Opinion Magazine
Number of visits: 9684074
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી — 21

દીપક મહેતા|Opinion - Opinion|9 December 2019

તે દિવસે મુંબઈમાં ભજવાયું

પહેલવહેલું ગુજરાતી નાટક

તે દિવસે વાર હતો શનિ, તારીખ હતી ૨૯, મહિનો હતો ઓક્ટોબર, સાલ હતી ૧૮૫૩. ત્યારે મુંબઈ શહેરમાં બત્તી પેટાવવા નહોતી વીજળી કે નહોતી વિદ્યાનું અજવાળું પાથરતી મુંબઈ યુનિવર્સિટી. ગુજરાતી છાપાં પણ ત્યારે ગણતરીનાં. ’મુંબઈ સમાચાર’ ઉપરાંત મુંબઈનાં ’ચાબુક’, ’જામે જમશેદ', અને ’રાસ્ત ગોફતાર', એટલાં જ. પ્રચારનાં બીજાં કોઈ સાધનો નહીં .અને છતાં એ દિવસે સાંજે ગ્રાન્ટ રોડ પર રોજ કરતાં વધુ લોકોની અવર જવર દેખાતી હતી. હા, તેમાંના ઘણા પારસી હતા તો સાથોસાથ કેટલાક હિન્દુ પણ હતા. ગુજરાતી ભાષા બોલનારાઓની સાથે થોડા મરાઠીભાષીઓ પણ હતા. ક્યાંક ક્યાંક રડયોખડયો ગોરો સાહેબ પણ દેખાતો હતો.

જગન્નાથ શંકરશેઠ

હા, બધાના પગ એક જ દિશામાં જઈ રહ્યા હતા, જગન્નાથ કહેતાં નાના શંકર શેઠે બંધાવેલા થિયેટર તરફ. એ તરફ જનારા સૌની આંખોમાં આતુરતા હતી. અંતરમાં આનંદ હતો. કારણ આજે એ થિયેટરમાં જે બનવાનું હતું એ અપૂર્વ હતું. એવું તે શું બનવાનું હતું તે દિવસે? આજે અહીં ભજવાવાનું હતું એક ગુજરાતી નાટક. થોડા વખત પહેલાં આ જ થિયેટરમાં પહેલ વહેલી વાર એક મરાઠી નાટક ભજવાયું હતું. સાંગલીમાં મરાઠીનું પહેલું નાટક ‘સીતા સ્વયંવર’ ભજવ્યા પછી વિષ્ણુદાસ ભાવે એ નાટક લઈને મુંબઈ આવ્યા હતા. તેનો પહેલો ખેલ જો કે ગિરગામ રોડ પર આવેલી જગન્નાથ શંકર શેઠની વાડીમાં ભજવાયો હતો. (આજે તેની જગ્યાએ બહુમાળી ઈમારત ઊભી છે, પણ આ લખનારે બાળપણમાં તે અનેક વાર જોઈ હતી.) પણ એ હતો માત્ર આમંત્રિતો માટેનો એક ખાસ ખાનગી પ્રયોગ. તે પછી તેનો પહેલો જાહેર પ્રયોગ ગ્રાન્ટ રોડ પરના નાના શંકરશેઠના આ જ થિયેટરમાં થયેલો.

દાદાભાઈ નવરોજી

તે અગાઉ મુંબઈમાં અંગ્રેજી નાટકો ભજવાતાં ખરાં. ઈંગ્લેન્ડથી નાટક મંડળીઓ આવતી અને શેક્સપિયરનાં કે બીજાં અંગ્રેજી નાટકો ભજવતી પણ તે નાટકો જોવા મોટે ભાગે તો ગોરાઓ જતા. ક્યારેક બે-પાંચ પારસી કે મરાઠીભાષીઓ જાય એ જુદી વાત. આવી રીતે અંગ્રેજી નાટકો જોનારાઓમાંના એક હતા દાદાભાઈ નવરોજી. તેમને થયું કે અંગ્રેજીમાં ભજવાય, મરાઠીમાં ભજવાય, તો ગુજરાતીમાં નાટક કેમ ન ભજવાય? એટલે થોડાક મિત્રોને સાથે લઈને તેમણે પારસી નાટક મંડળીની સ્થાપના કરી. દારાશાહ રિપોર્ટર તેના સેક્રેટરી બન્યા. પારસી તવારીખની સોનાની ખાણ જેવા ’પારસી પ્રકાશ’માં કહ્યું કે છે “મુંબઈ મધે ગુજરાતી ભાષામાં નાટકો કરનારી એકુ ટોલી ન હોવાથી કેટલાક કેળવણી પામેલા પારસી ગરહસ્થોની આગેવાની હેઠલ આએ શાલમાં પેહલ વહેલી એક પારસી નાટક મંડળી સ્થાપવામાં આવી હતી.”

આમાંથી બે વાત સૂચવાય છે: આ અગાઉ ગુજરાતી નાટક ભજવી શકે એવી કોઈ નાટક મંડળી મુંબઈમાં નહોતી. આ એવી પહેલી જ મંડળી. બીજું, થોડા પારસી જુવાનિયાના મનમાં કીડો સળવળ્યો અને નાટકનો એક ખેલ કરી નાખ્યો એવું નહોતું. રીતસર નાટક મંડળી સ્થાપેલી. તેના હોદ્દેદારો હતા, મંત્રી હતા, પ્રમુખ હતા. નાટક ભજવતાં પહેલાં સારો એવો વખત રિહર્સલર પણ કર્યાં જ હોય. પછી જે નાટક રજૂ થયું એ અંગે ૨૯મી ઓક્ટોબર ૧૮૫૩ના દિવસનું પારસી પ્રકાશ નોંધે છે કે તે દિવસે પારસી નાટક મંડળીએ ગ્રાન્ટ રોડ પરની નાટક શાળામાં ‘રુસ્તમ અને શોરાબ’નો નાટક તથા ‘ધનજી ગરકનો ફારસ’ કરી બતાવ્યો હતો. પારસીઓમાં નાટકનું કામ આ પહેલવહેલું હોવાથી નાટક શાળા ઉભરાઈ ગઈ હતી.” મુંબઈમાં આ પહેલવહેલું ગુજરાતી નાટક ભજવાયું એ ઘટનાની નોંધ એ વખતના અંગ્રેજી અખબાર ‘બોમ્બે કુરિયરે’ તેના ૩૧ ઓક્ટોબરના અંકમાં લીધી હતી. આ નાટકમાં જેમણે અભિનય કરેલો તેમનાં નામ પણ આપેલાં : પેસ્તનજી ધનજીભાઈ માસ્તર, નાનાભાઈ રૂસ્તમજી રાણીના, દાદાભાઈ નસરવાનજી એલીએટના, માણેકજી મહેરવાનજી મેહરહોમજીના, મંચેરશાહ માણેકજી  મોદી, બહેરામજી જીવણજી ઝવેરી, ભીખાજી ખરશેદજી મૂસ, મંચેરજી ફરદુનજી સુનાવાલા, કાવસજી હોરમજજી બિલીમોરિયા, ડોક્ટર રૂસ્તમજી હાથીરામ, ડોક્ટર મહેરવાનજી ઈજનેર, અને કાવસજી નસરવાનજી કોહીદારૂ.

પારસી નાટક મંડળીના સભ્યો

પછીથી આ નાટક મંડળીનો કારભાર ફરામજી ગુસ્તાદજી દલાલ ચલાવતા હતા. પારસીઓની ટેવ પ્રમાણે તેમનું પણ રમૂજી ઉપનામ પાડ્યું હતું : ‘ફલુઘૂસ.’ તેમણે પોતાની આખી જિંદગી રંગભૂમિને આપી દીધી હતી. તેઓ નાટક માટેના પ્રેમ ઉપરાંત તીખો, આખાબોલો સ્વભાવ, સાહસિક વૃત્તિ અને વેપારી માનસ ધરાવતા હતા. પછી તો મુંબઈમાં ગુજરાતી નાટકની ગાડી સડસડાટ દોડવા લાગી. ૧૮૬૯ સુધીમાં મુંબઈમાં લગભગ ૨૦ નાટક મંડળીઓ કામ કરતી થઈ ગઈ હતી. અલબત્ત, આમાંની કેટલીકનું આયુષ્ય થોડા વરસનું જ હતું. આવી નાટક મંડળીઓમાંથી કેટલીકનાં નામ : એમેચ્યોર્સ ડ્રામેટિક ક્લબ, પારસી સ્ટેજ પ્લેયર્સ, ઝોરાસ્ત્રિયન નાટક મંડળી, આલબર્ટ નાટક કંપની, એલ્ફિન્સ્ટન ડ્રામેટિક ક્લબ, વિક્ટોરિયા નાટક મંડળી, વગેરે.

પણ પારસી રંગભૂમિનું ઘડતર અને ચણતર કરવાનું કામ કરનાર તો હતા કેખુશરુ કાબરજી. તેમનો જન્મ ૧૮૮૪ના ઓગસ્ટની ૨૧મી તારીખે થયો હતો. તેઓ બેહસ્તનશીન થયા ૧૯૦૪ના એપ્રિલની ૨૪મી તારીખે. તેમના જમાનાના કાબરજી આગળ પડતા પત્રકાર હતા. ‘પારસી મિત્ર’, ‘જામે જમશેદ’, ‘રાસ્તગોફતાર’, જેવાં પત્રો સાથે તેઓ સંકળાયેલા હતા. પણ પત્રકાર તરીકેની તેમણે સૌથી મોટી સેવા તો ‘સ્ત્રીબોધ’ દ્વારા કરી જે અંગે આપણે અગાઉ વાત કરી છે. તેમને અંગ કસરતમાં પણ રસ હતો. આ માટે તેમણે કસરત શાળા શરૂ કરાવી હતી અને ૧૮૬૭થી ૧૮૭૫ સુધી તેઓ તેના વડા રહ્યા હતા. ૧૮૬૮ના મેં મહિનાની ૧૬મી તારીખે તેમણે ‘વિક્ટોરિયા નાટક મંડળી’ શરૂ કરી. તેના પ્રમુખ હતા વિનાયકરાવ જગન્નાથ શંકર શેઠ. અને તેની સમિતિમાં ડો. ભાઉ દાજી લાડ, સોરાબજી શાપુરજી બંગાલી, ડોસાભાઈ કરાકા, અરદેશર ફરામજી મુસ, વગેરેનો સમાવેશ થતો હતો. શરૂઆતમાં આ મંડળીએ શેક્સપિયરનાં કેટલાંક નાટકોનાં રૂપાંતર ભજવ્યાં હતાં.

કેખુશરુ કાબરાજી

પછી ૧૮૬૯ના માર્ચની ૨૦મી તારીખે કેખુશરુ કાબરજીએ લખેલ નાટક ‘બેજન અને મનીજેહ’ ભજવ્યું હતું. ઈરાની પહેરવેશ, રીતરિવાજ, વગેરે આ નાટકની વિશિષ્ટતા હતી. આ નાટક ખૂબ લોકપ્રિય થતાં તેના ઘણા પ્રયોગ રજૂ થયા હતા. ત્યાર બાદ નવાં નાટકો મેળવવા માટે આ નાટક મંડળીએ ઇનામી હરીફાઈ યોજવાનું ચાલુ કર્યું હતું. પહેલી હરીફાઈમાં જમશેદજી એદલજી ખોરીના ‘રુસ્તમ અને સોરાબ’ નાટકને ૩૦૦ રૂપિયાનું ઇનામ મળ્યું હતું અને ભજવાયું ત્યારે એ પણ લોકપ્રિય થયું હતું. ૧૮૭૦માં ગ્રાન્ટ રોડ નજીક આ નાટક મંડળીએ ‘વિક્ટોરિયા નાટક શાળા’ નામનું પોતાનું થિયેટર બંધાવ્યું હતું. વખત જતાં આ નાટક મંડળીએ ગુજરાતી ઉપરાંત ઉર્દૂ નાટકો ભજવવાનું શરૂ કર્યું અને આ નાટકો ભજવવા માટે જુદાં જુદાં સ્થળોનો પ્રવાસ પણ શરૂ કર્યો. હૈદરાબાદ, દિલ્હી, બનારસ, લાહોર, જયપુર વગેરે શહેરોમાં ઉર્દૂ નાટકો ભજવ્યા પછી ૧૮૭૮માં આ મંડળી રંગૂન અને સિંગાપુર ગઈ હતી. તેમની ખ્યાતિ એ વખતના બર્માના રાજા સુધી પહોંચી હતી. એ વખતે માંડલે બર્માની રાજધાની હતું. રાજાએ ત્યાં આવી નાટકો ભજવવા આમંત્રણ મોકલ્યું હતું. આ માટે કુલ ૪૧ જણાનો કાફલો માંડલે ગયો હતો. તેનો રોજનો ખર્ચ ૨૦૦ રૂપિયા જેટલો થતો હતો, પણ મંડળીએ એ જોખમ ઉઠાવ્યું હતું. તેમનાં નાટકો જોઈ રાજા એટલા ખુશ થયા હતા કે  મંડળીએ ભજવેલ ૩૫ ખેલ માટે તેને ૪૩ હજાર રૂપિયા (એ વખતે ઘણી મોટી રકમ) આપી હતી. આ ઉપરાંત નાટક મંડળીના દરેક સભ્યને ૪૦૦ રૂપિયા, સોનું, ઘરેણાં વગેરે રાજાએ આપ્યાં હતાં. મંડળી મુંબઈ પાછી ફરી ત્યારે ખરચ બાદ કરતાં તેને ૫૦ હજાર રૂપિયાનો નફો થયો હતો. એ પછી બર્માના રાજાના આમંત્રણથી એ મંડળી બીજી ત્રણ વાર બર્માની મુલાકાત લીધી હતી. એ વખતે દરેક ખેલ માટે રાજાએ મંડળીને એક હજાર રૂપિયા ચૂકવ્યા હતા.

ગેઈટી થિયેટર, લંડન

૧૮૮૫માં ઇંગ્લન્ડ ખાતે ‘ઇન્ડિયન એન્ડ કોલોનિયલ એકઝિબિશન યોજાયું હતું. એ પ્રસંગે ઉર્દૂ નાટકો ભજવવા માટે આ મંડળી લંડન ગઈ હતી. તે વખતે દુભાષિયા તરીકે કુંવરજી સોરાબજી નાઝરને સાથે લઇ ગયા હતા. આ નાઝર પણ વખત જતાં આગળ પડતા નાટકકાર તરીકે જાણીતા થયા હતા. લંડનમાં એક અઠવાડિયા સુધી રોજ ગેઈટી થિયેટરમાં આ મંડળીએ ઉર્દૂ નાટકો ભજવ્યાં હતાં. ત્યાર બાદ ચાર મહિના સુધી પોર્ટલેન્ડ હોલમાં પોતાના ખેલ ભજવ્યા હતા. તેમાં સયફસ સુલેમાન, હરિશ્ચન્દ્ર, મહમુદશાહ, હુમાયુન નાશીર, આશક્કા ખૂન, વગેરે નાટકોનો સમાવેશ થયો હતો. જો કે આ સફરમાં આર્થિક રીતે ખોટ ગઈ હતી, પણ હિન્દુસ્તાનનાં નાટકો વિદેશની ધરતી પર ભજવાયાં હતાં. ઇંગ્લન્ડ જઈને નાટકો ભજવનારી આ પહેલવહેલી ગુજરાતીઓની નાટક મંડળી હતી. આ બધા પ્રવાસોમાં થયેલા નફામાથી આ મંડળીએ પોતાનાં નાટકો ભજવવા માટે કોટ વિસ્તારમાં ‘નોવેલ્ટી થિયેટર’ બંધાવ્યું હતું. પણ સાથોસાથ આ મંડળી વખતોવખત જાહેર સખાવતોમાં પણ મોટી રકમો આપતી – મુંબઈમાં તેમ જ મુંબઈ બહાર જ્યાં જ્યાં પ્રવાસે જાય ત્યાં પણ. સમય સાથે આ મંડળી સાથે નવી નવી વ્યક્તિઓ જોડાતી ગઈ, જૂની વ્યક્તિઓ કાં અલગ થઈ, કાં મૃત્યુ પામી. પણ છેક ૧૯૨૪ સુધી આ વિક્ટોરિયા નાટક મંડળી કામ કરતી રહી હતી. પછી બેન્કનું દેવું ભરપાઈ ન કરી શકાતાં બેન્કે તેની સ્થાવર-જંગમ અસ્ક્યામત પોતાના તાબામાં લીધી હતી.

૧૮૫૩માં શરૂ થયેલી પારસી નાટક મંડળીના ‘ફલુઘૂસ’ વિષે થોડી વધુ વાત. પારસી નાટક મંડળી છોડી તેઓ વિક્ટોરિયા નાટક મંડળીમાં જોડાયા અને પછીથી કેખુશરુ કાબરાજી સાથે તે છોડી ‘નાટક ઉત્તેજક મંડળી’માં જોડાયા. આ વર્ષો દરમિયાન નાટ્યકાર રણછોડભાઈ ઉદયરામ અને કાબરાજી મિત્રો બન્યા હતા. પહેલું કોમેડી નાટક ‘સૂડી વચ્ચે સોપરી’ ફ્લોપ જતાં આ મંડળીએ રણછોડભાઈના ‘હરિશ્ચંદ્ર’ અને ‘નળદમયંતી’ નાટકો ફરી ભજવ્યાં. આ ઉપરાંત કવિ નર્મદનું ‘સીતાહરણ’ નાટક પણ સફળતાપૂર્વક ભજવ્યું. હવે બન્યું એવું કે મુંબઈની કેટલીક ગુજરાતી નિશાળના માસ્તરો ‘હરિશ્ચન્દ્ર’ નાટકનો એક સોલ્ડ આઉટ શો મેળવવા પેલા ફલુઘૂસ પાસે ગયા. એક ખેલ માટે માસ્તરોએ ૩૦૦ રૂપિયા આપવાની તૈયારી બતાવી. પણ ફલુઘૂસે ૫૦૦ રૂપિયા માગ્યા. માસ્તરોએ ભાવ કરવાનો પ્રયત્ન કર્યો એટલે ફલુઘુસનો પિત્તો ગયો. કહે: “જા, જા, વાનિયા! તારે વેપલો કરવો હોય તો મૂક ૫૦૦ રૂપિયા મારા ટેબલ પર અને નહિ તો નીચી મુંડી કરી ચાલતો થા.” એ વખતે બધી નાટક મંડળીઓ પારસીઓની હતી, હિંદુ ગુજરાતીઓની એક પણ નહોતી. ફલુઘૂસની વાત સાંભળી નરોત્તમ નામના એક મહેતાજીને લાગી આવ્યું. બોલ્યા : ‘જોજો, હિંદુ ગુજરાતીઓ પણ પોતાની નાટક મંડળી શરૂ કરશે.’ આ સાંભળી ફલુઘૂસ વધારે વિફર્યા : “અલ્યા વાનિયા! તું સ્ટેજ ઉપર એક ઉંદરડી સરખી પણ ચલાવી નહિ શકે.” આ રીતે અપમાનિત થયેલા મહેતાજીઓ પહોંચ્યા રણછોડભાઈ પાસે. કહે : “દક્ષિણીઓ નાટક મંડળીઓ ચલાવે, પારસી નાટક મંડળીઓ ચાલે, ઉર્દૂ નાટક મંડળીઓ ચાલે, તો આપણી નાટક મંડળી કેમ નહિ?  રણછોડભાઈએ પહેલાં તો એ મહેતાજીઓને થોડા વાર્યા.

રણછોડભાઈ ઉદયરામ

પણ પછી તેમની ધગશ જોઈ ૧૮૬૬માં પ્રગટ થયેલા પોતાના નાટક ‘લલિતાદુઃખદર્શક’ની પાંચ નકલ તેમના હાથમાં મૂકી. પેલા નરોત્તમભાઈ કહે કે આ નાટક તો મેં ૬૫ વખત વાંચ્યું છે. પછી તો એ નાટક ભજવવા માટે રણછોડભાઈના આશીર્વાદ સાથે ૧૮૭૮ના જૂનની પાંચમી તારીખે ‘ગુજરાતી નાટક મંડળી’ શરૂ થઈ. આ નાટક ભજવવાની પરવાનગી આપતી વખતે રણછોડભાઈએ એક શરત કરેલી : નાટકનો પહેલો પ્રયોગ માત્ર આમંત્રિત મહેમાનો માટે જ. તેમને ખેલ પસંદ પડે તો જ ટિકિટ વેચીને જાહેર પ્રયોગો કરવાના. વિક્ટોરિયા થિયેટરમાં આમન્ત્રિત મહેમાનો માટે પહેલો ખેલ થયો તેને ખૂબ આવકાર મળ્યો. રાતે આઠ વાગે શરૂ થયેલો ખેલ સવારે સાડા ત્રણે પૂરો થયો. પછી તો ગુજરાતી નાટક મંડળીએ આ નાટકના ૯૦ જેટલા પ્રયોગ કર્યા. આમ, ‘ફલુઘૂસ’ની તુમાખી ગુજરાતી નાટક મંડળીના જન્મ માટે નિમિત્તરૂપ બની.

૧૯૬૦માં મહારાષ્ટ્ર અને ગુજરાતનાં બે અલગ રાજ્યો થયાં. ગુજરાતનું પાટનગર ગાંધીનગર થયું. પણ છેક ૧૮૫૩થી આજ સુધી ગુજરાતી રંગભૂમિનું પાટનગર તો મુંબઈ જ રહ્યું છે. એવા મુંબઈની બીજી થોડી વાતો હવે પછી.  

e.mail : deepakbmehta@gmail.com       

XXXXXXX

પ્રગટ : "ગુજરાતી મિડ-ડે", 07 ડિસેમ્બર 2019

Loading

લિંચિંગથી બળાત્કાર અટકે? નાગપુરની કોર્ટમાં ૨૦૦ સ્ત્રીઓએ એક બળાત્કારીનું લિંચિંગ કર્યું હતું

રાજ ગોસ્વામી|Opinion - Opinion|9 December 2019

દેશના કોઈ પણ ભાષાના સમચારપત્રને તમે ખોલો, તો એક સમાચાર અવશ્ય મળશે – આઠ મહિનાની, પાંચ વર્ષની, વીસ વર્ષની, ચાલીસ વર્ષની કે સિત્તેર વર્ષની સ્ત્રી સાથે બળાત્કાર. પછી જે તે શહેરમાં, છાપાની ભાષામાં, આક્રોશ ફાટી નીકળે અને બળાત્કારીઓને જાહેરમાં ફાંસી આપવાના નારા લાગે. રાજકારણીઓ સલાહ આપે કે કેવી રીતે સ્ત્રીઓનાં ઉત્તેજક કપડાં બળાત્કારનું કારણ બને છે અને મીડિયાને પણ આમાં રસ પડી જાય. હવે તો બળાત્કારમાં ‘શિકારી’ અને ‘શિકાર’નો ધર્મ કયો હતો, એ પહેલાં જાણવામાં આવે છે અને પછી લાગણીઓનું સ્વરૂપ નક્કી કરવામાં આવે છે.

ભારતમાં બળાત્કાર અને જાતિય હિંસાની ૨૪,૨૧૨ ઘટનાઓ આ વર્ષના પહેલા છ મહિનાઓમાં જ નોંધાઈ છે. આ આંકડો સુપ્રીમ કોર્ટનો છે. મતલબ કે દર એક દિવસે ૧૩૨ ઘટના બને છે. આ ૧૩૨ ઘટનામાં આપણે છોકરીએ કેવાં કપડાં પહેર્યા હતાં કે અપરાધી ક્યા ધર્મનો હતો, તે જોવા બેસીશું? દેશનો એક બહુ મોટો વર્ગ બળાત્કાર માટે તત્કાળ ફાંસીની માંગણી કરતો થયો છે. તેને એવું લાગે છે બળાત્કારનો કિસ્સાઓમાં સખ્ત સજા થતી નથી, એટલે આ સમસ્યા છે.

૨૦૧૨માં દિલ્હીમાં નિર્ભયા સામૂહિક બળાત્કાર અને હત્યાના કેસમાં આરોપીઓને મૃત્યુદંડની સજા થઇ છે, પણ હજુ તેમની દયાની અરજીનો નિકાલ નથી આવ્યો, તેવામાં હૈદરાબાદની આ ઘટનાએ એટલો આક્રોશ ઊભો કર્યો છે. ૨જી જાન્યુઆરીએ રાજ્ય સભામાં સમાજવાદી પાર્ટીનાં જયા બચ્ચને એવું સૂચન કર્યું કે આરોપીઓનું જાહેરમાં લિંચિંગ કરવું જોઈએ. એ.આઈ.એ.ડી.એમ.કે.ના અન્ય એક સભ્ય વિજીલા સથ્યાનાથે કહ્યું કે ચારે આરોપીઓને ૩૧મી ડિસેમ્બર પહેલાં લટકાવી દેવા જોઈએ. કૉન્ગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે માત્ર કાનૂનથી આ સમસ્યા નહીં ઉકલે, આવા અપરાધ વિરુદ્ધ સખ્ત અભિગમ અપનાવવો પડશે.

લોકોનો ગુસ્સો ખાસો વાસ્તવિક છે. એ ચાર આરોપીઓ પર ખરેખર મોત ભમે છે. હૈદરાબાદની ઘટના પછી સોશ્યલ મીડિયામાં એક તસ્વીર ફરતી થઇ હતી, જેમાં ૨૦૦ સ્ત્રીઓએ બળત્કારના એક આરોપીને ખુલ્લી અદાલતમાં રહેસી નાખ્યો હતો. તસ્વીરમાં તેને ‘ભારતમાં બળાત્કારીનું પહેલું લિંચિંગ’ ગણાવાયું હતું. તેમાં લખવામાં આવ્યું હતું કે બળાત્કારીને સતત જમીન મળતા હતા, એટલે ગુસ્સે ભરાયેલી સ્ત્રીઓએ તેની આંખમાં મરચાં નાખીને મારી નાખ્યો હતો. સોશ્યલ મીડિયામાં લોકો આ તસ્વીરને એવા ‘ઉદાહરણ’ના રૂપમાં ફેરવી રહ્યા હતા કે હૈદરાબાદના ચાર બળાત્કારીઓ સાથે પણ આવું જ થવું જોઈએ.

પહેલી નજરે એવું લાગ્યું કે આ કોઈ ફેક ન્યુઝ છે, કારણ કે મીડિયામાં આ ઘટનાને લઈને બહુ ચર્ચા ન હતી, પરંતુ ઊંડાણથી તપાસ કરતાં ખબર પડી કે મહારાષ્ટ્રના નાગપુરની જિલ્લા કોર્ટમાં ૨૦૦૪માં આ ઘટના બની હતી, પણ રાષ્ટ્રીય મીડિયામાં એનું બહુ રીપોર્ટીંગ થયું ન હતું. આમ તો એ હત્યા જ હતી, પણ સામાજિક ન્યાયને આપણે હત્યા કહેતા નથી, ન્યાય કહીએ છીએ. આ કેસમાં માત્ર બળાત્કારનો જ મુદ્દો ન હતો. ૩૨ વર્ષનો ભારત કાલીચરણ ઉર્ફે અક્કુ યાદવ નાગપુરની કસ્તૂરબા નગર ઝૂંપડપટ્ટી વિસ્તારનો ગુંડો હતો, અને તેની પર બળાત્કાર, ખંડણી, લૂંટફાટ અને હત્યાના ૨૪ કેસ હતા, અને તેની ૧૨ વખત ધરપકડ થઇ હતી. સ્થાનિક પોલીસનાં એ ગજવાં ભરતો હતો, એટલે તેની સામે કોઈ કેસ પુરવાર થતો ન હતો. લોકોમાં, ખાસ કરીને વિસ્તારની મહિલાઓમાં, તેની સામે રોષ ભરાયો હતો.

૨૦૦૪માં જાન્યુઆરી મહિનામાં તેની કસ્તૂરબા નગરમાંથી હકાલપટ્ટી પણ કરવામાં આવી હતી, પણ તે ત્યાં જ છૂટથી ફરતો હતો. ઉષા નારાયણે નામની એક સ્થાનિક કાર્યકરને અક્કુ અને તેના સાગરીતોએ બળાત્કાર કરી એસીડ નાખવાની ધમકી આપી હતી, તે પછી લોકોએ અક્કુનું ઘર પણ સળગાવી દીધું હતું. ઓગસ્ટ મહિનાની ૧૩મી તારીખે અક્કુ યાદવ એક કેસ સબબ કોર્ટમાં હતો. કસ્તૂરબા નગરની અંદાજે ૨૦૦ જેટલી સ્ત્રીઓએ તે દિવસે નક્કી કર્યું હતું કે અક્કુ પાછો બહાર આવવો ના જોઈએ. શાક સમારવાનાં ચાકુ અને મરચાં પાવડર લઈને આ સ્ત્રીઓને ૭ નંબરની કોર્ટમાં પહોચી ગઈ. અક્કુ કોર્ટરૂમમાં હાજર થયો, તો ટોળાંમાં એક સ્ત્રીને જોઈને બોલ્યો પણ ખરો કે તને તો હું વારંવાર બળાત્કાર કરીશ. સ્ત્રીઓએ સેન્ડલ કાઢીને અક્કુને મારવાનું શરૂ કર્યુ. પછી તેને ચાકુથી મારવાનું શરૂ કર્યું. અમુક સ્ત્રીઓએ તેની આંખમાં મરચું ભભરાવ્યું. અમુકે મોઢા પર પથ્થર માર્યા. તેનો શિકાર થયેલી એક સ્ત્રીએ તો તેનું અંગ કાપી નાખ્યું. કોર્ટરૂમની ફર્શ પર જ અક્કુએ જીવ ગુમાવ્યો.

પોલીસે પાંચ સ્ત્રીઓની તત્કાળ ધરપકડ કરી અને પાંચ દિવસ માટે કસ્ટડીમાં લેવામાં આવી. બાકીની સ્ત્રીઓ પાછી ના હટી. તેમણે આ પાંચ ‘બહેનો’ માટે જામીન અરજી કરી. દરમિયાનમાં આ સ્ત્રીઓની તરફેણમાં એવું વાતાવરણ બની ગયું હતું કે નાગપુરના ૧૩૦ વકીલોએ કેસ લડવા તૈયારી બતાવી. રાષ્ટ્રીય મહિલા પંચની અધ્યક્ષ પૂર્ણિમા અડવાણીએ કહ્યું કે યાદવનો આતંક રોકવામાં પોલીસ નિષ્ફળ ગઈ હતી, એટલે આ બહેનો પાસે કોઈ વિકલ્પ ન હતો. પાંચ ‘બહેનો’ને જમીન નહીં મળે એવું લાગ્યું, તો તમામ સ્ત્રીઓએ નક્કી કર્યું કે આપણે કોર્ટમાં સમપર્ણ કરીને મોતનો આરોપ સામૂહિક રીતે સ્વીકારી લેવો. સૂત્રો પોકારતી તમામ સ્ત્રીઓ એ જ કોર્ટ પર હાજર થઇ, જ્યાં અઠવાડિયા પહેલાં તેમણે અક્કુને રહેંસી નાખ્યો હતો.

પોલીસે કોર્ટને ઘેરી રાખી હતી. અંદર વકીલોએ કહ્યું કે પાંચ આરોપી સ્ત્રીઓ સામે પુરાવા નથી, અને હવે કસ્ટડીની જરૂર નથી. મેજિસ્ટ્રેટ આર.એન. મહેરાએ એક દિવસ માટે ઓર્ડર મુલતવી રાખ્યો. બહાર સ્ત્રીઓએ મુદ્દત માનવાનો ઇનકાર કર્યો અને ત્યાં બેસી જઈને કહ્યું કે પાંચેને જામીન નહીં મળે, ત્યાં સુધી તેઓ ઊઠશે નહીં.વકીલોએ જિલ્લા કોર્ટના જજ જી.એસ. કસ્વાહ સમક્ષ અરજી કરી અને જામીન મેળવ્યા. નાગપુર સેન્ટ્રલ જેલમાંથી પાંચે સ્ત્રીઓનો છુટકારો થયો, તો બસ્તીમાં જાણે તહેવાર થઇ ગયો. તે પછી એક દાયકા સુધી કેસ ચાલ્યો અને ૨૦૧૪માં જિલ્લા કોર્ટે પુરાવાના અભાવે તમામ સ્ત્રીઓને નિર્દોષ છોડી મૂકી.

વેરની વસૂલાતના નામે લોકોએ કરેલી આ હત્યાને માફ કરાય? આ સ્ત્રીઓ વતી બોલતાં હાઈકોર્ટના નિવૃત્ત જજ ભાઉ વહાણેએ ત્યારે કહ્યું હતું, “આ અઘરો સવાલ છે. તેમણે કાયદો હાથમાં લીધો હોય, તો તેનું કારણ એ છે કે કાનૂન અને કાનૂનનું પાલન કરતી સંસ્થાઓ તેમને મદદ કરી ન હતી.” કસ્તૂરબા નગરની સ્ત્રી આગેવાનો ઉષા નારાયણે અને ભગનબાઈ મેશરામે કહ્યું હતું, “એ ન્યાય હતો. અમે અમારા માટે ન્યાય મેળવ્યો હતો. અમને દીવાલ સરસી જડી દેવામાં આવી હતી.”

ચુકાદો આવ્યો, તે પછી અક્કુ યાદવના ભત્રીજા અમન યાદવે બદલો લેવા કસમ ખાધી હતી. ૫ ડિસેમ્બર ૨૦૧૩ના રોજ, ૧૫ અને ૧૭ વર્ષના બે સગીર છોકરાએ, આ અમરને તીક્ષ્ણ હથિયારોથી મારી નાખ્યો. આમાંથી એક છોકરાની દાદીએ ફરિયાદ કરી હતી કે અમર વારંવાર તેની છેડતી કરે છે. બંને છોકરાઓએ, કાકાની જેમ જ, તેનો ‘ન્યાય’ કરી નાખ્યો.

બળાત્કાર માનવીય વિકૃતિ છે. માણસમાં આદિ સમયથી અચ્છાઈ અને બુરાઈ છે. માણસની સુધારવાની પ્રક્રિયા અનંતકાળથી ચાલતી આવી છે અને ચાલતી રહશે. કાનૂનથી વિકૃતિ રોકાઈ નથી. ઇનફેક્ટ, બળાત્કાર કાનૂનનો પ્રશ્ન છે જ નહીં. એ સામાજિક અને મનોવૈજ્ઞાનિક સમસ્યા છે. સામાજિક જાગૃતિ વગર, એકલા હાથે કાનૂન કશું કરી નહીં શકે. બળાત્કારના અપરાધ બદલ મોતની સજા કરવાથી એક આરોપીનો ન્યાય તો તોળાય છે, પણ એ ભવિષ્યના આરોપીઓને બળાત્કાર કરતાં રોકે છે? નાગપુરમાં થયેલા લિંચિંગથી નિર્ભયા કે પ્રિયંકા રેડ્ડીનો બળાત્કાર કેમ ના અટક્યો? કોઈની પાસે આનો જવાબ નથી.

પ્રગટ : ‘બ્રેકીંગ વ્યૂઝ’ નામક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 08 ડિસેમ્બર 2019

Loading

Gandhi is an even more prized asset than Patel for the BJP

Sunanda K. Datta-Ray|English Bazaar Patrika - Features|9 December 2019

Devotion is a desperately competitive business

Harold Wilson, Britain’s prime minister in the 1960s, would not utter a single word for the record when Fredda Brilliant’s statue of Gandhi was unveiled in London’s Tavistock Square. Since NRIs were not politically significant then, it was assumed he reckoned anything he said would be wasted breath

Gandhi is up for grabs. Amit Shah and Narendra Modi are not the only people who need a universally respected icon of inclusiveness. Controversial plans for a nine-foot bronze statue of the Mahatma outside Manchester Cathedral speak of other needs, as do the fierce objections of the so-called Decolonise Network at the University of Manchester, which accuses Gandhi of “anti-black racism and complicity in the British Empire’s actions in Africa”.

None of this has much bearing on who Mohandas Karamchand Gandhi really was, what he tried to achieve, and how far he succeeded in his self-appointed mission. It has everything to do with the perceptions and requirements of those who love or hate the myth into which he has been transformed. The proposed statue doesn’t celebrate the British conception of Gandhi either, although it might exploit it to promote the sponsor, the Shrimad Rajchandra Mission Dharampur. Since the mission’s website makes it sound devotional to the point of idolatry, it might seek a Western niche for its folk Hinduism. A less innocent explanation for its initiative is that “Gandhi is used as a propaganda tool to cover up human rights abuses by the current Indian government under Modi, which is engaging in an effort to erect Gandhi statues globally to create an image of India as an anti-imperialist state.” Objecting, the Indian Society of Manchester falls back on the conventional view of Gandhi as “a symbol of peace, non-violence, anti-colonialism, resistance and resilience”.

This is not the first time that man-worship and the addiction to graven images have dragged Gandhi into controversy. His first statue, planned appropriately enough for London’s poorer East End where he stayed in 1931, never happened. Thirty-seven years later, Harold Wilson, then Britain’s prime minister, flatly refused pleas to utter a single word for the record when Fredda Brilliant’s statue of a cross-legged Mahatma was unveiled in London’s Tavistock Square (picture). Since non-resident Indians were not a factor in British politics then, it was assumed Wilson reckoned that anything he said would be wasted breath. He wasn’t forced to ingratiate himself with ethnic South Asian voters. Unlike Theresa May, Samantha Cameron, Sarah Brown or Cherie Blair, Mary Wilson saw no need to flaunt sari or salwar-kameez.

As David Cameron’s chancellor of the exchequer, George Osborne, whom the wheel of political fortune has reduced to editing the Russian-owned freebie, Evening Standard, described Philip Jackson’s bronze Gandhi outside the Houses of Parliament in London as “a lasting and fitting tribute to his memory in Britain”. But a chance conversation exposed the falsity of the claim. Some weeks after the installation, a prominent English life peer with an interest in Indian affairs and highly-placed friends in New Delhi asked me at a dinner party in St John’s Wood in London what I thought of “the Gandhi statue”. When I began to say it seemed too tall for the plinth, he cut in with “But Gandhi is sitting cross-legged!” He meant the old Tavistock Square figure. Neither he nor anyone else round that table had heard of Jackson’s bronze which Osborne had called “a permanent monument to our friendship with India”.

Gandhi’s comments on that supposed friendship sounded too enigmatic, woolly and contradictory to permit conclusive interpretation. Asked whether he believed in England’s good faith, he replied he had faith in England because he had faith in the human race. Although “bitten” many times, he “trusted” England and “expected” the English to “be converted one day”. Despite that feeble testament, Gandhi was astute enough to know that the British connection will continue to flourish as long as Indians nurse worldly ambition and hanker for a slice of the pie of Western affluence and lifestyle. That has as little to do with Gandhi as a war-weary and bankrupt Britain’s decision to withdraw from an imperial role it could no longer sustain. If independence allowed Indians to invent a reason that reflected credit on the freedom movement and its stalwarts, it also allowed the West to claim the dignity of surrendering to the apostle of peace. The pacifism argument provides convenient excuses and alibis all round.

I haven’t seen the precise wording of the charge linking Gandhi with the Kashmiri plight. But Manchester’s Indian Society professes to be “deeply offended” by the suggestion that the statue was “insulting towards the Kashmiri community”. That seems to indicate that critics of the statue hold Gandhi responsible for the current situation there, possibly because he supported India’s war effort to repulse the Pakistani invasion. At the same time, some Hindu nationalists blamed Jeremy Raisman, the Leeds slum boy born to Lithuanian Jewish refugees who joined the Indian Civil Service and became finance member of the viceroy’s executive council, for Gandhi’s murder. It was Raisman’s thankless task to divide British India’s financial assets and Gandhi saw it as his moral duty to insist that India handed over Pakistan’s share. Given that background, it is anybody’s guess how Gandhi would have responded to the present crisis, especially after the impassioned speech that the “Ambassador of Kashmir”, as Pakistan’s prime minister called himself at the United Nations, made in September.

The Indian Society of Manchester dissociates Gandhi from “the political agendas on Kashmir” and “the actions of the current government in power”. Whether New Delhi accepts that dissociation is another matter. Gandhi is an even more prized asset than Vallabhbhai Patel in creating a past the Bharatiya Janata Party never had and shaping a future in which it looms large. It’s a question of one-upmanship and showmanship by those who are undeterred by the lone and level sands that stretch far away in Shelley’s Ozymandias. The Uttar Pradesh government rushed to reveal details of the Rama statue it plans for Ayodhya to upstage fraternal worshippers like the Shiv Sena and the Vishwa Hindu Parishad, which were suspected of plotting a massive temple. Devotion is a desperately competitive business. The new Rama on the banks of the Sarayu river, replete with pedestal and canopy, is expected to tower over the BJP’s own figure of Patel in the distant Narmada valley. Anna’s king of Siam would have been delighted with this childish obsession with height. So would the North Korean delegates who dragged out higher and higher stools at the Panmunjom truce talks at the end of the Korean War. In Patel’s case, there is the additional incentive of poaching on the Opposition to create the illusion of a lifelong Congressman being a secret pracharak.

Three incidents suffice to explain Gandhi’s pragmatism which makes all such self-serving posturing irrelevant. First, ignored by nationalistic editors when he returned from South Africa, Gandhi allowed the correspondent of London’s The Daily Telegraph to smuggle him into the whites-only Bengal Club for an interview. Second, when Jatindra Mohan Sengupta’s English wife, Nellie, complained that people were gossiping about her husband spending too much time in the Calcutta Club, Gandhi retorted it was a very nice club, and he wished he himself were a member. Finally, having read about Gandhi’s exploits as a student in London, Richard Symonds, the Oxford historian, was pleased to see the murals outside his place of martyrdom showing him dancing with demi-mondaine women in decollete dresses. “They haven’t deified Gandhi!” he said. “They are showing him as he was.” The dancing images had gone on his next visit: Gandhi was presented as the epitome of middle-class Hindu respectability.

He isn’t an easy personage to encapsulate. South Africa’s Jan Smuts commented when Gandhi returned to India, “The saint has left these shores, I hope forever.” A lesser leader would have tried to co-opt Gandhi to create a history in which nothing occurred before 2014.

courtesy : "The Telegraph", Published – 02 November 2019

Loading

...102030...2,6372,6382,6392,640...2,6502,6602,670...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved