શબ્દકોષનાં પૃષ્ઠો ઉઘાડી જોયું મૌન ટહુકા કરે છે,
કાગળ વચ્ચે અક્ષરો ને ભીતરથી કોઈ સાદ કરે છે.
જૂના ગુલાબી કાગળો મારા હાથમાં ટળવળ્યા,
છે શબ્દની મેહફીલ વાણીની છટા વટ્ટદાર કરે છે.
હજારો શબ્દો એકમેકમાં ભળ્યા છે (છે વગર) પ્રેમની ખાતર,
ખુદ દર્દ બને દર્દે – એ – દવા મીઠી સારવાર કરે છે.
દિલ તો દિલ, દિલની પાછળ આંખોં પણ રોઈ,
મૌન આંખો, આંસુ વડે અજંપાનો ઉભાર કરે છે.
ખામોશી શબ્દોમાં મુક્ત વાણી પ્રવાહ રાખું છું,
ત્રિકાલે બ્રહ્માંડે, છંદ શબ્દો ધ્વનિ રસદાર કરે છે.
મુંબઈ – ઘાટકોપર
e.mail : bijaljagadsagar@gmail.com
![]()


ત્યારે હમેશાં ઇચ્છીએ છીએ કે પરિસ્થિતિને કાબૂમાં લઇ શકીએ, પરિસ્થિતિ આપણા અંકુશમાં આવી જાય, એ પર સારામાં સારી – ઇષ્ટતમ – પકડ મેળવી શકાય. એવી પકડને પૉન્તિ optimum grip કહે છે.
એમણે કહ્યું કે સંવેદનો અનુભવના એકમો છે. જેમ કે, મને અગ્નિને દાઝતાં જે જે વેદનો અને સંવેદનો થયાં હોય એ બધાંનો સમવાય તે એ અગ્નિનો મારો અનુભવ. માણસ ક્રિયાઓ વિશે ચિન્તવી શકે છે કેમ કે એ ચિન્તન-પૂર્વ પ્રકારની એક ભૂમિકા ધરાવે છે. શરીરની આ લાક્ષણિકતાને કારણે જ્ઞાન ચેતનાથી મેળવાય છે એ પ્રરૂઢ ખયાલથી છૂટી શકાયું અને ફિલસૂફી એ રૂપે વધુ વાસ્તવિક બની.