મકરંદ દવેની જન્મ શતાબ્દીનું આ વર્ષ છે. ઘણા સેમિનારો થશે. સહુ ગમતાનો ગુલાલ કરશે. પણ મકરંદને જે બિલકુલ નહોતું ગમતું એ વિષે બહુ ઓછી વાત થશે. હિન્દુત્વ અને ગાય વિષે અમુક પરિબળોએ સમાજમાં જે પદ્ધતિસરની વ્યવસ્થિત રીતે ગેરસમજનો પ્રચાર શરૂ કર્યો છે એની સામે મકરંદના પુણ્યપ્રકોપ વિષે વક્તાઓનું લુચ્ચાઈભર્યું મૌન તરત તમારું ધ્યાન ખેંચશે. મરેલી ગાયનું ચામડું સાફ કરતા દલિતોની ગુજરાતમાં જ અંધ ગાય ભક્તોએ કેવી યાતના આપી હતી એના વીડિયો અમે જોયા છે. મોબ લિંચિંગ પણ જોયા છે. ગાય એટલે છાણ, ગૌમૂત્ર અને દૂધ નથી. અહીં મરેલી ગાય વિષે મકરંદે શું લખ્યું છે તે અક્ષરશ: સહુ મિત્રો સાથે શેર કરું છું મકરંદને ન ગમતાનો પણ ગુલાલ કરવો જોઈએ.
‘ગોસેવાનું શિક્ષણ ગાય મૃત્યુ પામે પછી પણ ચાલુ રહે છે. મરેલી ગાયનું ચામડું ઉતારતી વખતે ‘ગાયત્રી મંત્ર’ બોલવામાં આવે છે. મેઘવાળ સમાજનો આ અનોખો ગાયત્રી મંત્ર છે. મારા મિત્ર પૂંજાભાઇ બડવાએ મને આ માહિતી આપી હતી.’ પછાત, અસ્પૃશ્ય ગણાતી જાતિમાં ઢોરને ચીરવાની ખાસ વિધિ હોય છે. જે આખા સમૂહને અસ્પૃશ્ય માનવામાં આવે છે એ ઢોર ચીરવાની ક્રિયામાં અધ્યાત્મનું એક ગુપ્ત રહસ્ય રહેલું છે એ કોણ જાણે છે ? ખાસ કરીને મૃત ગાયને ચીરવાની ક્રિયામાં આ વિધિ અનિવાર્ય ગણાય છે. અગાઉના જમાનામાં તો ગાય મરી જાય ત્યારે એને લેવા આવનારને ગાયમાલિક આ વિધિ મંત્રોવિષે પૂછતો અને જો એને ખ્યાલ ના હોય તો એને મરેલી ગાય આપતો નહિ પણ પોતે જ ઊંડો ખાડો કરીને દાટી દેતો હતો. મૃત ગાયને ચીરવાનો વિધિ એવો હતો કે મૃત ગાયના જમણા પગની ખરીમાં આ મંત્ર બોલીને કાપો મુકાતો હતો. ‘સતની છરી, શબદની ધાર, ચૉરિંગ દિયે મેઘવાળ’ આ કાપો મૂકવાને ‘ચૉરિંગ દેવો’ એમ કહેવામાં આવે છે. એ પછી નીચે આપેલો મંત્ર બોલવામાં આવે છે.
અલખ બેઠા આપે ધણી,
આગે પીછે જોયું તો
ગાય અવતરી
જીવતી ગાય હિન્દુને સોંપી
ને સવાશેર દૂધના ભોગ ધરાયા
મરેલ ગાય મેઘવાળને સોંપી
તો સવા શેર માટીકા ભોગ લગાયા
ચાર પગકા ચાર ખંડ બનાયા
ચામડીની પૃથ્વી બનાઈ
હૈયાના શંખ બનાયા
ઉવાડાકા લોટા બનાયા
જીભ કી કલમ બનાઈ
આંતરડી જનોઈ બનાઈ
હોજરીકા ખડિયા બનાયા
પૂછડેકા લંગોટ બનાયા
મંતર વાંચી ગા ભરખે તો અમરાપુર જાવે
મંતર વાંચ્યા વિના ગા ભરખે તો નરકે જાવે
ગાયકા મંતર સંપૂરણ ભયા
તો મછન્દર પરતાપે જતિ ગોરખને કહા
પ્રાચીન તપોવનોમાં મુનિકુમારો જાતે જ મરેલી ગાયનું ચામડું ઉતારવાની ક્રિયા કરતા હતા. મકરંદ દવે બહુ સ્પષ્ટ કહે છે : 'જે વાણીને જીવતે જીવંત પરણાવી દીધી એટલે કે જગતના વહેવારમાં નાખી દીધી તે સમાજની સ્થૂળ વાણી થઇ ગઈ. મરેલી ગાયનું આવું રહસ્યધન પછાત અને અસ્પૃશ્ય જાતિએ સાચવી રાખ્યું છે એને આપણે હડધૂત કરીએ છીએ. કાયદાઓ ઘડવાથી કાંઈ થતું નથી ‘ગાયત્રી મંત્ર બહુ સાચું કહે છે : જીવતી ગાય હિન્દુને સોંપી ને સવાશેર દૂધના ભોગ લગાયા, મરેલી ગાય મેઘવાળને સોંપી ને સવાશેર માટીના ભોગ ધરાયા.’
•••
વિખ્યાત કલાકાર દોસ્ત શેખર સેનનો ફોન આવ્યો. તે કહે છે : મારે ઘેર ગીરની ગાય છે છતાં અમારા ઘરમાં ક્યારેક બિલકુલ દૂધ નથી હોતું કારણ કે ગાયના ફક્ત બે જ આંચળમાંથી અમે દૂધ દોહીએ છીએ. બાકીના બે આંચળમાં ભરેલું દૂધ અમે ગાયના વાછરડા માટે રાખીએ છીએ. અત્યારે તો મશીનથી ગાય દોવાય છે.
જુઓ, ગાયત્રી મંત્રમા પણ ‘ગાય’ શબ્દ છે ગાયની હાજરી છે. મકરંદનો મિજાજ બિલકુલ સેક્યુલર હતો, સત્તા સાથે કાયમ ખડાખાટકો હતો. કોઈ યુવાન મકરંદ પાસે સરકારી નોકરી માટે ભલામણ ચિઠ્ઠી લેવા આવે તો મકરંદ હસીને કહેતા કે મારી ચિઠ્ઠી બતાવીશ તો તને કોઇ નોકરી આપતું હશે તો નહિ આપે.
મકરંદ સાથે બેસીને ગોંડલમાં અમે કાગળ ઉપર નંદિગ્રામની યોજના તૈયાર કરતા હતા ત્યારે મકરંદે નંદિગ્રામની વિભાવના સ્પષ્ટ કરતા કહ્યું હતું : ‘આપણે અયોધ્યા નથી જવાનું. ભરતભાવ રાખીને નંદિગ્રામ વસાવવું છે. સિંહાસન ઉપર આપણે નથી બેસવાનું પણ રામની પાદુકા મૂકીને રામ વતી શાસન કરવાનું છે. આ ભરતભાવ જન્મે તો જ મારો રામ રાજી થાય નંદિગ્રામ પાછળ મારી આ સંકલ્પના છે. આપણે રામને નામે ચરી નથી ખાવું. ચરતી વખતે ગાયને યાદ રાખવી. ગાય ઉપર ઉપરથી ઘાસ ચરે છે, ઘાસનાં મૂળિયાં નથી ચરતી. આપણે રામરાજ્યનું મૂળ સલામત રાખવાનું છે. સંસ્થા કરીએ તો મુશ્કેલી તો આવશે. પ્રયોગ છે. હનુમાનદાદાને સાથે રાખવાના છે. નંદિગ્રામ કાગળ પર ઊતરતું હતું એ સમયે કુંદનિકા અને હું ઉપસ્થિત હતાં.
મકરંદને મુસ્લિમ બાંધવો માટે કોઇ દ્વેષ નહોતો. મકરંદે તો અલારખા જેવા એક સામાન્ય મુસ્લિમ પર એક કાવ્ય લખ્યું હતું. એ કાવ્ય મને યાદ નથી પણ એક પંક્તિનું ઝાંખું સ્મરણ છેઃ ‘જોયો મેં અલ્લાહનો રખો ..’ મકરંદનો તકિયા કલમ કાયમ એ જ હતો કે ‘હું તો નૂરિયા – જમાલિયાની સંગતમા બેઠો છું. રામ રામ કરો. અલ્લાહ અચ્છા કરેગા’. આ મકરંદનો મિજાજ છે. એ વખતે ભાવનગરથી કવિ પ્રજારામ આવી ચડતા ત્યારે કહેતા.’ હું પ્રજારામ છું એટલે કે ‘હું ડેમોક્રેટિક રામ છું.’ મકરંદની જન્મ શતાબ્દીમાં આવી બધી વાતો થવી જોઈએ.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2022; પૃ. 14
![]()


વાત જો કે ૨૦૨૨માં અને ૨૦૨૨ની જ કરવી છે, પણ કલમ ઉપાડવા કરું છું ત્યારે ચિત્ત કવિકુલગુરુ કાલિદાસની મનહર-મનભર સૃષ્ટિમાં અને એમાં ય તે શાકુન્તલ અને કણ્વાશ્રમની ચિત્રણામાં રમવા કરે છે.
‘એક અજાણ્યા ગાંધીની આત્મકથા’ આપણા કવિ, એક બિન નિવાસી ગુજરાતી અને નાણાકીય બાબતોના વિશ્વવિખ્યાત નિષ્ણાત નટવર ગાંધીની આત્મકથા છે. 2016માં પ્રસિદ્ધ થયેલી 270 પાનાની આ આત્મકથા ઉપરાંત આગળ 20 પેજની પ્રસ્તાવના છે અને પાછળ 40 પેજનાં બે લાંબા લખાણો છે જે અમેરિકામાં વસતા ભારતીઓ અને અમેરિકામાં હાલમાં સર્જાઈ રહેલા ગુજરાતી સાહિત્યની દશા અને દિશા સૂચવે છે. Amazon પરથી માહિતી મળે છે કે આ આત્મકથા અમેરિકામાં Still the Promised Land શીર્ષકથી 2019માં પ્રકાશિત થઈ છે. વાચકને આ શીર્ષક જાણીતું લાગવાનો સંભવ છે કેમ કે અમેરિકના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની આત્મકથાના બીજા ભાગનું શીર્ષક થોડું મળતું આવતું છે, A Promised Land જે 2020માં બહાર પડી. એ જોતાં નટવર ગાંધીને શીર્ષક પહેલા સૂઝયું એમ કહેવાય. ખેર, હાલ તો આપણે ગુજરાતી આત્મકથાની વાત કરીએ –
ટપાલ આવી હોય એવું મને યાદ નથી.’(39) લેખકે કેમેરાની આંખે ગામનું લંબાણપૂર્વકનું વર્ણન કર્યું છે ત્યાં પણ એમને ક્યાં ય કશું આકર્ષક લાગ્યું નથી. એમને જાણે કે સ્પર્શ, ગંધ અને સ્વાદ પ્રત્યે અણગમો હોય એવું સતત લાગ્યા કરે. દાદાના ગાંઠિયા ખાવાના અતિ શોખને એમણે ‘ઇંડલજન્સ’ – વ્યસન – તરીકે ઓળખાવ્યું છે. કુટુંબભાવનાના અભાવ વિષે એમણે લખ્યું છે, એટલે સુધી કે ‘જાણે કે કોઈ અજાણ્યા માણસો અકસ્માતે એક ઠેકાણે ભેગા થઈ ગયા હોય એમ અમે બધાં સાથે રહેતા.’(54) રહી રહીને લેખક પોતાના અને બીજાં ભાઈબહેનોના ઉછેરમાં વડીલોએ દાખવેલી બેદરકારીની વાત કરે છે, ‘જેવી રીતે શેરીમાં કૂતરાં બિલાડાં ઉછરી જાય એમ અમે ઉછરી ગયાં.’ (59) છેવટે ન્યાય કરવા એ એક વાક્ય લખે છે, ‘એનો અર્થ એ નહીં કે એમને અમારે પ્રત્યે માબાપને સંતાનો પ્રત્યે સહજ વ્હાલ અને પ્રેમ હોય તે નહોતાં, પણ એ જમાનો જ જુદો હતો.’ (59) છતાં એ કહ્યા વગર રહી શકતા નથી કે, ‘પણ મારે જો આ મારી કથા પ્રમાણિકતાથી લખવી હોય તો મારા મનમાં કાકા (અહીં, લેખકના પિતા) વિષે જે ઉબળખો ભર્યો છે તે કાઢવો જ જોઈએ. ખોટો ખોટી સુષ્ઠુ સુષ્ઠુ વાતો કરવાનો કોઈ અર્થ નથી.’ ( 61) સ્કૂલ વિષે લખે છે, ‘સ્કૂલમાં પણ ગીતસંગીતના ક્લાસ નહોતા’. (35)
પણ કિસ્મતનું ચક્ર બદલાય છે અને એમને રતિભાઈ નામના સગાનો ભેટો થાય છે જેમને એક જમાનામાં લેખકનાં માતા-પિતાએ આશરો આપેલો. આ વાત રતિભાઈ ભૂલ્યા નહોતા. એમણે લેખકની આંખ ખોલી કે ક્યારેક શેઠ થઈશું એવી આશામાંને આશામાં લોકો ગુમાસ્તા કે મહેતાજી તરીકે જિંદગી કાઢી નાખે છે, અને એમ જ પગ ઘસડીને ગુજરી જાય છે. જો પ્રગતિ કરવી હોય તો ભણ્યા વગર છૂટકો નથી. વાત સાચી, પણ ભણતરનો ખર્ચો કોણ આપે? પિતાજી પોતે આખા કુટુંબનું માંડ પૂરું કરતાં, વળી એમની સાથે એવો કોઈ સંબંધ જિંદગીભર બંધાયો નહોતો કે જેમાં પોતાની આશાસ્પદ કારકિર્દીની ચર્ચા કરી શકે. એમને તો દીકરો જલદી કમાતો થાય એ સિવાય કશામાં રસ નહોતો. રતિભાઇએ ખર્ચાનો પ્રશ્ન પણ હલ કરીને પોતાને ત્યાં ટ્યુશન અપાવ્યું. મૂળે લેખકનાં મનમાં ભૂત હતું સાહિત્યનો અભ્યાસ કરવાનું પણ એમાં નોકરી ન મળે એમ કહી એ ખયાલ પણ રતિભાઈએ ઓગાળી નાખ્યો અને સિડનહામ કોલેજમાં કોમર્સમાં પ્રવેશ લેવરાવીને જ્ઞાતિની હોસ્ટેલમાં પણ રહેવાની વ્યવસ્થા કરાવી. લેખકની જિંદગીમાં આ સૌથી મોટો વળાંક છે. આના આધારે જ પછી એમનો અમેરિકા જવાનો રસ્તો ખૂલ્યો. આ ઉપકાર લેખક જિંદગીભર ભૂલ્યા નથી, એટલું જ નહીં પણ આ આત્મકથા – એમણે જેમ અત્યારે ચાલ છે એમ માતા-પિતા કે ગુરુજનોને નહીં પણ – રતિભાઈમે અર્પણ કરી છે.
શિક્ષણના ક્ષેત્રમાં સાથી અધ્યાપકોમાં જોયું તો, ‘અહીં ફેકલ્ટીમાં ઉચ્ચ કક્ષાના અધ્યાપકો બહુ ઓછા હતા. હા, જેમનો જે વિષય હોય, અને જે ભણાવતા હોય, તેમાં હોંશિયાર હોય એ ખરું, પણ પછી બીજી બધી બાબતોમાં એમનું જ્ઞાન કે સમજણ સામાન્ય કક્ષાના ….. અમેરિકન પબ્લિક અફેર્સ અને રાજકારણની બાબતમાં તેમના કરતાં હું વધુ જાણતો હતો! ….. જો પ્રોફેસરો અને ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ મારી દૃષ્ટિએ બૌદ્ધિક ક્ષેત્રે પછાત હોય, તો પછી સામાન્ય લોકોની તો શી વાત કરવી?’ (204) આ છે એમનું અમેરિકા દર્શન! આપણને અહીં બેઠા એમ થાય કે અમેરિકન પ્રોફેસરો પ્રખર બુદ્ધિમતાવાળા હશે, હાર્વર્ડ કે જહોન્સ હોપકીન્સ યુનિવર્સિટીઓમા એવું હશે પણ એ દેશમાં મોટા ભાગે આવા જ હાલ છે. હવે લેખકના જીવનમાં પ્રોફેશનલ કટોકટી શરૂ થાય છે. લેખકને એમ હતું કે હજી અમેરિકન યુનિવર્સિટીઓમાં કેનેથ ગાલબ્રેથ જેવા અર્થશાસ્ત્રીઓની લેખન પ્રણાલી અમલમાં હશે કે જે મુજબ અઘરા આર્થિક મુદ્દાઓને લોકભોગ્ય અને પ્રવાહી શૈલીમાં રજૂ કરીને અભ્યાસલેખો લખાતા હોય. ત્યાંની યુનિવર્સિટીમાં અધ્યાપકોએ દર વરસે પોતાના વિષય અંગે ફરજિયાત અભ્યાસલેખ લખવાં પડે અને પ્રતિષ્ઠિત જર્નલમાં છપાવવા પડે. અર્થશાસ્ત્રમાં મેથેમેટિકલ ઈક્વેશન અને ઇંપિરિકલ એનાલિસિસ પદ્ધતિનો ઉપયોગ કરીને લેખો લખવા પડે એ સિવાય નોકરીમાં ચાલુ ન રહી શકાય. ફક્ત આ પદ્ધતિએ તમે લખો તો જ નોકરીમાં ટકી શકો. આ અમેરિકન શિક્ષણ પદ્ધતિની મોટી ખામી છે પણ એ જ વાસ્તવિકતા હતી. તેમ છતાં લેખકે પ્રયત્ન તો કર્યો અને એવો થીસિસ રજૂ કર્યો કે એકાઉન્ટિંગ ક્ષેત્રનું ભવિષ્ય આંકડાઓમથી બહાર નીકળવામાં છે. એ વાત વ્યાવહારિક રીતે શક્ય નહોતી. સાહિત્યના કોઈ અધ્યાપક એવું સાબિત કરી દે કે સાહિત્યનું ભવિષ્ય ભાષા છોડવાનું છે એવી વાત થઈ. આટલું અવ્યવહારિક સંશોધનકાર્ય પૂરું કર્યા પછી બેટન રુજમાં પોતાનું ભવિષ્ય નથી એ સમજી જઈને લેખકે એ ગામ પણ છોડયું અને પીટસબર્ગ તરફ હંકાર્યું. ત્યાં નેચરલાઇઝ્ડ અમેરિકનની જેમ ઘર લીધું. અમેરિકામાં રહેલા બિન નિવાસી વસવાટીની બેવડી જિંદગી અંગે લેખક નોંધે છે કે, ‘અમે સોમથી શુક્ર સુધીના અમેરિકન, શનિ રવિએ પાછા ઇંડિયન થઈ જઈએ. ભલે અમે અમેરિકામાં રહીને અમારો કામધંધો કરીએ, પણ ઘરે આવીએ ત્યારે પાછું બધું અમારું ઇંડિયન જ! અમારું ખાવા પીવાનું, ઓઢવા પહેરવાનું, બોલવા ચાલવાનું ખાસ કરીને વિકએન્ડમાં બધું ઇંડિયન જ સમજો. (217) દરમિયાનમાં લેખક બે બાળકોના પિતા થયા હતા, આ બાજુ થીસિસને આધારે તૈયાર કરેલો આર્ટિકલ ક્યાં ય છપાતો નહોતો, લેખકને ભાન થાય છે કે શિક્ષણના ક્ષેત્રમાં આજીવન રહેવું હોય તો મૂળે સ્કૉલર હોવું જરૂરી છે પણ,’ ભલે હું પીએચ.ડી. થયો પણ સાચા અર્થમાં હું સ્કૉલર ન હતો, વધુમાં હું સ્કૉલર થઈ શકું એવી કોઈ શક્યતા પણ નહોતી ….. મારો એટેન્શન સ્પાન બહુ મર્યાદિત છે. હું ભલે મેક્ષ વેબરની વાતો કરું, પણ એના જેવા થવા માટે જે અસાધારણ પરિશ્રમપરાયણતા જોઈએ, જે ધીરજ જોઈએ એનો મારામાં સર્વથા અભાવ છે. …. પુસ્તક લખવાની વાત બાજુએ મૂકો પણ કોઈ પુસ્તક આખુને આખું વાંચવાની ધીરજ મારામાં નથી …. ગુજરાતી કે અંગ્રેજી સાહિત્યના અગત્યના ગ્રંથો મેં વાંચ્યા નથી.’ (223) પોતાની જાત વિષેનું આ ક્રૂરતમ નિરીક્ષણ છે અને આવું આત્મદર્શન થયા પછી એની શબ્દો ચોર્યા સિવાય કબૂલાત કરવાની પારદર્શકતા કેટલામાં હોય છે?