Opinion Magazine
Number of visits: 9583852
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

नरेंद्र मोदी और मोरारी बापू की ‘बाबा’ वाली दोस्ती

रजनीश कुमार [बीबीसी संवाददाता गुजरात से]|Opinion - Opinion|16 December 2017

"पतंजलि योगपीठ में मां गंगा के तट पर मैं उस बात को फिर से दोहरा रहा हूं. इसे मैंने अहमदाबाद में एक बार पहले भी कहा था. मैंने कहा था कि हमारे मुख्यमंत्री नरेंद्र मोदी गुजरात को केवल चला नहीं रहे हैं बल्कि वो अनुष्ठान कर रहे हैं."

मोरारी बापू ने 2013 में इसी बात को आगे बढ़ाते हुए कहा था, "साबरमती आश्रम में रामकथा थी. मैं मानस के साथ महात्मा गांधी को जोड़कर बोल रहा था. उसमें नरेंद्र भाई भी एक दिन आए थे. स्रोता के रूप में और बोले भी. तब मैंने व्यासपीठ से किसी प्रसंगवश कहा था कि मैं तो बाबा हूं, कुछ भी छोड़ सकता हूं. तब इस आदमी ने कुर्सी से बैठे-बैठे कहा कि मैं भी बाबा हूं. तो आज दोनों बाबा साथ बैठे हैं. जो बाबा बनने की तैयारी कर रहा है उसमें निर्णय, राष्ट्र को करना है."

बाद में नरेंद्र मोदी को बीजेपी ने अपना पीएम प्रत्याशी बना दिया था. मोरारी बापू साबरमती आश्रम में जिस मानस महात्मा कथा की बात कर रहे थे उसी का एक दिलचस्प वाक़या एक स्थानीय पत्रकार ने बताया.

उन्होंने कहा, "मोरारी बापू कथा कहते-कहते मोदी पर आ गए. उन्होंने कहा कि अपने मोदी को सत्ता से लगाव नहीं है. वो जिस आसन पर बैठे थे उस पर थोड़ा झुके और उन्होंने तकिये को फेंकते हुए कहा कि मोदी सत्ता को यूं फेंक सकते हैं."

वरिष्ठ पत्रकार प्रकाश शाह कहते हैं, "यह नरेंद्र मोदी की साधने की कला ही है कि उनके संबंध मोरारी बापू, आसाराम बापू और गुजरात की सबसे ताक़तवर धार्मिक संस्था स्वामीनारायण से भी है. अगर आप अप्रत्यक्ष रूप से देखें तो ये तीनों संस्थाएं आपसी प्रतिद्वंद्वी हैं, लेकिन मोदी के तीनों से काफ़ी मधुर संबंध रहे हैं."

'कभी नहीं की मोदी का आलोचना'

प्रकाश शाह का कहना है कि मोरारी बापू की मोदी से दोस्ती चुनावी फ़ायदों के लिहाज से मायने रखती है. उनका कहना है कि मोरारी बापू की हर अपील काम करती है.

2002 के दंगों के बाद मोरारी बापू ने एक शांति मार्च निकाला था. प्रकाश शाह कहते हैं कि यह टोकनिज़्म के अलावा कुछ नहीं था. उर्विश भी इस बात को स्वीकार करते हैं मोरारी बापू ने मोदी की आलोचना कभी नहीं की.

गुजरात यूनिवर्सिटी में सोशल साइंस के प्रोफ़ेसर गौरांग जानी का कहना है कि बीजेपी और मोदी के संबंध मोरारी बापू से हमेशा अच्छे रहे हैं.

उनके मुताबिक, "मोरारी बापू ने हमेशा मोदी के लिए कवच का काम किया है. जब 2002 का दंगा हुआ तो किसी ने मोदी की आलोचना नहीं की और उसमें स्वामीनारायण से लेकर मोरारी बापू तक शामिल हैं."

वरिष्ठ पत्रकार उर्विश कहते हैं कि मोदी और मोरारी बापू के संबंध कभी ख़राब नहीं हुए. उर्विश महुवा में हुए एक जनआंदोलन का ज़िक्र करते हैं. तब बीजेपी विधायक कनुभाई कड़सारिया निरमा प्लांट लगाने के ख़िलाफ़ आंदोलन का नेतृत्व कर रहे थे. पास में ही उनकी व्यासपीठ है.

उर्विश बताते हैं, "मोरारी बापू लंबे समय तक चुप रहे. एक दिन उन्होंने निरमा प्लांट के मालिक दर्शन भाई पटेल और कनुभाई को बुलाया कि आपस में समझौता कर लें, लेकिन बात नहीं बनी."

उर्विश का कहना है कि जहां मोरारी बापू को लोगों के साथ खड़ा रहना चाहिए था वहां उन्होंने निरमा के मालिक को नाराज़ करने का जोखिम नहीं उठाया.

मोरारी बापू 80 के दशक में रामजन्मभूमि आंदोलन में विश्व हिन्दू परिषद के साथ शिलापूजन में भी शामिल रहे हैं. बाबरी विध्वंस पर चर्चित डॉक्यूमेंट्री 'राम के नाम' बनाने वाले फ़िल्मकार आनंद पटवर्धन दो साल पहले मोरारी बापू की व्यासपीठ में गए थे.

मोरारी बापू की अपील से चुनावों में होता है असर?

उन्होंने कहा, "मैंने वहां अपनी फ़िल्म भी दिखाई. अच्छा लगा कि उन्होंने मुझे अनुमति दी. जहां तक उनकी दोस्ती और संबंधों के सवाल हैं तो इससे उनके जीवन के विरोधाभासों का ही पता चलता है. पर मेरा मानना है कि कोई जन्म से ही सांप्रदायिक नहीं होता है. हमें ऐसे लोगों से संवाद कम करने के बजाय बढ़ाने की ज़रूरत है."

मोरारी बापू अक्सर कहते हैं कि वो सेतु का काम करते हैं. मीडिया रिपोर्ट के मुताबिक, मोरारी बापू ने अंबानी भाइयों में भी सुलह कराने की कोशिश की थी, लेकिन यहां कामयाबी नहीं मिली थी.

हालांकि कई लोग हैं जो मोरारी बापू को सेक्युलर और उदार रामकथावाचक मानते हैं. वरिष्ठ पत्रकार गौतम ठक्कर का कहना है कि मोरारी बापू एक सेक्युलर संत हैं और उनकी मोदी या बीजेपी से क़रीबी हिन्दुत्व की विचारधारा के प्रति झुकाव के कारण है.

उन्होंने कहा कि मोरारी बापू कथा के अंदर सद्भावना की बात करते हैं. रामायण की भी बात करते हैं. हालांकि ठक्कर इस बात को मानते हैं कि बापू की अपील से चुनाव में फ़ायदा होता है.

प्रकाश शाह कहते हैं, "मोरारी बापू तटस्थ रहने की कोशिश करते हैं, लेकिन चीज़ें साफ़ झलकती हैं. मोदी से उनकी दोस्ती लंबे समय से है. जब भी पब्लिक में आए तो हमेशा फ़ेवर में ही आए."

मोरारी बापू राम सेतु के समर्थन में भी सक्रिय रहे हैं. मोदी से उनकी दोस्ती को गुजरात में लोग काफ़ी स्मार्ट संबंध मानते हैं.

एक सीनियर पत्रकार ने कहा कि गुजराती में एक कहावत है कि 'जिसे गुड़ से मारा जा सकता है उसे ज़हर देकर नहीं मारना चाहिए.' उन्होंने कहा कि 'गुजरात में धर्म और राजनीति का गठजोड़ कुछ ऐसा ही है.'

14 दिसंबर 2017

सौजन्य : http://www.bbc.com/hindi/india-42350127

Loading

ચૂંટણી ચુકાદાની રાહ જોતાં

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|16 December 2017

બસ, હવે કાઉન્ટ ડાઉન કલાકોમાં પ્રવેશી રહ્યા છીએ : ગાંધીનગરની ગાદીએ બાવીસ વરસે પટ્ટો પૂરો થાય છે કે ફેરતાજો થાય છે તે ૧૮મી ડિસેમ્બરે સમજાઈ રહેશે. જો કે જયપરાજયથી નિરપેક્ષપણે એટલું નિઃશંક છે કે કૉંગ્રેસ નવજીવનના તબક્કામાં હોઈ શકે છે.

હમણાં મેં ચુકાદાની રાહ જોવાની ભાષામાં વાત કરી પણ જે એક ભલે વચગાળાનો પણ ચુકાદો આવી ગયા જેવો છે એની જિકર તો કરવી જ રહી. આ ચુકાદો એ છે કે જે તે પક્ષની છતી બહુમતીએ પણ જનાદેશ વિખંડિત (ફ્રૅકચર્ડ) હોવાનો છે. કેન્દ્રમાં વચ્ચે કેટલાંક વરસ મિશ્ર સરકારનાં ગયાં તે બહુધા વિખંડિત જનાદેશને આભારી હતાં. હવે એવું ન બને અને કેન્દ્રમાં તેમ રાજ્યમાં એક જ પક્ષની સુવાંગ બહુમતીનો દોર જારી રહે તો પણ વિખંડિતતા એક દુર્દૈવ વાસ્તવ હોવાનું છે.

જ્યાં સુધી ભા.જ.પ.નો સવાલ છે, એક વિખંડિતતા તો લગભગ ગળથૂથીગત છે. એને નઠારા ‘ધ અધર’ વગર સોરવાતું નથી. ગુજરાતમાં વિકાસનું વાજું વાગ્યું ન વાગ્યું ત્યાં મતપ્રાપ્તિમાં પાછા પડવાની આશંકાવશ ભા.જ.પે. એકદમ જ મુસ્લિમ મુદ્દો ઉછાળ્યો. પાક રાજદ્વારી આગેવાનો સાથે ગુપ્ત બેઠક અનેેે જિજ્ઞેશ મેવાણીનો નાણાંસ્રોત અનુક્રમે વડાપ્રધાન અને પક્ષપ્રમુખને આ સંદર્ભમાં હાથવગાં બલકે મોંવગાં થઈ પડ્યાં. ૨૦૦૨ની ચૂંટણીનાં નામોનું એક ધ્રુવપદ ‘મિયાં મુશર્રફ’ હતા તેમ હવે એકાએક અહમદ પટેલને મુખ્યમંત્રી બનાવવા માટે કૉંગ્રેસ-પાક સંતલસનો ગુબ્બારો ચલાવાયો. જો કે હાર્દિક પટેલની સેક્સ સીડીની જેમ જ આવા ગુબ્બારાઓને ઝાઝી દાદ ન પણ મળે. પરંતુ, દેશમાં નાગરિક સમાજ કોમને ધોરણે વિખંડિત રહે એ ભા.જ.પ.ની રાજનીતિ અને રણનીતિનું થોડાં ટીલાંટપકાં બાદ કરતાં ચિરસત્ય છે. બંદૂકવાલા જેવા તો એ ઘૂંટડો ગળે ઉતારીને જ ચાલે છે કે અમે શિક્ષણમાં ને ઉદ્યોગમાં જે સાધી શકીએ તે પૂરતું માનીને અમારે ધોરણસરના રાજકીય પ્રતિનિધિત્વનો એટલે કે નાગરિક હિસ્સેદારીનો ખયાલ છોડીને જ ચાલવું  રહેશે. ગમે તેમ પણ, ભા.જ.પ.ની ગળથૂથીગત અને કેટલાક કિસ્સામાં કૉંગ્રેસની વ્યૂહગત મર્યાદાને કારણે આ વિખંડિતતા લાંબા ગાળા લગી દુર્નિવાર હોવાની છે. અલબત્ત, ઓવેસી છેડે એનો જવાબ નથી તે પણ આપણે જાણીએ સમજીએ છીએ.

એક ખ્રિસ્તી ધર્માધ્યક્ષે જ્યારે ચૂંટણીમાં ‘રાષ્ટ્રવાદી’ઓની કૃષ્ણછાયા બાબતે સાવધાનીના સૂર ઉચ્ચાર્યા ત્યારે સ્વાભાવિક જ એમના ચિત્તમાં સતાપક્ષપરિવારની ‘ધ અધર’ની માનસિકતાનો અને એથી સંભવિત વિષાક્ત વિભાજન શક્યતાઓનો ખયાલ હશે. અલબત્ત, એમનું આમ કહેવું રાજકીય રીતે સલાહભર્યું અગર ‘પોલિટિકલી કરેક્ટ’ નહોતું અને નામીચા સ્પિનોડીને સારુ એમાં બખ્ખેબખ્ખા હતા. ધર્માધ્યક્ષ બચાડા રાજકીય ખેલાડી નહીં કે ગુજરાતમાં ખ્રિસ્તી સમાજની કોઈ નિર્ણાયક હાજરી નહીં એટલે એમણે ભલે વ્યાપક નાગરિક અભિગમથી વાત કરવાપણું જોયું હોય, પણ સ્પિનોડી જેનું નામ. બાકી, ખ્રિસ્તી ધર્માધ્યક્ષે કહેલી વાતમાં વિખંડિતતાના વારણનો એક મુદ્દો ખસૂસ હતો અને છે.

વિખંડિતતા બાબતે જે ચિંતા છે તે માત્ર હિંદુ વિ. બીજા એટલા સીમિત સંદર્ભમાં જ નથી. જેને આધારે હાલનો સત્તાપક્ષ રાષ્ટ્રની વ્યાખ્યા કરવાની રાજનીતિ કરે છે તે હિંદુસમાજને નાતજાતગત ‘ઊંચનીચ’ની મૂર્છા હજી પૂરી વળી નથી. સ્વરાજસિત્તેરી પછી પણ જે સમજાય છે તે તો  એ કે તમે ‘હિંદુ’ને નાતે ગોળબંધ થાઓ તે પછી અને છતાં પેલી ‘ધ આધર’ની તીવ્રતા ઓછી થઈ ન થઈ અને ઊંચનીચનો ખયાલ ઢેકો કાડ્યા વગર રહેતો નથી. નાગરિક અપીલ પર હિંદુ અપીલ હાવી થાય ન થાય અને નાતજાતની અપીલ એકદમ સામે આવે છે. એમાંથી ઓળખનું રાજકારણ એવી રીતે બહાર આવે છે કે રાષ્ટ્રનું પોત સુઘટ્ટ કરવાની નાગરિક પ્રક્રિયા પાછી પડે છે.

મજ્જાગત એવાં આ ઊંચનીચ, પછીથી, એવાં એવાં સ્પિન વાસ્તે પીચ પૂરી પાડે છે જ ન તો ઇષ્ટ હોય, ન તો અભીષ્ટ હોય. તમે પ્રચારની લાયમાં આટલે નીચે કેમ જાઓ છો એવો મુદ્દો ઉપસ્થિત કરવા જતાં અંગ્રેજીમાં તરજુમાશાઈ ગોથામાં (અને બૌદ્ધિક સનક સાથેના કંઈક ધમંડમાં) મણિશંકર અય્યરે ‘નીચ’ પ્રયોગ કર્યો એ ભાષાચૂક અને જીભચૂક સાથે એમણે બાણું લાખ વૈખરીના ધણીને ઓઠાં પ્રહર સ્પિનની સગવડ કરી આપી. કૉંગ્રેસે અય્યરને સસ્પન્ડ કર્યા, પણ બુંદ સે ગઈ હોજ સે નહીં આતી – અને ભા.જ.પ. આ પ્રકારના ચોઈસેસ્ટ ઉદ્‌ગારોએ મંડિત એક આખી બીજી હરોળ (જેટલી ગ્લિટરાટી એટલી ટિ્‌વટરાટી) નભાવે છે એ હકીકત, પછી, પોસ્ટ-ટ્રુથ માહોલમાં દૃષ્ટિપ્રત્યક્ષ છતાં ઓઝલ જેવી થઈ જાય છે.

૨૦૧૭ના ગુજરાતમાં ભા.જ.પ. જેને જાતિવાદ વિ. રાષ્ટ્રવાદની લડાઈ કહે છે તે વાસ્તવમાં ઠીક ઠીક પ્રમાણમાં પાટીદાર, ઓ.બી.સી. અને દલિત સમુદાયો ‘રાજકીય હિંદુ’ તરીકેની ગોળબંધીમાંથી હટી રહ્યા હોવાના અહેસાસમાંથી જન્મેલો વિચારપછાડો છે. વસ્તુતઃ આ પ્રક્રિયા કોમી એકત્રીકરણ(અને તજ્‌જન્ય વિખંડતિતા)માં વિખરાવવાની શરૂઆતની છે. બેશક, વ્યાપક નાગરિક વલણ એક સ્થાયી ભાવ બને તે દૃષ્ટિએ હજુ ખાસી મજલ કાપવી રહેશે. ગાંધીનગર ઢૂંકડું હોય ત્યારે પણ દિલ્હી દૂર હોય એ માત્ર ભૌગૌલિક વાસ્તવ નથી પણ રાજકીય-સામાજિક મનોવાસ્તવ છે. જે સ્વાગતાર્હ શક્યતા, રાજકીય હિંદુ ગોળબંદીમાં સંભવિત વિખરાવથી ખૂલી છે એનો કર્મશીલ બૌદ્ધિકોને નાગરિક સ્પંદ હોવો જોઈશે. પાટીદાર આંદોલન વળ અને આમળા ખાઈ ખાઈને આજે દલિત-ઓ.બી.સી. જોગવાઈઓના સમાદરપૂર્વક પોતાની હકમાંગને સમાયોજવાનું વલણ દાખવી રહ્યું છે એને જરૂર એક વિધાયક નાગરિક ઉન્મેષ લેખે ઘટાવી શકીએ.

નમોના રોડ શો અને રેલીકારણમાં હાર્દિકવશ હાંફ અને હરીફાઈ વરતાયાં તેની પૂંઠે જે એક બીજું પરિબળ કામ કરી રહ્યું છે તે એમના બંને સહિત સંબંધિત સૌએ, રિપીટ, સૌએ સમજવાપણું છે. નરસિંહ રાવ – મનમોહનસિંહના વારાથી શરૂ થયેલી નવી આર્થિક નીતિ (જે તત્ત્વતઃ વાજપેયી વરસોમાં ને મોદી સરકારમાં/બરકરાર છે એણે નવા વંચિતો પેદા કર્યાં છે અને વિષમતા વકરાવી છે. પાટીદાર આંદોલનનો આરંભિક અનામતનાદ વણ સમજ્યે પણ આ પ્રક્રિયાને આભારી હોઈ શકે છે. માહિતી અધિકાર અને મનરેગા જેવી બે બળુકી ભેટો છતાં કૉંગ્રેસે વંચિતતા-વિષમતાના વિવર્ધન વિશે મૂળગત વિચારવાનું રહે છે. ભા.જ.પ. નેતૃત્વ વાસ્તવ સામે વૈખરીના વેશમાં પેશ આવે છે, પણ એણે ય વિકાસની અવધારણા વિશે આત્મનિરીક્ષણપૂર્વક વિચારવું રહેશે એ ગુજરાતના પાટીદાર ઉઠાવ પછી સમજાઈ રહેવું જોઈએ. પાટીદાર ઉઠાવ ચીમનભાઈ પટેલ અને કેશુભાઈ પટેલ વખતના રાજકીય વર્ચસમાં નવા ભાગિયા આવ્યા એેને આભારી હશે – સોલંકીના ‘ખામ’ અભિગમ સામે પણ રાજકીય વર્ચસ્વની મનોવૈજ્ઞાનિક તાણ હશે – પણ સૌનો વિકાસ નવી નહીં પણ નવેસરની આર્થિક નીતિ માગે છે.

૨૦૧૭નો નવેમ્બર ઊતરતે અને ડિસેમ્બર બેસતે વિકાસનો મુદ્દો ક્યાં ગાયબ થઈ ગયો! વિકાસની વ્યાખ્યા આમે ય બિનઉત્પાદક બાવલાચાળામાં કે બિનઉપયોગી બુલેટ ટ્રેનાઈમાં સમેટાવા લાગી હતી અને હવે એ બીજા દોરના મતદાન પૂર્વે છેલ્લા પ્રચાર કલાકોમાં ક્યાં આવીને ઠીંગરાઈ ગઈ એ સમજવા જેવું છે. બારમી ડિસેમ્બરે નમોના ગુજરાત રોકાણ બાબતે આ સત્તાવાર યાદી વાંચો એ પછી કદાચ કશું જ કહેવાપણું નહીં રહે. ‘ VM-BJPGUJ:’ શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે સવારે ૯ઃ૩૦ વાગ્યે સૌ પ્રથમ વાર રિવર ફ્રન્ટથી સી-પ્લેન દ્વારા ધરોઈ ડેમ થઈ અંબાજી દર્શને જશે, તો મોદીજીના આ વિકાસના કામને સત્કારવા વધુ ને વધુ મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાઈએ.’

આ જે ‘જોણું’, એને ‘વિકાસ’ કહેવાનો ચાલ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીથી ૨૦૧૯ની લોકસભા ચૂંટણી લગીમાં આમૂલ તપાસી નહીં શકીએ તો? પૂરતું મોડું થયું છે. અમીર-ગરીબ એ કાયમ જેવી વિખંડિતતા ક્યાં લઈ જશે આપણને. દર્દકા હદસે ગુજર જાના દવા હોતા હૈ, એ ગાલિબનું દર્શન પ્રેમમાં માનો કે સાચું પણ હોય; વિકાસનો રંગલો ક્યારે અનર્થકારણની રંગલી સાથે છૂમંતર થઈ જાચ, કંઈ કહેવાય નહીં.

જે પણ ચૂકાદો આવે, આગામી એજન્ડા અને અગ્રતા સમજાઈ રહે તો ગુજરાતને વિવેકબૃહસ્પતિ બકું.

લખ્યા તા. ડિસેમ્બર ૧૨, ૨૦૧૭

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2017; પૃ. 01-02

Loading

માત્ર ત્રણ જ મહિનામાં નરેન્દ્ર મોદીની કલાઈ ઊખડી રહી છે એનાં ચાર કારણો જાણી લો: નોટબંધી, GST, ડોકલામ અને જય શાહ

રમેશ ઓઝા|Opinion - Opinion|15 December 2017

ઑગસ્ટ મહિનામાં શંકરસિંહ વાઘેલાએ તેમના અડધો ડઝન સમર્થક વિધાનસભ્યો સાથે કૉન્ગ્રેસમાંથી રાજીનામું આપ્યું ત્યારે કૉન્ગ્રેસને વગર ચૂંટણીએ પરાજિત ઘોષિત કરી દેવામાં આવી હતી.

રાજ્યસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસના ઉમેદવાર અહમદ પટેલને ક્રૉસવોટિંગ દ્વારા પરાજિત કરવાના હતા અને એ રીતે કૉન્ગ્રેસનું મૉરલ તોડી નાખવામાં આવ્યું હતું. આ પહેલાં આ વરસના પ્રારંભમાં BJPએ ઉત્તર પ્રદેશમાં બે-તૃતીયાંશ બેઠકો મેળવીને દેશને ચોંકાવી દીધો હતો. ત્રિપાંખિયા જંગમાં કોઈ પક્ષને બે-તૃતીયાંશ બેઠક મળે એ માની ન શકાય એવી ઘટના હતી. નોટબંધીની યાતના પછી દેશના સૌથી મોટા રાજ્યમાં યોજાયેલી મહત્ત્વની ચૂંટણી હતી અને એમાં BJPએ આવો ભવ્ય વિજય મેળવ્યો હતો.

એ ઘટનાના બે અર્થ કરવામાં આવ્યા હતા. એક અર્થ એવો કરવામાં આવ્યો હતો કે નરેન્દ્ર મોદી આપણે ધારીએ છીએ એના કરતાં પણ વધુ લોકપ્રિય છે અને લોકોની તેમનામાં અખૂટ શ્રદ્ધા છે. આનો અર્થ એ થયો કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી નરેન્દ્ર મોદીના ગજવામાં છે. જો ઉત્તર પ્રદેશમાં BJP બે-તૃતીયાંશ બહુમતી મેળવી શકે તો લોકસભામાં ૨૦૧૪ કરતાં પણ વધુ બેઠકો મળે તો નવાઈ નહીં. આને કારણે કેટલાક રાજકીય હરીફોમાં ભય પેસી ગયો હતો અને તેમને લાગવા માંડ્યું હતું કે સામે પાણીએ તરવાનો કોઈ અર્થ નથી અને પ્રવાહપતિત થવામાં લાંબા ગાળાનું હિત છે. બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમાર અને ગુજરાતના મૂળ સંઘી શંકરસિંહ વાઘેલાનો શરમ છોડીને ગુલાંટ મારનારા પ્રવાહપતિતોમાં સમાવેશ થાય છે. તેમને એવી ખાતરી થઈ ગઈ હતી કે ભવિષ્ય નરેન્દ્ર મોદીનું છે એટલે તેમની આંગળી પકડી લેવી જોઈએ.

એ સમયે નરેન્દ્ર મોદી અને BJPની ટીકા કરનારા કેટલાક પત્રકારો પણ ડરી ગયા હતા અને જે નહોતા ડર્યા તેમને ડરાવવામાં આવતા હતા. ગૌરી લંકેશ પછીની અભદ્ર નુક્તેચીનીઓ યાદ હશે. બીજી બાજુ કેટલાક હિતચિંતકો ટીકા કરવાની હિંમત ધરાવનારા પત્રકારોને સાવધાન રહેવાની સલાહ આપતા હતા. મને ઓછામાં ઓછા છએક મિત્રોના સાવધાન રહેવાની સલાહ આપનારા ફોન આવ્યા હતા જેમાંના કેટલાક BJPના અને નરેન્દ્ર મોદીના સમર્થક હતા. તેમને પણ એમ લાગતું હતું કે નરેન્દ્ર મોદીનું એકહથ્થુ શાસન ૨૦૧૪ સુધીની વાસ્તવિકતા છે એટલે મારા જેવાએ દુસ્સાહસ કરીને નુકસાન ન વહોરવું જોઈએ. હું તેમને જવાબ આપતો હતો કે અંતરાત્માને વફાદાર રહીને જીવવાના જિંદગીમાં બહુ ઓછા પ્રસંગ આવતા હોય છે આ એમાંનો એક છે.

બીજું અર્થઘટન એવું કરવામાં આવ્યું હતું કે આ EVMની કમાલ છે. બહુજન સમાજ પાર્ટીનાં નેતા માયાવતી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ આમાં અગ્રેસર હતાં. આમ આદમી પાર્ટીએ તો દિલ્હીની વિધાનસભામાં EVMને કઈ રીતે મૅનેજ કરી શકાય છે એનું લાઇવ ડેમોન્સ્ટ્રેશન પણ આપ્યું હતું. એ સમયે EVM સામેની શંકાઓને ખાટી દ્રાક્ષ તરીકે ઓળખાવવામાં આવી હતી. ખેર, વૉટર વેરિફિયેબલ પેપર ઑડિટ ટ્રેઇલ નામની ચબરખી મતદાતાને હવે ખાતરી કરાવવા માટે આપવામાં આવે છે એ આ ઊહાપોહનું પરિણામ હતું.

તો નોટબંધીના વસમા સમયની પણ મતદાતાના ચિત્ત પર કોઈ અસર નહોતી થઈ, બલકે મતદાતા વધુ નરેન્દ્ર મોદી તરફ ઢળ્યો છે એ ગયા ઑગસ્ટ મહિના સુધીની વાસ્તવિકતા લાગતી હતી. એટલે તો નીતીશકુમારે પાલો બદલ્યો હતો અને શંકરસિંહ વાઘેલા BJPને મદદરૂપ થવા કૉન્ગ્રેસમાંથી બહાર આવ્યા હતા. બન્નેને ખાતરી થઈ ગઈ હતી કે ભવિષ્ય BJPનું છે. એટલે તો પત્રકારોને ધમકાવવામાં આવતા હતા, ચેતવણી આપવામાં આવતી હતી અને સાવધાન રહેવાની સલાહ આપવામાં આવતી હતી. તો પછી અચાનક એવું શું બન્યું કે માત્ર બે મહિનામાં લોકોના મનમાં નરેન્દ્ર મોદી અને BJP પ્રત્યે અભાવ થવા લાગ્યો? શું GSTના કારણે જે જુલાઈ મહિનામાં લાગુ કરવામાં આવ્યો હતો?

ચાર કારણો મુખ્ય છે. એક તો રહી-રહીને છેવટે રિઝર્વ બૅન્કે કહેવું પડ્યું હતું કે નોટબંધીનું પગલું નિષ્ફળ નીવડ્યું છે. ઘણા સમય સુધી જૂની નોટો ગણવામાં સમય વિતાવીને રિઝર્વ બૅન્ક સરકારને મદદ કરી રહી હતી, જાણે બૅન્કોમાંથી જૂની નોટો ગણ્યા વિના જોખીને કોથળામાં પાછી ફરી હોય. જાણે કે રિઝર્વ બૅન્કના અધિકારીઓ નોટ ગણવાનાં મશીનો વાપરવાની જગ્યાએ હાથેથી નોટ ગણતા હોય. ૩૦ ઑગસ્ટે રિઝર્વ બૅન્કે નાછૂટકે વાર્ષિક અહેવાલ બહાર પાડવો પડ્યો હતો અને એમાં સ્પષ્ટ થઈ ગયું હતું કે નોટબંધી એ કહેવાતા મગરમચ્છને મારવા માટે તળાવ સૂકવીને માછલાં મારનારું પગલું હતું. મગરમચ્છ તો એક પણ હાથ લાગ્યો નથી, પરંતુ માછલાં મરી ગયાં.

આ જાહેરાત વ્યવસ્થાકીય સુધારાઓ ઇચ્છનારા અને વડા પ્રધાન એમ કરવા પ્રતિબદ્ધ છે એમ માનનારા ભોળા ભારતવાસી માટે આઘાતજનક હતી. તો પછી શા માટે નોટબંધી કરવામાં આવી હતી? એ સતત પુછાતો રહેતો સવાલ છે. સરકાર એનો કોઈ સંતોષકારક ઉત્તર આપી શકતી નથી.

બીજું કારણ ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ(GST)નું હતું. ચોવીસે કલાક મીડિયાની હેડલાઇન તરફ નજર રાખવાની આદત ધરાવતા વડા પ્રધાન દરેક ઘટનાને ઇવેન્ટમાં ફેરવી નાખે છે અને એના કેન્દ્રમાં પોતાને રાખે છે. GSTની બાબતમાં પણ એવું જ બન્યું હતું. GST જેટલો જટિલ ટૅક્સ લૉ એકેય નથી. ખુદ નાણાપ્રધાન GST વિશે ખુલાસાઓ કરી શકતા નથી. જો GSTને બીજી આઝાદી જેવી ઇવેન્ટ તરીકે લાગુ ન કર્યો હોત તો કેટલીક જગ્યાએ સુધારા કરવા અને કેટલીક જગ્યાએ પાછા ફરવા જગ્યા પણ બચી હોત. GST એવું ગળાનું હાડકું બની ગયું છે કે નથી એ ગળે ઊતરતું કે નથી એ થૂંકી શકાતું. આખરે GST ઐતિહાસિક ઘટના હતી અને ઐતિહાસિક ઘટનાઓ વારંવાર નથી બનતી.

ત્રીજું કારણ ડોકલામમાં ચીનની હાજરી હતું. આ પણ એ જ અરસાની ઘટના છે અને હજી ચીની સૈનિકો ડોકલામમાં છે. ૧૫ ઑગસ્ટે લાલ કિલ્લા પરથી વડા પ્રધાન દેશને સંબોધતા હતા ત્યારે ચીની સૈનિકો ડોકલામમાં કબજો જમાવીને બેઠા હતા. વડા પ્રધાન લાલ કિલ્લા પરથી કે પછી સંસદમાં કે અન્યત્ર એક હરફ ઉચ્ચારવાની હિંમત નહોતા કરી શક્યા. એક ઝાટકે ચીનાઓએ નરેન્દ્ર મોદીની ૫૬ ઇંચની છાતીને ઉઘાડી પાડી દીધી હતી. ચીનાઓ આજે પણ શિયાળો હોવા છતાં ડોકલામમાં બેઠા છે એ હવે સાબિત થઈ ગયું છે અને વડા પ્રધાન ચૂંટણીસભાઓમાં એનો ઉલ્લેખ સુધ્ધાં કરી શકતા નથી.

નરેન્દ્ર મોદીએ તેમનું નાક કાપવા તેમ જ તેમને રાજકીય રીતે કમજોર કરવા પાકિસ્તાન કાવતરાં કરી રહ્યું છે એવો આરોપ કર્યો હતો. તેમણે આવો આરોપ જો ચીન સામે કર્યો હોત તો તેમના આરોપમાં તથ્ય હોઈ શકે છે એમ માનવાનું મન પણ થાત. ચીન આવું કરી શકે એમ છે. હું તો ત્યાં સુધી કહું છું કે માત્ર નરેન્દ્ર મોદીની છાતીને ઉઘાડી પાડીને ભારતના લોકોની નજરે તેમને નીચા દેખાડવા ચીને ડોકલામમાં પ્રવેશ કર્યો હોય તો નવાઈ નહીં.

ચોથું કારણ અમિત શાહના પુત્ર જય શાહનો ભ્રષ્ટાચાર છે. એની વિગતથી દરેક ભારતીય પરિચિત છે એટલે એને અહીં નોંધવાની જરૂર નથી. હું ખાતો નથી અને ખાવા દેતો નથી એવો દાવો કરનારા વડા પ્રધાન તેમના હનુમાનના પરાક્રમ વિશે ચૂપ છે એ જોઈને શ્રદ્ધાવાન ભારતીય ચોંકી ગયો છે.

ભારતના નાગરિકને હવે ખાતરી થવા લાગી કે સાહેબ પાસે નથી કોઈ વિઝન, નથી એવી કોઈ મર્દાનગી કે નથી સ્વચ્છ જાહેર જીવન માટેની નિસબત. તો પછી સાહેબ પાસે છે શું? મતદાતા શોધવા લાગે છે અને તેને શું હાથ લાગે છે? વિચારો.

સૌજન્ય : ‘કારણ-તારણ’, “ગુજરાતી મિડ-ડે”, 15 ડિસેમ્બર 2015

Loading

...102030...3,2173,2183,2193,220...3,2303,2403,250...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved