અત્યારે આપણા ગુજરાતમાં, મોટા ભાગનાં શહેરો અને ગામડાંઓમાં બૉર્ડ ગુજરાતીને બદલે અંગ્રેજીમાં જોવા મળે છે. મહારાષ્ટ્રમાં તમામ દુકાનો અને જાહેર સ્થળો ઉપર મરાઠી ભાષામાં, (અંગ્રેજીની સાથે) બૉર્ડ વાંચવા મળે છે. આપણા ગુજરાતમાં અંગ્રેજીની સાથે ગુજરાતી ભાષામાં બૉર્ડ જરૂરી છે, તમામ હોટલો, સંસ્થાઓ, લિફ્ટમાં, જાહેર જાજરૂ, બાથરૂમ તેમ જ જાહેરખબરમાં ગુજરાતી લિપિમાં શબ્દો જરૂરી છે. આ માટે ગુજરાતી સાહિત્ય પરિષદ, તમામ લેખકો, પત્રકારોએ ઝુંબેશ ચલાવવી જોઈએ, જેનાથી ગુજરાતી ભાષાનો પ્રચાર થશે. પ્રજા જ્ઞાની થશે, તેમ જ તેનાથી વેપાર-ઉદ્યોગ-ધંધાને પણ ફાયદો થશે.
(મેમનગર, અમદાવાદ)
![]()


એ સત્તાવીસ મે, ૧૯૬૪નો દિવસસ્તો હતો. પણ આરંભ ત્યાંથી નહીં પણ બરાબર બત્રીસ વરસ આગળ જઈને સત્તાવીસ મે, ૧૯૯૬થી કરીએ તો? એન.ડી.એ. તેર દિવસની સરકારને અંતે (એક વાર અમે શપથ લીધા કે અમારે ત્યાં જોડાનારા થોકેથોકે ઉમટશે, એવા સુષમા સ્વરાજના બચકાના ઉદ્ગારો સામે) વિશ્વાસમત સંપાદિત કરવાની સ્થિતિમાં નહીં હોવાના કારણે વાજપેયીએ ગૃહ વાટે (કોઈ વડાપ્રધાનનું પહેલું ટેલિવાઇઝ્ડ) સંબોધન કર્યું હતું; અને આજે પ્રથમ વડાપ્રધાન નેહરુની પુણ્યતિથિ છે ત્યારે એમને વંદન કરીને મારી વાત કરીશ અને પછી રાષ્ટ્રપતિને રાજીનામું આપવા જઈશ એવી માંડણી કરી હતી.
કૉંગ્રેસના નેહરુ અને ભા.જ.પ.ના સરદાર, એવાં છીછરાં પાણીનાં છબછબિયાંથી, સામસામા પ્રચારમાર્તંડોથી તે ભાગ્યે જ પ્રીછી તો શું પકડી પણ શકાય. દ્વેષી માનસ પટેલમાં ઘોર કોમવાદી જુએ કે પછી વળતું દ્વેષી માનસ પટેલ ભારતની એકતાના સ્થપતિ (આર્કિટેક્ટ) હતા એવી ઉમદા સ્થાપના કરી જાણનાર જવાહરલાલને નહીં ઓળખવાની ચેષ્ટા કરે, અને ઉપરથી ફટકારે કે વલ્લભભાઈ ગયા ત્યારે નેહરુને સ્મશાને જવાની ફુરસદ નહોતી. અલબત્ત, તે દિવસનો વીડિયો જુદી વાત કહેતો હોય, પણ —