Opinion Magazine
Number of visits: 9688792
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રમણ સોનીનું અવલોકન-વિશ્વ

દીપક બી. મહેતા, દીપક બી. મહેતા|Opinion - Literature|23 July 2017

“અવલોકન-વિશ્વ” : સંપાદક – રમણ સોની : પ્રત્યક્ષ પ્રકાશન, ૧૮ હેમદીપ સોસાયટી, દીવાળીપુરા, વડોદરા – 390 007 :  પહેલી આવૃત્તિ – ૨૦૧૭. પાનાં ૧૬ + ૩૫૨ = ૩૬૮ : મૂલ્ય – રૂ.૪૫૦

કુલ ભાષા ૨૯ (તેમાંની ૧૬ દેશની, ૧૩ પરદેશની). ૯૦ લેખકોએ લખેલાં ૮૭ પુસ્તકો વિશેના ૭૮ સમીક્ષકોએ લખેલા લેખો. (‘સંપાદકનું કથન’માં ૮૬નો આંકડો લખ્યો છે, પણ અંતે આપેલી ‘ગ્રંથસૂચિ’માં ૮૭ પુસ્તકો નોંધાયાં છે.) અને આ પુસ્તકો તે માત્ર સાહિત્યનાં જ નહિ. સાહિત્ય ઉપરાંત અર્થશાસ્ત્ર, ઇતિહાસવિચાર, કળાવિચાર, ચરિત્ર, ડાયરી, ફિલ્મવિચાર, ભાષાશાસ્ત્ર, શિક્ષણશાસ્ત્ર, સંશોધન અને સંસ્કૃિતવિચારનાં પુસ્તકો પણ ખરાં. સાહિત્યમાં સૌથી વધુ (૧૫) પુસ્તકો નવલકથાનાં. ઉપરાંત કવિતા (૧૪), આત્મકથા (૧૩), વાર્તા (૭) અને વિવેચન(૬)નાં પુસ્તકો. અને આ બધાં જ પુસ્તકો બાવા આદમના જમાનાનાં નહિ, છેલ્લા એક દાયકા દરમ્યાન પ્રગટ થયેલાં – તેમાં ય ૬૦ પુસ્તકો તો છેલ્લાં ચારેક વર્ષમાં પ્રગટ થયેલાં. પણ આ આંકડા રાંકડા લાગે એવો સૂઝ ભર્યો શ્રમ સંપાદકે કર્યો છે. તેમણે લખનારાઓ પર કે પોતાના પર કૃત્રિમ બંધનો નથી લાદ્યાં, મોકળાશ રાખી છે. અમુક શબ્દોમાં જ લખો, અમુક પ્રકારનાં પુસ્તકો વિષે જ લખો, અમુક રીતે જ લખો – કે ન લખો – એવી લક્ષ્મણરેખા લખનારાઓ ફરતી નથી દોરી. તો એક લેખક એક લેખ, અમુક ભાષા, વિષય કે પ્રકારનાં પુસ્તકો અમુક સંખ્યામાં જ, રજૂઆતની અમુક જ પદ્ધતિ, એવાં બંધનોથી નથી પોતાની જાતને બાંધી. આનો અર્થ એવો નથી કે અહીં સંપાદન-કર્મ નથી. છે. પૂરેપૂરું છે, ચીવટ અને ઝીણવટભર્યું છે. જ્યાં ગુજરાતીમાં લખાયેલા લેખ ન મળ્યા ત્યાં બીજી ભાષામાં લખાવી તેના અનુવાદ કર્યા-કરાવ્યા છે. કોઈ અવલોકનમાં કશુંક ખૂટતું લાગે તો બીજા કોઈ પાસેથી પૂરક સામગ્રી મેળવીને મૂકી છે. કેટલાક લેખોને અંતે વધતી કોરી જગ્યામાં મૂકવા માટે મહેનત કરીને સુયોગ્ય અવકાશપૂરકો એકઠાં કર્યાં છે. (અને તેની અલગ અનુક્રમણિકા પણ આપી છે.) સાધારણ રીતે ગુજરાતીમાં લખવાથી ન ટેવાયેલા લેખકોના લખાણમાં તો સારી એવી જહેમત સંપાદકને લેવી પડી હોય.

અહીં મૂકેલા લેખોને એક બીજી રીતે પણ જોઈ શકાય – આપણા પ્રબુદ્ધ વાચકોના વાચન અંગેનાં રસ-રુચિની પારાશીશી રૂપે. અહીં ભારતીય અંગ્રેજીનાં ૧૦ પુસ્તકો વિષે, અમેરિકન અંગ્રેજીનાં ૧૮ પુસ્તકો વિષે, બ્રિટિશ અંગ્રેજીનાં ૧૩ પુસ્તકો વિષે – એમ કુલ ૪૧ અંગ્રેજી પુસ્તકો વિષે લખાયું છે. બીજી કેટલીક પરદેશી ભાષાનાં પુસ્તકો વિષે લખાયું છે તે પણ તેના અંગ્રેજી અનુવાદ થકી. ‘અંગ્રેજી હટાવ, ગુજરાતી બચાવ’ની બૂમો ગમે તેટલી પડતી હોય, અંગ્રેજીની સારી જાણકારી વગર આપણને ચાલવાનું નથી. આપણે અંગ્રેજી પુસ્તકો વાંચીએ છીએ તે આપણી ગરજે. અંગ્રેજીનો ઉદ્ધાર કરવા ખાતર નહિ.

લખનાર અવલોકન-લેખનનો નિષ્ણાત ન હોય તો ચાલે, વિષયનો જાણકાર હોય એટલે બસ. પરિણામે કેટલીક નવી-તાજી કલમોનો લાભ આ પુસ્તકને મળ્યો છે. તો સાથોસાથ એ પણ નોંધવું જોઈએ કે લખનારાઓમાં જંગી બહુમતી આજી-માજી અધ્યાપકોની જ છે. ઓછામાં ઓછા ૪૭ લેખો તેમના લખેલા છે.

પુસ્તકોનાં અવલોકનો (બદ્ધાં નવાં નક્કોર, અહીંથી-તહીંથી ઉપાડીને છાપેલું એક પણ અવલોકન નથી)નું આવું દીર્ઘદૃષ્ટિ અને પરિશ્રમપૂર્વક તૈયાર થયેલું, આવું માતબર પુસ્તક આપણી ભાષામાં વારંવાર જોવા મળતું નથી. આવાં સંપાદનો કરતી વખતે કેવું લોહીનું પાણી કરવું પડે છે તે તો ‘ઘાયલ કી ગત ઘાયલ જાને.’ અને છતાં સાહિત્યનો ઇતિહાસ લખતી વખતે કે લેખકોને ઇનામ અકરામ આપતી વખતે કોઈને સંપાદનો સાંભરતાં નથી. અનુવાદકની જેમ સંપાદક પણ આપણા સાહિત્યની વર્ણવ્યવસ્થામાં નીચલે પગથિયે છે.

છેલ્લે, નજર ન લાગી જાય માટે એક નાનકડું કાળું ટપકું : દરેક અવલોકનને મથાળે પુસ્તક અને તેના કર્તા, પ્રકાશકનાં નામ છાપ્યાં છે, પ્રકાશન વર્ષ છાપ્યું છે, દરેક પુસ્તકના જેકેટનું લઘુ રૂપ પણ છાપ્યું છે, તો સાથોસાથ પાનાંની સંખ્યા અને કિંમત પણ છાપ્યાં હોત તો? સૂચિકરણની શિસ્તની દૃષ્ટિએ એ જરૂરી છે એ તો ખરું જ, પણ તેમ કર્યું હોત તો જે થોડાઘણા – કે ઘણા થોડા – પુસ્તક પ્રેમીઓ હોય તેમની સગવડ થોડી વધુ સચવાઈ હોત. પુસ્તકનું મુદ્રણ સ્વચ્છ, સુઘડ, વ્યવસ્થિત. અને પૂંઠું તો આંખમાં જ નહિ, મનમાં વસી જાય તેવું. રમણભાઈએ તો દસ પગથિયાં ભારે જહેમત કરીને ગોઠવી આપ્યાં છે. તેના પર ચડી અવલોકન-વિશ્વમાં ડોકિયું કરવાનું કામ હવે આપણું છે.

Flat No. 2 Fulrani, Sahitya Sahavas, Madhusudan Kalelkar Marg, Kalanagar, Bandra (E), Mumbai – 400 051

Loading

Saare Jahan Se Ache ….

Ajit Ninan and Jug Suaiya, Ajit Ninan and Jug Suaiya|Opinion - Cartoon|22 July 2017

courtesy : 'Ninan's World', "The Times of India", 21 July 2017

Loading

ગાંધીજી વિષે અવનવું

હરનિશ જાની|Gandhiana|22 July 2017

અમેરિકન ટી.વી. પર ભારતની વાત સાંભળી. તેમાં પણ ગાંધીબાપુ વિષેની વાત સાંભળી, જે મેં અગાઉ કદી સાંભળી નહોતી. બની શકે કે ઘણાને આ લેખથી તે જાણવા મળે.

૧૯૦૩માં સાઉથ આફ્રિકા(આફ્રિકાના એક દેશનું નામ)માં ગાંધીજી ફૂટબોલ (અમેરિકામાં જેને સૉકર કહેવામાં આવે છે.) રમતા હતા. અને ફૂટબોલના કોચ–ટ્રેનર હતા. તેમણે જુદા જુદા ત્રણ શહેરમાં તો ફૂટબોલ ક્લબની સ્થાપના કરી હતી, ડરબનમાં, પ્રિટોરિયામાં અને જોહાનિસબર્ગમાં. આ ત્રણેનાં નામ અહિંસક સત્યાગ્રહ ફૂટબોલ ક્લબ (પેસીવ રેસિસ્ટર ફૂટબોલ ક્લબ) રાખ્યા હતા. અને ગાંધી જેનું નામ – ફૂટબોલની મેચના હાફ ટાઈમમાં ટીમને અહિંસા વિષે સમજાવતા. એટલું ઓછું હોય તેમ દર્શકોને સત્ય અહિંસાના પાઠ ભણાવતા કાગળિયાં – પેમ્ફલેટ વહેંચતા. આ વાતનો પુરાવો પ્રિટોરિયાના ઓલ્ડ કોર્ટ હાઉસના મ્યુિઝયમના ફોટાઓ પૂરો પાડે છે. જેમાં યંગ ગાંધીજી દર્શકોને સંબોધતા દેખાય છે.

વાત એમ છે કે ઇંગ્લેંડમાં લૉ કોલેજમાં ભણતા ભણતા તેમને ક્રિકેટમાં અને ફૂટબોલમાં ખૂબ રસ જાગ્યો હતો. ખાસ કરીને ઓછા સાધનોવાળી ફૂટબોલની રમત ગમતી. તેમને તેમાં એક સ્ટાર પ્લેયર કરતાં આખી ટીમના સહકારથી જીતતી ટીમનો સિદ્ધાંત ગમતો. આ ફૂટબોલ બીજા યુવાનોને પોતાના તરફ આકર્ષવા પુરતો હતો. અને તેમનો આ ગુણ તેમણે ભારત આવ્યા ત્યારે ઉપયોગમાં લીધો અને બીજા બધા નેતાઓને ભેગા કરી અને તેમની ટીમ બનાવી. જે તેમને બ્રિટન સામે લડવામાં કામ લાગી. મૂળે તો તેમને આ “રંગદ્વેષી‘ સાઉથ આફ્રિકાની સરકારનો વિરોધ કરવો હતો. ગાંધીજીનાં ઘણાં ગુણ મને ગમે છે, પણ તે જીવનની ગાડી સત્ય અને અહિંસાના પાટે દોડાવતા હતા. તે ખરેખર અદ્દભુત ગુણ હતો. સામાન્ય રીતે દરેકના જીવનમાં જીવન બદલી નાખતા ટર્નીંગ પોઈન્ટ આવતા હોય છે. પરંતુ ગાંધીબાપુના જીવનમાં અસંખ્ય ટર્નીંગ પોઈન્ટ આવ્યા. તેઓ  દરેક વખતે સત્ય અને અહિંસાના પાલનને કારણે સફળ રહ્યા. અને પોતાની ઈચ્છા પ્રમાણે ટર્ન લેતા હતા. અથવા કહી શકાય કે તેમની ઈચ્છા પ્રમાણે રસ્તા ટર્ન લેતા હતા.

મો.ક. ગાંધીની સત્યાગ્રહ ફૂટબૉલ ટીમ. ગાંધી ચિત્રમાં છેલ્લી હરોળે, ડાબેથી, છઠ્ઠા જણાય છે.

તેમનો બહુ ચર્ચીત પ્રસંગ ૧૮૯૩માં બન્યો. ફર્સ્ટક્લાસની ટિકિટ લઈને ડરબનથી પ્રિટોરિયા જવા રાતની ટ્રેનમાં બેઠા હતા,  જે ગોરા લોકો માટે રિઝર્વ હતો. અને ટિકિટ ચેકરે તેમને થર્ડ કલાસમાં જવાનું કહ્યું અને ગાંધીજીએ તેમ કરવાની ના પાડી. હવે આ વાતને હું તેમનું ઉત્તમ ચારિત્ર્ય ગણું છું. મારા જેવો સામાન્ય માણસ તો કહે કે અડધી રાતે અજાણ્યા સ્ટેશને ઠંડીમાં ઊતરવા કરતાં થર્ડ ક્લાસમાં જઈ શાંતિથી ઊંઘી જાઓ. બીજે દિવસે તો સવારે કોર્ટમાં શેઠ અબ્દુલ્લાનો કેસ લડવાનો છે. જેને માટે ખાસ મુંબઈથી, આફ્રિકા આવ્યા હતા. અને માટે આ ટિકિટ ચેકર સાથે માથાકૂટ કરવાની છોડી દો. પણ એમણે તેમ ન કરતાં પિટરમારીત્ઝબર્ગના સ્ટેશને ફેંકાઈ જવાનું પસંદ કર્યું, અને પછીની રાત ઠંડીમાં પડી રહ્યા. એટલું ઓછું હોય તેમ બીજે દિવસે સિગરામમાં કોચવાનના પગ પાસે ન બેસતા, માર ખાધો. પણ પોતાના સિદ્ધાંતને વળગી રહ્યા. અને પોતાની જાત બીજા ગોરાઓની જાત કરતાં જરા ય ઉતરતી નથી. એ સિદ્ધાંત તેમણે હિન્દીઓને આપ્યો. જે આજે સો વરસ પછી દરેક જાતીઓમાં વ્યાપ્યો છે. અમેરિકામાં વસતા ભારતીયો અને પાકિસ્તાનીઓએ સાબિત કરી દીધું છે કે તેઓ ગોરા લોકો કરતાં ઉતરતા નથી. પરંતુ મુઠ્ઠી ઊંચેરા છે.

આમ છતાં મારી દ્રષ્ટિએ, બીજો એક ઓછો જાણીતો પ્રસંગ ખૂબ અગત્યનો છે. કારણ કે ગાંધીજીની જ્ગ્યાએ બીજી કોઈ પણ વ્યક્તિ જુદી રીતે વર્તી હોત. ગાંધીજી શેઠ અબ્દુલ્લાના કેસમાં સમાધાન કરાવી વરસને અંતે ભારત પાછા ફરવાના હતા. બીજે દિવસે આફ્રિકા  છોડવાના હતા. તેને આગલે દિવસે તેમના માનમાં વિદાય સમારંભ હતો. જ્યાં ગાંધીભાઈને હારતોરા પહેરાવાના હતા. અને તેમનું ભાષણ સાંભળવાનું હતું. તેમાં ગાંધીજીની નજર ત્યાં પડેલા ન્યૂઝ પેપરના ખૂણે છપાયેલા ન્યૂઝ પર પડી, કે નાતાલ (સાઉથ આફ્રિકા દેશનો એક પ્રદેશ) ધારાસભા હિન્દીઓને મતાધિકાર ન મળે, એ વિષય પર બિલ પાસ કરવાના હતા. તો ગાંધીજીએ પોતાનું પ્રવચન બાજુએ મૂકી દીધું. અને આ ધારાસભાના બિલ પર વાત કરી. તેમણે જણાવ્યું કે જો આ બિલ પાસ થશે તો હિન્દીઓને કોઈ હક નહીં મળે. એટલું જ નહીં પણ તેમનાં અસ્તિત્વની પણ સરકાર નોંધ નહીં લે. જો તમારે ધંધો કરવો હોય તો દેશના નાગરિક થવું જરૂરી હતું. એ આ નવા કાયદો અમલમાં આવશે, તો દેશ છોડવો પડશે. તેમણે તે સમારંભમાં જ હારતોરા બાજુએ મૂકી અને ઘેરેઘેર આ વાતનો પ્રચાર કરનારા સ્વયંસેવકો તૈયાર કરવા માંડ્યા. શેઠ અબદુલ્લાની વિનંતીથી એક વરસ રહી જવાનું પણ નક્કી કર્યું. હવે તમે જ વિચાર કરો. આપણામાંથી કેટલા આવા ત્વરિત નિર્ણય લઈ શકે?

જગતમાં કોઈ પણ જાતની પરિસ્થિતિ હોય પણ તે પોતાના સત્ય અહિંસાના ક્ષેત્રમાં પડતી હોય તો એ પોતાની થઈ ગઈ. બીજી રીતે કહેવાય કે મુસીબતો વ્હોરી લેવાની તેમની આદત હતી.

કેટલાને ખબર હશે કે આફ્રિકાના “એન્ગલો–બોર વોર”માં સત્ય અહિંસાવાળા ગાંધીજી જોડાયા હતા. તે પણ બ્રિટિશરોના પક્ષમાં રહીને, ૧૮૯૯થી ૧૯૦૨ સુધીની વોરમાં ગાંધીજી એમ્બ્યુલન્સ સ્કવોડના લિડર હતા. અને તેમના સ્વયંસેવકોના ગ્રુપે અંગ્રેજો અને બોર લોકોના, બન્ને પક્ષના, ઘવાયેલા સૈનિકોને સેવા આપી હતી. તેમાં તેમને રાણી વિક્ટોરિયા તરફથી મેડલ પણ મળ્યો હતો. ગાંધીજીને સમજવા બહુ અઘરા પણ હતા. અંગ્રેજો આપણા દુશ્મન પણ માનવતાના કાર્યમાં તે ન જોવાય.

ગાંધીજીનું આ ચારિત્ર્ય સુભાષચંદ્ર બોઝ જોઈ શક્યા નહોતા. સુભાષબાબુ અગ્રેજોને દુશ્મન જ ગણતા. સેકન્ડ વર્લ્ડ વોર વખતે, ગાંધીજી જર્મની સાથે લડતા બ્રિટનનો ગેરલાભ નહોતા લેવા માંગતા. જ્યારે સુભાષબાબુ હિટલર સાથે હાથ મિલાવવા માંગતા હતા. સુભાષબાબુનો પ્લાન હતો કે જર્મનીએ બ્રિટનના કેદી તરીકે પકડેલા ભારતીય સૈનિકોને છોડાવી, પોતાની આઝાદ હિંદ ફોજમાં ભરતી કરાવવા. હવે તે ફોજ હિન્દમાં ભારતીય સૈનિકોની બનેલી ફોજ સામે લડે. તો સામાન્ય રીતે ભરતીય ફોજ પોતાના ભાંડુઓની બનેલી ફોજ સામે બંદૂક ન ઊઠાવે. હવે તેમના આ પ્લાનમાં થોડી ખામીઓ હતી. હિટલરે બ્રિટનના (પ્રિઝનર ઓફ વોર) પકડાયેલા કેદીઓ સુભાષબાબુને ન આપ્યા. સુભાષબાબુ જાપાન જોડે હાથ મિલાવવા ગયા. અને જ્યારે બર્મા –ઈમ્ફાલને રસ્તે આઝાદ હિંદ ફોજ આસામમાં પ્રવેશતી હતી, ત્યારે ભારતીય જવાનોથી બનેલી બ્રિટિશ ફોજે તેમનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો.

ગાંધીજીની સત્ય અહિંસાની વાતોમાં કાંઈક વજૂદ હતું. નહેરુ, સરદાર પટેલ, મૌલાના આઝાદ, કૃપાલાણી જેવા કેટલા ય મહારથીઓએ તેમની ફૂટબોલના સિદ્ધાંત પર રચાયેલી ટીમમાં જોડાઈને દેશને આઝાદ કર્યો.

e.mail : harnishjani5@gmail.com

Loading

...102030...3,3663,3673,3683,369...3,3803,3903,400...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved