત. વર્ષ ૨૦૧૧માં ગૂજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે અનુપમ મિશ્ર હતા. આ પ્રસંગે તેમણે વિદ્યાર્થીઓને કહ્યું હતું કે, ‘'… નોકરીઓ કરો, પરંતુ સમાજ માટે પણ કંઈક કરો. આ ખરાબ સમયમાં થોડું આત્મનિરીક્ષણ કરીને તમારામાં રહેલી શક્તિઓને જાણો. એવી જ રીતે, સમાજના પણ સારા ગુણો જુઓ. તો જ તમને સમાજમાં દરેક સ્તરે ગાંધી હોવાનો અહેસાસ થશે…''

***

ભારતની નદીઓ અને જંગલોના પણ અઠંગ અભ્યાસુ

અનુપમ મિશ્રે તળાવો અને રાજસ્થાન પર લખેલા પુસ્તકો માઈલસ્ટોન સમાન છે એ વાત ખરી, પણ ફક્ત તેના આધારે તેમનું મૂલ્યાંકન કરવું તેમને અન્યાય કરવા બરાબર છે. અનુપમ મિશ્રનો જન્મ વર્ષ ૧૯૪૮માં મહારાષ્ટ્રના વર્ધામાં થયો હતો અને બાળપણ પણ ત્યાં જ વીત્યું. સિત્તેરના દાયકામાં તેમણે ચંડીપ્રસાદ ભટ્ટ સાથે ઉત્તરાખંડના ચિપકો આંદોલનમાં ઝંપલાવ્યું અને એ પછી તેઓ આ જ ક્ષેત્રમાં કામ કરતા રહ્યા. વૃક્ષો કપાતાં રોકવા હજારો લોકો થડને ચીપકીને એક અનોખું આંદોલન શરૂ કરી દે એ ઘટનાથી અનુપમ મિશ્ર ઘણાં પ્રભાવિત હતા. ચિપકો આંદોલન વિશે પણ તેઓ અંગ્રેજી પુસ્તક લખી ચૂક્યા છે.

એ પછી મિશ્રે દિલ્હીથી પ્રકાશિત થતાં 'પ્રજાનીતિ' નામના હિન્દી અખબારમાં કામ કર્યું. આ દરમિયાન ઉદ્યોગપતિ રામનાથ ગોએન્કાએ 'જનસત્તા' નામનું હિન્દી અખબાર શરૂ કર્યું, જેના તંત્રીપદે જાણીતા પત્રકાર પ્રભાસ જોશી હતા. જોશીએ મિશ્રને 'જનસત્તા'માં જોડાઈ જવા બહુ મનાવ્યા, પરંતુ મનગમતું કામ કરવાની જિદના કારણે તેઓ લખતા રહ્યા પણ 'પ્રોફેશનલ જર્નાલિસ્ટ' ના બની શક્યા. ગાંધી પીસ ફાઉન્ડેશનના દ્વિમાસિક 'ગાંધી માર્ગ'ના પણ તેઓ તંત્રી હતા.

મિશ્ર પાણીનો સંગ્રહ કરવાની પરંપરાગત પદ્ધતિઓના જ નહીં, આખા ભારતની નદીઓ અને જંગલ સિસ્ટમના અઠંગ અભ્યાસુ હતા. ગંગા સહિતની નદીઓના સ્વચ્છતા અભિયાન, નહેરોના બાંધકામ, નદીકિનારા અને જંગલ વિસ્તારના લોકોની મુશ્કેલીઓ સહિતના તમામ મુદ્દે તેમના વિચારો સ્પષ્ટ હતા. આ તમામ મુદ્દે તેઓ જીવનભર કામ કરતા રહ્યા, લખતા રહ્યા અને ભાષણો આપતા રહ્યા. આ કામ બદલ મિશ્રને અમર શહીદ ચંદ્રશેખર આઝાદ (૨૦૦૮) અને જમનાલાલ બજાજ (૨૦૧૧) પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.

શીર્ષક પંક્તિ – ભવાનીપ્રસાદ મિશ્ર

—-

e.mail : vishnubharatiya@gmail.com

સૌજન્ય : http://vishnubharatiya.blogspot.in/

Loading

ભ્રષ્ટાચાર: ચાય-પાનીનું જંગલ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|9 January 2017

વર્ષના અંતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રજોગ સંદેશામાં, તેમના અગાઉના ભાષણની સરખામણીમાં, પહેલીવાર, ભ્રષ્ટાચાર ઉપર જોરશોરથી બોલવાને બદલે નોટબંધીને કારણે સર્જાયેલા અવ્યવસ્થામાંથી કંઇક રસ્તો કાઢવા ઉપર જોર રાખ્યું. નોટબંધીનો હેતુ પણ ભ્રષ્ટાચારની નાબૂદીનો જ હતો, કારણ કે આ સરકાર એ જ મુદ્દા ઉપર ચૂંટાઈને આવી હતી. નોટબંધી પછી એ ઉદ્દેશ પાર પડ્યો ખરો? આનો જવાબ અઘરો છે તે પ્રધાનમંત્રીને હવે ખબર પડશે, કારણ કે દેશ ભ્રષ્ટાચારમુક્ત છે એ કેવી રીતે પુરવાર થાય?

હકીકતમાં, ભ્રષ્ટાચાર એક એવો ડ્રામા છે, જેના ઉપર ક્યારે ય પરદો પડ્યો નથી. મંચ ઉપર ભજવાતા ડ્રામામાં તો ઇન્તિકામ કે ઇન્સાફની મદદથી ડ્રામાનો અંત આવતો હોય છે, પરંતુ ભારતમાં ભ્રષ્ટાચારને લઈને જ શુદ્ધિની વાતો થઈ છે તે અંતત: કોરી વાતો જ રહી છે. ભ્રષ્ટાચાર દરિયાના ભરતીના પાણી જેવો છે. એ ધસમસતો આવે છે, અને કિનારે અથડાઈને પાછો પાણીમાં જાય છે. એને રોકવાના કે ખતમ કરવાના તમામ પ્રયાસો નિષ્ફળ રહે છે, અને ઇન્તિકામ કે ઇન્સાફની હર કોશિશ અંતત: એક નવી ભરતીને જોર બક્ષે છે.

એવું નથી કે સરકારની (કે મોદીની) દાનત નથી. ભારતમાં દરેક સરકાર અને દરેક પ્રધાનમંત્રીએ ભ્રષ્ટાચાર દૂર કરવાની કસમ ખાધેલી છે, અને નેક પ્રયાસો કર્યા છે. છેક 1930માં મહાત્મા ગાંધીએ કૉંગ્રેસમાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર માટે પીડા વ્યક્ત કરી હતી, અને સંગઠનની સમગ્ર વ્યવસ્થા બદલી નાખવાનું સૂચન કર્યંુ હતું. રાજકારણ જ નહીં, રાજા-રજવાડાઓમાં પણ ભરપૂર ભ્રષ્ટાચાર હતો. ભારતમાં સ્થિર થવા અંગ્રેજીઓએ અનેક રજવાડામાં અનેક કૌભાંડ કર્યાં હતાં. ત્રણ યુદ્ધો પછી ટીપુ સુલતાન સાથેનું ચોથું યુદ્ધ અંગ્રેજો જીત્યા તેની પાછળ ટીપુના સરદાર મીર સાદીકની ગદ્દારી હતી, જેણે અંગ્રેજીને ‘ફેવર’ કરવા મૈસુરના સૈનિકોને પગાર લેવાના બહાને લડાઈના મેદાનની બહાર મોકલ્યા હતા.

એનાથી ય આગળના ભૂતકાળમાં જઇએ તો છેક વેદમાં ભ્રષ્ટાચારની વાતો થઈ છે. સામવેદ ભ્રષ્ટાચારને નવ માથાવાળા રાક્ષસ તરીકે ઓળખાવે છે અને કહે છે કે માણસની પાંચ ઇન્દ્રિયો મારફતે નવેનવ પ્રકારના ભ્રષ્ટાચાર અંદર આવે છે. રામાયણમાં આ જ નવ માથાના રાક્ષસ ઉપરથી રાવણનું ચરિત્ર લખાયું હતું. મહાભારતમાં અંધ રાજા ધૃતરાષ્ટ્રના 99 પુત્રોના માધ્યમથી 99 પ્રકારના ભ્રષ્ટાચારની વાત છે. ઋગ્વેદમાં 99 પ્રકારના વૃત(દુષ્ટ આત્મા)નો ઉલ્લેખ છે. યજુર્વેદમાં એવું સૂચન છે કે ભ્રષ્ટ વ્યક્તિને રાજાએ ચતુર્વર્ણમાં ભેગો થવા ન દેવો જોઇએ. મહાભારત અને રામાયણની કથા જ ભ્રષ્ટાચાર અને એનાં પરિણામો અંગેની છે.

મુદ્દો એ છે કે માનવ સમાજની બે વાસ્તવિકતા, લાલચ અને જરૂરિયાત, ભ્રષ્ટ આચારના મૂળમાં છે. લાલસા એ માનવવૃત્તિ છે અને કેટલાક લોકો લાલસાને નિયંત્રણમાં રાખી શકે છે તો કેટલાક લોકો માટે લાલસાની પરિપૂર્તિ ક્યારે ય થતી નથી. પુરાણથી લઈને આધુનિક સમયમાં પણ ભ્રષ્ટાચારનો ડ્રામા અનંત ચાલતો રહે છે, તેનું કારણ એ છે કે, આપણે જે હોહા કરીએ છીએ તેનાથી વિપરીત, ભ્રષ્ટાચાર બહુ જ સાધારણ અને સહજ વ્યવહાર છે.

આમ જનતા ભ્રષ્ટાચારને જિંદગીનો એક ભાગ માને છે. ભ્રષ્ટાચાર સામર્થ્ય અને પ્રતિભા પણ ગણાય છે. આ લખનારને બીજા પત્રકાર-તંત્રીઓનાં ઉદાહરણ આપીને કહેવાયું હતું કે, ‘તને કંઈ આવડતું નથી.’ ભારતમાં ભ્રષ્ટાચાર કરીને આગળ વધેલા ઉદ્યોગપતિઓ સફળતા અને ક્ષમતાના ઉદાહરણ બન્યા છે. ‘દીવાર’ ફિલ્મ જે મુખ્યત્વે નૈતિકતા અને ન્યાયોચિતતાની વકાલાત કરે છે, તેમાં સૌથી વધુ પ્રશંસા અને સહાનુભૂતિ અચ્છા બેટાને નહીં, પણ બગડેલા બેટાને મળે છે. અમિતાભના રિયલ લાઇફ બેટા અભિષેકની ‘ગુરુ’ ફિલ્મ જ સરકારી નિયમો તોડીને કેવી રીતે સફળ થવાય તેવી ‘શિખામણ’ આપતી હતી, અને લોકોએ તેને વધાવી પણ હતી.

ભ્રષ્ટાચારને લઈને જે ઉમદા હેતુઓની અભિવ્યક્તિ થાય છે તેમાં લાગણીઓ ભડકાવ્યા સિવાય કશું થતું નથી. કોઈ ભાગ્યે જ એ હકીકતનો એકરાર કરે છે કે આધુનિક મૂડીવાદી અર્થવ્યવસ્થા અને વિકાસનું મૉડલ જ ભ્રષ્ટાચાર માટેની ફળદ્રુપ જમીનનું કામ કરે છે. ઉદાહરણ તરીકે ગામનો એક યુવાન નોકરી કે વ્યવસાયની તલાશમાં શહેરમાં આવે છે. એને પહેલા જ દિવસથી ‘ચાય-પાની’ સમજમાં આવી જાય છે. શહેર આવવા માટે ટ્રેનમાં બેસવા-સૂવાની જગ્યા માટે એજન્ટને કમિશન આપવું પડે છે. શહેરમાં એક રાત બગીચામાં કે પ્લેટફોર્મ ઉપર સૂવા માટે કોન્સ્ટેબલ કે લોકલ દાદાના હાથ ‘ગરમ’ કરવા પડે છે. ઑફિસમાં ઘૂસવા માટે વચેટિયાને રાજી રાખવો પડે છે.

વયસ્ક થયેલા દરેક યુવાનને ખબર છે કે રોજગારીની પહેલી સફળતામાં ક્લાર્ક કે બાબુની, પોલીસની કે એજન્ટની ભૂમિકા કેટલી મોટી હોય છે. સરકારમાં નોકરી લેનાર દરેક કર્મચારીને ખબર છે કે ગમતી જગ્યા કે શહેરમાં પોસ્ટિંગ લેવા માટે ઉપરી અધિકારીને કેવી રીતે ‘ખુશ’ રાખવા પડે છે. પોલીસમાં ભરતી થનાર દરેક જવાન પાસે એ ટાઇમટેબલ નક્કી જ હોય છે, જેની અંદર એણે નોકરી માટે ખર્ચેલા રૂપિયા ‘રિકવર’ કરવાના હોય છે. દરેક નવા ઉત્તીર્ણ ડૉક્ટરને ખબર છે કે એણે ભણવા માટે જે લાખો રૂપિયા ખર્ચ્યા છે એ કેવી રીતે દર્દીઓ પાસેથી વસૂલવા.

તરક્કીના આપણા મૉડલમાં આગળ વધવું એ ચમત્કારથી કમ નથી અને દરેકને ચમત્કાર કરતા આવડી પણ જાય છે. અહીં બધા જ નિયમોનો અર્થ ઊલટો થાય છે. અમિતાભની ‘અગ્નિપથ’ ફિલ્મમાં વિજય કહે છે, ‘કહને કો યેહ શહેર હૈ, સિર્ફ કહને કો, પર ઇધર જંગલ કા કાનૂન ચલતા હૈ માલૂમ … ચીંટી કો બિસ્તુિરયા ખા જાતા હૈ, બિસ્તુિરયા કો મેઢક, મેઢક કો સાંપ નિગલ જાતા હૈ, નેવલા સાંપ કો મારતા હૈ, ભેડિયા નેવલે કા ખૂન ચૂસ લેતા હૈ, શેર ભેડિયે કો ચબા જાતા હૈ … ઇધર હર તાકાતવર અપને સે કમ કો મારકર જીતા હૈ.’ આવા શહેરમાં રહેવા અને તરક્કી કરવા એના આંતરિક ‘કાયદા-કાનૂન’ સમજવા પડે છે.

અચ્છે દિન એટલે શું? અચ્છે દિન એટલે આધુનિકતા, તરક્કી અને શહેરીકરણ. આ ત્રણેયમાં રમત કેમ રમાય તેના નિયમો છે. જે તમને આવડવા જોઇએ. આ ત્રણેયમાં દ્વિવિધતા પણ છે: નિયમ છે અને નિયમ વગરનું પણ છે. બ્લેક છે અને વ્હાઇટ પણ છે. સત્તાવાર છે અને બિનસત્તાવાર પણ છે. સીધી રીત છે અને આડી રીત પણ છે. શહેરની આ દ્વિવિધતા એ જ્ઞાનની અર્થવ્યવસ્થા છે. કોની પાસે કેટલું જ્ઞાન છે તેના પર એની સફળતાનો આધાર છે. જેને આપણે ભ્રષ્ટાચાર કહીએ છીએ એ આ જંગલ કા કાનૂન છે. તમને સત્તાવાર અને બિનસત્તાવાર, વૈધ અને અવૈધ વચ્ચેના સામાજિક સંબંધની ખબર પડે તો તરક્કી આસાન થઈ જાય છે. નોટબંધી પાછળ જે બ્લેક ઇકોનોમીને ખતમ કરવાનો ઇરાદો છે, તે બ્લેક ઇકોનોમી શહેરની આ દ્વિવિધતામાંથી આવી છે.

આ દ્વિવિધતા અથવા આ બેઇમાની, ચોરી ક્યાંથી આવી? એ ઇમાનદારીમાંથી, નૈતિકતામાંથી આવી છે. દરેક કાનૂન કે નિયમનો જન્મ જે કમજોર છે, પછાત છે અથવા અક્ષમ છે, તેને સશક્ત થવાની, તરક્કી કરવાની તક મળે તે માટે થયો છે. થયું છે ઊલટું દરેક ઇમાનદારીમાંથી બેઇમાની અને દરેક કાનૂનમાંથી ગેરકાનૂન પેદા થયાં છે. ભ્રષ્ટાચાર દૂર કરવા દરેક સરકારે શપથ લીધા છે અને એ પૂરા થયા નથી કારણ કે દરેકને એવું લાગે છે કે કાનૂન બનાવવાથી, નિયમ બનાવાથી, સજા કરવાથી આ દ્વિવિધતા ખતમ થઈ જશે. પ્રશ્ન કાનૂનનો કે નિયમનો છે જ નહીં. પ્રશ્ન શુદ્ધતા અને સચ્ચાઈનો છે. અને કોઈ પણ સરકાર વ્યક્તિની શુદ્ધતા પર આંગળી મૂકીને એને પારખી શકતી નથી એટલે એ નિયમ બનાવીને સંતોષ માને છે. આપણે ભલે જંગલમાંથી નીકળીને રહેવાનું શરૂ કર્યું હોય, આપણી અંદરથી જંગલ હજુ નીકળ્યું નથી, અને એ જંગલ જ કોઈ પણ સરકાર કે પ્રધાનમંત્રીની ખરી ચેલેન્જ હશે. સવાલ એ છે કે એ અસલી ચેલેન્જ ઉપાડવામાં રસ કોને છે.

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 08 જાન્યુઆરી 2017

Loading

Gita is a Not National book, its Hindu Scripture!

Ram Puniyani|English Bazaar Patrika - OPED|8 January 2017

The Haryana government organized Gita Festival in Kurkshetra with a budget of Rs 100 Crores. This was to celebrate the teachings of Bhagavad Gita. This is the place where Lord Krishna is believed to have delivered the sermons that form the core of a version of Hinduism. The celebration of the Gita Festival has been very meticulous to involve most of the districts of Haryana and is replete with seminars and cultural programs around the teachings of this holy book. As such it is a Holy Scripture, which has been most in news from last quite some time.  Those taking part in the festival include the Vishwa Hindu Parishad (VHP), yoga guru Baba Ramdev’s Patanjali Yog Peeth, Ram Krishna Mission, and ISKCON.

This state funded festival comes in the backdrop of the Modi Sarkar coming to power at the centre. Modi, in his innumerable trips abroad has been gifting Gita to the dignitaries overseas. Also his foreign minister Sushma Swaraj had once proclaimed that Gita should be declared as the national book. One recalls that many BJP ruled state Governments like MP have started teaching Gita Saar (Essence of Gita) in their schools. When BJP was in power in Karnataka, the State government had planned to introduce the teaching of Gita in its schools. There is also an attempt to present this holy tome not as a religious book but a book of Indian Philosophy, cutting across different religions. For example Madhya Pradesh High court has ruled (Jan 2012) that “Gita is essentially a book on Indian philosophy, not a book on Indian religion”. This judgment seems to be influenced more by the dominant political ideology than the theological understanding of Hinduism or the principles of Indian Constitution or even by the practices of the Courts themselves. One knows that Gita is used in the courts for administering oath to Hindus before they depose.

The Bhagwat Gita or Gita (Song of God) is a 700 verse scripture that is part of the epic Mahabharata. As it is drawn from Mahabharata it can be labeled as Smriti text (from memory). Some sects of Hinduism give it the status of Upanishad, thereby making it sruti (revealed) book. It is also regarded to represent the summary of Upanishadic teachings and so it is also called as ‘Upanishad of Upanishads’. In this Holy Scripture Lord Krishna teaches Arjun about his duties as a Prince belonging to Kshtriya Varna. Arjun was faced with the dilemma of the war, the possibility of killing his own kin. Lord tells Arjun that it is his holy duty to undertake the war. As most holy scriptures are the revelations from the supreme God, in Gita also Krishna reveals his identity as Supreme Being himself (Svayam Bhagvan) and this book is also regarded as the core of Hindu philosophy.

The Gita elaborates on the central part of Hindu theology, the origin of Varnas. In Purush Sukta of Vedas tell us as to how Lord Brahma created four Varnas from the body of Virat Purush (Primeval man). In Gita on similar lines Lord Krishna also tells about the divine origin of Varna’s. Lord says that the fourfold order was created by him according to the divisions of quality (Guna) and work (karma).

One knows that origin of Hinduism is different from the Prophet based religions like Buddhism, Jainism, Christianity and Islam. Here there has been an evolution of the Hinduism over a period of time and today while Hinduism is a religion, Gita is its Holy Scripture. To take the stand that it is Indian philosophy and not religious one is far from truth. There is philosophy also in many a Holy Scriptures. Notwithstanding that, they are primarily religious scriptures. From the religion of Pastoral Aryans to the practices of Hindus today, there is a long journey. The communal forces want to introduce this text in schools as not only they want to impose Hindu nation in this country but also through this book, they aim to reinforce the concept of Varna, which is one of the core doctrine of Brahmanical version of Hinduism, and Gita tells this by attributing Varna to the divine creation by Lord Himself. While there are many a philosophical formulations in this divine book there is also the subtle defense of what the Hindutva politics wants to bring in today, Varan- Jati in a repackaged form.

Dharma spoken of in Gita is essentially is Varnashram Dharma, which is a graded hierarchy, which is against the spirit of Indian Constitution, the values of Liberty, Equality and Fraternity. Gita’s Varnashram Dharma violates the principles of equality. So here you are showing that violation of norms of equality. Surely, Gita is a Holy Hindu scripture. We are a secular country, where citizenship is equal for people of all religions. So here you violate the secular ethos of our country by state sponsoring a festival in its name. Ambedkar, the Chairman of drafting committee of Indian Constitution, had an interesting take on Gita. In his work ‘Philosophy of Hinduism’ (Critical Quest 2010) where he points out that ‘Bhagwat Gita is a Manusmriti in Nutshell’. His supporting the burning of Manusmriti was symbolic of opposing the hierarchy inherent in the Brahmanical Hinduism. It is also true that what has been asserted as Hinduism from last two centuries is Brahmanical Hinduism. Gita does represent the Brahmanical Hinduism, in contrast to other Hindu traditions like Nath, Tantra, Siddha, Shaiva and Bhakti. These traditions are away from Brahmanical hierarchical values. RSS-Hindutva has made Brahmanical values as the base of their politics.

So while there is a lot of confusion among many who eulogize Gita, the practitioners of Hindutva politics RSS-BJP are very consciously promoting Gita, as the restoration of caste and gender hierarchy is the core agenda of their politics. Gita is not a national book; it is a Holy Hindu Scripture for sure. Indian Constitution is our National book. The verdict of the court needs re-examination as it is not conforming to the belief of millions of Hindus who have been away from Brahmanical notions.

—

www.pluralindia.com

link : http://peoplesvoice.in/2017/01/06/gita-not-national-book-hindu-scripture/

Loading

...102030...3,5433,5443,5453,546...3,5503,5603,570...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved