કેટલો કઠોર તું?
કેટલો નઠોર તું?
વાદ ને વિવાદમાં
કેટલો ચકોર તું ?
ધૂળ પણ વજન ખમે
મૂળથી અધોળ તું !
તાળી કે થાળી શું,
શૂન્યનો પ્રકોપ તું !
શબ્દના સાથરે
વાણીમાં અજોડ તું !
અંત ક્યારે આવશે
પહેલેથી પ્રદોષ તું !
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 22 મે 2020
![]()


વિશ્વભરમાં જે જે દેશોમાં કોરોનાનો કેર વર્તાઈ રહ્યો છે ત્યાં સરકારોએ કેવળ અને કેવળ ધ્યાન કોરોના પર કેન્દ્રિત કર્યું છે. કઈ રીતે સંક્રમણને અટકાવવું, કઈ રીતે આરોગ્યની સુવિધાઓ ઊભી કરવી વગેરે વગેરે. અહીં પણ હજુ અમદાવાદના આંકડા ચોંકાવનારા છે. છતાં સરકાર જાણે કોરોનાકેન્દ્રિત નથી. લૉકડાઉન સિવાય ઉપાય સૂઝતો નથી.
કેશવકુમારે 16 કલાક પહેલાં ખાધું હતું: ‘એક દયાળુ માણસે અમને શાક-રોટલી આપ્યાં.’ પછી કેશવ એના જેવા બીજા પંદર જણની સાથે 26 માર્ચના બુધવારની મધરાતે દોઢસો કિલોમીટર દૂર આવેલા તેના ઘર તરફ ચાલી નીકળ્યો. એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટેનાં બધાં સાધનો બંધ હતાં.