Opinion Magazine
Number of visits: 9584564
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાયકલ પર વિશ્વભ્રમણ કરનારા ત્રણ ગુજરાતી

વિશાલ શાહ|Samantar Gujarat - Samantar|20 February 2017

ઈરાનના રણપ્રદેશમાંથી મેસોપોટેમિયા, સીરિયા અને સાયનાઈના અફાટ મેદાનો – જંગલોમાંથી સાયકલ લઈને સૌથી પહેલીવાર કોણ પસાર થયું હતું?

આખા કોરિયા ઉપખંડને ચીરતો સૌથી પહેલો સાયકલ પ્રવાસ કોણે કર્યો હતો?

અચ્છા, ત્રીજો સવાલ. સાયકલ પર ફક્ત ૧૬ કલાકમાં ૨૭૫ કિલોમીટરનું અંતર કાપવાનો સૌથી પહેલો વિશ્વ વિક્રમ કોણે નોંધાવ્યો હતો?

આ સવાલોનો આશ્ચર્યજનક અને અધૂરો જવાબ એ છે કે, આ ત્રણેય વિશ્વ વિક્રમ ગુજરાતી યુવાનોના નામે છે, જે ૧૯૨૩થી ૧૯૨૮ની વચ્ચે સર્જાયા હતા.

આટલાં વર્ષો પહેલાં ઈરાનનો રણપ્રદેશ, મેસોપોટેમિયા એટલે કે ઈરાકથી ગ્રીસ સુધીની ટાઇગ્રિસ અને યુફ્રેટિસ નદીના વેરાન મેદાનો, સીરિયાનું પાંચ લાખ સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલું અફાટ રણ અને સાયનાઈ એટલે કે ઇજિપ્તના લાલ અને ભૂમધ્ય સમુદ્ર વચ્ચે આવેલા નિર્જન વિસ્તારમાંથી પહેલીવાર સાયકલ લઈને નીકળેલા સાહસિકો ગુજરાતીભાષી હતા. કોરિયા જેવા ‘અજાણ્યા’ ઉપખંડને ચીરતો પહેલો સાયકલ પ્રવાસ કરનારા ગુજરાતીભાષી હતા. આજે તો સાયકલ સવારીના અનેક વિશ્વ વિક્રમો નોંધાયા કરે છે, પરંતુ નવ દાયકાથી પણ વધુ સમય પહેલાં સાયકલ પર ફ્કત ૧૬ કલાકમાં ૨૭૫ કિલોમીટરનું અંતર કાપવાનો વિશ્વવિક્રમ નોંધાવનારા પણ ગુજરાતીભાષી હતા. સાયકલિંગની દુનિયામાં બીજી અનેક સિદ્ધિઓ ગુજરાતના સપૂતોના નામે છે. જેમ કે, બર્ફીલા તોફાનો વચ્ચે સ્વિત્ઝર્લેન્ડની આલ્પ્સ પર્વતમાળાઓને સાયકલ લઈને ખૂંદનારા તેમ જ ચીન-જાપાનનું યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે આ બંને દેશના યુદ્ધક્ષેત્રોમાંથી સાયકલ લઈને પસાર થનારા પહેલવહેલા એડવેન્ચર ટ્રાવેલરો પણ ગુજરાતીભાષી હતા, એ હકીકતો જ કેટલી રોમાંચક છે!

ફેસબુક પર એવિડ ટ્રાવેલર કે એડરનલાઈન જંકી એવું સ્ટેટસ મૂકવું એ અલગ વાત છે અને કારકિર્દીને લાત મારીને, ફક્ત સાહસનો સળવળાટ સંતોષવા, ઘરેથી સાયકલ લઈને દુનિયા ફરવા નીકળી પડવું એ તદ્દન નોખી વાત છે. આ પ્રકારની સાહસ યાત્રામાં વ્યક્તિ સફળ થાય તો દુનિયા સલામ કરે પણ નિષ્ફળ જાય તો એ પ્રયાસને કોઈ યાદ સુદ્ધાં ના રાખે અને ગમે તેવો મહાન પ્રયાસ કરનારા પણ ગુમનામીની ગર્તામાં ધકેલાઈ જાય. દુ:ખની વાત એ છે કે, ૧૯૩૦ના દસકામાં ત્રણ પારસી યુવકોએ સાયકલ પર વિશ્વ ભ્રમણ કરીને સાયકલિંગ અને એડવેન્ચર ટ્રાવેલની દુનિયામાં અનેક વિશ્વ વિક્રમો નોંધાવ્યા હતા. આમ છતાં, ભારતમાં પારસીઓના પ્રદાનની વાત આવે ત્યારે તેમને ‘ગુજરાતી’ ગણાવીને છાતી ફૂલાવતા ગુજરાતે આ સાહસિક પ્રવાસીઓને, રાખવા જોઈએ, એવી રીતે યાદ રાખ્યા નથી.

***

૧૫મી ઓક્ટોબર, ૧૯૨૩ના રોજ બોમ્બે વેઇટલિફ્ટિંગ ક્લબના અદિ હકીમ, જલ બાપાસોલા, રૂસ્મત ભૂમગરા, કેકી પોચખનવાલા, ગુસ્તાદ હાથીરામ અને નરીમાન કાપડિયા નામના છ યુવાન સાયકલ લઈને દુનિયાનો આંટો મારવા નીકળ્યા હતા. જો કે, આ સાહસ યાત્રા અદિ, જલ અને રૂસ્તમ જ પૂરી કરી શક્યા હતા. સરેરાશ વીસ વર્ષની ઉંમરના એ ત્રણેય યુવાનો બોમ્બેથી દિલ્હી, આગ્રા, મુલતાન (હાલ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં) બલુચિસ્તાનના ક્વેટાથી ભારતીય ઉપખંડની સરહદ પાર કરીને ઈરાન, ઈરાક, સીરિયા, પેલેસ્ટાઈન, ઇજિપ્ત, ઈટાલી, સ્વિત્ઝર્લેન્ડ, હંગેરી, ઝેકોસ્લોવેકિયા, જર્મની, હોલેન્ડ, બેલ્જિયમ, ફ્રાંસ, ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, આયર્લેન્ડ, યુનાટેડ સ્ટેટ્સ, જાપાન, કોરિયા, બર્મા અને શ્રીલંકાનો સાયકલ પ્રવાસ કરીને ૧૮મી માર્ચ, ૧૯૨૮ના રોજ ભારત પરત ફર્યા, ત્યારે તેમના નામે ૭૦,૮૧૨ કિલોમીટરનું અંતર સાયકલ પર કાપવાનો વિક્રમ નોંધાઈ ગયો હતો. બોલતા બોલતા હાંફી જવાય એટલા દેશોનો પ્રવાસ કરવા અદિ, જલ અને રૂસ્તમે ચાર વર્ષ અને પાંચ મહિનાનો સમય લીધો હતો.

મુંબઈની દાદરસ્થિત વેઇટ લિફટિંગ ક્લબની બહાર અદિ, રૂસ્તમ અને જલ તેમની સાયકલો અને અન્ય સાધનસરંજામ સાથે

આજે ય હાર્ડકોર ટ્રાવેલર સિવાય કોઈ જવાનું પસંદ નથી કરતું એવા અનેક સ્થળોએ અદિ, જલ અને રૂસ્તમ સાયકલ લઈને ફર્યા હતા. આ યુવાનોએ મુંબઈથી નીકળતી વખતે શક્ય હોય ત્યાં બધે જ દરિયાઈ અને રેલવે મુસાફરી અવગણી હતી કારણ કે, તેઓ ઈચ્છતા હતા કે તેમનો મહત્તમ પ્રવાસ સાયકલ પર જ થાય. આ રીતે પ્રવાસ કરવામાં અનેક સ્થળોએ તેમની જબરદસ્ત માનસિક કસોટી થઈ અને ક્યાંક તો સાક્ષાત મોતના દર્શન પણ થયા. જેમ કે, ભારત સહિત અનેક પ્રદેશોના જંગલોમાંથી ગાઢ જંગલોમાંથી પસાર થતી વખતે જંગલી પ્રાણીઓ, સાપ, લૂંટારા અને માણસને ય મારીને ખાઈ જાય એવી આદિ જાતિઓનો સામનો કર્યો. ઈરાકથી સાયનાઈ સુધીના ૧૦૦૭ કિલોમીટરનો પ્રવાસ કરતી વખતે ૬૦ ડિગ્રી ગરમીમાં સાયકલ ચલાવવી પડી. યુરોપના અમુક વિસ્તારોમાં પોચટ હૃદયના માણસના તો ગણતરીની ક્ષણોમાં જ રામ રમાડી દે એવી હિમવર્ષાનો સામનો કર્યો. કેટલાક વિસ્તારોમાં તો બર્ફીલા વાવાઝોડા સાથેના વરસાદથી બચવા માટે તેઓ પોતાની રજાઈઓનો ઉપયોગ કરીને માંડ માંડ મોતની ચુંગાલમાંથી બચ્યા. આ સાહસિકોને ક્યાંક ઉમળકાભેર આવકાર મળ્યો તો ક્યાંક જેલની હવા પણ ખાવી પડી.

સાયકલ યાત્રામાં આવરી લેવાયા હતા એ દેશો અને શહેરો

અદિ, જલ અને રૂસ્તમનો સાયકલ પ્રવાસ એક સાહસયાત્રાથી ઘણો વિશેષ છે કારણ કે, તેઓ કોઈ પણ દેશની સરહદોને અડીને નીકળી નહોતા જતા પણ જે તે વિસ્તારોના જાણીતા ભૌગોલિક પ્રદેશો, જંગલો, નદીઓ, કોતરો અને પર્વતમાળાઓ નજીક સાયકલ પ્રવાસ કરતા. એટલું જ નહીં, તેઓ વિવિધ દેશોમાં નક્કી કરેલા સમયમાં સ્થાનિક સ્થાપત્યો, મ્યુિઝયમો, સંસ્કૃિત વગેરે વિશે જાણ્યા પછી જ આગળ વધતા હતા. આ વાતની સાબિતીરૂપે તેમણે અનેક દેશોના વડાપ્રધાનો, વિદેશોમાં બ્રિટન વતી ફરજ બજાવતા વાઈસરોય, ગવર્નર જનરલો, ઉચ્ચ સરકારી અને યુદ્ધ ક્ષેત્રોનો હવાલો સંભાળતા લશ્કરી અધિકારીઓના હસ્તાક્ષર પણ લીધા હતા. કમ્ફર્ટ ઝોનમાં રહીને એક પર્યટક(ટુરિસ્ટ)ની જેમ પ્રવાસ કરવો અને એક પ્રવાસી(ટ્રાવેલર)ની જેમ ઘરેથી નીકળી પડવું એમાં આસમાન-જમીનનો ફર્ક છે. સામાન્ય વ્યક્તિ પ્રિ-પ્લાન વિના ટ્રાવેલિંગ કરીને ‘પેકેજ્ડ ટુરિસ્ટ’થી કંઈક અલગ કર્યાનો સંતોષ જરૂર મેળવી શકે, પરંતુ દુનિયા યાદ રાખે એવા ટ્રાવેલર બનવા માથે ભૂત સવાર થયું હોવું જરૂરી છે. અદિ, જલ અને રૂસ્તમ ઘરેથી સાયકલ યાત્રાએ નીકળ્યા ત્યારે સારી રીતે જાણતા હતા કે, કદાચ તેઓ પાછા ના પણ આવે! પરંતુ એ એ ત્રણેય યુવાનોના માથે ભારત માટે કંઈક કરવાનું ભૂત સવાર હતું.

અદિ, જલ અને રૂસ્તમ કહેતા કે, ‘‘એક યુવાન હોવાના નાતે અમે ભારત માતાનું નામ દુનિયાના એ દરેક ખૂણામાં લઈ જવાની અત્યંત પ્રબળ ઈચ્છા ધરાવીએ છીએ, જ્યાં ભારત ફક્ત એક ભૌગોલિક વિસ્તાર તરીકે ઓળખાય છે. કોઈ રાજકીય ક્ષેત્રે કામ કરે તો કોઈ આર્થિક, પરંતુ અમે રમતગમત ક્ષેત્રે ભારતનું નામ રોશન કરવા ઈચ્છીએ છીએ. રમતગમતમાં નામના ધરાવતા દેશો અને ભારત વચ્ચે અમે કડી બનવા માગીએ છીએ, જેનું મહત્ત્વ બિલકુલ ઓછું નથી. અમારે પણ દુનિયાનો ઓતપ્રોત થઈને અનુભવ કરવો છે. અમે વિશ્વને પણ ભારત અને ભારતીયોથી પરિચિત કરાવવા માગીએ છીએ. આ અઘરા મિશનમાં સાયકલ પ્રવાસ એક નાનું સાહસ છે, પરંતુ અમે અમારું પ્રદાન આપવાનો નિર્ણય લઈ લીધો છે…’’ ‘‘અમે ઈચ્છીએ છીએ કે, અમારા પ્રવાસને બીજી પણ એક દૃષ્ટિએ જોવામાં આવે. આજનો યુવાન આવતીકાલનો નાગરિક છે. દુનિયામાં કશું પણ મેળવવા ચરિત્ર જોઈશે. ભવિષ્યના ભારતને બહાદુર, ઊર્જાસભર, સ્વપ્રેરણાથી આગળ વધનારા, જૂની રૂઢિઓને ફગાવી દેનારા, વ્યવસાયિક સાહસનું બુદ્ધિપૂર્વક આયોજન કરીને તેનો પૂરેપૂરી ક્ષમતાથી અમલ કરી શકે એવા ઉચ્ચ ચરિત્ર ધરાવતા નાગરિકો જોઈશે …’’

અદિ, હકીમ અને રૂસ્તમે આશરે ૯૪ વર્ષ પહેલાં આ શબ્દો લખ્યા હતા. એટલું જ નહીં, આજે સાયકલ, બાઈક કે કાર લઈને વિશ્વભ્રમણ કરતા મોટા ભાગના સાહસિકોની સમગ્ર ટૂર સપોર્ટેડ હોય છે, જ્યારે આટલાં વર્ષો પહેલાં તેમણે અનસપોર્ટેડ સાયકલ ટૂર કરી હતી. સપોર્ટેડ ટૂરમાં ટ્રાવેલરને અગાઉથી નક્કી કરેલાં અનેક સ્થળે મદદ મળે છે, જ્યારે અનસપોર્ટેડ ટૂરમાં આ પ્રકારની ‘લક્ઝરી’ મળતી નથી.

***

અદિ, જલ અને રૂસ્તમની કહાની પ્રવાસ, ધૈર્ય, હિંમત, સહશક્તિની જ નહીં પણ પારસીઓની ઉદારતા, બુદ્ધિચાતુર્ય અને ભારત માતા પ્રત્યેની દેશદાઝની પણ કહાની છે. દેશમાં આટલી ઓછી વસતી ધરાવતા પારસીઓ એક સમાજ તરીકે કેમ જબરદસ્ત સફળતા મેળવી શક્યા છે એની પણ કહાની છે. પત્રકારત્વ, રંગભૂમિ અને વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે પણ પારસીઓ હંમેશાં જમાનાથી આગળ કેવી રીતે રહી શક્યા છે એની પણ કહાની છે. આ કહાની એ પારસીઓની પણ છે, જે આઠમી સદીમાં શરણાર્થીઓ તરીકે ગુજરાતમાં સંજાણના દરિયાકાંઠે ઉતર્યા હતા અને હજુયે પારકી ભૂમિનું ચૂપચાપ ઋણ ઉતારી રહ્યા છે. આજકાલ શરણાર્થીઓને નફરત કરવાનો યુગ ચાલી રહ્યો છે અને શરણાર્થીઓ પણ શરણું આપનારા દેશોનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ રહ્યા છે, ત્યારે પારસીઓ દુનિયા માટે જીવતીજાગતી મિસાલ છે.

પુસ્તકનું કવરપેજ

આ કહાનીઓ ‘વિથ સાયકલિસ્ટ્સ અરાઉન્ડ ધ વર્લ્ડ’ નામના પુસ્તકના પાને પાને વાંચવા મળે છે. આ પુસ્તક પણ ખુદ એક કહાની છે. અદિ, જલ અને રૂસ્તમ મુંબઈ પરત ફર્યા ત્યારે સ્વજનો, સગાંવ્હાલા ંઅને બીજા અનેક લોકો તેમને સાયકલ પ્રવાસ વિશે સવાલો પૂછતા. આ લોકોને જવાબ આપવા તેમણે ‘વિથ સાયકલિસ્ટ્સ અરાઉન્ડ ધ વર્લ્ડ’ નામે એક ટ્રાવેલોગ પ્રકાશિત કર્યો, જે આ પ્રવાસ વખતે લખેલી ડાયરીથી વિશેષ ન હતો. રસપ્રદ વાત એ છે કે, ટાઇપ રાઇટર પર લખાયેલા આ પુસ્તકનું આમુખ જવાહરલાલ નહેરુએ લખી આપ્યું હતું. આમુખની પહેલી જ લીટીમાં નહેરુ લખે છે કે, આ પ્રકારનું પુસ્તક આપનારા જુવાનિયાઓની મને ઈર્ષા થાય છે…

આ પુસ્તક સહિત અદિ, જલ અને રૂસ્તમની ડાયરી, તસવીરો વગેરે અદિ હકીમના વડોદરાસ્થિત પુત્ર દારાયૂસ હકીમ અને રોડા હકીમના ત્યાં સચવાયેલું છે, જે તેમના ફેમિલી ફ્રેન્ડ એસ્થર ડેવિડના ધ્યાનમાં આવ્યું. એસ્થર ડેવિડ અમદાવાદસ્થિત જાણીતાં લેખિકા અને કળા વિવેચક છે. એ પછી એસ્થર ડેવિડના પ્રયાસથી વર્ષ ૨૦૦૮માં હકીમ પરિવારે અદિ, જલ અને રૂસ્તમની સાયકલ યાત્રા ‘વિથ સાયકલિસ્ટ્સ અરાઉન્ડ ધ વર્લ્ડ’ નામે પ્રકાશિત કરી. આ પુસ્તકમાં પણ નહેરુએ લખેલું આમુખ, અદિ-જલ-રૂસ્તમની પ્રસ્તાવના અને તેમણે લીધેલા વૈશ્વિક હસ્તીઓના હસ્તાક્ષરનો સમાવેશ કરાયો છે.

ત્રણેય સાહસવીરો (વચ્ચે રૂસ્તમ, જલ અને અદિ) પરત આવ્યા ત્યારે મુંબઈના માતૃ-પિતૃ નિવાસ નવરોઝ બાગની બહાર ક્લિક કરાયેલી એ ગર્વિષ્ઠ ઐતિહાસિક ક્ષણ

આ પુસ્તકના આધારે મહેન્દ્ર દેસાઈએ ‘ચિત્રલેખા’ સામાયિકમાં ‘પેડલ પર પૃથ્વીની પરકમ્મા’ નામે હપ્તાવાર નવલકથા લખી હતી. જુલાઈ ૧૯૮૪માં આ નવલકથા પુસ્તક સ્વરૂપે પણ પ્રકાશિત થઈ. એટલું જ નહીં, ગુજરાતીઓને ‘સળગતા સૂરજમુખી’ જેવો ઉત્કૃષ્ઠ અનુવાદ આપનારા સ્વ. વિનોદ મેઘાણીએ આ નવલકથાનો અંગ્રેજી અનુવાદ પણ કર્યો છે, જે પ્રકાશકો સાથે મેળ નહીં પડવાના કારણે હજુયે અપ્રકાશિત છે. આ અંગ્રેજી રૂપાંતર માટે તેમણે નવલકથાના વિવિધ પ્રસંગોના સુંદર સ્કેચ પણ તૈયાર કરાવ્યા છે, જે હાલ તેમના ઘરે સચવાયેલા છે.

બીજી એક વાત. ‘વિથ સાયકલિસ્ટ્સ અરાઉન્ડ ધ વર્લ્ડ’ એડવેન્ચર ટ્રાવેલ કેટેગરીમાં દુનિયાના શ્રેષ્ઠ પુસ્તકોમાં સ્થાન પામે એવું છે. આ પુસ્તક પારસીઓ માટે જ નહીં, તમામ ગુજરાતીઓ માટે ગૌરવ લેવા જેવો ઐતિહાસિક દસ્તાવેજ છે. આમ છતાં, તેનો હજુ સુધી ગુજરાતી અનુવાદ ઉપલબ્ધ નથી. ભારતીયો ઈતિહાસને કદાચ ગંભીરતાથી લેતા હોત તો, ગુજરાતના કોઈ શહેરમાં કે પછી મુંબઈમાં આ ત્રણેય સાહસિકોના નામે એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જરૂર હોત!

***

આ સાયકલ યાત્રની વાત અદિ, જલ અને રૂસ્તમના જ શબ્દોમાં પૂરી કરીએ. તેઓ કહેતા કે, ‘‘… આજના યુવાનોને પ્રેરણામૂર્તિની જરૂર પડે છે. જો અમારું સાહસ એ દરેક આશાસ્પદ યુવાનમાં પડેલી સુષુપ્ત શક્તિને પ્રગટ કરવામાં મદદરૂપ થશે, જો આ મિશનમાંથી લોકો શીખશે કે પ્રયાસ કરવાથી સફળતા મળે જ છે, જો અમારા આ પ્રયાસથી લોકો સમજશે કે જ્યાં સુધી તમે જાતની કસોટી કરતા નથી ત્યાં સુધી તમે તમારી શક્તિઓથી અજાણ રહો છો, જો આ સાહસથી યુવાનોને એવા ગર્વની લાગણી થશે કે ભારત માતાના સપૂતો પણ બીજા દેશોથી જરાયે ઉતરતા નથી, તો અમને પૂરો વિશ્વાસ છે કે અમારી આ સાહસયાત્રા નિરર્થક સાબિત નહીં થાય …’

‘ફ્રેન્કલી સ્પીકિંગ’ નામક લેખકની કોલમ, ‘શતદલ’ પૂર્તિ, “ગુજરાત સમાચાર”, 31 જાન્યુઆરી 2017

સૌજન્ય : http://vishnubharatiya.blogspot.co.uk

e.mail : vishnubharatiya@gmail.com

Loading

દેશપ્રેમીઓ, આ કોયડાનો જવાબ આપશો?

રમેશ ઓઝા
, રમેશ ઓઝા|Opinion - Opinion|20 February 2017

સ્કૂલોમાં રાષ્ટ્રગીત ગાયા વિના, સિનેમાઘરોમાં ઊભા થઈને રાષ્ટ્રગીતને આદર આપ્યા વિના, ધ્વજને સલામી આપ્યા વિના કે પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાઓમાં ગયા વિના આટલી મોટી સંખ્યામાં દેશપ્રેમીઓ ક્યાંથી પેદા થયા હતા?

ભારત સરકારના ઍટર્ની જનરલ મુકુલ રોહતગીએ ગયા અઠવાડિયે સર્વોચ્ચ અદાલતમાં રજૂઆત કરી હતી કે રાષ્ટ્રગીત ગાવાની બાબતે સ્પષ્ટ અને કડક આદેશ આપવો જોઈએ અને એની શરૂઆત સ્કૂલોથી થવી જોઈએ, કારણ કે ભારતના પ્રત્યેક નાગરિકને દેશપ્રેમના સંસ્કાર આપવા જરૂરી છે. તેમણે એવી પણ માગણી કરી હતી કે કેરળની સ્કૂલમાં ભણતી યહૂદી બાળાઓએ ચાર દાયકા પહેલાં રાષ્ટ્રગીતના ફરજિયાતપણાને પડકાર્યો હતો અને સર્વોચ્ચ અદાલતે એ સમયે એ વિદ્યાર્થિનીઓની તરફેણમાં ચુકાદો આપ્યો હતો એ પણ રિવ્યુ થવો જોઈએ. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે ઇમૅન્યુઅલ સિસ્ટર્સની પિટિશન સર્વોચ્ચ અદાલતમાં બે જજોની બેન્ચે સાંભળી હતી અને ચુકાદો આપ્યો હતો. એ ચુકાદાને રિવ્યુ કરવો હોય તો ત્રણ જજોની બેન્ચ રચવી પડે. આ બાબતે શું કરવું એ હવે પછીની સુનાવણી વખતે વિચારવામાં આવશે. ઇમૅન્યુઅલ સિસ્ટર્સની શું દલીલ હતી અને સર્વોચ્ચ અદાલતે શું ચુકાદો આપ્યો હતો એ વિશે હું આ કૉલમમાં લખી ચૂક્યો છે એટલે એની ફરી વાત કરવાની જરૂર નથી.

સારી વાત છે, દેશપ્રેમના સંસ્કાર તો બાળપણથી આપવા જોઈએ; પરંતુ સવાલ એ છે કે એ શું કાયદાથી થશે? નરવી રાષ્ટ્રીય ચેતના જાગૃત કરવામાં આપણે એટલા બધા નિષ્ફળ નીવડ્યા છીએ કે હવે આપણને કાયદાની જરૂર પડવા લાગી છે? કુટુંબભાવના પેદા કરવા માટે માતૃપ્રેમ કે ભાતૃપ્રેમ નિતાંત આવશ્યક છે એટલે શું એના માટે પણ કાયદા ઘડીશું? ઍટર્ની જનરલ કક્ષાની વ્યક્તિ કાયદાની ભૂમિકા, પ્રાસંગિકતા અને મર્યાદા ન જાણતી હોય એ તો કમાલ જ કહેવાય. સરકારની નોકરી છે એટલે સરકારને ગમે એવી દલીલો કરવી પડે. બાકી મામૂલી વકીલ પણ જાણે છે કે કાયદાઓથી દેશ કે સમાજ બદલતો નથી. જો કાયદાઓથી સમાજ બદલતો હોત તો દેશ આજે ભ્રષ્ટાચારમુક્ત હોવો જોઈતો હતો.

માનવીય સમાજમાં જે ન કરવાનું હોય એ કરવામાં આવે એને રોકવા માટે કાયદા હોય, જે કરવાનું અપેક્ષિત છે એ કરવા માટે કાયદાઓ ઘડવામાં આવતા નથી. આ સાદી સમજ ધરાવનાર પણ જાણે છે. કોઈ પ્રત્યે અસ્પૃશ્યતાનો વહેવાર કરવો એ માનવીય સમાજમાં ન કરવા જેવું કામ છે એટલે એને રોકવા માટે કાયદો છે, જોઈ ન શકતો કોઈ માણસ રસ્તો ક્રૉસ કરતો હોય તો તેનું બાવડું પકડવું પડશે એવો આદેશ આપનારો કાયદો ન હોય.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની, ભારત સરકારની, ભારત સરકારના ઍટર્ની જનરલની અને બાકીના તમામ દેશભક્તોનું મારે એક હકીકત તરફ ધ્યાન ખેંચવું છે. આઝાદી પહેલાં ૧૯મી અને ૨૦મી સદીમાં બાળકો પારણામાં જ ડરતાં શીખીને મોટા થતાં હતાં. એ પછી સ્કૂલોમાં લૉન્ગ લિવ ધ કિંગનું ગાન કરીને બ્રિટિશ સામþાજ્ય પરત્વે વફાદારી વ્યક્ત કરીને એ પેઢી મોટી થઈ હતી. પારણાથી લઈને મૃત્યુ સુધી સ્વદેશપ્રેમનો પાઠ ભણાવે એવો ભાગ્યે જ કોઈ અવસર તેમના જીવનમાં આવતો હતો અને એ છતાં આપણા કરતાં સવાયા અને સાચા દેશભક્તો એ યુગે પેદા કર્યા હતા. સ્કૂલોમાં રાષ્ટ્રગીત ગાયા વિના, સિનેમાઘરોમાં ઊભા થઈને રાષ્ટ્રગીતને આદર આપ્યા વિના, ધ્વજને સલામી આપ્યા વિના, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાઓમાં ગયા વિના આટલી મોટી સંખ્યામાં દેશપ્રેમીઓ ક્યાંથી પેદા થયા હતા? સ્કૂલોમાં તો લૉન્ગ લિવ ધ કિંગનું ગીત ગાવું ફરજિયાત હતું.

તો આનો અર્થ એ થયો કે દેશપ્રેમને કાયદાકીય આદેશો સાથે કોઈ સંબંધ નથી. દેશપ્રેમ કાયદાકીય સર્જન હોઈ જ ન શકે. લૉન્ગ લિવ ધ કિંગ ગાવું એ કાયદાકીય આદેશ હતો અને એ છતાં આપણે પોતે અંગ્રેજો સામે લડીને આઝાદી મેળવી હતી. આનાથી ઊલટું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ઇતિહાસ જુઓ. આઝાદીની એક પણ લડતમાં એના સ્વયંસેવકોએ ભાગ લીધો નહોતો કે સંઘે કોઈ લડત લડી નહોતી. સંઘ સાથે સંકળાયેલા એવા એક પણ સ્વયંસેવકનું નામ બતાવો જેણે આઝાદીની લડતમાં મર્દાનગીનું પ્રદર્શન કર્યું હોય. દેશભક્તિના પાઠ તો રોજ શાખાઓમાં ભણાવવામાં આવે છે, પરંતુ જ્યારે જાન ન્યોછાવર કરી દે એવા દેશભક્તોની દેશને જરૂર હતી ત્યારે સંઘનું ખાતું કોરું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાઓમાં તૈયાર થયેલા સ્વયંસેવકો આજે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે. ભારતીય જનતા પાર્ટીના કેટલા નેતાઓ સ્વચ્છ છે?

ટૂંકમાં, શાખાઓમાં દેશપ્રેમીઓ પેદા થતા નથી, સ્કૂલોમાં દેશપ્રેમીઓ પેદા થતા નથી, કાયદાથી તો મુદ્દલ થતા નથી તો પછી દેશપ્રેમના સંસ્કાર નાગરિકો સુધી પહોંચાડવા કઈ રીતે? મારો ઉત્તર એવો છે કે દેશપ્રેમ કરતાં પણ વધુ વ્યાપક માનવીય પ્રેમના સંસ્કાર જો આપવામાં આવે તો એવો નાગરિક દેશને પ્રેમ કરતાં શીખશે, માનવીને પ્રેમ કરતાં શીખશે, બીજાના ધર્મને આદર આપતાં શીખશે, સ્ત્રીનું સન્માન કરતાં શીખશે, બીજાની સ્વતંત્રતાનો આદર કરતાં શીખશે વગેરે એમાં ઑલ ઇન વન આવી જશે. માનવીય પ્રેમ ર્નિવિરોધી છે, જ્યારે દેશપ્રેમમાં તો હજીયે વિરોધ છે. એટલે વિનોબા ભાવેને અનુસરીને હું જય જગતમાં માનું છું.

૧૯મી અને ૨૦મી સદીમાં મોટી સંખ્યામાં દેશપ્રેમીઓ કેમ પાક્યા હતા એ જાણો છો? કારણ કે સંસ્થાનવાદી શોષણ અને ગુલામીના એ યુગમાં જગતમાં જે ખોજ શરૂ થઈ હતી એ માનવીય ગરિમાપૂર્ણ ન્યાયી સમાજની ખોજ હતી. ૧૯મી સદીના વિમર્શનો મુખ્ય વિષય માનવીય મૂલ્યો અને ગરિમા હતો. ગુલામીથી મુક્તિ એનું આડ પરિણામ હતું. એટલે તો સવર્ણો જ્યારે રાજકીય આઝાદીને મહત્ત્વ આપતા હતા ત્યારે શૂદ્રોએ કાન આમળીને કહ્યું હતું કે તમારા સમાજની અંદર ગુલામીનાં બીજાં સ્વરૂપો પણ છે એટલે એક નજર એના તરફ પણ કરો. આ હકીકત જ સાબિત કરે છે કે ખોજ અને જદ્દોજહદની આખી પ્રક્રિયા માનવમુક્તિ માટેની હતી, દેશની મુક્તિ તો એનું આડપરિણામ હતું. એ યુગમાં દેશપ્રેમીઓ આવા નિર્વિરોધ વાતાવરણમાં પેદા થયા હતા.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 20 ફેબ્રુઆરી 2017

Loading

Communal Construction of the Past: Attack on Unit Filming Padmavati

Ram Puniyani|English Bazaar Patrika - OPED|18 February 2017

Sanjay Leela Bhansali’s (SLB) unit filming the period film, Padmavati was attacked recently (January 2017) near Jaipur in Rajasthan. The pretext was that there is a dream sequence in the film which depicts Alauddin Khilji, the Muslim King and the Rajput Princess Padmavati. The attack was organized by one Karni Sena which claims to be working for preservation of Rajput honor and which felt that the film is an insult on the community honor of Rajputs. Interestingly the film is at the shooting stage and the Karni Sena has no access to the script of the film. The rumor about the dream sequence made them launch the attack against the film unit. It was not surprising that the state sat back, no condemnation of the attack by the state leadership was there. SLB also decided to pack off and not to do the shooting in Rajasthan. He has been threatened by BJP-VHP leaders daring him to shoot the film anywhere in India. The same Karni Sena had earlier vandalized the cinema theaters showing the film Jodha Akbar, depicting another Rajput princess.

The Allauddin Khilji-Padmavati story is from the annals of fiction, while some unauthenticated sources claim that since Khilji was for real; the tale about him must also be true. As such the reality is that the popular narrative of Padmavati and her Jauhar (immolation) are based on the work of fiction by a Sufi saint, Malik Mohammad Jayasi, in sixteenth century, two centuries after reign of Khilji. The narration of Padmavat, a classic of sorts, revolves around the love story of Ratan Singh, the king of Chittor and Padmavati, the princess of imaginary Simhala Island. Ratan Singh came to know about the beauty of the princess from her parrot, Hiraman. Guided by Hiraman; Ratan Singh pursues the princess and the lovers unite. As per this fictional tale Ratan Singh is betrayed by some Raghav Pandit, is attacked by the King of Kumbhalner and dies. King of Kumbhalner has also an eye on Padmavati. Meanwhile Khilji, who has seen the beauty of princess and is smitten by that also attacks Ratan Singh’s kingdom, just to find that Padmavati along with other women have committed jauhar, mass self immolation. The Sufi mystic who has written this immortal classic presents the tale as a metaphor for human soul seeking out and futility of power.

Over a period of time the narration has just been reduced to Padmavati as a symbol of Rajput honor and Khilji as the Islamic invader; full of lust. The construction of the past by the communities has been greatly influenced by the present political scenario. This narrative revolves around the communal view of history where Kings are presented as the vehicles of their religion. The aspect of power as the central motive of kings is bypassed in this view of history. In contemporary times this is the orientation which forms the core of community memory, which has been constructed over a period of time. The aim of this narration is to present the valor of Rajput kings. As per this they defended valiantly against the Muslim rulers and protected the honor of ‘their women’. In turn women also committed immolation rather than being defiled by the Muslim kings. This narrative is totally in opposition to the reality of the long historical stretch where the Mughal-Rajput interaction was the fulcrum around which political alliances were forged and Rajput daughters married the Muslim-Mughal kings in particular.

Few years ago when the film Jodha Akbar was vandalized. This film also has the theme of Muslim King-Hindu princess. Presentation of many an incident of the past has also been heavily colored by the part of fiction as well. As such what was witnessed in the subcontinent was the attempt by Mughal kings to build an Empire, which involved battles and alliances both. Akbar and Rana Pratap had a battle but later Rana Pratap’s son Amar Singh enters into alliance with Akbar’s son Jahangir. Rajput kings also adorned high positions in Mughal administration. Mughal Rajput syncretism in particular was the important factor of medieval period at social and political level.

There are two sets of presentations about the Rajput Princesses. The powerful and more gripping one, which captures the mass imagination, is the one which glorifies the self immolation to save the community honor. The second one is that of the inter-marrying of princely families revolving around power. The prevalent patriarchal notions do see ‘giving away daughters’ as a sort of community defeat and so these narrations are being erased from memory and the notions of jauhar are being put forward as the badge of honor. Film Jodha Akbar presented the matter of fact marriage of a Rajput princess with a Mughal king as a political pact between two ruling families. Today the attempt is to wipe away such memories which are uncomfortable in prevalent constructions of community honor. So the discomfort with the presentations in Jodha Akbar was there.

With Padmavati, the matters are being taken one step further. The vigilantes of ‘community honor’ have attacked merely on the basis of a rumor. One does not know what the film director has in mind, but the dream sequence of a Muslim man with a Hindu girl is creating the discomfort in the minds of the likes of Karni Sena. Surely such attitudes have gone up during last three decades and seem to be growing unchecked over a period of time. The artistic freedom is being controlled by those belonging to right wing nationalism and their wings are becoming stronger and going unchecked as the Hindutva politics is getting legitimacy and strength. Film makers have felt the wrath of these groups with increasing intensity. The political system which should be committed to the values of freedom of expression is mostly a bystander, underlining the fact that this ideology of Hindutva has no place for diverse presentation of the past, neither for the creative freedom of the artists. The state is failing the ‘democracy test’ time and over again.  

Loading

...102030...3,4473,4483,4493,450...3,4603,4703,480...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved