અસારવા ચકલામાં
શાકભાજી વેચતી શકરી
ક્યારે શિકાગો ગઈ હતી?
આ પ્રશ્ન અત્યારે પૂછવો વાજબી નથી.
આપણે દેશભક્ત છીએ.
આવા સવાલો આપણાથી ના પૂછાય.
શકરીનું નસીબ, બીજું શું?
શકરીની મા, દાદી, પરદાદી,
અહીં ચકલામાં શાકભાજી જ વેચતાં હતાં.
આજે શકરીની હારે
એની દીકરી સોમી પણ શાકભાજી વેચે છે.
કોરોના આવે કે જાય
શકરીનું નસીબ ફરવાનું નથી.
તમને શકરી ચકલામાં મળે
તો સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને
એને આશ્વાસન આપજો
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 25 ઍપ્રિલ 2020
![]()


પહેલાં નાણા મંત્રીએ અને પછી ગૃહ મંત્રીએ વધામણી આપી છે કે અત્યારે દેશમાં વડાપ્રધાનની લોકપ્રિયતા સાતમા આસમાને છે. મોદી મંત્રીમંડળના આ બે વરિષ્ઠ મંત્રીઓની આ દિવસોમાં ઉપસ્થિતિ આ રીતે દેખાય તે પણ વડાપ્રધાનની સિદ્ધિ ગણાવી જોઈએ! માનવજાત જ્યારે તેના અસ્તિત્વની લડાઈ લડતી હોય ત્યારે પણ, કાયમ ઈલેકશન મોડમાં રહેતા પ્રધાનસેવક અને તેમના દરબારીઓને લોકપ્રિયતાના ગાણાં ગાવાના સૂઝે તેનાથી આશ્ચર્ય ન થવું જોઈએ. કોરોનાકાળના પૂર્વ દિવસોમાં દિલ્હીના દંગાઓમાં માર્યા ગયેલા લોકોને ભરી લોકસભામાં દેશના ગૃહમંત્રી કેવી માસૂમિયતથી હિંદુ કે મુસ્લિમ નહીં, પણ ભારતીયો ગણાવતા હતા. અને આજે કોવિડ-૧૯ની મહામારીમાં કેટલા જમાતીઓ છે અને કેટલા ભારતીયો છે એવાં વિભાજનો ખુદ સરકાર કરે છે અને સત્તાવાર રીતે એવા આંકડા જાહેર કરે છે. વડાપ્રધાનની લોકપ્રિયતાનું રહસ્ય આ હશે?