બધા કે’ તે સાચું જૂઠાલાલની જય,
કહે ગામ આખું જૂઠાલાલની જય !
પ્રતિષ્ઠા અને પદ ને પૈસાય આપે,
ને બદલામાં જાપું જૂઠાલાલની જય !
કરી પુષ્પવર્ષા ને બોલાવડાવે,
વિમાનો લડાકુ જૂઠાલાલની જય !
હવે જય શ્રી કૃષ્ણા કહેતી નથી ને
કરે છે એ બાયું જૂઠાલાલની જય !
પ્રથમ કોણ બોલે તો બોલે છે આખર,
અધિકારી બાબુ જૂઠાલાલની જય !
નથી બોલતો આ વખત ચૂંટણીમાં,
એ હારેલ રાજુ જૂઠાલાલની જય !
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2022; પૃ. 15
![]()


શીર્ષક કદાચ વિચિત્ર લાગી શકે છે. પરંતુ આપણા દેશ અને આપણા રાજ્યની આ કડવી વાસ્તવિક્તા છે. કોરોના મૃત્યુઆંકનું આપણી સરકારો દ્વારા દફન કરી દેવામાં આવ્યું છે.
સરકાર ભલે વારંવાર ઈન્કાર કરતી રહે પણ તેના પગલાં સૂચવે છે કે રેલવેનું ધીરેધીરે ખાનગીકરણ થઈ રહ્યું છે. કેટરિંગ, ટિકિટ બુકિંગ, પાર્કિંગ અને અન્ય સેવાઓ તો ક્યારની ય ખાનગી હાથોમાં છે. અમદાવાદ-મુંબઈ અને દિલ્હી-લખનૌ વચ્ચે આંશિક ખાનગી ધોરણે તેજસ એક્સપ્રેસ ટ્રેન શરૂ કર્યા પછી, ૧૦૯ રૂટ્સ પર ૧૫૧ ખાનગી ટ્રેન શરૂ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. દેશનાં સવાસો રેલવે સ્ટેશનોને પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપના નામે ખાનગી કંપનીઓને સોંપી દેવાનાં છે. નીતિ આયોગ અને ૨૦૧૪માં રચાયેલી વિવેક દેબરોય સમિતિ પણ રેલવે પરનો સરકારનો એકાધિકાર ખતમ કરી દેવાનો મત ધરાવે છે.