મને જોઈ એની નજર એમ ઝૂકે,
જરા પર્ણ પર કોઈ ઝાકળ ન મૂકે.
બધા કામ છોડી તને હું નિહાળું,
મને કામ બીજું કશું જો ન સૂઝે.
પડે જો ખબર તો કહું છું બધાને,
બધું આવડે એ સમજથી ન પૂછે.
મને પણ લહેરો લઈ જાવ કાંઠે
બધાના હૃદયમાં સમંદર ન ડૂબે.
હવે આંખના હું જ રણમાં રહું છું.
ભરમ છે કહી 'આંસુ' 'आદત' ન લૂછે.
2035, Yogeshwar Nagar Soi. GHB, Kanakpur, Kansad, Sachin – 394 230
e.mail : aadatcreation@gmail.com
![]()


હકીકત એ છે કે 'ટાઈમ'નું કવર
શોભાવનારા મહાત્મા ગાંધી પ્રથમ ભારતીય હતા, અને તેમને કવર પર મુકવાના 'ટાઈમ'ના એ નિર્ણય પાછળ અમેરિકન મીડિયામાં મહાત્માની લડાઈને મળેલી વ્યાપક પ્રસિદ્ધિ હતી.
1950માં આર્ષદૃષ્ટા પત્રકાર વજુ કોટકે ‘ચિત્રલેખા’ સામયિકની શરૂઆત કરી. ત્યાર પછીના લગભગ સિત્તેર વર્ષમાં આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ધરખમ ફેરફારો થયા. યુરોપના સામ્રાજ્યવાદી રાષ્ટ્રોની જકડમાંથી અનેક ગુલામ પ્રજાને મુક્તિ મળી અને નવા દેશો સ્થપાયા. બીજા વિશ્વયુદ્ધ(1939-45)ની સમાપ્તિ પછી જ્યારે યુનાઇટેડ નેશન્સની સ્થાપના થઈ, ત્યારે તેમાં 51 દેશો હતા, આજે એમાં 193 છે.