Opinion Magazine
Number of visits: 9681145
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આકાશી વીજળીથી બચવાનો ઉપાય

ચંદુ મહેરિયા|Opinion - Opinion|15 July 2020

શું આપણાં દેશમાં માણસની જિંદગીની કોઈ કિંમત જ નથી? હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે અને બિહાર તથા ઉત્તરપ્રદેશમાં આકાશી વીજળી પડવાથી દોઢસો અને ગુજરાતમાં પંદર લોકોનાં મોત થયાં છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડા મુજબ, વીજળી પડવાથી છેલ્લાં પંદર વરસમાં (૨૦૦૦થી ૨૦૧૪) ૩૨,૭૪૩ એટલે કે દર વરસે સરેરાશ ૨,૩૩૮ લોકો પોતાના જીવ ગુમાવે છે. વીજળી પડવાથી મોટા ભાગે ખેડૂતો, ખેતકામદારો અને બીજા શ્રમિકોનાં વધુ પ્રમાણમાં મોત થતાં હોય છે. એટલે બનાવના દિવસે તેને કદાચ છાપામાં સ્થાન મળે, થોડા લાખ રૂપિયાની સરકારી રાહત જાહેર થાય અને નેતાઓના દિલસોજીના સંદેશા (હવે ટ્વિટર પર) વગેરેની ઔપચારિકતા થાય છે તે પછી  આવતા ચોમાસા સુધી બધું ભુલાઈ જાય છે.

દર વરસે વીજળી પડવાના વિશ્વમાં ૨.૫ કરોડ બનાવો બને છે. ઝારખંડમાં એક ગામમાં એટલી બધી વખત વીજળી પડે છે કે તે ગામનું નામ જ વજ્રમારા (વીજળીનો માર ઝીલનાર) છે. બીજી મે, ૨૦૧૮ના દિવસે આંધ્રપ્રદેશમાં એક જ દિવસમાં વીજળી પડવાના ૪૧,૦૨૫ બનાવો બન્યા હતા. તે પહેલાં એપ્રિલ ૨૦૧૮ની તેરમી તારીખે તેર કલાકમાં ૩૭,૦૦૦ વખત વીજળી પડી હતી. ૧૯૭૫માં ઝિમ્બાબ્વેમાં વીજળીના એક જ કડાકે ૨૧ લોકોનાં મોત થયાં હતાં. આંધ્રમાં આકાશી વીજળીનો એક જ ઝબકારો ૧૯નાં મોતનું કારણ બન્યો હતો. ૧૯૯૪ના વરસમાં ઈજિપ્તમાં એક ઓઈલ ટેન્કર પર વીજળી પડતાં એક સાથે ૪૬૯નાં મોત થયાનો અતિ કરુણ વિક્રમ છે.

કુદરતી આફ્તોથી થતાં મોતમાં વીજળી પડવાથી થતાં મોતનું પ્રમાણ ૩૯ ટકા જેટલું ઊંચું છે. ૨૦૧૯માં ગુજરાતમાં વરસાદને કારણે કુલ ૧૯૯ લોકોનાં મૃત્યુમાં ૫૪ મોત વીજળી પડવાથી થયાં હતાં. આકાશી વીજળીથી લોકોને ભોગ બનતાં અટકાવવાના ઉપાયો થઈ રહ્યા છે. અમેરિકામાં વીસમી સદીના સાતમા દાયકામાં દર વરસે વીજળી પડવાથી સરેરાશ ૧૦૦ નાગરિકોનાં મોત થતાં હતાં જે ૨૦૧૫માં ઘટીને માત્ર ૨૭ થઈ ગયાં છે, પરંતુ ભારતમાં તેનું પ્રમાણ ઘટતું નથી. અન્ય કુદરતી આફ્તોની જેમ આકાશી વીજળી પડવાનું પણ પૂર્વાનુમાન થઈ શકે છે. ભારત સરકાર અને રાજ્ય સરકારોના હવામાન વિભાગો તે માટેની આગાહી કરતા હોય છે ઇન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ટ્રોપિકલ મીટિયોરોલોજી પૂણે દ્વારા લાઈટિંગ સેન્સર મશીનો વિકસાવાયાં છે. જે દેશના સંભવિત અસર ધરાવતા વિસ્તારોમાં લગાવાયા છે. તેનાથી ૨૦૦ કિલોમીટરના વિસ્તારમાં વીજળી પડવાનું પૂર્વ અનુમાન લગાવી શકાય છે. નેશનલ સેન્ટર્સ ફેર અર્થ સાયન્સ સ્ટડીઝ, તિરુવનંતપુરમ્‌ દ્વારા છ રાજ્યોમાં લાઈટનિંગ ડિટેક્શન નેટવર્ક સ્થાપિત કર્યું તે વીજળી પડવાની આગાહી કરી શકે છે, ખાટલે મોટી ખોડ એ છે કે તેને લોકો સુધી પહોંચાડાતી નથી.

દેશમાં જે બાર રાજ્યોમાં વીજળી પડવાની ઘટનાઓ બને છે તેમાં મધ્યપ્રદેશ, બિહાર, ઓડિશા, મહારાષ્ટ્ર, ઝારખંડ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય કક્ષાએ હવામાન વિભાગે ‘દામિની’ અને બિહાર રાજ્યે ‘વજ્રઈન્દ્ર’ નામક મોબાઈલ એપ બનાવી છે. આ મોબાઈલ એપ લગભગ ૪૫ મિનિટ પહેલાં વીજળી પડવાની ઘટનાનું એલર્ટ આપે છે. ‘દામિની’ એપ દેશના એક લાખ લોકોએ અને ‘વજ્રઈન્દ્ર’ એપ બિહારના દસ હજાર લોકોએ મોબાઈલમાં ઈન્સ્ટોલ કરી છે. મોબાઈલ એપ શહેરોમાં કારગર બની શકે પરંતુ ગામડાંઓમાં લોકો પાસે સ્માર્ટ મોબાઈલ ફોન હોતા નથી કે નેટવર્કના પ્રશ્નો પણ હોય છે. જેમણે આ મોબાઈલ એપ અપનાવી છે તેમનો અનુભવ પણ સારો નથી. લાઈટનિંગ અરેસ્ટર મશીન વીજળી પડવાથી બચવાનો સૌથી અસરકારક ઉપાય છે. જે વીજળીને પોતાનામાં સમાવી લઈ બિનઅસરકારક બનાવે છે. વજ્રમારામાં અને બીજે જ્યાં તે લગાવાયાં છે ત્યાં સારાં પરિણામ મળ્યાં છે. તાડ અને નાળિયેરનાં ઝાડ ઊંચાં હોય છે અને તે વીજળી પડતી પોતાનામાં સમાવી લે છે અને તેને ભોંયમાં ભંડારી દે છે. બાંગ્લાદેશમાં તાડનાં ઝાડ આકાશી વીજળી સામેનું અસરકારક હથિયાર પુરવાર થયું છે. એટલે ભારતમાં પણ તે અપનાવવું જોઈએ.

વીજળીથી બચવા કેવી રાખવી જોઈએ તેના પ્રચારપ્રસારનો અભાવ છે. બિહારમાં ગયા વરસે વીજળી પડવાથી જે ૩૦૦ લોકોનાં મોત થયાં હતાં તેમાંથી ૨૦૦ લોકોએ ઝાડનો આશરો લીધો હોવાથી મૃત્યુ પામ્યા હતા, કેમ કે વિદ્યુતનાં સુવાહક વૃક્ષો જીવલેણ છે તે લોકોને ખબર નથી. આકાશી વીજળીથી બચવા ઘરમાં કે સલામત જગ્યાએ રહેવું, ખેતરમાં ખુલ્લામાં હોઈએ તો સૂકી જગ્યાએ રહેવું. ઊભા ન રહેવું કે જમીન પર સૂઈ ન જવું પણ બે પગ ભેગા રાખીને માથું નીચે નમાવીને સૂકી જમીન પર બેસવું, વીજળી અને ખેતીના ધાતુનાં સાધનોથી દૂર રહેવું જેવા ઉપાય અજમાવવાથી બચી શકાય છે.

બહુ મોડેથી સરકારોએ કુદરતી આપદાઓની સૂચિમાં આકાશી વીજળી પડવાની ઘટનાને સમાવી છે. ૨૦૧૦થી ગુજરાત સહિતની રાજ્ય સરકારો મૃત્યુ પામનારના કુટુંબને ચાર લાખ રૂપિયાની સહાય કરે છે. ગુજરાતના રૂ.૨.૧૬ કરોડ સાથે આખા દેશમાં વાર્ષિક રૂ.૯૩.૫૨ કરોડ વીજળી પડવાથી મોત પામનારના પરિવારને સહાય તરીકે આપે છે, પરંતુ આના કરતાં ઓછા ખર્ચમાં લાઈટનિંગ અરેસ્ટર મશીન લગાવી શકાય છે અને તાડનાં ઝાડ ઉછેરી શકાય છે. આકાશી વીજળી ત્રાટકવાની બાબતને કુદરતનો કેર, કોપ કે નારાજગી માની લેવાને બદલે તેને ધરમૂળથી ખતમ કરવાના ઉપાય અજમાવવા જોઈએ.

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 15 જુલાઈ 2020

Loading

જૂની પેઢીના છેલ્લા સક્રિય કાર્ટૂનિસ્ટ જામી

ઇમરાન દલ|Opinion - Opinion|14 July 2020

૨ ડિસેમ્બર,૧૯૪૩ – ૧૧ જુલાઇ, ૨૦૨૦

કાર્ટૂનિસ્ટોની ખોટ ધરાવતા ગુજરાતમાં વર્ષોથી એકધારી ગુણવત્તા સાથે સામાજિક-રાજકીય કટાક્ષયુક્ત કાર્ટૂન આપતા રહેલા જામીનું ૭૭ વર્ષની વયે અવસાન થયું. તેમની કાર્ટૂન કારકિર્દી ૧૯ વર્ષની કાચી વયે શરૂ થઈ હતી. ‘રંગતરંગ’, ‘જી’, ‘ચાંદની’, ‘ચકચાર’, ‘અંજલિ’, ‘બીજ’ જેવાં ગુજરાતી અને ‘ધર્મયુગ’, ‘માધુરી’, ‘પરાગ’ જેવાં હિન્દી સામયિકોમાં તેમનાં વ્યંગચિત્રો પ્રગટ થવાં લાગ્યાં. પછી ગુજરાતનાં મુખ્ય ધારાનાં પ્રકાશનોની તેમની પર નજર પડી.

રાજકોટના ‘જય હિન્દ’ અખબારની સાપ્તાહિક પૂર્તિમાં ‘કાર્ટૂન કોર્નર’ નામની તેમની કોલમ વર્ષો સુધી ચાલી. વર્ષ ૧૯૮૭થી ‘અભિયાન’ સાપ્તાહિકમાં શરૂઆતના પાને ‘તિકડમ્’ શીર્ષક હેઠળ તેમનાં કાર્ટૂન શરૂ થયાં, જે તેમના જીવનપર્યંત સતત ચાલુ રહ્યાં. ઉપરાંત ‘સંદેશ’, ‘ગુજરાત ટુડે’, ‘દિવ્ય ભાસ્કર’માં તેમનાં પોકેટ કાર્ટૂન પ્રકાશિત થયાં. એ સિવાય તે અમુક સામાજિક મુખપત્રો, સંસ્થાની વાર્ષિક ડાયરીઓ માટે પણ કાર્ટૂન પૂરાં પાડતા. એક ડાયરી માટે તો એમનાં કાર્ટૂનનો અંગ્રેજી ‘અનુવાદ’ પણ કરવામાં આવ્યો હતો. તે કહેતા કે ‘સારા કાર્ટૂનિસ્ટ માટે ત્રણ ગુણનો સમન્વય જરૂર છે : ચિત્રકાર, પત્રકાર અને વ્યંગકાર.’

કટોકટી પછીના મોરારજી દેસાઈના વડાપ્રધાનપદ હેઠળ સરકારે ૧૦ મહિનાના લાંબા સમયગાળા પછી ય કોઈ નોંધપાત્ર કામગીરી ન કરી ત્યારે તેમણે એક કાર્ટૂન બનાવેલું, જેમાં મોરારજી દેસાઈનું પેટ ફુલેલું જોઈને સામાન્ય નાગરિક પૂછે છે, ‘‘હવે કોઈ સારા ડૉક્ટરને બતાવો તો કાંઈક પરિણામ આવે.’’ આ કાર્ટૂને ખાસ્સી ચર્ચા જગાવી હતી. જામી કહેતા, ‘‘જેનામાં પત્રકારત્વની દૃષ્ટિ હોય એ જ કાર્ટૂનિસ્ટ બની શકે. પરંતુ કાર્ટૂનિસ્ટને કોઈ પત્રકાર ગણતા નથી. કહો કે ગણવા માગતા નથી. મને પણ એવોર્ડ હાસ્યલેખકોની શ્રેણીમાં અપાયો. હકીકતે કાર્ટૂન એ માત્ર હાસ્ય નથી, કાર્ટૂન ક્યારેક રડાવી પણ જાય છે.’’ જામીનાં થોકબંધ કાર્ટૂન તેમની આ વાતની સાક્ષી પૂરે છે.

જામનગર જિલ્લાના ધ્રોલ શહેરમાં આરબ પરિવારમાં જન્મેલા આવદ હસન જામી ત્રણ ભાઈ અને એક બહેનમાં સૌથી મોટા હતા. જૂની મેટ્રિક સુધી ભણ્યા બાદ ડ્રોઇંગ ટીચરનો અભ્યાસ કર્યો. વર્ષ ૧૯૬૨થી ધ્રોલના અધ્યાપન મંદિરમાં ચિત્રશિક્ષક તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. વર્ષ ૧૯૬૮થી ૨૦૦૧ સુધી જામનગરના કેન્દ્રીય વિદ્યાલયમાં અને વર્ષ. ૨૦૦૧થી ૨૦૦૩ સુધી રાજકોટના કેન્દ્રીય વિદ્યાલયમાં આર્ટ ટીચર તરીકે રહ્યા.

ધ્રોલમાં અમારા ઘર નજીકની શેરીમાં જ જામી કુટુંબનું ઘર. કાર્ટૂનિસ્ટ જામીના લઘુબંધુ જેમને અમે મેસનકાકા કહીએ છીએ, તે વનવિભાગમાં નોકરી કરતા. મેસનકાકા પણ ચિત્રકાર. ખાસ કરીને તૈલચિત્રો બનાવે. એમનાં ચિત્રોને અમે વખાણતાં, ત્યારે ઘરમાં વડીલો કહેતા, ‘‘એના મોટા ભાઈ તો એથી ય મોટા કલાકાર છે.’’ એવું પણ સાંભળવા મળતું કે જામીસાહેબ નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા ગયા ત્યારે ઇન્ટરવ્યૂ લેનારનું ચિત્ર બનાવી, એને પ્રભાવિત કરી દીધા હતા. અમારા આડોશપાડોશમાં કાર્ટૂનિસ્ટ જામી ‘મોટા જામીસાહેબ’ તરીકે ઓળખાતા.

હું હજી કોલેજમાં અભ્યાસ કરતો હતો ત્યારે એક વાર કોઈ પ્રસંગે તેઓ ધ્રોલ આવ્યા હતા. પહેલી વાર વાતચીત કરી ત્યારે સંકોચ સાથે મેં એમને કહ્યું, ‘મને ચિત્રકલામાં રસ છે.’ તે ભારે અવાજમાં આસ્તેથી બોલ્યા, ‘કાર્ટૂન બનાવને, કોઈ બનાવતું નથી.’ વતનમાં જ પછીની મુલાકાત વખતે એમના ઘરની શેરીમાં પ્રવેશતી વખતે ‘આવ’ કહીને તેમણે પીઠ પર હાથ મૂક્યો અને અંદર લઈ ગયા. તેમનો પોશાક સામાન્ય હતો. પેન્ટ અને શર્ટ. સ્મોકિંગ કરતા. ઊંચાં કદકાઠીના હતા, અવાજ વજનદાર. સ્વભાવે એકદમ સરળ અને હસમુખા. ગુજરાતમાં વિદ્યમાન કાર્ટૂનિસ્ટમાં તેમને દેવ ગઢવી ગમતા. એમને યાદ કરીને કહેતા, ‘તેઓ તો સંગીત તરફ વળી ગયા. હવે કોણ કાર્ટૂન બનાવે છે?’ ભારતીય કાર્ટૂનિસ્ટોમાં તેમણે પ્રિય કાર્ટૂનિસ્ટ તરીકે સુધીર દરને ગણાવ્યા હતા જામી પોતાની આગવી શૈલીના કુશળ કાર્ટૂનિસ્ટ હોવા છતાં તેમની વાતોમાં હુંપદ બિલકુલ ન સંભળાતું.

વર્ષ ૨૦૦૮માં હું ભુજમાં ‘આજકાલ’ દૈનિકમાં નોકરી કરતો ત્યારે એક કાર્યક્રમ માટે તે કચ્છ આવ્યા હતા. કાર્યક્રમ બાદ મેં તેમનો ઇન્ટરવ્યૂ કરેલો. આજે ખરા સમયે જ તેનું કટિંગ ઘરમાં શોધખોળ કર્યા છતાં હાથ ન લાગ્યું. અલબત્ત, મારી ડાયરીમાં એનું શીર્ષક નોંધેલું વંચાય છે : ‘ગુજરાતી પત્રકારત્વમાં કાર્ટૂનકલાનું ભાવિ ધૂંધળું લાગે છે : કાર્ટૂનિસ્ટ જામી’.

e.mail : dalimran@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 13 જુલાઈ 2020; પૃ. 14-15

Loading

પોપાબાઈનું રાજ

વિનુ બામણિયા “અતીત"|Opinion - Opinion|14 July 2020

મને સપનાંમાં
પોપાબાઈનું રાજ યાદ આવે.
આમ તો રાજમાં હતું કંઈ નહીં !?

એવું કહેવાય છે ને કે
ખાલી ચણો વાગે ઘણો
કે ચા કરતાં કીટલી ગરમ
શું એવું જ કંઈક હશે આ રાજમાં?

કે પછી
રાંડ્યા રાજની રાંડી પ્રજાને
પોપાબાઈના રાજથી કોઈ
મતલબ ન'તો !?

કે એવું શું પોપાબાઈ ચલવતાં
કે
નહીં
એ તો રામ જાણે!

ઘૈડિયા ય ગુજરી ગયા
ને ઇતિહાસ તો હોય જ નહીં
બિચારા પોપાબાઈના રાજનો
એટલે થયું
ચાલ આજે
કવિતામાં
પોપાબાઈનું કરીએ પુણ્યસ્મરણ!

પોપાબાઈ ગમે તેમ તો ય રાજમહિષી.

આમ તો રોજ
પણ રોજ નહીં તો
ક્યારેક જય તો કરવી જ પડેને!?

મારા પૂર્વજોએ ન'તી કરી જય
તો લ્યો હું કરું
જય જય પોપાબાઈ સરકાર!

Loading

...102030...2,3042,3052,3062,307...2,3102,3202,330...

Search by

Opinion

  • ચોર ચોરી કેવી રીતે કરે છે? શાની અને કેમ કરે છે?
  • એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ: સત્તા, સોદાબાજી અને રહસ્યોનું રાજકારણ
  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved