Opinion Magazine
Number of visits: 9767294
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘ધ મિનિસ્ટૃી અૉવ્ અટમૉસ્ટ હેપિનેસ’

ડાહ્યાભાઈ નાનુભાઈ મિસ્ત્રી|Opinion - Literature|31 July 2017

આક્રમક અને ભગવાકરણની રાજકીય – સાંસ્કૃિતક ઊથલપાથલ ભારતમાં થઈ રહી છે. એનો ચિતાર અરુંધતી રોય પોતાની નવલમાં − The Ministry of Utmost Happinessમાં સરસ રીતે રજૂ કરે છે. કાશ્મીરમાં જે થઈ રહ્યું છે અને ‘એન્કાઉન્ટર્સ’[encounters]માં જે વરવાં રાજકારણનું રૂપ દેખાઈ રહ્યું છે એને ખૂલું પાડવામાં અરુંધતી રોયે અજબગજબની ભાષા અને શૈલી વાપરી છે, તેમ જ પાત્રોનો ય ઢગલો એમણે સર્જ્યો છે. અમુક વખતે વાંચતાં કંટાળો પણ આવે, પરંતુ ધ્યાન-મનન-પૂર્વક વાંચતાં ઘટનાની સચ્ચાઈનો અને લેખિકાની અનુભૂિતનો ખ્યાલ આવે છે. એનો પુરાવો કાશ્મીરમાં બની ગયેલી એક ઘટનાના સમાચારમાંથી મળે છે. લેખિકા લખે છે :

“Is this the Azadi (freedom) we are fighting for that we have begun lynching people ? What shall we do with such Azadi”, asked an aggrieved relative of Mohammed Ayub Pandith, a Deputy Superintendent of Police who was brutally lynched by a mob outside Srinagar’s Grand Mosque (last week of June).

The incident has shaken the very core of the Kashmir Valley, a region that has for ever remained controversial and rife with violence. After decades of hatred, unshakeable hostility, aggressive movements from jihadis, and separatists, resistance from the locals, and reported Army atrocities, it took a police officer’s life for Kashmir to finally take a break, and a good look at itself.

અરુંધતી રોયની નવલકથા ઘણી જ વિચારપ્રેરક રહી; અને કલમની તાકાતનો ક્યાસ આપતી રહી.

26 જુલાઈ 2017

બર્મિંગમ, યુનાઇટેડ કિંગ્ડમ

Loading

લાઇબ્રેરીઓ રૂપી ભર્યા ભંડારો ન હોત તો આજનો માહિતીયુગ વામણો રહી ગયો હોત, ઇન્ટરનેટ માયકાંગલું રહી ગયું હોત

સુમન શાહ|Opinion - Literature|30 July 2017

વૉશિન્ગટન-ડીસીમાં કૅપિટલ હિલ ખાતે આવેલી ‘ધ લાઇબ્રેરી ઑફ કૉન્ગ્રેસ’ વિશ્વની મોટામાં મોટી લાઇબ્રેરી છે

અમેરિકાની ‘લાઇબ્રેરી ઑફ કૉન્ગ્રેસે’ ‘ધ કાર્ડ-કૅટલોગ…’ નામનો ગ્રન્થ બહાર પાડ્યો છે. એક જબરી સાંસ્કૃતિક ઘટના -જે આજકાલ સમાચારોમાં છે. વૉશિન્ગટન-ડીસીમાં કૅપિટલ હિલ ખાતે ત્રણ બિલ્ડિન્ગમાં પથરાયેલી ‘ધ લાઇબ્રેરી ઑફ કૉન્ગ્રેસ’ વિશ્વની મોટામાં મોટી લાઇબ્રેરી છે. યુનિવર્સલ. કેમકે એમાં વિશ્વભરની ૪૫૦-થી પણ વધુ ભાષાઓનાં ૩૮ મિલિયન પુસ્તકો છે. ૭૦ મિલિયન હસ્તપ્રતો, ૩-થી વધુ મિલિયન રૅકૉર્ડિન્ગ્સ, ૧૪ મિલિયન ફોટોગ્રાફ્સ, ૫-થી વધુ મિલિયન નક્શા. બધું મળીને ૧૬૪ મિલિયન આઇટેમ્સ. અપારની વિવિધતા છે : રાષ્ટ્ર નાતજાત કે ધરમકરમના કશા જ ભેદભાવ વગરના સંખ્યાબંધ વિષયો. પુસ્તકો, ક્રાઉન ડૅમિ વગેરે વિવધ આકારોમાં. દુનિયાના કેટલાય દેશોમાં ચાલતાં સંશોધનોના નમૂના અને સિદ્ધ સંશોધનગ્રન્થો. ૧૮૦૦-માં સ્થપાયેલી આ લાઇબ્રેરી પહેલાં તો ન્યૂ યૉર્કમાં હતી. ૧૮૧૨-ના યુદ્ધમાં બ્રિટીશરોએ લાઇબ્રેરીની ઘણી બધી સામગ્રીનો નાશ કરી નાખેલો. એટલે પ્રૅસિડેન્ટ થૉમસ જેફરસનની અંગત લાઇબ્રેરીનાં બધાં જ પુસ્તકો ખરીદી લઇને એને સ-જીવન કરાયેલી. આજે તો એનું બજેટ $642 મિલિયન છે. પણ એના સર્વપ્રથમ ગ્રન્થપાલ જ્હૉન જે. બેકલિનો પગાર, ધારો તમે, કેટલો હશે ? હન્ડ્રેડ થાઉઝન્ડ્સ ? ના. રોજના બે ડૉલર ! પાછું એણે ‘હાઉસ ઑફ રીપ્રેઝેન્ટેટિવ્સ’-નું કારકુનીકામ પણ કરવાનું !

ગ્રન્થનું આખું શીર્ષક છે, ’ધ કાર્ડ-કૅટલોગ : બુક્સ, કાર્ડ્ઝ, ઍન્ડ લિટરરી ટ્રેઝર્સ’. પ્રકાશન વર્ષ, ૨૦૧૭. હાર્ડ કવર. 7.9 x 1 x 9.4 inches સાઇઝ. ૨૨૪ પેજીસ. મૂલ્ય $22.48. એમાં, દન્તકથારૂપ લાઇબ્રેરી ઑફ અલેક્ઝાન્ડ્રિયા-થી માંડીને ૧૯૭૬-થી શરૂ થયેલી કમ્પ્યૂટરાઇઝ્ડ બુક ઇન્વેન્ટરી ડેટાબેસિસ લગીની તવારીખ છે. લાઇબ્રેરી નામની માનવીય વ્યવસ્થાનો સંક્ષિપ્ત ઇતિહાસ, એનો સર્વસાર.

આ વાતે મને મારો એક વરસોજૂનો બનાવ યાદ આવે છે : ૧૯૮૨ આસપાસની વાત. બનેલું એમ કે યુનિવર્સિટી લાઇબ્રેરીમાંથી મારે એક પુસ્તક જોઇતું’તું. ત્યાં ઘણાં કાર્ડ્ઝ, પણ મને આવડે નહીં એટલે ઘણી વાર પછી એક કાર્ડ પર પુસ્તકનું નામ અને નમ્બર શોધી શકેલો. કાપલી બનાવીને હું ઘોડો શોધતો રહ્યો -જે પર મને જોઇતું પુસ્તક અસવાર હતું. બહુ વાર લાગી. હું બેઝમૅન્ટમાં ગયો. બાજુમાં એક મદદનીશભાઇ ફરતો’તો. મેં એને કહ્યું, આ જોઇએ છે, ઘોડો બતાવશો ? મેં કાપલી એના હાથમાં મૂકી. એ લઇને એ જેમજેમ આમતેમ ભમતો થયો તેમતેમ હું પણ એની પાછળ ને પાછળ આમ ને તેમ ભમતો રહ્યો. કંટાળીને મેં પૂછ્યું -કેટલે છે ? તો કશો ઉત્તર નહીં. અમારી ઘોડશોધ ચાલુ રહી. પછી ઘોડો મળ્યો, પણ એ તો તરત ચાલી જવા લાગ્યો ! મેં કહ્યું, અરે પણ, પુસ્તક શોધવામાં મદદ તો કરો ! તો પણ એ ચૂપ ચાલતો રહ્યો, કશો ઉત્તર નહીં. મેં ઘણાં પુસ્તક ઉથલાવ્યાં, પણ નિષ્ફળતા જ મળી. કેમકે ઘોર અવ્યવસ્થા હતી. મને થાય, યુનિવર્સિટી-લાઇબ્રેરીમાં મદદનીશ વ્યક્તિ યુનિવર્સિટી-ટીચરને મદદ કદાચ ન કરે પણ મૂંગાની જેમ કશો ઊથલો જ ન આપે એ તે શી વાત છે ! મેં દયનીય વદને જોયું તો એ બીજા ઘોડાઓ પરની ધૂળ ઉડાડતો’તો. એની નિકટતમ જઇ મેં કહ્યું -પ્લીઝ, નથી મળતું, મદદ કરોને. ડોકું નકારમાં હલાવતો એ નિ:શબ્દ ત્યાંથી પણ ચાલી ગયો.

એ દિવસોમાં મને આવી સિસ્ટમલેસ સિસ્ટમ માટે ગુસ્સો બહુ આવે -હશે મારી ઉમ્મર ૪૨. એટલે, હું સીધો પ્હૉંચ્યો મુખ્ય ગ્રન્થપાલ પાસે. વીતકકથા કથી. તો એ હસે ! મેં પૂછ્યું : હસો છો શું ? તો કહે : સુમનસર, એ તો મૌની છે, એની વાઇફ મરી ગઇ એ પછી એણે ચિરકાલીન મૌન ધારણ કર્યું છે : મેં કહ્યું : તો પછી એને દૂધેશ્વર-સ્મશાન પાસેના કોઇ મન્દિરમાં મૂકી આવોને, લાઇબ્રેરીમાં શું કામ રાખ્યો છે ! લાઇબ્રેરીમાં મૌન વાચકોએ રાખવાનું હોય, મદદનીશોએ નહીં ! : તો પણ એ હસતા રહ્યા. પછી કહે, કંઇ ન કરી શકાય, ટ્રેડ-યુનિયન…મેં કહ્યું, ભલે, બાય. હું મનોમન બબડેલો કે અહીંથી જલ્દીથી નહીં નીકળી જઉં તો મગજ મારું વધારે ફરી જશે. સાચું ન લાગે, પણ એ પછી એ યુનિવર્સિટી-લાઇબ્રેરીમાં હું જવલ્લે જ ગયો છું. આ ગમખ્વાર બનાવ સાથે આ ‘લાઇબ્રેરી ઑફ કૉન્ગ્રેસ’ અને તેના આ ‘કાર્ડ-કૅટલોગ’-ની કશી સરખામણી કરાય ? કશીપણ તુલનાત્મક ચેષ્ટા કરનારો પાગલ જ હોઇ શકે !

હું એમ કહેતો’તો કે ‘કાર્ડ-કૅટલોગ’-માં ફોટોગ્રાફ્સ ચિત્રો પુસ્તકોની પહેલી આવૃત્તિ વખતનાં ટાઇટલ પેજીસ અને મૂળ કાર્ડ્ઝની ૨૦૦થી પણ વધુ રંગીન છબિઓ વગેરે અઢળક સામગ્રી નવેસર નિર્મિત કરીને મૂકી છે. આ લાઇબ્રેરી સાથેના મારા એક અનુબન્ધની વાત ઉમેરું. મિત્ર કિશોર જાદવના સૂચનથી મેં મારી ‘નવ્ય વિવેચન પછી—‘ પુસ્તિકાની (૧૯૭૭) કેટલીક નકલો આ ‘લાઇબ્રેરી ઑફ કૉન્ગ્રેસ’-ને મોકલી આપેલી. એટલે, ૧૯૯૨-માં પહેલી વાર અમેરિકા જવાનું થયું ત્યારે મારે અને પત્ની રશ્મીતાએ જોવું’તું કે લાઇબ્રેરીવાળાઓએ મારી એ પુસ્તિકાને ક્યાં રાખી છે. જાણે દીકરીને માબાપ એના સાસરે પહેલી વાર જોવા-મળવા ગયાં હોય. પણ કમનસીબે અમારે લાઇબ્રેરીનાં માત્રબહારથી દર્શન કરીને સંતોષ માનવો પડેલો. બાકી, સાહિત્યરસિકોને અહીં શેક્સપીયરના ‘ફર્સ્ટ ફોલિયો’-થી માંડીને ‘યુલિસિસ’ જોવા મળે. નૅથેનિયલ હૉથર્નના ‘સ્કારલેટ લેટર’-ની પહેલી આવૃત્તિ જોવા મળે. ‘હકલબરી ફિન’-ની પહેલી આવૃત્તિ મળે, જેમાં એના વિખ્યાત લેખક માર્ક ટ્વેઇનના હસ્તાક્ષરમાં લખાયેલી નોંધ વાંચવા મળે. કોઇપણ વીગત મેળવીને સાહિત્યરસિકો રાજી રાજી થઇ જાય એવું આ માતબર પ્રકાશન છે. જોકે, આ સમગ્રના મૂળમાં શબ્દ નામનું માનવીય સત છે. શબ્દના ય મૂળમાં વસતા હૃદયભાવો છે. મનુષ્યની જ્ઞાનપિપાસા છે. એટલે, આ ધરખમ દસ્તાવેજનું જેટલું મૂલ્ય કરીએ, ઓછું છે.

કાર્ડ્ઝ કે સૂચિ જેવાં સાધનો અધ્યેતાઓ માટે ઉપયોગી, કહો કે અનિવાર્ય, છતાં મારા જેવાઓ જાતે કાર્ડ કે સૂચિ બનાવતાં કંટાળે છે. એમ કે, જાણકાર ત્રાહિત વ્યક્તિ પણ કરી શકે એવું સાદું કામ છે. વળી, આ ઇન્ટરનેટયુગમાં કોઇપણ વીગત કે યથેચ્છ માહિતી સ્માર્ટફોન પર મિનિટોમાં મેળવી શકાય છે. ‘ગૂગલ’ મહારાજ પાસે કંઇપણ માગો, વાત વાતમાં કેટલુંય ધરી દે છે. એવાં એવાં કારણોથી ‘કાર્ડ-કૅટલોગ’-ની ટીકા કરનારા પણ નીકળી આવ્યા છે. કહે છે, આ તો અમસ્તો ભભકો છે ! એટલે લગી કે લાઇબ્રેરીઓ પણ એઓને હવે અનિવાર્ય નથી લાગતી. બિનજરૂરી લાગે છે. પરન્તુ એ લોકો વીસરી જાય છે કે માઉસ ને ક્લિક્-ના સથવારે ઉપાડી શકાતું કંઇપણ આવા કૅટલોગોમાં, વિવિધ ડિક્ષનરીઓમાં, અને લાઇબ્રેરીઓનાં લાખ્ખો પુસ્તકોમાં સૈકાઓથી સંઘરાયેલું છે ! એ ભર્યા ભંડારો ન હોત તો આજનો માહિતીયુગ વામણો રહી ગયો હોત, ઇન્ટરનેટ માયકાંગલું રહી ગયું હોત. જોકે આ બધાંની નીચે સૂતેલો સવાલ એ છે કે -લાઇબ્રેરી મહાન હોય કે સામાન્ય, કાર્ડ-કૅટલોગ હોય કે ન હોય, સ્માર્ટ ફોન હોય કે ન હોય, પુસ્તક મેળવીને તમારે એનું કરવું છે શું ? ખરેખર વાંચવું છે ? … દરેકે જાતને પૂછવું …

===

સૌજન્ય : ‘સાહિત્ય સાહિત્ય’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 29 જુલાઈ 2017

Loading

નીતીશકુમારે ૨૪ કલાકમાં સેક્યુલરિઝમથી ફાસીઝમની યાત્રા કરીને ઉઘાડા સત્ય પર સીલ મારી આપ્યું છે કે રાજકારણીઓ માત્ર સત્તાનું રાજકારણ કરે છે

રમેશ ઓઝા|Opinion - Opinion|29 July 2017

એમ કહેવાય છે કે લાલુ યાદવે કેન્દ્ર સરકારના બિહારના બે પ્રધાનોનો સંપર્ક કરીને ઑફર કરી હતી કે જો ચારાકૌભાંડમાં રાંચીની વડી અદાલતના ચુકાદા સામે CBIએ સર્વોચ્ચ અદાલતમાં જે અપીલ કરી છે એને મોળી પાડે તો વળતરમાં તેઓ નીતીશનું માથું વધેરીને તાસક પર આપવા તૈયાર છે, રાષ્ટ્રીય જનતા દલ નીતીશને આપેલો ટેકો પાછો ખેંચશે અને સરકાર તોડી પાડશે. ઑફર રસપ્રદ હતી, પરંતુ BJPએ બીજી ચાલ ચાલી. ઑફરની જાણ નીતીશને કરી દીધી અને વળતી ઑફર કરી કે જો નરેન્દ્ર મોદી સાથે સુવાણ કેળવવા તૈયાર હો તો લાલુને સપડાવીને તેમનાથી છુટકારો કરી આપીએ

નીતીશકુમારને નરેન્દ્ર મોદી અને લાલુ પ્રસાદ યાદવ એમ બન્ને માટે અણગમો છે. લાલુ માટેનો અણગમો એટલો તીવ્ર હતો કે ૧૭ વરસ પહેલાં તેમણે જનતા દલ છોડીને સમતા પાર્ટીની સ્થાપના કરી હતી અને BJP સાથે હાથ મેળવ્યા હતા. અણગમાનું મુખ્ય કારણ મનોવૈજ્ઞાનિક હતું. જયપ્રકાશ નારાયણના નેતૃત્વમાં બિહારમાં થયેલા આંદોલનમાં બન્ને સાથી હતા અને લાલુ યાદવ નેતા હતા. લાલુ-નીતીશનો સંબંધ ગુરુ-શિષ્ય જેવો, લાલુના ખાસ વિશ્વાસુ પડછાયા જેવો અને કહો કે ખાંધિયા જેવો હતો. લાલુની લોકપ્રિયતા વિદ્યાર્થીઓમાં અને રાજકારણમાં પ્રવેશ્યા પછી લોકોમાં પ્રચંડ હતી. આ ઉપરાંત લાલુ યાદવની બોલવાની અને મજાકમસ્તી કરવાની પોતાની અનોખી શૈલી છે.

આવા લોકો એ ભૂલી જતા હોય છે કે વખત જતાં દરબારીઓ પણ મોટા થવા લાગે છે. તેમની અંદર પણ માન-મરતબાની ઇચ્છા જાગે છે. લાલુ યાદવ નીતીશને એક અનુયાયી, પડછાયો કે દરબારી તરીકે જોતા હતા અને વર્તતા હતા એ હવે બિહારના કૅબિનેટપ્રધાન બનેલા નીતીશને ગમતું નહોતું. આ ઉપરાંત નીતીશકુમાર કુર્મી સમાજમાંથી આવે છે જે બિહારમાં યાદવ પછી સંખ્યાની દૃષ્ટિએ સૌથી મોટી જ્ઞાતિ છે. બિહારમાં જ્ઞાતિનાં સમીકરણોમાં નીતીશકુમાર પણ તાકાત ધરાવતા હતા એ લાલુના ધ્યાનમાં આવ્યું નહોતું અને આવ્યું હતું તો એના તરફ ધ્યાન આપ્યું નહોતું, કારણ કે તેમને મન નીતીશકુમાર એક આંગળિયાત વિશ્વાસુ દરબારી હતા. જ્યૉર્જ ફર્નાન્ડિસ સાથે મળીને નીતીશકુમારે એક દિવસ બળવો કર્યો અને બિહારમાં બે ધ્રુવીય રાજકારણ શરૂ થયું જેમાં નીતીશકુમાર એક ધ્રુવ બની ગયા.

વીતેલી સદીના છેલ્લા દાયકામાં રાષ્ટ્રીય રાજકારણ પણ દ્વિધ્રુવીય બની ગયું, એમાં એક ધ્રુવ BJPના નેતૃત્વમાં NDAનો હતો. અટલ બિહારી વાજપેયી NDAનું નેતૃત્વ કરતા હતા એટલે સમાજવાદી ધારામાંથી આવતા નીતીશકુમારને શરમ અને સંકોચનો અનુભવ નહોતો થતો. નીતીશકુમાર હિન્દુત્વવાદીઓની મહેફિલમાં અટલજીના નેતૃત્વને કારણે કમ્ફર્ટેબલ હતા. આ બાજુ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા પછી રાષ્ટ્રીય નેતૃત્વ માટે નજર દોડાવી હતી. ગુજરાતનો નરસંહાર તેમના કપાળે લાગેલું કલંક હતું જેના તરફ નીતીશકુમારે આંખ આડા કાન કર્યા હતા, પરંતુ નરેન્દ્ર મોદીની ઉઘાડી સત્તાવાસના અને એના માટે શરમ-સંકોચ વિના કોઈ પણ માર્ગ અપનાવવાની નિર્લજ્જતા નીતીશ માટે અકળાવનારી હતી. ૨૦૦૯માં લુધિયાણામાં યોજાયેલી NDAની રૅલીમાં અચાનક નરેન્દ્ર મોદીએ દોડી આવીને નીતીશકુમારનો હાથ પકડીને હવામાં ઉઠાવ્યો હતો અને એવો દેખાવ કર્યો હતો કે નીતીશને પણ મોદીના નેતૃત્વ સામે વાંધો નથી. ૨૦૧૦માં BJPની રાષ્ટ્રીય કારોબારીની બેઠક બિહારમાં મળી ત્યારે નરેન્દ્ર મોદીએ પેલા લુધિયાણાવાળા ફોટો સાથે બિહારનાં અખબારોમાં જાહેર ખબર આપી હતી. કોસી નદીની હોનારત વખતે ગુજરાત સરકારે બિહારને પાંચ કરોડ રૂપિયાનો ચેક આપ્યો હતો એની પણ ચેકના ફોટો સાથે બિહારનાં અખબારોમાં જાહેરાત છપાવી હતી. આમ પરાણે કોઈના ખોળામાં બેસી જવાની અને પરાણે કોઈને ખોળામાં બેસાડવાની નરેન્દ્ર મોદીની હરકતો નીતીશકુમાર માટે અસહ્ય બનતી જતી હતી.

૨૦૧૩માં નરેન્દ્ર મોદીએ વિધિવત BJPના વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે સ્વીકૃતિ મેળવી એ પછી નીતીશકુમારે NDAના ઘટક તરીકે નિર્ણય લેવાનો હતો કે મોદી સાથે જવું કે નહીં. ૨૦૧૪ના અંતમાં નીતીશકુમારે NDA સાથે છેડો ફાડ્યો અને એ પછી જે બન્યું એ નજીકનો ઇતિહાસ છે. એમાં વળી ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં બિહારમાં BJPને સૌથી વધુ બેઠકો અને મત મળ્યાં હતાં. એનાથી વધુ નહીં તો એટલી જ અકળાવનારી વાત નીતીશ માટે એ હતી કે તેમના પક્ષ કરતાં લાલુ યાદવના પક્ષ રાષ્ટ્રીય જનતા દલને વધુ બેઠકો અને વધુ મત મળ્યા હતા. BJPનો બિહારમાં પ્રવેશ થઈ રહ્યો છે એ સ્પષ્ટ થઈ ગયું હતું.

હવે નીતીશકુમાર માટે સંકટ પેદા થયું. NDAનો દરવાજો તેણે પોતે બંધ કર્યો હતો અને UPAમાં પ્રવેશ કરવો હોય તો UPAના બિહારના દરવાન લાલુને સલામ ઠોકવી પડે. આગળ કહ્યું એમ લાલુ યાદવ સાથે તેમને જરા ય સુવાણ નહોતી, પણ કરવું શું? લાલુ-નીતીશે કૉન્ગ્રેસ સાથે મળીને ૨૦૧૫ના નવેમ્બર મહિનામાં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં BJPનાં સૂપડાં સાફ કરી નાખ્યાં અને નીતીશકુમાર બિહારના મુખ્ય પ્રધાન બન્યા પણ પેલી સુવાણની સમસ્યા એમ ને એમ હતી. ખબર આવતા હતા કે બધું સમુંસૂતરું નથી. એક બાજુ નીતીશની ક્લીન અને એફિશ્યન્ટની ઇમેજ અને બીજી બાજુ લાલુનાં જેટલાં સંતાનો એટલાં કૌભાંડ. એમાં ચારાકૌભાંડમાં સર્વોચ્ચ અદાલતમાં વળાંક આવ્યો કે લવાયો અને BJPને મહાગઠબંધન તોડવાની તક મળી ગઈ.

એમ કહેવાય છે કે લાલુ યાદવે કેન્દ્ર સરકારના બિહારના બે પ્રધાનોનો સંપર્ક કરીને ઑફર કરી હતી કે જો ચારાકૌભાંડમાં રાંચીની વડી અદાલતના ચુકાદા સામે CBIએ સર્વોચ્ચ અદાલતમાં જે અપીલ કરી છે એને મોળી પાડે તો વળતરમાં તેઓ નીતીશનું માથું વધેરીને તાસક પર આપવા તૈયાર છે. રાષ્ટ્રીય જનતા દલ નીતીશને આપેલો ટેકો પાછો ખેંચશે અને સરકાર તોડી પાડશે. ઑફર રસપ્રદ હતી, પરંતુ BJPએ બીજી ચાલ ચાલી. ઑફરની જાણ નીતીશને કરી દીધી અને વળતી ઑફર કરી કે જો નરેન્દ્ર મોદી સાથે સુવાણ કેળવવા તૈયાર હો તો લાલુને સપડાવીને તેનાથી છુટકારો કરી આપીએ.

નીતીશકુમારે બે અણગમતા માણસોમાંથી એકની પસંદગી કરવાની હતી અને એકથી છુટકારો મેળવવાનો હતો. એમાં લાલુની ઑફરની વાત કાને આવી જેમાંથી બુધવારની ઘટના બની. નૈતિકતા અને અંતરાત્માની નીતીશની વાતો બોગસ છે. અંતરાત્માના અવાજથી પ્રેરાઈને નીતીશે રાજીનામું આપ્યું હોત તો BJP સાથે મળીને સરકાર ન રચી હોત. તેઓ મતદાતાઓ સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે એમ તેમનો અંતરાત્મા નથી કહેતો? જાહેર જીવનમાં સ્વચ્છતા અભિયાનમાં જોડાવા માટે નીતીશને અભિનંદન આપનારા નરેન્દ્ર મોદીને યાદ અપાવવી જોઈએ કે તેઓ જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે ભ્રષ્ટાચારના આરોપમાં તકસીરવાર ઠરેલા તેમની કૅબિનેટના પ્રધાન બાબુ બોખીરિયા પાસેથી તેમણે રાજીનામું નહોતું માગ્યું. લાલુના પુત્ર સામે તો માત્ર આરોપનામું દાખલ થયું છે, જ્યારે બોખીરિયા તો ગુનેગાર સાબિત થયા હતા. આમ નૈતિકતા એ ઢોંગ માત્ર છે. હમામમાં બધા જ નાગા છે અને કોઈ પ્રામાણિક નથી.

પણ સેક્યુલરિઝમનું શું? એ પણ ઢોંગ માત્ર છે? જી હા, આ ઉઘાડું સત્ય છે, અનેક વાર સાબિત થઈ ગયું છે અને હવે નીતીશકુમારે ચોવીસ કલાકમાં સેક્યુલરિઝમથી ફાસીઝમની યાત્રા કરીને ઉઘાડા સત્ય પર સીલ મારી આપ્યું છે કે રાજકારણીઓ માત્ર સત્તાનું રાજકારણ કરે છે. સેક્યુલરિઝમની ખેવના કરનારાઓએ હવે અન્યત્ર નજર દોડાવવાની જરૂર છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 28 જુલાઈ 2017

Loading

...102030...3,3913,3923,3933,394...3,4003,4103,420...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved