Opinion Magazine
Number of visits: 9576013
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘Bharat Mata ki Jai’ and Contemporary Nationalism in India

Ram Puniyani|English Bazaar Patrika - OPED|29 February 2020

Like most of the political phenomenon, even the practice of Nationalism is not a static one. It changes with the changing political equations of the political forces and assumes the expressions which are very diverse. As such the phenomenon of Nationalism has a long journey and various state policies in particular have used it for purposes which relate more to the power of the state ‘vis a vis’ its people, power of the state ‘vis a vis’ the neighboring countries among others.

In India there has been a certain change in the practices of the state which have transformed the meaning of Nationalism during last few years. Particularly with BJP, the Hindu Nationalist outfit gaining simple majority, it has unfolded the policies where one can discern the drastic change in the meaning and application of Nationalism in regard to its citizens, particularly those belonging to minority community, with regard to those who are liberal, and with those who stand with the concept of Human rights.

Our former Prime Minister of Dr. Manmohan Singh hit the nail on the head when he said that “Nationalism and the "Bharat Mata Ki Jai" slogan are being misused to construct a "militant and purely emotional" idea of India that excludes millions of residents and citizens. Former Prime Minister recently stated this in an apparent attack on the BJP.” The occasion was the release of a book, ‘Who is Bharat Mata’, edited by Purushottam Agarwal and Radhakrishna. This is a compilation of significant extracts from writings of Nehru, and important assessments of and contributions of Nehru by prominent personalities.

Dr. Singh went on to add "With an inimitable style…Nehru laid the foundation of the universities, academies and cultural institutions of Modern India. But for Nehru's leadership, independent India would not have become what it is today," This statement of Dr. Singh has great importance in contemporary times, as Nehru is being denigrated by Hindu nationalists for all the problems which India is facing today and attempts are on to undermine his role and glorifying Sardar Vallabh Bhai Patel. This is also significant as it gives us the glimpses of what Nationalism meant for Nehru.

As Singh’s statement captures the present nationalism being practiced by BJP and company, the Hindu nationalists, immediately shot back saying that Dr. Singh is supporting the anti India activities at JNU and Jamia and his party is supporting the anti India nationalists. They asked whether Singh likes the nationalism of the likes of Shashi Tharoor or Manishankar Ayer who are provoking the Shaheen Bagh protest rather than making the protestors quiet. Whether he likes the anti national protests which go on at JNU or Jamia? As per them there is no Nationalism in Congress. One more example being cited is the private visit of Shatrughan Sinha who talked to Pakistani President during his visit there recently!

Most of the arguments being used to oppose Dr. Singh are very superficial. What is being referred to; is not opposition to Indian nationalism and its central values which were the core of anti colonial struggles. While ‘Bharat Mata Ki Jai’ may not be acceptable to a section of population, even the book he was releasing has the title ‘Who is Bharat Mata’. What is being stated by Singh is the twist which slogan ‘Bharat Mata ki Jai’ has been used by Hindu nationalists to frighten the religious minorities.

Indian nation came into being on the values, which later were the foundation of Indian Constitution. Indian Constitution carefully picked up the terminology which was away from the concepts of Hindu or Muslim nationalism. That’s how the country came to be called as ‘India that is Bharat’. The freedom of expression which was the hallmark of freedom movement and it was given a pride of place in our Constitution. It respected the diversity and formulated rules where the nation was not based on particular culture, as Hindu nationalists will like us to believe, but cultural diversity was centrally recognized in the Constitution. In addition promoting good relations with neighbors and other countries of the World was also part of our principles.

JNU, Jamia and AMU are being demonized as most institutions so far regard the freedom of expression as a core part of Indian democracy. These institutions have been thriving on discussions and debates which have base in liberalism. Deliberately some slogans have been constructed to defame these institutions. While Constitution mandates good relations with neighbors, creation of ‘Anti Pakistan hysteria’ is the prime motive of many a channels and sections of other media, which are servile to the ideology of ruling Government. They also violate most of the norms of ethical journalism, where the criticism of the ruling party is an important factor to keep the ruling dispensation in toes.

A stifling atmosphere has been created during last six years. In this the Prime Minster can take a detour, land in Pakistan to have a cup of tea with Pakistan PM, but a Congress leader talking to Pakistani President is a sign of being anti National. Students taking out a march while reading the preamble of Indian Constitution are labeled as anti-national; and are stopped while those openly wielding guns near Jamia or Shaheen Bagh roam freely.

Nationalism should promote amity and love of the people; it should pave the way for growth and development. Currently the nationalism which is dominant and stalking the streets has weakened the very fraternity, which is one of the pillars of our democracy. Nehru did explain that Bharat Mata is not just our mountains, rivers and land but primarily the people who inhabit the land. Which nationalism to follow was settled during the freedom movement when Muslim nationalism and Hindu nationalism were rejected by the majority of people of India in favor of the Nationalism of Gandhi, Nehru, Patel and Maulana Azad, where minorities are equal citizens, deserving affirmative action. In today’s scenario the Hindu nationalists cannot accept any criticism of their policies. 

https://www.newsclick.in/BMKJ-Contemporary-Indian-Nationalism      

Loading

ઈશાન દિલ્હી, ગોધરાના અઢારે વરસે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|28 February 2020

એ પણ એક ફેબ્રુઆરી હતો, ૨૦૦૨નો. આ પણ એક ફેબ્રુઆરી છે, ૨૦૨૦નો. અઢારે વરસે, અને તે પણ જોગાનુજોગ ૨૭મી ફેબ્રુઆરીએ, આ લખી રહ્યો છું ત્યારે પ્રબળપણે ઉભરી આવતી લાગણી નિર્વેદની – કેવળ નિર્વેદની છે. પણ નાગરિક મુઓ છું તેથી નિર્વેદ નામે કોઈ એસ્કેપ રુટનું ઐશ્વર્ય મારા નસીબમાં નથી તે નથી. પણ ત્યારે સૌ હમવતનીઓ અને વતન વાસ્તે જે ફિકરચિંતા થઈ આવી હતી એ ખરી પડી રહ્યાનો ખેદ ખસૂસ છે.

ગુજરાતની ગૌરવગરબડે કંઈક ઘેનગાફેલ કેટલીયે પેઢીઓ મુનશીશાઈ અસ્મિતાની કાયલ રહી છે. પણ ક.મા.ને પણ કાયદાનું શાસન તે શું એની ખબર ચોક્કસ છે. વૉટ્‌સઅપ યુનિવર્સિટીના વિદ્યાવાચસ્પતિ છોકરાંવને કદાચ ખબર નયે હોય, પણ અહિંસાધર્મી ઉદયન મંત્રીની નિગેહબાનીમાં ખંભાતને મ્લેચ્છમુક્ત કરવાનો (‘પોગ્રોમ’ માટે ત્યારે કોઈ ગુજરાતી પ્રયોગ હશે જ. પણ ન ભાયાણી, ન સાંડેસરા – કોને પૂછીએ વારુ.) ઉપક્રમ રૂડી પેરે પાર તો પડ્યો, પણ એકનો એક ખતીબ બચી ગયો. એની દર્દેદિલ દાસ્તાં સૂણી કાકને જાગેલા પહેલા પહેલા સવાલોમાં એક આ હતો : રાજના મંત્રી શું કરતા હતા. (પછીથી સ્પીકરપદે પહોંચેલા એક મંત્રી ૨૦૦૨ના ફેબ્રુઆરી-માર્ચમાં પોલીસનો કંટ્રોલરૂમ કબજે કરી ‘સૈંયા ભયે કોતવાલ’નો કોઈક અંક ભજવી રહ્યા હતા, એમ સાંભળ્યું છે.) ગમે તેમ પણ, ૨૦૨૦નો ફેબ્રુઆરી ઉતરતે શીર્ષ સત્તારૂઢ બેઉ ટિ્‌વટરમાર્તંડો બે અઢી દહાડા લગભગ મૂંગામંતર થઈ ગયા હતા, અને રાજ્ય છૂમંતર!

દિલ્હી હાઈકોર્ટે (ન્યાયમૂર્તિ મુરલીધરે અને બીજાઓએ) ૨૬મી ફેબ્રુઆરીએ (ઈશાન દિલ્હીમાં એક પછી એક લાશ ઢળતી હતી ત્યારે) ઉશ્કેરણીકારોની સામે એફ.આઈ.આર. કેમ નથી કરી એવી પૃચ્છા કરી (ખરું જોતાં ઘઘલાવ્યા અને લબડધક લીધા) ત્યારે ગુજરાતથી રાષ્ટ્રીય સ્તરે સમુત્ક્રાન્ત થયેલા સોલિસિટર જનરલે અજબ જેવી માસૂમિયતથી લાળા ચાવ્યા હતા કે હજુ એ માટે ‘એપ્રોપ્રિયેટ’ અને ‘કન્ડ્યુસિવ’ સમય નથી. ભાઈ, સત્તાપક્ષની કેટલીક પ્રતિભાઓ રાજ્ય વિધાનસભાના ચૂંટણીપ્રચાર વેળાથી ઉશ્કેરણીભર્યાં વિધાનો કરી રહી હતી, અને ત્યારે જ એક પૂર્વચૂંટણી કમિશનરે ટકોર કરી હતી કે ચૂંટણીપંચ આ લોકોને એકબે દિવસ માટે પ્રચારબાદ કરી પોતે કંઈક કર્યાનો ઓડકાર લે તે ઈષ્ટ નથી. આ એકોએક મામલો એફ.આઈ.આર. દર્જ કરવા લાયક છે. કપિલ મિશ્રા, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, પરવેશ સિંહ વર્મા, અભય વર્મા – શું હતા આ સૌના ધન્યોદ્‌ગાર, ભરપૂર હિંસે સોડાતા (સત્તામાનસ મુજબ જો કે દેશભક્તિની પરાકાષ્ઠારૂપ) : ‘વિરોધ પોકારનારાઓને ખદેડો (પોલીસને અલ્ટિમેટમ); મંત્રી બોલે, ‘દેશ કે ગદ્દારોં કો’ અને ટોળું કહે, ‘ગોલી મારો.’ વળી, ‘આ લોકો’ (સમજ્યાને ?) ‘તમારા ઘરમાં ઘૂસી તમારાં બહેનદીકરી પર બળાત્કાર ગુજારશે.’ અને વળી, ‘પોલીસ કે હત્યારોં કો ગોલી મારો.’ સન્માન્ય સોલિસિટર જનરલ અને આદેશપ્રાપ્ત જવાબદાર પોલીસ અફસરે (ગાંધીપ્રિય ત્રણ વાનરોથી પ્રભાવિત હોઈ) આવું કશું જ કદાપિ જોયુંજાણ્યું નહોતું. ન્યાયમૂર્તિ મુરલીધરે (મુરલી છોડી સુદર્શન ચક્ર સાહવા બાબતે સંયમ જાળવી) કહ્યું કે તમારાં દફતરોમાં ટી.વી. છે, આ બધું જોતા નથી, એવું કેમ. અદાલતમાં ચારે વીડિયો ક્લિપ્સ પ્લે કરવાનો એ કદાચ પહેલો પ્રસંગ હશે. (ગુજરાતના ઘટનાક્રમમાં ‘ઑપરેશન કલંક’ની દસ્તાવેજી હોઈ શકતી, કંઈ નહીં તો પણ પ્રથમદર્શીવત્‌ હોઈ શકતી સામગ્રીની નાણાવટી પંચે દરકાર નહોતી કરી.) ન્યાયમૂર્તિ મુરલીધરે સરકારી પ્રતિનિધિઓને અદાલતી કારવાઈ દરમ્યાન યાદ આપવી પડી કે તમે જ્યારે ‘એપ્રોપ્રિયેટ’ અને ‘કન્ડ્યુસિવ’ની શબ્દરમણા કરી રહ્યા છો ત્યારે શહેરમાં સંહારસત્ર ચાલુ છે.

૨૦૦૨ એ દેશમાં પહેલા ટેલિવાઇઝ્‌ડ રાયટ્‌સની (બલકે ‘પ્રોગ્રોમ’ના કુળની) ઘટના હતી. એમાં જે દેખાયું તે જોવા આપણે તૈયાર નહોતા. ગમે તેમ પણ, ૨૦૨૦માં તો વીડિયોબદ્ધ ઝડપવાની નવાઈ નથી અને છતાં સરકાર આ હદે ઊંઘતી ઝડપાવું પસંદ કરે છે ! ત્યારે તો કોઈક સમ ખાતર પણ ‘રાજધર્મ’ પ્રબોધી શકતું હતું. આજે એ પણ નથી. સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ ૨૦૧૪થી તબક્કાવાર આવેલાં આ બધાં સૂત્રો ‘ફિગ લીફ’ હશે તો હશે.

૨૦૧૯ ઉતરતે અને ૨૦૨૦ બેસતે દેશજનતાએ અભૂતપૂર્વ એવી જે શાહીન બાગ ઘટના જોઈ, તિરંગો લહેરાવતી જે બંધારણભેરી સાંભળી અને કોમી ધ્રુવીકરણની ગળથુથીગત રાજનીતિને એણે ચૂંટણીમાં જે રીતે પછાડ આપી એ પછી દિલ્હીના બીજા છેડે (ઈશાન છેડે) સત્તામાનસ વરવી રીતે પ્રગટ થયું, શું કહીશું એને વિશે. સત્તામાનસની જિકર કરતી વેળાએ સવિશેષ અલબત્ત ભા.જ.પ. જ ચિત્તમાં છે. પણ દિલ્હી વિધાનસભામાં પ્રભાવકપણે પુનર્વિજયી ‘આપ’ને પણ બારોબાર બક્ષી શકાય એમ નથી. પોલીસ કેન્દ્ર હસ્તક છે એ એની દલીલ ખોટી બિલકુલ નથી, પણ પ્રજાના ચુંટાયેલ માણસ તરીકે તે અપૂરતી ચોક્કસ છે. જેમના મત તમે હજુ હમણાં જ સુંડલામોંઢે ને ખોબલે ખોબલે લીધા છે. એમની વચ્ચે જઈને ઊભા રહેવાની નૈતિક જવાબદારી તમારી નથી? રાજઘાટ ફોટોફંકશન પોતે થઈને ભાગ્યે જ તમારો હિસાબ આપી શકે.

સત્તામાનસની ચર્ચામાં લાંબા સમયની સત્તાભાગી કૉંગ્રેસ વિશે પણ બે શબ્દો લાજિમ છે. એણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું રાજીનામું માંગ્યું એમાં અવશ્ય ઔચિત્ય છે. પણ ભા.જ.પે., બિલકુલ ૨૦૦૨ની પેઠે, વળતો સાટકો માર્યો કે ૧૯૮૪નો જવાબ આપો. બેશક, કૉંગ્રેસ માટે એ એક નીચાજોણું હતું જ. પણ ભા.જ.પે. ૨૦૦૨માં આ જે સાટકો માર્યો હતો તે જ ૨૦૨૦માં (૨૦૦૨ના એના ‘વિક્રમ’ પછી અને છતાં) મારે એ એનાં મોંમાં શોભતું નથી. બલકે, ૧૯૮૪, ૨૦૦૨, ૨૦૨૦ એ બધો નાટારંગ (નરસિંહ મહેતાની ક્ષમાયાચના સાથે) એકમેક સામે લટકા કરે છે તે કરે છે.

છતાં આ લખતી વખતે કૉંગ્રેસ અંગે લગરીક કૂણું તો નહીં પણ સહેજસાજ માફીનું વલણ રહેતું હોય તો તેનું કારણ એ છે કે એની નિગેહબાની તળે ચાલેલું સંહારસત્ર (એની સઘળી નિર્ઘૃણતા અને અક્ષમ્યતા સાથે) આ પક્ષનો વિચારધારાગત હિસ્સો નહોતો. ઊલટ પક્ષે, હાલના સત્તારૂઢ પક્ષપરિવાર માટે આ ક્ષણ સુધી તો તે માંસમજ્જાગત બલકે, ગળથુથીગત હિસ્સો છે. બે’ક વરસ પરનાં વિજ્ઞાનભવન વ્યાખ્યાનોમાં કે હમણે ‘નેશનલિઝમ’ જેવા પ્રયોગો બરોબર નથી એવી નુક્તેચીનીમાં સરસંઘચાલક ભાગવતે જે પણ કહ્યું તેમાં જાત અને જમાત જોગ પ્રબોધન ઓછું અને પી.આર. પ્રબંધન વધુ છે તે ફરી એક વાર જણાઈ આવે છે.

સંઘ પરિવારને ૧૯૮૪નો શીખ સંહાર સાંભરે છે, પણ ૨૦૨૦માં શાહીન બાગ જમાવટમાં શીખો જે હેતપ્રીત અને નિસબતથી અહોરાત્ર લંગર ચલાવે છે તે દેખાતું નથી. ૧૯૮૪ને સંભારનારા જો કૉંગ્રેસ નેતાગીરીના કેટલાક હિસ્સાની મર્યાદા તેમ જ હિંસ્ર દૂષણોની નોંધ લે છે તો, તે સાથે, એમને એ પણ ખયાલ છે કે સન ચોરાસી કોઈ શીખ વિ. હિંદુ મામલો નહોતો, જેવું આજે ‘મુસ્લિમ વિ. હિંદુ’નું ભા.જ.પી. વલણ છે.

જ્યાં સુધી કાયદાના શાસનનો સવાલ છે, ૨૦૦૨નો દોર કાયદાના શાસન બાબતે શીર્ષ સત્તાસ્તરેથી શિરજોરી અને દિલચોરીનો હતો. જેઓ ભોગ બન્યા હતા એમની સહાનુભૂતિમાં નાગરિક સમાજનાં નાનાંમોટા બળો બહાર જરૂર આવ્યાં અને સંહારસત્રનો ભોગ બનેલાઓને પૂર્વે નહીં એ હદે ન્યાય ને વળતર અપાવવાનું કંઈક શક્ય પણ બન્યું. પણ એ તો જેટલે અંશે રાજ્યને ફરજ પાડી શકાઈ એટલે અંશે જ. (લશ્કરી મદદ લેવાની રાજ્યપાલ ભંડારીની ભલામણ પર મોદી સરકાર કલાકો લગી ચપ્પટ બેસી રહી હતી.) ૨૦૦૨માં રાજ્યનું વલણ નાતજાતકોમ અને ધરમમજહબના વહેરાઆંતરા વગર નાગરિકમાત્ર, રિપીટ, નાગરિકમાત્ર જોગ ન્યાય અને સુરક્ષાનું નહોતું. ગોધરામાં ૨૭મી ફેબ્રુઆરીએ જે બન્યું તે જઘન્ય એટલું જ અક્ષમ્ય હતું અને નસિયતપાત્ર પણ હતું તે હતું. પણ ૨૮મી ફેબ્રુઆરીએ જે કાળસપાટો ચાલ્યો તે અક્ષરશઃ અસાધારણ હતો. ૨૮મી ફેબ્રુઆરીએ સાંજે છ વાગ્યે મુખ્યમંત્રી મોદીએ દૂરદર્શન માટે રેકોર્ડ કરાવેલ ‘શાંતિ સંદેશ’માં એ જ બપોરના ગુલબર્ગ કાંડનો થડકો સુધ્ધાં નહોતો.
વસ્તુતઃ શાહીન બાગ સંલક્ષણ (સિન્ડ્રોમ) બે વાતે વિલક્ષણ છે. એક, તે બંધારણ અને તિરંગાને ધોરણે વિલસે છે. તે સાથે, ૨૦૦૨માં જો નાગરિક સમાજની પહેલ સાથે મુસ્લિમ જોડાણ હતું તો ૨૦૨૦માં વસ્તુતઃ મુસ્લિમ પહેલ અને નાગરિક સમાજનું સંધાન છે. નાગરિકતાનું પાસું અને બંધારણની ભૂમિકા જે રીતે આગળ આવી રહ્યાં છે તે કથિત રાષ્ટ્રવાદી અખાડાની સામે ‘સિવિક’ અગર ‘કૉન્સ્ટિટ્યુશનલ’ (નાગરિક/ બંધારણીય) રાષ્ટ્રવાદનો નવી ને ન્યાયી દુનિયા લાયક અભિગમ ઉપસાવે છે. અને હા, નોંધવા જોગ એક મહત્ત્વની વિગત એ છે કે બીજે છેડેથી કોશિશ અને હરકત છતાં હમણાં સુધી એમાં હિંસક તત્ત્વો દાખલ થઈ શક્યાં નથી.
ઈશાન દિલ્હીનો કાંડ આપણા પ્રજાસત્તાક સ્વરાજની આ પુણ્યકમાઈને ટૂંપી ન નાખે એવું કોણ નહીં ઈચ્છે વારું.                              
ફેબ્રુઆરી ૨૭, ૨૦૨૦ 

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2020; પૃ. 01-02 

Loading

લૉકલ વાર્તાને ઈન્ટરનેશનલ દર્શકો સુધી પહોંચાડનાર પારસી ફિલ્મમેકર સૂની તારાપોરેવાલા

નીલય ભાવસાર|Opinion - Opinion|27 February 2020

ગત અઠવાડિયે નેટફ્લિક્ષ (Netflix) પર 'યહ બેલે' (Yeh Ballet) નામની એક ફિલ્મ રિલીઝ થઈ છે કે જેમાં મુંબઈની ઝૂંપડપટ્ટીમાં રહેતા બે યુવાનોના બેલે ડાન્સર બનવાનાં સપનાં અને સંઘર્ષની કહાણી છે. સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મનાં લેખિકા-ડિરેક્ટર સૂની તારાપોરેવાલા (Sooni Taraporevala) છે કે જેઓ અગાઉ આ વિષય પર ડૉક્યુમેન્ટરી બનાવી ચૂક્યાં છે અને હવે તેનું ફિલ્મમાં રૂપાંતર કર્યું. 'યહ બેલે' (Yeh Ballet) નામની આ ફિલ્મમાં મુંબઈની ઝૂંપડપટ્ટીમાં રહેતા બે યુવાનોની વાર્તા છે, જે પૈકી એક યુવાન હિન્દુ પરિવારનો જ્યારે અન્ય યુવાન મુસ્લિમ પરિવારમાંથી આવે છે. ગરીબ પરિવારમાંથી આવતા આ બંને યુવાનોને સારા ડાન્સર બનવા માટે અમેરિકાથી મુંબઈ આવેલો એક ટીચર ટ્રેનિંગ આપે છે. 'યહ બેલે' નામની આ ફિલ્મનું શૂટિંગ મુંબઈના રિયલ લૉકેશન્સ પર કરવામાં આવ્યું છે કે જેમાં મુંબઈની ચાલી અને અન્ય વિસ્તારો જોવા મળે છે. આ ફિલ્મની શરૂઆતમાં જ મુંબઈનો પ્રખ્યાત સી લિંક (પુલ) દેખાડવામાં આવ્યો છે કે જેની બાજુમાં જ ઝૂંપડપટ્ટી વિસ્તાર આવેલો છે. સી લિંક કે જે મુંબઈની શાન થાય છે તે દ્રશ્ય દેખાડતો કેમેરો ફરતો-ફરતો (આકાશમાં ઊંચેથી શૂટિંગ કરાયેલો aerial shot) તેની પાસે આવેલા ઝૂંપડપટ્ટી વિસ્તાર પર જઈને અટકે છે. સપનાં જોવાનો હક માત્ર પૈસાદાર પરિવારના સંતાનોને નહીં પણ ચાલીમાં રહેતા ગરીબ યુવાનોને પણ છે, જે વ્યક્તિ મોટાં સપનાં જુએ છે અને તે પ્રત્યે આશાવાદી છે તેને સફળતા ચોક્કસ મળે છે, આ માટે પ્રયાસ કરવો ખૂબ જ જરૂરી છે તે આ ફિલ્મનો મૂળ સંદેશ છે. બેલે ડાન્સની પ્રેક્ટિસ કરતા ગરીબ ઘરના યુવાનોને અમેરિકાથી આવેલો ટીચર જણાવે છે કે કોઈ પણ આર્ટ એટલે કે કળાનો વિકાસ કરવા માટે શિસ્ત ખૂબ જ જરૂરી છે. શિસ્ત અને સતત પ્રેક્ટિસ વિના સફળતા નહીં મળે.

'યહ બેલે' (Yeh Ballet) ફિલ્મમાં નિશુ (મનીષ ચૌહાણ) અને આસિફ (અચિંત્ય બોઝ) નામના બે યુવાનના સંઘર્ષની કહાણી છે. નિશુ નામનો યુવાન હિન્દુ પરિવારમાંથી આવે છે કે જેનો પરિવાર ચાલીમાં રહેતો હોય છે. નિશુના પિતા ટેક્સી ડ્રાઈવર છે જ્યારે તેનાં માતા સીવણનું કામ કરતાં હોય છે. આ ફિલ્મમાં નિશુના પિતાનું પાત્ર વિજય મૌર્ય નામના એક્ટરે ભજવ્યું છે કે જેમણે આ ફિલ્મના સંવાદ પણ લખ્યા છે. (અહીં ઉલ્લેખનીય છે કે વિજય મૌર્ય ગત વર્ષે આવેલી ફિલ્મ 'ગલી બોય'ના સંવાદ પણ લખી ચૂક્યા છે, ગલી બોય પણ મુંબઈની ચાલીમાં રહેતા યુવાનના જીવન પર આધારિત હતી.) નિશુ ખૂબ સારો ડાન્સર બનવા માગતો હોય છે, પણ તેના પિતાને આ પસંદ નથી એટલે નિશુ ઘર છોડીને જતો રહે છે. બીજી બાજુ આસિફ નામનો યુવાન મુસ્લિમ પરિવારમાંથી આવે છે અને આખો દિવસ મિત્રો સાથે રખડપટ્ટી કરતો હોય છે. તેનો ભાઈ કે જે પિઝા ડિલિવરીનું કામ કરે છે તે આસિફનું ડાન્સિંગ ટેલેન્ટ સારી રીતે જાણતો હોય છે. તે આસિફને ડાન્સ શીખવા માટે ડાન્સ એકેડમીમાં મોકલી આપે છે અને તેનું જીવન બદલાઈ જાય છે. ફિલ્મમાં સમાજના ઉચ્ચ વર્ગમાંથી આવતા લોકોનો ગરીબો પ્રત્યેનો એક અલગ દ્રષ્ટિકોણ પણ દર્શાવવામાં આવ્યો છે. સાથે જ વિદેશથી આવેલો ડાન્સ ટીચર ભારત અને ભારતીય સમાજને કઈ રીતે જુએ છે, તે પણ આ ફિલ્મમાં નવા અંદાજમાં જોવા મળે છે. મુંબઈની ચાલીમાં રહેતા આ બંને યુવકોને વિદેશમાં ડાન્સ શીખવા જવા માટેની સ્કોલરશિપ મળે છે કે નહીં? તે માટે તો હવે નેટફ્લિક્ષ (Netflix) પર 'યહ બેલે' (Yeh Ballet) જોવી રહી. અહીં ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ 'યહ બેલે'(Yeh Ballet)નાં લેખિકા-ડિરેક્ટર સૂની તારાપોરેવાલા વર્ષ 1988માં આવેલી ડિરેક્ટર મીરા નાયરની ક્લાસિક ફિલ્મ 'સલામ બૉમ્બે' (Salaam Bombay!) પણ લખી ચૂક્યાં છે. મુંબઈની ફૂટપાથ પર જીવન પસાર કરતા એક ગરીબ છોકરા અને તેની આસપાસની 'કાળી' દુનિયાની રિયલ કહાણી દર્શાવતી ફિલ્મ 'સલામ બૉમ્બે'ની દેશ-વિદેશમાં ભારે પ્રશંસા થઈ હતી.

લેખિકા-ડિરેક્ટર સૂની તારાપોરેવાલા (Sooni Taraporevala) દેશનાં જાણીતાં પટકથા લેખિકા, ફોટોગ્રાફર અને ફિલ્મમેકર છે. પારસી પરિવારમાંથી આવતાં સૂની તારાપોરેવાલાએ મુંબઈ શહેરને ફિલ્મમેકિંગ અને ફોટોગ્રાફીના માધ્યમથી એક અલગ રીતે જ રજૂ કર્યું છે. તેઓ ફિલ્મમેકર મીરા નાયરની જાણીતી ઈન્ટરનેશનલ ફિલ્મ 'સલામ બૉમ્બે' (Salaam Bombay!), 'ધ નેમસેક' (The Namesake) અને 'મિસિસિપી મસાલા' (Mississippi Masala) લખી ચૂક્યાં છે. સૂની તારાપોરેવાલાએ વર્ષ 2009માં આવેલી ફિલ્મ 'લિટલ ઝીઝૂ'(Little Zizou)થી ડિરેક્ટર તરીકે ડેબ્યુ કર્યું હતું. આ પારિવારિક કૉમેડી ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો હતો. વર્ષ 1957માં મુંબઈના પારસી પરિવારમાં જન્મેલાં સૂની તારાપોરેવાલાને Harvard યુનિવર્સિટીના અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ માટે સ્કોલરશિપ મળી અને ત્યાં જઈને તેમનું જીવન બદલાઈ ગયું. જ્યાં તેમનો પરિચય વૈશ્વિક આર્ટ, લિટરેચર, ફોટોગ્રાફી અને ફિલ્મમેકિંગની દુનિયા સાથે થયો. બાદમાં તેમણે ન્યૂયોર્ક યુનિવર્સિટી(New York University)માંથી સિનેમાના વિષયનો ઊંડો અભ્યાસ કર્યો.

'સલામ બૉમ્બે'(Salaam Bombay!)ના લેખનકાર્ય વિશે વાત કરતાં સૂની તારાપોરેવાલા જણાવે છે કે મેં જે કોઈ સાહિત્ય વાંચ્યું હતું તેના પાત્રો અને તેનું વર્ણન, ફિલ્મ્સ વિશેનો મારો અભ્યાસ અને ફોટોગ્રાફીની સૂઝની મદદથી મેં આ ફિલ્મની પટકથા લખી હતી. 'મિસિસિપી મસાલા' (Mississippi Masala) ફિલ્મના લેખન માટે સૂની તારાપોરેવાલાએ ઘણું રિસર્ચ કર્યું હતું અને તે આધારે ડિરેક્ટર મીરા નાયર સાથે મળીને તેની સ્ક્રિપ્ટ તૈયાર કરી હતી, આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં હોલિવૂડ સ્ટાર ડેન્ઝેલ વોશિંગ્ટન હતા. 'મિસિસિપી મસાલા'માં અમેરિકામાં રહેતા આફ્રિકન અમેરિકન્સ અને ઈન્ડિયન અમેરિકન્સની વાર્તા કેન્દ્રમાં જોવા મળે છે. વર્ષ 2006માં આવેલી મીરા નાયરની ફિલ્મ 'ધ નેમસેક'માં અમેરિકામાં જઈને સ્થાયી થયેલા એક બંગાળી કુટુંબની વાર્તા છે, સૂની તારાપોરેવાલાએ લેખિકા જુમ્પા લહિરીની નવલકથા 'ધ નેમસેક' આધારિત આ ફિલ્મની પટકથા લખી હતી. તબુ, ઈરફાન ખાન અને કલ પેન સ્ટારર ફિલ્મ 'ધ નેમસેક' (The Namesake)ની પટકથા અને એડિટિંગ ખૂબ જ મજબૂત હતા, આ ફિલ્મની વિવેચકોએ ખાસ નોંધ લીધી હતી. આ સિવાય સૂની તારાપોરેવાલા વર્ષ 1998માં આવેલી અંગ્રેજી ફિલ્મ 'Such a Long Journey' પણ લખી ચૂક્યાં છે જે લેખક રોહિન્ટન મિસ્ત્રીની તે નામની નવલકથા પર આધારિત હતી. આ ફિલ્મમાં પારસી વ્યક્તિના આસપાસના જીવનની કહાણી હતી. આ સિવાય સૂની તારાપોરેવાલા વર્ષ 2000માં આવેલી ડિરેક્ટર જબ્બર પટેલની ફિલ્મ 'ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર' પણ લખી ચૂક્યાં છે. સૂની તારાપોરેવાલાએ ભલે ઓછી ફિલ્મો લખી હોય પણ તેમાં તેમનું ઊંડુ રિસર્ચ અને અભ્યાસ જોવા મળે છે.

અહીં ઉલ્લેનીય છે કે સૂની તારાપોરેવાલા ફિલ્મમેકર સિવાય ફોટોગ્રાફર પણ છે. તેઓ પારસી સમુદાયના દસ્તાવેજો (ડૉક્યુમેન્ટ્સ) સરીખું ફોટોગ્રાફી પુસ્તક 'Parsis, the Zoroastrians of India' પણ પ્રકાશિત કરી ચૂક્યાં છે. ફિલ્મમેકર મીરા નાયર સાથેની મિત્રતા વિશેની વાત કરતા સૂની તારાપોરેવાલા એક ઈન્ટરવ્યૂમાં જણાવે છે કે Harvard યુનિવર્સિટીના અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ દરમિયાન અમારી મિત્રતા થઈ હતી. આ દરમિયાન અમે સાથે વર્લ્ડ સિનેમાની ઘણી ફિલ્મો જોઈ છે. જ્યારે મીરા નાયરે તેની પ્રથમ ફિલ્મ 'સલામ બૉમ્બે' બનાવવાનું નક્કી કર્યું ત્યારે તેમાં સાથે હું પણ જોડાઈ અને તેનો સ્ક્રીનપ્લે લખ્યો. 'સલામ બૉમ્બે'ને ભારત તરફથી ઓસ્કાર એવોર્ડ માટે મોકલવામાં આવી હતી જે ગૌરવની વાત છે. સૂની તારાપોરેવાલાને વર્ષ 2014માં ભારત સરકાર તરફથી પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. સૂની તારાપોરેવાલાએ ફિરદોસ બાટલીવાલા સાથે લગ્ન કર્યા છે કે જેઓ દાંતના ડૉક્ટર છે. તેમનાં બે બાળકો છે. સૂની તારાપોરેવાલાના ફોટોગ્રાફ્સનું દેશ-વિદેશમાં એક્ઝિબિશન થઈ ચૂક્યું છે અને તે કલેક્શનના પુસ્તક પણ પબ્લિશ થયા છે.

(લેખક iamgujarat.comમાં પત્રકાર છે.)

e.mail : nbhavsarsafri@gmail.com

પ્રગટ : ‘ગુલમોહર’ પૂર્તિ, “નવગુજરાત સમય”, 26 ફેબ્રુઆરી 2020

Loading

...102030...2,5272,5282,5292,530...2,5402,5502,560...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved