1.
પણ !?
જુનેદની મા
નજીબની અમ્મી
અને ઈશરતની અમ્મા
મમ્મી થવાના ભારેખમ
દિવસોમાં
સફૂરા ઝરગર માટે
દુઆ કરવા હાથ તો
ઉઠાવે છે; પણ !?
2.
પારિતોષ
લાડલી ભીખીની
‘માસ્ક માસ્ક’ રમવાની
જિદ પૂરી કરવા ……..
શેઠના બંગલાની કચરાપેટીમાંથી
બે-ચાર રદ્દી માસ્ક મળી જતાં
લક્ષ્મીબેને
‘હાશ’ ! કહ્યું.
3.
જોઈએ
તમારા વિકાસથી
હવે, સૌને ડર લાગે છે !
જોઈએ,
પ્રજા ક્યારે કરશે
તમારું
અહિંસક એન્કાઉન્ટર!?
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 20 જુલાઈ 2020; પૃ. 12
![]()


ગયા અઠવાડિયે સોશિયલ મીડિયા પર ૮૦ વર્ષ વટાવી ચૂકેલા જેલવાસી કવિ વારાવારા રાવને કોરોના લાગુ પડ્યાના સમાચાર આવ્યા. વિદ્રોહી કવિતાના એ સર્જકની તબિયત લથડી છે, પણ તેમને જામીન પણ આપતા નથી. (આ સમાચાર મુખ્ય ધારાનાં કહેવાતાં પ્રસાર માધ્યમોમાં ચમકતા નથી કે ઘણે ભાગે તો તેનો સમ ખાવા પૂરતો ઉલ્લેખ થતો નથી, એ પણ એક સમાચાર છે.) બીજી તરફ દિલ્હીની ચૂંટણીમાં ખુલ્લેઆમ ખૂની ભાષા બોલનારા, શાહીન બાગમાં જઈને બંદૂક ફોડનારા કેટલાક સામે કેસ થયા નથી, તો બીજા જામીન પર મુક્ત છે. કોરોનાની મહામારીના સંકટ વખતે પણ સરકાર જે રીતે કર્મશીલો પ્રત્યે કિન્નાખોરી દર્શાવવાનું ચાલુ રાખ્યું છે એ તેના આપખુદ માનસને પ્રગટ કરે છે. કટોકટીનો ઉત્સાહપૂર્વક વિરોધ કરતા રહેલા વડાપ્રધાન અને એમની સરકાર આજે સવાઈ કટોકટીનું નિર્માણ કરી રહ્યાં છે.
વર્ષ 1972ની એક ઉનાળુ સાંજ. ગરમ લૂ હજુ માંડ નરમ પડી હતી અને અમે કેટલાક મિત્રોએ હૉસ્ટેલમાંથી નીકળીને બેંક રોડ પર આવેલા, પ્રખ્યાત શાયર ફિરાક ગોરખપુરીના ઘરની વાટ પકડી. જીવતેજીવ દંતકથા બની ગયેલા ફિરાકના ઘરે થતાં સાંધ્યમિલન અમારા જેવા વિદ્યાર્થીઓ માટે સાહિત્ય, સંસ્કૃતિ, ભાષા, સમાજ જેવા વિષયોમાં સજ્જતા કેળવવાના અવસર બની રહેતા.
તેમણે અમને ભારતીય ગામડાં પર થયેલી ઐતિહાસિક ચર્ચાઓથી વાકેફ કર્યા. તેમણે અમને મહાત્મા ગાંધીના પુસ્તક 'હિંદ સ્વરાજ' અને ગામડાં પ્રત્યેના ગાંધીજીના પક્ષપાતપૂર્ણ પ્રેમ તથા અવાસ્તવિક આગ્રહની વિરુદ્ધ ડૉ આંબેડકરે દલિતોના દૃષ્ટિકોણથી ગામડાંની વાસ્તવિકતા દર્શાવીને કરેલી ઉગ્ર, કડવી પણ તાર્કિક દલીલો જણાવી. ગાંધીજીના મતે ગામડાં સ્વર્ગ સમાન હતાં અને એ સમયના ભારતીય સમાજમાં જે દૂષણો હતા તે માત્ર આધુનિક ટૅક્નોલોજીના કારણે હતાં. ગાંધીજીનું સપનું હતું કે ગામડાં આત્મનિર્ભર બને. ગામડાં તેમની જરૂરિયાતની તમામ ચીજોનું ઉત્પાદન જાતે કરે, ગામની પંચાયત કે નીતિનિયમો જ નહીં, લડાઈઝઘડામાં ન્યાય કરવાનું માળખું પણ તેનું પોતાનું હોય, ગામની ખેતીવાડીમાં એ જ ઓજારો-યંત્રોનો ઉપયોગ થાય, જે ગામના સુથાર-લુહારે બનાવેલા હોય. તે માનતા હતાં કે રેલવેના કારણે કૉલેરા ફેલાય છે. એટલે રેલવેને તો બંધ જ કરી દેવી જોઈએ.