Opinion Magazine
Number of visits: 9571170
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

देशद्रोहियों का देश

कुमार प्रशांत|Opinion - Opinion|22 July 2021

पेगासस जासूसी के मामले में कौन किस तरफ खड़ा है, यह पता कब चलेगा यह तो पता नहीं लेकिन इससे यह तो पता चला ही है कि देश के हर कोने में देशद्रोही जड़ जमाए बैठे हैं. अगर सरकार नहीं तो कोई है जो विदेशी ताकतों की मदद से देशी देशद्रोहियों का काम तमाम करने में लगा है. लेकिन सरकार की जानकारी के बिना यदि कोई ऐसा कर पा रहा है तो खतरा यह है कि वह देश का काम ही तमाम कर देगा. 

दो सौ से ज्यादा सालों तक हमारे ऊपर बलपूर्वक शासन करनेवाले अंग्रेज खोज कर भी जितने देशद्रोही नहीं खोज पाए थे, हमने महज सात सालों में उससे ज्यादा देशद्रोही पैदा कर दिए. अब तो शंका यह होने लगी है कि इस देश में देशभक्त ज्यादा हैं या देशद्रोही ? कहीं यह देश देशद्रोहियों का देश तो नहीं बन गया है ? फिर मन में यह बात उठती है कि जिस सरकार से समाज तौबा कर लेता है, उसे वह बदल डालता है, तो जिस समाज से सरकार तौबा कर ले उसे क्या करना चाहिए ? सीधा जवाब तो यही सूझता है कि उस सरकार को भी अपना समाज बदल लेना चाहिए. जैसे जनता नई सरकार चुनती है, सरकार को भी नई जनता चुन लेनी चाहिए.

देशद्रोह का यही सवाल हमारे सर्वोच्च न्यायालय को भी परेशान कर रहा है. संविधान में हमने माना है कि संप्रभु जनता है, सरकार नहीं. सरकार जनता द्वारा बनाई वह संरचना है जो बहुत हुआ तो पांच साल के लिए है. हमने उसका संवैधानिक दायित्व यह तै किया है कि वह अपना काम इस तरह करे कि संप्रभु जनता का इकबाल बना भी रहे व बढ़ता भी रहे. फिर हमने न्यायपालिका की कल्पना की. वह इसलिए कि जब भी और जहां भी सरकार खुद को संप्रभु मानने लगे, वहां न्यायपालिका अंपायर बन कर खड़ी हो. उसे जिम्मेवारी यह दी है हमने कि वह देखे कि इन दोनों के बीच लोकतंत्र का हर खेल खेल के नियम से हो. खेल के नियम क्या हैं ? तो उसकी एक किताब बना कर हमने इसे थमा दी : संविधान ! उसे संविधान के पन्ने पलटने थे और इस या उस पक्ष में सीटी बजानी थी. इस भूमिका में वह विफल हुई है. उसके सामने खेल के नियम तोड़े ही नहीं जाते रहे बल्कि कई मौकों पर नियम बदल ही दिेए गए, और ऐसे बदले गए कि खेल ही बदलता गया. बनाना था लोकतंत्र, बन गया तंत्रलोक ! 

हमारे मुख्य न्यायपालक एन.वी. रमण ने अभी-अभी यह सवाल खड़ा किया है कि भारतीय दंडसंहिता की धारा 124ए का आजादी के 70 सालों के बाद भी बने रहने का औचित्य क्या है ? 1870 में यह धारा भारतीय दंडसंहिता में उस औपनिेवेशिक ताकत ने दाखिल की थी जो न भारतीय थी, न लोकतांत्रिक. भारत की लोकतांत्रिक आकांक्षा को कुचलने के एकमात्र उद्देश्य से बनाई गई यह धारा उन सबको देशद्रोही करार देती रही, जेलों में, कालापानी में बंद करती रही जिनसे हमने लोकतंत्र व देशभक्ति का ककहरा सीखा है. लेकिन यह सब तब हुआ जब न हमारे पास आजादी थी, न लोकतंत्र, न संविधान. जब हमारे पास यह सब हो गया तब भी न्यायपालकों ने अंपायर की भूमिका नहीं निभाई बल्कि सत्ता की टीम की तरफ से खेलने लगे. धारा 124ए का चरित्र ही राक्षसी नहीं है बल्कि इसका अधिकार-क्षेत्र भी इतना दानवी है कि इसकी आड़ में पुलिस का अदना अधिकारी भी मनमानी करता रहे. इसलिए गोरे साहबों की खैरख्वाही में भूरे व काले साहबों ने आजादी के सिपाहियों के साथ कैसी-कैसी मनमानी की इसकी कहानी शर्म से आज भी हमारा सर झुका देती है.

1962 में 124 ए की वैधानिकता का सवाल अदालत के सामने आया था. तब अदालत ने न इसकी पृष्ठभूमि देखी, न लोकतांत्रिक वैधानिकता की कसौटी पर इसे कसा बल्कि जजों की बेंच ने फैसला यह दिया कि यह धारा सिर्फ उस व्यक्ति के खिलाफ इस्तेमाल की जाएगी जो सामाजिक असंतोष भड़काने का अपराधी होगा. जजों को जमीनी हकीकत का कितना कम पता होता है ! ‘सामाजिक असंतोष भड़काना’ ऐसा मुहावरा है जिसकी अाड़ में किसी को फंसाना या फंसवाना एकदम सरल है. कोई कुटिल व्यक्ति चाहे तो जस्टिस रमण को भी असंतोष भड़काने वाला साबित कर दे सकता है.

आपातकाल का पूरा काल न्यायपालिका के लिए कालिमामय है. 1976 के हैबियस कॉरपस मामले में जिस तरह अदालत ने पलक झपकाए बिना यह फैसला दिया कि राज्य नागरिकों के जीने के अधिकार पर भी हाथ डाल सकता है, वह तो संविधान का अपमान ही नहीं था, वैधानिक कायरता का चरम था. नागरिक अधिकारों का गला घोंटने वाला एनएसए जैसा भयंकर कानून 1977 में मिली दूसरी आजादी के तुरंत बाद ही, 1980 में पारित हुआ. 1994 में सत्ता एक कदम और आगे बढ़ी और हमारी झोली में टाडा आया. 1996 में उसने एक कदम और आगे बढ़ाया और आर्म्ड फोर्सेज स्पेशल पावर्स एक्ट बना. 2004 में फिर एक कदम आगे : पोटा ! इसने वह रास्ता साफ किया जिस पर चल कर ऊपा या यूएपीए नागरिकों की गर्दन तक पहुंचा. ये सारे कानून सत्ता के कायर चरित्र व न्यायपालिका के शुतुरमुर्ग बन जाने की शर्मनाक कहानी कहते हैं.

गांधीजी ने न्यायपालिका के चरित्र को रेखांकित करते हुए कहा था कि जब भी राज्य के अनाचार से सीधे मुकाबले की घड़ी आएगी, न्यायपालिका यथास्थिति की ताकतों के साथ खड़ी मिलेगी. तब हमने अपने भोलेपन में समझा था कि गांधीजी विदेशी न्यायपालिका के बारे में कह रहे हैं जबकि वे देशी-विदेशी नहीं, सत्ता व सत्ता की कृपादृष्टि की याचक सभी संरचनाअओं के बारे में कह रहे थे. राष्ट्रद्रोह और राज्यद्रोह में गहरा और बुनियादी फर्क है. महात्मा गांधी ने खुली घोषणा कर रखी थी कि वे राज के कट्टर दुश्मन हैं क्योंकि वे राष्ट्र को दम तोड़ती कायर भीड़ में बदलते नहीं देख सकते.

सत्ता को सबसे अधिक डर असहमति से लगता है क्योंकि वह सत्ता को मनमाना करने का लाइसेंस समझती है. इसलिए असहमति उसके लिए बगावत की पहली घोषणा बन जाती है. विडंबना देखिए कि लोकतंत्र असहमति के ऑक्सीजन पर ही जिंदा रहता है, सत्ता के लिए असहमति कार्बन गैस बन जाती है. दुखद यह है कि ये सारे कानून न्यायपालिका की सहमति से ही बने व टिके हैं.

124 ए से हाथ धो लेने की चीफ जस्टिस रमण की बात के जवाब में एटॉर्नी जेनरल के.के. वेणुगोपाल अदालत में ठीक वही कह रहे हैं जो सत्ता व न्यायपालिका ने अब तक नागरिक अधिकारों के पांव काटने वाले हर कानून को जन्म देते वक्त कहा है : सावधानी से इस्तेमाल करें ! यह कुछ वैसा ही जैसे बच्चे के हाथ में खुला चाकू दे दें हम लेकिन उस पर एक पर्ची लगा दें: सावधानी से चलाएं ! अबोध बच्चा उससे अपनी गर्दन काट ले सकता है; काइयां सत्ता उससे अपनी छोड़, हमेशा ही असहमत नागरिक की गर्दन काटती है. यह इतिहाससिद्ध भौगोलिक सच्चाई है. फिर न्यायपालिका इतनी अबोध कैसे हो सकती है कि सत्ता के हाथ में बड़े-से-बड़ा चाकू थमाने की स्वीकृति देती जाए ?

जस्टिस डी.वाई. चंद्रचूड़ कहते हैं कि जब भी, जहां भी बहुमतवादी मानसिकता सर उठाती नजर अाए, तभी और वहीं उससे रू-ब-रू होना चाहिए, “ ऐसा न करना हमारे पुरुखों ने भारत को जिस संवैधानिक गणतंत्र के रूप में स्वीकार किया था, उस पवित्र अवधारणा से छल होगा.” जिसके हाथ में संविधानप्रदत्त शक्ति है, उस न्यायपालिका के लिए चुनावी बहुमत और संवैधानिक बहुमत का फर्क करना और उसे अदालती फैसले में दर्ज करना आसान है क्योंकि संविधान की संप्रभु जनता ऐसे हर प्रयास में उसके साथ व उसके पीछे खड़ी रहेगी. हम सब जानते हैं कि खड़ा तो अपने पांव पर ही होना होता है, फिर परछाईं भी आपको सहारा देने अा जाती है. ( 20.07.2021) 

मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें

https://kumarprashantg.blogspot.com

Loading

કુદરત નથી ઇચ્છતી કે નર કે નારી એકબીજાથી મુક્ત રહે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|22 July 2021

પશુ, પંખી, નર, માદાને સૃષ્ટિ પર વિચરતાં જોઈએ છીએ ત્યારે કોઈને એકબીજાથી તકલીફ હોય એવું જાણવા નથી મળતું. સિંહ કે સિંહણ લડતાં હશે કે ચકલો કે ચકલી એકબીજા પર તૂટી પડતાં હશે, પણ એકબીજાનો બહિષ્કાર કરીને બધા સિંહો કે બધા ચકલાઓ અલગ રહેવા ચાલી જતા નથી. એવું જ બધી સિંહણો કે ચકલીઓ અલગ રહેવા ચાલી ગઈ હોય એવું સંભળાયું નથી. એવું બન્યું હોય કે એક સિંહે, બીજા સિંહને હરાવીને સિંહણનો કબજો લીધો હોય કે એવું જ એક ચકલાએ કર્યું હોય એમ બને, પણ એ પછી પણ નરમાદા સાથે રહ્યાં છે. એમાં સિંહણે કે ચકલીએ કે કોઈ પણ પશુપંખીએ સ્વતંત્ર થવાની ચળવળ ઉપાડવી પડી નથી.

પણ, નારીની મુક્તિની વાતો વારંવાર ચર્ચાતી રહે છે. નારીમુક્તિ દિવસ પણ ઉજવાય છે. કમ સે કમ એ એક દિવસ પૂરતી તો નારી, મુક્તિ અનુભવતી હશે. આદમની પાંસળીમાંથી ઈવ જન્મી એવું કહેવાય છે, પણ આમ પણ સ્ત્રી કે પુરુષ જ્યારથી આ પૃથ્વી પર અવતર્યાં, એકબીજાને, એકબીજા વગર કલ્પી શક્યાં નથી. એ ખરું કે નારી અબળા ગણાઈ છે ને તેના પર પુરુષનું આધિપત્ય આજ પર્યંત કોઈને કોઈ રૂપે છવાયેલું રહ્યું છે. પુરુષનું સામર્થ્ય અને સ્ત્રીનું સૌંદર્ય એકબીજાની ઓળખ છે. એમાં સામર્થ્યવાન પુરુષ બીજા પુરુષને હરાવીને તેનો કબજો લે તે સાથે તેની સાથેની સ્ત્રી કે સ્ત્રીઓ પર તેનો હક થઈ ગયો હોય એવું બન્યું છે. આવું યુદ્ધમાં પણ થયું છે. એક રાજા, બીજા રાજાને હરાવતો તો તેનું રાજ્ય કે તેની સંપત્તિ વિજેતા રાજાની થઈ જતી. એ સંપત્તિમાં સ્ત્રીઓ પણ આવી જતી. એવી સ્થિતિ હતી કે મહારાણી હોય તો પણ, તેના પર વર્ચસ્વ તો મહારાજાનું જ રહેતું. રાજા, રાણી સાથે વચને બંધાતો ત્યારે વાત જુદી બનતી. દશરથ પાસેથી બે વચન માંગીને કૈકેયીએ પોતાનો કક્કો ખરો તો કર્યો, પણ તેની ગણના પછી સારી સ્ત્રીમાં થતી બંધ થઈ ને એવું તારવવામાં આવ્યું કે પોતાનો કક્કો ખરો કરવા જતાં સ્ત્રી સંતાન અને પતિ ગુમાવી દેતી હોય છે ને તે કદી કોઇની માનીતી રહેતી નથી. વાત તો છેવટે પુરુષના આધિપત્યના સ્વીકારની જ આવે છે. જે પતિને પરમેશ્વર માને છે તે જ સ્વર્ગની અધિકારિણી બને છે. એવું પત્ની માટે નથી કે જે પત્નીને સ્વીકારે છે તે સ્વર્ગનો અધિકારી બને છે. આમ પણ નારીને નરકની ખાણ કહી હોય ત્યાં નર, સ્વર્ગ પામે એવી શક્યતા કેટલી? ટૂંકમાં, સ્ત્રી-પુરુષ વિષેની માન્યતાઓ પહેલેથી જ બહુ સંતુલિત રહી નથી.

આજે પણ સ્વર્ગ-નરકના ખ્યાલો ભૂંસાયા નથી. એ જ કારણ છે કે સ્ત્રી જ બધાં વ્રત-જપ-તપ કરે છે અને પતિનાં સ્વાસ્થ્યની કામના કરે છે. એવું પુરુષ માટે ખાસ નથી. વ્રત સ્ત્રીઓ માટે જ છે. પુરુષે તો તેની પ્રાર્થનાઓ ને ભક્તિ પર જ દીર્ઘાયુષ્ય ભોગવવાનું છે. આમ છતાં આજે પણ મોટાભાગનાં સ્ત્રી-પુરુષો સાથે રહેવાનું વલણ ધરાવે છે. લગ્ન એ આજે પણ ઘણાંને સબળ વિકલ્પ લાગે છે. લગ્ન સિવાયના સાથે રહેવાનાં સ્ત્રી-પુરુષના પ્રયત્નો પ્રયોગ લેખે સ્વીકારાય છે, પણ તેનું અંતિમ લક્ષ્ય તો લગ્ન જ હોય છે.

એ ખરું કે લગ્ન અનેક પ્રકારનાં શોષણનું નિમિત્ત પૂરું પાડે છે, પણ અન્ય વિકલ્પોમાં પણ શોષણ નથી, એવું નથી. શોષણની આ સભાનતા વધતાં આવતાં શિક્ષણને આભારી છે. સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું ને એણે સ્ત્રીને આર્થિક રીતે પગભર પણ કરી. એવું ન હતું ત્યાં સુધી તે પુરુષ પર જ નિર્ભર હતી. આર્થિક ક્ષમતા વધતાં સ્ત્રી શોષણ બાબતે વધુ સભાન થઈ ને સ્વાભાવિક રીતે જ તેમાંથી મુક્ત થવાની દિશામાં તે પ્રવૃત્ત થઈ. આ ન થવું જોઈતું હતું, એમ તો કોઈ નહીં કહે, પણ એમાં આત્યંતિક વલણો ઉમેરાતાં આવ્યાં છે તે પુનર્વિચારણા માંગે છે.

જ્યાં સુધી કુદરતનો સવાલ છે, તે નથી ઇચ્છતી કે સ્ત્રી કે પુરુષ અલગ અલગ ચોકા કરીને રહે. પશુ કે પંખીમાં નર-માદા અલગ રહે એવી કોઈ વાત જ નથી. એ લડી ઝઘડીને પણ રહે છે તો સાથે જ ! મનુષ્યમાં બુદ્ધિ વધારે છે ને તેને વાણી અને વિચારની વિશિષ્ટ શક્તિ મળી છે એટલે તે પશુપંખી જેવું રહે તો કદાચ નીચો ગણાઈ જાય. એવું ન બને એટલે તે જુદી રીતે વર્તે એ શક્ય છે. મનુષ્યને સમાજ છે. સગાંસંબંધી છે. શિક્ષણ છે. આર્થિક, નૈતિક વ્યવસ્થાઓ છે, વ્યવહારો છે. હાસ્ય, કરુણા છે. સાસરું છે, પિયર છે ને એમ મોટો વિસ્તાર છે. શિક્ષણે મનુષ્યમાં સમજ ઊભી કરી છે તેને લીધે પોતાનું સારું ખરાબ વિચારવા જેટલી તેની ક્ષમતા છે એવું મનાય છે. આ વિશિષ્ટ પરિસ્થિતિએ સ્ત્રી-પુરુષમાં મતમતાંતરો પણ જન્માવ્યા છે. એક સમય હતો જ્યારે સ્ત્રી ઘરમાં જ પોતાની જિંદગી પૂરી કરતી. કુંવારી હતી ત્યાં સુધી પિતાને ઘરે રહી, પરણ્યા પછી પતિને ઘરે રહી. ગમ્યું કે ના ગમ્યું, તેણે આ બે ઘરોમાં જ જિંદગી પૂરી કરી. આમ થવાનું મુખ્ય કારણ હતું, સ્ત્રીનું પરાવલંબીપણું. એ પછી શિક્ષણ અને સમજ વિકસ્યાં, આર્થિક ક્ષમતા વધી, એટલે તેનામાં નિર્ણયો લેવાની મોકળાશ વધી. તે પતિને પસંદ કરતી થઈ. આ સ્વતંત્રતા તેને સ્વયંવરોમાં મળી હતી, પછી એ ઘટી ને હવે ફરી તેની મોકળાશ વધી છે. પતિ સાથે કે પિતા સાથે નથી ફાવતું તો તે સ્વતંત્ર રીતે રહેતી થઈ છે. પતિને કે પત્નીને એકથી વધુ સંબંધોમાં પણ રસ પડ્યો છે. નોકરી-ધંધા નિમિત્તે વધુ સમય ઘરની બહાર રહેવાનું બન્યું, તેમાંથી લગ્નેતર સંબંધો વિકસ્યા ને તેને લીધે અલગ થવાનું, ઝઘડાનું પ્રમાણ પણ વધ્યું. એને લીધે સંતાનોનાં ઉછેરના પ્રશ્નો વધ્યા. સંતાનો માનસિક સમસ્યાઓનો ભોગ થઈ પડ્યાં. આ સારું કે ખરાબ, ગમે તે હોય પણ બન્યું.

પરિણામ એ આવ્યું કે લગ્નો ભાંગ્યાં. સંતાનો પર એની માઠી અસર પડી. માતા-પિતા વચ્ચેના અણબનાવોનું પરિણામ એ આવ્યું કે પુત્રી, પિતાના અન્ય સ્ત્રી સાથેના સંબંધોમાં માતાને થતો અન્યાય જોઈ શકી, એવું જ પુત્ર, માતાના અન્ય પુરુષ સાથેના સંબંધને કારણે પિતાને થતો અન્યાય પ્રમાણી શકયો. આ ઉપરાંત પણ અન્ય કારણોએ છૂટાછેડાને જન્મ આપ્યો. એમાં જ્યાં માતાપિતાને અલગ થવાનું  આવ્યું ત્યાં સંતાનોનો લગ્ન પરનો વિશ્વાસ ઘટ્યો. આવું ઘણા કિસ્સાઓમાં સંતાનોએ જોવા-વેઠવાનું થયું. એનું પરિણામ એ આવ્યું કે સંતાનો પોતે લગ્ન કરવાથી દૂર રહેવાં લાગ્યાં. પુત્રીને લાગ્યું કે પોતે કોઈની આશ્રિત નથી, પોતે કમાઈને એકલી રહી શકે છે તો લગ્નની ઝંઝટમાં પડીને પતિનું આધિપત્ય શું કામ સ્વીકારવું? એવું જ પુત્રને પણ લાગ્યું કે પૈસા ખરચતા બધું મળી રહે એમ છે તો લગ્નમાં શું કામ પડવું? એટલે સ્ત્રી-પુરુષ લગ્નમાં પડવાને બદલે બીજા વિકલ્પોમાં પડ્યાં. સ્ત્રી-સ્ત્રીના ને પુરુષ-પુરુષના સંબંધો વિકસ્યા. જરૂર પૂરતાં સાથે રહેવું અને કોઈ, કોઇની જવાબદારી ન બને એની કાળજી રખાઈ. જે સ્ત્રી-પુરુષને એકબીજામાં રસ પડ્યો તેમણે લગ્નને બદલે લીવ ઇન રિલેશનથી કામ કાઢ્યું. એમાં બાળકની જવાબદારી અનિવાર્ય ન રહે એવા રસ્તા પણ અપનાવાયા અને સ્ત્રી-સ્ત્રી કે પુરુષ-પુરુષ સંબંધોમાં તો સંતાનનો જ છેદ ઊડી જતો હતો એટલે એ ચિંતા ન હતી.

આ આખો પ્રકાર લગ્નમાં પ્રવેશેલી કડવાશનું પરિણામ હતો.

આજે મોટા ભાગની સ્ત્રીઓ ઉચ્ચ હોદ્દા ભોગવે છે અને લગ્નથી દૂર રહે છે એટલું જ નહીં, પુરુષ સાથે સંબંધમાં જ ન અવાય એની પેરવીમાં રહે છે. એવું જ પુરુષોની બાબતે પણ હશે. પણ, આ કેટલું યોગ્ય છે એ વિચારવાનું રહે. હવે સંતાનો જ ન જન્મે તો વાત જુદી છે, પણ આજે પણ જો દીકરી કે દીકરો અવતરતાં હોય તો એટલું તો છે કે કુદરતે તો તેનો ક્રમ જાળવી રાખ્યો છે. જો દીકરો જ જરૂરી હોત, તો એકલા દીકરા જન્મ્યા હોત કે દીકરી જરૂરી હોત તો એકલી દીકરી જન્મી હોત, પણ એવું થયું નથી. તે તો ઠીક, પણ દીકરાના જન્મ માટે પણ જોઈએ તો મા જ ! બાપ દીકરાના જન્મ માટે જવાબદાર હોય તો પણ, તે દીકરાને જન્મ આપી શકતો નથી. એને માટે સ્ત્રી જ જોઈએ.

એનો સાદો અર્થ એ થયો કે આજે પણ સંસારમાં સ્ત્રી અને પુરુષ જરૂરી છે. એ બંને એકબીજાના વિરોધી હોય તો પણ, તે એકબીજાના પૂરક છે એ ભૂલવા જેવું નથી. એને બદલે એકબીજા માટે શત્રુભાવ કે સ્પર્ધાભાવ કેળવવાનો અર્થ નથી. વિજ્ઞાન આગળ વધ્યું હોય તો પણ તેણે એકલી સ્ત્રી કે એકલા પુરુષનું જગત કલ્પ્યું નથી. આ સ્થિતિ હોય તો સ્ત્રી, પુરુષથી કે પુરુષ, સ્ત્રીથી મુક્ત થાય તે ઇચ્છવા જેવુ ખરું? સ્ત્રી એકલી રહીને કે પુરુષ એકલો રહીને એ નહીં પામી શકે જે એકબીજાની સાથે રહેવાથી પામી શકે એમ છે. કુદરત પોતે નથી ઇચ્છતી કે નર કે નારી એકબીજા વગર રહે. એ જ જરૂરી હોત તો આ દુનિયામાં એકલી સ્ત્રીઓ હોત કે પછી એકલા પુરુષો હોત, પણ એવું નથી, એનો અર્થ જ એ કે સ્ત્રી અને પુરુષ બંને અનિવાર્ય છે ને એ અનિવાર્યતા એકબીજાથી અલગ રહેવાં માટે નહીં, પણ એકબીજાના પૂરક રહેવામાં છે. આટલું સમજાશે તો બંનેને એકબીજાની અનિવાર્યતા પણ સમજાશે, ખરું કે નહીં?

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

મજબૂતીનું નામ મહાત્મા ગાંધી

પુરુષોત્તમ અગ્રવાલ|Gandhiana|20 July 2021

‘મજબૂરીનું નામ મહાત્મા ગાંધી’ એવું લાંબા સમયથી હું માનતો રહ્યો. એવું કહેતો પણ. પણ જ્યારે મેં શાંતિથી વિચાર્યું ત્યારે ખ્યાલ આવ્યો કે ખરેખર તો મજબૂરી હિંસા છે. હિંસા દૃઢતા અને શક્તિને પ્રગટ નથી કરતી, તે નબળાઈને પ્રગટ કરે છે. આજ સુધી હું કોઈ એવી વ્યક્તિ, વિચાર કે શાસકના સંપર્કમાં આવ્યો નથી જેઓએ હિંસા કરીને એમ ન કહ્યું હોય કે ‘અમે તો હિંસા કરવા મજબૂર હતા’. રાજ્યસત્તા હિંસા કરે છે કારણ કે તેને વ્યવસ્થા બનાવી રાખવાની મજબૂરી છે. ક્રાંતિકારી હિંસા કરે છે કારણ કે રાજ્યસત્તાએ તેમને મજબૂર કરી દીધા છે. અધ્યાપક હિંસા કરે છે કારણ કે તે વિના અનુશાસન શીખવી નથી શકતા. બાળકો હિંસા કરે છે કારણ કે હિંસા વિના સમાજ કશું સાંભળવા તૈયાર નથી. આ અવળી વહેતી ગંગાને જાણે આપણે આત્મસાત્ કરીને જીવીએ છીએ. માત્ર આપણે નહીં, પૂરી દુનિયા આત્મસાત્ કરીને બેઠી છે કે અહિંસા મજબૂરીનું પ્રમાણ છે અને હિંસા શક્તિનું. આ વાત બિલકુલ વિપરીત છે. ખરેખર તો સ્વયં હિંસા કરનારાઓ પર તમે ધ્યાન આપશો તો, તેઓ ભલે સરકારી પદે રહીને હિંસા આચરતા હોય, હિંસાને યોગ્ય ઠેરવતા હોય, રાજ્યસત્તાના રૂપમાં હિંસા કરતા હોય, તો તમે તે જોઈ શકશો કે દરેક હિંસક વ્યક્તિ અને વિચાર પોતાને પરિસ્થિતિથી વશ રજૂ કરીને પોતાની નૈતિક કટોકટીનું સમાધાન શોધી લે છે.

મને આ અનુભૂતિ ખૂબ મોડે થઈ. જો કે આ અનુભૂતિ થઈ તે માટે અનેક ઘટના અને વ્યક્તિઓનું યોગદાન છે. સૌથી અગત્યનું યોગદાન છે મારા મિત્રનું. આ અંગેનો બોધ મને કરાવ્યો મારા મિત્ર દિલીપ સિમિયને. આ અલ્પતા સાથે હવે હું મારી સફર રજૂ કરું છું. ‘મજબૂરીનું નામ મહાત્મા ગાંધી’થી ‘મજબૂતીનું નામ મહાત્મા ગાંધી’ સુધીની સફર. આ સફર ગાંધીજીની નથી. સફર મારી છે. ડાબેરી હોવા છતાં મને આ વિષય અંગે વક્તવ્ય આપવા આમંત્રણ મળ્યું. આખરે આવી સફરનો અધિકાર ડાબેરીઓને પણ છે જ ને!

૧૯૮૯ના વર્ષમાં હું, દિલીપ અને અમારા એક મિત્ર જુગનૂ રામાસ્વામી પંજાબ ગયા હતા. કાર દ્વારા અમે ત્યાં જવા નીકળ્યા. પંજાબમાં મને જે અનુભવ થયા તે હું જીવનભર ભુલાવી નહીં શકું. એક અર્થમાં બંને અનુભવ આધ્યાત્મિક હતા. પહેલી વાર મેં અનુભવ્યું કે મસ્તિષ્ક સુન્ન થઈ જવું એટલે શું. અમે જતા હતા ત્યારે માર્ગમાં અમારી સામે એકાએક કાર ઊભી રહી. કારમાંથી ત્રણ-ચાર યુવકો હાથમાં બંદૂક લઈને નીચે ઊતર્યા. મને લાગ્યું કે હવે અમે શહીદ થઈ જઈશું. હંમેશાં બીજાની શહીદી ખૂબ રોમાંચકારી હોય છે. પોતાની શહીદીની વાત આવે ત્યારે તો જાણે કંપારી છૂટી જાય. પંજાબમાં પ્રથમ વાર મને આવો અનુભવ થયો.

આવો બીજો અનુભવ આ સફર દરમિયાન અમૃતસરમાં થયો. અમે શીખોના સાંસ્કૃતિક અને શૈક્ષણિક કેન્દ્ર દમદમી ટકસાલમાં ગયા હતા. દમદમી ટકસાલ ખાલિસ્તાની આંદોલનનું નૈતિક-બૌદ્ધિક કેન્દ્ર હતું. અમે ત્યાં પહોંચ્યા. ગાંધીજી પાસેથી નાની અમથી પ્રેરણા મેળવીને અમે આ પ્રવાસ ખેડ્યો હતો. અમે એ સમજવા માગતા હતા કે લોકો કેમ મારવા ને મરવા માટે અધીરા થઈ જાય છે. એ માટે અમે ત્યાં વિવિધ લોકોને મળ્યા; તેમાં કમ્યુનિસ્ટો હતા, કૉંગ્રેસીઓ હતા. ભા.જ.પી.ઓ અને ખાલિસ્તાનીઓને પણ મળ્યા. ખાલિસ્તાનીઓને મળવા જ અમે દમદમી ટકસાલ ગયા હતા. ત્યાં ગયા ત્યારે તેઓએ અમને ખાલિસ્તાન આંદોલન વિશે તર્ક-દલીલથી વિસ્તારથી સમજણ આપી. અમે તો ડરેલા હતા. ગભરાટ અમારામાં વ્યાપ્યો હતો. પરંતુ દિલીપ હંમેશની જેમ ચર્ચા કરવા ઉત્સુક હતો. તેમની વચ્ચે તર્ક-દલીલ થઈ રહ્યાં હતાં. આ ચર્ચા દરમિયાન બેઠકમાંથી સૌથી મુખર વ્યક્તિ ખાલિસ્તાન વિશે પોતાની વાત રજૂ કરી રહ્યો હતો. તે ખાલિસ્તાની આંદોલનની સફળતા અર્થે હિંસા અનિવાર્ય છે તેવું સમજાવતો હતો. પોતાની વાત સમજાવતી વખતે કશીયે પૂર્વભૂમિકા વિના તે એકાએક એવું બોલ્યો કે, “આજે ગાંધી હોત તો આ વિવાદનો ઉકેલ લાવી શકાત.” પહેલાં તો મને આ વાત ન સમજાઈ. મેં પૂછ્યું કે “તમારો કહેવાનો અર્થ શું છે? ગાંધીજીના હોવાથી વિવાદ કેવી રીતે ઉકેલાઈ જાત?” તેણે કહ્યું : “તે હોત તો આતંકવાદ કે ગોળીબારની પરવા કર્યા વિના અમૃતસર આવીને સીધા જ ઉપવાસ પર બેસી જાત.”

મારા માટે આ આધ્યાત્મિક અનુભવ હતો. એવું કહેતો નથી કે આમ કહેનાર વ્યક્તિ હિંસાનો વિરોધી છે. તે ગાંધીમાર્ગી કે ગાંધીવાદી થઈ ગયો તેમ પણ હું નથી કહેતો. પરંતુ ગાંધીનું સામાજિક અને રાજકીય જીવન તેમના કટ્ટર વિરોધીઓના મનમાં પણ સંવાદ પ્રત્યે આસ્થા જન્માવે છે.

જે ભયની ચર્ચા મેં શરૂઆતમાં કરી, તે ભય સૌથી પહેલાં તો સંવાદની શક્યતાનો અંત લાવી દે છે. ભય દ્વારા તે અનૌપચારિક કે અનાયાસે થતું કાર્ય નથી. એ વાત ધ્યાને લેવી જોઈએ કે ભય પ્રયત્નપૂર્વક જન્માવવામાં આવે છે. આ સંયોગ નથી. ગત વીસ વર્ષથી આપણે વધુ ભયગ્રસ્ત સમયમાં જીવી રહ્યા છીએ. થોડા દિવસો પૂર્વે લખાયેલા એક જાણીતા પુસ્તકને યાદ કરો. માર્ક જુરગેસમેયરનું આ પુસ્તક છે. આ એવો સમય છે જ્યાં પરમાત્માથી માનવી સુધી આતંકનું શાસન છે. ટૅરર ઇન ધ માઇન્ડ ઑફ ગૉડ. પુસ્તકમાં પણ એવો સમય છે જેમાં પરમાત્મા સુધ્ધા આતંકિત છે. આ સમયમાં પણ હિંસા અને અહિંસાનો મજબૂરી અને મજબૂતી સાથે ખરેખર શું સંબંધ છે એ વાત જાણવી-સમજવી જરૂરી છે.

દમદમી ટકસાલના અનુભવ વિશે મેં લખ્યું. તેનાથી એવું લાગી શકે કે ગાંધીજીની મોટાઈ માત્ર તેમના બલિદાનમાં છે. પણ એવું નથી. ગાંધીજીની મોટાઈ બેશક તેમના બલિદાનમાં, તેમના સાહસમાં છે. પરંતુ તેમની મોટાઈ તેનાથી પણ આગળની બાબત છે. ગાંધીજીની મોટાઈ તેમના વિચારોમાં, અંતર્દષ્ટિમાં અને તેમના વિવેકમાં છે. આપણે એ વાત સમજવી જોઈએ કે મજબૂત શબ્દ ‘જબત’થી બન્યો છે — ધીરજ, સહનશીલતા સાથે ઊભા રહેવાની વાત આક્રમક વ્યક્તિના સંદર્ભમાં કહેવાતી નથી. મજબૂત વ્યક્તિ તે છે જેનામાં ધીરજ છે, વિવેક છે. આ સંદર્ભમાં ગાંધીજીની મજબૂતી પ્રેરણાદાયી અને શિક્ષિત કરનારી છે.

વર્તમાન સમય હિંસાનું સામાન્યીકરણ અને વિકેન્દ્રીકરણનો છે. હાલમાં સત્તાનું, ધનનું કે ઉદ્યોગોનું વિકેન્દ્રીકરણ ભલે ન થયું હોય; પરંતુ તમારા આસપાસના સમાજને જોશો તો ક્રૂરતા અને હિંસાનું વિકેન્દ્રીકરણ થયું છે. હવે ક્રૂરતા અને હિંસા પર માત્ર રાજ્યસત્તાનો એકાધિકાર નથી. આજના વિદ્રોહી બધું ખદેડી નથી દેતા, બલકે તેઓ પીડા પણ આપે છે. તેઓ દુશ્મનોનો સફાયો જ નથી કરતા, પરંતુ શાળાનાં બાળકોની બસને પણ બૉમ્બથી ઉડાવી દે છે. તેઓ બાતમી આપનારના હાથ-પગ કાપીને પીડાદાયક સ્થિતિમાં તરછોડી દે છે. હિંસા અને ક્રૂરતાના વિકેન્દ્રીકરણ વિશે માર્ટિન લ્યૂથર કિંગની એક જાણીતી ચેતવણી છે. માર્ટિન લ્યૂથર કિંગ તેમાં કહે છે કે આપણે જ્યાં આવી પહોંચ્યા છીએ ત્યાંથી દુનિયા માટે પસંદગીનો પ્રશ્ન નૉનવાયલન્સ કે વાયલન્સ નથી. હિંસા કે અહિંસામાંથી પસંદગીનો વિકલ્પ આપણી પાસે નથી. હવે અહિંસા અને સર્વનાશમાંથી કોઈ એક બાબતની પસંદગી કરવાની છે.

ગાંધીજી વારંવાર એવું કહેતા કે સત્ય અને અહિંસા અંગે હું કોઈ નવી વાત નથી કહેતો. સત્ય અને અહિંસા શાશ્વત છે. ટ્રૂથ ઍન્ડ નૉનવાયલન્સ આર ઍઝ ઓલ્ડ ઍઝ હિલ્સ. અહીં સત્ય વિશે હું ઝાઝું કહેવા માગતો નથી. પરંતુ અહિંસા અંગે દૃઢતાપૂર્વક કહી શકું. અહિંસા અંગે ગાંધીજીનું એમ કહેવું કે હું કશું નવું કહેવા માગતો નથી, તે તેમની વિનમ્રતા છે. તેઓ જે અર્થમાં અહિંસાની વાત કરે છે તે માનવીય વિચારના ઇતિહાસમાં અભૂતપૂર્વ અને મૌલિક છે. તેમની અહિંસા માત્ર પરંપરાથી ચાલી આવતી ધાર્મિક અહિંસા નથી. વધુ સ્પષ્ટતાથી વાત કરીએ તો આપણે જોઈએ છીએ કે સંસારના તમામ ધર્મમાં અહિંસા એક આદર્શ છે. તે આદર્શ સુધી પહોંચવાનો સૌએ પ્રયાસ કરવો જોઈએ અને તે ધ્યેય સુધી ન પહોંચાય તો હંમેશાં તમારી પાસે જસ્ટિફિકેશન તૈયાર છે. ગાંધીજી માટે અહિંસા આદર્શ નથી. તેમના માટે અહિંસા રોજબરોજના જાહેર અને વ્યક્તિગત જીવનની કસોટી છે. અહિંસા તેમના માટે પાયાનું જીવનમૂલ્ય છે. એ રીતે તેમની અહિંસા ધાર્મિક અહિંસાથી ઘણી આગળ છે.

સંસારના તમામ ધર્મોમાં પવિત્ર અને અપવિત્ર પ્રકારની હિંસા જોઈ શકાય છે. वैदिकी हिंसा हिंसा न भवति એ વાત કોઈ ને કોઈ રૂપમાં દરેક ધર્મપરંપરામાં છે. થોડા દિવસ પૂર્વે મેં એક ફિલ્મ જોઈ. બલ્ગેરિયાના ફિલ્મકાર બોરિસ્વાલ સરાયિવેવની. ફિલ્મનું નામ છે : ‘બૉરિસ : ધ લાસ્ટ પૅગન’. આઠમી-નવમી સદીમાં બલ્ગેરિયામાં એક રાજા થઈ ગયો. રાજાએ ધર્મપરિવર્તન કરી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો. તે પછી બલ્ગેરિયામાં ખ્રિસ્તી શાસનનો આરંભ થયો. હવે રાજા બૉરિસ ખ્રિસ્તી થયો તો પ્રજા પર ખ્રિસ્તી ધર્મ સ્વીકારવા અંગે દબાણ થવા માંડ્યું. ફિલ્મમાં એક દૃશ્ય છે જેમાં લોકોને યાતના આપવામાં આવી રહી છે, ત્યારે બૉરિસનો તેના સેનાપતિ સાથે સંવાદ છે. બૉરિસ તે સંવાદમાં કહે છે : “તમે તો કહ્યું હતું કે તમામ લોકો ઈશુના શરણમાં આવી ચૂક્યા છે અને તેમને મુક્ત કરી દેવામાં આવ્યા છે.” સેનાપતિએ જવાબ વાળ્યો કે : “હા, મેં કહ્યું હતું કે તમામ ઈશુના શરણમાં આવી ગયા છે, તે તો મેં મનુષ્યો વિશે કહ્યું હતું. આ લોકો તો શૈતાનનાં બાળકો છે.” જે મનુષ્યો છે, ઑલ ધ પીપલ હૅવ કન્વર્ટેડ. જેમના પર દાનવ સવાર હતો તેઓ વળી પોતાને શું કન્વર્ટ કરશે. તેથી તેમની સાથે થઈ રહેલો અત્યાચાર યોગ્ય છે.

શ્રીલંકાની લોકકથામાં એક દૃષ્ટાંત મળે છે. એક બૌદ્ધ રાજા હતો. પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરવા તેણે અનેક યુદ્ધો કર્યાં. અંતે તે યુદ્ધની ભયાનકતા જોઈને પસ્તાયો. પોતાના હાથે થયેલી કત્લેઆમથી તેને થયું કે આ મારાથી શું થઈ ગયું! તે પણ બૌદ્ધ હોવા છતાં. રાજાની આ સ્થિતિ જોઈને બૌદ્ધ ધર્મના આચાર્યોએ તેને સમજાવ્યો કે પૂરા યુદ્ધમાં માત્ર બે જ વ્યક્તિ માર્યા ગયા છે, કારણ કે તે બે જ વ્યક્તિ બૌદ્ધ ધર્મના શરણમાં આવ્યા હતા. બાકી જે મર્યા તેમની ચિંતા તમારે કરવાની નથી. આવાં ઉદાહરણ સંસારના બધા જ ધર્મોમાં મળે છે. દરેક ધર્મ પવિત્ર અને અપવિત્ર હિંસા વચ્ચે અંતર કરે છે. સંસારનો દરેક ધર્મ વધ અને હત્યા વચ્ચે અંતર કરે છે. હત્યા અસ્વીકાર્ય છે. વધ ન માત્ર સ્વીકાર્ય છે બલકે અનેક સ્થિતિમાં તે અમલકાર્ય છે. ગોડસેના નિવેદનનો અર્થ સમજીએ તો ખ્યાલ આવે. ગોડસે હિંદી કે મરાઠી બોલતો ત્યારે તે હત્યાનો નહીં પણ વધ શબ્દનો પ્રયોગ કરતો. ગોપાલ ગોડસેના પુસ્તકનું શીર્ષક છે : ગાંધી વધ આણિ મી. વધ નૈતિક રીતે સ્વીકૃત છે. માન્ય છે. પ્રાણહારક પ્રવૃત્તિ છે, જે અનેક વખત આવશ્યક બની જાય છે. અહિંસા ત્યાં સુધી જ યોગ્ય છે જ્યાં સુધી તે આપણાં વિચાર, માન્યતા અને આસ્થાને અનુકૂળ હોય. અહિંસા કસોટી નથી, બલકે અહિંસા પ્રક્રિયા છે, જેને સતત આપણે આસ્થાની કસોટી પર કસવાની છે.

ચાર વર્ષ અગાઉ સમાજશાસ્ત્રી બેરિંગ્ટન મૂરેએ એક અધ્યયન કર્યું હતું : મૉરલ પ્યુરિટી ઍન્ડ પર્સિક્યૂશન ઇન હિસ્ટ્રી (ઇતિહાસમાં નૈતિક શુદ્ધતા અને ઉત્પીડન). આ અધ્યયનમાં બેરિંગ્ટન મૂર એકેશ્વરવાદી ધર્મો વિશે એક નિષ્કર્ષ પર પહોંચ્યા હતા. તેઓએ પૂર્વના ધર્મો સાથે એકેશ્વરવાદી ધર્મોની સરખામણી કરી છે. આ અંગે તેઓ કહે છે કે જેઓ પોતાના હિંદુ હોવા અંગે આક્રમક રીતે ગર્વનો વિષય બનાવે છે તેમણે આ વાત પર ખાસ ધ્યાન આપવું જોઈએ. બેરિંગ્ટન મૂર પોતાના પુસ્તકનાં તારણોમાં અંતે લખે છે : “નૈતિક શુદ્ધતાનો સિદ્ધાંત અને વ્યવહાર એકેશ્વરવાદી ધર્મો — યહૂદી, ઈસાઈ અને ઇસ્લામ સુધી જ સીમિત છે. પશ્ચિમના સંપર્કમાં આવતાં અગાઉ પૂર્વી સમાજમાં નૈતિક શુદ્ધતા પ્રેરિત ઉત્પીડન હતું, પરંતુ ઓછા પ્રમાણમાં. જો કે હવે વિશ્વાસ અને સામાજિક સંગઠનની પૂર્વીય વ્યવસ્થાના પતને નૈતિક શુદ્ધતાની ક્રૂરતાને જમીન તૈયાર કરી આપી છે. એ રીતે નૈતિક શુદ્ધતા પ્રેરિત ઉત્પીડનની શક્યતા સૌથી વધુ છે. હિંદુ ધર્મમાં પણ ક્રૂરતામાં અન્યોને પાછળ રાખવાની હોડ શરૂ થઈ ચૂકી છે. પૂર્વ-પશ્ચિમ ક્યારે ય મળી નહીં શકે તે બનાવટી ભવિષ્યવાણી વીસમી સદીમાં જ સાચી પડી ચૂકી છે. ઇતિહાસની ક્રૂર હિંસા અને ભયાવહ પીડાને સંભવ કરવા અર્થે.”

બેરિંગ્ટન મૂર જાતે જ એકેશ્વરવાદી પરંપરાના છે. આ કારણે તેમનો આક્રોશ સમજી શકાય. એકેશ્વરવાદી પરંપરાથી બહાર રહેલા લોકોએ જો કે આ આક્રોશથી પોતાના સારા હોવાપણા અંગે પ્રમાણપત્ર શોધવાની જરૂર નથી. બલકે વિવેક અને આક્રોશ સાથે બેરિંગ્ટન મૂરની જેમ પોતાના દેશની પરંપરા અંગે દૃષ્ટિ રાખવી જોઈએ.

એક વાત સ્પષ્ટ છે કે પવિત્ર હિંસા અને અપવિત્ર હિંસાના વિભાજનને લઈને સંસારના તમામ ધર્મોમાં સાચો સર્વધર્મસમભાવ જોઈ શકાય છે. તમામ ધર્મ પવિત્ર અને અપવિત્ર હિંસામાં ભેદ કરે છે. માત્ર ધર્મ જ નહીં, બલકે ધર્મનિરપેક્ષ વિચારમાં પણ. પવિત્ર હિંસા એ કાંઈ ધર્મોની બાપીકી જાગીર નથી. અલ્જેરિયાના સ્વતંત્રતા-સંગ્રામ દરમિયાન ફ્રાન્ઝ ફેનને પોતાના પુસ્તક રેચેડ ઑફ ધ અર્થમાં સૌથી અગત્યના સિદ્ધાંતની સ્થાપના કરી હતી કે, “જુલ્મીઓની હિંસા ખોવાયેલી માનવતાને ફરી મેળવવાની પ્રક્રિયા છે.” તે આવશ્યક છે અને પવિત્ર પણ છે. ફેનન એ રીતે મૌલિક રજૂઆત કરી રહ્યા હતા. એક અર્થમાં તેઓએ સમસ્ત ડાબેરી પરંપરાને એ નૈતિક તારણ પર પહોંચાડી, જ્યાં સમાજના વર્ગોના રૂપાંતરણ માટે થતી હિંસા ટાળી ન શકાય. આ મૂળભૂત માન્યતા છે, આ માન્યતાને ફેનને ચાર્જ્ડ ઍટમોસ્ફિયરમાં એક નવા નૈતિક ચાર્જ સાથે ભેળવી.

ફેનન કે માક્‌ર્સ કે અન્ય કોઈ, વ્યક્તિગત રીતે ક્રૂર નહોતા. હિંસક કે હત્યારા નહોતા. તેઓ તો સજ્જન હતા. માનવીય વલણ ધરાવતા હતા. અને તે માટે જ હિંસાની સમસ્યાનો વધુ ઊંડાણપૂર્વક અભ્યાસ થવો જોઈએ. એ વાત યાદ રાખવી જોઈએ કે આપણે જેને ચિંતાજનક હિંસા માનીએ છીએ, તેથી અનેકગણી ચિંતાજનક હિંસા તે છે જે આપણે ખૂબ સ્વાભાવિક અને પવિત્ર હિંસા માની બેઠા છીએ. સમગ્ર માનવ ઇતિહાસમાં થયેલી હિંસા–હત્યા, વધ, બળાત્કાર, લૂંટને આલેખિત કરવામાં આવે તો વ્યક્તિગત ઉન્માદના કારણે થયેલી હિંસા કરતાં પવિત્ર ઉદ્દેશ માટે થયેલી હિંસા અનેકગણી વધુ છે. કોઈ રાજ્યમાં છ-સાત લોકોની હત્યા થાય તો પોલીસ અને ગૃહ મંત્રી પર જાણે પ્રશ્નો વરસી પડે છે, પણ કોઈ એક શહેરમાં ત્રણ દિવસમાં જ ૨,૭૦૦ લોકોને મારી નાખવામાં આવે ત્યારે તેઓ ‘ખોટા ધર્મ’ સાથે સંબંધ ધરાવે છે, એ રીતે કાયદો-વ્યવસ્થા માટે તે નૈતિક ચિંતાનો વિષય બનતો નથી.

હિંસા વિચાર માગી લે તેવો વિષય છે. સંગઠિત અને ઉદ્દેશ સાથે થયેલી હિંસાની પ્રતીકાત્મક શક્તિ હોય છે. અમારા એક મિત્ર રમૂજી બનાવ કહેતા. એક મૅજિસ્ટ્રેટની સમક્ષ હવાલદાર ચોરને રજૂ કરે છે. હવાલદાર કહે છે કે : “મેં આને પકડ્યો છે.” ચોર ચબરાક અને સ્ફૂર્તિલો હતો અને હવાલદાર મોટી ફાંદ ધરાવતો હતો. મૅજિસ્ટ્રેટ આ વાત સાંભળી હસી પડ્યા અને તેમણે કહ્યું : “ચોરને તમે પકડ્યો છે. એ જો દોડે તો એ ક્યાંનો ક્યાં પહોંચશે અને તમારા માટે એક ડગ માંડવો સુધ્ધાં મુશ્કેલ થઈ જશે. તમે તેને કેવી રીતે પકડ્યો?” હવાલદારે ત્યારે કહ્યું : “સાહેબ, હુકૂમત દોડતી નથી, બલકે સ્વીકૃતિથી ચાલે છે. મેં એક વાર તેને કહ્યું કે ખબરદાર … ઊભો રહેજે, દોડતો નહીં. આ સાંભળ્યા પછી તે એક ડગ માંડવાની પણ હિંમત ન કરી શકે.” સંગઠિત અને ઉદ્દેશ સાથે થયેલી હિંસા સ્વીકૃતિનો મુદ્દો છે. હિંસાની સૂચક શક્તિ અગત્યની છે. ગાંધીજીની મજબૂતીની વાત કરીએ ત્યારે એક સરળ વાત આપણી સમક્ષ આવે છે. ગાંધીજીની લાખો નિષ્ફળતાઓની ચર્ચા થઈ શકે. તેમનાં અનેક કાર્યો વિવાદાસ્પદ રહ્યાં છે. લાંબા જાહેર જીવનમાં વિવાદો થવા સ્વાભાવિક છે. પરંતુ એક બાબત અંગે કટ્ટર વિરોધી પણ ગાંધીજીનો ઇનકાર નહીં કરી શકે કે તેઓ સામ્રાજ્યની શક્તિ દ્વારા થતી હિંસાની સ્વીકૃતિનો અંત લાવ્યા હતા. તેમણે હિંસાની એ તાકાતને તોડી નાખી.

સંગઠિત અને સામૂહિક હિંસાની સ્વીકૃતિ બને છે અને તે પાવરનું રૂપ લે છે કારણ કે અંતે હિંસા મનુષ્યના મનને અન્ય દિશામાં વાળવાની સૌથી કારગર અને આત્મસાત્ કરનારી અભિવ્યક્તિ છે. પોતાની જાતથી અલગ થયા વિના, માનવતાથી દૂર થયા વિના તમે હિંસા તો કરી જ શકો છો, સાથે તેને યોગ્ય ઠરાવી શકો છો. અને તે માટે તમે મજબૂર છો તેમ પણ કહી શકશો.

આ મજબૂરીને સમજવી આવશ્યક છે. હિંસા આત્મરત વ્યક્તિની સૌથી કરુણ અભિવ્યક્તિ છે. એ માટે ઊંડાણપૂર્વક વિચાર થવો જોઈએ કે હિંસા શું છે અને ક્યાં છે? સ્વાભાવિક છે કે અહીંયાં એ પણ પ્રશ્ન થાય કે અહિંસા શું છે? ઘણાં લોકો તો એ રીતે વાત કરે છે કે જાણે ગાંધીજી એટલા ભોળા હોય કે આ વાત પણ ન જાણતા હોય કે जीवै जीव अहारा. અહિંસા કેવી રીતે સંભવી શકે, તેવું કેટલાંક પૂછે છે? શાકાહારીઓનો દાવો છે કે અમે અહિંસક છીએ, પરંતુ જીવ વનસ્પતિમાં પણ હોય છે. તો શું આહાર લેવો હિંસા છે? બેસવું અને ઊઠવું સુધ્ધાં હિંસા છે. બધી જ જગ્યાએ હિંસા છે, તો અહિંસાની વાત કેવી રીતે થઈ શકે. કેટલાંક વળી અહિંસાને જ આક્રમકતામાં ઢાળી દે છે. પશુપ્રેમ અને શાકાહારની વાત એટલી ભયાવહ બને છે કે મારા જેવા શાકાહારીને તેનાથી પ્રશ્નો થવા માંડે છે. એ રીતે કેટલાંક ગાંધીજીને અન્યોની નૈતિક ન્યૂનતા દર્શાવવાના દર્પણ તરીકે જ જુએ છે. ખરેખર ગાંધીજીને સંભાવનાઓમાં નિહાળવા જોઈએ. અન્યોની નૈતિક ન્યૂનતા દર્શાવવા, આત્મવિશ્વાસવિહીન બીમારીના દરદી બનાવવા ગાંધીજીને કામમાં લેવામાં આવે છે. અરે, તમે કેવી રીતે ગાંધીજીની વાત કરો છો … તમે તો સિગારેટ પીઓ છો. તમે તો મિલનાં કપડાં પહેરો છો. તમે આમ કરો છો તમે તેમ. અરે, તમે તો ડાબેરી છો.

આ સ્થિતિ અંગે ગાંધીજીએ જ ઊંડાણથી વિચાર કર્યો હશે. વારંવાર તેમણે બે વાતોને સ્પષ્ટ કરી છે. એક કે અહિંસા એ કાયરતાનો પર્યાય નથી. કાયરતાની મૂળ પ્રેરણા હિંસા છે. આક્રમકતા કોઈ પણ ભોગે પોતાને બચાવી રાખવાની ભાવનાથી જન્મે છે. આ જ ભાવનાથી કાયરતા જન્મે છે. તમે અન્યને ધ્વસ્ત કરીને પોતાને બચાવી શકતા નથી તો ભાગીને પોતાને બચાવી લો છો. હિંસા એ કાયરતાની સહધર્મી છે. હિંસા અને કાયરતા પરસ્પર વિરોધી નથી. હિંસા અને કાયરતા એકબીજાની પૂરક છે. ગાંધીજી આ જાણતા હતા કે અહિંસા અને કાયરતા પર્યાયવાચી નથી બલકે બંને પરસ્પરવિરોધી નૈતિક મનોદશાઓ છે.

જીવનમાં સમાવિષ્ટ હિંસાના સંદર્ભે અને અહિંસાના વિચારોને સ્પષ્ટ કરે તેવી વાત ગાંધીજીએ લખી છે : “અહિંસા વ્યાપક વસ્તુ છે. હિંસાની હોળીની વચ્ચે સપડાયેલાં આપણે પામર પ્રાણી છીએ. ‘જીવ જીવની ઉપર જીવે છે,’ એ ખોટું વાક્ય નથી. મનુષ્ય એક ક્ષણ પણ બાહ્ય હિંસા વિના નથી જીવી શકતો. ખાતાંપીતાં, બેસતાંઊઠતાં, બધી ક્રિયાઓમાં, ઇચ્છા-અનિચ્છાએ કંઈક હિંસા તે કર્યા જ કરે છે. તે હિંસામાંથી નીકળવાનો તેનો મહાપ્રયાસ હોય, તેની ભાવનામાં કેવળ અનુકંપા હોય, તે સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુનો પણ નાશ ન ઇચ્છે અને યથાશક્તિ તેને બચાવવાનો પ્રયાસ કરે, તો તે અહિંસાનો પૂજારી છે. તેની પ્રવૃત્તિમાં નિરંતર સંયમની વૃદ્ધિ હશે, તેનામાં નિરંતર કરુણા વધતી હશે. પણ કોઈ દેહધારી બાહ્ય હિંસાથી સર્વથા મુક્ત નહીં થઈ શકે.”

મને આશ્ચર્ય થાય છે કે કેવી રીતે ગાંધીજીને કોઈ હવાઈ આદર્શવાદી કહી શકે? મનુષ્યના સ્વભાવમાં સૌથી વધુ વાસ્તવિક ચિત્ર વધુ શું હોઈ શકે. તેની સાથે સ્વાભાવિકતાનો એક અંશ એ છે કે મનુષ્ય જે છે તેની આગળ કશું બનવા માગે છે. મનુષ્ય પ્રકૃતિમાત્ર નથી, સંસ્કૃતિ પણ છે. હિંસા એક પ્રાકૃતિક તથ્ય છે. પરંતુ અહિંસાનું એક સાંસ્કૃતિક મૂલ્ય હોવું જોઈએ. આક્રમકતા આપણા સૌમાં છે, પરંતુ આપણામાં કરુણા પણ છે અને કરુણા વિચિત્ર સ્વરૂપે પ્રગટ થાય છે. આપણે આસપાસની હિંસા જોઈએ છીએ, પણ કરુણા નહીં. તમે માર્ગ પરથી ગાડીમાં જઈ રહ્યા છો અને બાજુમાંથી એક મોટરબાઇક નીકળે છે. તે મોટરબાઇક પર એક મહિલા બેઠી છે. તેની સાડી મોટરબાઇકમાં ક્યાંક ફસાઈ રહી છે. તમે તેને કહો છો, પ્રયાસ કરીને કહો છો : જુઓ તમારી સાડી ફસાઈ રહી છે, અકસ્માત થશે. તેની સાથે તમારો શો સંબંધ છે? તે તમારી પત્ની નથી, માતા નથી, તે તમારી સાથે કોઈ સંબંધ ધરાવતી નથી. તેમ છતાં તમને તેની ચિંતા છે. એ બિલકુલ ખોટી વાત છે કે આક્રમકતા મનુષ્યની મૂળવૃત્તિ છે. કરુણા અને સંવેદનશીલતા પણ મનુષ્યની મૂળભૂત વૃત્તિઓ છે. ગાંધીજીની અહિંસા પારંપરિક ધાર્મિક અહિંસાથી અલગ એ અર્થમાં છે કે તે ધાર્મિક આદર્શ કે ધાર્મિક મૂલ્યની અનુયાયી નથી, બલકે તે ધર્મ-આચરણની કસોટી પર સ્વયં સ્થિત છે. …

અનુવાદ : કિરણ કાપુરે

[अंतिमजन સામયિકમાંથી]


[સૌજન્ય : “नवजीवनનો અક્ષરદેહ” : મે 2021ના અંકમાંથી]


o

Loading

...102030...1,8081,8091,8101,811...1,8201,8301,840...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved