Opinion Magazine
Number of visits: 9584582
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સામાજિક-બૌદ્ધિક લડવૈયાની વિદાય

ચંદુ મહેરિયા|Samantar Gujarat - Samantar|9 February 2017

યુવાનો અને બાળકોને વૈજ્ઞાનિક અભિગમ તથા સામાજિક નિસબત ચીંધવામાં તેમનો મહત્ત્વનો ફાળો હતો.

જાણીતા રેશનલિસ્ટ-કર્મશીલ અને બૌદ્ધિક બાબુભાઈ દેસાઈએ 2015ના ઓગસ્ટની 26મી તારીખે પંચોતેરમાં વરસમાં પ્રવેશ કર્યો એ નિમિત્તે સુરતમાં રંગેચંગે એમનો અમૃત મહોત્સવ ઉજવાયો. તે પ્રસંગે સહુએ બાબુભાઈના વયસહજ સારા સ્વાસ્થ્યની જીકર કરી હતી. ત્યાં જ લિવર કેન્સરની અચાનક આવી પડેલી જીવલેણ બીમારીથી 27મી ડિસેમ્બર, 2016ના રોજ બાબુભાઈની જીવનલીલા સંકેલાઈ ગઈ. ઊર્જા અને ઉષ્માસભર, તરવરાટ અને ઉત્સાહથી છલકાતું એક વ્યક્તિત્વ વિલાઈ ગયું. 

સુરતની ‘સત્યશોધક સભા’ના સ્થાપક મંત્રી એવા બાબુભાઈ દેસાઈનું ગુજરાતના, ખાસ કરીને સુરતના જાહેર જીવનમાં મોટું પ્રદાન છે. યુવા વયથી વિદ્રોહી રહેલા બાબુભાઈએ અનાવિલ જ્ઞાતિના કુરિવાજ વાંકડાના વિરોધી મંડળના સભ્ય બની પોતાની સામાજિક સક્રિયતાનો આરંભ કર્યો હતો. આ બંડખોરી તેમના સ્વભાવનું સ્થાયી લક્ષણ બની રહી. પદ અને પ્રતિષ્ઠાની લાલચમાં સપડાયા વિના તે કાયમ પોતાના ધ્યેયને વળગી રહ્યા.

અંગ્રેજીના અનુસ્નાતક બાબુભાઈ દેસાઈ સુરતની સર કે.પી. કોમર્સ કૉલેજમાં અંગ્રેજીના અધ્યાપક હતા, પરંતુ સામાજિક-રાજકીય વિષયો પરનું તેમનું લેખન,વાચન, ચિંતન વિશેષ રહ્યું. એમણે અનુદિત-સંપાદિત કરેલાં પુસ્તકો કે સેન્ટર ફોર સોશ્યલ સ્ટડીઝ સાથે મળીને કરેલાં સંશોધનો આ વાતની ગવાહી છે. અધ્યાપક બાબુભાઈએ પોતાના વિદ્યાર્થીઓના મૂલ્યઘડતરમાં કચાશ ન રાખી, જેનું આજે ય ઘણા વિદ્યાર્થીઓને સ્મરણ છે.

કૉલેજકાળથી જ તેઓ સમાજવાદ-સામ્યવાદથી આકર્ષાયેલા હતા. ગ્રાહક પ્રવૃત્તિ-કામદાર પ્રવૃત્તિની સાથે જ તે કૉલેજ અધ્યાપક મંડળમાં પણ સક્રિય હતા. 1972-73થી તેઓ સુરતમાં સમાજવાદના પદ્ધતિસરના અભ્યાસ અને પ્રચારને વરેલું ‘સોશ્યાલિસ્ટ સ્ટડી સેન્ટર’ ચલાવતા હતા. તેની સાપ્તાહિક ચર્ચા બેઠકો ઉપરાંત મહત્ત્વના વિષયો પર પુસ્તિકા પ્રકાશન કરીને તેઓ યુવાનોને સમાજવાદના પાઠ શીખવતા હતા. જાણીતા સમાજશાસ્ત્રીઓ જાન બ્રેમન અને ડૉ. અક્ષયકુમાર દેસાઈની પુસ્તિકાઓ તો ખરી જ, ખુદ બાબુભાઈએ લખેલી ‘ભારતની સમસ્યાઓ અને સાચો સમાજવાદ’ તથા ‘ભારતની સંસદીય લોકશાહીની ભીતરમાં’ સેન્ટરનાં મુખ્ય પ્રકાશનો હતાં.

1979-80ના વરસમાં સુરતમાં લાખોના ખર્ચે એક યજ્ઞ થવાનો હતો. એક તરફ ગરીબી અને અભાવોમાં જીવતા લોકો અને બીજી તરફ આ લાખો રૂપિયાનો ધુમાડો. બાબુભાઈ તેના વિરોધમાં મચી પડ્યા. આ ગાળામાં યજ્ઞનો વિરોધ કરી રહેલા ડૉ. બી.એ. પરીખનો તેમને ઘનિષ્ટ પરિચય થયો. યજ્ઞવિરોધી વાતાવરણને કાયમ કરવા, તેને અંધશ્રદ્ધાવિરોધી અને વૈજ્ઞાનિક વિચારના પ્રચારપ્રસાર માટેનું બનાવવા સત્યશોધક સભાની રચનાનું બીજ રોપાયું. 1979-80માં સ્થાપાયેલી સત્યશોધક સભાને અગ્રણી રેશનલિસ્ટ રમણ પાઠકનું સમર્થન અને સહયોગ મળ્યા.

બી.એ. પરીખનું ખાતર અને બાબુભાઈનાં પાણીથી સિંચાયેલી આ રેશનલિસ્ટ સંસ્થાએ આજે જે સ્વરૂપ ધારણ કર્યું છે, તેમાં ‘બાપા-બાબુની જોડી’નો સિંહફાળો છે. બાબુભાઈની વૈજ્ઞાનિક વિચારોના પ્રસારની પ્રતિબદ્ધતા અને અણથક ધગશને કારણે દક્ષિણ ગુજરાતમાં અંધશ્રદ્ધા અને ચમત્કારોનો પર્દાફાશ કરતાં જાહેર નિદર્શનો દ્વારા સારું વાતાવરણ નિર્માણ કરવામાં આવ્યું હતું.

રેશનલિસ્ટ તરીકે બાબુભાઈ ‘નિરીક્ષણ કરો, સવાલ કરો અને તારણ કાઢો’ની પદ્ધતિમાં માનતા હતા. રેશનલ વિચારોના આ બોદ્ધિક કર્મશીલ પોતાના વિચારો થોપવામાં નહીં પણ તર્કબદ્ધ દલીલોથી સામેની વ્યક્તિને સમજાવવામાં માનતા હતા. તેમના દોહિત્ર માલવ લખે છે, ‘વિજ્ઞાનના અટપટા સિદ્ધાંત સાવ સહજ રીતે તેઓ સમજાવી દેતા. એક દડાની મદદથી ચંદ્રની કળાઓ સમજાવતા. લોકોને કહેવાતા ચમત્કારો બતાવી તેની પાછળનું વિજ્ઞાન બતાવવામાં એમને ખૂબ મઝા પડતી.’ પ્રો. યશપાલના નેતૃત્વ હેઠળની જનવિજ્ઞાન જાથા અને નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કૉંગ્રેસની પ્રવૃત્તિઓમાં બાબુભાઈનું મહત્ત્વનું પ્રદાન છે. બાળકોને તેના દ્વારા તેમણે વૈજ્ઞાનિક અભિગમ તરફ અભિમુખ કર્યા હતા.

બાબુભાઈ દેસાઈ એક અનોખા રેશનલિસ્ટ હતા. અન્ય રેશનલિસ્ટની જેમ તેમના રેશનલિઝમનો પાયો પણ ઈશ્વરનો ઇન્કાર હતો. પણ તે એટલેથી અટકી જતા નહોતા. તેઓ દેશની સામાજિક-આર્થિક સમસ્યાઓ, ખાસ કરીને વર્ણવ્યવસ્થા અને જાતિપ્રથા, સામાજિક આર્થિક અસમાનતા, કોમી વિસંવાદ, સ્ત્રી સશક્તિકરણ, સેક્યુલરિઝમ, લોકશાહી અને સ્વતંત્રતા જેવા મુદ્દે સ્પષ્ટ ભૂમિકા લેનારા હતા. 1981 અને 1985નાં અનામતવિરોધી રમખાણો વખતે તેઓ ખૂલીને અનામતની તરફેણમાં બહાર આવેલા. દલિત-આદિવાસી અત્યાચારો કે સુરત સહિત ગુજરાતનાં કોમી રમખાણોના તે કાયમ વિરોધી અને કોમી એકતા માટે મથનારા રહ્યા.

પોતાની બંને દીકરીઓના અને પોતાના વિદ્યાર્થીઓનાં આંતરજ્ઞાતીય-આંતરધર્મિય લગ્નોના તે હંમેશાં પુરસ્કર્તા રહ્યા હતા. અમૃત મહોત્સવ સમારંભમાં બાબુભાઈએ, પોતે ડાબેરી જ થવા માંગતા હતા, પણ સુરતમાં તે માટેનું યોગ્ય વાતાવરણ ન હોઈ તે દિશામાં સક્રિય ન થઈ શક્યાનો રંજ વ્યક્ત કરી, રેશનલિઝમ અને તેની પ્રવૃત્તિ કરતી સત્યશોધક સભાને પોતાનો વિસામો ગણી તેનો સંતોષ વ્યક્ત કર્યો હતો, પરંતુ આ રંજ અને સંતોષની પછવાડે રહેલો બાબુભાઈનો અસંતોષ અને મંથન પરખાય છે.

જાણીતા કૉંગ્રેસી આગેવાન ઝીણાભાઈ દરજી સાથે પણ બાબુભાઈનો પરિચય હતો. દલિત-આદિવાસી-ગરીબોના સવાલો ઉકેલવા માટે તેમની સક્રિયતા રહેતી. તે માટે તે કશા છોછ સિવાય ઘણી બધી વ્યક્તિ-સંસ્થાઓ સાથે જોડાતા રહેતા. એટલે 1974થી 1979ના પાંચ વરસ માર્ક્સવાદી ટ્રોટસ્કીવાદી વિચારધારામાં સક્રિય રહેલા બાબુભાઈ ગાંધીવિચારને વરેલા હરિજન સેવક સંઘ, સુરતના પણ પ્રમુખ થયેલા.

2001માં સંયુક્ત રાષ્ટ્રસંઘની વંશવાદ વિરોધી વિશ્વ પરિષદ દક્ષિણ આફ્રિકાના ડરબનમાં યોજાઈ હતી. આ પરિષદમાં દલિતોનો સવાલ રજૂ કરવા ડરબન ગયેલા ગુજરાતના દલિત પ્રતિનિધિ મંડળના એકમાત્ર બિનદલિત સભ્ય બાબુભાઈ દેસાઈ હતા. છેક 1981માં ભાનુભાઈ અધ્વર્યુની પુસ્તિકા ‘અગ્નિગર્ભ વાલિયા’ પ્રગટ કરી, આદિવાસીઓ પરના અત્યાચારને વાચા આપી બાબુભાઈએ તેમની આદિવાસીઓ પ્રત્યેની નિસબત, સમજ અને પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી.

કોમી રમખાણો વખતે તેઓ ભારે ચિંતિત રહેતા. 2014માં કેન્દ્રમાં સત્તા પલટા પછીની સ્થિતિ અંગે બાબુભાઈએ જાહેર પત્ર દ્વારા પોતાની ચિંતા અને હતાશા વ્યક્ત કરી હતી. તે પછી જ તેમણે નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કૉંગ્રેસની ગુજરાતની જવાબદારીમાંથી મુક્ત થવાનું શાણપણ દાખવ્યું હતું. પત્ની ઉર્મિલાબહેનના અવસાન પછી ખુરશીદ પંથકી સાથે મૈત્રીકરારથી જોડાઈને સાથે રહેવાની હિંમત દાખવી હતી. સતત પ્રવૃત્તિશીલ, આનંદી અને ઉતાવળા એવા આ કર્મશીલ બૌદ્ધિકનું આમ ચાલ્યા જવાનું દુ:ખ અને ખોટ ઘણાં મોટાં છે.

સૌજન્ય : ‘બાબુભાઈ દેસાઈ’, “દિવ્ય ભાસ્કર”, 09 ફેબ્રુઆરી 2017  

Loading

Anti-colonial warrior who counted Nehru, Bose as friends comes out of the shadows

Sonam Saigal|English Bazaar Patrika - Features|8 February 2017

A new biography of A.C.N. Nambiar says he saw from close quarters, the INA leader’s respect for Panditji’s influence on the freedom struggle

A.C.N. Nambiar was a man of many parts, but he had a life away from the public eye, as a trusted but discreet friend of Jawaharlal Nehru and Indira Gandhi.

The journalist-activist-diplomat who rubbed shoulders with kings, democrats, dictators, political activists and revolutionaries in Europe, and faced long detentions in foreign jails for no crime, also had ties to Subhas Chandra Bose.

At the end of the Second World War he was a pauper, only to rise like a phoenix. The story of Arathil Candeth Narayanan (ACN) Nambiar is now told in a book, ‘A Life In Shadow’ written by Vappala Balachandran, a former senior RAW official.

The book on the ‘forgotten anti-colonial warrior’, released here on Tuesday, is a 344-page anecdote-filled tour, with letters written by Nambiar, who was called Nanu in some circles, to Bose in 1945, as well as Nehru’s letter to him in 1947 and Prime Minister Indira Gandhi’s letters.

A renegade in Europe

Nambiar was active as a journalist in Europe before the Second World War. He helped raise awareness in India and Europe on colonial exploitation through his columns. To intelligence agencies he was, ironically, a ‘notorious communist’ or a Nazi collaborator, ‘a tool in the hands of the Nazis’, ‘Indian Renegade’, and turncoat.

The biography sketches Nambiar’s relationship with Nehru and Bose recalling his own descriptions.

In Badenweiler, Nehru gave him instructions on cooking eggs and washing his eyes. He told him that he was not young enough for yoga lessons. While Nambiar was an ambassador in Bonn, he was instructed by Nehru not to miss physical exercise; the Prime Minister said to him that one could pursue such activity even while shaving, by just raising one’s legs.

Contrary to the general impression, Bose wanted to make Asia his main centre of operations when he left India for Europe. This he told Nambiar in January 1942 when he joined him in Berlin. Nambiar was close to two key characters of the Independence struggle. Mr. Balachandran took 13 years to scour books and records to conclude, “As Nambiar saw it, Nehru and Bose differed not on the aim of independence but on the modalities. Nehru, although doubting certain assumptions and conclusions of Bose, never doubted his patriotism nor harboured any hatred. Bose…recognised Nehru’s importance and influence in India’s national struggle although he felt that Nehru’s pro-British attitude could be a problem.”

courtesy : http://www.thehindu.com/news/national/Anti-colonial-warrior-who-counted-Nehru-Bose-as-friends-comes-out-of-the-shadows/article17243995.ece?homepage=true

Loading

સિંધુ જળસંધિમાં અગસ્ત્યના વાયદા

હરિ દેસાઈ|Opinion - Opinion|8 February 2017

અગાઉ કચ્છને સિંધુ નદીનાં જળ અપાવવા ઉધામા કરનારા મોદી હવે પંજાબને વચનોની લ્હાણી કરે છે

ભારતીય ચૂંટણીઋતુમાં અગસ્ત્ય મુનિના વાયદાનું સ્મરણ થવું સ્વાભાવિક છે. હમણાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબની ચૂંટણી સભાઓમાં પાકિસ્તાન સાથેની 1960ની સિંધુ જળ સંધિ તોડીને પણ પંજાબને દુશ્મનદેશમાં વહી જતાં ભારતીય નદીઓનાં જળ પૂરાં પાડવાના સંકલ્પની ઘોષણાઓ કરી. પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ફિલ્ડમાર્શલ અય્યૂબ ખાન વચ્ચે, 9 વર્ષની મહેનત પછી, એ વેળાની પાકિસ્તાનની રાજધાની કરાંચીમાં 19 સપ્ટેમ્બર 1960ના રોજ થયેલી અને 12 જાન્યુઆરી 1961થી અમલમાં આવેલી આ સંધિ પર હસ્તાક્ષર કરનાર ડબલ્યૂ.એ. આઇલિફનો ત્રીજો પક્ષ ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ એટલે કે વિશ્વબેંક પણ છે, એ રખે ભૂલાય. વિશ્વ બેંકના એ વેળાના અધ્યક્ષ યુજેન આર. બ્લેક બીમાર હોવાથી બેંકના ઉપાધ્યક્ષ આઇલિફે હસ્તાક્ષર કરવા પડ્યા હતા.

આ સંધિના ઉકેલનો ઇતિહાસ પણ રસપ્રદ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના વરવા જળવિવાદને ઉકેલવા માટે 1951માં ટેનેસી વેલી ઓથોરિટીના પૂર્વ અધ્યક્ષ ડેવિડ લિલિએન્થલે અમેરિકાના માતબર સામયિકમાં લખેલા લેખમાં બંને દેશો મળીને સમજૂતી પર આવે અને જરૂરી આર્થિક સહાય વિશ્વ બેંક આપે એવું સૂચવાયું. એને પગલે મંત્રણાઓ શરૂ થઈ અને નવ વરસને અંતે સમજૂતી શક્ય બની. એને ‘ઇન્ડસ વોટર ટ્રીટી’ (સિંધુ જળસંધિ) કહેવાઈ. એમાં કોઈ વિવાદ ઉકેલવા માટે બંને દેશોના કાયમી પંચની જોગવાઈ છે અને એમ છતાં વિવાદ ઉકેલાય એવા સંજોગો ન હોય, તો એ વિશ્વ બેંક પર છોડીને એનો નિર્ણય કબૂલ રાખે. તે પછી પણ બંને દેશોને એનો ચુકાદો સ્વીકાર્ય ન હોય, તો બંનેને સ્વીકૃત લવાદનો ત્રીજો અને અંતિમ વિકલ્પ રહે છે. વિશ્વમાં 20,000 જેટલી જળ સંધિઓ વિવિધ દેશો અને સંસ્થાઓ વચ્ચે થયેલી છે. ભારતે એ સંધિઓ કરાવવામાં કે એ અંગે સુધારા કરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવેલી હોઈ એ પોતે ઊઠીને કોઈ જળ સંધિ તોડે તો દુનિયાભરમાં એની બદનામી થવી સ્વાભાવિક છે.

દેશનાં પાંચ રાજ્યોમાં ચૂંટણીનો તખ્તો તૈયાર કરવા માટે વડાપ્રધાન મોદીએ ગયા સપ્ટેમ્બર મહિનામાં સંધિ તોડવાની તૈયારી માટે બેઠક પણ યોજી હતી. જમ્મુ-કાશ્મીરનાં મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તી પણ ભા.જ.પ.ના ટેકે સરકાર ચલાવતાં હોવાથી કેન્દ્રના નિર્ણયને આગોતરો આવકાર આપવા માંડ્યાં હતાં. ભેંસ ભાગોળે અને છાશ છાગોળે જેવા આ ઘાટની ભીતર ખૂબ રસપ્રદ છે. અગાઉ કચ્છને પણ સિંધુ નદીનાં જળ અપાવવા માટે ચૂંટણીલક્ષી ઉધામા મારતા રહેલા મુખ્યમંત્રી મોદી હવે વડાપ્રધાન છે, ત્યારે કચ્છને ભૂલીને પંજાબ ભણી વચનોની લ્હાણી કરતા થયા છે.

31 જુલાઈ, 2014ના રોજ મોદી સરકારના વિદેશ રાજ્યમંત્રી જનરલ (નિવૃત્ત) વી.કે. સિંહે સંસદમાં આ જળ સમજૂતી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. એ પછી હવે સરકાર એને તોડવાની વાત કરે છે. વિરોધાભાસોથી ભરેલા આ ઘટનાક્રમને જોતાં પાડોશી દેશ પાકિસ્તાન પણ આવી ચૂંટણીલક્ષી ઘોષણાઓને ગંભીરતાથી લેવાને બદલે હસી કાઢે છે. કારણ? ત્રણ-ત્રણ યુદ્ધ લડતાં પણ અખંડ રહેલી આ સમજૂતીને ખરેખર તોડવાનું શક્ય છે ખરું, એ મહાપ્રશ્ન છે.

મુખ્યમંત્રી મોદીએ દિલ્હીની વાજપેયી સલ્તનત પાસે યાચના કરી હતી કે કચ્છને સિંધુ નદીનાં પાણી સિંધુ જળ સંધિ હેઠળ પૂરાં પાડવામાં આવે. વાજપેયી સરકારે 8 એપ્રિલ 2003ના રોજ કચ્છને સિંધુ નદીનાં જળ પૂરાં પાડવાનું શક્ય નથી, એવું સંસદમાં સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે આ સંધિમાં કચ્છનો સમાવેશ નથી. આટલું  કહ્યા છતાં એ પછીનાં વર્ષોમાં પણ મોદીએ એ માગણી ચાલુ રાખીને ગુજરાતની પ્રજાને દિલ્હીની કોંગ્રેસી સલ્તનત અન્યાય કરી રહ્યાનું દર્શાવવાનો પ્રયાસ ચાલુ રાખ્યો હતો.

ઉત્તરે હિમાલયના ચીનમાંથી અને જમ્મુ-કાશ્મીરમાંથી વહી આવતી પૂર્વની નદીઓ સતલજ, બિયાસ અને રાવી તથા પશ્ચિમની નદીઓ સિંધુ, જેલમ અને ચિનાબનાં પાણીની બંને દેશો વચ્ચે વહેંચણી કરવાનું આ સંધિ હેઠળ નક્કી થયેલું છે. સતલજ, બિયાસ અને રાવીનાં મોટા ભાગનાં જળ ભારતને અને સિંધુ, જેલમ અને ચિનાબનાં મોટા ભાગનાં જળનો લાભ પાકિસ્તાનને મળે. ભારતમાં તો આ મુદ્દે ઝાઝી ચર્ચા થતી નથી, પણ પાકિસ્તાનમાં આ સંધિ તોડવાની વાતે અત્યારથી વિશ્વ મંચ પર ફરિયાદ કરી દેવાઈ છે એટલું જ નહીં, ભારત સંધિનું ઉલ્લંઘન કરીને પાકિસ્તાનને મળવાનું થતું પાણી બંધ કરી દે, તો એણે ‘પાણીના ત્રાસવાદ’ તરીકે લેખાવીને દુનિયાભરમાં ભારતને બદનામ કરવાની ગોઠવણ પણ થઈ ચૂકી છે. પાકિસ્તાન વિરુદ્ધનાં મોદીનાં ભાષણો સાંભળીને હરખપદુડી થનારી પ્રજાને આ સંધિ તોડવાનાં દુષ્પરિણામો અંગે ભાગ્યે જ અંદાજ હશે.

1960માં સિંધુ જળ સંધિ થઈ, એ પહેલાં ભારતે યથાસ્થિતિ કરાર થાય ત્યાં સુધી એટલે કે મે, 1948માં ત્રણેક મહિના માટે પાકિસ્તાનમાં જતાં જળ રોકવા બદલ જે નુકસાની ભરપાઈ કરવી પડી હતી એની કલ્પના પણ મુશ્કેલ છે. આ સંધિ માત્ર ભારત અને પાકિસ્તાન બેઉ દેશનો આપસી મામલો નથી રહેતો, વિવાદ વણસે ત્યારે એ આંતરરાષ્ટ્રીય મામલો બની જાય છે. સંધિ થતાં ભારતે અગાઉ પાકિસ્તાનનું જે પાણી રોક્યું હતું એની નુકસાની પેટે પાકિસ્તાનને 6.2 કરોડ પાઉન્ડ તથા એના બે પ્રકલ્પ વિલંબમાં પડતાં એ પ્રકલ્પ માટે 87 કરોડ અમેરિકન ડોલર ચૂકવવા પડ્યા હતા. આજની કિંમતે આ રકમ કેટલી થાય એનો અંદાજ મેળવવો ભારતને કેટલો મોંઘો પડે એ સમજી શકાય છે.

વાત આટલે અટકતી નથી. આ મુદ્દે યુદ્ધના સંજોગો પેદા થાય પણ બેમાંથી એકેય દેશને યુદ્ધ કરવાનું પરવડે તેમ નથી. ઉલટાનું પાકિસ્તાન તરફ વહી જતું વધારાનું પાણી રાતોરાત રોકવાની યંત્રપ્રણાલિ તૈયાર કરવાની સ્થિતિમાં પણ ભારત નથી. વળી ભારત પાણી સંગ્રહની વ્યવસ્થા કરવા માંગે તો પણ પાંચ કે દસ વર્ષ લાગે. એ પહેલાં નદીઓનાં વધારાનાં જળને વાળવા માટે ડેમ બની શકે નહીં.

સિંધુ જળ સંધિ અન્વયે આ નદીઓનાં પાણીની વહેંચણી બંને દેશોને સ્વીકાર્ય એવા ડેમ બાંધી જળવિદ્યુત ઊર્જાના ઉત્પાદન સહિતના પાણીના વપરાશની એમાં જોગવાઈ છે. ભારત સિંધુ જળ સંધિ તોડવામાં કોઈ આક્રમક પગલું ભારે તો ચીન ટાંપીને બેઠું છે. એ ચીનમાંથી નીકળીને ભારતમાં વહેતી બ્રહ્મપુત્રા નદી થકી ભારતની 20 ટકા જળ જરૂરિયાતને ખોરવી નાખે. આમ પણ ચીન દાંડાઈ કરીને એ નદી પર ડેમ બાંધી ભારતનો પાણી પુરવઠો ખોરવવાના વહેંતાં જ છે. એના મિત્ર પાકિસ્તાનની વહારે ધાવાની તક ચૂકવા એ તૈયાર નથી. એટલે પાકિસ્તાન છાતી કાઢીને ગર્જના કરે છે કે ભારત આ સંધિ તોડતાં પહેલાં સો વાર વિચારશે. પાકિસ્તાની મીડિયામાં તો આ મુદ્દાને માત્ર મોદી સરકારનો વધુ એક ચૂંટણીલક્ષી ‘જુમલો’ જ ગણાવવામાં આવે છે.

e.mail : haridesai@gmail.com

હરિ દેસાઈ, લેખક જાણીતા પત્રકાર, સંશોધક વિશ્લેષક છે

સૌજન્ય : ‘પાણી વગરની વાત’, “દિવ્ય ભાસ્કર”, 08 ફેબ્રુઆરી 2017

Loading

...102030...3,4533,4543,4553,456...3,4603,4703,480...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved