Opinion Magazine
Number of visits: 9576321
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

What about Kashmiri Pundits? Three Decades of Exodus

Ram Puniyani|English Bazaar Patrika - OPED|22 February 2020

This January 2020, it is thirty years since the Kashmiri Pundits’ exodus from the Kashmir valley took place. They had suffered grave injustices, violence and humiliation prior to the migration away from the place of their social and cultural roots in Kashmir Valley. The phenomenon of this exodus had been due to the communalization of militancy in Kashmir in the decade of 1980s. While no ruling Government has applied itself enough to ‘solve’ this uprooting of pundits from their roots, there are communal elements who have been aggressively using ‘what about Kashmiri Pundits?’, every time liberal, human rights defenders talk about the plight of Muslim minority in India. This minority is now facing an overall erosion of their citizenship rights.

Time and over again in the aftermath of communal violence in particular, the human rights groups have been trying to put forward the demands for justice and rehabilitation of the victim minority. Instead of being listened to those particularly from Hindu nationalist combine, as a matter of routine shout back, where were you when Kashmiri Pundits were driven away from the Valley? In a way the tragedy being heaped on one minority is being justified in the name of suffering of Pundits and in the process violence is being normalized. This sounds as if two wrongs make a right, as if the suffering Muslim minority or those who are trying to talk in defense of minority rights have been responsible for the pain of Kashmiri Pundits.

During these three, many political formations have come to power, including BJP, Congress, third front and what have you. To begin with when the exodus took place Kashmir was under President’s rule and V. P. Singh Government was in power at the center. This Government had the external support of BJP at that time. Later BJP led NDA came to power for close to six years from 1998, under the leadership of Atal Bihari Vajpayee. Then from 2014 it is BJP, with Narerda Modi as PM, with BJP brute majority is in power. Other components of NDA are there to enjoy some spoils of power without any say in the policies being pursued by the Government. Modi is having absolute power with Amit Shah occasionally presenting Modi’s viewpoints.

Those blurting, ‘what about Kashmiri Pundits?’ are using it as a mere rhetoric to hide their communal color. The matters of Kashmir are very disturbing and cannot be attributed to be the making of Indian Muslims as it is being projected in an overt and subtle manner. Today, of course the steps taken by the Modi Government, that of abrogation of Article 370, abolition of clause 35 A, downgrading the status of Kashmir from a state to union territory have created a situation where the return of Kashmiri Pundits may have become more difficult, as the local atmosphere is more stifling and the leaders with democratic potential have been slapped with Public Safety Act, where they can be interned for long time without any answerability to the Courts. The internet had been suspended, communication being stifled in an atmosphere where democratic freedoms are curtailed which makes solution of any problem more difficult.

Kashmir has been a vexed issue where the suppression of the clause of autonomy, leading to alienation led to rise of militancy. This was duly supported by Pakistan. The entry of Al Qaeda elements, who having played their role against Russian army in 1980s entered into Kashmir and communalized the situation in Kashmir. The initial Kashmir militancy was on the grounds of Kashmiriyat. Kashmiriyat is not Islam, it is synthesis of teachings of Buddha, values of Vedant and preaching’s of Sufi Islam. The tormenting of Kashmiri Pundits begins with these elements entering Kashmir.

Also the pundits, who have been the integral part of Kashmir Valley, were urged upon by Goodwill mission to stay on, with local Muslims promising to counter the anti Pundit atmosphere. Jagmohan, the Governor, who later became a minister in NDA Government, instead of providing security to the Pundits thought, is fit to provide facilities for their mass migration. He could have intensified counter militancy and protected the vulnerable Pundit community. Why this was not done?

Today, ‘What about Kashmiri Pundits?’ needs to be given a serious thought away from the blame game or using it as a hammer to beat the ‘Muslims of India’ or human rights defenders? The previous NDA regime (2014) had thought of setting up enclosures of Pundits in the Valley. Is that a solution? Solution lies in giving justice to them. There is a need for judicial commission to identify the culprits and legal measures to reassure the Pundit community. Will they like to return if the high handed stifling atmosphere, with large number of military being present in the area? The cultural and religious spaces of Pundits need to be revived and Kashmiryat has to be made the base of any reconciliation process.

Surely, the Al Qaeda type elements do not represent the alienation of local Kashmiris, who need to be drawn into the process of dialogue for a peaceful Kashmir, which is the best guarantee for progress in this ex-state, now a Union territory. Communal amity, the hallmark of Kashmir cannot be brought in by changing the demographic composition by settling outsiders in the Valley. A true introspection is needed for this troubled area. Democracy is the only path for solving the emigration of Pundits and also of large numbers of Muslims, who also had to leave the valley due to the intimidating militancy and presence of armed forces in large numbers. One recalls Times of India report of 5th February 1992 which states that militants killed 1585 people from January 1990 to October 1992 out of which 982 were Muslims and 218 Hindus.

We have been taking a path where democratic norms are being stifled, and the promises of autonomy which were part of treaty of accession being ignored. Can it solve the problem of Pundits?

https://www.newsclick.in/What-about-Kashmiri-Pandits-Will-Not-Solve-Their-Crisis

Loading

ચલ મન મુંબઈ નગરી — 32

દીપક મહેતા|Opinion - Opinion|22 February 2020

તાપીને કિનારે સુરતમાં જન્મેલા કવિ નર્મદ

મુંબઈના સમુદ્રનાં મોજાંઓમાં જાણે વિલીન થઈ ગયા

વર્ષ ૧૮૫૮. મહિનો નવેમ્બર. તારીખ ૨૩. મંગળવાર. પચ્ચીસ વરસની ઉંમરનો એક યુવક. આખો દિવસ સરકારી એલ્ફિન્સ્ટન સેન્ટ્રલ સ્કૂલમાં નોકરી કર્યા પછી સાંજે ઘરે આવે છે. માથા પરની પાઘડી હાથમાં લઈને સીધો પોતાના લખવાના મેજ પાસે આવે છે. આ યુવક એ વખતે મૂર્તિપૂજામાં તો માનતો નથી. એટલે ઘરમાં કોઈ દેવ-દેવીની મૂર્તિ તો નથી – ના, સરસ્વતીદેવીની પણ નહિ. પણ તેના મેજ પર કલમ પડી છે. આ એ જ કલમ છે જેના વડે તેણે નિબંધો ને ભાષણો લખ્યાં છે, પત્રો અને ડાયરી લખ્યાં છે, પિંગળપ્રવેશ, અલંકારપ્રવેશ, અને રસપ્રવેશ જેવા અભ્યાસગ્રંથો લખ્યા છે, અને નર્મકવિતાના પહેલા ત્રણ ભાગનાં કાવ્યો લખ્યાં છે. એ કલમ સામે યુવાન તાકી રહે છે. આંખમાં ઝળઝળિયાં છે. હાથ જોડતો નથી એ યુવક, પણ મનમાં પોતાની કલમ માટે પૂરેપૂરો આદરભાવ છે. એ કલમ સામે તાકીને મનોમન બોલે છે: ‘હવે આજથી હું તારે ખોળે છઉં.'

૧૯મી સદીની છોકરાઓ માટેની મુંબઈની એક સ્કૂલ

એ યુવાન તે નર્મદાશંકર લાલશંકર દવે ઉર્ફે વીર કવિ નર્મદ, અર્વાચીનોમાં આદ્ય નર્મદ, સુધારાની સેનાનો સૈનિક નર્મદ. સરકારી નોકરી એટલે તો આખી જિન્દગીની નિરાંત. ‘ખરચે ન ખૂટે, વા કો ચોર ન લૂંટે’ એવી નોકરી. અને પગાર હતો મહીને ચાલીસ રૂપિયાનો જે એ જમાનામાં ઓછો તો ન જ ગણાય. પણ દિવસ દરમ્યાન એ નોકરીનું રાજીનામું આપી દીધું હતું, ઘરમાં કોઈને ય જણાવ્યા વગર. પણ કેમ? બે કારણ. પહેલું તો એ કે આખો દિવસ છોકરા ભણાવીને, તેમનાં તોફાન-મસ્તી સહન કરીને, રોજ સાડા છ કલાક સુધી ક્લાસ રૂમમાં ગોંધાઈ રહીને એ યુવાન ત્રાસી ગયો હતો. જીવ કવિનો હતો એટલે આ વાત તેણે કવિતામાં પ્રગટ કરી છે :

સાડા દસથી તે પાંચ લગી કાહુ કાહુ થાય
કરવી સક્ત તેમાં નોકરી નિશાળની
જોવી ઉઠબેઠ બહુ સહુ ભણનારતણી
સાંભળવી વાત વળી માર ગાળ આળની
થાકી લોથ ભારી થયે બીજા કામ થાય નહિ
બીજા જેવું માન નહિ માથાફોડ બાળની.

પણ બીજું વધુ સાચું કારણ તો એ કે એ યુવાનને પ્રતીતિ થઇ ચૂકી હતી કે પોતાનો આજીવન સંબંધ શબ્દ સાથે, સર્જન સાથે, લેખન સાથે બંધાયેલો છે. પણ પછી કોલેજનો અભ્યાસ અધૂરો છોડવો પડ્યો, ૧૮૫૭ના ફેબ્રુઆરીમાં ગોકુળદાસ તેજપાલ સ્કૂલમાં મહીને ૨૮ રૂપિયાના પગારે માસ્તરની નોકરી લેવી પડી. એ સ્કૂલ છોડીને એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂશનની સેન્ટ્રલ સ્કૂલમાં આસિસ્ટન્ટ માસ્તરની નોકરી લીધી હતી. પણ હવે એ નોકરી પણ છોડી. એ વાત પિતા લાલશંકરને કહી ત્યારે તેમણે મનનો ગુસ્સો મનમાં જ રાખ્યો અને માત્ર એટલું બોલ્યા : ‘ભાઈ, ઉતાવળ કરવાની શી જરૂર હતી?’ નર્મદ કાંઈ ગર્ભશ્રીમંત નહોતો. કોઈ એકાદ હિતેચ્છુ અમલદાર કે સંસ્થાની ઓથ પણ નહોતી તેને. અને છતાં તેણે આવો નિર્ધાર કર્યો. પણ પોતાની લગની ખાતર પોતાના બાપને શહીદ ન કરાય. ‘મારી હકીકત’ નામની આત્મકથામાં નર્મદ નોંધે છે: ‘જ્યારથી સ્કૂલની નોકરી મૂકી ત્યારથી મેં નિશ્ચય કીધો હતો કે હવે બાપને ભારે પડવું જ નહિ – તે પડાય તેમ હતું પણ નહિ.'

૧૮૬૧થી અમેરિકામાં સિવિલ વોર શરૂ થઈ તેને પ્રતાપે મુંબઈમાં અસાધારણ સમૃદ્ધિ આવી. સમૃદ્ધિને પગલે મોજ-શોખ વધ્યા. લોકોને નાટકની ઘેલછા લાગી. એ વખતે બે પારસીઓએ તેમની કવિતા નાટયગૃહમાં ગાવા માટે નર્મદની પરવાનગી માગી. પહેલાં તો નર્મદે કહ્યું કે ‘મારી કવિતા ગાયાથી લોક ખુશી થાય તેવી લોકની સમજ નથી.’ પણ પેલા પારસીઓએ આગ્રહ કર્યો એટલે ‘એક બેઠક’ના સો રૂપિયા આપવાની શરતે નર્મદે મંજૂરી આપી. એટલે આ કામ માટે ‘નર્મગીતગાયક મંડળી’ શરૂ થઈ. તેની બે બેઠકો થઈ. પણ નર્મદે કહ્યું હતું તેમ લોકોને આ પ્રયોગ પસંદ ન પડ્યો અને આયોજકોને ખોટ ગઈ. એટલે એ મંડળી ભાંગી પડી. નર્મદે પોતાને મળેલા ૨૦૦ રૂપિયા એ મંડળીની ‘દયા જાણી’ પાછા આપી દીધા! તો બીજી બાજુ ફ્રેયર લેન્ડ રેક્લમેશન’ નામની એક નવી કંપની નીકળી હતી તેનો એક શેર નર્મદના ખાસ મિત્ર કરસનદાસ માધવદાસે ભેટ આપ્યો તે વેચી નાખતાં ૫,૭૦૦ રૂપિયાનો નફો થયો તેમાંથી નર્મદે અગાઉનું બધું દેવું ચૂકવી દીધું.

કવિ નર્મદના હસ્તાક્ષર

અમાસ નિશ ઘનઘોરમાં, ચોરી ધાડનો ભોય,
ઘરમાં વસ્તી દીપની, બ્હાર ડાંડીની હોય.

મુંબઈની, અને પછી ગુજરાતની ભૂમિ પર આ શબ્દોના પડઘા પહેલી વાર પડ્યા તે ૧૮૬૪ના સપ્ટેમ્બરની પહેલી તારીખે. બીજા કેટલાક મિત્રો સાથે મળીને એ દિવસે નર્મદે મુંબઈથી ‘ડાંડિયો’ નામનું પખવાડિક શરૂ કર્યું. અને એના અંકો છપાતા હતા નર્મદના પારસી મિત્ર નાનાભાઈ રૂસ્તમજી રાણીનાના યુનિયન પ્રેસમાં. એ જમાનામાં કોઈ આફત પ્રસંગે, કે કોઈ સારા-માઠા પ્રસંગે તેના ખબર લોકો સુધી પહોંચાડવા માટે શહેરમાં ડાંડી પીટીને જાહેરાત કરવામાં આવતી. નર્મદે આ પાક્ષિક દ્વારા લોકોને, સમાજને, સત્તાવાળાઓને જાગતા રાખવાનો અને એ રીતે સમાજને સાચે માર્ગે વાળવાનો ઈરાદો રાખ્યો હતો. મિત્રો જ નહિ, આર્થિક મદદ કરનાર પણ કશું ખોટું કરે તો તે અંગે ડાંડિયોમાં લખવામાં નર્મદ શરમ-સંકોચ રાખતો નહિ. આ અંગે કેટલાક હિતેચ્છુઓએ ફરિયાદ કરી ત્યારે નર્મદે લખેલું કે નાણાંનાં બદલામાં તે સત્ય બાબત સમાધાન ક્યારે ય કરશે નહિ. ડાંડિયોના લખાણોમાં નર્મદનું ગદ્ય સોળે કળાએ ખીલેલું જોવા મળે છે. જો નર્મદ સમયમૂર્તિ હતો તો ડાંડિયો આ સમયનું મુખપત્ર હતું. જો નર્મદ યુગપુરુષ હતો તો ડાંડિયો નવા યુગની આહલેક પોકારનારું બ્યૂગલ હતું. જેમાં ‘યા હોમ કરીને પડો, ફતેહ છે આગે’ના પડછંદા સદા પડઘાતા રહ્યા હતા. અને આવું એક અનોખું સામયિક કાઢવાની તક નર્મદને મળી તે મુંબઈમાં. એ વખતના ગુજરાતમાંથી આવું આખાબોલું સામયિક કદાચ કાઢી અને ચલાવી શકાયું ન હોત.

‘ડાંડિયો’ના પહેલા અંકનું પહેલું પાનું

૧૮૬૫માં નર્મદે ‘નર્મગદ્ય’નો પહેલો ભાગ પ્રગટ કર્યો. આજે તો પુસ્તકના આગલા-પાછલા પૂંઠા પર કે પુસ્તકની અંદર, તેના લેખકનો ફોટો (કે ફોટા) છાપવાનું સાવ સામાન્ય બની ગયું છે. પણ ૧૮૬૫ સુધીમાં બીજા કોઈ ગુજરાતી પુસ્તકમાં લેખકનો ફોટો છાપ્યો હોય એવું બન્યું નહોતું. એ પહેલ કરી નર્મદે. ‘નર્મગદ્ય’ના પહેલા ભાગમાં તેણે પોતાનો ફોટો મૂક્યો. એ વખતે હજી આપણે ત્યાં હાફ ટોન બ્લોક વડે ફોટા છાપવાની સગવડ થઈ નહોતી. એટલે નર્મદે પોતાનો ફોટો પડાવીને જર્મની મોકલ્યો હતો અને ત્યાં બનાવેલ ‘એન્ગ્રેવિંગ’ વડે ફોટો છપાવ્યો હતો. તેની નીચે નોંધ મૂકી હતી : ‘અહીંના ને જિલ્લાના ઘણાએક લોકોની ઈચ્છા અને કેટલાએક મિત્રોની વિનંતી એ ઉપરથી મેં મારું ચાડું (જર્મનીથી કોતરાવી અણાવી) ગ્રંથને આરંભે મુકવાનો અવિવેક કર્યો છે.’

૧૮૬૫માં પ્રગટ થયેલ ‘નર્મગદ્ય’ના પહેલા ભાગમાં નર્મદે છપાવેલો પોતાનો ફોટો

મુંબઈમાં નર્મદના હિતેચ્છુઓ ઘણા હતા. તેમને કવિની આર્થિક સ્થિતિનો પણ ખ્યાલ હતો. કવિને લેખનમાંથી થોડી, પણ નિયમિત આવક થાય એવું કશુંક કરવાના પ્રયત્ન આ હિતેચ્છુઓ કરવા લાગ્યા. એ વખતે મુંબઈમાં કેખુશરૂ કાબરાજીની પારસી નાટક મંડળીની બોલબાલા હતી. તે પારસી-ગુજરાતી નાટકો ઉપરાંત ‘શુદ્ધ’ ગુજરાતી નાટકો પણ ભજવતી. કાબરાજી સાથે અમુક બાબતમાં મતભેદ થતાં મુંબઈની નિશાળોના કેટલાક માસ્તરોએ ભેગા થઈને ‘ગુજરતી નાટક મંડળી’ કાઢી અને પહેલવહેલું રણછોડભાઈ ઉદયરામનું ‘લલિતાદુઃખદર્શક’ નાટક ભજવ્યું જેને અસાધારણ સફળતા મળી. એટલે નર્મદના બે-ત્રણ હિતેચ્છુએ વિચાર્યું કે કવિ જો નાટકો લખે તો તેનાથી નિયમિત આવકનું એક સાધન ઊભું થાય. એટલે તેમણે એક નવી નાટક મંડળી કાઢી અને તેને માટે નર્મદ પાસે નાટકની માગણી કરી. હવે, આ વાતની ખબર પડી કાબરાજીને.

નર્મદનું નાટક ભજવનાર કેખુશરુ કાબરાજી

એટલે એ સીધા પહોંચ્યા નર્મદ પાસે અને પોતાની મંડળી માટે એક ધાર્મિક-પૌરાણિક નાટક લખી આપવા વિનંતી કરી. એ માટે કવિને કેટલી રકમ આપવી તે નક્કી કરવાનું કામ કેટલાક ‘મધ્યસ્થો’ને સોંપ્યું. અને નર્મદે લખ્યું ‘શ્રી રામજાનકીદર્શન.’ એ નાટક ભજવાયું, વખણાયું. આ નાટકમાં લોકોએ એક નવો જ રંગ જોયો અને તેને ઉત્સાહથી વધાવી લીધો. પછી તો નર્મદના નાટકોની ‘ડિમાંડ’ વધવા લાગી. ‘આર્યસુબોધ મંડળી’ માટે ‘શ્રી દ્રૌપદીદર્શન’ અને ‘સાર-શાકુન્તલ’ જેવાં નાટકો લખ્યાં,  બીજી એક નાટક મંડળી માટે ‘શ્રી બાળકૃષ્ણવિજય’ નાટક લખ્યું. આ નાટકોએ કવિને ઠીક ઠીક કમાણી કરાવી. ‘શ્રી દ્રૌપદીદર્શન’ દ્વારા નર્મદે એક બીજી પહેલ કરી. એ નાટક ભજવવાનું શરૂ થયું તે સાથે જ તેને પુસ્તક રૂપે પણ નર્મદે પ્રગટ કર્યું અને એ નાટકની ભજવણી અંગેની કેટલીક વિગતો પણ તેમાં નોંધી.

ભજવવા માટે લખાયેલું નર્મદનું પહેલું નાટક

અને છેલ્લે ૧૮૮૬ના ફેબ્રુઆરી મહિનાના છેલ્લા અઠવાડિયાની એક સવાર. બધા કુટુંબીજનોને પોતાની પાસે બેસાડ્યા છે નર્મદે. છેલ્લા કેટલાક વખતથી કવિની તબિયત કથળતી જતી હતી અને તેઓ પથારીવશ હતા. પણ તે વખતે હાજર હતા એવા કવિના એક અંતેવાસી રાજારામ રામશંકર શાસ્ત્રીએ લખ્યું છે કે તે દિવસે બેઠા પછી તપ્ત સુવર્ણ જેવી કાંતિવાળી મુખમુદ્રા પર સૂર્ય ચંદ્ર સરખાં બે તેજસ્વી નેત્રો પૂરાં ઉઘાડી કવિએ કહ્યું : ‘ત્રેપન વર્ષની વયમાં મેં ઘણું જોયું, અનુભવ્યું, ને જગતના અનેક રંગ દીઠા. તેમ જગતે મારા પણ જોયા. હવે આ દેહ બે-ચાર દિવસ રહેવાનો છે એમ હું જાણું છુ, પણ તમારે કોઈએ તે સંબંધે જરા પણ ખેદ નથી કરવાનો. તમે બધાં સુખી રહેવાનાં છો એમ મારો અંતરાત્મા સાક્ષી પૂરે છે. જય સાંબ સચ્ચિદાનંદ!’ અને ૧૩૪ વર્ષ પહેલાં ૧૮૮૬ના ફેબ્રુઆરીની ૨૬મી તારીખે માત્ર લગભગ મધ્યાહને ૫૩ વર્ષની વયે કવિ નર્મદે દેહ છોડ્યો. એ વખતે અરબી સમુદ્રના કાંઠાથી થોડે દૂર આવેલી સોનાપુરની સ્મશાનભૂમિમાં એ દેહ વિલીન થઈ ગયો. ગંગા, યમુના, નર્મદા, કે તાપી, કોઈ પણ નદી છેવટે તો સાગરમાં વિલીન થઈ જતી હોય છે. તાપીને કિનારે સુરતમાં જેનો જન્મ થયો હતો તે કવિ નર્મદ પણ જાણે મુંબઈના સમુદ્રનાં મોજાંઓમાં વિલીન થઈ ગયા. ત્યારે તેમણે વર્ષો અગાઉ લખેલ એક કાવ્યની પંક્તિઓ હવામાં ગુંજતી હતી :

નવ કરશો કોઈ શોક,
રસિકડાં નવ કરશો કોઈ શોક. 
યથા શક્તિ રસપાન કરાવ્યું,
સેવા કીધી બનતી,
રસિકડાં નવ કરશો કોઈ શોક.
વીર સત્ય ને રસિક ટેકીપણું,
અરિ પણ ગાશે દિલથી,
રસિકડાં નવ કરશો કોઈ શોક.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 22 ફેબ્રુઆરી 2020

Loading

સૂરનો કલરવ રોજ સવારે અંતરમાં પડઘાવે …

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|20 February 2020

હૈયાને દરબાર

સૂરનો કલરવ રોજ સવારે
અંતરમાં પડઘાવે,
અતીતના અંધારા છેદે
કોણ કિરણ પ્રસરાવે,
મુજને સાદ દઈ એ જગાવે.

શીમળાનાં વૃક્ષોથી સરકે
આંગણ આવી અટકે,
આસપાસની કળીઓ માંહે
સૌરભ થઈને મહેકે,
તૃણ તૃણ સ્પંદ થઇ એ પધારે.

શબ્દોના સથવારે આવે,
મૌનમાં નાદ ભરે,
શ્વાસ બની સરગમમાં રણકે
લીલયા કોણ કરે ?
પળ આવે ને પળ જવડાવે.

•   ગીત : કનુ સૂચક ‘શીલ’    •   સંગીત : મોહન બલસારા    •   ગાયક : રવીન્દ્ર સાઠે

——————-

વિલેપાર્લેમાં થોડાં વર્ષો પહેલાં સાહિત્યરસિક સ્વજનને ઘરે સુગમ સંગીતની બેઠક હતી. એક સુરીલું ગીત પુરુષ ગાયકના કંઠમાં ગવાઈ રહ્યું હતું, સૂરનો કલરવ રોજ સવારે અંતરમાં પડઘાવે ….! ગીતના શબ્દો અને સ્વરાંકન સાંભળીને ગીત સાથે દ્રશ્ય આંખ સામે ફરવા માંડ્યું.

જાણે વહેલી સવારનો સમય છે. પ્રકૃતિ એની તાજગી ફેલાવી રહી છે. સૂર્યોદય સાથે ગાઢ વૃક્ષોમાંથી સરી આવતો પવન પર્ણોમાં મર્મરધ્વનિ કરે છે અને મનમાં પરમ શાંતિ છવાઈ જાય છે. સ્વચ્છ આકાશમાં ઊડતાં પંખીઓના ટહુકા માનવ મનમાં મીઠું સંગીત સર્જે છે અને કોઈક સાદ દઈને જગાડે છે ત્યારે વિચાર આવે છે કે એ કોણ છે જે આ બધી લીલા કરે છે! ફૂલ અને કળીઓમાં મહેક કોણ પ્રસરાવે છે? શ્વાસ બની સરગમમાં કોણ રણકે છે? સમગ્ર સંસારનો દોરી સંચાર કોણ કરી રહ્યું છે?

ગીત પૂરું થાય છે પણ મનમાં સૂરનો કલરવ ગુંજી રહ્યો છે. એ બેઠકમાં રાગ દરબારી પર આધારિત આ ગીતના ગાયક એ બીજું કોઈ નહીં, આપણા જાણીતા સાહિત્યકાર, લેખક કનુભાઈ સૂચક હતા અને ગીત સ્વરબદ્ધ કરનાર સુગમ સંગીતનું જૂનું અને જાણીતું નામ મોહન બલસારા. કનુભાઇ તન્મય થઈને જે રીતે ગાતા હતા એ જોઈને જ લાગે કે સૂરના કલરવમાં એ અંતરધ્યાન થઈ ગયા હતા.

કેટલીક વ્યક્તિઓની આભા એવી હોય કે જોતાં જ અંજાઈ જવાય. મુંબઈના કાશી કહેવાતા વિલેપાર્લેમાં વિદ્યા-વિનય-વિવેક નામની સોસાયટીનું નામ કદાચ કનુભાઇ-સુશીલાબહેન જેવાં સૌહાર્દપૂર્ણ યુગલના સૌજન્યપૂર્ણ વ્યવહાર પરથી જ પડ્યું હોવું જોઈએ. વિદ્યા-વિનય-વિવેકનો ત્રિવેણી સંગમ જેમનામાં છે એ લેખક-કવિ-સાહિત્યકાર કનુભાઈ સૂચકનું નામ સાહિત્ય પ્રેમી મુંબઇગરા માટે અજાણ્યું નથી. ગુજરાતી ભાષા બચાવોની બૂમરેંગ કરવાને બદલે મૂકપણે તેઓ સાહિત્યની ધૂણી ધખાવીને અલગારી ફકીરની જેમ વર્ષોથી સાહિત્યની સેવા કર્યે જાય છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી ‘સાહિત્ય સંસદ-સાંતાક્રુઝ’ નામની સંસ્થા દ્વારા સાહિત્ય સરવાણી જેમણે શરૂ કરી હતી, એ રામપ્રસાદ બક્ષીનો વારસો અત્યારે કનુભાઈ સંભાળી રહ્યા છે. દર ગુરુવારે ગુજરાતી સાહિત્યની બેઠક યોજીને, નવોદિત-વરિષ્ઠ સાહિત્યકારો-કવિઓને નિમંત્રીને શુદ્ધ સાહિત્ય લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે છે. કનુભાઇ આમ તો વ્યવસાયે આર્કિટેક્ટ. ‘શિલ્પ સમીપે’ નામનું રસપ્રદ પુસ્તક તેમણે લખ્યું છે, પરંતુ જીવ કવિનો ય ખરો. એમની ઉત્તમ કવિતાઓના સંગ્રહ ‘ખોજ’ તથા ‘સૂરનો કલરવ’ પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. કનુભાઈ સરસ ગાઈ શકે છે એ કદાચ ઘણાને ખબર નહીં હોય! આ ગીત એમના જ કંઠે સાંભળવું એ લહાવો છે. કનુભાઇ એકાદ પંક્તિ ભૂલી જાય તો એમનાં સુસંસ્કૃત (કારણ કે એમણે ૬૫ વર્ષની વયે સંસ્કૃત વિષયમાં પીએચ.ડી. કર્યું છે) પત્ની સુશીલાબહેન તરત યાદ કરાવે અને પછી બન્ને સજોડે સૂરના કલરવમાં ડૂબી જાય.

આ ગીત જેમણે સ્વરબદ્ધ કર્યું છે એ સંગીતકાર મોહન બલસારાનો પરિચય કનુભાઇ સૂચકને ઘરે જ થયો હતો. એમનું નિરાભિમાન અને સાદગી સ્પર્શી ગયેલાં. સાક્ષાત્‌ સંસ્કારમૂર્તિ લાગે. કોઈ પણ પ્રકારની પ્રસિદ્ધિની ઘેલછા કે પૈસાની લાલસા વિના વર્ષો સુધી સુગમ સંગીતના વર્ગો લીધા હતા અને જિંદગીમાં ક્યારે ય ગાયું ન હોય એવી બહેનોને ગાતી કરી એ એમની સૌથી મોટી સિદ્ધિ. એમની ગેરહયાતિમાં આજે ય એ બહેનો મોહનભાઈનું ઋણ યાદ કરે છે. તેઓ વાયોલીન ખૂબ સારું વગાડતા. લતા મંગેશકરથી લઈને કેટલા ય કલાકારો સાથે એમણે વાયોલીન સંગત કરી હતી. એ વખતના રણજિત સ્ટુડિયોમાં મ્યુઝિશયન તરીકે એક માત્ર મોહનભાઈ હતા. મોહનભાઈએ મકરંદ દવે, રમેશ પારેખ, હરીન્દ્ર દવે, મહેશ શાહ, મેઘબિન્દુ તથા કનુભાઈ સૂચક સહિત ઘણા કવિઓનાં ગીતો સ્વરબદ્ધ કર્યાં છે, પરંતુ સૂરનો કલરવ એમને પોતાને પણ અંગત રીતે ખૂબ ગમતું હતું કારણ કે પ્રકૃતિ અને પરમાત્માનું અજબ જોડાણ તેઓ આ ગીતમાં અનુભવતા હતા.

કનુભાઇ સૂચક આ ગીત વિશે કહે છે કે, "ગીત એક સવારે અચાનક પાંચ જ મિનિટમાં લખાઈ ગયું હતું. મારી દ્રષ્ટિએ પ્રકૃતિ અને પ્રભુ ભિન્ન નથી. એ જ વાત આમાં છે. નવમા ધોરણથી હું કવિતા લખતો. ગુલાબદાસ બ્રોકર તથા જશવંત મહેતાએ આગ્રહ અને યોગ્ય સૂચનો ન કર્યાં હોત તો કદાચ ક્યારે ય કાવ્યસંગ્રહ બહાર ન પાડ્યા હોત. હવે જો કે કવિતા સૂકાઈ ગઈ છે. ઉંમર થતા લોજિકલ વધારે થતાં જઈએ અને ઈમોશન્સ ઓછાં થતાં જાય એમ પણ બને. પણ, કવિતાનો પ્રકાર મને ખૂબ ગમે છે. આખા ગીતમાં ફિલોસોફી છે, છતાં એ પ્રકૃતિ ગીત લાગે છે. સુષુપ્તાવસ્થામાં હોઈએ ત્યારે આપણને કોઈ ઢંઢોળી નથી જગાડતું પણ હળવે હાથે જગાડે છે. આ જાગૃત કરવાનું કામ ઈશ્વર સિવાય કોણ કરે? માણસ ગમે તેટલો તાર્કિક હોય પણ એના મનમાં એ કુતૂહલ તો છે જ કે આખી દુનિયા કોણ ચલાવે છે. આ કુતૂહલ આ ગીતમાં વ્યક્ત થયું છે. અમારા હિમાલય પ્રવાસ દરમ્યાન આવી જ પંક્તિ મને સૂઝી હતી ;

પળની ઝાલર મધ્ય રણકતા કોના આ ધબકાર,
લીલી ચાદર ઓઢી પ્રહરી, ઊભા અંતરિયાળ,
અમે તો આવ્યા હરિને દ્વાર …!

સૂરનો કલરવ ગીત સાંભળવાની તક મેળવી લેજો. સીડીમાં રવીન્દ્ર સાઠેના અવાજમાં રેકોર્ડ થયું છે. ગીતના સ્વરનો ગુંજારવ મન-હૃદયને જરૂર પરિતૃપ્ત કરશે.

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 20 ફેબ્રુઆરી 2020

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=622367

————————
 

Loading

...102030...2,5342,5352,5362,537...2,5402,5502,560...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved